Thursday, December 23, 2010

મીઠાપુર નક્કી ગામમાં ત્રણ વનરાજો ઘૂસી ગયા.

Dec 12,2010
ધારી તા.૧૧ :
ધારી તાલુકાના અનેક ગામોમાં અચાનક સિંહો આવી ચડવાના બનાવો વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા દલખાણીયામાં સિંહોએ મારણ કર્યા બાદ ફરી આવે મીઠાપુર નક્કી ગામમાં ત્રણ સિંહો ઘૂસી ગયા હતા. અને આખો દિવસ ગામમાં આંટાફેરા કરી બાદમાં એક વાછરડીને દબોચી લઈ એને મોતને ઘાટ ઉતારી દીધી હતી. દલખાણીયા અને આસપાસના વિસ્તારમાં હવે વનરાજો જંગલ છોડીને માનવ વસાહતમાં અવારનવાર ઘૂસી જાય છે. ગઈ કાલે મીઠાપુર રોડ પર ધાર પાસે નીલગાયનું મારણ કર્યુ હતં. એ પછી મીઠાપુર ગામમાં ત્રણ સિંહોએ ઘૂસી જઈ ભારે ત્રાડો નાંખીને ભય ફેલાવી દીધો હતો. એ પછી રમેશભાઈ જશાભાઈ મકવાણાના ફળિયામાં બાંધેલી ચાર માસની વાછરડી પર હુમલો કરી દબોચી દીધી હતી. આ સમયે વાછરડી ભાંભરડા નાંખવા લાગતા ઘરધણી જાગી ગયા હતા. અને સિંહોને નસાડવા હાકલા પડકારા કરતા સિંહો નાસી ગયા હતા. પણ વાછરડીનું મોત નિપજ્યું હતં.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=245871

જેઠવા હત્યા કેસઃ કોડિનારની કંપનીનો પણ હાથ હોવાની શંકા.


Dec 18,2010
ખાંભા, તા.૧
અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યામાં જૂનાગઢના સાંસદ દિનુ સોલંકી ઉપરાંત શાપુરજી પાલનજી થર્મલ કંપનીના સંચાલકોનો હાથ હોવાનો ઓક્ષેપ કરતો સ્ફોટક પત્ર વન્ય પર્યાવરણ મંત્રી જયરામ રમેશને  પાઠવાયો છે. મૃતકના પિતા ભીખાભાઈ જેઠવાએ પાઠવેલા આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ગીરના સિંહો ઉપર ખતરારૂપ કોડીનારના છારા બંદરની જેટી અને કાજ ગામના આયાતી કોલ આધારિત વીજ મથકને મંજૂરી ન આપવી જોઈએ.
  • પર્યાવરણ મંત્રી જયરામ રમેશને સ્ફોટક પત્ર લખતા મૃતકના પિતા
કોડીનારથી પાંચ કિલોમીટર દૂર છારાબંદરે સિમર પોર્ટ દ્વારા જેટી અને કાજ પાસે સ્થપાઈ રહેલા મેગા થર્મલ પાવર મથકથી ગીરમાં સિંહોને ખતરો હોવાનું કેન્દ્રીય મંત્રી જયરામ રમેશને ભીખાભાઈ જેઠવાએ જણાવતા આક્ષેપ કર્યો હતો કે, ગીરકાંઠે થઈ રહેલી આૌદ્યોગિક પ્રવૃતિ રોકવી જરૂરી છે, સુનાવણી વખતે પણ સાંસદ સોલંકીએ દાદાગીરી કરીને કોઈને પણ થર્મલ પાવર મથક અને બંદરનો વિરોધ કરવા દીધો ન હતો. એટલું જ નહીં પણ કાજના થર્મલ પાવર મથક સ્થપાય તો તેનો વિરોધ એક્ટિવિસ્ટ અમિત જેઠવા કરે તેમ હોય પાણી પહેલા પાળ બાંધીને શાપુરજી પાલનજી કંપનીના સંચાલકોએ પણ અમિત જેઠવાને શાંત કરી દેવા સાંસદ સાથે મળીને તેની હત્યા કરાવી હોઈ શકે.
 આ પત્રમાં વધુમાં એમ પણ જણાવાયું છે કે, આ વિસ્તારના સિંહોનો ખોરાક એવા નીલગાય, સાબર, હરણ જેવા પ્રાણીઓ પણ ઓછા થઈ રહ્યા છે. કંપની સ્થપાતા વિદ્યુતચુંબકીય કિરણો વધતા આ તૃણભક્ષીઓ  પણ ચાલ્યા જશે અને તેથી સિંહોને ખોરાક શોધવામાં મુશ્કેલી પડશે. પરિણામે તેઓ જંગલ છોડી વાડી વિસ્તારમાં ખોરાક શોધવા નિકળશે એ નક્કી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=247587

ગીર પંથકમાં છ લાખ ડબ્બા ગોળના ઉત્પાદનનો અંદાજ.

Dec 17,2010
તાલાલા, તા.૧
તાલાલા પંથકમાં દેશી ખૂશ્બુદાર ગોળ બનાવવાની સીઝન શરૃ થઈ છે. બોરવાવ ગીર સહિતના અમુક ગામડાઓમાં ગોળના રાબડા શરૃ થઈ ગયા છે. આ વર્ષે માવઠાનાં કારણે સીઝન થોડી મોડી શરૃ થઈ છે. ગોળ બનાવવાના રાબડાની સંખ્યા ઘટવા સાથે ગોળનાં ઉત્પાદનમાં પણ ઘટાડો થવાનો અંદાજ છે. આ વર્ષે ૧ર૦ દિવસની સીઝનમાં છ લાખ ડબ્બા ગોળનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ગત વર્ષે દસ લાખ ડબ્બાનું ઉત્પાદન થયું હતું. શેરડી કટાઈ અને ગોળના રાબડા પર કામ કરી શકે તેવા અનુભવી શ્રમજીવીઓ આ વર્ષે પૂરતા પ્રમાણમાં આવ્યા ન હોવાનાં કારણે ગોળના રાબડાના સંચાલકો મુશ્કેલીમાં છે.

  • માવઠાનાં કારણે મોડા શરૃ થતાં રાબડા
  • ગત વર્ષની સરખામણીમાં ઉત્પાદન ઘટશે : અનુભવી શ્રમિકોની અછત
ગત વર્ષે બોરવાવમાં ર૮ રાબડા હતા. તેની સામે આ વર્ષે ર૦ રાબડા ચાલુ થશે. સુરવામાં રપની સામે ર૦ રાબડા શરૃ થઈ રહ્યાં છે. માધુપુરમાં ૧ર સામે ૯, પીપળવા ર, ઘુંસીયા ર, ઉમરેઠી ર, જસાધાર ૩, ભીમદેવળ ૩, સેમરવાવ ર, વાડલા ૧ મળી કુલ ૭૦ થી ૮૦ રાબડા શરૃ થઈ રહ્યાં છે.ગોળના રાબડાના સંચાલકોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે શ્રમિકોની ખેંચના કારણે રાબડા ચોવીસ કલાક ચાલુ રાખવા કઠીન હોય એક રાબડામાં રોજના ૧૦૦ થી ૧૧૦ ડબ્બા ઉત્પાદન થતુ હતું. તેની સામે આ વર્ષે એક રાબડામાં માંડ માંડ ૭૦ ડબ્બા ગોળનું ઉત્પાદન થશે. આ ઉપરાંત શેરડીના પાકમાં શરૃઆતમાં ભીંગડી નામના રોગના કારણે શેરડીના ઉતારામાં આવતા ઘટાડાના કારણે ગોળની રિકવરીમાં ઘટાડો થવાની શકયતા છે.
શેરડીના ભાવમાં ઘટાડો થયોઃ તાલાલા : ગત વર્ષે ગોળના રાબડાના સંચાલકોએ સીઝનની શરૃઆતમાં એક ટન શેરડી રૃ.૧૮૦૦થી ખરીદી શરૃ કરી આખરમાં ર૭૦૦ સુધી પહોંચ્યો હતો. આ વર્ષે સંચાલકોએ રૃ.૧૧૦૦ થી ૧૩૦૦માં શેરડીની ખરીદી શરૃ કરી છે. આ વર્ષે શેરડીના પાકમાં આવેલ રોગના કારણે કવોલીટી નબળી હોય ભાવમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=247280

ગીર પંથકની કેસર કેરીની સીઝન એક માસ મોડી થશે.

Dec 17,2010
તાલાલા,તા.૧૬
તાલાલા ગીર પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેસરકેરીની સીઝન એક મહિનો મોડી થશે. દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદથી આંબામાં કેરીના મોર ફૂટવાની પ્રક્રિયા સાવ મંદ પડી છે. ડિસેમ્બરમાં આંબા પર મોટી માત્રામાં મોર ખિલ્યા હોઈ અને નાની કેરી (ખાખડી)નં સારૃ બંધારણ થઈ જતં હોય છે. પરંતુ કમોસમી વરસાદથી ગીરના મોટાભાગની આંબાવાડીઓમાં હજૂ સુધી આંબા પર મોર ફૂટયા નથી. જેથી, કેરીની સીઝન એક મહિનો મોડી શરૃ થશે. તાલાલા પંથકમાં કેસર કેરીનું પુષ્કળ ઉપ્તાદન થાય તેમ છે. કેરીનાં ગઢ ગણાતા આંકોલવાડી,  બામણાસા, રસુલપરા, મંડોરણા, વાડલા સહિતનાં ગામોમાં આંબાવાડીઓમાં આંબા પર હજૂ સુધી મોર ખિલ્યા નથી.
કેરીના પાક પર કમોસમી વરસાદની અસર થઈ હોવાનું બામણાસા (ગીર)ના ખેડૂતો ચૂનીભાઈ પાડલીયા અને ટપુભાઈ ઘેરીયાએ જણાવી ઉમેર્યું હતું કે
, કમોસમી વરસાદ કેરીના પાક પર ઝેર બનીને વરસ્યો છે. મોટા ભાગે ડિસેમ્બરની મધ્યમાં આંબામાં ખીલેલા મોરનું સારૃ બંધારણ થઈ જતુ હોય છે. જયારે ચાલુ વર્ષે દિવાળી બાદ વરસેલા કમોસમી વરસાદથી કેસર કેરીના મોરનું આવરણ થવાની પ્રક્રિયા ખોરવાઈ જતા કેરી માર્કેટમાં એક મહિનો મોડી આવશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=247324

ઉનાથી તુલશીશ્યામ સુધીના રોડ કરતા તો પગદંડી સારી.

Dec 18,2010
ઉના, તા.૧૭
ઉનાથી તુલશીશ્યામ જતા સ્ટેટ હાઈવે રોડ ર૧ કિલોમીટર છેલ્લા ચાર માસથી ભારે વરસાદ અને ભારે વાહનોની અવર જવરથી બિસમાર બની ગયો છે.રોડ પર ઠેર ઠેર બે ફુટ ઉંડા અને ત્રણેક ફુટ પહોળા ખાડા પડી ગયાં હોવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયાં છે.

  • ર ફુટ ઉંડા અને ત્રણેક ફુટ પહોળા ખાડાથી વાહનચાલકો તોબા
  • કામ મંજુર થઈ ગયા હોવા છતાં કામ ચાલુ કરવામાં ઠાગા ઠૈયા
ઉના તલુકાને આમ તો ડામર રોડ સાથે લેણુ ન હોય તેમ ઉનાથી રાજુલા, ઉનાથી કોડીનાર-વેરાવળ નેશનલ હાઈ વે, ૈનાથી ગીર ગઢડા રોડ લાંબા સમયથી બિસમાર હાલતમાં છે.ચોમાસુ પુરૃ થઈ ગયા ને ત્રણ માસ જેવો સમય વિતિ ગયો હોવા છતાં આ રોડ પર થાગડ થીગડ પણ કરવામાં આવી ન હોવાથી વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.કરોડો રૃપિયાના ખર્ચે કામો મંજુર થઈ ગયાં હોવા છતાં આ રોડનું રિપેરીંગ કે નવીનીકરણ કરવામાં આવતું ન હોવાથી લોકોને પરેશાની ભોગવવી પડે છે.આ બધા રસ્તા કરતા ઉનાથી તુલશીશ્યામનો ૨૧ કિસલમીટરનો રોડ સૌથી ખરાબ છે.આ રોડ પર જસાધાર ગીર,ચેક પોસ્ટથી તુલશીશ્યામ સુધી પાંચ કિલોમીટરનો રોડ ધોવાઈ ગયો છે.અને બંને બાજુ ગાંડા બાવળના ઝુંડ જામી ગયા હોવાથી સામસામે વાહન આવે ત્યારે વાહન તારવવાની મુશ્કેલી પડે છે.આ ઉપરાંત રાત્રિના સમયે મોટા વાહનના પ્રકાશમાં સામેવાળા વાહનચાલકની આંખો અંજાય જાય છે.અને તેનું વાહન ખાડામાં આવી જતાં અકસ્માત થાય છે.આવા બનાવો અવાર નવાર બની રહ્યા છે.કોઈ મોટો ગમખ્વાર અકસ્માત સર્જાય તે પહેલાં આ રોડ રિપેર કરી લોકોની કાયમી મુશ્કેલી હલ કરવાની જરૃર છે.આ પ્રશ્ને આ વિસ્તારના ધારાસભ્ય અને પ્રજાના પ્રતિનિધિઓ જાગૃત બની અંગત રસ લઈ રોડ રિપેર કરાવડાવે તેવી આમજનતાની લાગણી અને માગણી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=247523

૬૦ જેટલા સીદી બાદશાહોએ તાલાલામાં 'ધમાલ' મચાવી.

Dec 21,2010
તાલાલા, તા.૨૦
તાજેતરમાં તાલાલામાં સીદી બાદશાહ આદિવાસી નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો. ચાર ટીમના ૬૦ જેટલા સીદી બાદશાહોએ ધમાલ નૃત્યની ધમાલ માચાવી દર્શકોના મન મોહી લીધા હતાં. આ કાર્યક્રમ આદિવાસી નૃત્ય સંસ્કૃતિ બચાવવાના ઉદેશથી યોજાયો હતો.

  • લોકોએ આદિવાસી નૃત્યોને મનભરીને માણ્યા
નહેરૃ યુવા કેન્દ્રના માર્ગદર્શન નીચે મદીના સ્વ સહાય જૂથ સખી મંડળ-હડમતીયા-ગીર દ્વારા તાલુકામાં વસતા સીદી(બાદશાહ)ઓની લુપ્ત થતી જતી નૃત્ય સંસ્કૃતિ'ધમાલ'ને બચાવવા તાલાલામાં આ નૃત્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગલીયાવડ-૧, જાંબુર-ર અને સાસણની એક એમ કુલ ચાર ટીમના ૬૦ સીદી બાદશાહોએ ભાગ લીધો હતો. આદિવાસી કલાકારોએ નૃત્યની રમઝટ બોલાવી લોકોની વાહ વાહ મેળવી હતી. જેમાં ગલીયાવડની ટીમ વિજેતા બની હતી. આ અવસરે તાલુકા પંચાયત વતી હસમુખ પરમાર, નહેરૃ યુવા કેન્દ્રમાંથી બિપીનભાઈ જોષી, સખી મંડળના પ્રમુખ હનીફાબેન મજગુલ, હાસમભાઈ મુંસાગરા, ઈભરામભાઈ મજગુલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, તાલાલા પંથકના સીદી બાદશાહોના ધમાલ નૃત્ય દિલ્હીના લાલ કિલ્લા સહિત દેશના વિવિધ રાજ્યોમાં યોજાયા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=248190

વન્યપ્રાણીનો શિકાર ! માંસનું પોટલું ફેંકી બે શખ્સો નાસ્યા.


Dec 23,2010
જૂનાગઢ, તા.૨૨
પોણા ચાર વર્ષ પહેલા ગિર અભયારણ્યના જે વિસ્તારમાં છ સિંહોનો શિકાર થયો હતો તે વિસ્તારમાંથી ગઈ કાલે રાત્રીનાં કોઈ વન્ય પ્રાણીનો શિકાર કરીને તેનું માંસ પોટલામાં ભરીને જતા બે શખ્શો મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી છે. જો કે
, હાથમાં કૂહાડી અને બંદુક જેવા હથિયારો લઈને જઈ રહેલા આ શખ્સોને બીટ ગાર્ડે પડકારતા બન્ને શખ્સો માંસ ભરેલું પોટલુ ફેંકીને નાસી છૂટયા છે. વનવિભાગે ગિર જંગલને નાકાબંધી કરીને આ શખ્સોને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે. તેમજ માંસને વૈજ્ઞાાનિક ઢબે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે. બનાવ વિશે ડોગ સ્ક્વોર્ડની પણ મદદ લેવામાં આવી છે.
  • ગીર અભયારણ્યમાં
  • સિંહ શિકારકાંડથી કૂખ્યાત બાબરિયા રેન્જમાં પોપટડી નેસની ઘટના
મળતી વિગતો અનુસાર ગિર પશ્ચિમ અભયારણ્યની બાબરીયા રેન્જમાં આવેલ પોપટડી નેસ વિસ્તારમાં હિરણ નદીના કાંઠે ગઈકાલે મોડી રાત્રે ખભે પોટલું નાખીને હાથમાં કૂહાડી તથા બંદુક જેવા હથિયારો લઈને જઈ રહેલા બે શખ્સોને ફેરણામાં નિકળેલા બીટગાર્ડે પડકારતા આ બન્ને શખ્સો પોટલું ફેંકી દઈને નાસી છૂટયા હતાં.
વનવિભાગના સ્ટાફે જઈને પોટલું ખોલીને તપાસ કરતા અને તેમાથી પ્રાણીનું માંસ મળી આવતા આ વિશે તાત્કાલીક ગિર પશ્ચિમ વિભાગના ડી.સી.એફ. આર.ડી. કટારાને જાણ કરવામાં આવી હતી.
બનાવને પગલે વનવિભાગના કાફલાએ દોડી જઈને પ્રાણીના આ માંસને વૈજ્ઞાાનિક ઢબે પરિક્ષણ માટે એફ.એસ. એલ.માં મોકલ્યું છે. તેમજ ગિર અભયારણ્યને નાકાબંધી કરીને નાસી છૂટેલા બન્ને શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. હાલમાં તાલાળા એ.સી. એફ.એ જંગલ વિસ્તારમાં છાવણી નાખીને બન્ને શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે.
વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બન્ને શખ્સોએ કોઈ પ્રાણીનો શિકાર કરીને તેનું માંસ લઈને જઈ રહ્યા હતાં. જો કે આ માંસ કોઈ તૃણભક્ષી પ્રાણીનું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. તેમજ વનવિભાગે નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા માટે ડોગસ્ક્વોર્ડની પણ મદદ લઈને તપાસ હાથ ધરી છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, આ વિસ્તારમાં ગત તા. ૨૮/૩/૦૭ના રોજ એક સાથે છ સિંહોના શીકારની ઘટના બની હતી. તે સ્થળે વન્ય પ્રાણીના શીકારની ઘટના બનવા વનખાતાની ઘોર બેદરકારી બહાર આવી છે. આ શીકારીઓ જંગલમાં પ્રવેશ્યા કેવી રીતે ? આ શીકારીઓ કયા ઈરાદે અને કેટલા સમયથી જંગલમાં આંફેરા મારતા હશે ? શું તેઓ સ્થાનિક છે કે, પરપ્રાંતિય સહિતના આ બનાવથી અસંખ્ય સવાલો વનખાતા તરફ ઉઠયા છે. સિંહની શીકારી ગેંગ હોય અને આ શીકારીઓ તેમનાં ખોરાક માટે કે, મારણની લાલચ આપવા આ ચિતલનો શીકાર કર્યો હશે ? તેમ જ અગાઉ આ શીકારીઓ કેટલી વખત જંગલમાં પ્રવેશ્યા હશે ? તેવા સવાલો ઉઠયા છે.
ફાયરિંગ કરી ચિતલનો શિકાર કર્યાનું તારણ- ઉનાઃ બાબરીયા રેન્જમાં આવેલ જાળીયા રાઉન્ડ વિસ્તારમાં મોરસુવડા બીટમાં થયેલાં શિકારમાં વન્ય પ્રાણી ચિતલ હોવાનું અને તેની ફાયરિંગથી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ નિકળ્યું છે. બે શિકારીઓમાં એક શિકારી મોટી મૂછોવાળો લાંબો હતો. તેણે ચોરણી અને ખમીસ પહેર્યા હતાં. ખંભે બંદુક રાખી હતી. વન વિભાગે શિકારીઓ સુધી પહાંેંચવા કવાયત હાથ ધરી છે. આ કોઈ સિંહનો શિકાર કરતી ગેંગ હોય અને આ શિકારીઓ સિંહના ખોરાક માટે કે મારણની લાલચ આપવા માટે આ ચિતલનો શિકાર કર્યો હશે ? અગાઉ આ શિકારી ગેંગ કેટલી વખત શિકાર કરી ગઈ ? તે બધી બાબતો તપાસનો વિષય છે. આ વિસ્તારમાં સિંહના શિકારની ઘટના બને તે પહેલા જંગલખાતાના અધિકારીઓ સઘન પગલા લે તેવી વન્યપ્રાણીપ્રેમીઓની માગણી છે.
બોર્ડર વિસ્તારના ગામડાઓમાં તપાસ, શોધખોળ- જૂનાગઢઃ ગિર અભયારણ્યમાંથી ગઈકાલે રાત્રે વન્યપ્રાણીનો શિકાર કરીને માંસનું પોટલુ લઈને જઈ રહેલા બે શખ્સો નાસી છૂટયા બાદ તેને ઝડપી લેવા માટે વનવિભાગે જંગલની બોર્ડર વિસ્તારના ગામડાઓમાં તપાસ શરૃ કરી છે. બોર્ડર વિસ્તારમાં આવતા ગામડાઓમાં ખુંદીને વનવિભાગની ટીમો એ બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી રહી છે. તેમજ ટૂંક સમયમાં બન્ને શખ્સો ઝડપાઈ જશે તેવી આશા પણ ડી.સી.એફ. આર.ડી. કટારાએ વ્યક્ત કરી છે.
વન વિભાગની ચેકપોસ્ટ શોભાના ગાંઠિયા સમાન- ઉના તા.૨૨: માર્ચ ૨૦૦૭માં એક સાથે છ સિંહોના શિકાર માટે કુખ્યાત બનેલી બાબરિયા રેન્જમાં વન્યપ્રાણીનાં રક્ષણમાં કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી. સિંહોનાં શિકારની ઘટના બાદ એક ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. વનવિભાગ દ્વારા કર્મચારીઓને પણ તહેનાત કરાયા છે. પણ તે સાવ નામની જ છે. અહીંથી અનેક વાહનો બેરોકટોક પસાર થઈ  જાય છે. પસાર થતાં વાહનોને અટકાવાતા નથી. અવારનવાર ગેરકાયદે લાયન શો પણ યોજાઈ જાય છે. ચેક પોસ્ટ વિસ્તારમાં કેટલાય નામાંકિત વ્યકિતઓના ફાર્મ હાઉસ પણ આવેલા છે. અવારનવાર મદહોશ પાર્ટીઓ પણ યોજાતી રહે છે. સરકાર એક બાજુ સિહને બચાવવા કરોડો રૃપિયાનું બજેટ ફાળવે છે. બીજી તરફ વન્યપ્રાણીઓની સુરક્ષામાં સાવ લાપરવાહી ચાલે છે.
બાબરીયા રેન્જ વિસ્તારમાં જ છ સિંહોનો શિકાર થયો હતો- જૂનાગઢઃ ગિર અભયારણ્યની બાબરીયા રેન્જમાં ગઈકાલે રાત્રે બનેલી ઘટનાએ ફરી એક વખત પોણા ચાર વર્ષ પહેલા બનેલી સિંહોના શિકારની ઘટનાની યાદ તાજી કરાવી દીધી છે. તા.૩ માર્ચ અને ૩૦ માર્ચ, ર૦૦૭ ના રોજ આ વિસ્તારમાંથી ત્રણ અને ત્રણ મળી કુલ છ સિંહોના અવશેષો મળી આવ્યા હતાં. આ પ્રકરણ બાદ સિંહોના રક્ષણ માટે ખુદ મુખ્યમંત્રીએ ગિર જંગલમાં બેઠક યોજી હતી. અને ત્યાર બાદ કેટલાક પગલા પણ લેવામાં આવ્યા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=248855

રક્ષિત જંગલોથી ભાવનગરના ડઝન પ્રોજેક્ટો ઠપ્પ.

Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 3:20 AM [IST](22/12/2010)
- કરોડો રૂપિયાની યોજનાઓમાં ભોપાલ વન વિભાગની મંજુરીના અભાવે પ્રથમ ગ્રાસે મક્ષિકા
છેલ્લા દાયકામાં રાજ્યમાં વિકાસની હરણફાળ ભરી છે. વિકાસ સંબંધિત કરોડો રૂપિયાના નવા-નવા પ્રોજેક્ટ, યોજનાઓ અમલમાં મૂકાઈ રહી છે ત્યારે કેટલાક પ્રોજેક્ટ શરૂ કરવા વિવિધ સરકારી ડિપાર્ટમેન્ટની મંજુરી લેવી ફરજિયાત બને છે. જેમાં ભાવનગર જિલ્લાના ડઝન જેટલા પ્રોજેક્ટો વન વિભાગની મંજુરી વાંકે અટવાઈ પડ્યાં છે.
રસ્તાના કામો કે, કોઈ મોટી સિંચાઈની યોજના અથવા તો અન્ય કોઈ મોટા પ્રોજેક્ટ અમલમાં આવે તે પહેલા જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. જાણવા મળ્યા મુજબ સાળંગપુર-ગાલા સિંચાઈની યોજનામાં વન વિભાગ ભોપાલની મંજુરીનો મુદ્દો દોઢ દાયકાથી પડતર છે. આ યોજના લાખોમાંથી કરોડોમાં પહોંચી ગઈ છે.
આ સિવાય માર્ગ અને મકાન વિભાગના કેટલાક કામો વન વિભાગની મંજુરીના અભાવે પેન્ડિંગ છે. ભાવનગરથી સિહોર, સોનગઢ, ઢસા અને રાજકોટ સુધીનો માર્ગ, સોનગઢથી પાલિતાણા, વલ્લભીપુરથી ધોળા-રંઘોળા, ગઢડાથી ભડલી, ગારિયાધાર થી નોંઘણવદર, સિહોરથી ટાણા-વરલ, ઘોઘાથી બુધેલ, ઘોઘાથી તણસા, વલભીપુરથી પચ્છેગામ, રતનપુરના રસ્તા કરોડો રૂપિયાના કામો આગળ વધતા નથી.
રાજ્ય સરકાર યોજના મૂકે છે, પણ યોજના આડે રક્ષિત જંગલનો મુદ્દો ઉભો રહ્યો છે. અમુક કિસ્સાઓમાં સંબંધિત વિભાગ પુરે-પુરૂ વળતર ચૂકવી આપવા ઉપરાંત જેટલા વૃક્ષોનું છેદન થાય તેનાથી બમણા ઉછેરી આપવા સહિતની ખાત્રી આપવા છતાં આ કામો આગળ વધી શક્યા નથી.
નોંધનિય છે કે, ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ૫૫ જેટલા આવા પ્રોજેક્ટો મંજુરી વાંકે પડતર છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-cause-of-protected-forest-project-work-stop-1678392.html

આમોદ્રાની સીમમાં કૂવામાં પડેલા દીપડાના બચ્ચાંને બચાવાયું.

Source: ભાસ્કર ન્યૂઝ. ઊના   |   Last Updated 4:02 AM [IST](23/12/2010)
ઊનાનાં આમોદ્રા ગામની સિમમાં આવેલી એક ખેડૂતની વાડીના કુવામાં એક દપિડાનું બચ્ચુ પડી ગયું હોવાની જાણ વનખાતાને થતા આ બચ્ચાને એક કલાકની જહેમતબાદ વનખાતાએ સહી સલામત બહાર કાઢી પાંજરે પુયું હતું.
આ અંગેની જાણવા મળતી વગિત મુજબ તાલુકાનાં આમોદ્રા ગામની સીમમાં રાજાભાઈ થોભણભાઈ જાદવની વાડીનાં કુવામાં એક દપિડાનું બચ્ચુ પડી ગયું હોવાની સવારે જાણ થતા જશાધાર રેન્જના આરએફઓ કે.બિ.મુલાણી સહિતનાં સ્ટાફના મારૂભાઈ, પોપટણીભાઈ લખમણભાઈ ઓડેદરા ટ્રેકર્સવાદી દ્વારા બનાવનાં સ્થળે પહોંચિ ગયા હતા. અને એક કલાકની જહેમત બાદ આ દપિડાનાં બચ્ચાને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુયું હતું. આ અંગે વધુ માહિતી આપતા આરએફઓ મુલાણીએ જણાવ્યું હતું.
આ દપિડાનું બચ્ચુ નર હોય અને તેમની ઉંમર અંદાજે બે માસની છે. તેમજ આ બચ્ચુ કુવામાં એકાદ બે દિવસથી પડી હોવાનું તારણ કાઢવામાં આવેલું હતું. અને જે કુવામાં દપિડાનું બચ્ચુ પડયું હતું ત્યાં તેમની મા તેમને શોધવા આવી હોવાનાં સગડ દેખાતા હતા અને આ દપિડાનાં બચ્ચાને તેમની મા સાથે મેળાપ કરાવવાના સમયે કુવા પાસે પીજરૂ મુકવામાં આવશે અને ત્યાં તેમની મા અને તેમની પણ એક પરિભાષા હોય છે. ત્યારબાદ આ દપિડાને છોડી મૂકવામાં આવશે આથી આમોદ્રા પંથકમાં વ્યાપક રંજાડ હોવાથી દપિડાઓને પાંજરે પુરવા ગ્રામજનોમાંથી માંગણી ઉઠવા પામેલ છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-1072213-1682193.html

ગીરના જંગલમાં ચિત્તલનો શિકાર.

Source: ભાસ્કર ન્યૂઝ. ઊના   |   Last Updated 4:46 AM [IST](23/12/2010)
સિંહનો શિકાર થયો હતો એ જ વિસ્તાર ફરી નશિાન બન્યો
ગીરના જંગલમાં ચાર વર્ષ પહેલા સિંહોનો શિકાર થયા બાદ શિકારીઓએ ફરીથી એ જ વિસ્તારનો નશિાન બનાવ્યો છે. ગઈકાલે સાંજેના અરસામાં બ શખ્સોએ બંદૂર વડે ચિત્તલનો શિકાર કર્યો હતો. જો કે, તેઓ ચિત્તલનું માંસ પોટલામાં બાંદીને લઈ જતા હતા એ જ વખતે વનવિભાગની નજરે ચઢી જતાં માંસનું પોટલું ફેંકી નાસી છુટયા હતા. બનાવ અંગે વનવિભાગે ગુનો નોંધી શિકારીઓનું પગેરૂં દબાવ્યું છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગીર અભ્યારણ્યની બાબરીયા રેન્જનો સ્ટાફ ગઈકાલે મચ્છુન્દ્રી ડેમ નજીક ઝાંખીયા રાઉન્ડની મોરસુપડા બીટ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો એ વખતે બે શખ્સો જંગલમાં ખભે પોટલું ઉંચકીને જતા જોવા મળ્યા હતા. અડાબીડ જંગલ વચ્ચેથી જતા અજાણ્યા શખ્સોને જોઈ વનકર્મચારીઓ તેમની પાછળ જતાં તેઓને ખ્યાલ આવી જતાં પોટલું ત્યાં જ મુકીને નાસી ગયા હતા. વનકર્મીઓએ જઈને તપાસ કરતા પોટાલાંમાંથી શિકાર કરાયેલા પ્રાણીનું માંસ મળી આવ્યું હતું. પ્રાણીને બંદૂક વડે મારવામાં આવ્યાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જો કે, શિકારીઓ નાસી છુટયા હતા. બનાવ અંગે બાબરીયા રેન્જ ઓફિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને ૪ વર્ષ પહેલા જયાં સિંહોની હત્યા થયેલી એ જ મોર સુપડા બીટમાં ફરી શિકારીઓએ ઘુસીને શિકાર કરતા વનતંત્ર દોડતું થઈ ગયું છે. માંસનું પોટલું પોપટડી નેસ નજીક ત્રિવેણી તરીકે ઓળખાતા વિસ્તારનાં જંગલમાં નદીનાં કાંઠે ફેંકીને નાસી છુટયા હતા. બનાવ અંગે વનવિભાગે પોલીસને જાણ કરવા સાથે સઘન ચેકÃગ શરૂ કયું છે.
ડોગ સ્કવોડ બોલાવાઈ
નાસી છુટેલા શિકારીઓનું પગેરૂં દબાવવા વનવિભાગે ગીરગઢડા પોલીસ મથકમાં જાણ કરી ડોગ સ્કવોડની મદદ માંગી છે.
અગાઉ બાતમી મળી હતી ?
ગીરનાં જંગલમાં શિકારી ટોળકી ઘુસી હોવાની વનવિભાગને બાતમી મળ્યાનો અહેવાલ થોડા દિવસો પહેલાં ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ થયો હતો.
ગીર પશ્ચિમ વિભાગમાં આવતી બાબરીયા રેન્જમાં તા.૨૮ માર્ચ ૨૦૦૭ નાં રોજ સિંહોનાં શિકારની ઘટના બાદ નવી ચેકપોષ્ટ બનાવાઇ હતી. ત્યાંથી પસાર થતા વાહનો, શંકાસ્પદ વ્Ûિકતઓની અવરજવર પર નજર રાખવા અને નોંધ રાખવા ૨૪ કલાક કર્મચારીઓની વ્યવસ્થા પણ કરાઇ છે.
ગીરગઢડાથી જામવાળા જતા આ રોડ ઉપર દિવસ દરમ્યાન અસંખ્ય વાહનો પસાર થાય છે. પરંતુ નોંધ જૂજ વાહનોની જ થાય છે. બાકીનાં બેરોકટોક પસાર થઇ જાય છે. ચેકપોષ્ટની આસપાસ અનેક નામાંકિત લોકોનાં ફાર્મહાઉસો છે. જયાં રાત્રે અનેક પાર્ટીઓ થતી હોય છે. પરંતુ તેમાં આવતા લોકોની કયારેય નોંધ થતી નથી. સરકાર સિંહોની સુરક્ષા માટે કરોડોનું બજેટ ફાળવે છે. પરંતુ વનકર્મીઓ તેની અમલવારી ફકત કાગળ ઉપર જ કરે છે.
શિકારીએ ચોરણો પહેર્યો’તો મોરસુપડા બીટનાં સ્ટાફે પેટ્રોલિંગ વખતે જોયેલા શિકારી પૈકી એક શખ્સ લાંબો, ખભે બંદૂક, ચહેરા ઉપર મોટી મૂછો અને ચોરણો પહેર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-1072305-1682224.html

ગીરના ૯૦૦ ખેડૂતો જૈવિક ખેતીથી કેરીનું ઉત્પાદન કરશે.

Source: ભાસ્કર ન્યૂઝ. તાલા�   |   Last Updated 4:21 AM [IST](23/12/2010 તાલાલામાં રાજ્ય બાગાયત મશિન અંતર્ગત જૈવિક ખેતી અંગે શિબિર યોજાઇ
રાસાયણિક દવાના અતિરેકથી બાગાયતી પાકનાં વૃક્ષો અને જમીનની સાથે માનવ આરોગ્યને નુકશાન થઇ રહ્યાંની ચેતવણી સામે હવે ગુજરાતનાં ખેડૂતોમાં રાજ્ય સરકારનાં બાગાયત મશિન અંતર્ગત જાગૃતિ આવી છે. અને ખેડૂતો ઉત્સાહભેર ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા (ગીર) પંથકનાં ૯૦૦ ખેડૂતો ઓર્ગેનિક પધ્ધતિથી આંબાનો ઉછેર કરી કેસર કેરીનું ઉત્પાદન કરવા તૈયાર થયા છે.
ગુજરાત સરકાર ૫૦૦૦ હેકટર વિસ્તારમાં ઓર્ગેનિક બાગાયતી ખેતી ખેડૂતો દ્વારા થાય તે માટે પ્રયત્નશીલ છે. આ માટે એગ્રીકલ્ચરલ ફાયનાન્સ કોર્પોરેશને ખેડૂતોને તાલિમ આપવા અને જરૂરી સુવિધા માર્ગદર્શન અને નિ:શુલ્ક જૈવિક કલ્ચર આપવા ઇન્ટરનેશન ટ્રેસીબીલીટી સીસ્ટમ લી. દિલ્હી સાથે એમ. ઓ. યુ. કરેલો છે.
જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને ગીર અને ઊના તાલુકામાં કેસર કેરીનું ઉત્પાદન વિશેષ થાય છે. આ પ્રોજેકટમાં ગીરનાં ૯૦૦ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. તાલાલામાં લોહાણા મહાજન વાડી ખાતે આજે ધાવા, રમરેચી, ગલિયાવાડ અને તાલાલાના ૧૭૦ ખેડૂતોને ઓર્ગેનિક પધ્ધતીથી કેસર કેરીનું ઉત્પાદન કરવા અંગે તાલીમ આપી નિષ્ણાંતોએ પ્રશ્નોતરી સાથે માર્ગદર્શન આપ્યું હતું. હજુ એક અઠવાડીયા સુધી જુદા-જુદા ગ્રુપ વાઇઝ ગામોમાં ખેડૂતોને તાલીમ અપાશે. કુલ ૯૦૦ ખેડૂતોના ખેતર બગીચાનો સર્વે થયો છે.
આ તાલિમ શિબિરમાં ખેતીવાડી વિભાગના ભૂતપૂર્વ જોઇન્ટ સેક્રેટરી અને આઇ.ટી.એસ. ગાંધીનગર શાખાનાં મુખ્ય સલાહકાર પી. એમ. અંસારી, દિલ્હીનાં સીનીયર એડવાઇઝર કે. એલ. વ્યાસ, દિલ્હીનાં ઓર્ગેનિક હેડ વાય. પી. સિંઘ, જુનાગઢ કૃષિ યુનિ.નાં નિવૃત પ્રોફેસર શામજીભાઈ ઉસદડીયા, રમરેચીનાં ખેડૂત કુરેશીભાઈ નાયબ માહિતી નિયામક કે. વી. ભગોરા તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. ઓર્ગેનિક ખેતીથી તૈયાર થનાર કેરી આરોગ્ય માટે પણ લાભપ્રદ છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-1072241-1682206.html

...ને સિંહયુગલને સંવનન પડતું મૂકવું પડ્યું.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:42 AM [IST](23/12/2010)
- ધારીના ગઢિયા પાસે પ્રણયક્રીડા દરમિયાન
- જવલ્લે જ બનતી ઘટનાથી વનવિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત
ગીર જંગલના સાવજો જ્યારે સંવનન કરે છે ત્યારે ત્રણથી ચાર દિવસ સુધી મેટિંગ ચાલે છે. સિંહયુગલ દિવસમાં અવારનવાર સંવનન કરે છે. ધારીના ગઢિયામાં સિંહયુગલ સંવનનમાં વ્યસ્ત હતું ત્યારે દીપડાનું બચ્ચું તેમાં બાધારૂપ બનતા સિંહે દીપડાના બચ્ચાને તો ખતમ કરી નાખ્યું. પરંતુ, આ ઘટના બાદ તેમની પ્રણયક્રિડા અવરોધાઇ ગઇ અને બન્નેએ સવનન પડતું મૂકી દીધાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.
ધારીના ગઢિયાની સીમમાં ગત શનિવારે વહેલી સવારે સિંહે દીપડાના છ માસના બચ્ચાને ખતમ કરી નાખ્યું હતું. ગઢિયાની સીમમાં આ ઘટનાના બે દિવસ અગાઉથી સિંહયુગલ પ્રણયક્રિડામાં વ્યસ્ત હતું. ગામના લોકો સીમમાં સિંહયુગલની પ્રણયક્રિડા સારી રીતે જાણકાર હતા. જ્યારે, સિંહયુગલ સંવનનમાં વ્યસ્ત હોય છે ત્યારે ભારે આક્રમક મિજાજમાં પણ હોય છે તેની પ્રણયક્રિડામાં કોઇ પણ પ્રકારનો અવરોધ આ યુગલ સહન કરી શકતું નથી. તેમાંયે દીપડા જેવા પ્રતસ્પિધીઁ પ્રાણીનો અવરોધ તો તે ક્યાંથી સહન કરી શકે. એટલે જ તો સંવનનમાં બાધારૂપ બનનાર દીપડાના બચ્ચાને સિંહે ખતમ કરી નાખ્યું હતું.
પરંતુ, આ ઘટનાએ સિંહયુગલની પ્રણયક્રિડામાં અવરોધ ઊભો કર્યો છે. સામાન્ય રીતે તેમની પ્રણયક્રિડા ચારેક દિવસ સુધી ચાલતી હોય છે. પરંતુ, દીપડાના બચ્ચાની બાધા બાદ તેમની પ્રણયક્રિડા અટકી ગઇ છે. સિંહયુગલે તેમનું સંવનન અટકાવી દીધું છે. બલકે, આ ઘટના બાદ આ સિંહયુગલ સીમમાં નજરે જ નથી પડતું. સામાન્ય સંજોગોમાં પ્રણયક્રિડા વખતે સિંહયુગલ તે જ વિસ્તારમાં પોતાની મસ્તીમાં રહે છે. આ દિવસોમાં શિકાર કરી પેટ ભરવાની કડાકૂટમાં પણ સિંહપડતો નથી. પરંતુ, અહીંથી તો સિંહ-સિંહણે ચાલતી પકડી છે.
જંગલખાતાના સ્ટાફ તથા વન્ય સૃષ્ટિના જાણકાર લોકોને આ ઘટનાની આશ્ચર્ય થયું છે. અલબત્ત, અમુક જાણકાર લોકો એવી પણ ધારણા લગાવી રહ્યા છે કે બે દિવસમાં જ સિંહયુગલનું સંવનન પૂર્ણ થઇ ગયું હોવું જોઇએ અને એટલે જ બન્નેએ પોતપોતાના રસ્તે ચાલતી પકડી હશે. સંપૂર્ણ વાસ્તવિકતા શું છે તે જાણવાના માપદંડ કોઇના પાસે નથી !
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-couple-is-not-having-full-wooing-to-came-leopard-1679885.html