Tuesday, July 31, 2007

Useful Ayurveda and Herbal Remedies.- Banana.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/



કેળા નામ ઍક કામ અનેક
kalash
Wednesday, July 25, 2007 12:13 [IST]Bhaskar


કેળામાં વિટામિન બીની વધુ માત્રા હોવાથી ચેતાતંત્રને શાંત કરે છે. કેળા ઠંડા પ્રકારનું ફળ ગણાય છે. જયારે વધારે પડતું હેંગઓવર થયું હોય ત્યારે મધ મેળવીને તૈયાર કરેલો કેળાનો મિલ્કશેક બનાવીને પીવાથી રાહત મળશે.

કેળા કેટલીય બીમારીનો ઇલાજ છે. જૉ ઍક કેળાને સફરજન સાથે સરખાવીઍ તો તેમાં ચાર ગણું વધુ પ્રોટીન, બેગણું કાર્બોહાઇડ્રેટ, ત્રણ ગણું ફોસ્ફરસ, પાંચ ગણું વિટામિન- ઍ અને આયર્ન અને બે ગણા બીજાં વિટામિન અને દ્રવ્યો છે. કદાચ હવે પેલી જમાના જૂની કહેવત બદલીને કહી શકાય કે, ‘A banana a day keeps the doctor away!’

કેટલાક રોગ અને કેળાના ફાયદા

ˆ ડિપ્રેશન : કેટલાંક સંશોધન પ્રમાણે ડિપ્રેશનના રોગમાં કેળા ખાવાથી ર્દદીમાં સુધારો પ્રાપ્ત થાય છે કારણ કે કેળામાં રહેલું ટ્રીપ્ટોફાન નામનું પ્રોટીન તત્ત્વ જેમાં ઍમિનો ઍસિડ હોય છે. જે તમને તણાવરહિત મહેસૂસ કરાવે છે, જેથી તમે ખુશ રહી શકો છો.

ˆ ઍનિમિયા : કેળા દ્વારા શરીરના લોહીમાં રહેલા હિમોગ્લોબીનના તત્ત્વમાં વધારો થાય છે, જે ઍનિમિયાના ર્દદીને મદદરૂપ થાય છે.

ˆ બ્લડપ્રેશર : બ્લડપ્રેશરના ર્દદીઓ માટે હિતકારી ઍવા કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધુ અને મીઠાનું પ્રમાણ ઓછું હોય છે. બ્લડપ્રેશરના ર્દદીઓ માટે ગુણકારી છે.

ˆ કબજિયાત : કેળામાં વિપુલ પ્રમાણમાં રેસા (ફાઇબર) રહેલા છે જે તમારી પાચનક્રિયા મજબૂત બનાવે છે અને કબજિયાત ઓછી થાય છે.

ˆ ઍસિડિટી : કેળામાં અમ્લનું તત્ત્વ રહેલું છે જેથી જૉ તમે ઍસિડિટીથી પિડાતા હો તો રાહત મેળવી શકો છો.

ˆ ચાંદા : કેળાના ફળની નરમાશને લીધે ખાવામાં ઍકદમ અનુકૂળ છે. આ ફકત ઍક જ ફળ છે જે કશી મુશ્કેલી વગર આસાનીથી ખાઈ શકાય છે, આ ફળ ઍસિડિટી ઓછી કરીને જઠરની અંદર ઍક પ્રકારનું કવચ બનાવે છે જે ચાંદાની તીવ્રતા ઓછી કરે છે.

ˆ સિઞનલ અફેãકટવ ડિસઓર્ડર (લ્ખ્ઝ) (ઋતુસંબંધી રોગ) : કેળામાં રહેલા ટ્રીપ્ટોફાન નામના તત્ત્વના કારણે વ્યãકતના મૂડમાં પરિવર્તન આવે છે, જે લ્ખ્ઝથી પીડાતી વ્યãકતઓને મદદરૂપ થાય છે.

ˆ માનસિક તણાવ : કેળામાં રહેલા પોટેશિયમથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે, જે મગજ સુધી પૂરતો ઓãકસજન પહોંચાડે છે અને શરીરમાં પાણીનું યોગ્ય લેવલ જાળવી રાખે છે. જયારે આપણે તાણ અનુભવીઍ છીઍ ત્યારે પોટેશિયમ ધરાવતું કેળું અત્યંત ઉપયોગી નીવડે છે.

ˆ પZાઘાતનો હુમલો : ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ આ÷ફ મેડિસિનના કહેવા પ્રમાણે કેળાને રોજિંદા ખોરાકમાં લેવાથી પZાઘાતના હુમલાથી થતા મૃત્યુમાં ૪૦ ટકા ઘટાડો થઈ શકે છે.

ˆ મસા : શરીર પર થતા કાળા અને રતાશ પડતા મસામાં જૉ કેળાની છાલને મસા પર રાખવાથી (પીળી બાજુ બહારની બાજુ રાખવાથી) મટાડી શકાય છે.

આ ઉપરાંત અન્ય કિસ્સા જેવા કે હેંગ ઓવર (માથાનો દુખાવો), મરછર કરડતા, ચેતાતંત્રની બીમારીમાં, ટેમ્પરેચર કંટ્રોલ, ધૂમ્રપાન છોડવા માટે પણ કેળા ઉપયોગી થઈ પડે છે.

જયારે વધારે પડતું હેંગઓવર થયું હોય ત્યારે મધ મેળવીને તૈયાર કરેલો કેળાનો મિલ્કશેક બનાવીને પીવાથી જરૂરી રાહત મળશે. જૉ મરછર કરડયા હોય તો કેળાની અંદરની છાલ ઘસવાથી બળતરા ઓછી થશે. કેળામાં વિટામિન બીની વધુ માત્રા હોવાથી ચેતાતંત્રને શાંત કરે છે. કેળા ઠંડા પ્રકારનું ફળ ગણાય છે. જે સગભાર્ સ્ત્રીઓનું શારીરિક અને માનસિક ટેમ્પરેચર નોર્મલ રાખે છે. ઘણી વ્યãકતઓ સવારના સમયે થાક અનુભવે છે. તેમણે જમ્યા પછી કેળું ખાવું જૉઇઍ.

દાદીમાનું વૈદું....

ˆ તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.

ˆ ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.ˆ પાકા ટામેટાંનો રસ ૫૦ ગ્રામ જેટલો દિવસમાં ત્રણવાર પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

ˆ દાંતમાં સડો થાય તો મીઠાના પાણીના કોગળા વારંવાર કરવાથી આરામ મળે છે.ˆ નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.

ˆ કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.ˆ મૂળાનાં પાનનો રસ કાઢી તેમાં સુરોખાર નાખી રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.

ˆ પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.ˆ જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.

ˆ Zકાળી દ્રાZાનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.ˆ કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે મસળી, ગાળી ઍ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

ˆ શેરડીનો રસ પીવાથી પેશાબ છૂટથી થાય છે, બળતરા મટે છે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.ˆ રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી સવારે વાટી તેમાં સાકર નાખીને હલવો બનાવી ખાવાથી પેશાબ છૂટથી થાય છે.

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ગર્ભપુષ્ટિ

અમુક સ્ત્રીઓમાં ગર્ભ રહ્યા પછી, ગર્ભ ગર્ભાશયમાં બરાબર નોર્મલ રીતે પોષાતો નથી અથવા વૃદ્ધિ પામતો નથી અને કસુવાવડ થઈ જાય છે અથવા બાળકો કૃશ-નબળા અવતરતા હોય છે. ગર્ભાશયમાં ગર્ભ રહ્યા પછી રોજ રાત્રે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી અશ્વગંધાનું ચૂર્ણ + અડધી ચમચી શતાવરી ચૂર્ણ + બે ચમચી ખડી સાકરનો પાઉડર નાખી તેને ધીમા તાપે સારી રીતે ઉકાળી ઠંડું પાડી પી જવું. આ ઉપચારથી ગર્ભિણી અને ગર્ભ બંનેની પુષ્ટિ થાય છે અને નોર્મલ બાળક અવતરે છે. આવા બાળકો પણ હૃષ્ટપુષ્ટ હોય છે. આ ઉપચાર વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખાસ જરૂરી છે. આહારમાં બાજરી, ગોળ, અથાણાં, પાપડ, તજ, લવિંગ, કાળા મરી, આદું, સૂંઠ જેવી ગરમ ચીજો લેવી નહીં અને સહશયન તો કરવું જ નહીં.

Useful Ayurveda and Herbal Remedies.

અમે ‘ધાતુપુષ્ટિ’ના શોખીનોને સલાહ આપીએ છીએ કે, અડધી અડધી ચમચી આહન-અશ્વગંધા, સફેદ મુસળી, ગોખરું, બળદાણા, કૌંચા, આમળા આ છ ઔષધોના ચૂર્ણ સાથે બે ચમચી સાકર મિશ્ર કરી બે ભાગ કરી બે પડીકી બનાવી લેવી. આમાંથી એક પડીકી સવારે અને એક રાત્રે લેવી અને ઉપર એક ગ્લાસ દૂધ પીવાથી ધાતુપુષ્ટિ થાય છે. (૨) અરડૂસી એ કફના રોગોનું ઉત્તમ ઔષધ છે જ, પણ તેનામાં રક્તસ્રાવ બંધ કરવાનો વિશેષ ગુણ હોવાથી જેમને શરીરના નાક, કાન, મળ માર્ગ, મૂત્ર માર્ગ કે યોનિમાર્ગેથી રક્તસ્રાવ થતો હોય તેમણે ત્રણથી ચાર ચમચી અરડૂસીના પાનનો રસ એક ચમચી જેટલી સાકર મિશ્ર કરી દિવસમાં બે વખત સવાર-સાંજ પીવો જોઈએ. ગરમ મસાલા અને ગરમ આહારદ્રવ્યો ખાવા નહીં.

ધારીના ગોવિંદપુર-સુખપુરનો પુલ ઉંચો બનાવવા રજૂઆત

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ધારી તા.૨૯
ધારીના ગોવિંદપુરથી સુખપુર સુધીનો પુલ ઉંચો બનાવવા કુવાડા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ધારી તાલુકાના ગીરવિસ્તારમાં આવેલું ગોવિંદપુર ગામ છે. જે આશરે છ-સાત હજારની વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં ગોવિંદપુર થી દલખાણીયા અને સુખપુર રોડ પસાર થાય છે. જે પુલુકિયાં નદી પરથી રોડ નિકળે છે. ગીર વિસ્તારની નદી હોવાથી વરસાદ વધારે પડતો હોવાથી નદીમાં બે કાંઠે પાણી પુષ્કળ આવે છે. પુલ હાલમાં નીચો હોવાથી દર ચોમાસે પુલ પર પાણી ત્રણ થી ચાર ફૂટ આશરે પાણી પુલ ઉપર વહી રહે છે. જેના કારણે તે રસ્તો બંઘ થતાં આજુબાજુના ગામના આવતા વિધાર્થીઓ, ખેડૂતો અને વાહનોને ઘણું મુશ્કેલ વેઠીને ધારી થઇને ગોવિંદપુર આવવું પડે છે. આ રોડ ઘણો ઉપયોગી છેે. હાલમાં પુલની સ્થિતિ ગાબડું પડયું હોવાથી માટી કામ ચલાવ કરેલ છે. ગામના અગૃણિયો અને ગામજનોનું કહેવું છે કે ભારે વરસાદ પડશે તો પુલ તૂટવામાં વાર પણ નહિ લાગે. આ પુલ તૂટે તે પહેલા પુલને રીપેરીંગ અથવા ઉંચો પુલ તત્કાલ બનાવવાની જરૂર છે. જયારે ગોવિંદપુર સુખપુરનો પુલ નીચો હોવાને કારણે તે રસ્તો વરસાદને લીધે બંધ થઇ જાય છે. જેથી કરીને આગળ ગામડાઓના લોકોને આવવા જવામાં તકલીફ વેઠવી પડે છે.

Saturday, July 28, 2007

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/



શેરડી


આયુર્વેદિય ઔષધ ‘ઇક્ષુ’ને આપણે શેરડી કહીએ છીએ. આ શેરડીને આયુર્વેદમાં શ્રમહર કહી છે. તમે થાકી ગયા હો તો શેરડી ચૂસો અથવા શેરડીનો રસ પીવો. થાક જતો રહેશે અને તાજગીનો અનુભવ થશે. આ શેરડીનો એક ગુણ કંઠય છે. કંઠયનો અર્થ થાય ગળા માટે હિતાવહ. એવી જ રીતે શુક્રશોધન દસ ઔષધોમાં મહર્ષિ ચરકે શેરડીની પણ ગણતરી કરી છે. જેમનું વીર્ય વાયુપિત્તાદિથી દૂષિત થતું હોય, તેમણે શેરડીનો ઉપયોગ કરવો જોઈએ. શેરડી લીવરને તેના કાર્યમાં સક્રિય કરતી હોવાથી કમળા જેવા લીવરના રોગોમાં ખૂબ હિતાવહ છે. તરત જ બળ, સ્ફૂર્તિ એટલે કે તાજગી આપતા ઔષધ દ્રવ્યોમાં શેરડીની ગણતરી થાય છે. આ ઉપરાંત શેરડી રક્તપિત્તનાશક, સેક્સ વધારનાર, વીર્યદોષો દૂર કરનાર, વજન વધારનાર, મૂત્ર વધારનાર, શીતળ અને પચવામાં ગુરુ છે.

Thursday, July 26, 2007

ધારીનું પશુ દવાખાનું ખંઢેર દલખાણીયામાં તબીબ જ નથી

ધારી, તા.૨૫

અમરેલી જિલ્લાના ધારી અને દલખાણીયા ગામના પશુ અને સરકારી દવાખાનાની હાલત ખરાબ છે. ધારીનું પશુ દવાખાનુ ખંઢેર હાલતમાં છે જયારે દલખાણીયાના દવાખાનામાં તબીબ જ નથી. અહીં પશુ દવાખાનું છેલ્લા ઘણા સમયથી ડોકટરથી માંડી ઘટતા સ્ટાફના કારણે દવાખાનામાં બિલ્ડીંગ સુવિધા નથી. માલધારી ઢોર લઈને આવે ત્યારે આ દવાખાનામાં કોઈ સુવિધા નથી. માલિકોને પોતાના પશુઓની સારવાર અપાવવા ભારે હાલાકીમાં મુકાવુ પડે છે. દલખાણીયાનુ સરકારી દવાખાનુ ડોકટર વિનાનુ છે. ગીર વિસ્તારમાં દવાખાનામાં અંદાજે ૧૧ ગામના લોકો સારવાર લેવા માટે આવે છે. કોટડા, મીઠાપુર, પાણીયા, સાપનેસ, આબાગાળા, બીલયાડ, સમેડી સહિતનો સમાવેશ થાય છે. આ દવાખાનામા કોઈ ડોકટર આવતાં ન હોય દવાખાનુ જ બપોરના બે વાગ્યે બંધ પણ થઈ જાય છે. પાકને નુકશાન : અહીંનાં વન્ય પ્રાણીઓ ખેડૂતોના ઉભા મોલને નુકશાન કરતાં હોય આ વિસ્તારમાં દરરોજ રાત્રીના રોઝ નીલ ગાય બીજા જંગલી પ્રાણીના ટોળાઓ આવે છે. ખેડૂતોના ઉભા મોલ બાજરો, મગફળી, કપાસ ખુંદી નાખે છે. ખેડૂતોને પારાવાર નુકશાન થાય છ. ખેડૂતો વન્ય પ્રાણીઓના ત્રાસથી ત્રાહિમામ થઈ ગયા છે.

માલધારી વસાહત ચોટીલીવીડીમાં મોટાપાયે દબાણો: માલધારીઓ પરેશાન

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

વેરાવળ તા.૨૫
માંગરોળ તાલુકાના ચોટીલીવીડી આદિવાસી માલધારી વસાહત ગામની ૃ૯૨ અને ૯૩ સર્વે નંબર પૈકીની ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવા વેરાવળ માલધારી એકતા સમિતિએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી માંગણી કરી છે. ગીર અભ્યારણ તેમજ નેશનલ પાર્ક તથા ગુજરાત સરકારની વિસ્થાપિત યોજના હેઠળ માંગરોળ તાલુકામાં ચોટીલીવીડી આદિવાસી માલધારી વસાહત સરકારે વસાવેલ આ વસાહતમાં રબારી જાતીના આદિવાસી માલધારીઓ મુખ્યત્વે માલઢોર રાખી ઉત્તરોતર માલધારીનો વ્યવસાય કરે છે અને ૯૦% માલધારીઓ અભણ અને ગરીબ છે. સરકારની યોજના હેઠળ ગીર જંગલમાંથી આદિવાસી માલધારીઓને ચોટીલીવીડી વસાહતમાં વસાવવામાં આવ્યા ત્યારે પોતાના માલ-ઢોર ચરાવવા માટે ગામની સીમમાં ૯૨ અને ૯૩ સર્વે પૈકીની જમીન ગૌચર જાહેર કરવામાં આવેલ આ ગૌચરની જમીન પર આજુબાજુના ગામના માથાભારે લોકો દ્વારા દબાણ કરી વાવેતર કરે છે.વસાહતના આદિવાસી માલધારીઓની ઉપરોકત સંદર્ભની ફરીયાદ મુજબ દબાણ કરેલ માથાભારે લોકો દ્વારા સરકારમાં રાજકીય વગ વાપરી પોતાના અંગત સ્વાર્થ માટે ફુલઝાડ વાવવાના બહાના હેઠળ આ જમીન રેગ્યુલર કરવા માટે દોડધામ થતી હોય તેવી વસાહત આદિવાસી માલધારીઓને જાણ થયેલ છે. અંદાજીત ૧૦ થી ૧૨ વર્ષ પહેલા બાજુના ગામના ઘાંચી જાતી ના ટોળાએ ગૌચર જમીન પર પેસકદમી અને માલઢોર ચરીયાણ બાબતે ડખો કરી માલધારીઓ ઉપર ખુની હુમલો કરી માલધારીઓને માર મારી ભારે નુકશાન પહોંચાડેલ જે બનાવની જે તે સમયે માંગરોળ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલ જાણવા મળેલ છે. વસાહતના માલધારીઓના જણાવ્યા મુજબ દબાણ કરનાર ઘાંચી જાતીના લોકો ભારે માથાભારે અને ખુની સ્વભાવના હોય ચોટીલીવીડી વસાહતના માલધારીઓ આવા માથાભારે તત્વોથી ભયભીત થઇ ફફડે છે. આ ગૌચરની જમીન સરકારી તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગમે ત્યારે ચોટીલીવીડી માલધારી વસાહતના માલધારીઓ અને દબાણ કરનાર ઘાંચી જાતીના લોકો વચ્ચે મોટે પાયે ગંભીર ગણાય તેવી લોહીયાળ જંગ થાય તેવી દહેશત રહેલી છે.

કાળીજીરી

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/


કાળીજીરી

આયુર્વેદનું એક ખૂબ જ ઉત્તમ ઔષધ છે 'અરણ્યજીરક.' જેને આપણે ગુજરાતીમાં 'કાળીજીરી' કહીએ છીએ. જેમનું શરીર તપેલું રહેતું હોય, અથવા જીર્ણજ્વર રહેતો હોય, પેટમાં કૃમિ થયા હોય, આમનું પાચન થતું ન હોય, ખસ, ખંજવાળ અને ચામડીના રોગોમાં પા ચમચી જેટલા કાળીજીરીના ભુકાનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ તાજેતાજો ઉકાળો પીવાથી આઠથી દસ દિવસમાં આ વિકૃતિઓ શાંત થાય છે. કાળીજીરી અડધી ચમચી કાળા મરી અડધી ચમચી બંનેનું ચૂર્ણ કરી એક કપ પાણીમાં રાત્રે પલાળી રાખો. સવારે આ દ્રવ ગાળીને પી જવું. થોડા દિવસ આ ઉપચાર કરવાથી જૂનો નળ વિકાર મટે છે. પા ચમચી જેટલું કાળીજીરીનું ચૂર્ણ એક ચમચી મધમાં મિશ્ર કરી ચાટવાથી પેટના કૃમિ નાશ પામે છે. કાળીજીરી બાળી તેની રાખનો તલના તેલમાં મલમ કરીને લગાડવાથી ચામડીના રોગો મટે છે.

Wednesday, July 25, 2007

News in Gujarati - 1 Cr. - 86 Lacs trees going to transplant in Gujarat State.

ખોરાસા ગામે નિરાધાર રોગ પિડીસ ગૌ-સારવાર સેવાયજ્ઞ

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ખોરાસા ગામે નિરાધાર રોગ પિડીસ ગૌ-સારવાર સેવાયજ્ઞ

કેશોદ,તા.૨૪

કેશોદ થી ૩૦ કિ.મી.દુર ખોરાસા ગીર ગામે આવેલ નિરાધાર રોગપિડીત ગૌ સારવાર સેવા આશ્રમ ચાલી રહયો છે. આ આશ્રમ માં હાલમાં ૧૭ અપંગ ગર્ભ કેન્સર,  ર ચીગપાક, ૪ માનવમાર, ૨ શિયાળ દાઢ,૬ કાળો સમકો,૩ એકસીડન્ટ ૧ એકઈસ્ટોશીયા ૩ રકકાપિત ના દર્દ થી પીડાતી ફુલ ૪૨ ગાયો છે. આ ગાયો ને નિયમીત સારવાર આપવા માં આવે છે. તેમને પાટા પીંડી-ચારો પાળી વિગેરેની વ્યવસ્થામાં આશ્રમ ના સંચાલક નિવૃત સરકારી ડોકટર સંજયભાઈ હંસરાજભાઈ કારડીયા દ્વારા કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ ૨૦૦૧ ની શાલથી આ આશ્રમ શરૂ કરવામાં આવેલ છે. આ આશ્રમ માં આખા ગીર માંથી બીમાર ગાયો ને લાવવામાં આવે છે. અથવા તો તર છોડાયેલ અને બીમારી થી પીડાતી ગાયો ને લોકો આશ્રમ સુધી પહોચાડે છે. જેમા બીલખાથી ઉના સુધીના ૧૦૦થી૧૨૫ કિ.મી ગીર વિસ્તારમાં માળીયા મૈદરડા તાલાળા,ઉના વેરાવળ તાલુકાઓ માં આવતા ગીર વિસ્તારના ગામડા ઓ માં થી અહીયા બિમાર ગાયોને લાવવામાં આવે છે.

Tuesday, July 24, 2007

Leopard arrested in Madhavpur (Ghed) near Gir Forest.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ÜëÔäÕðßÜë_ È ÜìèÞë×í ±ëÖ_À ÜÇëäÖù ØíÕÍù ±_Öõ Õë_Éßõ ÕñßëÝù<
 ÛëVÀß LÝñ{. ÜëÔäÕðß (CëõÍ)
 ±ë Âñ_Âëß ØíÕÍë±õ ±ÞõÀ Õåð±ùÞõ ÎëÍí ÂëÔë Èõ
 ÜëÔäÕðß Õ_×ÀÜë_ ÈõSáë_ È ÜìèÞë×í ±ëÖ_À ÜÇëäÖù Âñ_Âëß ØíÕÍù ±_Öõ Õë_Éßõ ÕñßëÖë Õþ½ÉÞù±õ ßëèÖÞù ØÜ áíÔù Èõ.
±ë ØíÕÍù ÈõÀ ßèõHëë_À ìäVÖëßÜë_ Cëñçí Õåð±ùÞë ÜëßHë Àßí ÉÖù èÖù. @ÝëßõÀ Ôùâõ ìØäçõ ÕHë ÂõÖßùÜë_ ÀëÜ ÀßÖë
áùÀù Õß è\Üáù ÀßÖù. ØíÕÍëÞë ±ëÖ_À×í ÜëÔäÕðß çìèÖ ±ëçÕëçÞë ìäVÖëßÜë_ ÛÝÞð_ áÂáÂð_ Õþçßí ÃÝð_ èÖð_.
 ÜëÔäÕðß (CëõÍ)Üë_ ÈõSáë_ È ÜìèÞë×í ÃíßÞë ÉoÃáÜë_×í ±õÀ Âñ_Âëß ØíÕÍù ÇÍí ±ëTuù èÖù. ±ë ØíÕÍù ìåÀëßÞí
åùÔÜë_ ÈõÀ ßèõHëëÀ ìäVÖëßÜë_ Ôçí ±ëäÖù. ±IÝëß çðÔíÜë_ ÖõHëõ ±ÞõÀ Õåð±ùÞõ ÎëÍí ÂëÔë Èõ. ÈõÀ äëÍëÜë_
Úë_Ôõáë ÜëáÏùßÞð_ ÜëßHë Àßí ÉÖù èÖù.
±ë µÕßë_Ö ìØäçõ ÂõÖßÜë_ ÀëÜ ÀßÖë_ áùÀù µÕß ÕHë è\Üáù ÀßÖù èÖù. ØíÕÍëÞë ÛÝ×í ÃþëÜÉÞù ìØäçõ ÕHë
Úèëß ÞíÀâÖë ÎÎÍëË ±ÞðÛäÖë. ÂõÍ
Öù ßëhëõ ÕùÖëÞí äëÍí±õ ɳ åÀÖë Þ èÖë. åëâë±õ ÉÖë ÚëâÀùÞë
äëáí±ùÞù °ä ÇÕËíÜë_ ßèõÖù èÖù. ØíÕÍëÞõ Õë_Éßõ Õñßäë ÜëËõ ±ÞõÀ äÂÖ ßÉ^±ëÖù ×Ýë ÚëØ, ±ë ±_Ãõ
ÒìØTÝ ÛëVÀßÓÜë_ ±èõäëá ÕþìçKÔ ×Öë_ äÞÂëÖð çì¿Ý ×Ýð_ èÖð_.
±ë Âñ_Âëß ØíÕÍëÞõ Õë_Éßõ Õñßäë ÜëËõ ÈõSáë ß0 ìØäç×í Ò±ùÕßõåÞÓ èë× ÔßäëÜë_ ±ëTÝð_ èÖð_. ±áà ±áÃ
ìäVÖëßùÜë_ Õë_Éßë ÜðÀäëÜë_ ±ëTÝë èÖë. ØßìÜÝëÞ ±ëÉõ äèõáí çäëßõ Õë_ÉßëÜë_ ÜðÀõáð_ ÜëßHë Âëäë ±ëäõáù
ØíÕÍù Õñßë³ ÃÝù èÖù. Âñ_Âëß ØíÕÍù ±_Öõ çëHëçëÜë_ ±ëäí ÃÝëÞí äëÖ äëÝðäõÃõ Õþçßí ÉÖë_ ÃþëÜÉÞùÜë_ ±ëÞ_Ø çë×õ
ßëèÖÞí áëÃHëí Õþçßí ó Èõ.<

Modi urges for war against global warming.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

રાજયના સ્વર્ણ જયંતિ અવસરે વૃક્ષ ઉછેરની સ્પર્ધા યોજાશે
વેરાવળ, તા.ર૩
ગ્લોબલ વોર્મીંગ અને પર્યાવરણના ખતરા સામે 'હરિયાળા કિલ્લા' રાજયમાં ગામેગામ અને નગર મહાનગરોમાં જનભાગીદારીથી બને તે માટે પ્રકૃતિપ્રેમની મહાસ્પર્ધા યોજવાની રાજયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ ખાતે રાજયના પ૮માં વન મહોત્સવના પ્રારંભ પ્રસંગે જાહેરાત કરી હતી. આગામી ચાર ચોમાસા સુધી સૌથી શ્રેષ્ઠ વૃક્ષ ઉછેર કરનારા નાગરિક, સંસ્થા, પંચાયત, નગરપાલિકા માટે ગુજરાત સ્વર્ણ જયંતિ વૃક્ષઉછેર સ્પર્ધા યોજાશે. આ અંગેની વિગતવાર યોજના રાજય સરકાર જાહેર કરશે તેમ તેમણે જણાવ્યું હતું.રાજયમાં પ૮માં વન મહોત્સવના પ્રસંગે આજે સૌરાષ્ટ્રના સમુદ્રકિનારે કરોડો હિન્દુઓના શ્રધ્ધા કેન્દ્ર સમા યાત્રાધામ સોમનાથમાં 'હરિહર વન'ના નિર્માણમાં મુખ્યમંત્રી મોદી હજારો વૃક્ષત્રેમી નાગરિકો સાથે સામુહિક વૃક્ષારોપણ અભિયાનમાં સહભાગી બન્યા હતા. હરિહર વન બે હેકટરમાં રપ હજાર વૃક્ષોની વનરાજીથી તીર્થક્ષેત્રનું પર્યાવરણ સંબંધિત કરાશે.આ પ્રસંગે તેમણે સરકારે અમલમાં મૂકેલી સાગરખેડૂ વિકાસ પેકેજની ભૂમિકા પણ આપી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રભારી શહેરી વિકાસ મંત્રી શ્રી આઈ. કે. જાડેજાએ જૂનાગઢ જિલ્લાનો દરેક નાગરિક ઘરે ઘરે, સીમશેઢે વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે અને શ્રેષ્ઠ હરિયાળો જિલ્લો બનાવે તેવું આહવાન કર્યું હતું.આ પ્રસંગે વન મંત્રી મંગુભાઈ પટેલ વન રાજયમંત્રી જસવંતસિંહ ભાભોર, અગ્ર મુખ્ય વન સંરક્ષક એમ. એલ. શર્મા, ધારાસભ્યો મહેન્દ્ર મશરૂ, માધાભાઈ બોરીચા, જિલ્લા પંચાયત પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

In Virpur Gir, Bluebull damaging the Fields.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

વિરપુર ગીરમાં નીલ ગાયનો ત્રાસ ઉભા પાકને નુકસાન પહોંચાડે  છે

તાલાલા, તા.૨૩

તલાલા પંથકમાં વિરપુર ગિર ગામની સીમમાં રોજ નીલ ગાય સહિતના વન્ય પ્રાણીઓ ખેડૂતોના ઉભા મોલને નુકસાન કરતા હોય આ અંગે તરત યોગ્ય કરવા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ આ વિસ્તારના ખેડૂતો વતી તાલાલા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઈ જારસાણીયાએ માંગણી કરી છે. મુખ્યમંત્રી તથા વનમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં દરરોજ રાત્રે રોજ અને નીલ ગાયના રપ થી ૪૦ના ટોળાઓ આવે છે અને ખેડૂતોના ઉભા મોલ જેવાકે બાજરો, મગફળી, કપાસ, એરંડાને ખુંદી નાખે છે અને ચરી જાય છે જેને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે. આ પરિસ્થિતિ દિવસે-દિવસે વધતી જતી હોય આ વિસ્તારના ખેડૂતો વન્ય પ્રાણીઓના ત્રાસથી ત્રાહિમામ થઈ ગયા હોય તાલાલા પંથકના ખેડૂતોની આ સમસ્યા અંગે તાકિદે પરિણામ લક્ષી કાર્યવાહી કરી ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા માંગણી પત્રના અંતમાં માંગણી કરવામાં આવી છે. વૃક્ષારોપણ કાર્યક્રમ તાલાલા તાલુકાના ચિત્રાવડ ગિર ગામે ડાયમંડ હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ શાળામાં ચાલતી ઈકો કલબ અને પર્યાવરણ જાળવણી સમિતિની કામગીરીના ભાગરૂપે શાળાના શિક્ષક તથા વિદ્યાર્થી મિત્રો દ્વારા વિવિધ પર્યાવરણને લગતી પ્રવૃતિઓ દર વર્ષે હાથ ધરવામાં આવે છે. જેમાં નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પ્રાકૃતિક શિબીરો તથા વૃક્ષારોપણ વગેરે પ્રવૃતિઓ શાળા કક્ષાએ દર વર્ષે થતી હોય છે. તે અનુસાર આ વર્ષે પણ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર અમીબેન દોશીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં એસ.વી.એસ જુથના કન્વીનર ધીરૂભાઈ મકવાણા તથા તાલાલા વિસ્તારના રેન્જના આર.એફ.ઓ. બારડ તથા ચિત્રાવડ ગામના ઈસ્માઈલી જમાતના મુખી કામળીયા તથા ન.પા. હાઈસ્કૂલ તાલાલાના ઈકો કલબના ઈન્ચાર્જ આર.વી. ભેંસદળીયા ઉપસ્થિત રહેલ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે શાળાના વિશાળ પટાંગણમાં વિવિધ રોપાનું વાવેતર કરવામાં આવેલ.

Saturday, July 21, 2007

News in Gujarati Lion and Leapord Strikes at Senjal Village (Savarkundla - Amreli).

21 July 2007.


સેંજલ ગામે સિંહ- દીપડો ત્રાટકયા :બકરા -બળદનું મારણ

અમરેલી, તા. ૨૦

સાવરકુંડલા તાબાનાં સેંજલ ગામે ગઇ રાત્રે સિંહ અને દિપડાએ એક સાથે આતંક મચાવી બળદ અને એક  બકરીનું મારણ કરતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. સામાન્ય રીતે એક જ ગામમાં સિહ અને દીપડો એમ બે હિંસક પશુ એક સાથે ત્રાટકે તેવું ભાગ્યે જ બને. સાવરકુંડલા જેસર રોડ પર આવેલા સેંજલ ગામનાં લોકોએ ગઇરાત્રે થોડા-થોડા સમયનાં અંતરે સિંહ અને દિપડો એમ બે હિંસક પશુનો આતંક જોયો હતો સાવરકુંડલા તાલુકામાં આમ તો અનેક સિંહો આંટા મારે છે જે પૈકીનો એક સિંહે સેંજળનાં સુરગભાઇ ઓઢાભાઇ ખુમાણીની વાડીએ ફરજામાં  બાંધેલા બળદનું મારણ કર્યું હતું. આ અંગે સેંજળનાં મહેશભાઇ તખુભાઇ ખુમાણે સાવરકુંડલાનાં આર.એફ.ઓ. મુનીને જાણ કરતાં સ્ટાફ અહીં દોડી આવ્યો હતો. આ જ ગામમાં વહેલી સવારે કાનાભાઇ ભરવાડનાં ઝોકમાં ઘુસી દિપડા દ્વારા એક બકરીનું મારણ કરવામાં આવ્યું હતું. દિપડો - બકરીને ઉપાડીને લઇ ગયો

News in Gujarati - Injured Peacock Saved at Pipli Vilage of Ko

પીપળીમાં જખ્મી મોરને સારવાર આપી બચાવી લેવાયો

કોડીનાર,તા,૧૭

કોડીનાર તાલુકાના પીપળી ગામે એક જખ્મી મોરને સારવાર આપી બચાવી લેવામાં આવ્યો હતો. વાત એવી છે કે પીપળી ગામના બાલુભાઈ ગોહીલની વાડી આવી છે. તેમની વાડીએ એક મોર જખ્મી હાલતમાં મળી આવતા તેમણે આ અંગે વેટેનરી ડોકટરને બોલાવી પ્રાથમીક સારવાર અપાવી જીવનદાન આપ્યુ હતુ. આ અંગે તબીબે પ્રકૃતિ પરીવારના દીનેશ ગૌસ્વામીને જાણ કરતા તેઓએ વનખાતાના અધીકારીને બોલાવી મોરને સુપ્રત કરતા વનવિભાગે કબ્જે લઈ જરરૂ કાર્યવાહી કરી હતી. મોરને નવજીવન આપી બાલુભાઈએ માનવતાનુ કાર્ય કર્યુ છે ત્યારે સિંહને મૃત્યુની સોડમાં તાણી લઈ જાય છે તેવા તત્વોને પકડી પાડવા અને શિકારની પ્રવૃતિ બંધ કરાવવા લોકોએ પણ મદદ કરવી જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે.

News in Gujarati - Junagadh - Mendarda - Gir Road Badly Damaged Due to Heavy Rain.

મેંદરડા-નવાગામ-જૂનાગઢ રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો

મેંદરડા, તા.૧૭

તાજેતરમાં જ થયેલ ભારે વરસાદને લઈને ઓઝત નદીમાં પુષ્કળ પાણી આવતા બોર્ડર ઉપરના ગામડાઓમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. તેમાંય ખાસ કરીને મેંદરડા નવાગામ જૂનાગઢવાળો રસ્તો કે જે ગીર વિસ્તારના ગામડાઓમાં જવા માટે ટુંકો રસ્તો છે. તે રસ્તાનું ધોવાણ થતા રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં છે.સોનારડી પાસે આવેલ પુલીયા પણ તુટી ગયો છે. તે જ રસ્તા ઉપર મોટા મોટા ગાબડા પડયા છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઈ જતાં આ રસ્તા ઉપરથી ગીર તરફ જતા વાહનોને વાયા બગડુ મેંદરડા થઈ ચાલવુ પડે છે. તો આ રસ્તો તાત્કાલીક રીપેરીંગ કરવા અહીના ભાજપના વિનુભાઈ રાખસીયાએ માગણી કરી છે. કોડીનારમાં ઢેલનો મૃતદેહ મળ્યો કોડીનાર:કોડીનારના મુળદ્વારકા રોડ ઉપર એક ઢેલનો મૃતદેહ મળી આવતા આ અંગેની જાણ પ્રકૃતિ પરીવારના પ્રમુખ દીનેશ ગૌસ્વામીને કરતા તેમણે જરરૂ કાર્યવાહી કરી અંતિમવિધિ કરી માનવતાનુ ઉદાહરણ પુરુ  પાડેલ હતુ.