Thursday, December 31, 2015

સાસણની હોટલ - રીસોર્ટમાં ફુડ વિભાગનાં દરોડા, 35 કિલો વાસી સામગ્રીનો નાશ


સાસણની હોટલ -રીસોર્ટમાં ફુડ વિભાગનાં દરોડા

સાસણ(ગીર)માંહાલ નાતાલનાં તહેવાર દરમિયાન સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ભારે ઘસારો રહેતો હોય ભીડ ભાડ વાળા પીરીયડમાં લોકોને ખાન-પાનમાં હાનીકારક પદાર્થો વેંચાય તેની તકેદારી રાખી જૂનાગઢ જિલ્લા ફુડ વિભાગનાં અધિકારીઓએ બુધવારે સાસણ અને આસપાસની હોટલો - રીસોર્ટમાં ફુડ ચેકીંગ હાથ ધરી અખાદ્ય સામગ્રીનો નાશ કરી શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓનાં સેમ્પલ લઇ વડોદરા લેબમાં મોકલેલ. ફુડ વિભાગે સપાટો બોલાવતા હોટલ સંચાલકો અને ખાણી પીણીનાં ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જૂનાગઢ જિલ્લા ફુડ વિભાગનાં ઇન્સ્પેકટર પી.બી. સાવલીયા અને ડેઝીગ્નેટેડ ઓફીસર જે.એચ.શાહએ સાસણ નજીક સ્ટાર હોટલો ફર્ન રીસોર્ટ, ગીર હોટલ, મહીન્દ્ર કલ્બ હોટલ, ગ્રીન પાર્ક, ગીર જંગલ લોજ, ગીર લાયન, સુખ સાગર હોટલમાં તપાસ હાથ ધરી ખાદ્યતેલ, અનાજ કઠોળ, મસાલા, મીલ્ક પ્રોડકટનાં સેમ્પલ લઇ ફુડ લેબ વડોદરા ખાતે ચકાસણી માટે મોકલી આપેલ., તેમજ સાસણમાં લારી - ગલ્લા - ફરસાણ- ઠંડાપીણા - મીઠાઇની દુકાનો - પાર્લર તેમજ રેસ્ટોરન્ટોમાં તપાસ હાથ ધરી વાસી મળી આવેલ 35 કીલો ખોરાકનો નાશ કરેલ તેમજ હાઇજીનીક કન્ડીશન તથા સ્વચ્છતા રાખવા નોટીસ આપેલ તેમજ હોટલો અને ખાણી - પીણીનાં ધંધાર્થીઓનાં ફુડ લાયસન્સ તથા રજીસ્ટ્રેશનની તપાસ કરી લાયસન્સ અને રજીસ્ટ્રેશન કરાવનાર રેસ્ટોરન્ટ અને લારીવાળાને ફુડ વિભાગનાં કાયદા મુજબ નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરાવેલ.

જૂનાગઢ ફ્રૂડ વિભાગનાં અધિકારીએ રીસોર્ટ તેમજ લારી-ગલ્લામાં જઈ તપાસ કરી. }જીતેન્દ્ર માંડવીયા

નમુના લઇ વડોદરા તપાસ માટે મોકલાયા, 35 કિલો અખાદ્ય વાસી સામગ્રીનો કરાયો નાશ

કાર્યવાહીની પ્રસંશા : ટુરીસ્ટ

સાસણપંથકની હોટલોમાં લોકોને ખાદ્ય પદાર્થોમાં હાનીકારક વસ્તુઓ આવે તે માટે ટ્રાફીકવાળા પીરીયડ ફુડ વિભાગે હાથ ધરેલ ચેકીંગની ટુરીસ્ટોએ પ્રસંશા કરી હતી. ઉદયપુરનાં ટુરીસ્ટ અજય જૈનએ જણાવેલ કે ભારે ટ્રાફીકનાં પીરીયડમાં ગ્રાહકોનાં ઓર્ડરને પુરા કરવા અગાઉથી તૈયાર રખાયેલ વાસી ખોરાક લોકોની તબીયત બગાડે ત્યારે ફુડ વિભાગનાં ચેકીંગથી વાસી વસ્તુ સંગ્રહ કરનારા લોકોને સબક મળશે.

ડાયક્લોફેનેક વાળું માંસ આરોગવાથી ગીધ 48 થી 72કલાકમાં મોતને ભેટે છે


ડાયક્લોફેનેક વાળું માંસ આરોગવાથી ગીધ 48 થી 72કલાકમાં મોતને ભેટે છે

Bhaskar News, Junagadh
Dec 29, 2015, 23:20 PM IST
- જૂનાગઢની એમએસસીની છાત્રાએ સાત સુધી મહિના ગીધ ઉપર સંશોધન કરી તારણ કાઢ્યું

જૂનાગઢ: જૂનાગઢની એસએસસીની છાત્રાએ રાજયનાં જૂદા-જૂદા જિલ્લામાં લુપ્ત થતા ગીધ પ્રજાતી ઉપર સાત મહિના અભ્યાસ કર્યો છે. ખાસ કરની ગીધએ મૃત્યુ પામતા પશુઓનો માંસ આરોગે છે. વર્તમાન સમયમાં ડાયક્લોફેનેક દવાનો પશુમાં બેફામ ઉપયોગ થઇ રહ્યુ છે.ડાયક્લોફેનેક દવા વાળા માંસ આરોગ્યનાં 48 થી 72 કલાકમાં ગીધનું મૃત્યુ થયા છે.તેમ છાત્રાએ પોતાનાં સંશોધનમાં જણાવ્યુ હતુ.

નામષેશ થતા સફેદ પીઠવાળા ગીધ પર ગુજરાત યુનિ.માં અભ્યાસ દરમિયાન જૂનાગઢની છાત્રા મીતલ મોરડિયાએ સંશોધન કર્યુ છે. તેમણે અમદાવાદ,આણંદ, અમરેલી,ભાવનગર,સુરેન્દ્રનગર અને મહેસાણા,જૂનાગઢ જિલ્લામાં વસવાટ કરતા ગીધ પર સાત મહિના સંશોધન કરી રીપોર્ટ તૈયાર કર્યો છે. તેમણ સંશોધનમાં જણાવ્યુ છે કે સૌથી વધુ માળા સુરેન્દ્રનગરમાં આવેલા છે. અને સૌથી ઓછા માળા અમદાવાદ જિલ્લામાં આવે છે. મધ્ય ગુજરાતમાં સફેદ પીઠવાળા અને સૌરાષ્ટ્રમાં ગીરનારી ગીધ જોવા મળે છે.
 
છેલ્લા 20 વર્ષમાં સફેદ પીઠવાળા અને ગીરનારી ગીધની સંખ્યામાં ભારતમાં ભયજનક ઝડપે ઘટી છે. આ પ્રજાતિ 972 કરતા વધુ નષ્ટ થઇ છે અને હવે લુપ્ત થવાનાં આરે આવીને ઉભી છે. આ વિનાશનું એક માત્ર કારણ છે પશુઓની સારવાર માટે વપરાતી ડાયક્લોકેનાક સોડિયમ નામની દાવ . આ દવાનાં અંશ રહી ગયેલા પશુઓને ખાવાથી દવા ગીધનાં શરીરમાં પ્રવેશ કરે છે.જેને ગીધ પચાવી શકતા નથી. અને પરિણામ સ્વરૂપે માત્ર 48 થી 72 કલાકમાં મૃત્યુ પામે છે.

સૌથી વધુ માળા લીંબડાનાં વૃક્ષ ઉપર
ગીધનાં માળા સૌથી વધુ લીંબડાનાં વૃક્ષ પર જોવા મળ્યા છે.તેમજ વડ,તાડ,ખીજડો, નાળિયેરી,આસોપાલવ, જાંબુ સહિતનાં ઉંચા વક્ષુ ઉપર પણ માળા બાંધે છે.

ડાયક્લોફેનેક દવા ગીધનાં લીવર અને કિડનીને અસર કરે છે
ડાયક્લોફેનેશ દવા ગીધનાં લીવર અને કિડની ઉપર સીધી અસર કરે છે.જેના કારણે તેનુ મૃત્યુ થાય છે.સરકારે વર્ષ 2006માં પશુઓનાં ઉપચાર માટે ડાયક્લોફેનેકનાં ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો હતો. દવા ઉપર પ્રતિબંધ હોવા છતા તેનો દુરૂપયોગ મોટા પાયે થઇ રહ્યો છે.

ઉંચા તાપમાનમાં ગીધનાં બચ્ચા ડીહાઇડ્રેશનથી પીડાઇ છે
ખુબ જ ઉંચા તાપમાનમાં ગીધનાં બચ્ચા ડીહાઇડ્રેશનથી પીડા છે. અને કયારેક માળામાંથી પડી જવાનાં કારણે મૃત્યુ પામે છે.તેમ મીતલ મોરડિયાએ જણાવ્યુ હતુ.

વિસાવદરમાં મધમાખીએ આધેડનો જીવ લીધો, માખીનું ઝૂંડ ત્રાટકતાં મોત


મધમાખીનો પૂળો

  • Bhaskar News, Visavadar
  • Dec 29, 2015, 23:13 PM IST
મધમાખીનો પૂળો
- સીમમાં ખેતીકામ દરમિયાન મધમાખીઓના ઝૂંડનાં આક્રમણથી લોકોમાં નાસભાગ મચી ગઇ

વિસાવદર: વિસાવદરની સીમમાં ખેતીકામ કરી રહેલા લોકો પર અચાનક મધમાખીઓનું ઝૂંડ ત્રાટકતા ત્રણ લોકો ઝેરી ડંખથી ઘાયલ થયા હતા અને જેમાં એક આધેડનું સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્તા અરેરાટી પ્રસરી ગઇ હતી.

વિસાવદરનાં રેલ્વે ટ્રેક નજીકની રામ વાડી પાસે ભૂપતભાઇ અરજણભાઇ વાઘેલાનાં ખેતરમાં મંગળવારનાં સવારનાં અરસામાં ઘઉંમાં પાણી વાળવાનું કામ ચાલી રહ્યું હોય શહેરનાં જીવાપરામાં રહેતા આધેડ નરશીભાઇ દેવજીભાઇ ચૌહાણ પોતાના કામમાં મશગુલ હતા ત્યારે અચાનક ઝેરી મધમાખીનું ઝૂંડ તેમની પર ત્રાટકેલ અને આખા શરીરમાં ચોંટી જઇ આડેધડ ડંખ માર્યા હતા. દરમિયાન તેમને બચાવવા ભૂપતભાઇ તથા પંકજભાઇ દોડી જતાં મધમાખીઓએ આ બંનેને પણ ઝપટમાં લઇ ડંખ મારી ઘાયલ કરી દીધા હતા. આ બનાવનાં પગલે 108 નાં સ્ટાફે દોડી જઇ ત્રણેય ઘાયલને વિસાવદર હોસ્પિટલે લાવી રહ્યા હતા ત્યારે સારવાર મળે એ પહેલા જ નરશીભાઇનું મોત નિપજ્યું હતું. આ બનાવનાં પગલે લોકોનાં ટોળા હોસ્પિટલે ઉમટી પડેલ અને મધમાખીઓનાં આતંકમાંથી મુક્ત કરાવવા નક્કર યોજના ઘડાઇ એવી માંગ કરી હતી.

મધમાખીમાં એક બીજાને ખો આપતુ તંત્ર
મધમાખીઓ કીટાણુંમાં આવતી હોવાથી ખેતીવાડી તંત્રમાં આવે છે અેમ આરએફઓ વંશે જણાવ્યું હતું. જ્યારે ખેતીવાડી અધિકારીઓએ અમારામાં ન આવે એમ કહી હાથ ઉંચા કરી દીધા છે. જ્યારે કલેકટરમાં આ પ્રકરણ કોનામાં આવે એ બાબતની ગડમથલ ચાલી રહી છે.
 
મધમાખી બીજા રાજ્યની ઉત્પતીઓ
આ ઝેરી મધમાખીઓ બીજા રાજ્યમાંથી બોઇલર, પાઇપ તથા અન્ય સામાનમાં આવતી હોય અને ગુજરાતભરમાં ફેલાઇ ચૂકી હોવાનું વન વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું. હાલ તેની વસ્તીમાં સતત વધારો થઇ રહ્યો હોય જે ચિંતાનો વિષય છે.

ઉનાનાં રાજેશે 58.37માં અને પુનમે 41.38 મીનીટમાં ‘સર’ કર્યો ગિરનાર


ઉનાનાં રાજેશે 58.37માં અને પુનમે 41.38 મીનીટમાં ‘સર’ કર્યો ગિરનાર

  • DivyaBhaskar News Network
  • Dec 28, 2015, 03:56 AM IST
જૂનાગઢમાં રાજ્યકક્ષાનાં મંત્રી હાજર પણ ગિરનાર સ્પર્ધામાં ગેરહાજર

અાજેયોજાયેલી 31મી રાજ્યકક્ષાનો ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. વહેલી સવારે નવા તેજ અને ઉમંગ સાથે 15 જિલ્લામાંથી આવેલા 809 સ્પર્ધકોએ પ્રથમ આવવાની મહેચ્છા સાથે દોટ મુકી હતી. દર વર્ષની જેમ સ્પર્ધા કુલ 4 વિભાગમા યોજાઇ હતી. જેમા સિનિયરભાઇઓમાં ઉનાના રાજેશ ચોેહાણે 58.37મીનીટમાં સ્પર્ધા કરી પ્રથમ ક્રમે રહ્યો હતો . જ્યારે સિનિયર બહેનોમાં 41.38 મીનીટ લઇ પુનમ સોલંકીએ મેદાન માર્યુ હતુ.તેમજ જૂનિયર ભાઇઓમાં ભાવેશ બારીયા62.27 અને બહેનમાં કથીરીયા 42.53મીનીટ સાથે પ્રથમ ક્રમે વિજેતા બની હતી.

આજે 31મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી . વહેલી સવારે કેન્દ્રીય કૃષિમંત્રી મોહન કુંડારીયા મેયર જિતુભાઇ હિરપરા,અધિક કલેક્ટર આર.જી જાડજા તેમજ ગાંધીનગરથી યુથ બોર્ડના એમ એલ મણવાર વગેરેની હાજરીમાં સ્પર્ધા શરૂ કરાઇ હતી.સ્પર્ધામા 15 જિલ્લાના કુલ 1570 સ્પર્ધકોમાંથી 809 સ્પર્ધકોઅે ગિરનાર સેર કરવા દોટ મુકી હતી. ભારે ઉતેજના અને ઉત્સાહથી શરૂ થયેલી સ્પર્ધામાં નવ વાગ્યે બેહનો પણ જોડાઇ હતી. જેને કેન્દ્રીય કૃષિમંત્રી મોહન કુંડારીયાઅે પ્રસ્થાન કરાવ્યુ હતું.ચાર વિભાગમાં યોજાયેલી સ્પર્ધામાં ઉનાના ખીલાવડ ગામના રાજેશ ચોહાણે ગિરનારના 5 હજાર પગથિયા 58.38મીનીટમાંજ ચઢી પરત થતા સ્પર્ધામાં વિજેતા બન્યો હતો. જ્યારે સિનિયર બહેનોમાં 2200 પગથિયા 41.38 મીનીટમાં ઉનાના મોટા દેસરગામની પુનમ ચોેહાણે પુરા કરી મેદાન માર્યુ હતું.જ્યારે જૂનિયરભાઇઓમાં બારૈયા ભાવેશે 62.27 મીનીટનો સમય લઇ સ્પર્ધા પુરી કરી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.તો જૂનિયર બહેનોમાં કથિરિયા શ્રધ્ધા 42.53 મીનીટમાં 2200 પગથિયા પૂર્ણ કરી વિજેતા બની હતી. સ્પર્ધા બાદ બપોરે ભવનાથ નજીક આવેલ મંગલનાથ બાપુની જગ્યામાં વિજેતાને ઇનામ વિતરણ કાર્યક્રમ કરાયો હતો.ચારેય વિભાગમાં પ્રથમ ક્રમ હાંસલ કરનારને રૂ5000 અને ટ્રોફી બીજા ક્રમના વિજેતાને 2500 તથા ત્રીજા ક્રમના વિજેતાને 1500 તેમજ ચોથા અને પાંચમાં નંબરના વિજેતાને 500 રોકડ રકમ મળી કુલ 45હજારના રોકડ ઇનામ તથા ટ્રોફી અને પ્રમાણપત્ર અેનાયત કર્યા હતા. દર વર્ષે યોજાતી કઠીન અને જોખમી સ્પર્ધામાં જૂનાગઢ અમરેલી પોરબંદર ગીર સોમનાથ તથા રાજકોટ મળી કુલ 15 જિલ્લાના સ્પર્ધકોએ ઉત્સાહ અને હિમત પૂર્વક પુરી કરી હતી.

રાજ્યકક્ષાની આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ફરી એકવાર સોમનાથ જિલ્લાનો દબદબો

ગિરનાર સ્પર્ધામાં વિજેતા થયેલા સિનિયર અને જુનીયર ભાઈઓ-બહેનોને શીલ્ડ એનાયત. }મેહુલ ચોટલીયા

માતા-પિતા ખેતમજુરી કરે છે - શ્રધ્ધા

જામનગરતાલુકાના વિતાલીયા ગામે રહેતી અને હાલ રાજકોટ કડવીબાઇ વિરાણી હાઇસ્કુલમાં ધો.9માં અભ્યાસ કરતી શ્રધ્ધાબેન રજનીકાંતભાઇ કથીરીયા જણાવ્યુ હતુ કે, માતા-પિતા ખેતી મજુરી કરી ઘર ચલાવે છે રાજય કક્ષાની ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાંમાં પ્રથમ વખતમાં ફસ્ટ આવી એટલે ખુશ છુ અને માતા-પિતાના આશિર્વાદ સાથે રહ્યા.

ત્રણ વર્ષ પછી ફર્સ્ટ આવ્યો- ભાવેશ

ઉનાતાલુકાનાં દેલવાડા ગામે રહેતા અને જુનીયર સ્પર્ધકમાં પ્રથમ નંબરે આવેલા ભાવેશ કાનજીભાઇ બારીયાએ કહ્યુ હતુ કે, મારા પિતા માછીમારી કરે છે. માતા ખેતી કામ. ત્રણ વર્ષ પહેલા જુનિયર માં 10માં ક્રમાંકે, ગત વર્ષે જુનિયરમાં બીજા ક્રમાંકે, નેશનલમાં ત્રીજા ક્રમાંકે અને હવે ત્રણ વર્ષની મહેનત રંગ લાવી ત્યારે પ્રથમ ક્રમાંકે આવ્યો.

વિશ્વાસે અપાવી જીત- પુનમ

ઉનાતાલુકાનાં મોટા દેસર ગામની ખેડુત પરીવારની દિકરી ટી.વાય.બી.એ નો અભ્યાસ કરે છે તેમણે કહ્યુ હતુ કે ગત વર્ષે રાજયકક્ષાની સ્પર્ધક તરીકે ચોથા ક્રમાંકે આવી હતી. વર્ષની સ્પર્ધામાં જરા પણ પ્રેકટીસ કરી નથી પણ વિશ્વાસ હતોકે પ્રથમ આવીશ અને અવ્વલ થઇ હવે નેશનલમાં ફસ્ટ આવવું છે. આમ પોતાનાં આત્મબળને મહત્વ આપ્યું હતું.

ગત વર્ષ કરતા ઓછુ ઇનામ- રાજેશ

2008થીગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ભાગ લઉ છુ, ત્રણ વર્ષ થી રાજયકક્ષાએ ફસ્ટ નંબરે આવ્યો છું, નેશનલ કક્ષાએ જુનિયરમાં ત્રણ વખત બીજા નંબરે સીનીયર તરીકે બે વખત ત્રીજા નંબરે અને બે વખત બીજો નંબર મેળવ્યો છે. વર્ષની સ્પર્ધામાં પ્રથમનંબર મેળવનાર ને માત્ર 16000 રૂપિયા ખુબ ઓછુ ઇનામ કહેવાય જે વધારવુ જોઇએ.

31મી ગીરનાર આરોહણ- અવરોહણ રાજયકક્ષાની સ્પર્ધામાં અવ્વલ નંબરે આવેલા સીનીયર ભાઇઓમાં રાજેશ ખાતુભાઇ ચૌહાણ , જુનિયર ભાઇઓમાં ભાવેશ કાનજીભાઇ બારીયા, સીનીયર બહેનોમાં સોલંકી પુનમ મેસુરભાઇ અને જુનિયર બહેનોમાં કથીરીયા શ્રધ્ધા રજનીકાંતભાઇ ચારેય સ્પર્ધકો સામાન્ય પરીવાર માંથી આવે છે. અને તેમના માતા-પિતા ખેતીકામ કરી ગુજરાન ચલાવી રહયા છે.

ખેડુતોના દિકરા-દિકરીઓએ ગિરનાર સ્પર્ધામાં માર્યુ મેદાન

િગરનાર આરોહણ ર્સ્પધા સમયે યાત્રાળુઓને કારણે ર્સ્પધકો પરેશાન

  • DivyaBhaskar News Network
  • Dec 28, 2015, 03:56 AM IST
આરોહણસ્પર્ધા દરમિયાન સ્પર્ધકોને મુશ્કેલી પડે તે માટે કલેકટરે જાહેરનામુ બહાર પાડી રાત્રે 12વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી ગિરનાર પર પ્રવાસી તેમજ સામાન્ય લોકો માટે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતા કેટલાક પ્રવાસીઓ ગિરનારના પાછળના સેસાવન થઇને જતા પગથિયા પરથી ગિરનાર પર ચઢી ગયા હતા જૈન દેરાસરમાં સાથે થઇ ગયા હતા જેના કારણે સ્પર્ધકોને હાલાકી ભોગવવી પડી હતી.

આજે શરૂ થયેલી ગિરનાર સ્પર્ધાને લઇ અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં ગિરનાર પર સામાન્ય લોકો માટે અવર-જવર બંધ કરાઇ હતી. જોકે જાહેરનામાનો પ્રવાસીઓએ ભંગ કર્યો હતો. શેશાવનથી જતાં પાછળનાં ભાગેથી કેટલાક પ્રવાસીઓ ચડી ગયા હતાં અને જૈન દેરાસર પાસે સ્પર્ધકો સાથે થઇ જતાં સ્પર્ધકોને ચડવા ઉતરવામાં મુશ્કેલી પડી હતી. તે સમયે પોલીસ અથવ અન્ય કોઇ કર્મચારી પણ હાજર હતું. ઉપરાંત તે સ્થળ પર અકસ્માત થવાનો ભય સ્પર્ધકોમાં ભય ફેલાયો હતો.

26મી જાન્યુઆરીએ ગીરનાં સીદીઓ દિલ્હીમાં કરશે ધમાલ

26મી જાન્યુઆરીએ ગીરનાં સીદીઓ દિલ્હીમાં કરશે ધમાલ
  • Bhaskar News, Talala
  • Dec 28, 2015, 00:51 AM IST
તાલાલા: ટીવી કલાકાર સુંદરલાલ(મયુર વાંકાંણી) આગામી 26 જાન્યુઆરીના દિલ્લી ખાતે ઉજવવામાં આવનાર પ્રજાસતાક દિવસની નેશનલ પરેડમાં ગીરના સીદી આદીવાસીની ધમાલ રજુ કરવાનું આયોજન હોય આજે તેઓ તાલાલાના જાંબુર (ગીર) ગામે આવે અને સીદી જવાનોની ધમાલ માટે ધમાલમાં એક્ષ્પર્ટ એવા દસ યુવાનોની ટીમ નક્કી કરેલ ધમાલની ટીમ આગામી 9 જાન્યુઆરીના દિલ્લી જશે અને 25 જાન્યુઆરી સુધી રીહર્સલ કરી 26 જાન્યુઆરીની પરેડમાં ધમાલ રજુ કરશે.

સાસણમાં ગીર સંગીત નૃત્યનું આયોજન થયું

  • DivyaBhaskar News Network
  • Dec 27, 2015, 05:17 AM IST
ગીરનાંપ્રવેશદ્વાર ભાલછેલ(ગીર) ખાતે આવેલ હોટલ ગ્રીન પાર્કમાં 25 ડીસે. થી 31 ડીસે. સુધી સાંજે આઠ થી રાત્રે બાર વાગ્યા સુધી ગીર નૃત્ય સંગીતનો કાર્યક્રમ યોજાશે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી યોજાયેલ ગીર ફેસ્ટીવલમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ ગુજરાત અને ગીરની ભાતીગળ પરંપરાથી વાકેફ થઇ શકે તે હેતુથી મહોત્સવનું આયોજન કરાયું છે. સાસણ-જૂનાગઢ રોડ ઉપર ગ્રીનપાર્ક હોટલમાં યોજાનારા ગીર ફેસ્ટીવલમાં આવતા પ્રવાસીઓને આકર્ષવા વિવિધ પ્રોગ્રામ રજૂ થશે. ગુજરાત રાજ્ય સંગીત એકેડેમીનાં ડાયરેક્ટર અમુદાનભાઇ ગઢવીએ ગીર ફેસ્ટીવલ માણવા જાહેર આમંત્રણ પાઠવેલ છે. સાથે ફેસ્ટીવલને સફળ બનાવવા ગ્રીનપાર્ક હોટલનાં માલીક ટપારૂભાઇ વડસરીયા અને ફેસ્ટીવલ આયોજક અભીલાષ ઘોડા દ્વારા તડામાર તૈયારી કરાઇ છે.

સામતપરા ગામે બોર વીણતી મહિલાને, બાબરાવીડીમાં બાળકને સિંહે ફાડી ખાધા

  • DivyaBhaskar News Network
  • Dec 27, 2015, 05:11 AM IST
જૂનાગઢજિલ્લામાં આજે વનરાજોએ બે સ્થળે માનવી પર જીવલેણ હુમલા કર્યા હતા. જેમાં એક મહિલા અને એક બાળકનાં મોત નિપજ્યાં છે. ભેંસાણનાં સામતપરા ગામે બોર વીણતી મહિલા અને બાબરા વીડીમાં કુદરતી હાજતે બેઠેલો બાળક સિંહના હુમલાનો ભોગ બન્યા હતા.

ભેંસાણનાં સામતપરા ગામની કોળી ખેત મજૂર હંસાબેન જેરામભાઇ ધામેચા (ઉ.42) આજે ઘરકામ પતાવી સવારે 9 વાગ્યાનાં અરસામાં ગામની અન્ય 7 મહિલાઓ સાથે ચણી બોર વિણવા ગામની સીમમાં ગઇ હતી. તેઓ બામણગઢનાં દરબારની જમીન અને સરકડિયા હનુમાન જવાનાં રસ્તાનાં બોર્ડ પાસે હતા ત્યારે એકાએક સિંહણ તેમની સામે ધસી આવી હતી. જેને જોઇ હંસાબેન હતપ્રભ થઇ ગયા હતા. મહિલાઓ જોકે, બધી ટોળે વળી ગઇ હતી. પરંતુ સિંહણે ટોળા પર હુમલો કરી દીધો હતો. જેમાં હંસાબેન તેની ઝપટમાં આવી ગયા હતા. સિંહણે જોરદાર પંજો મારતાં તેઓ જમીન પર પડી ગયા હતા. આથી સિંહણ તેને મોઢેથી પકડી ઢસડીને બાજુનાં ખેતર તરફ લઇ ગઇ હતી. જ્યાં તેમને ફાડી ખાધા હતા. દરમ્યાન મહિલાઓએ દેકારો કરતાં આસપાસની વાડીઓમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરી સિંહણને ભગાડી દીધી હતી. દરમ્યાન હંસાબેને ઘટનાસ્થળેજ દમ તોડી દીધો હતો. તેમનાં મૃતદેહને પીએમ માટે ભેંસાણનાં સરકારી દવાખાને ખસેડાયો હતો. જ્યારે બીજો બનાવ ગિરનાં જંગલની ધારે આવેલી માળિયા હાટીના પાસેની બાબરા વીડીમાં બન્યો હતો. જ્યાં વનવિભાગે ઘાસ કાપવાની મજૂરી કામ માટે દાહોદ જીલ્લાનાં ગાંગરડા ગામનાં 80 થી 90 આદિવાસી મજૂરો આવ્યા છે. મજૂરો 3 થી 4 માસ માટે આવતા હોય છે અને તેઓ બાબરા વીડી પાસેજ દંગામાં રહે છે. હાલ છેલ્લા બે માસથી આદિવાસીઓ અહીં વસવાટ કરે છે. જેમાં રૂમાલભાઇ કેશવભાઇ ડામોરનો 7 વર્ષનો પુત્ર રોહિત આજે સવારે 6:30 વાગ્યે કુદરતી હાજતે ખુલ્લામાં બેઠો હતો. વખતે સિંહે આવીને તેના પર હુમલો કર્યો હતો. રોહિતે બચાવોની બુમો પાડતાં આરએફઓ પરમાર, રાઉન્ડ ફોરેસ્ટર જાડેજા, એચ. વી. શીલુ, ચૌહાણ, સહિતનાં આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરતાં સિંહ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે, સિંહે તેના પેટનો ભાગ ફાડી ખાધો હતો. અને શરીરનાં અન્ય ભાગોમાં દાંત બેસાડતાં રોહિતનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને પીએમ માટે માળિયા સરકારી દવાખાને ખસેડાયો હતો. અત્રે નોંધનીય છે કે, ગીર અને ગિરનાર તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય જંગલોમાં વન્ય પ્રાણી દ્વારા માનવી પર હુમલાની ઘટના અવાર-નવાર બનતી હોય છે ખરી પરંતુ સિંહ દ્વારા હુમલાની ઘટના ઓછી બને છે.

જૂનાગઢ: ભેંસાણ નજીક સાવજના માનવ પર હુમલાં, મહિલા-બાળકનું મોત


જૂનાગઢ: ભેંસાણ નજીક સાવજના માનવ પર હુમલાં, મહિલા-બાળકનું મોત


જૂનાગઢ: ભેંસાણ નજીક સાવજના માનવ પર હુમલાં, મહિલા-બાળકનું મોત

  • Bhaskar News, Bhesan/ Maliya Hatina
  • Dec 27, 2015, 00:52 AM IST
- ભેંસાણનાં સામતપરામાં બોર વીણતી મહિલાને, બાબરા વીડીમાં કુદરતી હાજતે બેઠેલા બાળકને ફાડી ખાધા
- સોરઠમાં વનરાજોનાં બે સ્થળે માનવી પર જીવલેણ હુમલા
- બંનેનાં સ્થળ  પર જ મોત, લોકોએ હાકલા પડકારા કરતાં સિંહો ખસ્યા

ભેંસાણ, માળિયા હાટીના: જૂનાગઢ જિલ્લામાં આજે વનરાજોએ બે સ્થળે માનવી પર જીવલેણ હુમલા કર્યા હતા. જેમાં એક મહિલા અને એક બાળકનાં મોત નિપજ્યાં છે. ભેંસાણનાં સામતપરા ગામે બોર વીણતી મહિલા અને બાબરા વીડીમાં કુદરતી હાજતે બેઠેલો બાળક સિંહના હુમલાનો ભોગ બન્યા હતા.

ભેંસાણનાં સામતપરા ગામની કોળી ખેત મજૂર હંસાબેન જેરામભાઇ ધામેચા (ઉ.42) આજે ઘરકામ પતાવી સવારે 9 વાગ્યાનાં અરસામાં ગામની અન્ય 7 મહિલાઓ સાથે ચણી બોર વિણવા ગામની સીમમાં ગઇ હતી. તેઓ બામણગઢનાં દરબારની જમીન અને સરકડિયા હનુમાન જવાનાં રસ્તાનાં બોર્ડ પાસે હતા ત્યારે એકાએક સિંહણ તેમની સામે ધસી આવી હતી. જેને જોઇ હંસાબેન હતપ્રભ થઇ ગયા હતા.

મહિલાઓ જોકે, બધી ટોળે વળી ગઇ હતી. પરંતુ સિંહણે ટોળા પર જ હુમલો કરી દીધો હતો. જેમાં હંસાબેન તેની ઝપટમાં આવી ગયા હતા. સિંહણે જોરદાર પંજો મારતાં તેઓ જમીન પર પડી ગયા હતા. આથી સિંહણ તેને મોઢેથી પકડી ઢસડીને બાજુનાં ખેતર તરફ લઇ ગઇ હતી. જ્યાં તેમને ફાડી ખાધા હતા. દરમ્યાન મહિલાઓએ દેકારો કરતાં આસપાસની વાડીઓમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરી સિંહણને ભગાડી દીધી હતી. દરમ્યાન હંસાબેને ઘટનાસ્થળેજ દમ તોડી દીધો હતો. તેમનાં મૃતદેહને પીએમ માટે ભેંસાણનાં સરકારી દવાખાને ખસેડાયો હતો.

જ્યારે બીજો બનાવ ગિરનાં જંગલની ધારે આવેલી માળિયા હાટીના પાસેની બાબરા વીડીમાં બન્યો હતો. જ્યાં વનવિભાગે ઘાસ કાપવાની મજૂરી કામ માટે દાહોદ જીલ્લાનાં ગાંગરડા ગામનાં 80 થી 90 આદિવાસી મજૂરો આવ્યા છે. આ મજૂરો 3 થી 4 માસ માટે આવતા હોય છે અને તેઓ બાબરા વીડી પાસેજ દંગામાં રહે છે. હાલ છેલ્લા બે માસથી આ આદિવાસીઓ અહીં વસવાટ કરે છે.

જેમાં રૂમાલભાઇ કેશવભાઇ ડામોરનો 7 વર્ષનો પુત્ર રોહિત આજે સવારે 6:30 વાગ્યે કુદરતી હાજતે ખુલ્લામાં બેઠો હતો. એ વખતે એ સિંહે આવીને તેના પર હુમલો કર્યો હતો. રોહિતે બચાવોની બુમો પાડતાં આરએફઓ પરમાર, રાઉન્ડ ફોરેસ્ટર જાડેજા, એચ. વી. શીલુ, ચૌહાણ, સહિતનાં આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરતાં સિંહ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે, સિંહે તેના પેટનો ભાગ ફાડી ખાધો હતો. અને શરીરનાં અન્ય ભાગોમાં દાંત બેસાડતાં રોહિતનું  ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને પીએમ માટે માળિયા સરકારી દવાખાને ખસેડાયો હતો.

બાબરા વીડીનાં સિંહને પકડી લેવાયો

બાબરા વીડીમાં વનવિભાગની જ મજૂરી કામે આવેલા લોકો સાથેનો બાળક સિંહનો કોળિયો બની જતાં સાસણથી રેસ્ક્યુ ટીમને બોલાવાઇ હતી. અને મોડી રાત્રે 8:30 વાગ્યે બાબરા વીડીનાં ડો. અપારનાથી, સાસણની રેસ્ક્યુ ટીમનાં ડો. કમાણી, પ્રવિણભાઇ, મોહંમદભાઇ, હનીફભાઇ, રહીમભાઇ સહિતનાં સ્ટાફે તેને લોકેટ કરી બાદમાં ટ્રાન્ક્વીલાઇઝર ગન વડે બેભાન કરીને પકડી લઇ ઓબ્ઝર્વેશન હેઠળ સાસણ મોકલી આપ્યો હતો.

બાબરા વીડીમાં 6 વર્ષમાં બીજો બનાવ

બાબરા વીડીનાં જંગલમાં 6 વર્ષ પહેલાં માંગરોળનો એક ધોબી યુવાન સિંહ-સિંહણનાં સંવનનની મોબાઇલ ક્લિપ ઉતારતો હતો એ વખતે સિંહે તેને ફાડી ખાધો હતો. ત્યારબાદ માનવી પર સિંહનાં હુમલાની અહીં બીજી ઘટના બની છે.
મજૂરો પર પ્રથમ વખત હુમલો

વનવિભાગનાં મજૂરો વર્ષોથી અહીં ઘાસ કાપવા આવે છે. પરંતુ ક્યારેય કોઇ સિંહનાં હુમલાનો ભોગ બન્યું નથી. આમ આ મજૂરો પર હુમલાની 25 વર્ષમાં પ્રથમ ઘટના બની છે.

વનવિભાગે મજૂરો માટે રહેવાની વ્યવસ્થા કરવી જોઇએ

આ અંગે ખોરાસા ગિરનાં પ્રકૃતિ પ્રેમી તપન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વનવિભાગે ઘાસ કટીંગ માટે આવનાર મજૂરોને સલામત સ્થળે રહેવા માટેની વ્યયવસ્થા ઉપલબ્ધ કરાવવી જોઇએ.

સામતપરામાં સિંહણ મહિલાને ખાતી રહી, વનકર્મીઓ જોતા રહ્યા

સામતપરા ગામની હંસાબેનને સિંહણ પાસેનાં ખેતરમાં ઢસડી ગઇ ત્યારે લોકોએ હાકલા પડકારા કર્યા હતા. એ વખતે વનવિભાગનાં 7 થી 8 કર્મચારીઓ હાજર રહી એ દૃશ્ય નિહાળી રહ્યા હતા. લોકોએ તેમને બોલાવ્યા હતા. પરંતુ તેઓ ડોકાયા નહોતા. અને મહિલાને સિંહણનાં પંજામાંથી છોડાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. સિંહણ હંસાબેનને પછાડી દઇ તેમના શરીર પર ચઢી બેસી તેને ખાવા લાગી હતી. આસપાસનાં લોકો માત્ર જોવા સિવાય કશું કરી શકી એમ નહોતા. આખરે પાણી વાળતો એક યુવાન પાવડો લઇને સિંહણ તરફ ગયો અને તેને ભગાડી મૂકી. આ દરમ્યાન વન કર્મીઓએ તમાશો નિહાળવા સિવાય કશું જ નહોતું કર્યું. બાદમાં ભેંસાણ દવાખાને કોંગ્રેસનાં નટુભાઇ, વજુભાઇ મોવલીયા દોડી ગયા હતા.

સુત્રાપાડાનાં સરાની સીમમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો

  • Bhaskar News, Sutrapada
  • Dec 27, 2015, 00:48 AM IST
સુત્રાપાડાનાં સરાની સીમમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો
- 11 માસનાં બચ્ચાનું બીમારીથી મોતનું તારણ

સુત્રાપાડા: સુત્રાપાડા નાં સરા ગામની સીમમાંથી  11 માસની વયનાં સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બચ્ચાનું બીમારીથી મોત થયાનું વન વિભાગનું પ્રાથમિક અનુમાન છે. પીએમ બાદ મોતનું ખરૂ કારણ જાણવા મળશે એમ જણાવ્યું હતું.

સુત્રાપાડા તાલુકાનાં સરા ગામની સીમમાં સિંહ બાળનો મૃતદેહ જોવા મળતાં લોકોએ  વન વિભાગને જાણ કરતા આરએફઓ કરંગીયાનાં માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર ગોસ્વામી, પંડયા સહિતનાં સ્ટાફે સ્થળ પર દોડી જઇ સિંહબાળનાં મૃતદેહને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે ખસેડયો હતો.

આ સિંહબાળનું મોત બીમારીને કારણે થયું હોવાનું વન વિભાગે અનુમાન કર્યુ છે. પરંતુ પીએમ રીપોર્ટ બાદ મોતનું ખરૂ કારણ જાણવા મળશે એમ વન વિભાગે જણાવ્યું હતું. સિંહ બાળનાં મોતથી વન્ય પ્રાણી પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી હતી.

આજથી ગિરનાર મહોત્સવ, કાલે ગિરનાર સ્પર્ધા

  • Bhaskar News, Junagadh
  • Dec 26, 2015, 00:00 AM IST
આજથી ગિરનાર મહોત્સવ, કાલે ગિરનાર સ્પર્ધા
- ઉત્સાહ: જૂનાગઢમાં પ્રવાસીઓને આકર્ષવા તંત્રનો પ્રયાસ : તમામ તૈયારીઓ પૂર્ણ
- સવારનાં 8 વાગ્યે ગિરનાર પુજા અને ઢળતી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ : 1170 સ્પર્ધકો ગિરનાર આંબવા દોટ મુકશે

જૂનાગઢ: જૂનાગઢમાં તા.26 ડીસેમ્બરથી ત્રિદિવસીય ગિરનાર મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે.જેમાં પ્રથમ દિવસે સવારનાં 8 વાગ્યે ગિરનાર પુજા થશે અને સાંજનાં સાંસ્કૃતિક કાર્યક્રમ ભવનાથમાં યોજાશે. જયારે ગિરનાર મહોત્સવ અંતર્ગત તા.27ડીસેમ્બરનાં 31મી રાજય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.જેમાં રાજયનાં 15 જિલ્લાનાં કુલ 1170 સ્પર્ધકો ભાગ લેશે.ગિરનાર મહોત્સવને લઇ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

જૂનાગઢમાં પ્રથમ વખત ગિરનાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ગિરનાર મહોત્સવનાં માધ્યમથી પ્રવાસીઓને જૂનાગઢ તરફ વાળવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જૂનાગઢમાં ત્રણ દિવસ જૂદા-જૂદા કાર્યક્રમનાં માધ્યમથી ગિરનાર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.ગિરનાર મહોત્સવનો પ્રારંભ આવતીકાલ એટલે કે તા.26 ડીસેમ્બરને સવારે 8 કલારે ભવનાથ ખાતે થી થશે. સવારનાં ભવનાથમાં ઝોનલ ઓફીસની બાજૂમાં ગિરનાર પુજા કરવામાં આવશે.તેની સાથે જ  ગિરનાર મહોત્સવનો પ્રારંભ થશે. બાદ સાંજનાં છ વાગ્યે ઝોનલ ઓફીસની બાજૂમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

તા. 27 ડીસેમ્બરનાં સવારે 6:30 કલાકે 31મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થશે.જેનો ઇનામ વિતરણ કાર્યક્રમા બપોરનાં 12 વાગ્યે મંગલનાથ બાપુની જગ્યામાં યોજાશે. ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રાજયનાં 15 જિલ્લામાંથી કુલ 1170 સ્પર્ધકો ભાગશે. તા. 28 ડીસેમ્બરનાં સાંજનાં સાત વાગ્યે ટાઉન હોલમાં રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જૂનાગઢમાં પાંચ કાર્યક્રમ કરી ગિરનાર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગિરનાર મહોત્સવને લઇ તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

27 ડિસે. રાત્રીથી ગિરનાર પર જવા પર પ્રતિબંધ

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તા.27 ડીસેમ્બરનાં યોજાશે.જેને લઇ તા. 27 ડીસેમ્બરનાં રાત્રીનાં 12 કલાકથી બપોરનાં 12 કલાક સુધી ગિરનારની સીડી પર જવા પર પ્રતિબંધ મુકાવમાં આવ્યો છે.માત્ર સ્પર્ધકો અને સ્પર્ધા સાથે સંકળાયેલા લોકો જ પ્રવેશ કરી શકશે.

ગિરનાર મહોત્સવથી ભાજપનું એક જૂથ નારાજ

જૂનાગઢમાં ભાજપનાં નેતાઓ વિકાસની વાતો કરે છે.પરંતુ ગિરનાર મહોત્સવની શરૂઆતથી ભાજપનું એક જૂથ નારાજ થયુ છે. ભાજપનાં એક જૂથનાં નેતાઓને બંધે સ્થાન મળી રહ્યુ હોય તેના કારણે બીજા જૂથનાં નેતાઓમાં કચવાટ જોવા મળી રહ્યુ છે. હવે કાલથી શરૂ થતા ગિરનાર મહોત્સવમાં નારાજ જૂથ દેખાય કે કેમ તે જોવાનુ રહ્યુ.

ગિરનાર સ્પર્ધામાં કેટલા સ્પર્ધકો ભાગ લેશે

532  સિનિયર ભાઇ
80 સિનિયર બહેનો
424 સિનિયર બહેનો
134 સિનિયર બહેનો

આવતી કાલથી ગિરનાર મહોત્સવનો પ્રારંભ, પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ


આવતી કાલથી ગિરનાર મહોત્સવનો પ્રારંભ, પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ

  • Bhaskar News, Junagadh
  • Dec 25, 2015, 00:37 AM IST
આવતી કાલથી ગિરનાર મહોત્સનો પ્રારંભ, પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ
આરોહણ-અવરોહણ સ્પર્ધા,સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે : ભાજપમાંથી કચવાટનો સુર પણ ઉઠ્યો
 
જૂનાગઢ : જૂનાગઢનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઇ શકે તેમ છે. ત્યારે જૂનાગઢ તરફ પ્રવાસીઓનું આકર્ષ વઘે તે માટે તંત્રએ એક પ્રયાસ કર્યો છે.ત્રિદિવસીય કાર્યક્રમમાં ગિરનાર પુજા,ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા, સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ યોજાશે. ગિરનાર મહોત્સવનો તા.26 ડીસેમ્બરથી પ્રારંભ થશે.જે તા.28 ડીસેમ્બરનાં ટાઉનહોલમાં રંગારંગ કાર્યક્રમ સાથે પૂર્ણ થશે. રાજ્ય સરકારનાં ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર આયોજીત ગરવા ગિરનારની ગોદમાં ટીસીજીએલ  દ્વારા સંકલીત તા. ૨૬ અને તા. ૨૭ ડિસેમ્‍બર બે દિવસ ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૨૬ ડિસેમ્‍બરે જૂનાગઢનાં મેયર જીતુભાઇ હીરપરાનાં હસ્તે  અને સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને જૂનાગઢનાં ધારાસભ્ય મહેન્‍દ્રભાઇ  ગિરનાર પૂજન કાર્યક્રમથી ગિરનારોત્સવનો પ્રારંભ થશે. તા ૨૬ ડિસેમ્‍બરે ભવનાથ તળેટી ખાતે ઝોનલ કચેરી નજીક સરકારી સ્‍ટેજ ખાતે તા. ૨૬નાં સવારે ૮-૦૦ કલાકે સંતો, મહંતો અને સમાજશ્રેષ્‍ઠીઓ, કેળવણીકારો અને પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્‍થિતીમાં યોજાશે.
 
બે દિવસીય ગિરનારોત્સવ કાર્યક્રમ દરમ્યાન તા. ૨૬ ડિસેમ્‍બરનાં રોજ સવારનાં ૮-૦૦ કલાકે ઝોનલ કચેરી પાસેનાં સરકારી સ્‍ટેજ  ખાતે ગિરનાર પૂજન કાર્યક્રમ તેમજ  સાંજે ૬-૦૦ કલાકે ઝોનલ કચેરી પાસેનાં સરકારી  સ્‍ટેજ ખાતે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાશે. તા. ૨૭ ડિસેમ્‍બરે સવારે ૬-૩૦ કલાકે ૩૧મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધા  અને બપોરે ૧૨-૦૦ કલાકે મંગલનાથજી આશ્રમ ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાશે.. તા. ૨૮ ડિસેમ્‍બરે સાંજે ૭-૦૦ કલાકે શહેરનાં ટાઉનહોલ  કાર્યક્રમ યોજાશે.

કેશોદનાં ડેરવાણ ગામમાં 7 ફૂટનો મગર આવી ચઢયો

કેશોદનાં ડેરવાણ ગામમાં 7 ફૂટનો મગર આવી ચઢયો
  •  Bhaskar News, Junagadh
  • Dec 24, 2015, 23:44 PM IST
કેશોદનાં ડેરવાણ ગામમાં 7 ફૂટનો મગર આવી ચઢયો
મગર આવી જતાં લોકોમાં ગભરાટ સાથે દોડધામ મચી ગઇ
 
કેશોદ : કેશોદનાં ડેરવાણ ગામની સીમમાં હમીરભાઇ હાદાભાઇ ધુળાની વાડીમાં 7 ફુટની લંબાઇ ધરાવતો મગર આવી જતાં લોકોમાં ગભરાટ સાથે દોડધામ મચી ગઇ હતી. આ અંગે વન વિભાગને જાણ કરાતાં આરએફઓ જે.સી. હિંગરાજીયાનાં  માર્ગદર્શન હેઠળ જે.આર. ટાટમીયા સહિતનાં સ્ટાફે સ્થળ પર દોડી જઇ રેસ્કયુ ઓપરેશન ધરી મગરને દોરડાથી બાંધી સાસણ મોકલી આપ્યો હતો. આ માદા મગરની ઉંમર 22 વર્ષનું વન વિભાગે
જણાવ્યું હતું.

300થી 400 હેક્ટરમાં કર્યું નાળિયેરીનું વાવેતર, વર્ષમાં 6 લાખની કમાણી


300થી 400 હેક્ટરમાં કર્યું નાળિયેરીનું વાવેતર, વર્ષમાં 6 લાખની કમાણી
Sarman Ram, Junagadh Dec 24, 2015, 11:32 AM IST
જૂનાગઢ: સુત્રાપાડા તાલુકાનાં ઉંબરી ગામનાં એક ખેડૂતને ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવવાનો લાભ સીધો ડબલ થયો છે. અગાઉ ધોરીયા પદ્ધતિથી પાકને પિયત આપતી વખતે માત્ર 5 વીઘા જમીનમાં સિંચાઇ મળતી. તેને બદલે હવે 10 વીઘામાં સિંચાઇ મળતી થઇ છે.
 
ઉંબરીનાં રમેશભાઇ છાત્રોડિયા અગાઉ 10 વીઘા જમીનમાં મગફળી, તલ અને કપાસ જેવા ચીલાચાલુ પાકની ખેતી કરતા. આધુનિક ખેતી માટે તેમણે બાગાયત વિભાગનો સંપર્ક સાધ્યો. બાગાયત અધિકારીઓએ તેમને સહાય તેમજ આધુનિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું. જેને પગલે તેમણે ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી.
 
રમેશભાઇએ પોતાની 10 વીઘા જમીનમાં નાળિયેરીનાં 400 રોપા વાવ્યા. અને તેને ટપક પદ્ધતિથી ઉછેરતાં ખર્ચ ઘટ્યો. અગાઉ ધોરીયા પદ્ધતિથી માત્ર 5 વીઘા જમીનમાં સિંચાઇ કરી શકતા. તેને બદલે હવે બમણી જમીનમાં સિંચાઇ કરી શકે છે. તેઓ કહે છે, આજે મને નાળિયેરીનું એક ઝાડ વર્ષે રૂ. 1500 રળી આપે છે. આ રીતે 400 નાળિયેરીથી વર્ષે છ લાખની આવક સાથે ચોખ્ખો નફો 5 લાખ થાય છે.
 
આગળ ક્લિક કરો અને વાંચો વર્ષે 1થી 2 લાખ નાળિયેરીનાં રોપા તૈયાર થાય છે
 
તમામ તસવીરો: સરમણ રામ, જૂનાગઢ 
વર્ષે 300 થી 400 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર વધે છે
 ગિર-સોમનાથ જિલ્લામાં નાળિયેરીનો પાક મુખ્ય છે. તેનું વાવેતર જિલ્લામાં દર વર્ષે 300 થી 400 હેક્ટર વધતું જાય છે. હાલ જિલ્લામાં 7200 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર છે.
વર્ષે 1થી 2 લાખ નાળિયેરીનાં રોપા તૈયાર થાય છે
 જિલ્લામાં બાગાયતની 3 અને 35 ખાનગી નર્સરી આવેલી છે. જે આંબાનાં 4 થી 5 લાખ અને નાળિયેરીનાં 1 થી 2 લાખ રોપા તૈયાર કરે છે.
સરકાર દ્વારા મળતી સહાય
 નાળિયેરી પાકમાં ખેડૂતને બાગાયત વિભાગ રૂ. 40 હજારની પ્રોત્સાહક સહાય આપે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર નાળિયેરીનાં નવા વાવેતર માટે ખર્ચનાં 50 ટકા અથવા પ્રતિ હેક્ટર રૂ. 20 હજાર અને પાક નિદર્શન માટે ખર્ચનાં 50 ટકા અથવા રૂ. 35,000 પ્રતિ હેક્ટર અને ઓર્ગેનિક યુનિટ માટે પણ રૂ. 20,000 પ્રતિ હેક્ટર સહાય પણ ચૂકવાય છે.

ગિરનાર રોપ-વેની કામગીરી શરૂ કરવા મેયરે કરી રજૂઆત

  • DivyaBhaskar News Network
  • Dec 24, 2015, 07:19 AM IST
જૂનાગઢગિરનાર રોપ-વેની મંજૂરી 2007માં મળી હતી. પરંતુ કોઇ કામગીરી થતાં મેયરે લોકસભાનાં 25 સાંસદ અને રાજ્ય સભાનાં 8 સાંસદોને રજૂઆત કરી હતી.

જૂનાગઢમાં ગિરનાર રોપ-વે એશિયાની મોટી યોજના છે. વર્ષ 2007માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ત્યારે યોજનાનું ખાતમૂર્હુત કર્યું હતું. ત્યારબાદ ગિરનાર કેન્દ્ર વન વિભાગ દ્વારા આરક્ષિત અભ્યારણ્ય જાહેર કરવામાં આવતા આયોજન અટકી હતી. જૂનાગઢમાં લોકો ગિરનારનાં દર્શનાર્થે આવતા હોવાથી યોજના સત્વરે શરૂ થાય તે માટે લોકસભાનાં 26 સાંસદ, રાજ્યસભાનાં 8 સાંસદને રોપ-વેની કામગીરી શરૂ કરવા માટે મેયર જીતુભાઇ હિરપરાએ રજૂઆત કરી હતી.

જૂનાગઢ સક્કરબાગ ઝૂનાં સિંહની નર-માદા જોડી જશે લંડનનાં ઝૂમાં

  • DivyaBhaskar News Network
  • Dec 23, 2015, 03:55 AM IST
જૂનાગઢનાંસક્કરબાગ ઝૂમાંથી સિંહની નર-માદા જોડીને લંડનનાં ઝૂમાં મોકલવા માટેની દરખાસ્ત કરાઇ છે. અને તેના બદલામાં ચિત્તા, ઝીબ્રા અને આફ્રિકન લેમુર જેવાં પ્રાણીઓ સક્કરબાગ આવશે.

જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી નર-માદા સિંહની એક જોડી લંડનનાં ઝૂમાં મોકલવાની દરખાસ્ત ઝૂ દ્વારા મૂકવામાં આવ્યાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બદલામાં સક્કરબાગ ઝૂને ચિત્તાની એક નર-માદા જોડી, ઝીબ્રાની એક નર-માદા જોડી તેમજ 3 આફ્રિકન લેમુર નામનાં પ્રાણીઓ મળશે. પ્રક્રિયા એનિમલ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ હાથ ધરાશે. જોકે, માટેની દરખાસ્ત હજુ મૂકવામાં આવી છે. જે કેન્દ્રિય ઝૂ ઓથોરિટીની લીલી ઝંડી મળ્યા બાદ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, સક્કરબાગ ઝૂમાંથી એશિયાટિક સિંહો દુનિયાભરનાં ઝૂમાં મોકલવામાં આવે છે. અને બદલામાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ અહીં લાવવામાં આવે છે. અહીં તેનું બ્રિડીંગ પણ કરાતું હોય છે. હાલ ઝૂ દેશનાં સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયો પૈકીનું એક છે.

વર્ષો પહેલાં સીંગાપોરથી ચિત્તા લવાયા હતા

સક્કરબાગ ઝૂમાં વર્ષો પહેલાં સીંગાપુરનાં ઝૂમાંથી નર-માદા ચિત્તાની બે જોડી લાવવામાં આવી હતી. અને તેના બદલામાં 3 સિંહો સીંગાપુર મોકલાયા હતા. બાદમાં જોકે, એક ચિત્તાનું મોત થયું હતું. વખતે ચિત્તાને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોનાં દર્શનાર્થે ખુલ્લા મૂક્યા હતા.

અમરેલી: ઇકો ઝોન મુદે 1000 ખેડૂતનું વિરોધ પ્રદર્શન, 18 ગામના ખેડૂત લાલઘુમ


અમરેલી: ઇકો ઝોન મુદે 1000 ખેડૂતનું વિરોધ પ્રદર્શન, 18 ગામના ખેડૂત લાલઘુમ

  • Bhaskar News, Savarkundla
  • Dec 31, 2015, 00:18 AM IST
- સાવરકુંડલામાં ખેડૂતોએ બાઇક રેલી કાઢી આવેદન પાઠવ્યુ : વીજ કંપનીની તાનાશાહી સાથે પણ રોષ

સાવરકુંડલા: અમરેલી જીલ્લામાં છેલ્લા ચાર મહિનાથી ઇકોઝોનના મુદે ગ્રામ્ય વિસ્તારના લોકો લડત ચલાવી રહ્યા છે. છતાં સરકાર દ્વારા ખેડૂતોનો અવાજ સાંભળવામાં આવતો ન હોય આજે સાવરકુંડલામાં એક હજાર ખેડૂતોએ વિશાળ બાઇક રેલી કાઢી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યુ હતું. ખેડૂતોએ ઇકો ઝોનથી પડનારી તકલીફ ઉપરાંત વિજ કંપની દ્વારા થતી હેરાનગતી સામે પણ આક્રોશ વ્યક્ત કરી પગલા લેવા માંગ કરી હતી.

ઇકો સેન્સેટીવ ઝોનથી અમરેલી જીલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં પ્રભાવિત થાય તેમ હોય આ મુદે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગીર કાંઠા આસપાસના વિસ્તારો ઉપરાંત શેત્રુજી કાંઠાના વિસ્તારોનો ઇકો ઝોનમાં સમાવેશ થતો હોય આવનારા સમયમાં ખેડૂતોને તેમના ખેતીકામમાં પણ મુશ્કેલી પડશે તે આશંકાએ ધારી, ખાંભા, સાવરકુંડલા સહિતના શહેરોમાંથી ભારે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. ધારીમાં તો આ મુદે લાંબા સમયથી પ્રતિક ઉપવાસ આંદોલન પણ ચાલી રહ્યુ છે. ત્યારે આજે સાવરકુંડલા પંથકમાં પણ ફરી આંદોલનના મંડાણ થયા હતાં અને ખેડૂતોએ પોતાની તાકાતનો સરકારને પરચો આપ્યો હતો. સાવરકુંડલામાં આજે ખેડૂતો દ્વારા ઇકો સેન્સેટીવ ઝોનના કાયદાનો વિરોધ કરવા વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયુ હતું.

સાવરકુંડલાના સુર્યોદય પેટ્રોલપંપથી 1000 જેટલા ખેડૂતોએ આ બાઇક રેલી યોજી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. જ્યાં ખેડૂતોએ આ કાયદાનું તાકીદે નિરાકરણ લાવવા ઉગ્ર માંગ કરી હતી. મયુરભાઇ સેલડીયા, હસુભાઇ સુચક, મહેશભાઇ જયાણી, વિપુલભાઇ જયાણી વિગેરેની આગેવાની નીચે ખેડૂતોએ અહિં મામલતદારને આવેદન પાઠવ્યુ હતું.

ખેડૂતોને વિજ કંપની દ્વારા થતી હેરાનગતી, પીજીવીસીએલ દ્વારા બીજુ વિજ જોડાણ અપાતુ ન હોય, નવા વિજ કનેક્શનો ચેકીંગની હેરાનગતિ ઉપરાંત ભુંડ-રોઝનો ત્રાસ, 7-12 અને 8-અના ઉતારાની નકલમાં પડતી અગવડતા જેવા પ્રશ્નોને લઇને પણ રોષપૂર્ણ રજુઆત કરવામાં આવી હતી. આ તકે બાબુભાઇ કુબાવત, રાઘવભાઇ સાવલીયા, કિશોરભાઇ ગજેરા, મનુભાઇ ડાવરા, સતીષભાઇ મહેતા, હિંમતભાઇ ગુર્જર, અશ્વિનભાઇ ધામેલીયા વિગેરે ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

ચોક્કસ કંપનીની મોટર ખરીદવા આગ્રહ કેમ

ખેડૂતોએ આજે મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યુ હતું કે હાલમાં જે ખેડૂતના નવા વિજ જોડાણ મંજુર થાય છે તેને વિજ કંપની દ્વારા ચોક્કસ કંપનીની જ ઇલેકટ્રીક મોટર ખરીદવા ફરજ પડાય છે જે વ્યાજબી નથી.

હિંસક પશુના હુમલામાં પુરૂ વળતર આપો

આવેદનપત્રમાં એમ પણ જણાવાયુ હતું કે ખેડૂતો અને તેના મજુરો ઉપરાંત ગાય, બળદ, ભેંસ જેવા પશુઓ પર સિંહ, દિપડા અને ભુંડ જેવા હિંસક પશુઓ હુમલા કરી ઇજા પહોંચાડે છે કે જાનહાની સુધીની ઘટના બને છે. પરંતુ તેમાં વનતંત્ર પુરતુ વળતર આપતુ નથી. જે મળવુ જોઇએ.

બીરાઓએ સિંહને શિકાર સમયે કર્યો પરેશાન

  • DivyaBhaskar News Network
  • Dec 30, 2015, 03:46 AM IST
અમરેલીજીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો દ્વારા મારણની ઘટનાઓ રોજ બને છે. મારણના સ્થળે સિંહ દર્શન માટે ટોળેટોળા ઉમટી પડે છે અને અવાર નવાર સાવજોને હેરાન કરવાની ઘટનાઓ પણ બને છે. શેત્રુજી નદી વિસ્તારમાં ગઇકાલે નબીરાઓએ મારણ કરી રહેલા સાવજને પરેશાન કર્યાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જાગી છે. રેવન્યુ વિસ્તારમાં વન વિભાગ આક્રમક બની પગલા લેવામાં ઉણુ ઉતરી રહ્યુ છે. શેત્રુજીના પટમાં અવાર નવાર સાવજો આવતા રહે છે. બલ્કે શેત્રુજી કાંઠાના વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો વસી રહ્યા છે. તાજેતરમાં અહિં સાવજ દ્વારા એક પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ ત્યારે સિંહ દર્શન માટે પહોંચેલા નબીરાઓએ તેની વિડીયો ક્લીપ ઉતારી હતી.

અમરેલી: સલડીના યુવકે 520 જેટલા પક્ષીઓનાં અવાજ કર્યા રેકોર્ડ

 Bhaskar News, Amreli
Dec 29, 2015, 00:48 AM IST
અમરેલી: સલડીના યુવકે 520 જેટલા પક્ષીઓનાં અવાજ કર્યા રેકોર્ડ 
અમરેલી: સલડીના યુવકે 520 જેટલા પક્ષીઓનાં અવાજ કર્યા રેકોર્ડ
- ઉભરતી પ્રતિભા: પક્ષીઓના અવાજ રેકોર્ડ કરતુ ઉપકરણ પણ વિકસાવ્યું,  યંગ નેચરાલીસ્ટ એવોર્ડ મેળવી સન્માન કરાયું

અમરેલી: લીલીયા તાલુકાના સલડી ગામે રહેતો વિરલ જોષી નાનપણથી જ પક્ષી અને પ્રકૃતિ પ્રત્યે ભારે સહાનુભુતી ધરાવે છે. તેણે પક્ષી બચાવો અંગેની જાગૃતિ માટે નાની ઉંમરમા ઘણુ મોટુ કામ કર્યુ છે. પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવા છતા પણ તેણે મહેનત અને લગનથી આજે સફળતા મેળવી છે. તેણે અત્યાર સુધીમાં 520 જેટલા પક્ષીઓના અવાજ રેકોર્ડ કરી ભારતભરમાં નામ રોશન કર્યુ છે જે બદલ તેને તાજેતરમાં યંગ નેચરાલીસ્ટ એવોર્ડ-2015થી સન્માન કરાયુ છે.
નાના એવા સલડી ગામે રહેતા અને કર્મકાંડ કરતા અરવિંદભાઇના પુત્ર વિરલે સમગ્ર ભારતભરમાં સલડી ગામ અને પરિવારનુ નામ રોશન કર્યુ છે. વિરલ નાનપણથી જ પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યે અનહદ પ્રેમ ધરાવે છે. તેણે લોકોમાં પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવે તે માટે પણ અભિયાન ચલાવ્યું છે. પક્ષી વિજ્ઞાનમા આગળ વધવુ હોય અને એમાય તેનો અવાજ રેકાર્ડ કરવો હોય તે કઠીન કામ છે અને તેના ઉપકરણો પણ અતિ ખર્ચાળ છે. વિરલની આર્થિક સ્થિતી નબળી હોવાથી તેને આવા ઉપકરણો ખરીદવા પરવડે તેમ ન હતા.


છતા વિરલે મહેનત અને લગનથી તેણે પોતે જ એક ઇન્સ્ટુમેન્ટ બનાવ્યું અને તે પણ માત્ર 350 રૂપિયામા જે પક્ષીઓના અવાજ રેકાર્ડ કરી શકે. બજારમાં તો આવા ઉપકરણો ખુબ મોંઘા મળે છે. વિરલે હિમાલય, ગોવા તેમજ ગુજરાતમા વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે ખુબ જ મોટુ યોગદાન આપ્યું છે.

તાજેતરમાં તેની આ કામગીરીની નોંધ લઇ મુંબઇ ખાતે યોજાયે ‘ધ સેન્ચુરી વાઇલ્ડ લાઇફ એવોર્ડ 2015’મા ભારતમા સૌથી નાની ઉંમરના 22 વર્ષીય વિરલ અરવિંદભાઇ જોષીને ‘યંગ નેચરાલીસ્ટ એવોર્ડ’ અર્પણ કરી તેને સન્માનિત કરાયો છે.

ભારતમાં અત્યાર સુધીમાં 1200 પક્ષીઓના અવાજ રેકોર્ડ થયા છે

ભારતમા અત્યાર સુધીમાં આશરે 1200 જેટલા બર્ડ કોલ રેકોર્ડ થયા છે જેમાથી 520 જેટલા પક્ષીઓના અવાજ વિરલ જોષીએ રેકોર્ડ કર્યા છે. વિરલ જોષીની પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યેની આવી કામગીરીને સૌ કોઇ બિરદાવી રહ્યાં છે.
 

ઠંડીમાં ઓળો-રોટલો મળી જાય એટલે બસ, સીઝનલ વાનગીઓ આરોગતા સીમ વિસ્તારનાં ખેડૂતો

ઠંડીમાં ઓળો-રોટલો મળી જાય એટલે બસ, સીઝનલ વાનગીઓ આરોગતા સીમ વિસ્તારનાં ખેડૂતો
- દેશી ભાણું: બાબરા પંથકમાં શીયાળાની ઋતુમાં સીઝનલ વાનગીઓ આરોગતા સીમ વિસ્તારનાં ખેડૂતો

બાબરા: હાલ શિયાળો બરાબર જામ્યો છે. થોડા દિવસોથી બાબરા પંથકમા વધુ ઠંડી પડતી હોય તેવુ લાગી રહ્યુ છે. લોકો પોતાની તંદુરસ્તીને સુધારવામા લાગી ગયા છે. સવારે વહેલા ઉઠી કસરતો કરતા જોવા મળી રહ્યા છે. વાડી ખેતરમા લોકો હવે તાપણા કરતા પણ નજરે ચડી રહ્યા છે. સાથે સાથે આ ઋતુમા લોકો દેશી ખાણી-પીણીમા ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. લોકો તેના પરીવારજનો સાથે ખેતરમા જુદા-જુદા દેશી ખાણુ બનાવી તેનો આસ્વાદ માણી રહ્યાં છે.  

 બાબરા પંથકમા ઠંડીનો દોર શરૂ થયો છે. કડકડતી ઠંડીથી લોકો થરથર કંપી ઉઠયાં છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ એટલે આરોગ્ય બનાવવાની ઋતુ છે. લોકો વહેલી સવારથી શિયાળાની ઠંડીમા વિવિધ કસરતો કરતા નજરે ચડી રહ્યા છે. અને પોતાના સ્વાથ્યને તંદુરસ્ત બનાવવામા લાગી ગયા છે અને શરીરને નિરોગી બનાવી રહ્યા છે. ગામડાઓમા લોકો તાપણુ કરતા જોવા મળી રહ્યા છે.

 બાબરા પંથકની મોટા ભાગની વાડીઓ ખેતરોમા લોકો દેશી ખાણુ આરોગીને ઠંડીમાંથી રાહત અનુભવી રહ્યા છે. લોકો ખેતરોમા બાજરાનો રોટલો અને ઓળો, પંચરત્ન દાળ, મેથીના ભજીયા, પટ્ટી મરચાના ભજીયા વિગેરે બનાવી આરોગી રહ્યા છે. આમ આ પંથકની વાડીઓમા પરીવાર સાથે લોકો કાતીલ ઠંડીમા પણ દેશી ખાણુ આરોગી જમાવટ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં દરેક સીઝન વખતે લોકો અલગ-અલગ ખાણી-પીણીનો શોખ રાખે છે. ત્યારે િશયાળામાં પણ કાઠીયાવાડમાં ઓરો અને રોટલો ફેવરીટ છે અને શિયાળામાં વાડી વિસ્તારમાં મોટા ભાગે આવી વાનગીઓ બનતી રહે છે.

ચાંદગઢમાં હવામાં ફાયરીંગ અંગે વનકર્મી દ્વારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

  • DivyaBhaskar News Network
  • Dec 24, 2015, 09:14 AM IST
મરેલીતાલુકાના ચાંદગઢ ગામની સીમમાં ગઇરાત્રે સાવજોની રક્ષા માટે પેટ્રોલીંગ કરી રહેલા એક વનકર્મી સામે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે હવામા ફાયરીંગ કર્યાની ઘટના બાદ આજે વનકર્મી દ્વારા પોલીસને લેખિતમાં ફરિયાદ આપવામા આવી હતી. દરમિયાન ફાયરીંગના સ્થળથી થોડે દુર વનવિભાગને શિકાર કરાયેલા સસલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો પર નજર રાખવા વનકર્મચારીઓને રાત્રે પણ પેટ્રોલીંગ કરવુ પડે છે. અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની સીમમાં વનવિભાગના કર્મચારી મેરાભાઇ ભગવાનભાઇ જાપડા ગઇરાત્રે સીમમા પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સોની શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડતા તેમણે તેના પર બેટરીનો પ્રકાશ ફેંકી પડકાર્યા હતા.

દરમિયાન સંભવત: શિકારના ઉદ્દેશ્યથી આવેલા બંને શખ્સોના હાથમા દેશી બંદુક જેવુ હથિયાર હોય તેનાથી તેણે હવામા ફાયરીગ કરી વનકર્મચારીને ડરાવ્યા હતા. અને બાદમાં બાઇક પર બંને નાસી છુટયા હતા. જે અંગે આજે મેરાભાઇ જાપડાએ અમરેલી તાલુકા પોલીસમા લેખિત ફરિયાદ આપી હતી.

બીજી તરફ વનકર્મચારીઓ દ્વારા રાત્રે શખ્સોની શોધખોળ શરૂ કરાઇ હતી. દરમિયાન આજે ફાયરીંગના સ્થળની નજીકથી એક સસલાનો શિકાર કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઇન્ચાર્જ આરએફઓ આર.એમ.હેરભાએ જણાવ્યું હતુ કે સસલાને સળીયા વડે મોતને ઘાટ ઉતારવામા આવ્યુ હોવાનુ જણાઇ રહ્યું છે. વનતંત્રએ દિશામા પણ તપાસ શરૂ કરી છે.

અવાર-નવાર જંગલ વિસ્તારમાંથી પ્રાણીઓનાં શિકાર થતાં હોય અને મૃતદેહો મળી આવતા હોય આવી પ્રવૃત્તિ અટકાવવા વનપ્રેમીઓમાંથી તંત્ર દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવે એવી માંગ પણ ઉઠાવવામાં આવી છે.

લીલીયા પંથકમાં બે દિવસમાં સિંહે કર્યું ત્રણ પશુઓનું મારણ


  • DivyaBhaskar News Network
  • Dec 18, 2015, 02:45 AM IST
લીલીયાનાબૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અવાનવાર સાવજો વાડી ખેતરોમાં આવી ચડે છે અને પશુઓનુ મારણ કરે છે. ત્યારે અહી બે દિવસમાં સાવજોએ જુદાજુદા સ્થળોએ ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ પણ દોડી ગયો હતો. સાવજો દ્વારા પશુઓના મારણની ઘટના લીલીયા પંથકમાં બની હતી. અહી લીલીયાથી અમરેલી માર્ગ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પસો આવેલ મનુપરી બાપુના ખેતરમાં બે સાવજો આવી ચડયા હતા. અહી સાવજોએ એક પાડીનું મારણ કર્યુ હતુ. ઉપરા઼ત સનાળીયા માર્ગ પર આવેલ ફુલજીભાઇ ઝીંઝુંવાડીયાના ખેતરમાં પણ સાવજો આવી ચડયા હતા અહી સાવજોએ એક બળદનું મારણ કરી મિજબાની માણી હતી.

જયારે ધીરૂભાઇ શીંગાળાના ખેતરમાં સાવજોએ એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. કડકડતી ઠંડીમાં સાવજોની ડણકોથી લોકો થથરી ઉઠયાં હતા. મારણની ઘટના અંગે જાણ થતા ફોરેસ્ટર કે.જી.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજો અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.

લીલીયા પંથકમાં સિંહે કર્યું ત્રણ પશુઓનું મારણ કરતા લોકોમાં ફફડાટ


લીલીયા પંથકમાં સિંહે કર્યું ત્રણ પશુઓનું મારણ કરતા લોકોમાં ફફડાટ


  • Bhaskar News, Amreli
  • Dec 17, 2015, 23:49 PM IST
લીલીયા: લીલીયાના બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અવાનવાર સાવજો વાડી ખેતરોમાં આવી ચડે છે અને પશુઓનુ મારણ કરે છે. ત્યારે અહી બે દિવસમાં સાવજોએ જુદાજુદા સ્થળોએ ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ પણ દોડી ગયો હતો.  સાવજો દ્વારા પશુઓના મારણની આ ઘટના લીલીયા પંથકમાં બની હતી. અહી લીલીયાથી અમરેલી માર્ગ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પસો આવેલ મનુપરી બાપુના ખેતરમાં બે સાવજો આવી ચડયા હતા. અહી સાવજોએ એક પાડીનું મારણ કર્યુ હતુ. આ ઉપરા઼ત સનાળીયા માર્ગ પર આવેલ ફુલજીભાઇ ઝીંઝુંવાડીયાના ખેતરમાં પણ સાવજો આવી ચડયા હતા અહી સાવજોએ એક બળદનું મારણ કરી મિજબાની માણી હતી.  જયારે ધીરૂભાઇ શીંગાળાના ખેતરમાં સાવજોએ એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. કડકડતી ઠંડીમાં સાવજોની ડણકોથી લોકો થથરી ઉઠયાં હતા. મારણની ઘટના અંગે જાણ થતા ફોરેસ્ટર કે.જી.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજો અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.

ખાંભા: આધેડને બચાવવા વનકર્મીએ સિંહણ સાથે બાથ ભીડી, થયો ઈજાગ્રસ્ત


ખાંભા: આધેડને બચાવવા વનકર્મીએ સિંહણ સાથે બાથ ભીડી, થયો ઈજાગ્રસ્ત


  • Hirendrasinh Rathod, Khambha
  • Dec 16, 2015, 12:33 PM IST
ખાંભા: ખાંભા તાલુકાના નસેડી-સમઢિયાળા ગામે સવારથી એક સિંહણ ઘુસી ગઈ હતી અને ગામને બાનમાં લીધું હતું. જોતજોતામાં સિંહણે એક આધેડ પર હુમલો કરવાની કોશિષ કરી હતી પરંતુ વનકર્મી વચ્ચે પડતાં આધેડ બચી ગયા હતા. સિંહણે વનકર્મીને ઈજા પહોંચાડતા તે હાલ અમરેલી સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થતા વનવિભાગનો અન્ય સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વનકર્મીનાં ઉમદા કાર્યની નોંધ લીધી હતી. વનવિભાગ દ્વારા વનકર્મીને બહાદુરી માટે એવોર્ડથી નવાજવામાં આવશે તેવી ચર્ચા વનવિભાગના સુત્રો તરફથી મળી રહી છે.
 
ખાંભા તાબાના સમઢિયાળા-2 ગામે મંગળવારે સવારે એક સિંહણ ગામમાં ઘૂસતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો, જેની વનવિભાગને જાણ કરાતા વનવિભાગની રેસ્કયુ ટીમ દોડી આવી હતી અને સિંહણને ગામની બહાર ખસેડવા પ્રયાસ શરૂ કર્યા હતા. દરમિયાન સિંહણ એક આધેડ વયની વ્યક્તિ પર હુમલો કરવા જતી હોવાનું જોતાં રેસ્કયુ ટીમના કર્મચારી બચાવવા જતાં સિંહણે તેમની પર હુમલો કકી ઘાયલ કર્યા હતા. ઇજાગ્રસ્ત વનકર્મીને પ્રથમ ખાંભા અને બાદમાં અમરેલી રિફર કરાયા હતા. બાદમાં રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ સિંહણને ગામ બહાર ખસેડાઈ હતી.
 
નિતલીમાં કરંટથી સિંહણનું મોત :
 
તુલસીશ્યામ રેંજના કોઠારિયા રાઉન્ડ હેઠળ આવતા નિતલી ગામે એક સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. સિંહણનું મોત વાડીમાં તાર ફેન્સિંગમાં વીજ કરંટથી થયાનું ખૂલતાં વનવિભાગે વાડી માલિકની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.