Friday, November 30, 2007

Memories of Lt. Shree P P Raval Saheb (DFO-Wildlife, Gir-West, Sasan)

Lt. Shree Praduman P. Ravalsaheb

I happened to meet Raval Saheb just few weeks before Lion’s Census 2005. Before my first interaction with him, Frankly speaking I had no different opinion about him, that other rough and tough forest officer. Because, even a bit guard in forest department, considers himself not below the rank of DFO!

But Raval Saheb was an exception to it. A simple and sober personality and an idol of simplicity. When I saw him for the first time, it was difficult to believe that the DFO, Sasan Gir was standing before me! But as the conversation went on with him while he was giving instructions to the subordinates over telephone regarding the Census, I was rest assured that he was none other than Raval Saheb!

He was a man of number of sterling qualities at one place. Honest, Hard-working and dashing! Nothing was impossible for him below the sky! Taking part into Lion’s Census 2005 was the rare and memorable period of my life. But he was Raval Saheb, who made it possible for me and for that I am indebted to him!

I realised it later on that Raval Saheb was popular and familiar, not because he was DFO but apart from that, he always stood by the staff and carried them with him. He introduced insurance scheme for his employees and as one of the welfare measures! He also helped the effected persons of Barda Mountain during the drought! He was not simply a bureaucrat but a kind-hearted noble man, which made him beloved Raval Saheb! Local people of Gir also call him Raval Dada or Raval Aata with due respect!

It will be worth to mention here that, despite his sickness, before, during and after the census, his face was always found smiling & heart always filled with love and kindness. I remember one such incident:

One day during the Census Raval Saheb came up directly on the field at Rampari (near Kankai of Gir - one of the most beautiful places of Gir – though entire Gir is very beautiful!) on a fact-finding mission, on one critical issue. As he was badly suffering form kidney and other problems. He had just undergone dialysis at hospital in Junagadh and straightway rushed at Rampari, without taking complete rest! As after dialysis one cannot have the strength to stand property. But this Lion man was moving on the rough roads of the Gir, with whatever stamina available in his body / his lungs and veins were filled with the blood of Gir and Gir Lions (Asiatic Lions), which had absolutely made him mad for the welfare of wildlife.

He had strong desire to conduct the Census of Lions accurately and successfully under his supervision and observation during his tenure. And as such he was not doing all these movements as part of his duty, but he enjoyed it throughout, because his first love was Gir and Asiatic Lions and not his family!

Raval Saheb put Sakkarbaug Zoo, Junagadh on the map of the world, during his service, with tremendous efforts & zeal. He almost put his body and soul behind it. Because at the point of time, number of illegal activities were carried out by notorious elements on the hand, falling between Sakkarbaug Zoo and Girnar Mountain, like mining, preparing liquor, cutting trees, grassing etc. All these activities were going on openly without any check on it. In such a situation Raval Saheb was going on a round of this area on his bajaj scooter. One day, someone annoyed with him, hit his head from the back with a heavy wooden stick. His head was bleeding but reached the hospital alone for treatment in that bleeding condition! This was his daring!

With the same dedication and enthusiasm he developed Indroda Park at Gandhinagar and made it a place worth to see and sit peacefully in presence of Nature and Wildlife! He was moving on his bicycle with one pair of clothes and ‘Kathi no khatlo’ (Traditional bad – char pai) to sleep. Today aged Gardner of Indroda Park is the eyewitness of Raval Saheb’s vision and mission.

During the drought situation in Barda he left his house, without a word to his family and with the cloth’s on his body! He wandered here and there for 15 days, collected donations and arranged for food, medicines, dinking water, clothing etc. for the effected and needy and poor residents of that area. His motto was “Service to mankind is service to God!”

He had also submitted number of case studies paper singly and jointly there are endless such stories moving around Raval Saheb, which if narrated, could not be covered in even next twelve issues of Zoo’s Print!

Subsequent to Census 2005, I had come close to Raval Saheb’s family. His wife Cahndrikaben often told me that Saheb was always longing for someone to come, sit for hours together and talk with him about Gir, Asiatic Lions and Wild Life. While talking of Lions, he was getting new energy in his body, roaring in his voice and light on his face. I also came across such experiences number of times. Hence fore, I had formally decided to go to Junagadh from Rajkot, once or twice a week, to meet Raval Saheb, listen him, ink his ‘jungly’ experiences and publish them for the benefit of wildlife lovers. But hardly I had visited two times then Raval Saheb passed away!

And see I received the ‘coincidence news of Raval Saheb’s sad demise in Aji Zoo at Rajkot, when I was standing before the lioness given by Raval Saheb when he was at Sakkarbaugh Zoo at Junagadh and watching the matting. News flashed on my cell phone and drove straight to Junagadh from there itself to pay homage to such a towering personality. When I reached, his body was laying on the woods of Gir Forest, which I am sure must be of those trees, planted by Raval Saheb! Fire was lit and Raval Saheb travelled for heavenly abode, leaving his family, relatives, friends, staff, wildlife lovers and all present there crying forever. Despite strong desire to condole his wife, I could not gather courage to see Mrs. Chandrikaben, after the funeral.

Life has become poor by the love that has been lost!

I take pride in the sense that for Ms. Sally Walker’s Zoo’s Print, I had opportunity to contact lots of people belonging to various fields of the society who had one or the another story of Raval Saheb, to tell. Though I had hardly came in touch with Raval Saheb for the last one and a half year, I had become instrumental in doing at least something for him, through Zoo’s Print!

-Kamlesh Adhiya
Founder President
Asiatic Lion Protection Society, Rajkot.

P P Raval - additions to memorials

P P Raval - additions to memorials - in Zoo's Print - volume XXII, Number 12 -December 2007.

Please Visit below links:

http://www.zoosprint.org/ZooPrintMagazine/2007/December/19.pdf

http://www.zoosprint.org/showMagazine.asp

Thursday, November 29, 2007

સિંહ, વાઘ અને દીપડાને પણ શિયાળામાં વધુ ભૂખ લાગે છે.

Bhaskar news, Surat
Tuesday, November 27, 2007 23:37 [IST]

ઋતુઓમાં રાજા એવી આરોગ્યવર્ધક ઋતુ શિયાળાનો પ્રારંભ થઇ ગયો છે. એટલે કે હાલ સુુધી કહેવાતી ગુલાબી ઠંડી હવે થથરાવી રહી છે. આ ઋતુમાં શહેરીજનો આરોગ્યની કાળજી માટે તથા તંદુરસ્તી વધારવા માટે જાગૃત થયા છે.

શિયાળામાં ખોરાક વધી જવાની વાત માત્ર માણસોને જ લાગુ પડતી નથી તે જંગલના રાજા સિંહને પણ લાગુ પડે છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કનાં માંસાહારી પ્રાણીઓ સિંહ, વાઘ તથા દીપડાનો ખોરાક આ ઋતુમાં સારો એવી વધી ગયો છે. તેઓ પણ આ આરોગ્યવર્ધક ઋતુમાં તબિયત બનાવતા હોય તેવું લાગી રહ્યું છે.

માંસાહારી પ્રાણીઓના વધી ગયેલા ખોરાક અંગે નેચર પાર્કના ડો. પટેલે જણાવ્યું હતું કે, શિયાળામાં માણસની જેમ પ્રાણીઓનો જઠરાગ્િન પણ વધુ તેજ થઇ જતો હોવાથી તેમને ભૂખ વધુ લાગે છે, સાથે સાથે શિયાળામાં લેવાતા વધારે ખોરાકથી શરીરને જરૂરી પોષક તત્ત્વો મળી જવા ઉપરાંત તેમાંથી તૈયાર થતી ચરબીનું ચામડીની નીચે આવરણ બંધાઇ જતું હોવાથી તે ઠંડી સામે રક્ષણ આપે છે.

નેચર પાર્કનાં પ્રાણીઓમાં સિંહને નિયમિત રીતે ૬ થી ૭ કિ.ગ્રા. માંસ પિરસવામાં આવે છે. પરંતુ શિયાળામાં તેના ખોરાકમાં વધારો થતાં તેને દોઢ થી બે કિલો વધુ માંસ પીરસવું પડે છે. તેવી જ રીતે રોજનું પ થી ૬ કિલો માંસ આરોગતી વાઘણોને પણ શિયાળામાં એકથી દોઢ કિલો વધુ માંસ પીરસવું પડે છે. જયારે રોજ ૩થી ૪ કિલો માંસ ખાતા દીપડાનો પણ ખોરાક એકાદ કિલો જેટલો વધી જાય છે.

સરિસૃપનો ખોરાક ઘટે છે

સામાન્ય રીતે શિયાળામાં દરેક પ્રાણીઓના ખોરાકમાં થોડો ઘણો વધારો થતો હોય છે. પરંતુ પૃથ્વી પરના સરિસૃપ પ્રકારના પ્રાણીઓમાં બધાંથી ઊલટું તેમના ખોરાકમાં ઘટાડો થતો હોય છે, તેમ નેચરપાર્કના ડો. પટેલે જણાવ્યું હતું. સરિસૃપ પ્રકારનાં એટલે કે દરેક પ્રકારના સાપ, અજગર, મગર, ઘો, કાચબા, ગરોડી, નોળિયા જેવાં પ્રાણીઓને ‘કોલ્ડ બ્લડેડ’ પ્રાણીઓ કહેવામાં આવે છે.

એટલે કે આવા પ્રાણીઓને પોતાનાં શરીરનું તાપમાન મેઇન્ટેઇન કરવામાં તકલીફ પડતી હોય છે. માટે જ તેમને ઉનાળામાં ઠંડક તથા શિયાળામાં હૂંફની જરૂર હોય છે. જેને કારણે તેઓ શિયાળામાં પોતાના દરમાં લપાઇ રહે છે, સાથે સાથે જો તે શિયાળામાં હલનચલન કરે તો તેમનાં શરીરમાં સંગ્રહાયેલી ગરમી ગુમાવવી પડે માટે તેઓ શિયાળામાં નિષ્ક્રિય થઇ જતાં હોય છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/27/0711272340_hunger.html

પરિક્રમા દરમ્યાન જંગલને પ્રદુષિત કરનારાઓને પપ હજારનો દંડ ફટકારાયો

જૂનાગઢ,તા.૨૮
તાજેતરમાં જ પૂર્ણ થયેલ ગિરનાર પરિક્રમા દરમ્યાન બિનઅધિકૃત જંગલપ્રવેશ તથા જાહેરનામા બદલ જૂનાગઢ વન વિભાગ દ્વારા કડક વલણ અપનાવાતાં સૌપ્રથમ વખત રૂા.પપ,૦૦૦ જેટલો દંડ વસૂલ કરી સરકારની તિજોરીમાં જમા કરવામાં આવેલછે. ગિરનાર ખાતે પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમામાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. આ ભાવિકો દ્વારા જાણતાં - અજાણતાં વૃક્ષો, નદીમાં પાવડર, સાબુ વગેરે નાખી પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. આ વખતે પરિક્રમામાં લાઉડ - સ્પીકરો, પ્લાસ્ટિક, પાન - ગુટકા, તમાકુ, શેમ્પુ, સાબુ જેવી વસ્તુઓના વપરાશ પર જીલ્લા કલેકટર, જૂનાગઢ ડી.એસ.પી. દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ હતો. જૂનાગઢ વન વિભાગ ડુંગર ઉત્તર અને દક્ષિણ રેન્જ દ્વારા આ પ્રતિબંધનો પૂર્ણ અમલ કરાવવા જૂનાગઢ ડી.એફ.ઓ. બી.ટી.ચઢાસણીયાના માર્ગદર્શન હેઠળ એસ.કે.જાડેજા, વિજય યોગાનંદી તથા એમ.એન.પરમારના કડક સુપરવિઝન હેઠળ વનખાતાના તમામ સ્ટાફે દિવસ - રાત ફરજ બજાવી હતી. જેમાં ગત તા.ર૧ થી ગત તા.રપ દરમ્યાન પરિક્રમામાં બિન અધિકૃત જંગલ પ્રવેશ તથા જાહેરનામાનો ભંગ કરનાર લોકો પાસેથી રૂા.પપ,૦૦૦ વસુલ કરી રાજય સરકારની તિજોરીમાં જમા કરાવવામાં આવ્યા છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=38034&Keywords=Sorath%20Gujarati%20News

આંતરિક લડાઈમાં ઘવાયેલા ૧૧ વર્ષીય સિંહનું બાબરાવીડીમાં દોઢ કલાક સુધી ઓપરેશન કરાયું

જૂનાગઢ,તા.૨૮ : વેરાવળની બાબરાવીડી ખાતે ઘવાયેલ ૧૧ વર્ષીય સિંહનું વનખાતાએ ઓપરેશન કરી પરત જંગલમાં છોડી મૂકેલ છે આશરે દોઢેક કલાક ચાલેલા આ ઓપરેશનમાં સિંહને જમણી આંખ નીચે પડી ગયેલ પાંચેક ઈંચના ચેકા સહીતની ઈજાઓની સારવાર આપવામાં આવી હતી. જો કે વનવિભાગ અઠવાડીયા પછી ફરી વખત આ સિંહને ચેક કરશે.

જૂનાગઢ વન વિભાગની વેરાવળ નોર્મલ રેન્જની બાબરા વીડીમાં એક સિંહ ઈજાગ્રસ્ત થયો હોવાની આર.એફ.ઓ. કે.આર.વઘાસીયાને જાણ થતા તેઓએ ડી.એફ.ઓ. બી.ટી.ચઢાસણીયાના માર્ગદર્શન હેઠળ સાસણના વેટરનરી તબીબને આ વિશે જાણ કરી બોલાવી લીધા હતા.

બાદમાં સિંહને લોકેટ કરી ગન થી ટ્રાન્કયુલાઈઝડ કરી તપાસ કરતાં આશરે ૧૧ વર્ષીય એવા આ ૧પ૦ કિલો જેટલા વજન ધરાવતા સિંહને અંદરોઅંદરની લડાઈને લીધે જમણી આંખની નીચે પાંચેક ઈંચ જેટલો ચેકો પડી ગયો હોવાનું અને બન્ને પગ વચ્ચે સામાન્ય ઈજાઓ થવા પામી હોવાનું જણાવતા વેટરનરી તબીબ ડો.હીરપરા અને આર.એફ.ઓ. કે.આર.વઘાસીયાએ તાત્કાલીક ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી હતી.

વન વિભાગના વ જય યોગાનંદીએ આ વિશે વધુમાં જણાવ્યુ છે કે ફોરેસ્ટર એમ.બી.કાંબલીયા, સી.ટી.લોઢીયા, ગાર્ડ નંદાણીયા, ચોટલીયા સહીતનાઓએ આ ઓપરેશનમાં જોડાઈ આશરે દોઢેક કલાકના ઓપરેશનમાં સિંહને સારવાર આપી ફરી પાછો જંગલમાં છોડી મૂકેલ છે.

ગઈકાલે જંગલમાં છોડી મુકાયેલ આ સિંહને એકાદ અઢવાડીયા પછી ફરી વખત બાયનોકયુલરથી ચેક કરવામાં આવશે અને જરૂર જણાયે વધુ સારવાર પણ આપવામાં આવશે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=38021&Keywords=Sorath%20Gujarati%20News

Aaj Nu Aushadh

આંકડાનું દૂધ
આયુર્વેદની એક લઘુ પુસ્તિકા ‘વૈદ્ય જીવન’ના કર્તા લોલીંબરાજ નામના વિદ્વાન વૈદ્ય એમાં લખે છે કે, "ભગવાન ભાસ્કર ક્ષીરઃ પામાહે અભિવાદયે. યત્ર દેશે ભર્વાન પ્રાપ્તઃ તદૃશં ન વ્રજામ્યહમ્." અર્થાત્ હે ભગવાન ભાસ્કર ક્ષીરઃ (આંકડાનું દૂધ) હું પામા એટલે કે ખસ, ખરજવું, ખુજલી આપને વંદન કરું છું. જ્યાં જ્યાં આપ બિરાજો છો ત્યાં ત્યાં હું (પામા) કદી જતી નથી. એટલે કે આંકડાનું દૂધ-ક્ષીર ખસ, ખરજવું કે દાદર પર લગાડવાથી તે મટે છે. આ ઉપચાર પણ વૈદ્યની દેખરેખ નીચે જ કરવો. એક મધ્યમ કદના પતાસા પર આંકડાના દૂધ-ક્ષીરના બે ટીપાં પાડી આ પતાસું ખાઈ જવું. રોજ સવાર-સાંજ આવું એક પતાસું થોડા દિવસ ખાવાથી દમ-શ્વાસ મટે છે. કફના રોગોમાં પણ હિતાવહ છે. આ ઉપચાર વખતે કફકારક આહારદ્રવ્યોનો ત્યાગ કરવો.

Friday, November 16, 2007

તાલાલામાં બે આંચકા : હિરણવેલમાં વધુ ૨૬ કંપનો : ગ્રામજનો ભયભીત

Bhaskar News, Talal Gir
Wednesday, November 14, 2007 00:44 [IST]

ડિઝાસ્ટર ટીમ તપાસ પડતી મૂકી દિવાળી કરવા ભાગી ગઈ !

તાલાલા પંથકને ભૂકંપના આંચકાઓએ સતત ડરાવવાનું ચાલુ રાખતા આજે વહેલી સવારે તાલાલામાં વધુ બે આંચકા અનુભવાયા હતા. સવારે ૬ વાગ્યે એક હળવો આંચકો આવ્યાનાં અડધો કલાક બાદ ૬-૩૦ કલાકે વધુ તીવ્રતાવાળો આંચકો આવતાં ધરતી ધણધણી હતી.

ઠામ-વાસણો ખખડતાં લોકો ભયનાં માર્યા નીંદરમાંથી ઊઠી બહાર નીકળી ગયા હતા. આંચકો માત્ર ત્રણથી ચાર સેકન્ડ જ અનુભવાયેલ પણ બીજૉ આંચકો ભારે હોય લોકોએ પુન: ભૂકંપની અનુભૂતિ કરી હતી. આજે આવેલ બે ભૂકંપી આંચકાથી તાલાલામાં કોઈ નુકસાની થયાના અહેવાલ નથી.

તાલાલાના હિરણવેલ ગામને તો હવે ભૂકંપવેલ ગામ તરીકે ઓળખ આપવી પડે તેવી સ્થિતિ બનતી જાય છે. સતત આઠ દિવસથી આવી રહેલા આંચકાથી ગામ તો લગભગ ધરાશાયી બન્યું છે, પરંતુ ગઈકાલે બપોરથી આજ બપોર સુધીમાં ગામમાં વધુ ૨૬ આંચકા આવ્યા હોવાનું ગ્રામજનોએ અનુભવ્યું છે. રજિસ્ટરમાં નોંધ કરવાનું શરૂ કરતાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ આંચકા નોંધાયા છે.

હિરણવેલ ગામની તો આઠ દિવસ પહેલાં આવેલા ભારે આંચકામાં ખુવારી સર્જાઈ ગઈ હોય, હાલ મોટાભાગના ગ્રામજનો ટેન્ટમાં રહે છે. હવે આવતાં આંચકાથી ખંઢેર બની ઊભેલા મકાનોનો કાટમાળ વધુ ખરવા સિવાય વધુ કંઈ નુકસાની થતી નથી.

ગીર પંથકમાં તા.૬/૧૧નાં રોજ આવેલા વિનાશક ભૂકંપનો બાદ રાજયની ડીઝાસ્ટર ટીમ તાલાલા દોડી આવેલ. તે ટીમે તાલાલા મામલતદારનાં કવાર્ટરમાં સીસ્મોગ્રાફી યંત્ર ફીટ કરેલ છે. તે યંત્રથી આ વિસ્તારમાં આવતા આંચકા અને તેની તીવ્રતા કેટલી છે ?

તે ખબર પડશે તેમ જણાવેલ. પરંતુ આજે ફરીથી તાલાલામાં આવેલા ભૂકંપી ઝાટકા અને હિરણવેલમાં સર્જાયેલ આંચકાની હારમાળાની સંખ્યા કેટલી અને તીવ્રતા કેટલી તે જાણવા તાલાલા મામલતદારનો સંપર્ક કરતા તેમની પાસે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

યંત્ર માત્ર નામનું, દેખાવનું !

ડીઝાસ્ટર ટીમે જે સીસ્મોગ્રાફ ગોઠવ્યું છે તે માત્ર દેખાવનું હોય તેવું ફલિત થઈ રહ્યું છે. યંત્રમાં સચવાયેલી પ્રિન્ટ ગાંધીનગર મોકલાય પછી ખ્યાલ આવે કે આંચકાની તીવ્રતા કેટલી ? ગાંધીનગરથી આવેલી ટીમ પણ રજાના બહાને ગઈ તે ગઈ, પરત આવી જ નથી. લોકોમાં વધી રહેલા ભયને ઘ્યાને લઈ તંત્રે તાકીદે આંચકાની વિગતો રજૂ કરવી જૉઈએ તેને બદલે સ્થાનિક અધિકારીઓ પાસે પણ પૂરતી વિગતો હોતી નથી.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/14/0711140052_hiranvel_village.html

હિરણવેલમાં હિબકા શમતા નથી: વધુ ૩ આંચકા

Bhaskar News, Talala
Wednesday, November 14, 2007 22:59 [IST]

હજુ આંચકા આવે છે છતાં તંત્ર કોઈ સલામત વ્યવસ્થા નથી કરતું

ભૂકંપના આંચકાઓએ જાણે હિરણવેલ ગામને બાનમાં લીધું હોય તેમ હજુ આંચકાઓ આવ્યે જ રાખે છે તેમાંય સૌથી વધુ કરૂણતા એ છે કે, હિરણવેલ ગામ પડીને પાધર બની ગયું હોવા છતાં અને આંચકાઓનો સિલસિલો શરૂ હોવા છતાં સરકારી અધિકારીઓ સહાય કે સધિયારો આપવા ફરકતાં શુઘ્ધા નથી.

અરે, ચૂંટણી સમયે મતદારોના કાલાવાલા કરવા આવતા રાજકીય અગ્રણીઓ પણ માનવતા ચૂકી ગયા હોય તેમ હિરણવેલ ગામમાં આવ્યા જ નથી. આજે બપોરે એક વાગ્યે, બપોરે ૨.૧૦ વાગ્યે અને સાંજે ૭-૪૦ વાગ્યે આવેલા જોરદાર આંચકાથી વધુ એક વખત હિરણવેલ ગામના લોકોમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું.

ગામને ગઈકાલે રાતથી આજ બપોર સુધીમાં વધુ ૨૦ જેટલા આંચકા હિરણવેલ ગામમાં આવ્યા હોવાનું ગ્રામજનોએ નોંઘ્યું છે. રાત્રિના સમયે આવતા આંચકાની તીવ્રતા વધુ હોય છે અને દિવસે હળવા આંચકા આવતા હોવાનું ગામના સરપંચ ભગવાનજીભાઈએ જણાવ્યું હતું. આજે બપોરે ૧ વાગ્યે ભારે તીવ્રતા સાથે આવેલા આંચકાએ ગભરાટ પ્રસરાવી દીધેલ અને તે ગભરાટ માંડ શાંત થાય ત્યાં બપોરે ૨-૧૦ કલાકે અને સાંજે ૭-૪૦ વાગ્યે ત્રણેય સેકન્ડ સુધી આંચકો અનુભવાયો હતો. ગ્રામજનો ભયભીત બની ગયા હોવાનું ગામના અગ્રણી પરસોતમભાઈએ જણાવ્યું હતું.

ગ્રામજનોએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત લાભાર્થીઓના સહાય માટેના ફોર્મ ભરાઈ ગયા છે. હવે ગામના પડી ગયેલા મકાનોનું વિડિયો શુટિંગ અને ફોટોગ્રાફીની કામગીરી પૂરી થાય એટલે જરૂરી કાર્યવાહી કરી હિરણવેલ ગામને નવેસરથી ઉભુ કરવા સહાય પેકેજ અપાવવા અમો સરકારમાં રજૂઆત કરશું તેવી ડીડીઓ વાતો કરી ગયા હતા.

હાલ ગરીબ મજુરો બેકાર કામ વગર આઠ દિવસથી ઘરે બેઠાં છે તેમને ભૂકંપમાં નુકસાન થતા હાલત દિન-પ્રતિદિન કફોડી થતી જાય છે માટે કેશડોલ્સની રકમની તાકીદે ચૂકવણી કરવા ગ્રામજનોએ માગ કરી હતી પરંતુ અધિકારીએ તે તો સરકારમાંથી મંજૂર થાય પછી સહાય આપી શકાશે તેમ જણાવી સરકારી કાફલો કોઈ જાતની સહાયની જાહેરાત કે મદદ કર્યા વગર પરત ફરી ગયો હતો. રાજકીય અગ્રણીઓ પણ ગામની મુલાકાતે આવ્યા હતા.

તેમણે પણ રાબેતા મુજબ ‘‘અમે અમારા માટે પ્રયત્ન કરીએ છીએ અને સરકારમાં રજૂઆત કરી ગામ નવેસરથી ઉભુ કરવા રજૂઆત કરીશું તેમ કહેલ ત્યારે ગ્રામજનોએ પૂછેલું કે અત્યારે આવી કપરી પરિસ્થિતિમાં અમે ગ્રામજનો પીસાઈ રહ્યા છીએ તો હમણાં ચૂંટણી છે એટલે કાંઈ થઈ શકે તેમ નથી.

‘શાંતિ રાખો’ બધુ થઈ જશે તેમ આશ્વાસન આપી રાબેતા મુજબની નેતાગીરી દાખવી ધારાસભ્યનો કાફલો જતો રહેલો. હિરણવેલવાસીઓને હજુ પણ ભૂકંપના ભય હેઠળ જીવવું પડે છે ત્યારે તંત્ર દ્વારા સલામતિના કોઈપણ પગલા ન લેવાતા લોકોમાં ધેરો રોષ જૉવા મળે છે.

એ.પી. સેન્ટર કયાં છે તે માહિતી ગુપ્ત રખાઈ છે

તાલાલા સહિત ગ્રામ્ય પંથકમાં ભૂકંપનો આવવાના શરૂ થયા તે કયાં કારણોસર આંચકા આવે છે ? તેનું કેન્દ્ર બિંદુ કયાં છે ? તેની તીવ્રતા કેટલી છે ? તે વિશે કોઈ માહિતી વહીવટીતંત્ર તરફથી ભેદી કારણોસર જાહેર કરવામાં આવતી નથી.

દીપડાથી બચવા ફોકસ લાઈટો લગાવાઈ

હિરણવેલના ગ્રામજનો જે ઉંચાણવાળા ટેકરા ઉપર ટેન્ટમાં રહે છે ત્યાં બે દિવસથી રાત્રે દીપડા સહિતના વન્ય પ્રાણીઓ જોવા મળતા ટેન્ટ ઉપર વધુ ફોકસ લાઈટ લગાવવાની કામગીરી જીઈબીના કર્મચારીઓ સાથે ગ્રામજનોએ કરેલ જીઈબી તરફથી ૧૫ જેટલી ફોકસલાઈટ હિરણવેલ ગામમાં આપવામાં આવેલ છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/14/0711142350_hiranvel_village.html

લીલી પરિક્રમાના આયોજન માટે તૈયારીઓ શરૂ

Bhaskar News, Junagadh
Wednesday, November 14, 2007 23:49 [IST]

મેડિકલ સુવિધા તથા લાઇટની વ્યવસ્થા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ માગ

ભવ્ય જૉગન્દર સમાન ગરવા રિગનારની પૌરાણીક પરંપરાગત પરિક્રમાને આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેરથી ઉમટી પડતા શ્રઘ્ઘ્ાાળુઓની સુવિધાઓ માટે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ચુકયો છે. આ અંગે ભારત સાધુ સમાજે પરિક્રમાર્થીઓની આરોગ્ય વિષ્ાયક સુવિધા જાળવવા માટે તંત્રને અપીલ કરી છે.

ગિરનારની પવિત્ર પરિક્રમામાં ઠેર ઠેરથી ભાવિકો ઉમટી પડશે ત્યારે ભારત સાધુ સમાજના ગોપાલાનંદજી તથા તનસુખગીરીબાપુએ જિલ્લા મેજીસ્ટ્રેટને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, મજેવડી દરવાજાથી ભવનાથ તળેટી સુધીનાં અત્યંત બિસ્માર હાલતમાં રહેલા માર્ગને તાત્કાલીક રીપેર કરવાની જરૂર છે. તથા દુધેશ્વરથી રૂપાયતન સુધીના રસ્તામાંથી પથ્થરો અને માટી દુર કરી આ રસ્તાને પણ રીપેર કરવાની આવશ્યકતા છે.

ઉપરાંત પરિક્રમાનાં કેટલાક રસ્તાઓ ઉપર નિશાન કરવાની સાથે ઉરચ કક્ષાએથી સમગ્ર પરિક્રમા માર્ગનું વહેલામાં વહેલી તકે નિરિક્ષણ થવું જૉઇએ. તેમજ ઉમટી પડતા લાખો ભાવિકો માટે પરિક્રમા દરમિયાન કોઇ આકસ્મીક દુઘટર્ના સજાર્ય તો તેને પહોંચી વળવા માટે તાત્કાલીક ઇમરજન્સી સુવિધા કરવી જરૂરી છે. તેમજ જંગલ અને ગિરનારની સીડી ઉપર લાઇટની વ્યવસ્થીત વ્યવસ્થા કરવાની પણ તાતી જરૂરીયાત છે.

ફાયર ફાઈટર ઉપલબ્ધ રાખવા સૂચના અપાઈ

પરિક્રમા દરમિયાન આગ, અકસ્માત કે કોઇ અનિરછનીય બનાવના નિવારણ માટે બે અગિ#શામક ફાયટરો, એક જે.સી.બી. ઉપલબ્ધ રાખવા અને રાહદારી તથા વાહનની અવર-જવર વાળા રસ્તાઓ ઉપર હવાના પ્રદુષ્ાણને અટકાવવા પાણીનાં છંટકાવ માટે સબંધિતોને સુચનાઓ આપવામાં આવી છે.

પરિક્રમાના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ

પરિક્રમામા આવતા ભાવિકો માટે આગોતરૂ આયોજન કરવા જિલ્લા કલેકટર અશ્વીનીકુમારના અઘ્યક્ષ્સ્થાને સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઓટોરીક્ષાના દરો સ્ટેન્ડ થી ગિરનાર તળેટી સ્થળ ઉપરના નકકી કરેલા ભાડા દર રીક્ષા પર પ્રદર્શિત કરવા, રીક્ષા ભાડુ નિયત દર કરવા વધારે ન લેવા તેમજ મોબાઇલ ટોયલેટની સુવિધા ઉભી કરવા, પરિક્રમાર્થીઓને પીવાનું કલોરીનેશન થયેલું શુઘ્ધા પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા તથા યાત્રાળુઓના આરોગ#ે હાનીકારક હોય તેવા ફરસાણ, વાસી કે પડતર ફળો તથા અખાધ ખાણી-પીણીની વસ્તુઓ ન વહેંચાય તેની તકેદારી રાખવામાં આવશે.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/14/0711142352_lili_parikrama.html

ગુજરાત માટે દુર્લભ હિમાલયનું પક્ષી જામનગર પાસે જોવા મળ્યું



Bhaskar News, Jamnagar
Friday, November 16, 2007 00:14 [IST]

૨૭ વર્ષ પૂર્વે હિંગોળગઢમાં દેખાયું હતું : પક્ષીવિદ્દોમાં રોમાંચ

birdઉત્તર ધ્રુવના કાતિલ શિયાળાથી બચવા માટે સાઈબીરિયા થઈને યાયાવા પક્ષીઓ મોટી સંખ્યામાં ગુજરાતમાં શિયાળો ગાળવા આવી પહોંરયા છે. ત્યારે ગુજરાતમાં જવલ્લેજ જોવા મળતું હિમાલયનું વ્હાઈટ કેપ્ડ બન્ટીંગ નાયક અલભ્ય ચકલી તાજેતરમાં સૌરાષ્ટ્રમાં નજરે ચઢી હતી. આ પક્ષી અગાઉ ૨૭ વષ્ાર્ પહેલા એટલે કે, ૧૯૮૦ના અરસામાં જસદણના હિંગોળગઢમાં દેખાયું હતું. ત્યારબાદ દિવાળી પૂર્વે જામનગર જિલ્લામાં જોડિયા ભૂંગા પાસે જોવા પામ્યું હતું.

જામનગરના પક્ષીવિદ અર્પિત દેવમૂરારીના જણાવ્યા મુજબ હિમાલય અને તેના મેદાનોમાં જોવા મળતી આ ચકલી રાજસ્થાન સુધી પણ આવતી નથી ત્યારે આ વખતે જામનગર જિલ્લા સુધી આવી પહોંચી છે તે પક્ષીપ્રેમીઓ માટે વિસ્મયકારી ઘટના ગણી શકાય.

વ્હાઈટ કેપ્ડ બન્ટીંગ પક્ષી એમ્બેરીઝા સ્ટિવાર્ટી તરીકે ઓળખાય છે. જોડિયા ભૂંગા પાસેના ઢીંચરામાં આ પક્ષીના બે જોડાં દેખાયા હતા જેની તસ્વીરો પણ અર્પિત દેવમૂરારીએ ખેંચી હતી. તેમના જણાવ્યા મુજબ ગુજરાત માટે આ રેર કહી શકાય તેવું પક્ષી છેક જામનગર જિલ્લા સુધી કેવા સંજોગોમાં પહોંરયું તે પણ એક કોયડો છે, આ પક્ષીનો ખોરાક મુખ્યત્વે ઘાસમાંથી મળતું ચણ છે.

તેમના વધુમાં જણાવ્યા મુજબ આ પક્ષી સામાન્ય રીતે અફઘાનિસ્તાન, ઈરાન, કઝાખિસ્તાન, કર્ગીસ્તાન, નેપાળ, પાકિસ્તાન, તજકીસ્તાન, બુર્કમેનીસ્તાન તથા ઉઝબેકીસ્તાનમાં મળી આવે છે. ઘાસના મેદાનો અને જંગલમાં આવાસ ધરાવતું આ પક્ષીના બે નર અને બે માદા જામનગરના જોડિયા ભૂંગા પાસે ઢીચડામાં દેખાયા હતાં. અગાઉ આ પક્ષીઓ હિંગોળગઢમાં દેખાયાનું જાણીતા પક્ષીવિદ લવકુમાર ખાચરે નોંઘ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/16/0711160033_himalays_bird.html
ગિરનાર પરિક્રમાના આગોતરા આયોજન માટે વહિવટી તંત્રની સમીક્ષા બેઠક મળી


જૂનાગઢ,તા.૧૩
આગામી તા.ર૧ થી શરૂ થઈ રહેલી ગિરનારની પવિત્ર પરિક્રમાના આગોતરા આયોજન માટે ગઈકાલે વહીવટીતંત્રની એક બેઠક મળી હતી. જેમાં યાત્રીકોની નાનામાં નાની જરૂરીયાતથી માંડી તમામ પ્રકારની સુવિધા જળવાઈ રહે તથા જંગલ અને પર્યાવરણનું પણ રક્ષણ થાય તે દિશામાં કાર્યવાહી કરવા માટે સબંધિત વિભાગોને જીલ્લા કલેકટરે જરૂરી સુચનાઓ આપી હતી. પરિક્રમા દરમ્યાન યાત્રીકો માટે એસ.ટી.૧૩૦ બસો મુકશે જયારે રેલ્વે પણ ટ્રેનોમાં વધારાના કોચ જોડશે.

ગિરનાર પરિક્રમાના આગોતરા આયોજન માટે મળેલી સમીક્ષા બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જીલ્લા કલેકટર અશ્વિનીકુમારે રીક્ષાઓના ભાડા નક્કી કરવા, મોબાઈલ ટોઈલેટની સુવિભા ઉભી કરવા, પરિક્રમા દરમ્યાન કલોરીનેશન થયેલુ પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા, યાત્રાળુઓના આરોગ્ય માટે હાનીકારક એવો વાસી અને અખાદ્ય ખોરાક ન વહેંચાય તેની તકેદારી રાખવા, ખરાબ પાણી ઉપયોગમાં ન લેવાય ધ્યાન રાખવા અને પ્રવાહી તથા ખાદ્ય પદાર્થો પ્લાસ્ટીકની થેલીઓમાં ન વહેંચાય તેના પર પુરતુ ધ્યાન આપવા માટે ઉપસ્થિત અધિકારીઓને સુચનાઓ આપી હતી.

પરિક્રમામાં ઉ
Continue >
ટી પડતા શ્રધ્ધાળુઓને ભવનાથ તળેટી સુધી લઈ જવા માટે એસ.ટી. દ્વારા ૧૩૦ બસો મુકવામાં આવશે. તેમજ પરિક્રમાર્થીઓના આવવાના અને જવાના સમયે રેલ્વે દ્વારા ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવશે. પરિક્રમા દરમ્યાન રસ્તા પર વિજપુરવઠો સતત જળવાઈ રહે, પાણીનો બગાડ અટકાવવા અને જંગલને કે વન્ય પ્રાણીઓને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવા આ બેઠકમાં ખાસ સુચનાઓ આપવામાં આવી હતી.

ઉપરાંત ગિરનારના પગથીયા પરથી પેશકદમી હટાવવા, આગ - અકસ્માત જેવા બનાવોને બહોચી વળવા બે ફાયર ફાઈટરો અને એક જે.સી.બી. તૈનાત રાખવા તથા હવાના પ્રદુષણને અટકાવવા માટે રસ્તા પર પાણીનો છંટકાવ કરવા પણ સબંધિત વિભાગોને કલેકટર અશ્વિનીકુમારે સુચનાઓ આપી હતી. આ બેઠકમાં ડી.ડી.ઓ. જયપ્રકાશ શિવહરે, એસ.પી. શૈલેષ કટારા, જીલ્લા પુરવઠા અધિકારી શ્રી બોર્ડર, અંબાજી મહંત તનસુખગીરીજી, મહંત ગણપતગીરીજી, ડી.એસ.સી.પંકજ ઓંધીયા, સિવિલ સર્જન ડો.મકવાણા, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જેસલપુરા સહિતના જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરિક્રમા દરમ્યાન નિયમોના ચુસ્ત પાલન દ્વારા વહીવટી તંત્રને સહકાર આપવા માટે યાત્રાળુઓને પણ કલેકટરે અપીલ કરી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=34920&Keywords=Sorath%20gujarati%20news

Aajnu Aushadh.

ચોસઠ પ્રહરી પીપર
આયુર્વેદિય ઔષધ પીપરને આપણે ગુજરાતીમાં લીંડીપીપર કહીએ છીએ. ઉત્તમ પ્રકારની લીંડીપીપર ગણદેવી અને વલસાડ તરફ થાય છે. આ લીંડીપીપરને ચોસઠ પ્રહર સુધી ખૂબ જ લસોટવાથી જે સૂક્ષ્મ બારીક ચૂર્ણ થાય તેને આયુર્વેદમાં ‘ચોસઠ પ્રહરી પીપર’ કહે છે અને લગભગ બધી જ ફાર્મસીઓ બનાવતી હોય છે. બજારમાં ઉપલબ્ધ છે. ચોખાના દાણા જેટલું અથવા ચણાના દાણા જેટલું આ ચૂર્ણ એક ચમચી જેટલા મધમાં મિશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે લેવામાં આવે તો અરુચિ, ઉધરસ, શ્વાસ, શરદી, એલર્જી, હેડકીમાં ફાયદો થાય છે અને ગળોના રસ સાથે લેવાથી હૃદયના રોગો, હાઈ કોલેસ્ટેરોલ, મેદોરોગ, કમળો, ક્ષય, વરાધ, ઇઓસોનોફિલિયા, જીર્ણજ્વર, અરુચિ અને અગ્નિમાંદ્ય મટે છે. કફનાશક ઉત્તમ ઔષધોમાં લીંડીપીપરની ગણતરી થાય છે.

Thursday, November 8, 2007

ભૂકંપ સાથે ગીરની જમીનમાંથી ભેદી અવાજ આવતાં લોકોમાં ભય

Bhaskar News, Rajkot
Wednesday, November 07, 2007 01:57 [IST]

ખાંભા, લીમધ્રા, સતાધાર સહિતના ગામોમાં ગડગડાટી

આજે વહેલી સવારથી સાસણ-તાલાળા પંથકને ભૂકંપે હચમચાવ્યા બાદ આખો દિવસ નાના મોટા આંચકાઓ આવતા રહ્યા હતા. પરંતુ બપોરે ૩-૦૮ વાગ્યે આવેલા આંચકાએ ગીર જંગલ કાંઠાના ગામોના રહેવાસીઓને ગભરાવી દીધા હતા. આંચકા સમયે ગીરના જંગલમાંથી આવતા પ્રચંડ અવાજથી લોકો ગભરાઈ ગયા હતા અને ઘર બહાર દોડી આવ્યા હતા.

આજે બપોરે ૩-૦૮ વાગ્યે જયારે નોંધપાત્ર રીકટર સ્કેલનો આંચકો આવ્યો ત્યારે ગીરના જંગલમાંથી ભૂગર્ભીય હિલચાલનો બહુજ પ્રચંડ અવાજ આવવાનું શરૂ થયું હતું. ગીર કાંઠાના ગામોના લોકોએ કદી આવો અનુભવ કર્યોન હોવાથી તમામ લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.

સાસણ પાસે આવેલા રતાંગ ગામના રહીશ ભૂપતભાઈ પાઠક અને તેના પુત્ર નીતિન પાઠકે જણાવ્યું હતું કે, બપોરે ત્રણ વાગ્યે જયારે આંચકો આવ્યો ત્યારે એક બાજુ ગામના મકાન ધણધણવા માંડયા હતા અને બીજી બાજુ ગીરના જંગલમાંથી ભૂગર્ભીય હિલચાલની બહુ જ મોટી ગડગડાટી સંભળાવા માંડતા અમે ગભરાઈ ગયા હતા. કારણ કે ભૂકંપ સમયે અમે આવો અવાજ કદી સાંભળ્યો નથી.

આ જ ગામના ૭૦ વર્ષીય છગનભાઈ કોળીએ કહ્યું હતું કે આટલા વર્ષમાં ભૂકંપ ઘણા જૉયા પરંતુ ગીરના જંગલમાંથી આજે આવેલી ભેદી ગડગડાટી જિંદગીમાં કયારેય સાંભળીનથી, થોડીવાર માટે તો ચિંતામાં મુકાઈ ગયા હતા કે શું થઈ રહ્યું છે ?

આ ઉપરાંત લીમધ્રા, ખાંભા, હરિપુર, લીલિયા, સાસણ, સતાધાર, પીયાવા સહિતના કેટલાય ગામોમાં આ ભેદી ગડગડાટી સંભળાઈ હતી.આ ભયાનક અવાજ સાંભળીને લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/07/0711070159_earthquake_gir.html

વન વિભાગના પંદરથી વધુ અધિકારી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

Bhaskar News, Baroda
Thursday, November 08, 2007 03:27 [IST]

વિધાનસભાની ચૂંટણીના પગલે કડક આચારસંહિતાના થઇ રહેલા પાલન વરચે વન વિભાગમાં એક જ જિલ્લામાં ચાર વર્ષથી વધુ નોકરી કરી રહ્યા હોય તેવા પંદરથી વધુ અધિકારીઓની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થતાં ભારે હોબાળો મચી ગયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજય સરકારના વન વિભાગમાં એક જિલ્લામાં ચાર વર્ષથી વધુ નોકરી કરતા હોવાની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ થઇ છે. પંચમહાલ જિલ્લામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર કક્ષાના પંદરથી વધુ અધિકારીઓ ચાર વર્ષથી વધુ સમય સુધી નોકરી કરતા હોવાની ફરિયાદ થઇ હતી.

તેમાંના કેટલાક અધિકારીઓ તો રાજકીય પક્ષની સાથે સીધા સંકળાયેલા હોવાના પણ આક્ષેપો થયેલા છે. તેમાંના કેટલાક તો વીસ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે નોકરી કરી રહ્યા છે, તેમજ કોઇ પણ ચૂંટણી હોય, તેમાં તેમની ભૂમિકા રહેલી હોવાનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચારસંહિતાનો અમલ થયો હોવા છતાં આ અધિકારીઓના આશીર્વાદથી વન વિભાગની કચેરીઓ તથા ગેસ્ટ હાઉસની રૂમોનો રાજકીય પક્ષોની બેઠક માટે ઉપયોગ થતો હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ફરિયાદના આધારે વનવિભાગમાં ભારે હોબાળો મચી ગયો છે. તેમાં ખાસ કરીને વડોદરા, નર્મદા, પંચમહાલ તથા દાહોદ જિલ્લાની વનવિભાગની કચેરીમાં ચીટકી રહેલા અધિકારીઓની યાદી પણ ચૂંટણી પંચ તરફથી મંગાવવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.

ગોધરા ખાતેથી મળતાં અહેવાલ મુજબ કલેકટર મિલિન્દ તોરવણેએ જણાવ્યું હતું કે, ચાર વર્ષથી વધુ સમય સુધી એક જ જિલ્લામાં નોકરી કરી હોવાની વિગતો ચૂંટણી પંચ તરફથી મંગાવવામાં આવી હતી. પરંતુ આવા અધિકારીઓની સામે કોઇ પગલાં લેવામાં આવ્યા હોય કે તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી હોય તે અંગેની કોઇ જ જાણકારી નથી. જયારે ડીએફઓ એસ.પી.જાનીએ આ બાબતે તદૃન અજાણ હોવાનો એકરાર કર્યોહતો.

દાહોદ ખાતેથી મળેલા અહેવાલ મુજબ જિલ્લાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વનવિભાગના એક અધિકારી, ૧૨થી ૧૩ શિક્ષકો તથા બે તલાટી સામે આચારસંહિતા અંગેની ફરિયાદ મળેલી છે. જે અંગે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.જયારે ડીએફઓ આર કે સુગુરે જણાવ્યું હતું કે, મને સોંપવામાં આવેલી તપાસના આધારે માહિતી જિલ્લા કલેકટરને સુપરત કરી દીધી છે.

Source:

જંગલખાતાની કચેરી સામે કાલે કિસાનોના ધરણા

જૂનાગઢ,તા.૭:
ગીર જંગલની બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વસતા કિસાનોના જંગલખાતાને લગતા પ્રશ્નો બાબતે વિસાવદર તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી તા.૯ ના રોજ દિવાળીના દિવસે જ વિસાવદરની જંગલખાતાની ઓફીસ સામે ધરણા યોજાશે. જેમાં ખેડુતોના ઉભા પાકને જંગલી પશુઓ દ્વારા થતી નુકશાનીનું યોગ્ય અને પુરતુ વળતર આપવાની સાથે આ દિશામાં યોગ્ય પગલા લેવા સહિતની માંગણીઓ માટે ધરણાનો આ કાર્યક્રમ યોજાશે.

જંગલખાતાને લગતા પ્રશ્નો અને ધરણાના કાર્યક્રમ વિશે ભારતીય કિસાન સંઘના વિસાવદર તાલુકાના પ્રમુખ ગોગનભાઈ પાનસુરીયા અને મંત્રી ચંદુભાઈ ઠેબરીયાએ વિસાવદરના આર.એફ.ઓ.ને પાઠવેલા એક પત્રમાં જણાવ્યુ છે કે દિવાળીના દિવસે જ તા.૯ ના રોજ સવારે ૧૦ વાગ્યે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડુતોના વિવિધ પ્રશ્નો બાબતે કિસાનો જંગલખાતાની ઓફિસા સામે જ ધરણા કરશે.

ખેડુતોના ઉભા પાકને ભયંકર નુકશાન કરતા જંગલી પ્રાણીઓથી ખેડુતોને રક્ષણ આપવા વનખાતુ યોગ્ય પગલા ભરે તેવી માંગણી સાથે પત્રમાં જણાવાયુ છે કે જો આવા પશુઓથી ખેડુતો બચવાનો પ્રયાસ કરે અને તેમાં જંગલી પશુઓને નુકશાનાય તો ખેડુતો નાહકના દંડાય છે. માટે આ બાબતે વનખાતુ સત્વરે યોગ્ય પગલા ભરે. તેમજ ખેડુતોના કોઈ પશુઓ વન્ય પ્રાણીના શિકારનો ભોગ બને ત્યારે ખેડુતોને પશુની બજાર કિંમત કરતા ૧૦ ગણુ ઓછુ વળતર ચુકવાય છે. જે પુરેપુરૂ મળવુ જોઈએ.ઉપરાંત જંગલમાંથી નિકળતા જાહેર રસ્તાઓ વનખાતાએ બંધ કરી દીધા છે. તો આવા રસ્તાઓમાં તારની ફેન્સીંગ કરી સત્વરે રસ્તાઓ ખુલ્લા કરવાની માંગણી સાથે ઈકો ડેવલપમેન્ટ હેઠળ અને અન્ય ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતા તેની તપાસ કરવાની અને અન્ય ભ્રષ્ટાચાર તથા ગેરરીતીઓની તપાસ કરવાની માંગણી પણ પત્રમાં કરવામાં

આવી છે.તેમજ જંગલમાં ઝાડ કાપવામાં અંદરો અંદરની જ સંડોવણી હોવાના વધુ એક આક્ષેપ સાથે તેની કડક અને નિષ્પક્ષ તપાસ અને જંગલના ખેતરના રસ્તાઓ રિપેર કરવા, વિજ જોડાણ માટે થાંભલાઓ નાખવાની, નાના ચેકડેમો બનાવવાની માંગણી પણ અંતમાં કરવામાં આવી છે. આ તમામ માંગણીઓને અનુલક્ષીને તા.૯ ના રોજ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે. જેમાં કિસાનોને ભાગ લેવા માટે પણ કિસાન સંઘ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Souce: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=33983&Keywords=Sorath%20gujarati%20news

તાલાલાનું હિરણવેલ ભૂકંપથી ખંઢેર બન્યું

તાલાલા, તા. ૭
તાલાલા ગિર : તાલાલા પંથકમાં મંગળવારે આવેલ ભારે ભૂકંપે તાલાળા પંથકનાં છેવાડાના હિરણવેલ ગીર ગામને સાવ ભાંગીને ભુકો કરી નાખ્યું છે, તાલાલા પંથકના સૌથી વધારે અસર પામેલ તાલાળા પંથકના છેવાડાના ગિરની બોર્ડર ઉપરના હિરણવેલ, ચિત્રાવડ અને હરીપુર ગીર ગામે રાજ્યા જળસંપતી મંત્રી રતિભાઇ સુરેજાએ મુલાકાત લીધી હતી, હિરણવેલ ગામે થયેલ ભારે તારાજી નિહાળી વ્યથીત થયેલા મંત્રીએ જણાવ્યું હતું કે, હિરણવેલ ગામમાં મોટાભાગના મકાનો ધરાશાયી થયા છે, જે મકાનો ભૂકંપથી બચી ગયા છે, તે રહેવાલાયક પણ રહ્યા નથી, તે માટે હિરણવેલ ગામ આખાનો જીર્ણોદ્ધાર કરવા સરકારમાં રજૂઆત કરી છે.

ગિર પંથકના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી તે દરમિયાન ભૂકંપનો ભોગ બનેલ પ્રજાએ ગામમાં રહેવા માટે તાકીદે તંબુની વ્યવસ્થા ઉભી કરવા તથા તંબુમાં લાઇટ પાણીની સુવિધા કરવા તેમજ ગિરની બોર્ડર ઉરરનો આ વિસ્તાર હોય વન્ય પ્રાણીઓથી પ્રજાનું તથા માલઢોરનું રક્ષણ કરવા વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરી આપવા માંગણી કરી હતી.

દરમયાન પ્રચંડ ભૂકંપે હિરણવેલ સહિતના વિસ્તારોના ભારે તારાજી સર્જી હોવાના અહેવાલો ઉચ્ચકક્ષા સુધી પહોંચી ગયા હોવા છતાં બુધવારે બપોર પછી પણ એટલે કે ૩૬ કલાક પછી પણ વહીવટી તંત્ર દ્વારા હિરણવેલ તથા આસપાસના ગામોમાં લોકોને રહેવા માટે તંબુ સહિતની કોઇ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી ન હોય હિરણવેલ સહિતના આજુબાજુના ગામના લોકોએ ટેકરા ઉપર ખુલ્લામાં બેસીને રાત ગુજારવી પડી હતી.

૯૪૦ની માનવ વસ્તી ધરાવતું સાવ પછાત હિરણવેલ ગામમાં ૧૭૫ પરિવાર રહે છે. બધા જ પરિવારો બક્ષીપંચના છે, પ્રચંડ ભૂકંપનો ભોગ બનેલા આ ગામમાં ૮૦ થી ૧૦૦ પરીવારોના મકાનો પડી ગયા છે. વહીવટી તંત્ર ગમે તેટલું દોડાદોડી કરે છતાં પણ આ ગામાં પરિવારોએ તંબુમાં લાંબો સમય રહેવું પડશે તેવું માનવામાં આવે છે.

હજી પણ અવિરત ભૂકંપના આંચકાઓ ચાલુ જ છે. આખું ગામ ભયથી થરથરે છે, ગામના મોટા ભાગના પરિવારો કે જેને વાડીમાં મકાનો છે અને વાડીએ મકાનો જેના બચી ગયા તે લોકો સરસામાન લઇ વાડીએ રહેવા લાગ્યા છે.

જ્યારે હિરણવેલ - હરીપુર- ચિત્રાવડ અને લાલછેલ સહિતના ગામોની કલેકટર અશ્વિનીકુમાર જીલ્લા વિકાસ અધિકારી જયપ્રકાશ શીવહરેએ આજે બપોરબાદ મુલાકાત લીધી હતી, અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને હિંમત આપતા બંને અધિકારીઓએ આજ રાત સુધીમાં રહેવા માટે તંબુ સહિતની સઘળી સુવિધા થઇ જશે તેવી ખાતરી આપી હતી અને તમામ આશ્વાસનો આપ્યા હતા.

ભૂકંપને પગલે - પગલે ઉભી થયેલી પરિસ્થિતિને થાળ પાડવા સ્થાનિક વહીવટી તંત્ર કામે લાગ્યું છે, ભૂકંપથી થયેલ નુકસાનનો સર્વે કરવા ટેકનિકલ માણસો સાથેની ટીમો બનાવી તાલાળા પંથકના ભૂકંપગ્રસ્ત ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા ભૂકંપનો સૌથી વધારે ભોગ બનેલ ગામોમાં અધિકારીઓની છાવણી શરૂ કરી છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ તથા મેડિકલ ટીમ તથા ફરતા દવાખાના સહિતની સુવિધા શરૂ કરી છે. અસરગ્રસ્ત વિસ્તાર જંગલની બોર્ડર ઉપર આવેલ હોય વન્ય પ્રાણીઓથી ગ્રામ્ય પ્રજા તથા પશુઓેને રક્ષીત રાખવા જંગલ ખાતા દ્વારા ખાસ પેટ્રોલીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જ્યારે બીજી બાજુ લોકોને રહેવા માટે ૨૫ તંબુ સહિતની સુવિધાઓ આગાખાન સંસ્થા દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થાએ પ્રથમ ભૂકંપનો સૌથી વધારે ભોગ બનેલ હિરણવેલ ગામમાં લોકોને રહેવા માટે ૨૫ મોટા તંબુ ઉભા કર્યા છે.

મંગળવારના પ્રચંડ ભૂકંપ પછી પણ ધરતીકંપના આંચકા અવિરત ચાલુ રહ્યા છે, હિરણવેલ, હરીપુર, ચિત્રાવડ ગામના લોકોના જણાવ્યા પ્રમાણે પ્રચંડ ભૂકંપ બાદ શરૂ થયેલા ભૂકંપના ભારે આંચકા હજુ પણ અવિરત ચાલુ છે, મંગળવારે બપોર બાદ તેમજ બુધવારે દિવસ દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા ઉચ્ચ અધિકારીઓને આ વિસ્તારમાં ચાલુ રહેલા અસંખ્ય ભારે આંચકાની અનુભુતી થઇ હતી.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=33987&Keywords=earthquake%20Sorath%20gujarati%20news

ભુકંપથી અસરગ્રસ્ત હિરણવેલ સહિતના ગામોમાં સર્વે શરૂ : ૧૬પ ટેન્ટ લગાવાયા

જૂનાગઢ,તા.૭
ભુકંપના બબ્બે આંચકાઓએ ગઈકાલે જૂનાગઢ જીલ્લાના ગીર પંથકને ધણધણાવી નાખ્યા બાદ ધીમે ધીમે લોકોના મનમાંથી ડર ઓછો થવાની સાથે વહિવટીતંત્રએ સર્વેની કામગીરી આરંભી દીધી છે અને સૌથી વધુ અસરગ્રસ્ત હિરણવેલ ગામ માટે ૧૬પ તંબુઓ વહીવટી તંત્રએ મંગાવ્યા છે તથા હરિપુર અને ચિત્રાવડમાં પણ પ - પ વિશાળ તંબુઓ ઉભા કરાયા છે. ભુકંપના આંચકાને ભુલી જૂનાગઢના શહેરીજનો પણ દિવાળીની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યુ છે.

ગઈકાલે વહેલી સવારે અને બપોરે મળી ધરતીકંપના બબ્બે આંચકાઓએ સોરઠ પંથકને હચમચાવી નાખ્યા બાદ આજે સૌથી વધુ અસરગ્રસ્ત એવા ગીર પંથકના હિરણવેલ, હરીપુર, સાંગોદ્રા, ચિત્રાવડ, ભાલછેલ સહીતના ગામડાઓમાં વહીવટીતંત્રએ સર્વેની કામગીરી શરૂ કરાવી દીધી છે. આજે કલેકટર અશ્વિનીકુમાર અને ડી.ડી.ઓ. જયપ્રકાશ શિવહરેએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ગીર પંથકના હિરણવેલ નજીક જ ભુકંપનુ કેન્દ્ર બીંદુ હોવાથી આ ગામમાં સૌથી વધુ નુકશાની થઈ છે.

જીલ્લા કલેકટર અશ્વિનીકુમારે આ વિશે સંદેશ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ઘરવિહોણા બનેલા હિરણવેલ ગા
ના ગ્રામજનો માટે તાત્કાલીક ૧૬પ તંબુઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજરાત સુધીમાં તમામ તંબુઓ લગાવી દેવાશે જેમાં ગ્રામજનોને થોડા સમય માટે આશરો લઈ શકશે. ઉપરાંત હરિપુર અને ચિત્રાવડમાં વિશાળ મંડળ જેવા પાંચ પાંચ તંબુઓ લગાડવામાં આવ્યા છે.

જેથી ઘરમાં ન રહી શકે તેમ હોય તેવા ગ્રામજનો આ તંબુઓમાં આશરો લઈ શકે. સૌથી વધુ નુકશાની કાચા મકાનોમાં જ થઈ છે. પાકા મકાનોમાં માત્ર તીરડો જ પડી છે.

સર્વેની કામગીરી શરૂ થઈ જવાની સાથે ગીર પંથકના વધુ અસરગ્રસ્ત વિસ્તારો માટે ૮ એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટીમો કાર્યરત થઈ ગઈ છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જેસલપુરા અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પાંડે સહીત કુલ ૧૮ જેટલા તબીબો મેડીકલ સ્ટાફ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પ શરૂ કર્યા છે.

બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ જનજીવન ભુકંપને ભુલી ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યુ છે

ગઈકાલે શહેરીજનોમાં ફેલાયેલો ભય દુર થયો હોય તેમ પ્રજાજનો ધીમે ધીમે દિવાળીની ઉજવણીની તૈયારીમાં લાગી ગયા છે. બજારોમાં ઠેર ઠેર શહેરીજનોની આજે સારી એવી ભીડ જોવા મળી હતી.

Source:http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=33981&Keywords=earthquake%20Sorath%20gujarati%20news

Aaj Nu Aushadh

ધાવણશુદ્ધિ મસા
(1) આયુર્વેદમાં લખાયું છે કે, કડવા રસમાં ધાવણને શુદ્ધ કરવાનો ઉત્તમ ગુણ રહેલો છે. જ્યારે કોઈ પણ કારણને લીધે પ્રસૂતા સ્ત્રીના કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીના ધાવણમાં કફ કે પિત્તના ગુણોનો વધારો થયો હોય તે કારેલાના સેવનથી દૂર થશે. ચાર-પાંચ ચમચી કાચા કારેલાનો રસ સવાર-સાંજ પીવો. (૨) અર્શ એટલે કે પાઈલ્સ-મસામાં કાંચનારની છાલનું ચૂર્ણ બે ચમચીની માત્રામાં માખણ અથવા દહીંના મઠા સાથે સવાર-સાંજ લેવાથી ઉદર શુદ્ધિ સરળતાથી થાય છે અને રક્તસ્રાવી મસા એકદમ શાંત થઈ જાય છે. સુરણનું એક નામ છે અર્શોઘ્ન. અર્શોઘ્ન એટલે મસાનો નાશ કરનાર. મસાવાળાએ છાશમાં બાફેલું સુરણનું શાક ખાવું.

Monday, November 5, 2007

ધારીના સિંહોના મોત પ્રકરણમાં જંગલખાતુ જ જવાબદાર! જવાબદારો સામે કાનુની કાર્યવાહી થવી જઇએ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ધારી, તા.ર૧
છેલ્લા ઘણા સમયથી ગીરના જંગલના રક્ષિત પ્રાણીઓની લગલગાટ હત્યાઓ થઈ રહી છે અને જંગલખાતુ ઘોરી રહ્યું છે. સરકારી તંત્ર માત્ર હાકલા પડકારા કરીને કાયદાનો ભય બતાવી રહ્યા છે તે જોતા આખી સીસ્ટમ જ કયાંક ખામી ભરેલી હોય તેવું લાગી રહ્યંુ છે. છેલ્લા આઠ મહિનામાં સાંઈઠ કરતા વધારે સિંહોના અકુદરીતે મોત નિપજયા છે તો ગીરની અન્ય વનસંપતિનો કેટલો નાશ પામ્યો હશે! તેવો પ્રશ્ન બુધ્ધિજીવીઓમાં પૂછાય રહ્યો છે.

બે દિવસ પહેલા ધારી વિસ્તારમાં એક કીસાને પોતાના કૃષિપાકને બચાવવા માટે પોતાના ખેતરની ફરતે બાંધલા વીજતારને અટકીને એકસાથે પાંચ સિંહોના અકુદરતી મોત થયા હોવાનો સનસનીખેજ બનાવ બનવા પામતા દેશભરમાં તેના ગંભીર પ્રત્યાઘાતો પડયા છે. આ બનાવના પગલે ગીરનું જંગલખાતુ હાંફળુફાફળુ થઈ ગયું છે. ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે. એટલું જ નહીં પણ ધારી રેન્જમાં ભૂતકાળમાં નખ માટે અડધો ડઝન સિંહોને મારીને તેના અસ્થિઓને દાટી દીધા હોવાના ચકચારી બનાવો પણ જાહેર થયા છે. હમાલ હસનના નામે ચડેલા આ બનાવ ઉપરથી પણ જંગલખાતું કોઈ બોધપાઠ લઈ શકયું નથી. જંગલખાતું વ્યવસ્થિત સુસજજ હોવા છતાં જંગલમાં શિકાર થતા જ રહે છે, જંગલમાં કટીંગ થતું જ રહે છે. જંગલની અંદર થતા આવા બનાવોમાં કોઈ તપાસ કરવામાં આવતી નથી અને આંખમિચામણા કરવામાં આવી રહ્યા છે ત્યારે જંગલ બહારના રેવન્યુ વિસ્તારમાં આવેલા ગામડાઓ અને ખેતીવાડીવાળાઓને એકબાજુ જંગલખાતુ કોઈને કોઈ બહાને હેરાન પરેશાન કરે છે તો બીજી બાજુ જંગલી પ્રાણીઓના ત્રાસને કારણે લોકો રક્ષણ મેળવવા માટે સરકારી તંત્રમાં બહેરાંકાને અરજ અહેવાલ કરે છે અને અંતે થાકીને કોઠાસુઝ પ્રમાણે ફેન્સીંગ, કાંટાળી વાડ, રાત આખી ચોકીદારી, જીવંત ઈલેકટ્રીક તારની વાડ વગેરે જેવા પ્રયોગો કરે છે. ગીરના સિંહો અને અન્ય પ્રાણીઓની જાળવણી અને રક્ષા કરવાનું કામ જંગલ ખાતાનું છે પણ આ કામ કરવામાં આવતું નથી અને દોષનો ટોપલો લોકો ઉપર ઢોળવામાં આવે છે.

હકીકતમાં જંગલખાતાનો વહીવટ બોદો ચાલી રહ્યો છે. વન્ય પ્રાણી વર્તુળ જુનાગઢના જંગલખાતાના વડા છ જીલ્લાના ઉચ્ચ અધિકારી થાય છે. હાલ આ અધિકારી એટલો લાગવગીયો છે કે છેલ્લા આઠ વર્ષથી તે એક જ જીલ્લામાં નોકરી કરી રહ્યો છે. ગીરના જંગલમાં જયારે જયારે આવી ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ અધિકારી નીચેના અધિકારી-કર્મચારીઓ ઉપર જવાબદારી ઢોળીને એકાદ બેની બદલી કરી નાખીને આખા પ્રકરણને રફેદફે કરી નાખે છે. તેની નીચેના પ૦૦ જેટલા કર્મચારીઓની અત્યાર સુધીમાં તેમણે બદલી કરી છે. પણ તેની બદલી કોઈ કરી શકતું નથી. એક અભિપ્રાય પ્રમાણે જંગલખાતુ કાયદાની ભાષા જ સમજે છે પણ માનવીય અભિગમને સાવ કોરાણે મુકીને ચાલે છે. જેને કારણે આવી ઘટનાઓ બની છે અને બનતી રહેશે તેવું બૌધિકોનું માનવું છે. ગીરના જંગલની આજુબાજુ વસતા લોકો અને તેના ઢોરઢાંખર, ખેતી વગેરેને સુરક્ષિત કરવાની જવાબદારી પણ સરકારની છે.
આ જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જનાર જંગલખાતાના જવાબદાર અધિકારીઓને પણ કાયદાના સાંણસામાં લેવા જોઈએ.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=30119&Keywords=Saurastra%20gujarati%20news

ધારીના સિંહ હત્યા પ્રકરણમાં બે શખ્સોના જામીન નામંજૂર

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

અમરેલી, તા. ૨
ધારીના પ્રેમપરા રેવન્યુ વિસ્તારમાં એક પટેલ ખેડૂતે બિછાવેલા વીજ તારથી પાંચ સિંહોની હત્યા પ્રકરણમાં ઝડપાયેલા બે શખ્સોની રાજુલા ફાસ્ટ ટ્રેક કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.વિગત મુજબ ધારી નજીક ખેતરમાં વીજશોકથી મૃત્યુ પામનાર પાંચ સિંહોની હત્યાના ગુન્હામાં મુખ્ય આરોપી દુર્લભ વાડદોરીયા સાથે મદદગારી કરનાર રવજી છગન હિરાણી અને ભલા ખીમા ભરવાડની વન વિભાગે અગાઉ ધરપકડ કર્યા બાદ આજે રવજી છગન અને ભલા ખીમાએ જામીન મેળવવા માટે રાજુલા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અરજી કરતાં કોર્ટે બન્ને આરોપીના જામીન નામંજુર કર્યા છે.

બળાત્કાર કેસમાં સ્વામી સહિત બેની મેડીકલ ચકાસણી બગસરાના માવજીંજવા ગામની પટેલ યુવતી ઉપર બળાત્કાર ગુજારનાર પંચાળા સ્વામિનારાયણ મંદિરના પાંચ સાધુઓ સામેના કેસમાં રાજુ મનસુખ અને પંચાળા મંદિરના કેશવ સ્વામીના બગસરા દવાખાને મેડીકલ ચકાસણી હાથ ધરી વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=21&NewsID=32810&Keywords=Saurastra%20gujarati%20news

ગીરના સિંહો ખોરાક માટે ભટકે છે

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ગીરગઢડા, તા.૪
એશિયામાં એકમાત્ર ગીરના જંગલમાં સિંહોનો વસવાટ છે. આ જંગલ ૧૪૦૦ ચો.કિ.મી.ની ત્રિજયામાં પથરાયેલ છે. માર્ચ-૦૭ માં ગીર વિસ્તારમાં ક્રમેક્રમે બે વખત સિંહોનો શિકાર થતાં કુલ ૬ સિંહોને શિકારીઓએ મારી નાખેલ હતા. તે વખતે ભાખાના કાર્યકર ભરતભાઈ ઠાકરે રાજયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખી જણાવેલ હતું કે ગીરના સિંહોને ખોરાક ન મળવાથી ગીરના સિંહો ગીરની બહાર ૫૦ કિ.મી.ના અંતરે ખોરાકની શોધમાં ભટકતા જોવા મળે છે.

ગીરમાંથી માલધારીઓને હાંકી કાઢવાનો અને ગીરમાં ચરિયાણ બંધ કરવાનો જે અઘટિત અને દુ:ખદ નિર્ણય ૧૯૭૨ માં સરકારે લીધો ત્યારથી ગીરના સિંહોના પતનનો પાયો નંખાઈ ચુકયો હતો અને તે પાયા ઉપર આજે સિંહના શિકારની ઘટનારૂપી બિલ્ડીંગો બંધાય છે ત્યારે હજુપણ સરકાર આ બાબતે ગીરના માલધારીઓને ફરી ગીરમાં વસવાટ કરવા તથા ગીર બોર્ડરના ગામડાઓની પ્રજાના માલઢોરને ગીર જંગલમાં ચરિયાણની છુટ આપવામાં જેટલો વિલંબ કરશે તેટલા વધારે સિંહોના શિકારની ઘટનાઓ ગીર જંગલના બહારના ગામડાઓમાં બનતી જ રહેવાની છે.

તાજેતરમાં ધારી ડિવિઝનના પ્રેમપરા ગામે લાઈટના કરંટથી તાર બાંધી પાંચ સિંહોના મોત નિપજાવવામાં આવેલ છે. ગીર પૂર્વ વન વિભાગના ગામડાઓમાં જો સધન તપાસ હાથ ધરવામાં આવે તો સેંકડો ખેતરમાં આવા તાર બંધાયેલ જોવા મળવાની સંભાવના છે.ળ

આ બાબતે ફરી વખત સિંહોની સલામતી માટે પત્ર લખી તેની માગણી દોહરાવી જંગલમાં માલધારીઓને પુન:વસવાટ આપવાની તથા ગીર જંગલમાં બોર્ડરના ગામડાઓનાં માલઢોરને ચરિયાણની છુટ આપવાની માગણી કરી છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=33301&Keywords=Saurashtra%20Gujarati%20News

ગીરગઢડા-જામવાળા-તાલાલા રોડ અતિ બિસ્માર હાલતમાં

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ગીરગઢડા, તા૪
ગીરગઢડા-જામવાળા-તાલાલા માર્ગ ૫૦ કિ.મી.નો છે. આ રસ્તો પી.ડબલ્યુ.ડી.(સ્ટેટ) હસ્તક છે. આ રોડ છેલ્લા પાંચ વર્ષથી તદન બિસ્માર હાલતમાં છે આ અંગે અનેક વખત પત્રો દ્વારા તથા રૂબરૂ તથા ધારાસભ્યની ફરિયાદ સમિતિમાં રજૂઆત કરવા છતા માર્ગ મકાન વિભાગના બહેરાકાને આ રોડની વાત સંભળાતી જ નથી.આ રોડ ઉપર કોઈપણ વાહન ચલાવવું દુષ્કર છે. ઉના અને તાલાલા-મેંદરડાના ધારાસભ્યોએ અનેક વખત રજૂઆતો કરી છે. છતાં જાહેર બાંધકામ ખાતાનું પેટનું પાણી હલતુ નથી. આ રોડની અત્યંત ખરાબ હાલત જોતા જાહેર બાંધકામ ખાતાના કાર્યપાલકની અંગત જવાબદારી નકકી કરી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ તેવી પણ લોકમાગણી ઉઠવા પામી છે.આ રોડની સીંગલપટ્ટી ડામર રોડ કરવા માટે માર્ગ અને પર્યાવરણ વિભાગના ઉપસચિવ ગાંધીનગર તરફથી ૨/૧૨/૦૬ ના રોજ મંજુરી આપવામાં આવેલ છે. જેને આજે ૧૦ મહિના થવા છતાં જાહેર બાંધકામ ખાતું કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું છે.

ભાખાના કાર્યકર ભરતભાઈ ઠાકરે તા.૮/૧૦/૦૭ ના રોજ કાર્યપાલક ઈજનેર, જૂનાગઢને પત્ર લખી ગીરગઢડા-જામવાળા-તાલાલા માર્ગને તાત્કાલિક અસરથી પેવર કરવો તથા જે બે-ત્રણ નાલા મંજુર થઈ ગયેલ છે તે તથા ચોમાસામાં ડેમેજ થયેલ અન્ય નાલાનું કામ માસ એકમાં જો શરૂ કરવામાં નહીં આવે તો આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની પણ ચિમકી આપી છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=33303&Keywords=Saurashtra%20Gujarati%20News

Aaj Nu Aushadh

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

આદુંનો અવલેહ
આશરે ૫૦૦ ગ્રામ આદુંને ખૂબ લસોટી પેસ્ટ-ચટણી જેવું બનાવી તેમાં ૫૦૦ ગ્રામ શુદ્ધ ઘી મિશ્ર કરી મંદ તાપે શેકવું. જ્યારે શેકવાથી આદું લાલ બને ત્યારે તેમાં એક કિલો ગોળની ચાસણી ભેળવી તેમાં એક એક ચમચી તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, લવિંગ, નાની હરડે, ભારંગમૂળ, અરડૂસી, લીમડાની આંતરછાલ, દેવદાર, જાયફળ, અશ્વગંધા, જાવંત્રી, અગરુ, દ્રાક્ષ આ બધાં ઔષધો ખાંડીને આ પાકમાં ભેળવી શેકી નાખી બરણી ભરી લેવી. આ થયો આદ્રાકવલેહ. આદુંનો આ અવલેહ એકથી બે ચમચી જેટલો સવારે નાસ્તો કર્યા પછી લેવાથી મંદાગ્નિ, અરુચિ, અપચો, ઊબકા, ગેસ જેવી પાચનતંત્રની વિકૃતિઓ તથા શરદી, ઉધરસ, શ્વાસ, સસણી જેવાં કફના રોગો મટે છે. આ આદ્રકાવલેહ ઘણી ફાર્મસીઓ બનાવે છે.

ગીરમાં ચરિયાણ શરૂ નહીં થાય, ત્યાં સુધી સિંહોના કમોત થશ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Una
Thursday, November 01, 2007 23:38 [IST]

ગીરના જંગલમાં સિંહોને મળતો ખોરાક બંધ થતાં આસપાસનાં ગામોમાં સિંહોની રંજાડ વધી છે. જેને પરિણામે સિંહોની હત્યાના બનાવ પણ વધી રહ્યા છે, તેવું જણાવતો પત્ર ભાખાના કાર્યકરે મુખ્યમંત્રીને પાઠવી ગીરમાં ફરીથી ચરિયાણ શરૂ કરવા માગણી કરી હોવા છતાં તંત્રે કોઈ દાદ દીધી નથી.

ભાખાના કાર્યકર ભરતભાઈ ઠાકરે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે ૧૯૭૨માં સરકારે નિર્ણય લઈને માલધારીઓને ગીરમાંથી હાંકી કાઢી ચરિયાણ બંધ કરાવી દીધું, ત્યારથી જ ગીરના સિંહોનું પતન શરૂ થયું છે. ગીરના સિંહોને ખોરાક ન મળવાથી સિંહો ગીરકાંઠાનાં ગામોમાં ખોરાકની શોધમાં ભટકતા થયા છે.

સિંહો ગામમાં પ્રવેશતાં થયા હોઈ ખેડૂતોએ કાંટાળી વાડ બનાવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ધારીના પ્રેમપરા ગામે વીજકરંટથી પાંચ સિંહોનાં મોત નિપજાવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જૉ આ અંગે સઘન તપાસ થાય તો અનેક ખેતરોમાંથી આવી વાડ મળે તેમ છે.

માટંે ગીરના સિંહોનાં મોત અને હત્યાના બનાવો અટકાવવા હશે તો માલધારીઓને જંગલમાં પુન:વસાવી ઢોરને ચરિયાણ માટેની છૂટ આપવી પડશે. આ કાર્યમાં જેટલો વિલંબ થશે, તેટલા વધારે સિંહો કમોતે મૃત્યુ પામશે.

ઠાકરના આ પત્ર બાદ પણ વનતંત્રે કોઈ દાદ દીધી ન હોઈ વન્યપ્રેમીઓમાં રોષની લાગણી ફરી વળી છે. ગીરના સાવજૉના કલ્યાણ માટે વનતંત્ર વિચારતું થાય તે જરૂરી છે, તેવો સૂર પણ ઊઠવા પામ્યો છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/01/0711012348_taking_care.html

ગીર પંથકમાં માવઠું : તાલાલામાં એક ઈંચ વરસાદ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Talala
Monday, November 05, 2007 00:05 [IST]

ધુંસિયા પાસે તોતિંગ વૃક્ષો ધસી પડતાં વાહનવ્યવહાર ઠપ્પ : મગફળી કપાસની માઠી

girઆસો મહિનામાં વરસાદે શ્રાવણી માહોલ સર્જવાનું નક્કી કર્યું હોય તેમ બે દિવસથી સૌરાષ્ટ્રમાં મુકામ કર્યોછે અને અનેક સ્થળોએ મન મૂકીને વરસી માર્ગોપર પાણી ચાલતા કરી દીધા છે. આજે ગીર પંથકનો રાઉન્ડ વરસાદે લેતાં તાલાલામાં એક ઇંચ વરસાદ ખાબકયો હતો અને આસો માસમાં જાણે અષ્ાાઢી માહોલ રચાચો હતો. ઉપરાંત ધુંસિયા પાસે ભારે પવન સાથે વરસાદ ત્રાટકતાં સડકની બન્ને સાઈડના અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

તાલાલા સહિત ગીર પંથકમાં આજે બપોરે એક વાગ્યે વાતાવરણ ઓચિંતુ પલટાયું હતું અને થોડીવારમાં ભારે પવન ફૂંકાવા સાથે ધ્રાબડ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું અને પવનની સાથે થોડીવારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તાલાલામાં અડધો કલાકથી વધુ સમય સુધી ધોધમાર વરસાદ પડતા રોડ ઉપર પાણી દોડવા લાગ્યા હતા. આજે પડેલ વરસાદથી મગફળી અને કપાસનાં પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.

ખેતરોમાં મગફળીમાં પાકના ઢગલા પડયા હોય તેવા સમયે વરસાદ થતાં મગફળીમાં બગાડ થવાથી ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળે આલીદર, હરમડિયા, ઘાંટવડ તથા સુત્રાપાડા તાલુકાના પ્રાચીતીર્થ સહિતના વિસ્તારોમાં વ્યાપક વરસાદના વાવડ મળ્યા છે અને અનેક નદીઓમાં પુન: પૂર આવ્યાની વિગતો સાંપડી છે.

આજે તાલાલા સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડયો હોવાના અહેવાલો મળેલ છે. તાલાલા શહેરમાં દિવાળીના તહેવાર માટે ફટાકડાનો વેપાર કરતાં ફટાકડાના સ્ટોલ ધરાવતા વેપારીઓ ઓચિંતો વરસાદ ખાબકતા ધંધાની સિઝન નબળી જવાથી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.શહેરમાં વેપારીઓ રવિવારનો દિવસ હોય દિવાળી પહેલા દુકાનોમાં સાફ સફાઈ અને રંગરોગાન કરવાતા હોવાથી ઘણા દુકાનદારોનો માલ દુકાન બહાર ખુલ્લામાં પડેલો. તે સમયે વરસાદ ખાબકતા વેપારીઓ માલને પલળતો બચાવવા વરસાદમાં દોડધામ કરતાં જોવા મળતા હતા.

ધુંસિયા પાસે વૃક્ષો ધરાશાયી

ધુંસિયા ગામ પાસે વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનના લીધે રોડની બન્ને સાઈડોમાંથી આઠથી દસ તોતિંગ વૃક્ષો ઢળી પડતાં વાહન વ્યવહાર ત્રણ કલાક સુધી સંપૂણર્પણે બંધ થઈ ગયો હતો. રોડ વરચે પડેલાં ઝાડ હટાવવા તાલાલાથી મજૂરો બોલાવી વૃક્ષોની વિશાળ ડાળો કુહાડાથી કાપી વૃક્ષો હાટવવાની કામગીરી કરવામાં આવી હતી.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/05/0711050011_un-seasonal_rain.html

Thursday, November 1, 2007

વનરાજનું રક્ષણ કેવી રીતે કરવું ? વનતંત્ર દ્વારા મિટિંગ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Junagadh
Tuesday, October 30, 2007 00:28 [IST]

ગીરના જંગલમાં વીજ કરંટથી પાંચ સિંહોના મૃત્યુની અત્યંત ચકચારી ઘટના બાદ વનરાજના રક્ષણ તથા જંગલ રક્ષણ માટે બોર્ડર વિસ્તારના ગામોના સરપંચો, મંડળીઓના પ્રમુખોની ગાંધીનગરથી આવેલા ઉરચ વન અધિકારીઓના અઘ્યક્ષ સ્થાને ફોરેસ્ટ ગેસ્ટહાઉસ ખાતે એક બેઠક મળી હતી.

જેમાં ગ્રામજનોનો સહકાર માંગવામાં આવ્યો હતો. સરપ્રાઇઝ વિઝિટ લેનાર સી.સી.એફ. એચ.સિંહે વન વિભાગના અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન તથા સુચિત પગલાં લેવા તાકીદ કરી હતી. તેમજ ગામોના સરપંચો, મંડળીઓનાં પ્રમુખો અને વન્ય પ્રાણી સંરક્ષણ માટે ચર્ચા કરી હતી. અને આ કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

તેમજ ધારીના પ્રેમપરામાં પાંચ વનરાજૉની વીજકરંટ દ્વારા હત્યાના બનાવો નિવારવા માટે જન જાગૃતિ આવશ્યક ગણાવી હતી. મિટિંગમાં દસ થી વધારે ગામોના સરપંચ, ભેંસાણના તાલુકા વિકાસ અધિકારી ભૂવા, માણાવદરનાં પીએસઆઇ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/30/0710300030_save_lion.html

સિંહના મોતને પગલે વન અધિકારીઓના ધારીમાં ધામા

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Dhari
Tuesday, October 30, 2007 23:55 [IST]

ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માતો નિવારવા વિચારણા

lionધારી પાસે વીજશોક લાગવાથી પાંચ વનરાજ માર્યા જવાની બનેલી ઘટના બાદ હવે વનવિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા છે, અને બેઠકો શરૂ કરી દીધી છે. ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માતો ટાળી શકાય એ માટે સંકલન સમિતિની એક બેઠક મળી હતી.

થોડા દિવસો પહેલાં ધારીના ખેડૂત દ્વારા પોતાના ખેતરની ફરતે ઈલેકટ્રીક શોક આપે તેવા તારની વાડ તૈયાર કરાતાં પાંચ સિંહ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. ખેડૂતે આ વિગત જાહેર ન થાય એ માટે સિંહના મૃતદેહને દફનાવી દઈને ઘટનાને છૂપાવવા પ્રયાસ તો કર્યા હતા પણ ઘટના જાહેર થઈ ગઈ હતી.

આ કેસમાં કોટર્ે મુખ્ય આરોપીના જામીન નામંજૂર કરીને તેના નાર્કોટેસ્ટ કરવા માટે પણ મંજૂરી આપી દીધી હતી. જો કે, વનવિભાગ હવે આ મામલે ભારે સાવચેતી વર્તે છે. તેણે રાજય સરકારના મુખ્ય સંરક્ષક કક્ષાના પાંચ ઉરચ અધિકારીઓ જેવાં કે, વીજવિભાગ, રેવેન્યુ વિભાગ અને વનવિભાગ સાથે સંકલન સાધીને ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માતો ન થાય એ માટે યોજનાઓ ઘડવા ચર્ચા કરી હતી. આ માટે ગાંધીનગરથી પાંચ ઉરચ અધિકારીઓ ધસી આવ્યા હતા.

તેમાં ગુજરાત રાજય મુખ્ય વનસંરક્ષક સુરેશચંદ્ર પંત, ધારી, સાવરકુંડલા, ખાંભા તેમજ વિસાવદર તાલુકાઓના પ્રવાસમાં વ્યસ્ત છે. ગઈકાલે ધારીના સરસિયા ગામે ધારી ગીર પૂર્વના નાયબ વન સંરક્ષક જયંત સોલંકી સાથે હેતુસર એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વનવિભાગના કર્મચારીઓ ઉપરાંત વીજખાતાના કર્મચારીઓએ પણ હાજરી આપી હતી.

ભાવિ આયોજન માટે સંકલન

ઈલેકિટ્રક વીજશોક આપીને સિંહને જે રીતે મોતને ઘાટ ઉતારાયા એ જોતાં વનવિભાગના અધિકારીઓ દ્વારા વીજવિભાગ સહિતના અધિકારીઓ સાથે સંકલન સધાય એ જરૂરી છે. જો કે, આ પૂર્વે અધિકારીઓ દ્વારા ખેડૂતોને ખેતર ફરતે ઈલેકિટ્રક વાડ કરવાની સૂચના આપી દેવાઈ છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/30/0710302359_forest_officer.html

માળિયા હાટીના પાસેથી સિંહણનો મૃતદેહ સાંપડયો.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Junagarh
Thursday, November 01, 2007 03:46 [IST]

વૃજમી ડેમમાંથી મળેલા સિંહનો હત્યારો ઝડપાયો

માળિયા હાટીનાના ચુલડી ગામે આવેલી વાડીમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. આ સિંહણનું મોત ગળામાં પરુ થવાને લીધે થયાનું ખુલ્યું છે. જયારે ઓગસ્ટ માસમાં વૃજમી ડેમમાંથી પથ્થર સાથે બાંધેલી હાલતમાં મળી આવેલા સિંહના મૃતદેહ તેમજ સિંહની હત્યાનો ભેદ ખુલી ગયો છે. આ સિંહની હત્યા વીજ કરંટ આપીને થયાનું પણ ખુલ્યું છે.

માળિયા (હા.)ના ચુલડી ગામે આવેલ રામભાઇ નંદાણિયાના શેરડીના વાડમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે વનવિભાગના એસીએફ બી.ટી. ચઢાસણિયાના કહેવા મુજબ, ગળામાં ઇન્ફેકશનને લીધે પરુ થઇ જતાં આ સિંહણના ગળામાંથી ખોરાક નહોતો ઉતરતો. પરિણામે તેની હોજરી એકાદ સપ્તાહથી ખાલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

દરમિયાન, ગત ઓગસ્ટ માસ દરમિયાન વૃજમી ડેમમાંથી પથ્થરની સાથે બાંધેલા એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહનું મોત વીજ આંચકાથી થયાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતું. આ અંગેની ઝીણવટભરી તપાસમાં વનવિભાગે અમરાપુર (સરકારી) ગામના ડાયા લખમણ સગરની ધરપકડ કરી છે. તેની સાથે મદદગારીમાં રહેલા શખ્સની ભાળ મેળવવા તપાસ આરંભી છે.

માંગરોળમાં મકાનમાંથી ૨પ કાચબા મળી આવ્યા

માંગરોળ સ્થિત ગીર નેચર કલબના કાર્યકરે રાજમોતી નામના અવાવરુ બંગલામાં કાચબાની હાજરી હોવા અંગે વનવિભાગને જાણ કરતાં આરએફઓ ઝાલાવડિયા અને સ્ટાફ રપ કાચબા કબજે કરી તેને ખોડાદાની તુંગા વીડીમાં છોડી મૂકયા હતા. આ કાચબાઓ પૈકી બે કાચબા અહીં આવી ચઢયા બાદ તેમાં ક્રમશ: વધારો થયાનું વનવિભાગનું માનવું છે. આ બનાવમાં કોઇ ગુનો બનતો ન હોવાનું પણ એસીએફ બી.ટી. રઢાસણિયાએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/01/0711010355_lion_death.html

Aaj Nu Aushadh

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

મૂત્રકષ્ટ-મૂત્રાવરોધ
અટકી અટકીને વેદના સાથે પેશાબ થતો હોય, અથવા પેશાબ છૂટથી થતો ન હોય તો ચાર-પાંચ એલચી દાણા, એક ચમચી સાટોડીનો ભૂક્કો અને એક ચમચી ગોખરુનો ભૂક્કો એક ગ્લાસ જેટલા પાણીમાં નાખી ધીમા તાપે ઉકાળવું. ઉકાળતા જ્યારે અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી ઠંડું પાડી પી જવું. આ ઉકાળો સવાર-સાંજ તાજેતાજો બનાવીને પીવાથી મૂત્રાવરોધ, મૂત્રકષ્ટ, મૂત્રદાહ થતો મટે છે. આ ઔષધ પ્રયોગ સાથે જો અડધા ચમચા જેટલો ખાંડેલા જવનો ભૂક્કો એક ગ્લાસ જેટલા પાણીમાં નાખી ઉકાળી, ઠંડું પાડી, ગાળીને સવાર-સાંજ પીવામાં આવે તો અષ્ટિલા ગ્રંથિનો (પ્રોસ્ટેટનો) સોજો, મૂત્રકષ્ટ, મૂત્રાવરોધ, મૂત્રમાર્ગનો ચેપ, પથરી અને સોજા મટી જાય છે. કીડની રોગોમાં હિતાવહ છે.