Saturday, October 31, 2015

દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષવા પ્રયાસ થયો શરૂ

DivyaBhaskar News Network

Oct 31, 2015, 06:15 AM IST
જૂનાગઢ ઐતિહાસીક નગરી છે. જૂનાગઢમાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે દેશ-વિદેશનાં પ્રવાસીઓને વધુ આકર્ષી શકાય તે માટે ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ડિસેમ્બર માસનાં અંતિમ સપ્તાહમાં ગિરનારોત્સવ યોજાશે. જેની તૈયારી માટે આગામી તા. 2 નવેમ્બરે કલેક્ટર કચેરીમાં મિટીંગ યોજાશે.

જૂનાગઢનાં ભવનાથમાં યોજાતા શિવરાત્રીનાં મેળા અને ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. તેમજ રજા અને વેકેશનનાં દિવસોમાં પણ જૂનાગઢમાં પ્રવાસીઓ આવતા રહે છે. જૂનાગઢનો પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ કરી શકાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવે તે માટે ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ભવનાથ, દામોદર કુંડ, ગિરનાર પર્વત પર અંબાજી માતા, ગુરૂ દતાત્રેય, વગેરે ધાર્મિક સ્થળો તેમજ ઉપરકોટ, મહોબ્બત મકબરા, બૌદ્ધ ગુફા, અશોકનો શિલાલેખ જેવા ઐતિહાસીક તથા પ્રાચીન સ્મારકો આવેલા છે.

તેમજ જૂનાગઢની આજુબાજુનાં વિસ્તારોને આવરી લઇ મહોત્સવ યોજવામાં આવશે. આગામી ડિસેમ્બર માસનાં અંતિમ સપ્તાહમાં ગિરનારોત્સવ યોજાશે. ગિરનારોત્સવમાં સ્વચ્છ ભારત અભિયાન કલ્ચરલ પ્રોગ્રામ અને પરેડ જેવી જુદી-જુદી એક્ટિવીટીને સાંકળી લેવામાં આવે છે. હાલ ગિરનારોત્સવને લઇ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેને લઇ આગામી તા. 2 નવેમ્બરે કલેક્ટર કચેરીમાં બેઠક યોજાશે. જેમાં ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બરનાં અંતમાં ગિરનારોત્સવ

ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પાણીની તંગી સર્જાશે

DivyaBhaskar News Network

Oct 31, 2015, 06:10 AM IST
ગિરનારનીલીલી પરિક્રમા આગામી 22 નવેમ્બરથી શરૂ થઇ રહી છે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ચાલુ વર્ષે અોછા વરસાદનાં કારણે જંગલમાં કુદરતી પાણીનાં સ્ત્રોત ઓછા છે. પરિણામે પરિક્રમામાં પાણીની તંગી સર્જાશે. એવી રજૂઆત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટરે કરી છે.

ગિરનારની લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢિયારે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી કહ્યું હતું કે, ગતવર્ષની સરખામણીએ પીવાનાં પાણીની તંગી છે. ત્યારે વન વિભાગ હસ્તકનાં પાણીનાં બોર ચાલુ કરવા જોઇઅે. પરિક્રમામાં ત્રણ ઘોડી વિકટ છે. જગ્યાએ પાણી અને દવાની વ્યવસ્થા કરવી જોઇએ. પરિક્રમાનો સમગ્ર રૂટ તાત્કાલિક રીપેર કરવો જોઇએ. પરિક્રમામાં આવતી સેવાકીય સંસ્થાને એકજ જગ્યાઅેથી પરમીટ મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. અને પાણીની વ્યવસ્થા પણ કરી દેવી જોઇએ. પરિક્રમા રૂટ પર રાત્રી રોકાણની મુખ્ય જગ્યાઓ પર સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા કરવી જેથી કરીને યાત્રાળુની સલામતી જળવાઇ રહે.

લોકો વન્ય સંપદાને નુકસાન કરે તે માટે સુત્રો લખવા જોઇએ. તેમજ તમામ તૈયારીઅો પૂર્ણ થયા બાદ વહિવટી તંત્ર, વન વિભાગ, સાધુ-સંતો, સામાજીક સંસ્થાઓ, રાજકીય પ્રતિનિધીઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવું જોઇએ. તેમજ જે ભયજનક ઘોડીઓ છે ત્યાં દુર્ઘટના સર્જાય તે માટે બંદોબસ્ત ગોઠવવો જોઇએ.

2જી નવેમ્બરે પરિક્રમાને લઇ બેઠક

ગિરનારનીપરિક્રમાને લઇ તૈયારીઓ ચાલી રહી છે. યાત્રાળુઓની સુખાકારી તેમજ સુવિધા માટે આયોજન થઇ રહ્યું છે. જેને લઇ તા. 2 નવેમ્બરનાં રોજ કલેક્ટર કચેરીમાં એક મિટીંગનું આયોજન કરાયું છે.

ભાવનગરનાં યાત્રાળુનું ગિરનાર જંગલમાં મોત ભાવનગરનાં યાત્રાળુનું ગિરનાર જંગલમાં મોત

DivyaBhaskar News Network

Oct 30, 2015, 06:15 AM IST
ગિરનારજંગલનાં અસાયબાપીરની જગ્યાની બાજૂ માંથી ભાવનગર જિલ્લાનાં યાત્રાળુનો મૃતદેહ મળી આવ્યો હતો.ભવનાથ પોલીસે તેનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.

ગિરનાર જંગલમાં આવેલા અસાયબાપીરની જગ્યાથી 200 મીટર અંદર જંગલમાં મૃતદેહ પડયાની જાણ ભવનાથ પોલીસને જતા પીએસઆઇ એસ.બી.પરમાર અને સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તપાસ કરતા મૃતક ભાવનગર જિલ્લાનાં પાલડી ગામનાં ગોયાણી ધરમસીભાઇ હરજીભાઇ હોવાની જાણા મળ્યુ હતુ.પોલીસ તેના પરિવાર જનનો સંર્પક કરી જાણ કરી હતી.તેમજ કયા કારણે મોત થયુ તેની તપાસ હાથ ધરી હતી.

ગીર અભયારણમાં હવે 100 ટકા ઓનલાઇન બુકીંગ થશે

DivyaBhaskar News Network

Oct 28, 2015, 04:00 AM IST
ગીરનેશનલ પાર્ક ઓથોરીટી દ્વારા આગામી તા.1 લી નવેમ્બરે 100 ટકા ઓનલાઇન બુકીંગ કરી શકે તેવી સુવિધા પૂરી પાડી હતી. કેમકે મુલાકાતીઓને બુકીંગમાં પરેશાની થતી હતી પગલાને ધ્યાને લઇ વન વિભાગે આયોજન કર્યુ છે.

એશીયાઇ સિંહોની વાસહત ધરાવતા ગીર અભ્યારણની સુવિધમાં વધારો કર્યો હતો. જેમાં ગીર નેશનલ પાર્ક ઓથોરીટી દ્વારા અભ્યારણની સવારની વહેલી (6 થી 9 કલાકની) ટ્રીપ માટે 100 ટકા ઓનલાઇન બુકીંગ કરી શકશે. પહેલા 50 ટકા સુવિધા આપવામાં આવતી હતી. જેમાં વધારો કરવામાં આવ્યો હતો. ગીર પંથકમાં દેશ વિદેશથી સિંહ દર્શન માટે લાખો સહેલાણીઓ આવતા હોય છે અને તાજેતરમાં એક ખુલાસો થયો હતો કે અભ્યારણમાં કાળાબજાર થાય છે. મુલાકાતીઓ પાસેથી મસમોટી ફી લઇ તેમને કાળા બજારીયાઓ લૂંટી રહ્યા છે અને ચાર્જ કરતા વધુ ચાર્જ ચૂકવવો પડે છે. સાસણ આવતા ટૂરીસ્ટો લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમંથી મૂક્તિ મળશે અને જરૂરી ડોક્યુમેન્ટની માહિતી ઓનલાઇન મૂકી શકશે તેમવન્યપ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું.

ગિરનારમાં લીલી પરિક્રમા માટેની તૈયારીઓ માટે બેઠક

DivyaBhaskar News Network

Oct 28, 2015, 04:00 AM IST
જૂનાગઢનાંગિરનારમાં લીલી પરિક્રમા માટે લાખો યાત્રાળુઓ અવર જવર કરતા હોય છે. ત્યારે અા કાર્યક્રમની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે તા. 30નાં રોજ અધિકારીઓની બેઠક મળશે. અને તા. 22 નવેમ્બરે લીલી પરિક્રમાં પ્રવાસીઓ માટે પ્રારંભ કરાશે.

જૂનાગઢનાં ગરવા ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમાં તા. ૨૨ થી શરૂ થનાર છે. પરિક્રમામાં દર વર્ષે લાખો યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે માટે આગામી સમયમાં માટેની પ્રક્રિયા કરવામાં આવશે. લીલી પરીક્રમાનાં સુચારૂ આયોજનાર્થે વિવિધ ખાતા- કચેરીઓનો લગત કામગીરીના આયોજનાર્થે અને અમલીકરણ સંબંધે કલેક્ટર આલોકકુમારનાં અધ્યક્ષ સ્‍થાને કલેકટર કચેરીનાં મીટીંગ હોલમાં તા. 30નાં રોજ 11:30 કલાકે બેઠક યોજાશે. બેઠકમાં લીલી પરિક્રમાં સંલગ્ન વિભાગોનાં અમલીકરણ અધિકારીઓએ તેમનાં વિભાગને લગત આધુનિક માહિતી સાથે બેઠકમાં ઉપસ્‍થિત રહેવા માટે અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી આર.જી.જાડેજાની યાદીમાં જણાવાયુ છે

સક્કરબાગની જેમ ભોપાલમાં લાયન સફારી, સિંહો મોકલાશે

DivyaBhaskar News Network

Oct 28, 2015, 03:55 AM IST
જૂનાગઢમાંસક્કરબાગ ઝુનાં નર-માદા સિંહોની જોડીને મધ્યપ્રદેશનાં પાટનગર ભોપાલ ખાતેનાં સફારી પાર્કમાં મોકલવામાં આવનાર છે. ભોપાલનાં વન વિહાર ખાતે માટે ખાસ 20 હેક્ટરનો વિસ્તાર ખાસ લાયન સફારી માટેજ સુનિશ્ચિત કરાયો છે. જેમાં લોકો જીપમાં બેસીને વિહરતા સિંહોને નિહાળી શકે. મધ્યપ્રદેશનાં વનવિભાગે સમાચારને પુષ્ટિ આપી છે. જ્યારે ગુજરાતનો વનવિભાગ બાબતે મૌન સેવી રહ્યો છે.

મધ્યપ્રદેશ વનવિભાગનાં વડા નરેન્દ્રકુમારે અંગેની માહિતી આપી હતી. જેમાં જણાવાયું હતું કે, ભોપાલ સ્થિત 445 હેક્ટરમાં પથરાયેલા વન વિહાર નામનાં સફારી પાર્કમાં ખાસ લાયન સફારી શરૂ કરવા માટે 20 હેક્ટર વિસ્તારને ખાસ લાયન સફારી માટે તૈયાર કરાયો છે. જેમાં લોકો જીપમાં બેસીને સિંહોને નિહાળી શકે. અહીં જૂનાગઢનાં સક્કરબાગ ઝુમાંથી નર-માદા સિંહોની જોડી મોકલવામાં આવનાર છે. માટે બંને રાજ્યોનાં વનવિભાગે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી પાસે મંજૂરી માંગી હતી. જેને મંજૂરી આપી દેવાઇ છે. અંગે નરેન્દ્રકુમારે કહ્યું હતું કે, આગામી મહિને સિંહો ભોપાલનાં વન વિહારમાં જોવા મળી શકશે. જોકે, મામલે ગુજરાતનું વનવિભાગ મૌન સેવી રહ્યું છે. અા વાતને પુષ્ટિ પણ નથી આપી તો નકારી પણ નથી. સેન્ટ્રલ ઝુ ઓથોરિટીએ જોકે, મંજૂરી ગત વર્ષેજ આપી દીધી હોવાનું પણ મ.પ્ર.નાં વનવિભાગે જણાવ્યું હતું.

પરમીટ માટે 100 ટકા ઓન લાઇન બુકીંગ

Bhaskar News, Talala

Oct 27, 2015, 00:17 AM IST

પરમીટ માટે 100 ટકા ઓન લાઇન બુકીંગ

પ્રવાસીઓને લાઇનમાં ઉભા રહેવા છતાં પરમીટ મળશે કે કેમ તે અંગે મુશ્કેલી પડતી હોય ગીર ઓથોરીટી સમિતીની તાકીદની મળેલી બેઠકમાં સિંહ દર્શન માટે સવારનાં 6 થી 9 ની ટ્રીપનું 100 ટકા બુકીંગ 1 નવેમ્બરથી ઓનલાઇન કરવાનો નિર્ણય લેવાયો હતો. વન વિભાગની WWW.girlion.inની સાઇટમાંથી તા.27 નાં મધરાતથી ઓનલાઇન બુકીંગ કરી શકાશે એમ ડો.સંદિપકુમારે જણાવ્યું હતું.

ઝુનાં ડેપ્યુટી ડાયરેક્ટર અને વેટરનરી તબીબ મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે

DivyaBhaskar News Network

Oct 26, 2015, 06:10 AM IST
ઝુનાં ડેપ્યુટી ડાયરેક્ટર અને વેટરનરી તબીબ મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે

કિસન પરમાર. જૂનાગઢ

જૂનાગઢનાંસક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ વિદેશમાં મોકલવામાં આવે છે. ત્યારે યુરોપનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાંથી બે પ્રતિનિધિઓ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે. તેમજ ગીરનાં સિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ રહેશે કે કેમ તે અંગે મેડીકલ તપાસ કરશે.

જૂનાગઢ વર્ષોથી ગુજરાતની તેમ દેશની પ્રતિષ્ઠામાં વધારો કરતું રહ્યું છે. ઐતિહાસિક નગરી હોવાની સાથે સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એકમાત્ર વસવાટ સ્થળ ગીર જંગલ દેશ-વિદેશનાં પર્યટકો માટે આકર્ષકરૂપ રહ્યું છે. તેમાં પણ જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ મુજબ દેશનાં તેમજ વિદેશનાં પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવતા હોય છે. અને અન્ય દેશ કે ભારત દેશનાં અલગ-અલગ પ્રાણી સંગ્રહાલયનાં પ્રાણીને સક્કરબાગમાં લાવવામાં આવે છે. ત્યારે ફરી એકવાર ગીર સિંહને વિદેશમાં લઇ જવાની તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત યુરોપ ખંડનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાં સ્થિત સેન્ટ્રલ ઝુનાં ડેપ્યુટી ડિરેક્ટર તથા વેટરનરી તબીબ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેશે અને ગીર સિંહો વિશે સક્કરબાગનાં તબીબો પાસે માહીતી મેળવશે. ઉપરાંત તેમનાં તરફથી પણ મેડીકલ ચકાસણી કરશે અને ગીરસિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ આવશે કે કેમ તેનો ખોરાક, રહેણી-કરણી તેમજ અન્ય તમામ આરોગ્યને લગતી બાબતોની ચકાસણી કરશે અને જોકે, પ્રથમ સીધા સાસણ પ્રવાસમાં જતા રહ્યા છે. અગાઉ પણ સક્કરબાગ સગ્રહાલયદ્વારા પ્રાણીઓનાં વિનિમય કરવામાં આવ્યો છે. જે હેઠળ ગીર સિંહોને વિદેશ મોકલવામાં આવ્યા છે.

ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ

DivyaBhaskar News Network

Oct 26, 2015, 06:10 AM IST
ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ

મકવાણા ભાવિક, ગોપાલ વઘાસિયા. જૂનાગઢ

જૂનાગઢજિલ્લાનાં કેશોદ તાલુકામાં રહેતા ખેડૂતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી ચક્લીને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તેઓએ ચકલીનાં ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ હતુું. તેમજ ગાયનાં છાણમાંથી 1000 ચકલીનાં માળા બનાવી વિતરણ કર્યુ હતુુું.

જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નિવાસી અર્જૂનભાઇ મોહનભાઇ પાધડાર ખેડૂત છે. પણ તેઓએ પર્યાવરણને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. ચક્લીઓ પ્રત્યેનાં પ્રેમને કારણે તેઓએ મોબાઇલ ચબૂતરો અને છાણાનો માળો બનાવ્યો છે. આશરે બે વર્ષનાં ટૂંકાગાળામાં 9000 જેટલા મોબાઇલ ચબૂતરાનું નિ:શુલ્ક વિતરણ કર્યુ છે. તેમજ 1000 જેટલા છાણાનો માળો બનાવી વિતરણ કર્યું હતું. તેઓ પર્યાવરણનાં જતન માટે પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ તો સર્જનાત્મક વિચારોને કારણે તે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તું બનાવવામાં માહેર છે. જેમાં પ્લાસ્ટિકની બોટલમાં મોબાઇલ ચબૂતરો બનાવ્યો અને ગાયનાં છાણમાંથી ચક્લીનો માળો બનાવ્યો હતો.

યુરોપે કરી ગીરનાં સાવજોની માંગ, મંગળવારે પ્રાગની ટીમ જૂનાગઢમાં

યુરોપે કરી ગીરનાં સાવજોની માંગ, મંગળવારે પ્રાગની ટીમ જૂનાગઢમાં
  • DivyaBhaskar News Network
  • Oct 26, 2015, 06:10 AM IST
સિંહને ત્યાં વાતારણ અનુકૂળ આવશે કે કેમ ? તેની તપાસ થશે

કિસન પરમાર. જૂનાગઢ

જૂનાગઢનાંસક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ વિદેશમાં મોકલવામાં આવે છે. ત્યારે યુરોપનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાંથી બે પ્રતિ નિધિઓ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે. તેમજ ગીરનાં સિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ રહેશે કે કેમ તે અંગે મેડીકલ તપાસ કરશે.

જૂનાગઢ વર્ષોથી ગુજરાતની તેમ દેશની પ્રતિષ્ઠામાં વધારો કરતું રહ્યું છે. ઐતિહાસિક નગરી હોવાની સાથે સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એકમાત્ર વસવાટ સ્થળ ગીર જંગલ દેશ-વિદેશનાં પર્યટકો માટે આકર્ષકરૂપ રહ્યું છે. તેમાં પણ જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ મુજબ દેશનાં તેમજ વિદેશનાં પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવતા હોય છે. અને અન્ય દેશ કે ભારત દેશનાં અલગ-અલગ પ્રાણી સંગ્રહાલયનાં પ્રાણીને સક્કરબાગમાં લાવવામાં આવે છે. ત્યારે ફરી એકવાર ગીર સિંહને વિદેશમાં લઇ જવાની તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત યુરોપ ખંડનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાં સ્થિત સેન્ટ્રલ ઝુનાં ડેપ્યુટી ડિરેક્ટર તથા વેટરનરી તબીબ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેશે અને ગીર સિંહો વિશે સક્કરબાગનાં તબીબો પાસે માહીતી મેળવશે. ઉપરાંત તેમનાં તરફથી પણ મેડીકલ ચકાસણી કરશે અને ગીરસિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ આવશે કે કેમ તેનો ખોરાક, રહેણી-કરણી તેમજ અન્ય તમામ આરોગ્યને લગતી બાબતોની ચકાસણી કરશે અને જોકે, પ્રથમ સીધા સાસણ પ્રવાસમાં જતા રહ્યા છે. અગાઉ પણ સક્કરબાગ દ્વારા પ્રાણીઓનાં વિનિમય કરવામાં આવ્યો છે. જે હેઠળ ગીર સિંહોને વિદેશ મોકલાયા છે. જૂનાગઢ સક્કરબાગમાંથી વિશ્વનાં મોટા ભાગનાં ઝૂમાં સિંહ મોકલવામાં આવ્યા છે.

ભાસ્કર અેક્સક્લૂિઝવ

ચાલુ વર્ષમાં પાંચ સિંહોને અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલાયા

સક્કરબાગપ્રાણીસગ્રહાલય દ્વારા એક વર્ષમાં 5 સિંહને રાજ્યનાં તેમજ આંતરરાજ્ય પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ નરસિંહ અને બે માદાનો સમાવેશ થાય છે.

વિસાવદરનાં મોટી પીંડીખાઇમાં સાવજોએ કર્યા 4 ગાયનાં શિકાર


વિસાવદરનાં મોટી પીંડીખાઇમાં સાવજોએ કર્યા 4 ગાયનાં શિકાર

  • DivyaBhaskar News Network
  • Oct 26, 2015, 06:10 AM IST
વિસાવદરનાંમોટી પીંડીખાઇમાં મધરાતનાં પાંચ સિંહોએ ગામમાં પ્રવેશી ચાર ગાયનો શિકાર કર્યો હતો. જયારે એક ગાયને ભરવાડે સામનો કરી બચાવી લીધી હતી.

વિસાવદરનાં મોટી પીંડીખાઇમાં મધરાતનાં પાંચ સિંહોએ ગામમાં પ્રવેશી ભરવાડ નારણભાઇ લીંબાભાઇ જાખડાનાં મકાનનાં વંડામાં ત્રાટકી એક પછી એક એમ ત્રણ ગાય અને એક વાછરડાને મોતને ઘાટ ઉતાર્યા હતાં. ગાયોનાં ભાંભરવાનાં અવાજથી નારણભાઇ જાગી ગયેલ અને ગોફણ, લાકડીથી સિંહો પાછળ દોટ મુકી એક ગાયને મોતનાં મુખમાંથી બચાવી લીધી હતી. બનાવનાં પગલે વન તંત્રનાં સ્ટાફે સ્થળ પર રોજકામ કરી ચારેય મારણને ભરી જંગલમાં લઇ ગયા હતાં. રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવર-જવર વધી હોય વન તંત્ર દ્વારા પુરતું પેટ્રોલીંગ ગોઠવાય એવી લોકોમાંથી માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાની પશુઓનાં ગામમાંથી હુમલાનાં બનાવો વધી રહ્યાં છે ત્યારે ગ્રામજનોમાં ભય જોવા મળે છે.

સદનસીબે એક ગાયનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. }વિપુલ લાલાણી

એક ગાયને ભરવાડે મોતનાં મુખમાંથી બચાવી

જૂનાગઢ: પર્યાવરણપ્રેમી ખેડૂત ચક્લી માટે બનાવે છે છાણાનો માળો


જૂનાગઢ: પર્યાવરણપ્રેમી ખેડૂત ચક્લી માટે બનાવે છે છાણાનો માળો

  • Bhavik Makvana, Gopal Vaghasiya, Junagadh
  • Oct 26, 2015, 00:02 AM IST
- કેશોદનાં ખેડૂતનો નવતર પ્રયોગ, વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુ બનાવી
- ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં રહેતા ખેડૂતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી ચક્લીને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તેઓએ ચકલીનાં ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ હતું. તેમજ ગાયનાં છાણમાંથી 1000 ચકલીનાં માળા બનાવી વિતરણ કર્યુ હતું.

 જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નિવાસી અર્જૂનભાઇ મોહનભાઇ પાધડાર ખેડૂત છે. પણ તેઓએ પર્યાવરણને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. ચક્લીઓ પ્રત્યેનાં પ્રેમને કારણે તેઓએ મોબાઇલ ચબૂતરો અને છાણાનો માળો બનાવ્યો છે. આશરે બે વર્ષનાં ટૂંકાગાળામાં 9000 જેટલા મોબાઇલ ચબૂતરાનું નિ:શુલ્ક વિતરણ કર્યુ છે. તેમજ 1000 જેટલા છાણાનો માળો બનાવી વિતરણ કર્યું હતું. તેઓ પર્યાવરણનાં જતન માટે પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ તો સર્જનાત્મક વિચારોને કારણે તે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તું બનાવવામાં માહેર છે. જેમાં પ્લાસ્ટિકની બોટલમાં મોબાઇલ ચબૂતરો બનાવ્યો અને ગાયનાં છાણમાંથી ચક્લીનો માળો બનાવ્યો હતો.

ચક્લી આપણી સાથે રહેવા ટેવાયેલી છે

ચકલીએ આપણી સાથે સાથે રહેવા ટેવાયેલું પ્રાણી છે. તેને દૂષિત પર્યાવરણથી બચાવી ઘરમાં તેનો મીઠો ટહુકાર સંભળાય તો કુદરત સાથે હોય તેવી લાગણી થાય.
- અર્જૂનભાઇ પાઘડાર, ખેડૂત

રાષ્ટ્રપતિ  એવોર્ડ એનાયત

દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ એકઝીબીશનમાં બ્રિક અેન્ડ બ્લોક મશિન પ્રદર્શન કરવામાં આવતાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા રાષ્ટ્ર લેવલે બીજા નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મોબાઇલ ચબૂતરો કેમ કહે છે

મોબાઇલની જેમ હરતું ફરતું રાખી શકાય છે. આ ચબૂતરો પ્લાસ્ટિકની બોટલમાં બનેલો હોય છે. એક સપ્તાહ સુધી ચકલી ચાંચ મારી અનાજનું ચણતર કરી શકશે.
 



છાણમાંથી બનાવે છે લાકડા અને કુંડી
જૂનાગઢ: પર્યાવરણપ્રેમી ખેડૂત ચક્લી માટે બનાવે છે છાણાનો માળો
ગાયનાં છાણનાં ઘણાં ફાયદા છે. છાણમાંથી માળો બનાવવાથી ચક્લીઓને ત્રણેય રૂતુમાં માફક આવે છે. તેમજ લાકડાં બનાવવાને કારણે ગેસ, બળતણનો બચાવ થાય છે. અને કુંડીમાં વૃક્ષ વાવવાથી તેનો ઓર્ગેનિક વિકાસ થાય છે.

અમરેલી: ઠંડીનો ચમકારો શરૂ, શેત્રુંજીના પટમાં સાવજો મસ્તીએ ચઢ્યા


અમરેલી: ઠંડીનો ચમકારો શરૂ, શેત્રુંજીના પટમાં સાવજો મસ્તીએ ચઢ્યા

  • Bhaskar News, Amreli
  • Oct 31, 2015, 11:27 AM IST
અમરેલી: અમરેલી જિલ્લાનો લીલીયા તાલુકો એટલે બૃહદ ગિરનો હિસ્સો. અહીં છેલ્લા થોડા વર્ષોથી સાવજો ડણક દેવા લાગ્યા છે. ગત જૂન માસમાં શેત્રુંજીમાં આવેલા ભારે પુરને પગલે અનેક સાવજોનાં મોત થયાં હતા. પરીણામે સાવજોની ડણક આ વિસ્તારમાં જવલ્લેજ સાંભળવા મળતી હતી. પરંતુ શિયાળાનો ચમકારો શરૂ થતાંજ સાવજો શેત્રુંજીનાં પટમાં અવરજવર કરવા લાગ્યા છે. વન્યપ્રાણી પ્રેમીઓને તે અચૂક આ વિસ્તારમાં મોજ મસ્તી કરતા જોવા મળી જાય. ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટનાં રાજન જોષીએ અહીં મસ્તી કરતા વનરાજોની તસ્વીર પોતાનાં કેમેરામાં આબાદ કંડારી લીધી હતી.

ગીર પૂર્વના ડીએફઓનો વિદાય સમારોહ : જંગલ રેઢું પડ

ગીર પૂર્વના ડીએફઓનો વિદાય સમારોહ : જંગલ રેઢું પડ
  • Bhaskar News, Amreli
  • Oct 30, 2015, 00:46 AM IST
- ગીર પૂર્વની તમામ સાત રેન્જનાં કર્મચારીઓ ઉપસ્થિત રહેતા જંગલ વિસ્તારમાં કોઇ હાજર ન હતું

અમરેલી : ગીર પૂર્વના ડીએફઓ તરીકે ફરજ બજાવી આ વિસ્તારમાં ભારે લોકચાહના મેળવનાર ડીએફઓ અંશુમન શર્માની ગોધરા ખાતે બદલી થતા ધારીમાં તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. પોતાના કાર્યકાળ દરમીયાન તેમણે ચંદન ચોર ગેંગને પકડવા ઉપરાંત લાયન શો પર પણ લગામ કસી હતી.
 
ડીએફઓ અંશુમન શર્માએ ગીરપૂર્વના પોતાના કાર્યકાળ દરમીયાન ભારે લોકચાહના મેળવી હતી. ખાસ કરીને જંગલમાં ચાલતી અનેક પ્રકારની ગેરરીતીઓ પર તેમણે પોતાની આગવી સુઝથી કાબુ મેળવ્યો હતો. આ ઉપરાંત સિંહની વસતી ગણતરી દરમીયાન પણ યશસ્વી કામગીરી નિભાવી હતી. ગીર જંગલ તથા આસપાસના બૃહદ ગીર વિસ્તારમાં લાયન શોની પ્રવૃતિ બેફામ બની હોય તેના પર કાબુ મેળવવા તેમણે અસરકારક પગલા લીધા હતાં. ધારી ખાતે વન કર્મચારીઓ દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગીર પૂર્વની જુદી જુદી સાત રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

મોડી રાત સુધી કાર્યક્રમ ચાલુ રહ્યો
સાત રેન્જનો મસમોટો સ્ટાફ આ વિદાય સમારોહમાં ઉમટી પડતા જંગલ જાણે રેઢા પડ જેવું બન્યુ હતું. આ વિદાય સમારોહમાં ભાગ લેવા માટે ગીર પૂર્વની સાતે સાત રેન્જનો સ્ટાફ અને અધિકારીઓ દુર દુરથી આવ્યા હતાં. જેના કારણે જંગલ જાણે રેઢા પડ જેવું બન્યુ હતું. આ કાર્યક્રમ પણ મોડે સુધી ચાલ્યો હતો.

રાંકચમાં ચાર કલાકની જહેમત બાદ કોલર આઇડી સિંહણને સારવાર અપાઇ


ક્રાંકચમાં ચાર કલાકની જહેમત બાદ કોલર આઇડી સિંહણને સારવાર અપાઇ


Bhaskar News, Amreli

Oct 26, 2015, 10:37 AM IST
ચાર કલાકની જહેમત બાદ વનવિભાગે સારવાર આપી : બે સિંહણો વચ્ચે ઇનફાઇટમા ઇજા પહોંચી હતી

અમરેલી: અમરેલીના રેવન્યુ વિસ્તારમાં ખાસ કરીને ચાંદગઢથી લઇ ક્રાંકચ સુધીના શેત્રુજી નદીકાંઠાના વિસ્તારોમાં બૃહદગીરમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારમાં બે સિંહણ વચ્ચે ઇનફાઇટ થતા અહીની રાજમાતા કહેવાતી કોલર આઇડી સિંહણને ગંભીર ઇજા પહોંચી હતી. વનવિભાગને જાણ થતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને ચાર કલાકનુ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી આ સિંહણને સારવાર આપી હતી.

લીલીયાના બૃહદગીર વિસ્તારમાં ક્રાંકચના શેત્રુજી નદીના કાંઠાળ વિસ્તારોમાં પ્રથમ કોલર આઇડી સિંહણે દેખા દીધી હતી અને ત્યારથી અહી સાવજોનુ આધિપત્ય સ્થપાયુ હોવાનુ જાણકારો કહી રહ્યાં છે. અહી રાજમાતા ગણાતી કોલર આઇડી સિંહણ અને અન્ય એક સિંહણ વચ્ચે ઇનફાઇટ થતા બંને સિંહણો ઘાયલ થઇ ગઇ હતી.

આ અંગે અહીના સિંહપ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણે વનવિભાગને જાણ કરતા ડીએફઓ ગુર્જરની સુચનાથી આરએફઓ હેરભા, કે.જી.ગોહિલ, ટીનુભાઇ ખુમાણ, તુષારભાઇ મહેતા સહિત અહી દોડી આવ્યા હતા. અને આ કોલર આઇડી સિંહણની શોધખોળ આદરી હતી. બાદમાં આ સિંહણને લોકેટ કરી ચાર કલાકની જહેમત બાદ તેને સારવાર આપવામા આવી હતી. ડો. હિતેષ વામજાએ આ સિંહણને સારવાર આપી હતી. સિંહણને મો, આંખ નીચે, કાન નીચે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે અન્ય એક ઘાયલ સિંહણની પણ શોધખોળ આદરવામા આવી છે.

સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં સાવરકુંડલામાં કોટડીયાના પૂતળાનું દહન

  • Bhaskar News, Savarkundala
  • Oct 18, 2015, 01:03 AM IST
સિંહોને મારી નાખવાની વાત કરનાર કોટડીયા સામે તેમના જ પક્ષમાંથી ઉઠતો ઉગ્ર વિરોધ

સાવરકુંડલા : ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ પાછલા કેટલાક સમયથી તેમના જ પક્ષની રાજ્ય સરકાર સામે બાંયો ચડાવેલી છે અને ગઇકાલે તાલાળામાં તેમણે સિંહોને મારી નાખવાની વાત કરતા આજે સાંસદ કાછડીયા, ધારાસભ્ય વઘાસીયાની ઉપસ્થિતીમાં ભાજપના કાર્યકરો દ્વારા સાવરકુંડલાના રિધ્ધી-સિધ્ધી ચોકમાં ધારાસભ્ય કોટડીયાના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતું. આમ ભાજપના જ આગેવાનો પાછલા કેટલાક સમયથી એકબીજાની સામસામે આવી રહ્યા હોય અમરેલી જીલ્લામાં રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી છે.

ધારીના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા દ્વારા ઇકો સેન્સેટીવ ઝોનના મુદે પાછલા કેટલાક સમયથી રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવાઇ રહ્યુ છે. ગઇકાલે તાલાળામાં આ મુદે મળેલી સભામાં ધારાસભ્ય કોટડીયાએ સિંહોને મારી નાખવાની વાત કરતા આ મુદે ખુદ ભાજપમાંથી જ ખુદ તેમની સામે ઉગ્ર વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ભાજપના આગેવાનો આજે સાવરકુંડલામાં તેમના જ પક્ષના ધારાસભ્યના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતાં.

આજે અમરેલીના  સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય વી.વી. વઘાસીયા, અમરેલીના પર્યાવરણવિદ જીતુભાઇ તળાવીયા, સાવરકુંડલા પાલીકાના પ્રમુખ ડી.કે. પટેલ, હેમાંગભાઇ ગઢીયા, જયસુખભાઇ નાકરાણી, અરવિંદભાઇ યાદવ સહિતના આગેવાનો તથા સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ભાજપના કાર્યકરોએ સાવરકુંડલાના રીધ્ધી-સિધ્ધી ચોકમાં ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાના પુતળાનું દહન કર્યુ હતું. આ સમયે ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા કોટડીયા વિરૂધ્ધ સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે જીલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
 
પોલીસ ચોકી સામે જ મંજુરી વગર કાર્યક્રમ
સાવરકુંડલામાં આજે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આજે પોલીસ ચોકી સામે જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પોલીસની મંજુરી વગર જ કાર્યક્રમ યોજાયો હતો. વળી પુતળા દહન સમયે ખુદ પીઆઇ પણ હાજર હોવાનું જાણવા મળેલ છે.

ભાજપ આગેવાન અને કાર્યકરો સામે ગુનો નોંધાયો
સાવરકુંડલામા આજે સાંજે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધારીના તેમના જ પક્ષના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાના પુતળાનુ દહન કરવામા આવતા મંજુરી વગર આ કાર્યક્રમ યોજયો હોય સાવરકુંડલા સીટી પોલીસે મોડીસાંજે અમરેલી તથા સ્થાનિક ભાજપના આગેવાનો તથા કાર્યકરો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

મોતનાં મુખમાંથી પિતાએ દિકરાને બચાવ્યો : મેંદરડામાં દિપડાનો કિશોર ઉપર હુમલો

મોતનાં મુખમાંથી પિતાએ દિકરાને બચાવ્યો : મેંદરડામાં દિપડાનો કિશોર ઉપર હુમલો
Bhaskar News, Mendarda/Rajula

Oct 18, 2015, 00:43 AM IST
- ઘરમાં સુતેલા સાત વર્ષનાં બાળક પર ત્રાટકયો હતો
 
મેંદરડા : મેંદરડાનાં અંબાળા ગામે શુક્રવારનાં રાત્રીનાં ઘરમાં સુતેલા સાત વર્ષનાં બાળકને દીપડો ઢસડીને લઇ જતો હતો ત્યારે પિતાએ હિંમતપુર્વક સામનો કરી પુત્રને મોતનાં મુખમાંથી બચાવી લીધો હતો. મેંદરડાનાં અંબાળા ગામે દેવીપુજક ચનાભાઇ જીવરાજભાઇ સોલંકી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય શુક્રવારનાં રાત્રીનાં પરિવાર ઘરમાં નિંદ્રાધીન હતો ત્યારે 11 વાગ્યાની આસપાસ દીપડો ઘરમાં ઘુસી આવેલ અને સાત વર્ષનાં અજયને ડોક પાસેથી પકડીને ઢસડીને લઇ જતો હતો ત્યારે અજયે બુમાબુમ કરી મુકતા પરિવારનાં સભ્યો જાગી ગયેલ.

દીપડો અજયને ઘરની બહાર સુધી ખેંચી ગયેલ પરંતુ પિતા ચનાભાઇએ બહાદુરીપુર્વક સામનો કરી દીપડાનાં જડબામાંથી પુત્રને છોડાવવામાં સફળ રહયાં હતાં. જયારે દીપડો નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત અજયને 108નાં પાયલોટ પ્રકાશ અગ્રાવત અને ડો.મનીષ ડોબરીયાએ મેંદરડા હોસ્પિટલે ખસેડેલ જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ અને અહિંયાથી રાજકોટ રીફર કરાયેલ હોવાનું જાણવા મળે છે. અત્રે નોંધનીય બની રહેશે કે, ગીર વિસ્તારનાં ગામોમાં વન્ય પ્રાણીઓ આવી ચઢી માનવ ભક્ષી બની હુમલા કરતા હોય લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો છે.
 
- રાજુલાના માંડરડીની સીમમાંથી ખુંખાર દીપડો પાંજરે પૂરાયો : દિપડાના ભયથી ખેડૂતો સીમમાં જતા પણ ડરતા હતાં

રાજુલા : રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાં દિપડાની રંજાડ હોય ખેડૂતો દ્વારા અવાર નવાર વનતંત્રને રજુઆત કરાતા પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું અને આજે વહેલી સવારે આ દિપડો પાંજરે પુરાઇ જતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. આ દિપડાને કાનમાં જીવાત પડી ગઇ હોય તેની સારવાર શરૂ કરાઇ હતી.

રાજુલા પંથકમાં દિપડાની વધી રહેલી સંખ્યાથી સીમમાં વાડી-ખેતરોમાં કામ કરતા લોકોમાં ભારે ભય પ્રવર્તી રહ્યો છે. રાજુલાના માંડરડીની સીમમાંથી દિપડાના ત્રાસની ફરીયાદ ઉઠતા વનતંત્ર પણ દોડતુ થયુ હતું. અગાઉ આ વિસ્તારમાં દિપડાએ એક ખેડૂત પર હુમલો પણ કર્યો હતો. જેના કારણે ખેડૂતો સીમમાં જવાનું પણ ટાળતા હતાં. દિપડાના ભયથી ફફડતા ખેડૂતો દ્વારા વનતંત્રને વારંવાર આ દિપડો પાંજરે પુરવા રજુઆત કરાઇ હતી. જેને પગલે ગામના માજી સરપંચ ભુપતભાઇ મકવાણાની વાડીમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું.
 
દરમીયાન આ દિપડો આજે વહેલી સવારે પાંજરામાં સપડાઇ ગયો હતો. દિપડાના કાનમાં જીવાત પડી ગઇ હોય તેને સારવાર માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. માંડરડીની સીમમાં હજુ પણ એક દિપડો આટા મારતો હોય તેને પકડવા લોકોએ માંગ ઉઠાવી છે.

ઇકો સેન્સેટીવ ઝોનને લઇ મેંદરડામાં પણ વિરોધનો વંટોળ

DivyaBhaskar News Network

Oct 13, 2015, 04:40 AM IST

તાજેતરમાંસરકાર દ્વારા ગીર જંગલનાં આસપાસનાં 10 કિમી વિસ્તારને ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરાતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તેમજ ગામે ગામ આંદોલનાત્મક લડત અપાઇ રહી છે ત્યારે મેંદરડામાં પણ મુદે 15મી ખેડૂત હિતર રક્ષક સમિતી દ્વારા મામતદારને આવેદન પત્ર પાઠવશે.

ફોરેસ્ટ વિભાગ તેમજ સરકાર દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવશે. ફોરેસ્ટ વિભાગ તેમજ સરકાર દ્વારા ગીર જંગલની આસપાસનાં 10 કિમીનાં વિસ્તારને ઇકો સેન્સેટીજ ઝોન તરીકે જાહેર કરવાનો નિર્ણયને પગલે વિસ્તારોમાં જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ અમરેલી જિલ્લાનાં અનેક ગામો સમાવિષ્ટ થાય છે. જેના લીધે ત્રણેય જિલ્લાઓનાં તાલુકા તેમજ ગામો કે જે ઇકોસેન્સેટીવ ઝોનમાં આવે છે. ત્યારં નિર્ણયનો વિરોધ કરવામાં આવે છે. જેને પગલે મેંદરડામાં પણ હવે ખેડૂત હિત રક્ષક સમીતી દ્વારા નિર્ણયનો વિરોધ કરી 15મીએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છેકે, ફોરેસ્ટડીપાર્ટમેન્ટ દ્વારા જાહેર ખબરોથી તેમજ ગામોમાં મીટીંગો યોજી મુદે લોકોને સમજણ આપી હતી અને કાયદાથી ખેડૂતો કે રહીશોને કોઇપણ નુકશાન થવાની ખાતરી આપી હોવા છતાં વિરોધ સમવાનું નામ નથી લેતો.

બાળકોએ પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા જેવા વિષયો પર નાટકો લખી ભજવ્યા

DivyaBhaskar News Network

Oct 10, 2015, 03:35 AM IST

બાળકોએ પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા જેવા વિષયો પર નાટકો લખી ભજવ્યા
ચલાલામાંશાંતી નિકેતન પરિસરમાં બે દિવસીય સ્વયં સંચાલિત બાળનાટય લેખન વર્કશોપનું આયોજન કરવામા આવ્યું હતુ. વર્કશોપમાં બાળ નાટકની અનેકવિધ કૃતિઓ રજુ કરવામા આવી હતી. ઉપરાંત બાળકોએ પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા સહિતના વિષયો પર પ્રકાશ પાડતા નાટકો પણ બાળકોએ લખ્યા હતા અને નાટકની ભજવણી કરવામા આવી હતી. બાળ સાહિત્યમાં ઉપેક્ષિત વિષય જો રહી ગયો હોય તો તે છે બાળ નાટક. એનો અર્થ નથી કે બાળ નાટકો લખાયા નથી કે લખાતા નથી. પણ જે લખાય છે નિષ્ણાંતોના મતાનુસાર બાળનાટક હોતા નથી. બાળ નાટકો લખાય, ભજવાય એવી ચિંતા, ખેવના બાળ સાહિત્યકારો કરે છે. એટલુ નહિ પણ બાળ સાહિત્ય અકાદમી અમદાવાદના પ્રતિ વર્ષ ભરાતા અધિવેશનમા પણ ડો. કુમારપાળ દેસાઇ માટે ચિંતા સેવે છે.

ત્યારે અમરેલીના શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાધ્યાપક વાસુદેવભાઇ સોઢાએ ચલાલા ખાતે સ્વયં સંચાલિત બાળનાટય લેખન વર્કશોપનુ આયોજન કર્યુ હતુ. અહીના શાંતી નિકેતન પરિસરમા ડો. કાલિન્દીબેન પરીખ, ગણપતભાઇ ઉપાધ્યાય, રવજીભાઇ કાચાએ બાળનાટય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત નાટક કઇ રીતે લખાય તે વિશે પણ ચર્ચા કરી હતી.

બાદમાં બાળ નાટકની કૃતિઓ રજુ કરવામા આવી હતી. વર્કશોપના બીજા દિવસે ડો. ભારતીબેન બોરડે બાળ કાવ્યથી માહોલ બાંધ્યો હતો. કેટલાક બાળકો પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા જેવા વિષયો પર પ્રકાશ પાડતા હતા. બાદમાં નાટક, પ્રહસન, નાટયાંશની ભજવણી કરવામા આવી હતી.

મધમાખી કરડવાથી મોતની બીજી ઘટના

DivyaBhaskar News Network

Oct 08, 2015, 04:40 AM IST
ભંડારિયાના વૃધ્ધ ખેડૂતનું મધમાખીના હુમલાથી મોત

હજુબે દિવસ પહેલા વડીયા તાલુકાના દેવગામ ગામના એક કોળી વૃધ્ધાનું જંગલી મધમાખી કરડવાના કારણે મોત થયાની ઘટના હજુ તાજી છે ત્યાં આવી વધુ એક ઘટનામાં અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામના વૃધ્ધ ખેડૂતનું જંગલી મધમાખી કરડવાના કારણે મોત થયાની ઘટના બની છે.

અમરેલી જીલ્લામાં દર વર્ષે જંગલી મધમાખીઓ આંતક મચાવે છે. વાડી-ખેતરોમાં કામ કરતા લોકો પર મધમાખીનું ઝુંડ તુટી પડયુ હોય તેવી અનેક ઘટનાઓ બને છે. અનેક કિસ્સામાં મોતની ઘટના પણ સામે આવે છે. હાલમાં અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આવી બીજી ઘટના સામે આવી છે. અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામના મધુભાઇ જીવરાજભાઇ પટેલ (ઉ.વ. 75) નામના ખેડૂત પોતાના ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જંગલી મધમાખીનું ઝુંડ તુટી પડતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતાં.

મધુભાઇ પટેલને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમીયાન મોત થયુ હતું.પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.

ભંડારીયાના વૃધ્ધ ખેડૂતનું જંગલી મધમાખીના ઝુંડે હુમલો કરતા મોત

DivyaBhaskar News Network

Oct 08, 2015, 04:40 AM IST
અમરેલીજીલ્લામાં દર વર્ષે જંગલી મધમાખીઓ આંતક મચાવે છે. વાડી-ખેતરોમાં કામ કરતા લોકો પર મધમાખીનું ઝુંડ તુટી પડયુ હોય તેવી અનેક ઘટનાઓ બને છે. અનેક કિસ્સામાં મોતની ઘટના પણ સામે આવે છે. હાલમાં અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આવી બીજી ઘટના સામે આવી છે. અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામના મધુભાઇ જીવરાજભાઇ પટેલ (ઉ.વ. 75) નામના ખેડૂત પોતાના ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જંગલી મધમાખીનું ઝુંડ તુટી પડતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતાં.

સારવાર દરમીયાન મોત થયુ હતું. બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસને જાણ કરાતા હેડ કોન્સ્ટેબલ એચ.એન. રવૈયાએ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.

લાઠીનાં ગાગડીયા નદીનાં ચેકડેમમાંથી યુવાનો દ્વારા ગાંડીવેલ કાઢી સફાઇ કરાઇ


લાઠીનાં ગાગડીયા નદીનાં ચેકડેમમાંથી યુવાનો દ્વારા ગાંડીવેલ કાઢી સફાઇ કરાઇ

  • DivyaBhaskar News Network
  • Oct 07, 2015, 05:40 AM IST
યુવા ગ્રૃપનાં સભ્યોએ પાલિકા અને સેવાભાવી લોકોને સાથે રાખી જળાશયમાંથી ગંદકી દૂર કરી

અમરેલીનાકામનાથ ડેમમાં ગત વર્ષે ગાંડીવેલે કબજો જમાવ્યો હતો. ગાંડીવેલનો આવો ઉપદ્રવ ચાલુ વર્ષે લાઠીમાં ગાગડીયા નદીના ચેકડેમોમાં ચાલુ થતા આજે લાઠીના યુવા ગૃપના સભ્યોએ પાલીકા અને સેવાભાવી લોકોની મદદ લઇ ગાંડીવેલ હટાવવા અભીયાન હાથ ધર્યુ હતું. ગાંડીવેલ હટાવવા માટે જેસીબીની મદદ પણ લેવાઇ હતી.

સ્વચ્છતા અભીયાનની ઉજવણી ચાલી રહી છે. ત્યારે લાઠીમાં યુવાનોએ આજે ચેકડેમમાં અભીયાન હેઠળ ગાંડીવેલને દુર કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યુ હતું. અમરેલીના કામનાથ ડેમનું પાણી ગત વર્ષે ગાંડીવેલે બગાડી નાખ્યુ હતું. ચોમાસામાં આવેલા ભારે પુરમાં ગાંડીવેલ ધોવાઇ તો ગઇ પરંતુ ચાલુ સાલે ફરી કામનાથ ડેમમાં ગાંડીવેલ છવાવા લાગી છે. વર્ષે પણ કામનાથ ડેમમાં પુરેપુરી સપાટી પર ગાંડીવેલ છવાઇ જાય તો આશ્ચર્ય નહી રહે તેવી સ્થિતી જોવા મળી રહી છે. હવે લાઠીમાં ગાગડીયા નદી પર બનેલા ચેકડેમોમાં પણ આવી સ્થિતી જોવા મળી રહી છે. લાઠીમાં ગાગડીયા નદી પર બનેલા ચેકડેમોમાં ધીમે ધીમે ગાંડીવેલનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આજે ડેમના સમગ્ર પાણી પર તે છવાય જાય તે પહેલા લાઠીના યુવા ગૃપ દ્વારા તેને દુર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવા ગૃપના સભ્યોને નગરપાલીકા દ્વારા પણ તમામ પ્રકારની મદદ કરવામાં આવી હતી. ચેકડેમમાંથી ગાંડીવેલ દુર કરવા માટે જેસીબીની પણ મદદ લેવાઇ હતી અને સ્વચ્છતા અભીયાનને અહિં અનોખી રીતે પાર પડાયુ હતું.

યુવાનોએ અથાગ મહેનત કરી ચેકડેમમાંથી ગાંડીવેલને દૂર કરી ફરીથી જળાશયને રમણીય બનાવી દીધું હતું. જેસીબીએ પણ ગાંડી વેલને દૂર કરી હતી. }કલ્પેશખેર

અમરેલી જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ

DivyaBhaskar News Network

Oct 05, 2015, 07:40 AM IST
અમરેલી જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ લીલીયા તાલુકાનો ક્રાંકચ વિસ્તાર એટલે સાવજો માટે સ્વર્ગ. ગીરમાં સાવજોની વસતિ વધી એટલે તેમને નવું ઘર શોધવાની ફરજ પડી.ગીરમાંથી નીકળતી શેત્રુજી નદીના સથવારે આગળ વધી સાવજો ક્રાંકચ પંથકના બાવળના જંગલમાં પહોંચી ગયા અને અહીં કાયમી વસવાટ બનાવી લીધો. નદી સિંહોને રહેઠાણ, રક્ષણ અને ખોરાક પુરો પાડી જીવનદાયિની સાબિત થઇ. નદીના પટમાં આઠ-દસ સિંહ બેઠા હોય તેવા દ્રશ્ય થોડા સમય પહેલા સામાન્ય હતાં. પરંતુ હવે તેવું નથી. પુર હોનારતમાં બચી ગયેલા સાવજો નદીના પટથી દુર રહે છે. એકલ દોકલ સાવજ જરૂર નજરે પડે છે, તસવીર અમેરલીનાં વાઇલ્ડ લાઇફ ફોટો ગ્રાફર અમજદ કુરેશીએ ખેંચી હતી.

અમરેલીમાં સ્વર્ગ સમો શેત્રુંજીનો પટ્ટ હવે સાવજો વીના સુનો સુનો

અમરેલીમાં સ્વર્ગ સમો શેત્રુંજીનો પટ્ટ હવે સાવજો વીના સુનો સુનો
Bhaskar News, Amreli

Oct 05, 2015, 01:42 AM IST
- અમરેલીમાં સ્વર્ગ સમો શેત્રુંજીનો પટ્ટ હવે સાવજો વીના સુનો સુનો
- પુર હોનારતની અસર થતાં સાવજો નદીના પટથી દુર જ રહે છે
 
અમરેલી: અમરેલી જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ લીલીયા તાલુકાનો ક્રાંકચ વિસ્તાર એટલે સાવજો માટે સ્વર્ગ. ગીરમાં સાવજોની વસતિ વધી એટલે તેમને નવું ઘર શોધવાની ફરજ પડી.ગીરમાંથી નીકળતી શેત્રુજી નદીના સથવારે આગળ વધી સાવજો ક્રાંકચ પંથકના બાવળના જંગલમાં પહોંચી ગયા અને અહીં કાયમી વસવાટ બનાવી લીધો. આ નદી સિંહોને રહેઠાણ, રક્ષણ અને ખોરાક પુરો પાડી જીવનદાયિની સાબિત થઇ. નદીના પટમાં આઠ-દસ સિંહ બેઠા હોય તેવા દ્રશ્ય થોડા સમય પહેલા સામાન્ય હતાં. પરંતુ હવે તેવું નથી. પુર હોનારતમાં બચી ગયેલા સાવજો નદીના પટથી દુર જ રહે છે. એકલ દોકલ સાવજ જરૂર નજરે પડે છે, આ તસવીર અમેરલીનાં વાઇલ્ડ લાઇફ ફોટો ગ્રાફર અમજદ કુરેશીએ ખેંચી હતી.

અમરેલી: નાની ધારીનાં જંગલમાં વહેતા પાણીમાં બેસી શિકારની શોધ કરતા વનરાજ


અમરેલી: નાની ધારીનાં જંગલમાં વહેતા પાણીમાં બેસી શિકારની શોધ કરતા વનરાજ

Bhaskar News, Amreli

Oct 04, 2015, 00:37 AM IST

અમરેલી: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. જંગલ અને ગીરકાંઠાના વિસ્તારોમાં ચોતરફ કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું છે. નદી, તળાવો અને ઝરણાઓ વહેતા થયા છે. ત્યારે ખાંભાના નાની ધારીના જંગલ વિસ્તારમાં આવા જ વહેતા પાણી પાસે એક સિંહ બેસીને ખળખળ વહેતુ પાણી નિહાળી રહ્યો હોય આ દ્રશ્ય કેમેરામા કેદ થઇ ગયુ હતુ.