Tuesday, December 31, 2019

સિંહે બળદનું મારણ કરી મિજબાની માણી, બે કારમાં આવેલા શખ્સોએ બૂમો પાડી ભગાવવાનો પ્રયાસ કર્યો

  • સિંહ મિજબાની માણી રહ્યો હતો ત્યારે એક કાર સાવ તેની નજીક લઇ જવામાં આવી હતી

Divyabhaskar.com

Dec 31, 2019, 03:58 PM IST
અમરેલી: સિંહ દ્વારા એક બળદનું મારણ કરતો હોય તેનો વીડિયો સાશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં બે કારમાં આવેલા શખ્સોએ મિજબાની માણી રહેલા સિંહને ભગાવવા હાકલા પડકારા કર્યા હતા. જો કે, સિંહે પોતાનું મારણ છોડ્યું નહોતું. સિંહે બળદનો શિકાર કર્યો ત્યારે કેટલાક શખ્સોએ તેને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કારચાલક સિંહની સાવ નજીક લઇ ગયો હતો. હાલ આ વીડિયો સોશિયમ મીડિયામાં વાઇરલ થયો છે.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-hunt-bull-in-gir-forests-village-and-this-video-viral-126408696.html

સિંહણે બચ્ચાને મોઢામાં ઉંચકી લઇ રસ્તો ઓળંગવાનો પાઠ ભણાવ્યો

  • ધારી- વિસાવદર રોડ પર સિંહણનો માતૃપ્રેમ જોઇ વાહન ચાલકો થંભી ગયા

Divyabhaskar.com

Dec 30, 2019, 10:28 AM IST
અમરેલી: ધારી-વિસાવદર રોડ પર આમ તો દિવસભર વાહનોની અવરજવર સતત ચાલુ હોય છે. રાત્રીના સમયે પણ આ માર્ગ ધમધમતો હોય છે. વળી આ વિસ્તાર સાવજોનો વિસ્તાર છે. અહીં અવારનવાર સાવજો રસ્તા પર આવી જાય છે અને અડિંગો જમાવે છે. દિવસ દરમિયાન અવારનવાર તેણે આ રસ્તો અને અન્ય ગ્રામીણ રસ્તાઓ ઓળંગી પોતાના વિસ્તારમાં આમથી તેમ ચક્કર મારવા પડે છે. ગઇરાત્રે એક સિંહણ આવી જ રીતે ધારી-વિસાવદર રસ્તો ક્રોસ કરવા જઇ રહી હતી તે સમયે જ બંને બાજુથી વાહનો આવી ગયા હતા. જો કે વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. પરંતુ લાઇટો ચાલુ રાખી હતી. નાનુ સિંહબાળ ઝડપથી રસ્તો ક્રોસ કરી લેવાની તેની માતા જેવી ઉતાવળ કરતું નજરે પડ્યું ન હતું. સિંહબાળ રસ્તાની વચ્ચે જ ઉભું રહી જતા તેની માતાએ પણ જાણે તેને પાઠ ભણાવતી હોય તેમ બચ્ચાને પોતાના મોથી ઉંચકી અને
રોડ નીચે ખાળીયામા લઇ ગઇ હતી. આ સિંહણ ત્યાંથી સીમમા ચાલી ગઇ હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lioness-cross-road-her-cub-on-dhari-to-visavadar-road-126407120.html

રાજુલાના કોવાયા ગામથી અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના માર્ગ પર સિંહોની લટાર

Divyabhaskar.com

Dec 26, 2019, 11:52 PM IST
અમરેલી: સિંહ જંગલ વિસ્તારમાંથી શિકારની શોધમાં બહાર આવ્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાજુલાના કાવાયા ગામથી અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના માર્ગ પર સિંહોની લટારની વીડિયો સામે આવ્યો છે. જેમાં સીમેન્ટ કંપનીના મુખ્ય ગેટ સામે સિંહ પરિવાર લટાર મારતો જોવા મળે છે. આ વીડિયો બુધવાર રાતનો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-show-on-the-road-at-rajula-of-amreli-district-126386626.html

Thursday, December 26, 2019

લુંઘીયા ગામમાં ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા લોહીલૂહાણ, માનવભક્ષી દીપડો CCTV કેમેરામાં કેદ થયો

  • લુંઘીયા ગામમાં ગત રાત્રે દીપડો ઘૂસ્યો તેના સીસીટીવી સામે આવ્યા
  • વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હોસ્પિટલ દોડી આવ્યા

Divyabhaskar.com

Dec 08, 2019, 04:01 PM IST
અમરેલી: અમરેલી પંથકમાં દીપડાના હુમલામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. ત્યારે બગસરા તાલુકાના લુંઘીયા ગામમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને 45 વર્ષીય દયાબેન ઉકાભાઇ માળવી નામની મહિલા પર હુમલો કર્યો હતો. હુમલાથી દયાબેને બૂમાબૂમ કરી મુકતા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. પરંતુ દિપડાએ ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા લોહીલૂહાણ બની ગઇ હતી. બગસરા પંથકમાં 24 કલાકમાં આ
દીપડાનો બીજો હુમલો છે.મહિલા પર હુમલો થતા જ હોસ્પિટલના બિછાને રહેલી મહિલાના ખબર અંતર પૂછવા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ દોડી આવ્યા હતા.
મહિલાને હોસ્પિટલ ખસેડાઇ
ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. વન વિભાગને હજુ એક પણ દીપડાને ઠાર મારવામાં સફળતા મળી નથી. દીપડાનો આતંક દિવસેને દિવસે વધતો જતો હોવાથી વાડીએ કામ કરતા ખેડૂતોમાં પણ ભયનો માહલો જોવા મળી રહ્યો છે. જંગલ છોડી વન્યપ્રાણીઓ રેવન્યુ વિસ્તાર તરફ વળતા લોકોમાં ભયના ઓથાર તળે જીવતા રોષ ભભૂકી ઉઠ્યો છે. ગત રાત્રે લુંઘીયા ગામમાં દીપડો ઘૂસ્યો તે સીસીટીવીમાં કેદ થઇ ગયો છે. વીડિયોમાં દિપડો ગામમાં આંટાફેરા કરતો હોય તેવા
દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
રાજુલાના સાંચ બંદર વિસ્તારમાંથી દીપડા હટાવવા સરંપચની માંગ
રાજુલાના સાંચબંદર વિસ્તારમાંથી દીપડા હટાવવા સરપંચે માંગ કરી છે. ગામમાં વસવાટ કરતા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર દીપડા કરે છે. વારંવાર વન વિભાગને રજૂઆત કરવા છતાં દીપડા પાંજરે પૂરાતા નથી. દરિયાકાંઠે આવેલા સાંચ બંદર વિસ્તારમાં દીપડાનો વસવાટ વધ્યો છે. આજે સરપંચ દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કર્યો છે.
દીપડા છેલ્લા 10 મહિનામાં કયા દિવસે કોને ફાડી ખાધા
1- 26 ફેબ્રુઆરી 2019, ચલાલાના ગોપાલગ્રામમાં અઢી વર્ષના એભલ કિશોરભાઈ વાઘેલા નામના બાળકને ફાડી ખાધો
2- 28 જૂન 2019, તાલાલાનાં જેપુર ગામમાં લઘુશંકાએ ગયેલા હીરીબેન ગોસિયા નામના 65 વર્ષીય વૃદ્ધા દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા
3- 20 સપ્ટેમ્બર 2019, ખાંભાના મુંજીયાસરમા નનુબેન રામભાઈ પરમાર (ઉંમર 70) એક કીમી ઢસડી ફાડી ખાધા
4-28 સપ્ટેમ્બર 2019, અમરેલીના ચાંદ ગઢમાં ચિરાગ પારશીંગભાઈ કટારા નામના 6 વર્ષના બાળકને ફાડી ખાધો
5- 29 સપ્ટેમ્બર 2019, ધારીના મોણવેલમાં મનસુખભાઇ અરજણભાઈ વાળા અને કરશનભાઈ ભીમાભાઈ સગઠિયા નામના સાળા બનેવીને દીપડાએ મારી નાખ્યા કટકે કટકા કરી દીધા
6- 20 સપ્ટેમ્બર 2019, વિસાવદરના પીંડાખાઈમાં ઘરની ઓસરીમાં સુતેલા 60 વર્ષીય વાલાભાઈ માણદભાઈ મારૂને ફાડી ખાધા
7- 25 ઓક્ટોબર 2019, બગસરાના મુંજીયાસરમાં નાગજીભાઈ પટોળીયા નામના વૃદ્ધને દીપડાએ મારી નાખ્યા
8- 17 નવેમ્બર 2019, બગસરાના રફાળામાં પરપ્રાંતીય ખેતમજૂરની ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી
9- 05 ડિસેમ્બર 2019, બગસરાના મુંજીયાસરના વજુભાઇ બોરડ નામના 55 વર્ષીય ખેડૂતને દીપડાએ ફાડી ખાધા
10- 7 ડિસેમ્બર 2019, બગસરાની સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ ઉંમર 40 ખેત મજૂર દીપડાએ ફાડી ખાધા
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-attack-on-45-year-old-woman-in-bagasara-area-126239722.html

મોટા બારમણ ગામે મધરાત્રે ત્રણ સિંહો ઘૂસ્યા, રસ્તે રઝળતી બે ગાયનું મારણ કર્યું

three lion hunt two cao in mota barman village of khanbha

  • ગામના સરપંચે વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી

Divyabhaskar.com

Dec 08, 2019, 04:33 PM IST
ખાંભા: તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડમાં સૌથી વધારે સિંહો વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં માનવ વસાહતમાં ચડી આવે છે. ગત રાત્રીના આવી જ ઘટના મોટા બારમણની સામે આવી હતી. જેમાં ગતરાત્રીના સકવિધાર નામના રેવન્યુ વિસ્તાર તરફથી ત્રણ ડાલામાથા સિંહો મારણની શોધમાં માનવ વસાહતમાં ચડી આવ્યા હતા. ગામની મોટાભાગની શેરીઓમાં આ ત્રણ સિંહોએ મારણ માટે આંટાફેરા કરતા હતા ત્યારે આ જ ગામના જૂના ગામ વિસ્તારમાં 2 ગાય સિંહોની ઝપટે ચડી ગઈ હતી. આ બંને ગાયનું સિંહોએ મારણ કર્યું હતું. આ ઘટના માટે સ્થાનિક લોકોએ વનવિભાગના આ વિસ્તારના રાઉન્ડ ફોરેસ્ટરને જાણ કરવા ફોન તો કર્યા પરંતુ તેઓએ ઉપાડવાની તસ્દી જ ન લીધી, બાદમાં લોકોએ ગામના સરપંચને જાણ કરી હતી. તેણે રેન્જ આરએફઓને જાણ કરી અને મારણ હટાવવાની કામગીરી કરાવી હતી.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/three-lion-hunt-two-cao-in-mota-barman-village-of-khanbha-126240563.html

તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડમાં રાત્રે હાથબત્તી લઇ યુવાને સિંહની પજવણી કરી, બીજા યુવાને વીડિયો ઉતાર્યો

સિંહથી માત્ર થોડા અંતરે જ એક યુવક ઉભો હોય છે અને તેનો બીજો સાથીદાર વિડીયો ઉતારે છે, બંને યુવકો ખાંભા પંથકના

  • આ વીડિયો હાલ યુવાને ઇન્સ્ટાગ્રામ પર મુક્યો ફોરેસ્ટરને ઘટના અંગે 5 દિવસ પેહલા જાણ કરવામાં છતાં કોઇ કાર્યવાહી નહીં 

Divyabhaskar.com

Dec 06, 2019, 06:27 PM IST
ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં રાબારીકા રાઉન્ડ પર સિંહોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. હજુ થોડાં સમય પહેલા જ રાણીગપરાના પાટીયા નજીક એક પુખ્ત વયની સિંહણને વાહને ઠોકર મારતા મોત નીપજ્યું હતું. ત્યાં જ આ જ વિસ્તારના એક યુવક હાથબતી લઇ સિંહ પાછળ જઇ પજવણી કરે અને તેનો સાથીદાર મિત્રએ વીડિયો ઉતાર્યો હતો. સિંહને પજવણી કરતો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયો છે. આ સિંહની પજવણી અંગે આ રાઉન્ડના ફોરેસ્ટર યાસીન જુનેજાને 5 દિવસ પહેલા જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ આ ગુનાના આરોપીને તેવો પૂરાવા નાશ કરવાનો સમય આપતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ અંગે વનવિભાગના વડા સીસીએફ વસાવડાને ટેલિફોનિક રજૂઆત કરી પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ખાતાકીય પગલા ભરવા સિંહપ્રમીઓની માંગ
આ વીડિયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરનારનું એકાઉન્ટ ખાંભા તાલુકાના મોટાબારમણના યુવકનું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટના બાદ સ્થાનિક એક વ્યક્તિ દ્વારા પાંચ દિવસ પેહલા રાબારીકા રાઉન્ડ ફોરેસ્ટર યાસીન જુનેજાને જાણ કરી પૂરાવા આપ્યા હતા. પરંતુ હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હજી સુધી આ યુવકને વનવિભાગ પકડી શક્યું નથી તેમજ તેનો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો નથી. જ્યારે રાબારીકા રાઉન્ડ ફોરેસ્ટર યાસીન જુનેજા દ્વારા ક્યાં કારણોસર આ ઘટનાને દબાવવા માંગે છે તે અંગે ખાતાકીય તપાસ થવી જોઈએ તેવું સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/young-man-harassment-of-lion-at-rabarika-round-of-khanbha-126224506.html

બગસરા તાલુકામાં ધારા 144 લાગુ, દીપડાને પકડવા 8 શાર્પ શૂટર સહિત 200 લોકો ટીમ કામે લાગી

દીપડાના હુમલાને લઈ બગસરા તાલુકામાં એકઠી થયેલી પોલીસ અને વન વિભાગની ટીમ
દીપડાના હુમલાને લઈ બગસરા તાલુકામાં એકઠી થયેલી પોલીસ અને વન વિભાગની ટીમ

  • 8 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ કરવાનો હુકમ
  • માનવભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગે બગસરામાં 30 જેટલા પાંજરા મૂક્યા 

Divyabhaskar.com

Dec 08, 2019, 07:40 PM IST
અમરેલી/બગસરાઃ ગીર પંથકમાં દીપડાઓના વધી રહેલા આતંક મામલે જિલ્લા મેજિસ્ટ્રેટે બગસરા તાલુકામાં ધારા 144 લગાવી દીધી છે. મેજિસ્ટ્રેટના આદેશ મુજબ સૂર્યાસ્તના 3 કલાક પહેલા 5થી વધારે માણસોનું ટોળુ ભેગુ થઈ શકશે નહીં. તેમજ 8 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ કરવાનો હુકમ કર્યો છે. જો કોઈ ધારા 144નો ભંગ કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાશે.
એક જ દીપડો હોવાનું અનુમાનઃ વનમંત્રી
આ સિવાય રાજ્ય વનમંત્રીએ પણ દીપડાને પકડવા માટે વન વિભાગ કામે લાગ્યું હોવાનું જણાવ્યું છે. વનમંત્રીએ જણાવ્યું કે, દીપડાને પકડવા માટે 200 લોકોની ટીમ કામે લાગી છે. જેમાં 8 જેટલા શાર્પ શૂટર પણ સામેલ છે. દીપડાને દેખો ત્યાં ઠાર મારવાના આદેશ આપ્યા છે. એક જ દીપડો હોવાનું અનુમાન છે. દીપડાઓને ઝડપી લેવા અને મારવા માટે નાઈટ વિઝન કેમેરા અને ડ્રોન દ્વારા દીપડા પર નજર રાખવામાં આવી રહી છે. માનવભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગે બગસરામાં 30 જેટલા પાંજરા મૂક્યા છે.
લુંઘીયામાં મહિલા પર દીપડાનો હુમલો, ગળા-આંખના ભાગે નહોર માર્યા
દિવસેને દિવસે વધી રહેલા દીપડાના હુમલા વચ્ચે આજે પણ દીપડાએ એક મહિલા પર હુમલો કર્યો હતો. બગસરા તાલુકાના લુંઘીયા ગામમાં દીપડાએ ઘરમાં ઘુસી 45 વર્ષીય દયાબેન ઉકાભાઇ માળવી નામના મહિલા પર હુમલો કર્યો હતો. જેને પગલે દયાબહેને બૂમાબૂમ કરી મુકતા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને તેમને દીપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આમ છતાં દીપડાએ ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા લોહીલૂહાણ થઈ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, બગસરા પંથકમાં 24 કલાકમાં દીપડાનો બીજો હુમલો છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leaopard-attack-in-gir-section-144-imposed-in-bagasara-taluka-8-sharp-shooters-ready-to-shoot-leopard-126240634.html

દીપડાનું બચ્ચુ માની લુપ્ત થતી જંગલી કેટના બચ્ચાની પજવણી કરતા ઇસમો, વીડિયો વાઇરલ

  • કેટના બચ્ચાનું ગળુ પકડી તેના મોઢામાં લાકડીઓ ઘુસાડતા હતા

Divyabhaskar.com

Dec 07, 2019, 03:31 PM IST
અમરેલી: જંગલમાં રહેતા પ્રાણીઓને પજવણી કરતા વીડિયો વાઇરલ થતા રહેતા હોય છે. કેટલાક લોકો પોતાના એન્જોય માટે પ્રાણીઓ અને તેમના બચ્ચાને હેરાન કરતા રહેતા હોય છે. ત્યારે બગસરામાં પણ વધુ એક પ્રાણીને પજવણી કરતો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં કેટલાક ઇસમો આરક્ષિત અને લુપ્ત થતી વાઈલ્ડ જંગલી કેટના બચ્ચાનું ગળુ પકડી મોઢામાં લાકડી ઘુસાડતા જોવા મળે છે. તાજા જન્મેલા વાઈલ્ડ કેટના બચ્ચાને દીપડાનું બચ્ચું માની લોકોને તેને ખેતરમાં હેરાન કરતા નજરે પડ્યા છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/wild-cats-cubs-harassing-video-viral-at-amreli-126232654.html

માનવભક્ષીએ 17 લોકોનો ભોગ લીધો, દીપડાને દેખો ત્યાં ઠાર કરો, શાર્પ શૂટરની ટીમ મેદાનમાં

દીપડા ખુલ્લામાં ફરી રહ્યાં છે અને ખેડૂતો પાંજરામાં કેદ
દીપડા ખુલ્લામાં ફરી રહ્યાં છે અને ખેડૂતો પાંજરામાં કેદ

  • બગસરા પંથકમાં સતત ત્રીજા દિવસે માણસ પર હુમલો, 2 મોત
  • 3 CCF, 4 DFO, 150 વન કર્મી, 10 શાર્પ શૂટર તૈયાર

Divyabhaskar.com

Dec 08, 2019, 10:54 AM IST
અમરેલી, બગસરાઃ વનતંત્ર ઘોર નિદ્રામાં સૂતું છે અને ખુંખાર દીપડા શિકારની શોધમાં જાગી રહ્યા છે. પરિણામે બગસરા પંથકમાં ગઇ મધરાત્રે દીપડાએ વધુ એક ખેતમજૂર યુવાનને ફાડી ખાધો છે. ત્રણ દિવસમાં 3 વ્યક્તિ પર દીપડાએ શિકાર કરવા માટે હુમલો કર્યો છે, જેમાંથી બે વ્યક્તિના મોત થયાં છે અને એક હોસ્પિટલમાં છે ત્યારે સરકાર પણ હચમચી ઉઠી છે. કોઇપણ ભોગે દીપડાને પકડવા કે ઠાર કરવા કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યભરમાંથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ અમરેલી પંથકમાં ધામા નાખ્યા છે. 3 CCF, 4 DFO, 150 વન કર્મી અને 10 શૂટરની ટીમ મેદાનમાં ઉતારી છે.
દીપડાના હુમલાની ઘટના વધી
તાલુકાના મોટા મુંજીયાસર ગામે પાંચ ડિસેમ્બરની રાત્રે વાડીએ પાણી વાળવા ગયેલા 44 વર્ષીય વજુભાઈ ધનજીભાઈ બોરડ પર દીપડાએ હુમલો કરી ફાડી ખાધા હતા. ત્યાર બાદ 7 ડિસેમ્બરના રોજ બગસરાના સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ (ઉ.વ.40)નામના ખેતમજૂરને પણ દીપડાએ ફાડી ખાતા સમગ્ર રાજ્યના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આજે હાથમાં બંધુક લઈ દીપડાઓને ભડાકે દેવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઘટનાક્રમ વચ્ચે દીપડાઓને પાંજરે પુરવા માટે સરકારે કડક સૂચના આપી છે. બગસરા વિસાવદરમાં 8 માસમાં 13 દીપડા વનવિભાગે પાંજરે પૂર્યા હોવા છતાં દીપડાઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે. ફેબ્રુઆરથી લઈ ડિસેમ્બર સુધીમાં દીપડાએ ત્રણ બાળકો અને ચાર વૃદ્ધો સહિત 11 જેટલા લોકોને ફાડી ખાધા છે.
24 કલાકમાં બગસરા પંથકમાં દિપડોનો બીજો હુમલો
અમરેલી પંથકમાં દિપડાના હુમલામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. ત્યારે બગસરા તાલુકાના લુંઘીયા ગામમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને 45 વર્ષીય દયાબેન ઉકાભાઇ માળવી નામની મહિલા પર હુમલો કર્યો હતો. હુમલાથી દયાબેને બૂમાબૂમ કરી મુકતા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. પરંતુ દિપડાએ ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા લોહીલૂહાણ બની ગઇ હતી. બગસરા પંથકમાં 24 કલાકમાં આ
દિપડાનો બીજો હુમલો છે.
દીપડા છેલ્લા 10 મહિનામાં કયા દિવસે કોને ફાડી ખાધા
1- 26 ફેબ્રુઆરી 2019, ચલાલાના ગોપાલગ્રામમાં અઢી વર્ષના એભલ કિશોરભાઈ વાઘેલા નામના બાળકને ફાડી ખાધો
2- 28 જૂન 2019, તાલાલાનાં જેપુર ગામમાં લઘુશંકાએ ગયેલા હીરીબેન ગોસિયા નામના 65 વર્ષીય વૃદ્ધા દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા
3- 20 સપ્ટેમ્બર 2019, ખાંભાના મુંજીયાસરમા નનુબેન રામભાઈ પરમાર (ઉંમર 70) એક કીમી ઢસડી ફાડી ખાધા
4-28 સપ્ટેમ્બર 2019, અમરેલીના ચાંદ ગઢમાં ચિરાગ પારશીંગભાઈ કટારા નામના 6 વર્ષના બાળકને ફાડી ખાધો
5- 29 સપ્ટેમ્બર 2019, ધારીના મોણવેલમાં મનસુખભાઇ અરજણભાઈ વાળા અને કરશનભાઈ ભીમાભાઈ સગઠિયા નામના સાળા બનેવીને દીપડાએ મારી નાખ્યા કટકે કટકા કરી દીધા
6- 20 સપ્ટેમ્બર 2019, વિસાવદરના પીંડાખાઈમાં ઘરની ઓસરીમાં સુતેલા 60 વર્ષીય વાલાભાઈ માણદભાઈ મારૂને ફાડી ખાધા
7- 25 ઓક્ટોબર 2019, બગસરાના મુંજીયાસરમાં નાગજીભાઈ પટોળીયા નામના વૃદ્ધને દીપડાએ મારી નાખ્યા
8- 17 નવેમ્બર 2019, બગસરાના રફાળામાં પરપ્રાંતીય ખેતમજૂરની ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી
9- 05 ડિસેમ્બર 2019, બગસરાના મુંજીયાસરના વજુભાઇ બોરડ નામના 55 વર્ષીય ખેડૂતને દીપડાએ ફાડી ખાધા
10- 7 ડિસેમ્બર 2019, બગસરાની સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ ઉંમર 40 ખેત મજૂર દીપડાએ ફાડી ખાધા
નવ ખેડૂતોને દીપડાએ ફાડી ખાધા
આ વિસ્તારમાં અઢી માસમાં જ નવ ખેડૂતને દીપડાએ ફાડી ખાધા છે. બગસરાની આસપાસના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજી ઘટના બની છે. જેમાં ગુરુવારે બગસરાના મોટા મુંજીયાસરમાં આધેડ ખેડૂતને દીપડાએ ફાડી ખાધાની ઘટના બાદ બીજા જ દિવસે શુક્રવારે બગસરામાં પ્રકાશભાઈ બરજોડ નામના ખેત મજૂર પર હુમલો કર્યો હતો. જોકે સદનસીબે તેની આસપાસમાં આન્ય લોકો હોવાથી હાકલા પડકારા કરતાં દીપડાએ પ્રકાશભાઈને છોડી દીધા હતા. ત્યારે બાદ શનિવારે ફરી આ હુમલો કર્યો છે. ઘટનાને પગલે ત્રણ સીસીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓ અમરેલી દોડી આવ્યા હતાં. કોઇપણ ભોગે દીપડાને પકડવા અથવા ઠાર કરવા કાર્યવાહી હાથ ધરાય છે. તંત્રમાં આ મુદે બેઠકનો ધમધમાટ જોવા મળ્યો હતો. જિલ્લા કલેક્ટરે આગામી 48 થી 72 કલાકમાં દીપડાને પકડી લેવા તંત્રને કામે લગાડ્યુ છે.
MLAએ બંદૂક ઉઠાવી
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા બંદુક લઈને નીકળી પડ્યા છેે. તેમણે કહ્યું કે, વનતંત્ર દીપડા પાંજરે નહી પુરે તો અમે ઠાર મારીશું અને જે આડો આવશે તેને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઇશું.
જંગલમાં ઘુસણખોરી થવાને કારણે દીપડા અને માનવ વચ્ચેના સંઘર્ષ વધ્યા
ગુજરાતમાં દીપડા અને માનવ સંઘર્ષ વચ્ચે સૌપ્રથમવાર કામ કરનારા વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ મનિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, જંગલોમાં દબાણ વધવાથી લઈ નહેર, રસ્તા અને થાંભલા તથા રેલ પ્રોજેક્ટને કારણે તેમને ખલેલ પહોંચવા લાગી છે. તેમજ પાણીની તંગીને કારણે દીપડાઓ માનવ વસતિમાં પાણીની શોધમાં આવવા લાગ્યા અને તેને કારણે સંઘર્ષ થવા લાગ્યો છે. ઘણીવાર લોકો કાયદો ભંગ કરી મર્યાદા વટાવે છે એટલે સંઘર્ષ વધવા લાગ્યા છે.
રાત્રે કામ વગર ઘર બહાર ન નીકળવા વન વિભાગની અપીલ બગસરામાં ખેત મજૂરને દીપડાએ ફાડી ખાધા બાદ ઈન્ચાર્જ એ.સી.એફ. રાજલ પાઠકે બગસરા તાલુકાના સરપંચો અને ખેડૂતોને એલર્ટ કરી કહ્યું કે રાત્રે કામ વગર ઘર બહાર નીકળવાનું ટાળવું. જાહેર જનતા વનવિભાગને સહકાર આપે. વનવિભાગની તમામ ટીમો 24 કલાક દીપડાને પકડવા માટે ઓપરેશન કરી રહી છે.
ગમે ત્યારે ફાયરિંગ થશે, ખેડૂતોને રાત્રે ખુલ્લામાં ન રહેવા સૂચના
  • વનતંત્રએ શૂટરો સાથેની 10 ટીમ ઉતારી છે. દીપડો દેખાતાં જ ફાયરિંગ કરશે. રાતે લોકોને બહાર ન જવા સૂચના આપી છે.
  • મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓક સાથે ટેલીફોનિક વાત કરી.
  • ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઇ રહી છે. લોકેશન પર કેમેરા અને નાઇટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
  • દીપડાને પકડવા માટે ટ્રાન્કિવલાઇઝર ગન સાથે 6 વેટરનરી ડોક્ટર તહેનાત રખાયા છે. પોલીસ પણ જોડાઈ છે.
(પૂરક માહિતીઃ જયદેવ વરૂ, અમરેલી )
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/terror-of-leopards-in-gir-of-gujarat-claims-11-lives-including-3-children-and-4-old-human-in-10-months-126232952.html

વનવિભાગ અને પોલીસની ટીમો આખી રાત દીપડાને પકડવા માટે દોડી પરંતુ દીપડો ક્યાંય નજરે ન પડ્યો

  • 2 દિવસ દરમિયાન મેગા ઓપરેશન સફળ નહીં જતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો 
  • મોટા મુંજીયાસરમાં વધુ ફફડાટ હોય રાતના 10 વાગે જ બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો

Divyabhaskar.com

Dec 09, 2019, 11:27 AM IST
અમરેલી: બગસરા પંથકમાં 24 કલાકમાં આદમખોર દીપડાએ માનવ પર બે હુમલા કર્યા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું અને એક મહિલા સારવાર હેઠળ છે. દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસની ટીમોના ધાડેધાડા તેમજ શાર્પશૂટરો પણ ઉતારી દેવામાં આવ્યા છે. ગત રાત્રે આખી રાત પોલીસ અને વન વિભાગ દોડતું રહ્યું પરંતુ દીપડો ક્યાંય નજરે પડ્યો નહોતો. આજે સવારના 6.30 વાગ્યા સુધીમાં વન કર્મી અને પોલીસકર્મીઓ વાડી અને સીમ વિસ્તારમાં તૈનાત હતા. પરંતુ દીપડો અન્ય ગામોમાં વાડી વિસ્તારથી દૂર જતો રહ્યો હોવાનું અનુમાન છે. 2 દિવસ દરમિયાન મેગા ઓપરેશન સફળ નહીં જતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે.
મોડી રાત સુધી લોકોને સમજાવટ
અહીં વહિવટી તંત્રની સાથે સાથે ગામના આગેવાનો અને યુવાનોએ પણ મોડી રાત સુધી લોકોને ખુલ્લામા ન રહેવા, સીમમાં ન જવા સમજાવટ કરી હતી. લોકોને રાતે બજારમા આંટાફેરા ન કરવા પણ સમજાવાયા હતા.
રાત પડતા જ સન્નાટો, લોકો ઘરમાં ભરાઇ ગયા
બગસરાના મોટા મુંજીયાસરમા સૌથી વધુ ફફડાટ હોય એક તરફ તંત્રની કામગીરીથી રાજીપો હતો. તો બીજી તરફ અહી રાતના 10 વાગતા જ ગામની તમામ બજારોમા સન્નાટો હતો. લોકો ઘરમા ભરાઇ ગયા હતા.
રાત્રે કોઇ વાડીમાં ન ગયું
બાજુના ગામમાં જ દીપડાએ બે લોકોને ફાડી ખાધા હોય દીપડાના ભયની સાથે સાથે તંત્રની સમજાવટના કારણે રાત્રીના સમયે કોઇ ખેડૂત વાડીમા ગયા ન હતા. રાતના 9 પછી ગામ સુમસામ બની ગયું હતું.
તંત્ર દોડતું રહ્યું, લોકો જાગતા રહ્યાં
આ વિસ્તારના ગામડાઓમાં અને રફાળામાં પણ તંત્રની ગાડીઓ દોડતી રહી હતી. ગામના લોકો સલામત રીતે પોતાના ઘરમાં જાગતા રહ્યાં હતા. ખેડૂતોએ રાત ફફડાટમા વિતાવી હતી.
વાળુપાણી કરી લોકો સૂઇ ગયા
નાના એવા સુડાવડમા સાંજ પડતા જ લોકો વાળુ પાણી કરી સુઇ ગયા હતા. દીપડાના ભયને પગલે રાતના અંધકારમા આવો સુનકાર પ્રથમ વખત હતો. સીમ વિસ્તાર પણ સુમસામ નજરે પડ્યો હતો.
મામલતદારે 35 ગામના સરપંચોની બોલાવી બેઠક
ગઇકાલે રવિવારે પણ તંત્ર દોડતું રહ્યું હતું. મામલતદાર અને ટીડીઓએ 35 ગામના સરપંચ અને તલાટીઓની તાકિદની બેઠક બોલાવી હતી. અને તેમને જે તે ગામના લોકોને રાત્રીના સમયે ખેડૂતો કે મજુરો ખેતરમા ન રહે તથા અવાવરૂ જગ્યા પર પણ અવરજવર ન કરે વિગેરે જેવી સુચના આપવા સમજ કરાઇ હતી.
પાંચ ગામમાં વન તંત્રની ટીમ ઘૂમતી રહી, ગ્રામજનોએ ફફડાટ વચ્ચે રાત વિતાવી
બગસરાના લુંઘિયા, મોટા મુંજિયાસર, નાના મુંજિયાસર, રફાળા અને સુડાવડમાં વન વિભાગની ગાડીઓ અને પોલીસની ગાડીઓ ઘૂમતી રહી હતી. આ પાંચેય ગામના લોકોએ ફફડાટ વચ્ચે રાત વિતાવી હતી.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/forest-and-police-team-run-full-night-but-not-catch-leoparad-of-bagasara-area-126246615.html

બગસરાના કડાયા ગામ નજીક દીપડાના સગડ મળ્યા, શાર્પ શૂટર સહિત વન વિભાગનો કાફલો પહોંચ્યો

  • સોનારીયા ડેમ નજીક દીપડાનું લોકેશન હોવાની શક્યતા

Divyabhaskar.com

Dec 09, 2019, 03:01 PM IST
અમરેલીઃ બગસરા પંથકમાં 24 કલાકમાં આદમખોર દીપડાએ માનવ પર બે હુમલા કર્યા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું અને એક મહિલા સારવાર હેઠળ છે. દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસની ટીમોના ધાડેધાડા તેમજ શાર્પશૂટરો પણ ઉતારી દેવામાં આવ્યા છે. ગત રાત્રે આખી રાત પોલીસ અને વન વિભાગ દોડતું રહ્યું પરંતુ દીપડો ક્યાંય નજરે પડ્યો નહોતો. જો કે આજે બગસરાના કડાયા ગામ નજીકના સીમ વિસ્તારમાં દીપડાના સગડ મળી આવ્યા છે. જો કે આ સગડ અત્યારના છે કે રાતના તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સોનારીયા ડેમ નજીક દીપડાનું લોકેશન હોવાનું માનવામાં આવી રહ્યું છે, દીપડાના સગડ મળી આવતા શાર્પ શૂટરો પણ પહોંચી ગયા છે. તેની મોટી સંખ્યામાં વનવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/a-leopard-legs-sign-found-near-kadaya-village-of-bagasara-forest-department-reach-with-sharp-shooter-126247970.html

ગામમાં કફર્યૂ, બગસરાના લુંઘિયામાં 220 વિદ્યાર્થીને શાળાનાં બારી-બારણાં બંધ કરી ભણાવાયા


આદમખોર દીપડાને શોધવા વન વિભાગની ટીમોનો સીમમાં રઝળપાટ.
આદમખોર દીપડાને શોધવા વન વિભાગની ટીમોનો સીમમાં રઝળપાટ.

ખેતરમાં દીપડો નજરે પડયાની વાત કરતા જ ગભરાહટનો માહોલ
છાત્રને ક્લાસરૂમમાંથી બહાર નિકળી લઘુશંકા માટે જવુ હોય તો એક શિક્ષક તેની સાથે જતા હતાં

Divyabhaskar.com

Dec 10, 2019, 04:15 AM IST
અમરેલી, બગસરા: બગસરાના લુંઘીયામાં ધો. 1 થી 8ની શાળામાં 222 છાત્રો અભ્યાસ કરે છે. દીપડાના ખૌફ વચ્ચે આજે પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ માટે તો આવ્યા પરંતુ અહિં પણ દિપડાના હુમલાનો ભય માસુમ ભુલકાઓમાં સ્પષ્ટ નજરે પડતો હતો. સવારે સ્કૂલ શરૂ થયા બાદ કેટલાક છાત્રોએ દુર ખેતરમાં દીપડો નજરે પડયાની વાત કરતા જ ગભરાહટનો માહોલ ફેલાઇ ગયો હતો. શાળાના શિક્ષકોએ છાત્રોને વર્ગખંડમાં લઇ સ્કૂલના બારી-બારણાઓ બંધ કરી દીધા હતાં અને આ સ્થિતીમાં જ બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. એટલુ જ નહી કોઇ છાત્રને ક્લાસરૂમમાંથી બહાર નિકળી લઘુશંકા માટે જવુ હોય તો એક શિક્ષક તેની સાથે જતા હતાં. અહિંની શાળા ગામના છેવાડે આવેલી હોય ગભરાહટ વધુ હતો. શાળા છુટવાના સમયે વાલીઓ તેના સંતાનોને લઇ ગયા હતાં. ગામમાં કર્ફયુ જેવો માહોલ બન્યો છે.
વિસાવદર અને બગસરા પંથકમાં છેલ્લા થોડા સમયમાં જ 16 જેટલા માનવ મૃત્યુનાં બનાવો માનવભક્ષી દીપડા દ્વારા થયેલ છે. જેમાં સૌથી વધુ વિસાવદર અને બગસરા પંથકમાં 9 માનવ જીંદગીનો ભોગ લીધો છે.
વન તંત્રનાં હવાતિયાં, 30 પાંજરાં પણ દીપડો પકડાયો નહીં
દીપડાના હુમલાનો સતત ભય હોય લોકોને સાવચેત કરાય અને તેમની સલામતી માટે જરૂરી પગલા લેવાય તે અત્યંત આવશ્યક છે. પરંતુ બગસરા પંથકના ગામડાઓમાં ખુદ તંત્રએ સૌથી વધુ ખૌફ સર્જી દીધો છે. કેટલાક સ્થળે તંત્ર દ્વારા લોકોને ઘરમાં ભરાઇ રહેવા બળજબરી પણ કરાઇ હતી. જેને પગલે રાતના સમયે સીમ વિસ્તાર સુમસામ બની જાય છે અને ગામમાં પણ સન્નાટો છવાઇ જાય છે. માત્ર આ વિસ્તારથી અજાણ એવા તંત્રના કર્મચારીઓ અહિં રાત ઉજાગરો કરે છે. વન વિભાગ દ્વારા મુંજીયાસર તથા આસપાસના ગામોમાં 30 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અનેક દીપડા છે. ના તો માનવ ભકક્ષી દીપડો એકેય પાંજરામાં સપડાયો છે કે ન અન્ય કોઈ દીપડા પાંજરામાં સપડાયા છે.
દીપડાનો ત્રાસ છે તેવા વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વીજળી અપાશે
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં રાત્રે પાણી વાળવા જતા ખેડૂતો પર દીપડાએ હૂમલો કરવાના બનાવોને પગલે ત્યાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો અઠવાડિયામાં અમલ કરવાની જાહેરાત ઉર્જા મંત્રી સૌરભ પટેલે કરી હતી.
શિકાર કરી 5-7 કિમી દૂર જતો રહે છે
બગસરા અને વિસાવદર પંથકના ગામોનાં બનાવો જોઇએ તો પ્રથમ બનાવથી છેલ્લા બનાવ સુધીનાં ગામોનાં કિમીનાં અંતર જોઇએ તો 5 થી 10 કિમીજ થાય છે. જેથી એ ખુંખાર માનવભક્ષી દીપડો એક જ હોવાનું અનુમાન થઇ રહ્યું છે. એક ગામમાં શિકાર કરી દીપડો 5 થી 7 કિમી દુર અન્ય ગામમાં જતો રહે છે.
છેલણકામાં દીપડાએ આધેડ પાછળ દોટ મૂકી
વિસાવદર પંથકનાં ઘણાં સમયથી દીપડાઓની રંજાડ જોવા મળી રહી છે અને માનવ પર હુમલાનાં બનાવો પણ બની રહ્યાં છે. વિસાવદરનાં છેલકા નજીક દીપડાએ ભુતડી ગામે રહેતા મુળુભાઇ વાળા નામના આધેડ પાછળ દોટ મુકી હતી જોકે સદનસિબે દીપડો પાછો વળી જતાં બચી ગયા હતા.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-terror-in-bagasara-curfew-in-village-220-students-attended-school-in-closed-doors-126248435.html

15 દિ'માં દીપડાને નહીં હટાવાય તો વન અધિકારીઓ સામે ગુનો દાખલ કરાશે

DivyaBhaskar News Network

Dec 10, 2019, 05:55 AM IST
રાજુલાના તાલુકાના ચાંચ ગામમાં લાંબા સમયથી જંગલ વિસ્તારમાંથી આવી ચડેલા દીપડાઓને દુર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે. અનેક વખત વનતંત્રને રજુઆત કરવામાં આવી છે. પણ વન વિભાગ દિપડાને હટાવવામાં વામણું સાબીત થયું છે. ગામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. આ દીપડો અહિં રોજ મોરનું મારણ કરતો હોય 15 દિવસમાં દીપડાને ગામમાંથી દુર નહી કરવામાં આવે તો વન વિભાગ સામે રાષ્ટ્રીય પક્ષી મોરને મારવાનો ગુનો દાખલ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

ચાંચ ગામના સરપંચ કાનજીભાઈ ચૌહાણે રજુઆતમાં જણાવ્યું હતું કે, અમારા ગામમાં ઘણા સમયથી દીપડા રહે છે. અહીના ગરીબ લોકોના ઘેટા- બકરાનું મારણ કરે છે. અવાર નવાર વન વિભાગને રજુઆત કરવામાં આવી છે. પણ અહીથી દીપડાને હટાવવાની કામગીરી કરવામાં આવતી નથી. હાલ ચાંચ ગામની દરિયાય પટ્ટીમાં આસરે 7000 જેટલા મોર વસવાટ કરી રહ્યા છે. આ દીપડા મોરનું મારણ કરી મીજબાની માણે છે. જેના કારણે ઠેર ઠેર મોર પીંછ વેર વીખેર જોવા મળે છે.

જેના કારણે ગામમાં મોટો ઉહાપોહ મચ્યો છે. અહી લોકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ સતત ભયમાં જોવા મળે છે.

ત્યારે આગામી 15 દિવસમાં દિપડાને હટાવવાની કામગીરી નહી કરવામાં આવે તો રાષ્ટ્રીય પક્ષી મોરને આ દીપડા મારી રહ્યા હોય આ મુદે વન અધિકારીઓ દ્વારા ગુનો દાખલ થાય તેવી કાર્યવાહી ગામલોકો કરશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-if-the-lamp-is-not-removed-within-15-days-a-crime-will-be-lodged-against-the-forest-officials-055555-6135253-NOR.html

દીપડાના હુમલાનો સતત ભય હોય લોકોને સાવચેત કરાય

DivyaBhaskar News Network

Dec 10, 2019, 05:56 AM IST
અમરેલી | દીપડાના હુમલાનો સતત ભય હોય લોકોને સાવચેત કરાય અને તેમની સલામતી માટે જરૂરી પગલા લેવાય તે અત્યંત આવશ્યક છે. પરંતુ બગસરા પંથકના ગામડાઓમાં ખુદ તંત્રએ સૌથી વધુ ખૌફ સર્જી દીધો છે. કેટલાક સ્થળે તંત્ર દ્વારા લોકોને ઘરમાં ભરાઇ રહેવા બળજબરી પણ કરાઇ હતી. જેને પગલે રાતના સમયે સીમ વિસ્તાર સુમસામ બની જાય છે અને ગામમાં પણ સન્નાટો છવાઇ જાય છે. માત્ર આ વિસ્તારથી અજાણ એવા તંત્રના કર્મચારીઓ અહિં રાત ઉજાગરો કરે છે. વન વિભાગ દ્વારા મુંજીયાસર તથા આસપાસના ગામોમાં 30 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અનેક દીપડા છે. ના તો માનવ ભકક્ષી દીપડો એકેય પાંજરામાં સપડાયો છે કે ન અન્ય કોઈ દીપડા પાંજરામાં સપડાયા છે.

વન વિભાગ સાપરમાં શોધતું રહ્યું અને કાગદડીની સીમમાંથી દીપડી ઝડપાઈ, માનવભક્ષી દીપડો હજુ પણ ફરાર

  • કેશોદ પંથકનાં મઘરવાડા વાડી વિસ્તારમાંથી દીપડી પાંજરે કેદ
  • ગુજરાતને દીપડામુક્ત કરવાની કિસાન સંઘની માંગ 

Divyabhaskar.com

Dec 10, 2019, 01:50 PM IST
અમરેલી: બગસરા પંથકમાં આદમખોર દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસના 200 કર્મચારીઓ કામે લાગ્યા છે. તેમજ 7 શાર્પશૂટરો પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે બગસરાના કાગદડી સીમમાંથી એક દીપડી પાંજરે પૂરાઇ છે. વન વિભાગ સાપરમાં દીપડાને શોધતું રહ્યું અને દીપડી કાગદડીમાં પાંજરે પૂરાઇ છે.કાગદડીના સરપંચ વિનુભાઇ કાનાણીની વાડીમાંથી દીપડી પાંજરે પૂરાઇ છે. રાતના 3 વાગ્યે દીપડી પાંજરે પૂરાતા વન વિભાગ દ્વારા તેને અન્ય સ્થળે ખસેડી છે. આ અંગે વન વિભાગના મુખ્ય સંરક્ષક એ.એમ. પરમારે દીપડી પાંજરે પૂરાયાની પુષ્ટી આપી છે. પરંતુ આ દીપડી માનવભક્ષી છે કે નહીં તે તપાસ બાદ જ ખબર પડશે.
100 જેટલી ટીમનું સર્ચ ઓપરેશન
આ અંગે અમરેલી કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે, દીપડાને પકડવા માટે 100 જેટલી ટીમો બનાવી છે. 30 જગ્યાએ મારણ અને ટ્રેપ ગોઠવી હતી તેમાં એકમાં દીપડી પકડવામાં સફળતા મળી છે. હજુ પણ એક બે દીપડા પકડવાના બાકી છે. મેગા ઓપરેશન ચાલુ રહેશે. કાગદડીમાં પકડાયેલી દીપડી શંકાસ્પદ છે અને જેટલા પણ શંકાસ્પદ દીપડાઓ હશે તેને પકડવામાં આવશે. પકડાયેલી દીપડીને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાઇ છે. ત્યાં પૃથકરણ થયા પછી જ ખબર પડશે કે આ દીપડી નરભક્ષી છે કે નહીં.
144 કલમ ચાલુ રહેશે
કલમ 144 અંગે ધારાસભ્ય હર્ષદ રીબડીયાના નિવેદન અંગે કલેક્ટરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પોલીસ અને વન તંત્રનું ઓપરેશન ચાલુ હોય ત્યારે કોઇ નાગરીકને ઇજા ન પહોંચે તે માટે 144 કલમ લગાવી છે. છેલ્લા 4 દિવસથી બગસરા પંથકમાં દિવસે વીજળી અપાઇ છે માટે રાત્રે ખેડૂતોને વાડી-ખેતરે જવાની જરૂર નથી.
લુંઘીયામાં 220 વિદ્યાર્થીઓને શાળાના બારી-બારણા બંધ કરી ભણાવાયા
બગસરાના લુંઘીયામાં ધો. 1 થી 8ની શાળામાં 222 છાત્રો અભ્યાસ કરે છે. દીપડાના ખૌફ વચ્ચે ગઇકાલે પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ માટે તો આવ્યા પરંતુ અહીં પણ દીપડાના હુમલાનો ભય માસુમ ભુલકાઓમાં સ્પષ્ટ નજરે પડતો હતો. સવારે સ્કૂલ શરૂ થયા બાદ કેટલાક છાત્રોએ દૂર ખેતરમાં દીપડો નજરે પડયાની વાત કરતા જ ગભરાહટનો માહોલ ફેલાઇ ગયો હતો.શાળાના શિક્ષકોએ છાત્રોને વર્ગખંડમાં લઇ સ્કૂલના બારી-બારણાઓ બંધ કરી દીધા હતાં અને આ સ્થિતીમાં જ બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. એટલુ જ નહી કોઇ છાત્રને ક્લાસરૂમમાંથી બહાર નિકળી લઘુશંકા માટે જવુ હોય તો એક શિક્ષક તેની સાથે જતા હતાં. અહીંની શાળા ગામના છેવાડે આવેલી હોય ગભરાહટ વધુ હતો. શાળા છૂટવાના સમયે વાલીઓ તેના સંતાનોને લઇ ગયા હતાં. ગામમાં કર્ફ્યુ જેવો માહોલ બન્યો હતો.
ગુજરાતને દીપડા મુક્ત કરો: કિસાન સંઘનો આક્રોશ
કિસાન સંઘે એવી માંગ પણ ઉઠાવી છે કે સિંહ અને દિપડા શેડ્યુલ -1 હેઠળ આરક્ષિત પ્રાણી છે. ત્યારે દીપડા ભૂંડ નીલગાય વગેરેને આ યાદીમાંથી દૂર કરવામાં આવે. વિસ્તારમાં રહેતા આ પ્રાણીઓને તાત્કાલિક જંગલમાં ખસેડવામાં આવે, મારણ કે હુમલાના સમયે લોકો અધિકારીઓને ટેલિફોનિક જાણ કરે તો અધિકારીઓ ફોન ઉપાડતા નથી, લોકોને જવાબ પણ આપતા નથી કે પોતાના ફરજના સ્થળે હાજર પણ રહેતા નથી. આવા કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે. 15 દિવસમાં આ માંગણીઓ પ્રત્યે ધ્યાન નહીં અપાય તો કિસાન સંધે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

કેશોદ પંથકનાં મઘરવાડા વાડી વિસ્તારમાંથી દીપડી પાંજરે કેદ
કેશોદના મઘરવાડામાં દીપડાની રંજાડ વધી છે ત્યારે મઘરવાડાની વાડી વિસ્તારમાં બે દિવસ પહેલા દીપડો જોવા મળ્યો હતો ત્યારે કેશોદ તા. પં.ના સદસ્ય માંડણભાઇ હેરભા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ભોજાભાઇ કરસનભાઈ હેરભાની વાડીમાં વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવેલ અને સોમવારે સવારે આ ખુખાર દીપડી પાંજરે પુરાઇ હતી.
દીપડો માનવભક્ષી કેમ બને છે ?
આ અંગે જાણવા મળ્યું છે કે, દીપડો હિંસક પ્રાણી છે. પરંતુ માણસથી તે ડરે છે. પરંતુ અગમ્ય કારણોસર તે માનવ પર હુમલા કરે છે. અને માનવ લોહી ચાખી જાય છે. તે દીપડો માનવભક્ષી બની જાય છે. કારણ કે માનવીઓ જ એક માત્ર એવો જીવ છે. જે ખોરાકમાં મીઠાનો ઉપયોગ કરે છે. જેથી માનવીઓનું લોહી હિંસક પ્રાણીઓને મીંઠુ લાગે છે. એક વાર જે દીપડો માનવીનું લોહી ચાખી જાય તે માનવભક્ષી બની જાય છે.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/female-leopard-arrested-in-kagdadi-village-of-bagasara-126255861.html

રાજુલાના આગરીયામાં દીપડો પાછળ પડતા ખેતમજૂરે દોટ લગાવી જીવ બચાવ્યો, વન વિભાગની શોધખોળ

  • ખેડૂતો પોતાની વાડીએ જતા હતા ત્યારે કાગદડી અને લુંઘીયા ગામની સીમમાં દીપડાનો અવાજ સાંભળ્યો 

Divyabhaskar.com

Dec 10, 2019, 03:36 PM IST
અમરેલી: બગરસાના કાગદડી ગામે ગત રાત્રે સરપંચની વાડીમાં મુકેલા પાંજરામાં દીપડી ઝડપાઇ હતી. તેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવાઇ છે. ત્યારે રાજુલાના આગરીયામાં ખેતમજૂર પાછળ દીપડો પડતા મજૂરે દોટ મુકી પોતાનો જીવ બચાવ્યો હતો. મજૂરે જણાવ્યું હતું કે, અમે કપાસ વીણવા જતા હતા ત્યારે સામેથી દીપડો આવતા અમે ભાગ્યા હતા અને મારી પાછળ દોટ મુકી હતી. મેં જેમ તેમ કરીને જીવ બચાવ્યો છે.
કાગદડી અને લુંઘીયા વચ્ચે આવેલી સીમમાં દીપડાના અવાજ સ્થાનિકોએ સાંભળ્યા
કાગદડીમાંથી દીપડી પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આજે સવારે ખેડૂતો પોતાની વાડીએ જતા હતા ત્યારે કાગદડી અને લુંઘીયા ગામની સીમમાં દીપડાના અવાજ સાંભળતા વન વિભાગને જાણ કરી હતી. આથી વન વિભાગની ટીમ દોડી આવી દીપડાની શોધખોળ હાથ ધરી છે. બગસરા પંથકમાં દીપડાનો આતંક વધતો જતો હોવાથી વધુ માત્રામાં દીપડા હોવાની સંભાવના સેવાઇ રહી છે.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-run-behind-farmer-in-agaria-village-of-rajula-126256273.html

દીપડાના હુમલાસ્થળ મુંજીયાસરથી 2 કિમી દૂર 350 લોકો ભયના ઓથાર વચ્ચે ખુલ્લા ઝુપડામાં રહે છે, ડ્રોનથી નજર

350 people live in huts between leopard attack fear at bagasara area

  • ઉપર આભ નીચે ધરતી, દીપડો પકડવાની કામગીરીમાં પણ બેદરકારી
  • બગસરામાં મુંજીયાસર રોડ પર તંત્રએ પાંજરૂ પણ ગોઠવ્યું નથી

Divyabhaskar.com

Dec 11, 2019, 10:07 AM IST
અમરેલી: તંત્ર માનવભક્ષી દીપડાને પકડવા આમથી તેમ હડીયાપાટી કરી રહ્યુ છે. કલમ-144 લાગુ કરી ખેડૂતોને રાત્રે વાડી-ખેતરોમાં પણ જવા દેવાતા નથી. પરંતુ આ અફડા તફડીની વચ્ચે મુંજીયાસરની સીમમાં દીપડાએ જ્યાં આધેડને ફાડી ખાધા હતાં તેનાથી માત્ર 2 કિમી દૂર બગસરાની સીમમાં 350 લોકો ખુલ્લા ઝુંપડામાં વસવાટ કરી રહ્યા છે. જે ખૂબ જ જોખમી છે. તંત્રએ ન તો અહીં ધ્યાન આપ્યું છે કે ન તો અહીં પાંજરા ગોઠવ્યા છે.
માનવભક્ષી દીપડો આઝાદ ઘૂમી રહ્યો છે
બગસરામાં મુંજીયાસર રોડ પર શહેરના છેવાડે સરાણીયા પરિવારો વર્ષોથી ખુલ્લા ઝુંપડામાં રહે છે. આ ઝુંપડાઓ પર વાંસનુ છાપરૂ છે અને ત્રણ દિશામાંથી તદન ખુલ્લા હોય છે. પરંપરાગત રીતે તેમના ઝુંપડામાં એક શણગારેલું ગાડુ પણ હોય છે. અહીં 45 જેટલા આવા ખુલ્લા ઝુપડા છે આ ઉપરાંત 30 પરિવારો પતરાના બંધ ઝુંપડામાં તેનાથી થોડા આગળ રહે છે. આ 70 પરિવારના 350થી વધુ લોકો ઉપર આભ અને નીચે ધરતીની સ્થિતિમાં જીવી રહ્યા છે. સૌથી મોટા જોખમની વાત એ છે કે દીપડાએ જ્યાં માનવભક્ષણ કર્યું હતું તેનાથી માત્ર 2 કિમી દૂર આ વસવાટ છે. આમ છતાં વનતંત્ર દ્વારા આ દિશામાં ધ્યાન અપાયું નથી. માનવભક્ષી દીપડો હજુ આઝાદ ઘૂમી રહ્યો છે. ત્યારે આ જોખમી વસવાટ તરફ નહીં જોવાની તંત્રએ ગંભીર ભૂલ કેમ કરી તે મોટો સવાલ છે. કમ સે કમ આસપાસમાં એક પાંજરૂ લગાવવાથી પણ આ વિસ્તારમાં કોઇ દીપડો આવી ચડે તો પકડાવાની શક્યતા રહી શકે. તંત્રએ આ દિશામાં ગંભીરતાથી વિચારવાની જરૂર હોવાનું જાણકારો કહે છે.
ભટકતા તંત્રને ભાન થયું હવે ડ્રોન, પગપાળા પેટ્રોલીંગ શરૂ, વાહનો બંધ
ઓપરેશનના પ્રથમ દિવસે ખુદ વહીવટીતંત્રની લાલ-પીળી લાઇટોવાળી સાયરન વગાડતી ગાડીઓએ આમથી તેમ હડીયાપાટી કરી મુકી હતી. આના કારણે દીપડો શાર્પ શુટરોની ટીમ કે એકેય પાંજરા આસપાસ ફરક્યો પણ ન હતો. આખરે તંત્રની આંખ ખુલતા હવે આ પ્રકારની ગાડીઓની અવર જવર બંધ કરી દેવાય છે. કર્મચારીઓ પગપાળા અથવા બાઇક પર પેટ્રોલીંગ કરી રહ્યા છે. જ્યારે માનવભક્ષી દીપડાને પકડવા માટે તંત્ર દ્વારા સતત ડ્રોન કમેરાથી ચાંપતી નજર રખાય છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/350-people-live-in-huts-between-leopard-attack-fear-at-bagasara-area-126263493.html

બગસરાના સાપર રોડ પર આવેલી ગૌશાળામાં દીપડાએ ત્રણ ગાયોનું મારણ કર્યું, CCTVમાં કેદ

  • વન વિભાગની ટીમ દોડી આવી દીપડાની શોધખોળ હાથ ધરી

Divyabhaskar.com

Dec 11, 2019, 12:43 PM IST
અમરેલી: બગસરા પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. લોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગની 100 ટીમ દ્વારા દીપડાને પકડવા માટે મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. પરંતુ માનવભક્ષી દીપડો પકડાતો નથી. ત્યારે બગસરાના સાપર રોડ પર આવેલી સિયારામ ગૌશાળામાં ગત રાત્રે 3 વાગે દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ ત્રણ જેટલી ગાયોનો શિકાર કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેમજ મારણ પણ કર્યું હતું. દીપડો ગૌશાળામાં ઘૂસ્યો તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા છે.આ ગૌશાળા નદીના કાંઠે આવેલી છે. ઘટનાની જામ થતા જ વન વિભાગની ટીમ દોડી આવી છે અને દીપડાની શોધખોળ હાથ ધરી છે.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-hunt-three-cow-in-guashala-neat-bagasara-and-this-cctv-126264231.html

ખાંભા-થોરડી રોડ પર મારણ કરી સિંહોનું ટોળું રોડ ક્રોસ કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

  • 8થી વધુ સિંહોનું ટોળું મારણ કરી રસ્તો ક્રોસ કરતો હતો
  • બંને તરફથી વાહનચાલકોએ વાહનો રોકી રસ્તો બંધ કર્યો

Divyabhaskar.com

Dec 11, 2019, 08:08 PM IST
અમરેલીઃ ખાંભા-થોરડી રોડ પર સિંહોના ટોળાએ પશુનો શિકાર કરી રોડ ક્રોસ કરતો 8થી વધુ સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. રસ્તો ક્રોસ કરી રહેલા સિંહને જોવા રોડની બંને તરફથી આવતા વાહનચાલકોએ વાહન રોકી લીધા હતા. મહત્વનું છે કે, સિંહોએ રસ્તાની બાજુમાં આવેલી વાડીમાં મારણ કર્યું હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/video-of-a-mob-of-lions-crossing-the-road-on-a-khambha-thoradi-road-viral-on-social-media-126264911.html

ગૌશાળા પાસે આવતાં જ માનવભક્ષી દીપડો ઠાર મરાયો, CCTVમાં જોવા મળેલા બે દીપડામાંથી એકનું કામ તમામ એક બાકી

  • ગૌશાળામાં ફરી દીપડો આવશે તેવી શંકાના આધારે શૂટરોએ વોચ ગોઠવી હતી
  • મુંજિયાસર અને લુંઘિયાના માનવભક્ષી દીપડા જેવા જ ફૂટમાર્ક છે: કલેકટર
  • દીપડાએ વળતો હુમલો કરતા વન વિભાગે ઠાર માર્યો
  • દીપડાએ બગસરા પંથકમાં ત્રણ દિવસમાં જ બે લોકોને ફાડી ખાધા હતા
  • ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને ખેડૂતોએ દીપડાના આતંક સામે રોષ વ્યક્ત કર્યો હતો

Divyabhaskar.com

Dec 12, 2019, 11:51 AM IST
બગસરાઃ છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યો છે. વન વિભાગે બગસરા ગૌશાળામાં દીપડાને ઠાર કર્યો છે. હાલ દીપડાના મૃતદેહને જસાધર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ દીપડો માનવભક્ષી છે કે નહીં તે અંગે પરીક્ષણ કર્યું હતું. વનવિભાગે દીપડાનું પરીક્ષણ કરી માનવભક્ષી હોવાનું સ્વીકાર્યું છે. આજે(11 ડિસેમ્બર) સવારે સીસીટીવીમાં જોવા મળ્યા હતા એ જ 2 દીપડા પૈકી એક દીપડો વનવિભાગના શાર્પશૂટરે ઠાર કર્યો છે. જેના માટે વન વિભાગ દ્વારા ગૌશાળામાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ બીજો દીપડો પણ અહીં આવે તેવું વનવિભાગ અનુમાન છે.
શાર્પ શૂટરોએ દીપડાએ ઠાર માર્યો
મંગળવારી રાતે ત્રણ વાછઠરડામા મારણ બાદ પાંજરાપોળમાંથી તમામ સ્ટાફને હટાવી લઇ વન વિભાગનો સ્ટાફ અહીં ગોઠવાઇ ગયો હતો અને ગૌશાળાના દરવાજા ખુલ્લા રખાયા હતાં. સાંજના સાતેક વાગ્યાના સુમારે દીપડો દરવાજેથી અંદર પ્રવેશ્યો હતો અને શાર્પ શુટરોને જોતા તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે શાર્પ શુટરોએ એક પછી એક બે ગોળી છોડી આતંક મચાવનાર દીપડાને ઠાર કરી દીધો હતો અને આ સાથે જ વનતંત્ર અને આ વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ઘટનાસ્થળ આસપાસ લોકોના ટોળેટોળા એકઠા થવા લાગતા પોલીસે મામલો સંભાળ્યો હતો તો બીજી તરફ પ્રિસીસીએફ, સીસીએફથી માંડી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અહિં દોડી આવ્યા હતાં.
હજુ અનેક દીપડા આઝાદ
દીપડાના મૃતદેહને મુંજીયાસર ડેમ નજીક આવેલી વન વિભાગની નર્સરી ખાતે લઇ જવાયો હતો અને બાદમાં પીએમ માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયો હતો. વન વિભાગના પરિક્ષણો બાદ આ દીપડો માનવભક્ષી હતો કે કેમ તે નક્કી થશે. બગસરા પંથકમાં હજુ અનેક દીપડા આઝાદ ફરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક દીપડી ગઇકાલે કાગદડીમાં પાંજરે સપડાઇ હતી.
ખાતરીઃ માનવભક્ષી દીપડો જ હોવાની શક્યતા : સીસીએફ
બગસરામાં દીપડો ઠાર મરાયા બાદ રાજકોટના સીસીએફ અશ્વિનકુમાર પરમારે જણાવ્યુ હતું કે હાલમાં દિપડાના મૃતદેહને જસાધાર ખાતે રીફર કરાયો છે. જ્યાં તેનું પીએમ કરવામાં આવશે. વનતંત્રના અનુભવના આધારે લાગી રહ્યુ છે કે ઠાર કરાયેલો દીપડો માનવભક્ષી છે.
રાત્રે 10 થી 4 વચ્ચે મોટા ભાગના હુમલા
ચાલાક દિપડાએ માણસ પર એક નિશ્ચિત સમયગાળામા જ હુમલા કર્યા છે. આ દિપડાએ મોટાભાગના હુમલા રાતના 10 થી વહેલી સવારના 4 વાગ્યાના સમયગાળા દરમિયાન કર્યા છે. દિવસના સમયે દીપડો અવરજવર કરતો નથી કે હુમલો કરતો નથી. માત્ર રાત્રીના આ સમયગાળામા જ હુમલો કરી રહ્યો છે.
જ્યાં શિકાર કરે ત્યાં ફરી વખત આવતો નહોતો
દીપડો માણસ પર હુમલો કરે ત્યારે તે જ સ્થળે બીજી વખત અચુક આવતો હોય છે. ભુતકાળમા વનતંત્રએ આવા સ્થળે પાંજરાઓ ગોઠવી માનવભક્ષી દીપડાને પકડી લીધા છે. પરંતુ બગસરા પંથકમા આ માનવભક્ષી દીપડો એક વખત જયાં માણસ પર હુમલો કર્યો તે સ્થળે બીજી વખત કયારેય ડોકાયો નથી.
વળતો હુમલો કરતા ઠાર કર્યો, આદમખોર દીપડો હોવાની શંકાઃ કલેક્ટર
દીપડાને ઠાર કર્યો હોવાના અહેવાલોની અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓકે પુષ્ટી કરતા જણાવ્યું કે, આ અંગે બગસરાની ગૌશાળામાં સવારે મારણ કર્યું તું એ જ પરત મારણ કરવા આવે એવી શક્યતાને પગલે વોચ ગોઠવી હતી. સાંજના સાડા છથી સાત વાગ્યાની વચ્ચે દીપડો આવતા તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ દીપડાએ વળતો હુમલો કરતા તેને ઠાર મારવામાં આવ્યો છે. દીપડાની ઉંમર સાત વર્ષ હતી. આ દીપડો આદમખોર હોવાની શંકા છે. જ્યારે ધારા 144 અંગે વન વિભાગના અહેવાલ બાદ નિર્ણય લેવામાં આવશે.

આ પહેલા 7 ડિસેમ્બરના રોજ વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી 6 ટીમો કામે લગાવી હતી. તેમજ એક 3 CCF(ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ), 4 DFO(ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર) અને 150 વન કર્મી અને 10 શૂટરની ટીમ મેદાનમાં ઉતારી હતી. આમ પાંચ દિવસ બાદ વન વિભાગ માનવભક્ષી દીપડાને ઠાર કરવામાં સફળ રહ્યું છે.
ડિસે.ના પહેલા અઠવાડીયામાં દીપડાએ બે લોકોને ફાડી ખાધા હતા
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે પાંચ ડિસેમ્બરની રાત્રે વાડીએ પાણી વાળવા ગયેલા 44 વર્ષીય વજુભાઈ ધનજીભાઈ બોરડને દીપડાએ હુમલો કરી ફાડી ખાધા હતા. ત્યાર બાદ 7 ડિસેમ્બરે બગસરાના સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ (ઉ.વ.40)નામના ખેતમજૂરને પણ દીપડાએ ફાડી ખાતા સમગ્ર રાજ્યના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જેને પગલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ શનિવારે હાથમાં બંધુક લઈ દીપડાઓને ભડાકે દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટનાક્રમ વચ્ચે દીપડાઓને દેખો ત્યાં ઠાર કરવા માટે સરકારે કડક સૂચના આપી હતી.
10 મહિનામાં ત્રણ બાળકો અને ચાર વૃદ્ધો સહિત 11 જેટલા લોકોને ફાડી ખાધા
1- 26 ફેબ્રુઆરી 2019, ચલાલાના ગોપાલગ્રામમાં અઢી વર્ષના એભલ કિશોરભાઈ વાઘેલા નામના બાળકને ફાડી ખાધો
2- 28 જૂન 2019, તાલાલાનાં જેપુર ગામમાં લઘુશંકાએ ગયેલા હીરીબેન ગોસિયા નામના 65 વર્ષીય વૃદ્ધા દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા
3- 20 સપ્ટેમ્બર 2019, ખાંભાના મુંજીયાસરમા નનુબેન રામભાઈ પરમાર (ઉંમર 70) એક કીમી ઢસડી ફાડી ખાધા
4-28 સપ્ટેમ્બર 2019, અમરેલીના ચાંદ ગઢમાં ચિરાગ પારશીંગભાઈ કટારા નામના 6 વર્ષના બાળકને ફાડી ખાધો
5- 29 સપ્ટેમ્બર 2019, ધારીના મોણવેલમાં મનસુખભાઇ અરજણભાઈ વાળા અને કરશનભાઈ ભીમાભાઈ સગઠિયા નામના સાળા બનેવીને દીપડાએ ફાડી ખાધા હતા
6- 20 સપ્ટેમ્બર 2019, વિસાવદરના પીંડાખાઈમાં ઘરની ઓસરીમાં સુતેલા 60 વર્ષીય વાલાભાઈ માણદભાઈ મારૂને ફાડી ખાધા
7- 25 ઓક્ટોબર 2019, બગસરાના મુંજીયાસરમાં નાગજીભાઈ પટોળીયા નામના વૃદ્ધને દીપડાએ મારી નાખ્યા
8- 17 નવેમ્બર 2019, બગસરાના રફાળામાં પરપ્રાંતીય ખેતમજૂરની ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી
9- 05 ડિસેમ્બર 2019,બગસરાના મુંજીયાસરના વજુભાઇ બોરડ નામના 55 વર્ષીય ખેડૂતને દીપડાએ ફાડી ખાધા
10- 7 ડિસેમ્બર 2019, બગસરાની સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ ઉંમર 40 ખેત મજૂર દીપડાએ ફાડી ખાધા
(અહેવાલ: જયદેવ વરૂ,અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-attack-forest-department-shoot-leopard-in-bagasara-126264895.html

બગસરા પંથકમાં આતંક મચાવનાર આદમખોર દીપડાને ગઇકાલે મોડી સાંજે

DivyaBhaskar News Network

Dec 13, 2019, 05:56 AM IST

બગસરા પંથકમાં આતંક મચાવનાર આદમખોર દીપડાને ગઇકાલે મોડી સાંજે ગૌશાળા નજીક તંત્રએ ઠાર માર્યા બાદ આજે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં તેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું અને બાદમાં અગ્નીદાહ આપી તેના મૃતદેહનો નિકાલ કરાયો હતો. દિપડાનો અંત થતા તંત્રએ રાહતનો દમ લીધો છે. કેટલાક ઉચ્ચ અધિકારીઓ અહિંથી પરત ફર્યા હતાં આમ છતાં બગસરા પંથકમાં આ ઓપરેશન હજુ શરૂ રખાયુ છે. બગસરા પંથકમાં જ જે દિપડાએ પાંચ લોકોને મારી નાખ્યા, અનેક લોકો પર હુમલો કર્યો, અનેક પશુઓનું મારણ કર્યુ તે આદમખોર દિપડાને ગઇ મોડીસાંજે વન વિભાગના શાર્પ શુટરોએ બે ગોળી ધરબી દઇ ઠાર કર્યા બાદ રાત્રે જ તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આજે ત્રણ ડોક્ટરની પેનલથી તેનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું અને બાદમાં અગ્નીદાહ આપી મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ વન વિભાગ દ્વારા બગસરા પંથકમાં હજુ પણ દીપડાઓને પકડવાનું ઓપરેશન શરૂ રખાયુ છે. જો કે રાજ્યના અન્ય વિસ્તારોમાંથી આવેલા ઉચ્ચ વન અધિકારીઓ આજે પરત ફર્યા હતાં. બગસરા, વિસાવદર અને ધારી તાલુકાના સીમાડે દિપડાની સંખ્યા વધુ હોય વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ઓપરેશન યથાવત રખાયુ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-terrorist-arrested-in-bagsara-diocese-yesterday-evening-055617-6158906-NOR.html

ધારીના ખીચા ગામે વહેલી સવારે 4 સાવજ ઘૂસ્યા, 4 ગાયોનું મારણ કર્યું

  • દીપડા બાદ સિંહોના આટાંફેરા વધતા લોકોમાં ભયનો માહોલ

Divyabhaskar.com

Dec 13, 2019, 02:58 PM IST
અમરેલી: અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનો આતંક વધ્યો છે. ત્યારે સિંહોની રંજાડ પણ વધી રહી છે. ધારીના ખીચા ગામે આજે વહેલી સવારે 4 સિંહો ઘૂસી આવ્યા હતા અને રસ્તા પર રઝળતી 4 ગાયોનું મારણ કર્યું હતું. સિંહોએ મીજબાની માણતા લોકોમાં ભય ફેલાયો છે. વન વિભાગને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/4-lion-attack-on-4-cow-in-khicha-village-of-dhari-126281436.html

ઊનામાં રહેણાંક મકાનમાં દીપડો ઘુસી જતાં મચી દોડધામ

ivyaBhaskar News Network

Dec 14, 2019, 05:57 AM ISTઅમરેલી પંથકમાં દીપડાઓ માનવ પર હુમલા કરી રહ્યાં છે. જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જ ઊના શહેરમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં દીપડો આવી ચઢયો હતો. અને દેલવાડા રોડ પર આવેલ નિવૃત વનકર્મીનાં મકાનમાં પ્રવેશતાં દોડધામ મચી ગઇ હતી. ઊનામાં વિદ્યાનગર સોસાયટી રોડ પર નિવૃત વન કર્મી દિનેશપરી શિવપરી ગોસ્વામીનું મકાન આવેલું હોય જેમાં રાત્રીનાં 3.30 વાગ્યે એક દીપડો દિવાલ કુદી ફળીયામાં ઘુસ્યો હતો. ત્યારે અહીંથી 108 લઇને પસાર થતાં પાયલોટની નજર પડતાં તેમણે એમ્બ્યુલન્સ રોકી દીધી હતી. અને દેલવાડાથી આવતા બે પોલીસ કર્મીઓને આ અંગે વાત કરી હતી. બાદમાં આ દીપડાને જોઇ કોઇ માનવ પર હુમલો ન કરે તે માટે વન કર્મીનાં પાડોશમાં રહેતા લોકોને જગાડ્યાં હતાં. બાદમાં અવાજ સાંભળતાં આ દીપડો ઘરની પાછળની દિવાલ કુદી નાશી ગયો હતો. આમ રહેણાંક મકાન સુધી દીપડો આવી પહોંચતાં લત્તાવાસીઓ ગભરાઇ ગયાં હતા. સનખડા ગામના માલણ વિસ્તારમાં રાત્રીના બે દીપડાઓ આવી ચઢયા હતાં અને બાપુભાઇ દેસાભાઇ ગોહીલની વાડીમાં રાખેલ પાડાનું માર કર્યુ હતું. જયારે નટુભાઇ જીવાભાઇ ગોહીલની વાડીમાં બે વાછરડીના મારણ કરી મિજબાની માણી હતી.

પડોશીએ રાડારાડ કરતા જાગી ગઇ : ઇન્દુબેન

આ અંગે નિવૃત વન કર્મીનાં પત્ની ઇન્દુબેને કહ્યું હતું કે દીપડો અમારા મકાનનાં ફળીયામાં ઘુંસી ગયો હોવાથી પાડોશનાં લોકોએ અવાજ કરતાં મારી નિંદર ઉડી ગઇ હતી. અને રૂમની બારી ખોલી જોયું તો દીપડો નાશી છુટ્યો હતો. સવારે ફળીયામાં તેમજ દિવાલ પર સગડ જોવા મળ્યાં હતાં.

રામનગર ખારામાં દીપડાના આંટાફેરા

ઊના શહેરના રામનગર ખારા વિસ્તારમાં દીપડો તથા દીપડીની આજે વહેલી સવારે ચહલ પહલ જોવા મળતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. તાકીદે વનવિભાગ દ્વારા શહેરના છેવાડાના વિસ્તારમાં પાંજરા મુકવામાં આવે તેવી લોકો માંથી માંગણી ઉઠવા પામેલ છે. જયારે સીમાસીમાંથી ખુંખાર દીપડો પકડાતાં લોકોએ રાહત અનુભવી હતી. આ દીપડાને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lighthouse-rushes-into-a-residential-building-in-una-055718-6166931-NOR.html

તુલસીશ્યામ રેન્જમાં સિંહબાળના મોત બાદ એકસાથે 7 સિંહોના ગ્રુપનું રેસ્ક્યુ કરાયું

  • બે સિંહણ અને પાંચ સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

Divyabhaskar.com

Dec 17, 2019, 04:30 AM IST
ખાંભા: ગીર પૂર્વની તુલશીશ્યામ રેન્જમાં ખાંભા તાલુકાના કોદીયા ગામની સીમમાંથી ગઇરાત્રે વનતંત્રએ અચાનક જ બે સિંહણ અને તેના પાંચ બચ્ચા સહિત સાવજોનું રેસ્ક્યુ કરી જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડી દીધા છે. જો કે વનતંત્ર બન્ને સિંહણ ઘાયલ હોય તમામનું રેસ્ક્યુ કર્યાનો દાવો કરે છે. પરંતુ થોડા સમય પહેલા આ સિંહણનું એક બચ્ચુ બિમારીથી મૃત્યુ પામ્યુ હોય સાવજોમાં ફરી કોઇ જોખમી બિમારી છે કે કેમ તે અંગે ભારે ચર્ચા જાગી છે. વનતંત્રએ એક સાથે સાત સાવજોને રેસ્ક્યુ કરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડતા સિંહપ્રેમીઓમાં ચિંતાની લાગણી ફરી વળી છે. વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે બન્ને સિંહણો ઘાયલ હતી. જેના કારણે આ રેસ્ક્યુ કરાયુ હતું. સિંહણોની સાથે તેમના બચ્ચાને પણ લવાયાં હતાં.
એક સિંહણને માથામાં, બીજીને પગમાં ઇજા
એક સાથે સાત સાવજના રેસ્ક્યુ અંગે સીસીએફ ડી.પી. વસાવડાએ જણાવ્યુ હતું કે એક સિંહણને માથામાં ઇજા હતી જ્યારે એક સિંહણને પગમાં ઇજા હતી. બન્ને સિંહણને સારવાર આપવાની જરૂરી હોવાથી બન્નેનું રેસ્ક્યુ કરતી વખતે તેમના બચ્ચાને પણ સાથે લેવા પડયા હતાં.
સુરક્ષાનાં કારણોથી બચ્ચાંને સાથે લેવાયાં
એસીએફ નિકુંજ પરમારે જણાવ્યુ હતું કે કોદીયાની સીમમાં બીજા 9 સાવજોની પણ હાજરી નોંધાઇ હતી. જેથી સિંહણની સાથે તેના બચ્ચાને પણ રેસ્ક્યુ કરી લેવાયા હતાં. જેથી બચ્ચા પર આ સિંહો તરફથી કોઇ જોખમ ન રહે. આ સાવજોના જરૂરી સેમ્પલ પણ લેવાશે અને સારવાર કરાયા બાદ સુરક્ષિત રીતે મૂક્ત કરી દેવામાં આવશે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/7-lion-rescue-in-tulsishyam-range-by-forest-department-126305390.html

ખાંભા પાસેથી 2 ઘાયલ સિંહણની સારવાર માટે વનતંત્રે 5 બચ્ચાને પણ સાથે લેવા પડ્યા

DivyaBhaskar News Network

Dec 17, 2019, 05:56 AM IST
ગીર પૂર્વની તુલશીશ્યામ રેન્જમાં ખાંભા તાલુકાના કોદીયા ગામની સીમમાંથી ગઇરાત્રે વનતંત્રએ અચાનક જ બે સિંહણ અને તેના પાંચ બચ્ચા સહિત સાવજોનું રેસ્ક્યુ કરી જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડી દીધા છે. જો કે વનતંત્ર બન્ને સિંહણ ઘાયલ હોય તમામનું રેસ્ક્યુ કર્યાનો દાવો કરે છે. પરંતુ થોડા સમય પહેલા આ સિંહણનું એક બચ્ચુ બિમારીથી મૃત્યુ પામ્યુ હોય સાવજોમાં ફરી કોઇ જોખમી બિમારી છે કે કેમ તે અંગે ભારે ચર્ચા જાગી છે. વનતંત્રએ એક સાથે સાત સાવજોને રેસ્ક્યુ કરી એનીમલ કેર સેન્ટરમાં ખસેડતા સિંહપ્રેમીઓમાં ભારે ચિંતાની લાગણી ફરી વળી છે. ગીરપૂર્વની તુલસીશ્યામ રેન્જમાં ખાંભા તાલુકાના કોદીયા ગામની સીમમાં ગઇરાત્રે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ વિસ્તારમાં બે સિંહણ તેના પાંચ બચ્ચા સાથે આટા મારી રહી હતી. આમ તો આ ગૃપ 9 સાવજોનું હતું. પરંતુ થોડા દિવસ પહેલા એક બચ્ચુ બિમાર થતા તેને પકડીને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં લઇ જવાયુ હતું. જ્યાં તે મૃત્યુ પામ્યુ હતું. આ ઉપરાંત અન્ય એક બચ્ચાને પણ આ વિસ્તારમાંથી બિમારી સબબ રેસ્ક્યુ કરાયુ હતું. દરમિયાન ગઇરાત્રે એક સાથે સાત સાવજોને ઉપાડી લઇ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઇ જવાયા હતાં. જો કે વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે બન્ને સિંહણો ઘાયલ હતી. જેના કારણે આ રેસ્ક્યુ ઓપરેશન કરાયુ હતું. સિંહોની સાથે તેમના બચ્ચાને પણ રેસ્ક્યુ કરી લેવાયા હતાં. તમામ સાવજોના સેમ્પલની પણ જસાધારમાં ચકાસણી કરવામાં આવશે.

અગાઉ આંબરડી-દલખાણીયામાં આવા રેસ્ક્યુ થયા હતાં

હાલ વન વિભાગ દ્વારા જે ગૃપનું રેસ્કયું કરાયુ છે તેની પહેલાની ફાઇલ તસવીર.

એક સાથે અનેક સાવજોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય તેવી ઘટના પ્રથમ વખત નથી બની. અગાઉ આંબરડી પંથકમાં એક સાવજ માનવભક્ષી બની જતા આ વિસ્તારના 16 જેટલા સાવજોને એક સાથે પકડી લઇ જસાધાર ખસેડાયા હતાં. આવી જ રીતે ગત વર્ષે દલખાણીયામાં કેનાઇન ડીસ્ટેમ્પર વાયરલ ફેલાતા એક સાથે 30થી વધુ સાવજોને રેસ્ક્યુ કરાયા હતાં.

બચ્ચાને સુરક્ષાના કારણોથી સાથે લેવાયા

એસીએફ નિકુંજ પરમારે જણાવ્યુ હતું કે કોદીયાની સીમમાં બીજા 9 સાવજોની પણ હાજરી નોંધાઇ હતી. જેથી સિંહણની સાથે તેના બચ્ચાને પણ રેસ્ક્યુ કરી લેવાયા હતાં. જેથી બચ્ચા પર કોઇ જોખમ ન રહે. આ સાવજોના જરૂરી સેમ્પલ પણ લેવાશે.

એક સિંહણને માથામાં તો બીજીને પગના ભાગમાં ઇજા થઇ છે

એક સાથે સાત સાવજના રેસ્ક્યુ અંગે સીસીએફ ડી.પી. વસાવડાએ જણાવ્યુ હતું કે એક સિંહણને માથામાં ઇજા હતી જ્યારે એક સિંહણને પગમાં ઇજા હતી. બન્નેનું રેસ્ક્યુ કરતી વખતે ફરજીયાત તેમના બચ્ચાને પણ સાથે લેવા પડયા હતાં.

હાલ જશાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-5-infants-also-had-to-be-taken-for-treatment-of-2-injured-lions-from-the-mound-055635-6189738-NOR.html

હાથસણીમાં મધરાત્રે સિંહે 5 ગાયોનું મારણ કરતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ

DivyaBhaskar News Network

Dec 19, 2019, 05:57 AM IST
સાવરકુંડલાના હાથસણી ગામના સરપંચ શિવરાજભાઈ ખુમાણે જણાવ્યું હતું કે, ગઈકાલે ગ્રામજનોએ મળી વન વિભાગને ગામની વાડી વિસ્તારમાં આવી ગયેલા સિંહ અને દિપડાને દુર કરવા વન વિભાગને રજુઆત કરી છે. આ રજુઆતના બીજા જ દિવસે સિંહે ગામમાં ઘુસી પાંચ ગાયોનું મારણ કર્યું છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ છે. ખેડૂતો વન્ય પ્રાણીઓના ડરથી વાડી ખેતરમાં જઈ શકતા નથી. વન વિભાગને જાણ કરવા છતાં પણ વન વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. હાલ હાથસણી ગામની નજીક કેટલાય દિવસથી વન્ય પ્રાણીઓના આટા ફેરા વધી ગયા છે. ત્યારે જો અહી પણ બગસરાના લુંઘીયા અને મુંજીયાસર જેવી ઘટના સર્જાશે. તો જવાબદારી કોઈને તે પણ એક સવાલ થઈ રહ્યો છે. અહી ગામની સીમમાં રાત્રે રખોપુ કરવા જતા ખેડૂતોની સલામતીનું શુ ? જો વન્ય પ્રાણીના કારણે ગ્રામજનોને નુકશાની પહોંચ છે. તો વન વિભાગ પોતાની જવાબદારી સ્વીકારશે. ખરી તેવા પ્રશ્નો પણ કર્યા હતા. ત્યારે વહેલી તકે હાથસણી ગામ નજીકથી વન્ય પ્રાણીઓને દુર કરે તેવી લોક માંગ ઉઠી છે. અમારી માંગણી સ્વીકારવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-lions-kill-5-cows-at-midnight-055715-6205634-NOR.html

તુલસીશ્યામથી સારવારમાં ખસેડાયેલી 12 વર્ષની સિંહણનું જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મોત

  • ખડાધાર ગામની સીમમાંથી વધુ એક સિંહબાળને રેસ્ક્યુ કરી જસાધાર ખસેડાઇ

Divyabhaskar.com

Dec 19, 2019, 02:45 PM IST
અમરેલી: ગીર પૂર્વની તુલસીશ્યામ રેન્જમાં હજુ બે દિવસ પહેલા સાત સાવજોને રેસ્ક્યુ કરી જસાધાર ખસેડાયા બાદ ખડાધારની સીમમાંથી વધુ એક સિંહબાળને રેસ્ક્યુ કરી સારવારમાં ખસેડાયું છે, તો બીજી તરફ અગાઉ 9મી તારીખે અહીંથી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડાયેલી 12 વર્ષની સિંહણનું આજે મોત થયું હતું. અચાનક તુલસીશ્યામ રેન્જમાં જ સાવજોને લઇને તંત્રની એક્ટીવીટી વધી ગઇ છે.
9મી ડીસેમ્બરે વનતંત્રએ 12 વર્ષની સિંહણનું રેસ્ક્યુ કર્યું હતું
તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં આવતા સોનારીયા ગામની સીમમાંથી ગત 9મી ડીસેમ્બરે વનતંત્રએ 12 વર્ષની ઉંમરની એક બિમાર સિંહણને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડી હતી. જ્યાં આજે તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. વનતંત્રએ આ સિંહણના મોત માટે તે વૃદ્ધ થઇ ગયાનું કારણ જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા અહીંથી રેસ્ક્યુ કરાયેલા એક સિંહબાળનું પણ આ જ રીતે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં મોત થયુ હતું.
વન વિભાગ દ્વારા સિંહોને રેસ્ક્યુ કરી જસાધાર ખસેડાઇ રહ્યા છે
બીજી તરફ તુલસીશ્યામ રેન્જમાં જ વન વિભાગ દ્વારા એક પછી એક સાવજોને રેસ્ક્યુ કરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ રહ્યા છે. બે દિવસ પહેલા આ રેન્જના કોદીયા ગામની સીમમાંથી બે સિંહણ અને તેના પાંચ બચ્ચાને તંત્રએ પકડી લીધા હતાં. એક સિંહણને માથામાં ઇજા હોવાનું અને બીજી સિંહણને પગમાં ઇજા હોવાનું કારણ બતાવાયું હતું. વળી આ બન્ને સિંહણોના બચ્ચાને રેઢા મુકી શકાય તેમ ન હોય તેને પણ રેસ્ક્યુ કરાયા હતાં.
ખાંભાના નિંગાળામાં વધુ એક સિંહ બિમાર
રબારીકા રાઉન્ડના નિંગાળા ગામે ધોહ વિસ્તારમાં વધુ એક સારવારથી વંચિત બિમાર સિંહ થોડા દિવસોથી ખેડૂતોની નજરે ચડી રહ્યો છે. આ સિંહ જાડા-ઉલ્ટીની બિમારીથી પીડાઇ રહ્યો છે. તે મારણ કરવા પણ એકદમ અશક્ત હોવાનું અને એક જ જગ્યાએ લાંબો સમય પડ્યો રહેતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વન વિભાગના સબ સલામતના દાવા વચ્ચે તાત્કાલિક આ સિંહને રેસ્ક્યુ કરીને સારવાર આપવી અત્યંત જરૂરી છે. સાથે જ આ સિંહના હગાર, ઉલ્ટીના નમૂના લઇ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવે તો જાણી શકાય કે સિંહને કેવા પ્રકારની બિમારી છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/12-year-old-lioness-death-during-treatment-in-jasadhar-animal-care-center-126329144.html

4 સિંહો ગીરકાંઠાના ગામમાં ઘૂસી મકાનની છત પર ચડ્યા, વીડિયો વાઇરલ

  • ગ્રામજનોએ મોબાઇલમાં દ્રશ્યો કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો

Divyabhaskar.com

Dec 19, 2019, 03:39 PM IST
અમરેલી: ગીરકાંઠાના વિસ્તારોમાં સિંહો અવારનવાર આવી જતા હોય છે. ત્યારે ગીરકાંઠાના એક ગામડામાં ચાર સિંહો ઘૂસ્યા હતા અને રહેણાંક મકાનની છત પર ચડી ગયા હતા. આ દ્રશ્યો ગ્રામજનો દ્વારા પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/four-lion-came-in-village-of-gir-forest-border-and-video-viral-126330242.html

શિકારની શોધમાં ગામમાં આવી ચડેલી સિંહણ ધાબા પર ચડી ગઇ

DivyaBhaskar News Network

Dec 20, 2019, 05:55 AM IST
અમરેલી પંથકમાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો અવાર નવાર શિકારની શોધમાં કોઇ ગામમાં આવી ચડે છે. ગ્રામિણ માર્ગથી લઇ નેશનલ હાઇવે પર અડ્ડો જમાવે છે. ક્યારેય વંડી ટપી કોઇના ડેલામાં ખાબકે છે પરંતુ હવે સાવજો કોઇ મકાનના ધાબા પર ચડી જઇ અડ્ડો જમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ગીર કાંઠાના વિસ્તારમાં એક સિંહણે એક મકાનના ધાબા પર ચડી જઇ અડ્ડો જમાવતા ગામલોકો એકઠા થઇ ગયા હતાં. આ ઘટના ગીરકાંઠાની હોવાનું કહેવાય છે. રાત્રીના સમયે શિકારની શોધમાં સિંહણ ગામમાં આવી ચડી હતી અને એક મકાનના ધાબા પર ચડી ગઇ હતી. ગામલોકોને જાણ થતા મકાન આસપાસ લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયુ હતું. લોકોએ તેના પર બેટરીનો પ્રકાશ ફેકતા આ સિંહણ વિહવળ બની ગઇ હતી. સિંહણ ધાબા પર ચડી જતા ગામના લોકો પણ બેબાકળા બની ગયા હતાં. જો કે બાદમાં સિંહણ અહિંથી નિકળી ગઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lion-climbed-into-the-village-in-search-of-prey-055516-6213773-NOR.html

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામમાં વાછરડીનો શિકાર કરતો સિંહ CCTVમાં કેદ

ivyabhaskar.com

Dec 19, 2019, 11:00 PM ISTઅમરેલી: જંગલ વિસ્તારમાંથી સિંહ બહાર આવી મારણ કરતા હોવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સાવરકુંડલા તાલુકાના લુવારા ગામમાં વાછરડીનો શિકાર કરતો સિંહ CCTVમાં કેદ થયો હતો. CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે સિંહથી બચવા વાછરડી દોડી રહી છે અને સિંહ તેનો શિકાર કરવા પાછળ દોડી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર લુવારા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રીના સમયે સિંહ શિકાર કરવા માટે આવે છે. વાછરડીના શિકાર બાદ વનવિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મારણને હટાવી લીધું હતું. સિંહ દ્વારા કરવામાં આવેલા શિકારને કારણે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-hunting-calf-in-luwara-village-of-savarkundla-taluka-caught-in-cctv-126330535.html

તુલસીશ્યામ રેન્જમાં માતાથી વિખૂટા પડેલા એક માસના સિંહબાળનું 5 દિવસની સારવાર બાદ મોત

  • જસાધાર એનિમલ કેર ખાતે સારવાર ચાલી રહી હતી, માતાના વિરહમાં સિંહબાળનું નબળાઇના કારણે મોત

Divyabhaskar.com

Dec 23, 2019, 04:01 PM IST
ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં પીપળવા રાઉન્ડના ખડાધાર રેવન્યુ વિસ્તારમાંથી 1 માસનું સિંહબાળ માતાથી વિખૂટું પડી ગયું હતું. તેને જસાધાર એનિમલ કેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. બાદમાં આજે 5 દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વન વિભાગ સિંહણને શોધવામાં નિષ્ફળ ગયું છે.
વન વિભાગ સિંહણને શોધવામાં નિષ્ફળ
ખડાધાર રેવન્યુ વિસ્તારમાં 5 દિવસ પહેલા સિંહબાળ માતાથી વિખૂટું પડી ગયું હતું. બાદમાં સ્થાનિક વનવિભાગ દ્વારા સિંહબાળને જસાધાર એનિમલ કેર ખાતે સારવાર અર્થે મોકલી આપ્યું હતું. સિંહબાળ જ્યારથી માતાથી વિખૂટું પડતા માતા સિંહણના વિરહમાં નબળું પડતું જતું હતું અને તેના કારણે જ મોતને ભેટ્યું હતું. બીજી તરફ સિંહબાળ માતાથી વિખૂટું પડ્યા બાદ આજ દિન સુધી સિંહબાળની માતા સાથે મિલન કરાવવામાં સ્થાનિક વનતંત્ર નિષ્ફળ ગયું છે. આ ઘટના અંગે એસીએફ નિકુંજ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત થતા સિંહબાળનું મોત થયાનું સ્વીકાર્યું હતું અને જણાવ્યું હતું કે સિંહબાળનું જસાધાર ખાતે વેટરનરી ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી. પરંતુ તેનામાં વધારે પડતી નબળાઈ આવી જવાથી આજે તે મોતને ભેટ્યું હતું.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/1-month-lion-cub-death-in-jasadhar-animal-care-center-126361687.html

જીરાની સીમમાં કુદરતી હાજતે ગયેલા ખેડૂતને સિંહે મારી નાખી એક કિ.મી. સુધી ઢસડી ગયો

  • ઘટનાસ્થળે લોહીના ખાબોચીયા જોવા મળ્યા, મજૂરનું પેન્ટ પણ મળી આવ્યું
  • વન વિભાગે ખેતમજૂરનો મૃતદેહ પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
  • લોકો દેકારો કરી પાછળ દોડતા રહ્યા અને સાવજ યુવકને મોઢામાં પકડી આગળ દોડતો રહ્યો

Divyabhaskar.com

Dec 24, 2019, 01:53 AM IST
અમરેલીઃ બગસરા પંથકમાં માનવભક્ષી દિપડાએ હાહાકાર મચાવ્યાનો હતો ત્યાં હવે ધારી પંથકમાં માનવભક્ષી બનેલા સાવજે જીરા ગામની સીમમાં કુદરતી હાજતે ગયેલા આધેડ ખેત મજુરને મારી નાખતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. સોમવારે વહેલી સવારે સાવજ આધેડને ગળામાંથી પકડી એક કિમી દુર સુધી ઢસડી ગયો હતો. લોકોએ હાંકલા પડકારા કર્યા પરંતુ આધેડને બચાવી શક્યા ન હતા.
કદુભાઈને એક કીમી સુધી ઢસડી ગયો
ગીર પૂર્વની દલખાણીયા રેન્જના કરમદડી રાઉન્ડના હિરાવા બીટ નીચે આવતા જીરા ગામની સીમમાં કદુભાઇ મોતીભાઇ ભીલાડ (ઉ.વ.55) નામના ખેત મજુરને એક સાવજે મારી નાખ્યા હતાં. કદુભાઇ અહિંના ખેડૂત ચીમનભાઇ પોપટભાઇ બાંભરોલીયાની વાડીમાં ખેત મજુરીનું કામ કરતા હતાં અને વાડીમાં જ રહેતા હતાં. સવારે છએક વાગ્યાના સુમારે તેઓ રાખોડી કલરની શાલ ઓઢી બાજુમાં જ વાડ પર કુદરતી હાજતે ગયા હતાં. આ સમયે જ શિકારની શોધમાં નિકળેલો સાવજ ચડી આવ્યો હતો અને કદુભાઇ પર હુમલો કરી દીધો હતો. સિંહ તેમને ગળામાંથી પકડી ઢસડવા લાગ્યો હતો. દેકારો બોલતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં અને હાંકલા પડકારા કરી કદુભાઇને છોડાવવા પ્રયાસ કર્યો હતો. જો કે સાવજ તેમને ગળામાંથી પકડી ભાગ્યો હતો. પાછળ લોકો હાંકલા પડકારા કરી દોડ્યા હતાં. એકાદ કીમી દુર સુધી સાવજ તેમને ઢસડી ગયો હતો. જો કે બાદમાં લોકોના હાંકલા પડકારાથી તેમને છોડી દીધા હતાં. જાણ થતા તંત્ર વાહકો અહિં દોડી આવ્યા હતાં. કદુભાઇનું ઘટનાસ્થળે જ મોત થઇ ચુક્યુ હતું.
રાખોડી કે કાળા કપડાં બની શકે છે મોતનું કારણ
સામાન્ય રીતે સિંહ-દીપડાના પરિભ્રમણના વિસ્તારમાં કોઇ વ્યક્તિ કાળા કે રાખોડી કલરના વસ્ત્રો ધારણ કરે તો તેના હુમલાનો ભોગ બનવાની શક્યતા વધુ રહે છે. આવા વસ્ત્રોના કારણે સાવજે તેને નિલગાય કે અન્ય પશુ સમજી હુમલો કરી કર્યાની સંભાવના છે. તંત્ર દ્વારા પણ ખેડૂતોને રાત્રીના સમયે કાળા વસ્ત્રો ન પહેરવા સમજ અપાઈ રહી છે.
ખેતમજૂરી કરી કદુભાઇ પરિવારનું ગુજરાન ચલાવતા હતા
મૃતક કદુભાઇ ગામના જ ખેડૂત ચીમનભાઇ પોપટભાઇ બાંભરોલીયાની વાડીમાં રહી ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે વહેલી સવારે 6 વાગ્યે કુદરતી હાજતે જવા નીકળ્યા હતા અને અચાનક જ સિંહે તેના પર હુમલો કરી ઢસડી જઇ ફાડી ખાધા હતા. કદુભાઇનો મૃતદેહ વાડીથી થોડે દૂરથી મળી આવ્યો હતો. વન વિભાગે તેના મૃતદેહને પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હુમલો કરનાર સિંહની ઉંમર 3થી 5 વર્ષની હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.
ગળાના ભાગેથી સિંહે મજૂરને દબોચ્યો હતો
વાડી માલિક ચીમનભાઇએ જણાવ્યું હતું કે, વાડીમાં મજૂર રહે છે. આજે કદુભાઇ વહેલી સવારે કુદરતી હાજતે જતા હતા ત્યારે સિંહે અચાનક તેને ગળાના ભાગેથી પકડી 500 મીટર સુધી દૂર ઢસડી ગયો હતો. બાદમાં છાતીના ભાગમાં હુમલો કર્યો હતો. દીપડા અને સાવજોનો અવારનવાર ત્રાસ રહે છે. ગામ સુધી સાવજો આવી જાય છે. વન વિભાગ તેને પકડીને જંગલ વિસ્તારમાં લઇ જાય અથવા વાડીમાં મેડા બનાવી આપે તો ખેડૂતો સુરક્ષિત રહી શકે.
માનવભક્ષી સિંહ પાંજરામાં પુરાયો, આજીવન કારાવાસની સંભાવના
ખેતમજૂરને જે સિંહે ફાડી ખાધો હતો તે સિંહને વન વિભાગે પાંજરે પૂરી દીધો છે. વન વિભાગે સિંહને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશ હાથ ધર્યું હતું. પકડાયેલા માનવભક્ષી સિંહને આજીવન કારાવાસ થાય તેવી શક્યતા છે. સિંહ પકડાતા જ ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. આ સિંહની ઉંમર 5થી 7 વર્ષની હોવાનું અનુમાન છે અને હવે આ સિંહને છોડવામાં નહીં આવે તેવું આરએફઓ જાડેજાએ જણાવ્યું હતું.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-attack-on-farmer-louber-so-his-death-near-dalakhaniya-range-of-amreli-126360854.html

રાજુલાના કાતર ગામે 2 સિંહો ઘૂસ્યા, દ્રશ્યો CCTVમાં કેદ, લોકોમાં ભયનો માહોલ

  • ડી રેવન્યુ વિસ્તારમાં સિંહોના આંટાફેરા વધ્યા 

Divyabhaskar.com

Dec 25, 2019, 12:37 PM IST
અમરેલી: રાજુલાના કાતર ગામમાં ગત રાત્રે બે સિંહો ઘૂસી આવ્યા હતા. બંને સિંહોએ રાત્રે ગામમાં આંટાફેરા કર્યા હતા. પરંતુ મારણ કર્યાના ક્યાંય નિશાન જોવા મળ્યા નથી. સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. બંને સિંહો સીસીટીવીમાં કેદ થયા હતા. આ સિંહો ફરી આવે તેવી ગ્રામજનોમાં ચર્ચા થઇ રહી છે. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-enter-katar-village-of-rajula-and-both-catch-in-cctv-126377618.html

Saturday, November 30, 2019

150 વર્ષ પછી સિંહના ચોટીલે ડાકલાં વાગ્યાં

DivyaBhaskar News Network

Nov 20, 2019, 07:17 AM IST

અત્યાર સુધી જૂનાગઢ, અમરેલી, ભાનવગર, ગીર-સોમનાથમાં જોવા મળતા એશિયાટિક સિંહે વર્ષો પછી પહેલાવાર ચોટીલા નજીક દેખા દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી, રામપરા અને ઢેઢુકી ગામની સીમમાં સિંહો જોવા મળતા સમગ્ર પંથકમાં ખુશીની સાથે ફફડાટની લાગણી ફેલાઈ છે. સોમવારે મોડી રાત્રે રામપરા અને ચોબારીના ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગની ટીમોએ સમગ્ર પાંચાળ પંથકમાં ધામા નાખ્યા છે અને સાવજનું લોકેશન જાણવાની કામગીરી શરૂ કરી છે. હાલ બે સાવજમાં એક માદા સિંહણ અને એક નર બચ્ચું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ચોટીલા અને થાન પંથકમાં આવેલા માંડવવન સહિતના વિસ્તારોમાં રાની પશુઓ વસવાટ કરતા હોવાની વાત જાણીતી છે. 150 વર્ષમાં પહેલીવાર સિંહ વિસ્તારમાં જોવા મળ્યો છે. આસપાસના વિસ્તારમાં સિંહની હાજરી હોવાનાં નિશાન તેમજ મારણ કરેલાં પશુઓ મળી આવ્યાં હતાં. આ વિસ્તારમાં સિંહોએ 2 વાછરડી અને 1 પાડા સહિત 3 પશુનું મારણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં 2 સિંહ પૈકી એક માદા સિંહણ અંદાજે 8 વર્ષની ઉંમરની તેમજ નર બાળ સિંહ અંદાજે 2 વર્ષની ઉંમરનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગે બન્ને સિંહોનું લોકેશન જાણવા સુરેન્દ્રનગર, જસદણ, વિંછીયા અને હિંગોળગઢ ફોરેસ્ટ વિભાગના 60 કર્મચારીની અલગ અલગ ટીમ બનાવી આસપાસનાં તમામ ગામની સીમો ખૂંદી રહી છે. સિંહના ડરને લીધે લોકો સીમમાં ખેતરોમાં કામ અર્થે જવાથી ડરી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગે સિંહની હાજરીને લઈને લોકોને તકેદરી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં સિંહને ખલેલ ન પહોંચાડવા તેમજ સિંહ દેખાય કે મારણ કરેલું દેખાય તો તુરંત ફોરેસ્ટ વિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે.

સાવજના ભયે ખેતરો સૂમસામ 60ની ટીમ દ્વારા મોનિટરિંગ

ચોટીલા નજીક ઢેઢૂકી, ચોબારી ગામમાં જોવા મળેલી સિંહણ.

ચોટીલા કેમ આવ્યો? ‘સિંહ માટે 120 કિમી સામાન્ય ’

કેટલાક સમયથી ચોટીલા પંથકમાં સિંહની મુવમેન્ટ જોવા મળતી હતી જેને લઇને કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં બે સિંહોનો વસવાટ હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીથી અંદાજે 120 કિમી અંતર કાપી સિંહણ-નર બચ્ચુ આવ્યા છે. અત્યારે 8 ટીમના અંદાજે 60 વધુ માણસો દ્વારા સતત મોનિટરિંંગ થઈ રહ્યું છે. સામાન્ય રીતે સિંહની 200 કિલોમિટરથી વધુની રેન્જમાં મુવમેન્ટ હોય છે. એટલે 120 કિમી અંતર સામાન્ય છે.

પુખ્ત નર નથી એટલે સ્થળાંતર નહીં: CCF

જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ સંજય શ્રીવાસ્તવના જણાવ્યા માતા-પુત્ર સિંહ છે. સિંહણ સાથે મેટીંગ માટે નર નથી એટલે તે પરત ફરશે.

એચ.વી.મકવાણા, ડીસીએફ, સુરેન્દ્રનગર

સિંહ એક રાતમાં 25, 30 કિમી ચાલી શકે છે

સિંહ દિવસે આરામ કરે છે અને એક રાતમાં 25થી 30 કિલોમીટર ચાલે છે. સિંહ એકવાર શિકાર આરોગ્યા બાદ 6 દિવસ ભોજન વિના રહી શકે છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિંહણ અને નર બચ્ચાની જોડી બાબરા, હિંગોળગઢથી 120 કિમી અંતર કાપી ચોટીલા નજીક ઢેઢુકી ગામ પાસે જોવા મળી હતી.

ચોટીલા

વીંછિયા

હિંગોળગઢ

ખંભાળા

બાબરા
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-after-150-years-the-lion39s-chute-sounded-loud-071711-5977995-NOR.html

ચોટીલા નજીક સાવજ બેલડી નહીં પરંતુ 3 સિંહની આશંકા

DivyaBhaskar News Network

Nov 21, 2019, 06:46 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા પંથક ગીરના સાવજની ડણકથી ગરજી ઊઠ્યો છે. ચોબારી-રામપરા ગામની આસપાસ એક સિંહ અને સિંહણ દેખાયા હોવાની વાતને વનવિભાગે સત્તાવાર સમર્થન પણ આપ્યું હતુ઼ં. ત્યારે મંગળવારે રાત્રીના સમયે મારણ ખાતા બે સિંહ વનવિભાગના ટ્રેકીંગ કેમેરામાં જોવા મળતા આ વિસ્તારમાં બે નહીં પરંતુ ત્રણ સિંહનો પૂરો પરિવાર આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

મંગળવારે સવારે ચોબારી અને રામપરા ગામની સીમમાં એક સિંહ અને સિંહણે મારણ કર્યું હતું અને સિંહ બેલડી ગામની સીમમાં ફરતી હોવાનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં ફરતો થયો હતો. વનવિભાગ દ્વારા સીમમાં અમુક

...અનુસંધાન પાના નં. 2



અંતરે ટ્રેકીંગ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં મંગળવારે રાત્રે 10 કલાકની આસપાસ બે સિ઼હ મારણ ખાતા વનવિભાગના કેમેરામાં જોવા મળ્યા હતા. ત્યારે અગાઉ જે સિંહણ અને સિંહ જોવા મળ્યા હતા ત્યારે ચોબારી-રામપરા પંથકની સીમમાં કદાચ બે નહીં પરંતુ ત્રણ સિંહ હોવાની શક્યતા જોવા મળી રહી છે. બુધવારે જુનાગઢ વનવિભાગના મુખ્ય વનસરંક્ષક એસ.કે.શ્રીવાસ્તવ પણ ચોટીલા દોડી આવ્યા હતા. ચોબારી તેમજ રામપરાના ગ્રામજનો સાથે અંદાજે બે કલાક સુધી બેઠક યોજી હતી.

સિંહોને વાતાવરણ અનુકુળ આવી જાય તો સ્થાયી થશે

વનવિભાગના કર્મચારીઓ દ્વારા બંને સિંહોની દેખરેખ રાખવામાં આવી રહી છે. આ બન્ને સિંહો છેલ્લા એકાદ અઠવાડિયાથી આ વિસ્તારમાં છે ત્યારે આ સિંહોને વાતાવરણ અનુકુળ આવી જાય તો તે સ્થાયી પણ થઇ શકે છે. એસ.કે.શ્રીવાસ્તવ, મુખ્ય વન સરંક્ષક જુનાગઢ

હાલ બે નર સિંહ દેખાયા છે, ત્રીજા સિંહ અંગે આશંકા

સૌ પ્રથમ જે વીડિયો સામે આવ્યો હતો તેમાં એક નર અને એક માદા સિંહણ હોવાનું અનુમાન હતું. તેમાં ક્ષતિ હોઈ શકે હાલ કેમેરામાં જે બે સિંહો કેદ થયા છે તે બંને નર છે. સિંહણનો વસવાટ છે કેમ તે હવે જાણવા મળશે. એચ.વી.મકવાણા, ડીસીએફ, સુરેન્દ્રનગર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-not-an-average-bullock-but-a-3-lion-suspect-near-the-chotila-064634-5985995-NOR.html

જશાધાર નજીકનાં તુલસીશ્યામ જંગલમાં સિંહણનું શંકાસ્પદ મોત

  • મોતનું કારણ અકબંધ, મૃતદેહ પીએમ માટે લઇ જવાયો

Divyabhaskar.com

Nov 21, 2019, 10:08 AM IST
ઉના: જશાધાર નજીક તુલસીશ્યામનાં જંગલમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે તેમનું મોત ક્યાં કારણથી થયું છે તેમને લઇ મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો. તેમનાં રીપોર્ટ બાદ જ મોતનું કારણ જાણી શકાશે. ગીરજંગલમાં આવેલ સુપ્રિધ્ધધામ તુલસીશ્યામ નજીક એક સિંહણ મૃત હાલતમાં પડી હોય જેમની જાણ વન વિભાગને થતાં સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો લઇ જશાધાર ખાતે પીએમ માટે મોકલાયો હતો. જો કે આ સિંહણનું મોત બિમારી સબબ કે પછી ઇન્ફાઇટથી થયું છે. તે તો પીએમ રીપોર્ટ બાદ જ જાણવા મળી શકશે. આ મૃતક સિંહણ પાંચથી નવ વર્ષથી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
માલધારી પર સિંહણે હુમલો કર્યો હતો તે જ વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ગીરગઢડા તાલુકાના જશાધાર નજીક ગીરજંગલમાં આવેલ દોઢીનેસ વિસ્તારમાં વહેલી સવારે એક માલધારી પર સિંહણે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. આ વિસ્તારમાંથી જ સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે આ એ જ સિંહણ છે કે, તે મૃદ્દે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે તો તપાસ બાદ જ બહાર આવશે. થોડા મહિનાઓ પહેલા સિંહોનાં મોતની ઘટનાઓ બની હતી અને વન તંત્ર દોડતું થયું હતું. ત્યારે ફરી વખત સિંહણનું મોત થતાં વનતંત્રએ તપાસ શરૂ કરી છે. આમ, અવારનવાર સિંહ અને સિંહણના મોતથી સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/get-dead-body-of-lioness-near-jashadhar-range-of-una-126101558.html

જૂનાગઢમાં સિંહ દર્શન મામલે CMએ ફરી નવો વાયદો આપ્યો

  • 2018માં જૂનાગઢમાં સિંહ દર્શનની વાત કરી હતી

Divyabhaskar.com

Nov 25, 2019, 01:16 AM IST
જૂનાગઢ: જૂનાગઢ ખાતે આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું. સાથે મહાબત મકબરા તેમજ ઉપરકોટ માટે પણ કરોડોની ગ્રાન્ટ ફાળવી તાલીઓ પડાવી લીધી. જોકે, જૂનાગઢ માટે મહત્વના એવા સિંહ દર્શન શરૂ કરવા મામલે સીએમએ ફરી નવો વાયદો આપ્યો છે. આ અંગે ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 2018ના ઓકટોબર માસમાં સાસણની સાથે જૂનાગઢમાં પણ સિંહ દર્શન શરૂ થઇ જશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ માટે તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ હતી. અનેક લોકોએ આ માટે જીપ્સી ગાડીઓ પણ ખરીદી લીધી હતી. જોકે, જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરવાની કરેલી જાહેરાતના 1 વર્ષ બાદ પણ કોઇ કામગીરી થઇ નથી. ત્યારે અટક્યું છે કયાં? તે પ્રશ્ન તમામને મુંજવી રહ્યો છે. દરમિયાન જૂનાગઢ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે ફરી નવો વાયદો આપતા ટૂંક સમયમાં સિંહ દર્શન શરૂ થઇ જશે તેવું કહ્યું હતું. જોકે, કેટલો સમય એ મામલે કોઇ ફોડ પાડ્યો ન હતો.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/cm-reaffirms-promise-of-lion-sighting-in-junagadh-126126776.html

એશીયાઇ સિંહનું રહેણાંક એવા સાસણ ગીર અને કાસીયાનેસ સુધી

DivyaBhaskar News Network

Nov 26, 2019, 06:50 AM IST

એશીયાઇ સિંહનું રહેણાંક એવા સાસણ ગીર અને કાસીયાનેસ સુધી હાલ ખાનગી કંપની દ્વારા જેસીબી જેવા મોટા મશીનોથી ખોદકામ કરી ફોર જી કે ફાઇવ જી નેટવર્કના વાયર નાખવામાં આવી રહ્યા હોય, જે જંગલી જાનવર અને પર્યાવરણ માટે નુકશાનકર્તા છે. આ બાબતે ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા સીસીએફને પત્ર પાઠવી રજુઆત કરાઇ છે કે, ફોરેસ્ટ વિભાગ દ્વારા જ્યાં જાહેર રસ્તો બનાવવા દેવામાં ન આવતો હોય તેવી જગ્યાએ ખાનગી કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કેબલો ભવિષ્યમાં ગમે ત્યારે ખરાબ થવાની કે લીકેજ થવાની સમસ્યા હોય, તેના રેડિએશનના કારણે અત્યંત ભયજનક અને જીવલેણ કિરણો પેદા થવાથી વન્ય પ્રાણીઓ અને પર્યાવરણને ભારે નુકશાન થવાની શક્યતા છે. ત્યારે જે ખોદકામ થયું છે તે વ્યવસ્થિત જેવું હતું તેવું કરવામાં આવે અને મંજુરી આપનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ ખોદકામ તાત્કાલીક ધોરણે અટકાવવામાં નહિ આવે તો સંગઠન દ્વારા આંદોલન કરવામાં આવશે અને જરૂર પડ્યે હાઇકોર્ટમાં અરજી કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. તેમ અલ્તાફ બ્લોચે જણાવ્યું હતું
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-asians-of-gir-and-kasianes-reside-in-asian-lions-065014-6024721-NOR.html

જૂનાગઢ સક્કરબાગ ઝૂને સિંહના બદલામાં રીંછ મળ્યા

DivyaBhaskar News Network

Nov 27, 2019, 06:50 AM IST
જૂનાગઢમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઇ સિંહોની સાથે સાથે દિપડા, વાઘ, તૃણભક્ષી, સરીસૃપ સહિતના પ્રાણીઓ જોવા મળે છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂમાંથી દેશના વિવિધ 13 ઝૂને સિંહ આપવામાં આવી રહ્યા છે. તેની સામે અન્ય પ્રાણીઓ સક્કરબાગમાં લાવવામાં આવી રહ્યા છે.

દેશના વિવિધ ઝૂમાંથી સફેદ વાઘ, બાયસન, શિયાળ સહિતના વિવિધ પ્રાણી, પક્ષીઓ સક્કરબાગ ઝૂમાં આવ્યા છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને કારણે સક્કરબાગ ઝૂને સારી આવક થઇ રહી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી એશિયાઇ સિંહ સહિતના પ્રાણી, પક્ષીઓ અન્ય ઝૂને આપવામાં આવી રહ્યા છે અને તેની સામે અન્ય પ્રાણી, પક્ષીઓ લઇ આવવામાં આવી રહ્યા છે. ત્યારે અઠવાડીયા પહેલા જ હિમાચલ પ્રદેશના એક ઝૂમાંથી હિમાલીયન રીંછની જોડી લાવવામાં આવી છે. જેને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. એક મહિના બાદ તેને ડીસપ્લેમાં રખાશે. સક્કરબાગ ઝૂમાંથી સિંહની જોડી હિમાચલ પ્રદેશના ઝૂને આપવામાં આવી છે તેની સામે રીંછની જોડી આપવામાં આવી હોવાનું સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર અભિષેક કુમારે જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-sakkarbagh-zoo-finds-a-bear-in-exchange-for-a-lion-065037-6032908-NOR.html

ગિરની બોર્ડર પર આવેલા વિસાવદર તાલુકાના અનેક ગામોમાં છેલ્લા

DivyaBhaskar News Network

Nov 27, 2019, 06:50 AM IST

ગિરની બોર્ડર પર આવેલા વિસાવદર તાલુકાના અનેક ગામોમાં છેલ્લા ઘણા વખતથી દીપડાના માનવી પર હુમલાના અનેક બનાવો બન્યા છે. જેમાં કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. આ પૈકીના ઘણા દીપડા પકડાયા પણ છે. જે પૈકીના એક દીપડાનું આજે સાસણમાં વૃદ્ધાવસ્થાને લીધે મોત થયું છે.આ અંગેની મળતી વિગત મુજબ ગિર પશ્વિમ વનવિભાગ હેઠળની વિસાવદર રેન્જના કુટિયા રાઉન્ડમાંથી એક માનવી પર હુમલો કરનાર દીપડાને પકડી સાસણની લાયન હોસ્પિટલમાં રખાયો હતો. જ્યાં તેનું વૃદ્ધાવસ્થાને લીધે મોત થયું હતું. દીપડાની વય 11 થી 12 વર્ષની હોવાનું સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું. તેના મૃતદેહનું પીએમ કરાયું હતું. અત્રે નોંધનીય છેકે, વિસાવદર પંથકમાં દીપડાએ માનવી પર હુમલો કરી ફાડી ખાધાના પણ અનેક બનાવો બન્યા છે. જેને પગલે વનવિભાગે ઠેકઠેકાણે પાંજરા પણ મૂક્યા છે. જેમાં ઘણા દીપડા પકડાયા પણ છે. માનવની હત્યા કરનાર દીપડાને ફરી ક્યારેય છોડાતો નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-last-of-several-villages-in-viswadar-taluka-on-the-border-of-gir-065041-6032950-NOR.html

આફ્રિકાના ગીની દેશમાં પાણી સમસ્યા, ગુજરાતના એકમાત્ર ગામ જામકા ગીરનું મોડલ અપનાવશે

  ગીની દેશના એનજીઓએ જામકા ગીર ગામની મુલાકાત લીધી

  • જળક્રાંતિ, ગાય આધારિત ખેતી,પશુપાલનની કામગીરીથી પ્રભાવિત

Divyabhaskar.com

Nov 27, 2019, 03:57 PM IST
જૂનાગઢ: જૂનાગઢ નજીકના જામકા ગીર ગામની આફ્રિકાના ગીની દેશના એનજીઓએ મુલાકાત લીધી હતી. તેઓ જામકામાં થતી જળક્રાંતિ, પશુપાલન, ગાય આધારિત ખેતીથી પ્રભાવિત થયા છે અને તેમના દેશમાં જામકાનું મોડેલ અપનાવવા તૈયાર થયા છે. ગુજરાત આખામાં જામકાગીરનું મોડલ અપવાનના ગીની દેશના એનજીઓએ પસંદગી કરી છે.
પાણીની સમસ્યા દૂર કરવા જામકાનું મોડલ અપનાવશે
આ અંગે જામકાના જળક્રાંતિ ટ્રસ્ટના પરસોતમભાઇ સિદપરાએ જણાવ્યું હતું કે, આફ્રિકાના ગીની દેશમાં એનજીઓ તરીકે કામ કરતા સારાન કતા અને દાન એપોલીનીયર ડ્રામુએ જામકાગીર ગામની મુલાકાત લીધી હતી. તેઓ ખાસ કરીને ચેકડેમ દ્વારા કરાતું જળ સંગ્રહ, ગાય આધારિત ખેતી અને પશુપાલનની કામગીરીથી પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગીની દેશની સમસ્યા દૂર કરવા તેઓ ત્યાં જામકાનું મોડેલ અપનાવશે. જેમાં ખાસ કરીને સારી ટેકનીક દ્વારા ત્યાં રોજગારી ઉભી કરાશે.
ગાય આધારિત ખેતી કરી રોજગારી મેળવશે
ખેતરમાં ગાય આધારિત ખેતીથી પપૈયા, કેળા, સીતાફળ, શેરડી, બાજરી, તરબુચ, લસણ, ઘઉં જેવા વિવિધ પાકોનું ઉત્પાદન કરશે. જેથી રોજગારી વધશે અને પ્રકૃત્તિનું જતન થશે. તેમની સાથે કૃષિ યુનિવર્સિટીના આર.ડી. પટેલ, રતિલાલ સોની, અશોક વાસવાણી વગેરેની ઉપસ્થિતી રહી હતી.
જળક્રાંતિ ટ્રસ્ટની ટીમ ચેકડેમ બનાવવા ગીની દેશ જશે
ગીનીમાં પાણીની ખૂબ સમસ્યા છે. વરસાદી પાણી વહી જાય છે. ત્યારે જામકામાં ચેકડેમ દ્વારા પાણી સંગ્રહની કામગીરીથી પ્રભાવિત થયેલા સારાન કતા અને દાન એપોલીનીયર ડ્રામુ જામકાની જળક્રાંતિ ટ્રસ્ટની ટીમને ચેકડેમથી જળક્રાંતિ કરવા ગીની બોલાવશે.
(અતુલ મહેતા, જૂનાગઢ)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/gini-country-take-jamakagir-village-model-126150575.html

જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લામાં દિપડાના હુમલામાં 8 માસમાં 13નાં મોત, 52 લાખનું વળતર

  • વન વિભાગે સિંહ, દિપડા, અન્ય પ્રાણીઓનાં હુમલાથી ઈજા પામનાર 61 લોકોને 1.20 લાખ રૂપિયાની સહાય ચૂકવી

Divyabhaskar.com

Nov 27, 2019, 10:19 AM IST
જૂનાગઢ: જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં એશિયાઇ સિંહો જોવા મળે છે. સિંહોની સાથોસાથ દિપડાની સંખ્યામાં વધારો થયો છે. સાથોસાથ આ દિપડા માનવ પર હુમલો કરતા હોવાની ઘટનામાં પણ સતત વધારો થઇ રહ્યો છે.જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં માત્ર 8 માસમાં દિપડાએ 13 લોકોનો શિકાર કર્યો છે. જ્યારે સિંહ, દિપડા અને અન્ય જંગલી પ્રાણીઓએ 61 લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે. મૃતકોને 52 લાખની વળતર ચૂકવવામાં આવ્યું છે.
જંગલી પ્રાણીઓ માનવ વસાહતોમાં પ્રવેશ કરી રહ્યા છે
વન્ય પ્રાણીઓના વધી રહેલા હુમલાને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ખેડૂત એકલા ખેતરે જતા પણ ડરી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ લોકો અને સરકારના પ્રયાસને કારણે સિંહ અને દિપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ સિંહ, દિપડા સહિતના જંગલી પ્રાણીઓ માનવ વસાહતોમાં પ્રવેશ કરી રહ્યા છે. જેનાથી માનવ પર હુમલાના બનાવમાં વધારો થયો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં દિપડાના હુમલાના બનાવોમાં વધારો થયો છે. માનવ પર પ્રાણીઓના હુમલા બાદ વન વિભાગ દોડતું થઇ જાય છે અને દિપડાને પકડવા માટે પાંજરા મુકી દેવામાં આવે છે. જો કે, હુમલામાં ઇજાગ્રસ્ત તેમજ મૃત્યુ પામનારના પરિવારજનોને વન વિભાગ દ્વારા સહાય પણ ચૂકવવામાં આવે છે.
8 માસમાં વન્યપ્રાણીઓ દ્વારા 14ના મોત થયા, 52 લાખ ચૂકવાયા
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં 8 માસમાં સિંહના હુમલાથી એક પણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી. જ્યારે દિપડાએ 13 લોકોનો શિકાર કર્યો છે. તેમજ અન્ય પ્રાણીએ એકનો જીવ લીધો હોવાનું વન વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે. 8 માસમાં પ્રાણીઓના હુમલામાં 14 લોકોના મોત થતા તેમના પરિવારજનોને વન વિભાગે 52,00,000 રૂપિયા ચૂકવ્યા છે.
સિંહ દ્વારા 4, દીપડાએ 49ને ઘાયલ કર્યા
સિંહ દ્વારા 4 પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા, દિપડાએ 49 પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા છે. અન્ય પ્રાણીઓએ 8ને ઇજા પહોંચાડી. કુલ 61 ઇજાગ્રસ્તોને વન વિભાગ દ્વારા 1,20,400 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.
હુમલાથી બચવા માટે માર્ગદર્શન અપાય છે
પ્રાણીઓના હુમલાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા સેમિનાર, અવરનેશ પ્રોગ્રામ, પ્લેપ્લેટ વિતરણ તેમજ ગામડાના લોકો સાથે બેઠક કરી વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા માટે લોકોને માર્ગદર્શન અપાય છે. સાથે વનતંત્રનાં સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ પણ કરાય છે.
દિપડાનાં ભયથી લોકો એકલા નિકળતા નથી
વિસાવદર, ધારીમાં દિપડાના આતંકને લઇને લોકો એકલા બહાર નિકળતા નથી. ટોળામાં જ બહાર જાય છે. ખેડૂતો, પશુપાલકોએ પોતાના માલ, ઢોરને પણ વેચી દીધા છે. ઘણા લોકોએ ઘરની બહાર ઉંચી દીવાલો ચણી લીધી.
નોનવેજનો એઠવાડ ખુલ્લામાં ન નાખવો
સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓને છંછેડવા નહીં તેમજ ખુલ્લામાં સુવુ નહી. ખુલ્લામાં નોનવેજનો એઠવાડ ફેકવો નહીં તેમજ બહારથી જે મજૂરોને કામ કરવા આવે છે તેમને સ્થાનિક પરિસ્થિતિ વાકેફ કરવા, બાળકોને એકલા રમવા ન દેતા તે સહિતની તકેદારો ધ્યાને રાખવામાં આવે તો વન્ય પ્રાણીઓના હુમલાના બનાવો ઘટી શકે છે. - ડી.ટી.વસાવડા, સીસીએફ
(અહેવાલ-સરમન રામ, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-attack-and-13-people-death-last-8-month-in-three-district-of-gir-forest-126150220.html

પ્રવાસી પાસેથી સિંહણ પસાર થઇને સૌના હાજા ગગડી ગયા

DivyaBhaskar News Network

Nov 29, 2019, 06:55 AM IST
ગિરમાં પરવાનગી લઇને રૂટ પર જતી જીપ્સીઓમાંથી એક સિંહનો નજીકનો વિડીયો વાયરલ થયો છે. જોનારના મનમાં બે ઘડી હવે શું થશે એવી ઇંતેજારી ઉભી કરતા આ વિડીયોમાં કશું વાંધાજનક નથી. પરંતુ ફરી સિંહના વિડીયોના નામે ઉત્તેજના ફેલાવી દીધી છે ખરી. તાજેતરમાંજ એક ગિરના જંગલમાં પરવાનગી લઇને કાયદેસર રીતે જીપ્સીમાં સિંહ દર્શન કરતા પ્રવાસીઓનો વિડીયો વાયરલ થયો છે. આથી સ્વાભાવિકપણેજ ફરી જોનારના મનમાં ઉત્તેજના ફેલાઇ જાય છે. વિડીયોમાં જોકે, કશું વાંધાજનક નથી. પણ જે રીતે સિંહ જીપ્સીની સાવ નજીક આવી જાય. એ દૃશ્ય જોનારને બે મિનીટ હવે શું થશે ? એવો સવાલ મનમાં ઉભો કર્યા વિના રહે નહીં. આ અંગે સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, વિડીયોમાં કાંઇ વાંધાજનક નથી. અને ઘણી વખતે સિંહો આટલા નજીક આવી જતા હોય છે. દરેક જીપ્સીમાં ગાઇડ હોય જ છે. આથી કોઇ વિકટ પરિસ્થિતી ઉભી થવાનો ભય રહેતો નથી. અત્રે નોંધનીય છે કે, ગિરમાં સિંહને ગેરકાયદેસર રીતે મારણ કરાવતા વિડીયો વાયરલ થયા બાદ વનવિભાગે કેટલાક લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે, ત્યારબાદ સમયાંતરે કેટલાક તત્વો જેતે વખતે બનાવેલા વિડીયો સોશિયલ મિડીયામાં વહેતા કરતા રહે છે.

પીપાવાવ પોર્ટમાં સાવજોએ ધોળે દીએ કર્યું પશુનંુ મારણ

રાજુલા પંથકમા સિંહોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. પીપાવાવ પોર્ટ હવે સિંહોનુ નિવાસ સ્થાન બન્યુ છે. તે હવે સાબીત થઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર એક વિડીયો વહેતો થયો છે. તેને લઈને રાજુલા વનવિભાગ પણ તપાસ શરૂ કરી છે. આ વિડીયોમા સ્પષ્ટ પણ દેખાય રહ્યું છે પોર્ટની અંદર કન્ટેઇનર યાર્ડ નજીક મુખ્ય ગેટ અંદર સિંહોએ એક પશુનુ મારણ કર્યુ છે. પીપાવાવ પોર્ટના કોઈ પરપ્રાંતીય ઓફિસર આ દ્રશ્ય નીહાળી રહ્યાં છે અને અન્ય મોબાઈલ ધારક દ્વારા આ વિડીયો ઉતાર્યો હોવાનુ સ્પષ્ટ થાય છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થતા વનવિભાગ હરકતમા આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પીપાવાવ પોર્ટ અંદર અને આસપાસ ઉધોગોમા સિંહણ, સિંહ, સિંહબાળ એમ આખો પરિવાર મોટી માત્રામા વસવાટ કરી રહ્યો છે. ત્યારે પીપાવાવ પોર્ટ દ્વારા કોઈ સુરક્ષા અને તેમની જાળવણી માટે કોઈ પ્રકારની વ્યવસ્થા ઉભી નથી કરી જેને લઈને સિંહ પ્રેમીઓમા પોર્ટ સામે વધુ નારાજગી જોવા મળી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-lion-passed-by-the-traveler-and-all-the-people-were-lost-065539-6049211-NOR.html

સુડાવડમાં વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડ્યો, પાંજરાનો ઘેરાવ કરી ગ્રામજનોની નજર સામે ઠાર કરવાની માંગ

માનવભક્ષી દીપડાએ પાંચેક લોકોને પોતાનો શિકાર બનાવ્યો હતો

  • ગ્રામજનો વન વિભાગની ગાડી પર ચડી ગયા અને ઉગ્ર બોલાચાલી કરી

Divyabhaskar.com

Oct 31, 2019, 12:17 PM IST
અમરેલી: બગસરાના સુડાવડ ગામે બેથી ત્રણ માનવભક્ષી દીપડા વસવાટ કરી રહ્યા છે. આ દીપડાઓએ અત્યાર સુધીમાં પાંચેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આથી વન વિભાગે પાંજરા મુકી દીપડાઓને પકડવા કવાયત હાથ ધરી હતી. આજે એક માનવભક્ષી દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનો એકઠા થયા હતા અને પાંજરાનો ઘેરાવ કરી દીપડાને અમારી નજર સામે જ ઠાર કરો તેવી માંગ કરી હતી. આથી વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે રકઝક થઇ હતી. ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો.
ગ્રામજનોએ વન વિભાગની મુશ્કેલી વધારી
મોટી સંખ્યામાં ગ્રમજનો એકઠા થઇ એક જ માંગ કરી હતી કે અમારી સામે જ દીપડાને ઠાર કરો. આથી વન વિભાગને મુશ્કેલીમાં વધારો થયો હતો. સુડાવડ ગામ સહિત આસપાસના ગામડાઓમાંથી પણ લોકો દોડી આવ્યા હતા અને વન વિભાગને દીપડાને ઠાર કરવાની માંગ કરી હતી. માનવભક્ષી દીપડાને લઇને ખેડૂતો પોતાના ખેતર પણ જઇ શકતા નહોતા. દીપડો પાંજરે પૂરાતા જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને બીજી તરફ દીપડાને ઠાર કરવા માંગ કરતા હતા.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-arrested-by-forest-department-in-sudavad-village-of-bagasara-125975460.html

10 વર્ષના દિપડાનો મૃતદેહ મળ્યો

DivyaBhaskar News Network

Nov 01, 2019, 05:56 AM IST
ગીરપૂર્વની તુલસીશ્યામ રેન્જમાં કંટાળા વિસ્તારમાં તંત્રને એક 10 વર્ષના દિપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દિપડાનું મોત કુદરતી રીતે થયાનું જણાતા વનતંત્રએ તેનું પીએમ કરી મૃતદેહનો નિકાલ કર્યો હતો.અહિં ગામની સીમમાં એક દિપડાનો મૃતદેહ પડયો હોવાની વનતંત્રને જાણ કરાતા સ્થાનિક વન વિભાગનો સ્ટાફ અહિં દોડી ગયો હતો. વન વિભાગની પ્રાથમિક તપાસમાં એવુ જણાયુ હતું કે આશરે દશેક વર્ષની ઉંમરના દિપડાનું કુદરતી રીતે મોત થયુ હતું. વૃધ્ધાવસ્થાના કારણે આ દિપડાનું મોત થયુ હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-body-of-10-year-old-dipada-was-found-055651-5834724-NOR.html

સરાકડીયામાં વાડી વિસ્તારમાં 10 સિંહના ધામા

DivyaBhaskar News Network

Nov 03, 2019, 05:56 AM IST
ખેતીની સિઝન ચાલી રહી છે તેવા સમયે જ ખાંભા તાલુકાના સરાકડીયાની સીમમા વાડી વિસ્તારમા 10 સાવજોએ કાયમી ધામા નાખ્યા છે. આ સાવજો અવારનવાર રસ્તા પર પણ અડ્ડો જમાવી દેતા હોય ખેડૂતોની અવરજવર અટકી પડે છે. જો કે અહીના ખેડૂતો આ સાવજોને કયારેય દુર હડસેલતા નથી.

ગીરકાંઠાના ખાંભા તાલુકામા રેવન્યુ વિસ્તારમા મોટી સંખ્યામા સાવજો વસી રહ્યાં છે. અહી ગ્રામ્ય વિસ્તારમા સાવજના આંટાફેરા હોય તો તે કોઇ નવાઇની વાત નથી. પરંતુ એકસાથે 10 સાવજોનુ ટોળુ અહી લાંબા સમય સુધી એક જ વિસ્તારમા ધામા નાખે તેવુ ભાગ્યે જ બને છે. હાલમા અહી 10 સાવજોએ સરાકડીયા ગામની સીમમા એક વાડીમા ધામા નાખ્યા છે. અહી કપાસના ખેતરમા આ સાવજો પડયા પાથર્યા રહે છે. એક સિંહ, બે સિંહણ અને સાત બચ્ચાએ કપાસના ખેતરમા જ વસવાટ કર્યો છે. જેથી ખેડૂત પરિવાર કપાસ વિણવા પણ જઇ શકતો નથી.

જો કે અહીના ખેડૂતો આ સાવજોને કયારેય હટાવતા નથી. સિંહની હાજરીના કારણે ખેતીપાકને નુકશાન કરતા અન્ય પશુઓ વાડી ખેતરથી દુર જ રહે છે. આ સાવજો કયારેક વાડી માર્ગો પર પણ અડ્ડો જમાવી દે છે.

વાડીએ જવાના રોડ પર સાવજો તેના પરિવાર સાથે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-10-lion39s-tombs-in-the-wadi-area-in-saradia-055632-5849972-NOR.html

વાડી વિસ્તારમાં 6 સિંહણે ગાયનો શિકાર કર્યો વીડિયો વાઇરલ

  • બાબરાના ખાખરીયા ગામે બે સિંહે બળદનું મારણ કર્યું

Divyabhaskar.com

Nov 08, 2019, 01:10 PM IST

ગીરસોમનાથ/એમરેલી: ગીરગઢડાના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એકસાથે 6 સિંહણો આવી ચડ્યા હતી અને ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી. આ દ્રશ્યો કોઇએ મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વીડિયોમાં એક સિંહણ પર ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે.
બે સિંહોએ બળદનો શિકાર કર્યો
બાબકા પંથકમાં બે સિંહો આવી ચડ્યા છે. ખાખરીયા ગામે આજે વહેલી સવારે પ્રકાશભાઇ ભોજાણીની વાડીએ બાંધેલા બળદનો શિકાર કરી મારણ કર્યું હતું. સિંહના પગના નિશાન ખેતરમાં જોવા મળ્યા હતા. હાલ ખેડૂતો માટે મોસમ હોય વાડીએ જતા ડરી રહ્યા છે.
(જયેશ ગોંધિયા, ઉના/રાજુ બસિયા, બાબારા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/6-lion-hunt-cow-and-two-lion-hunt-bull-in-girgadhada-and-babara-126019256.html

ગીરના સિંહો બાબરા સુધી પહોંચ્યા, સાવજોના આંટાફેરાથી ખેડૂતોમાં ભય, વન વિભાગને MLAની રજૂઆત

  • સિંહોને પાંજરે પૂરી ખેડૂતોને ભયમુક્ત કરવા રજૂઆત

Divyabhaskar.com

Nov 10, 2019, 04:05 PM IST
બાબરા: બાબરામા રેવેન્યુ વિસ્તારમાં વન્યપ્રાણીના આંટાફેરાથી ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. કારણ હાલ ખેતરોમાં ખેતી પાકની સીઝન પૂરજોશમા ચાલી રહી છે. જેનું રક્ષણ અને રખોપુ કરવા ખેડૂતો અને શ્રમિકો રાત ઉજાગરા કરી રહ્યા છે. તેવા સમયે બાબરા પંથકમાં વન્ય પ્રાણી સિંહના આંટાફેરા વધતા ખેડૂતોમાં ભય ફેલાયો છે. આ પ્રશ્ને ધારાસભ્ય દ્વારા વનમંત્રીને રજૂઆત કરાઇ છે.
બાબરાના ગ્રામ્ય પંથકમાં સિંહના સગડ મળ્યા
લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના વનવિભાગને પત્ર પાઠવી સિંહનું લોકેશન તાત્કાલિક અસરથી શોધી પાંજરે પૂરી ખેડૂતોને ભયમાંથી મુક્ત કરવા માંગણીઓ કરી છે. બાબરા તાલુકાના પાંચાળ વિસ્તારના કરીયાણા, તાઈવદર, ખાખરીયા સહિતના સીમ વિસ્તારમાં સિંહના સગડ મળ્યા છે. તેમજ સિંહના ફોટા પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે પણ હજુ સુધી વન વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ વન્યપ્રાણીઓ ખેડૂતોના માલઢોર અને જાનમાલને નુકશાન કરે તે પહેલાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ધારાસભ્ય વિરજીભાઈ દ્વારા વન વિભાગને પત્ર પાઠવી રજૂઆત કરેલ છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/see-lion-in-babara-area-so-mla-presentetion-to-forest-department-126029653.html

સિંહના મોતથી વાડીઓમાંથી પાણીના નમુના લેતંુ વનતંત્ર

DivyaBhaskar News Network

Nov 15, 2019, 05:55 AM IST
જાફરાબાદના પાટી માણસાની સીમમાંથી ગઇકાલે વાડીમાંથી આશરે પાંચ વર્ષની ઉંમરના એક સિંહનો મૃતદેહ મળી આવ્યા બાદ તેના મોતનું કારણ હજુ સ્પષ્ટ નથી થયુ ત્યારે વન વિભાગે આસપાસના પાણીના સેમ્પલો લઇ તપાસ શરૂ કરી છે. સિંહનો મૃતદેહ મળી આવ્યાની ઘટના ગઇકાલે જાફરાબાદના પાટી માણસામાં બની હતી. ગામની સીમમાં વાડી વિસ્તારમાંથી આશરે પાંચ વર્ષની ઉંમરના એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ કપાસના ઉભા પાક વચ્ચે પડયો હતો. વળી અહિં સિંહનું મોત ત્રણેક દિવસ પહેલા થયાનું અનુમાન છે. મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં હતો અને બાબરકોટ નર્સરી ખાતે તેનું પોસ્ટ મોર્ટમ કરાયુ હતું. વન વિભાગ દ્વારા સિંહના મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરાઇ છે. આસપાસની વાડીઓમાં પાણીની કુંડીમાંથી પાણીના નમુનાઓ પણ લેવામાં આવ્યા છે. પાણીમાં કોઇ પ્રકારની ભેળસેળથી સિંહનું મોત થયુ છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઇ રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-forest-system-of-water-samples-taken-from-wadis-by-the-death-of-a-lion-055534-5939209-NOR.html

5 વર્ષની સિંહણ અજાણ્યા વાહનની અડફેટે આવી, બંને પગ અને પીઠના ભાગે ગંભીર ઈજા

5-year-old lioness was hit by an vehicle, causing serious injury to both legs and back

  • ખાંભા નાગેશ્વર હાઇવે પરની ઘટના
  • સિંહણ વાહનની ટક્કરે 10થી 15 ફૂટ ફંગોળાઈ

Divyabhaskar.com

Nov 15, 2019, 01:33 PM IST
અમરેલી: ખાંભા નાગેશ્રી હાઇવે પર વહેસી સવારે 5 વર્ષની સિંહણ અજાણ્યા વાહનની અડફેટે આવી હતી. વાહનની ટક્કરે સિંહણ 10થી 15 ફૂટ ફંગોળાતા બંને પગ અને પીઠના ભાગે ગંભીર ઇજા થઈ હતી. સિંહણ સાથે 9 સિંહોનું અન્ય એક ગ્રુપ હોવાનું પણ ચર્ચા છે. વનવિભાગની ટ્રેકર અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તો બીજી તરફ હાઇવે પર વાહનોની અવરજવર વચ્ચે રેસ્ક્યુ કરવામાં અડચણ પડી હતી.
(તસવીર અને અહેવાલ- હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/5-year-old-lioness-was-hit-by-an-vehicle-causing-serious-injury-to-both-legs-and-back-126057970.html

કુંકાવાવ-બગસરા વિસ્તારના આરએફઓ વી.એમ. ડવને આજે રાજકોટના સામાજીક વનિકરણ

DivyaBhaskar News Network

Nov 22, 2019, 05:55 AM IST

કુંકાવાવ-બગસરા વિસ્તારના આરએફઓ વી.એમ. ડવને આજે રાજકોટના સામાજીક વનિકરણ વર્તુળના વન સંરક્ષક એ.એમ. પરમારે સસ્પેન્ડ કરી દીધા હતાં. તેઓ ઘણા સમયથી કુંકાવાવ સામાજીક વનિકરણ વિભાગમાં ફરજ બજાવતા હતાં. તેમને સસ્પેન્ડ કરવાની સાથે જ દેવભુમી દ્વારકા જીલ્લામાં જામખંભાળીયા કચેરીમાં મુકી દેવાનો હુકમ પણ કરાયો હતો. વન અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવા પાછળ કોઇ જ કારણ આપવામાં આવ્યુ ન હતું.

જો કે અમરેલી વનતંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારનો મામલો આ માટે કારણભુત હોવાનું મનાય છે. તેમના વિસ્તારમાં ચાલુ વર્ષે ખેડૂત શિબીરો અને અંગભુત યોજનાની શિબીરો વિગેરેનું આયોજન કરી તેનો ખર્ચ પાડી દેવાયો હતો. જો કે આરએફઓ ડવને તેની જાણ પણ ન હતી. એટલુ જ નહી તેઓ રજા પર ગયા ન હોવા છતાં તેમના વિસ્તારમાં ઇન્ચાર્જને હવાલો સોપી આ ખર્ચ પાડી દેવાયાનું જાણમાં આવતા ભવિષ્યમાં મામલો પોતાના પર ન આવે તેને પણ ધ્યાનમાં રાખી ખુદ આરએફઓ ડવે જ આ ગેરરીતી અંગે તાજેતરમાં એસીબીને જાણ કરી દીધી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-rfo-vms-of-kunkavav-bagsara-area-rajkot39s-social-forestry-today-055540-5994017-NOR.html

40 સિંહનો પરિવાર જુદો પડશે, નવી ટેરેટરીની શોધમાં પરિભ્રમણ

ક્રાંકચ ગ્રૂપ નામનો સિંહ પરિવાર
ક્રાંકચ ગ્રૂપ નામનો સિંહ પરિવાર

  • ક્રાંકચ ગ્રૂપનું કદ બેહદ મોટું થતાં પડશે ભાગલા
  • બાબરા પંથકમાં પ્રવેશી વિસ્તાર સર કરી લીધો

Divyabhaskar.com

Nov 23, 2019, 01:15 AM IST
દિલીપ રાવલ, અમરેલી: રાજમાતા છેલ્લાં 16 વર્ષથી એ સિંહ પરિવારને એક તાંતણે બાંધીને બેઠી છે. શેત્રુંજી નદીના કાંઠે કાંઠે ચાલતા એક સિંહ સાથે તે લીલીયાના ક્રાંકચ પંથકમાં આવી હતી અને અહીં બાવળની કાંટમાં પોતાનો પરિવાર વસાવ્યો હતો. તેની ત્રીજી પેઢી પણ સંતાનોને જન્મ આપી રહી છે. હવે આ સિંહ પરિવારમાં 40થી વધુ સભ્યો છે. આટલો મોટો પરિવાર સામાન્ય રીતે સાવજો વસાવતા નથી અને એટલે જ હવે આ પરિવાર તૂટવાની અણી પર છે. આ પરિવારના કેટલાક સાવજો પોતાની નવી ટેરેટરી શોધવા મથી રહ્યા છે.
તાજેતરમાં લાઠી, બાબરાના પંચાળ વિસ્તાર અને છેક ચોટીલા સુધી બે સાવજો દેખાયા. તે આ નવી ટેરેટરી શોધવાનો જ એક પ્રયાસ છે. ક્રાંકચ પ્રાઇડની વસતી વધતા વધતા 40ને પાર થઇ છે. સિંહ પરિવારમાં ઝઘડાઓ પણ વધ્યા છે. મારણને લઇને ખેંચતાણો થાય છે. વળી અહીંના પાઠડાઓ હવે પુખ્ત બની રહ્યા છે. જે નવા વિસ્તારમાં પોતાનું ઘર બનાવશે.
બે સાવજ બાબરાના પંચાળ વિસ્તારના કરીયાણા-ખંભાળાની સીમથી લઇ છેક ચોટીલા સુધી ચક્કર મારી આવ્યા
અગાઉ બે સાવજો દામનગરના છેવાડાના ગામો સુધી આંટો મારી આવ્યા હતાં. તો અન્ય બે સાવજ બાબરાના પંચાળ વિસ્તારના કરીયાણા-ખંભાળાની સીમથી લઇ છેક ચોટીલા સુધી ચક્કર મારી આવ્યા છે. અન્ય બે સાવજોએ હાલમાં વડીયા પંથકમાં ધામા નાખ્યા છે. એક વર્ષ પહેલા પણ બાબરા પંથકમાં સાવજોએ નવા ઘરની તલાશ કરી હતી. આવનારા સમયમાં લાઠી, બાબરા અને અમરેલીના ત્રીભેટાના વિસ્તારમાં સાવજોનું નવુ કાયમી રહેઠાણ બનવા જઇ રહ્યુ છે.
2015ના પૂરમાં 13 સાવજનાં મોત થતાં પરિવાર તૂટવાથી બચી ગયો હતો
વર્ષ 2015માં પણ આ ક્રાંકચ પ્રાઇડમાં 40થી વધુ સાવજો થઇ ગયા હતાં. તે સમયે પણ આમાંના કેટલાક સાવજો નવા ઘરની શોધમાં હતાં પરંતુ જૂન 2015ની જળ હોનારતમાં શેત્રુંજી નદી ગાંડીતુર બની કાંઠાઓ પર ફરી વળતા 13 સાવજના તણાઇ જવાથી મોત થયા હતાં. સાવજની સંખ્યા ઘટતા પરિવાર તુટતા બચી ગયો હતો.
ક્રાંકચ ગ્રૂપ ક્યાં સુધી ફેલાયું છે?
ક્રાંકચ પ્રાઇડની ટેરેટરી અમરેલી પંથકમાં છેક ચાંદગઢ અને બાબાપુર સુધી ફેલાયેલી છે. દામનગરના શાખપુર સુધી આ સાવજોની આણ છે. સાવરકુંડલાના ઘોબા અને પીપરડી સુધી આ સાવજોનું ઘર છે.
પરિવાર મોટો થાય એટલે જુદો પડે જ
સિંહનો પરિવાર મોટો થાય એટલે જુદો પડે જ. આમ પણ પરિવારના નર સિંહો મોટા થાય એટલે તેની માતા દૂર ધકેલી દે છે. પરિવારમાં ઝગડાઓ પણ વધે છે. મારણને લઇને ખેંચતાણો થાય છે. સાવજો ક્યારેય ભુલા પડતા નથી. પંચાળમાં પહોંચેલા સાવજો નવુ ઘર શોધી રહ્યા છે.-ભીખુભાઇ બાટાવાળા, લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ
ચોટીલા પંથક પસંદ આવશે તો ડાલામથ્થો ત્યાં રહેઠાણ બનાવશે
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પંથકમાં કેસરી સિંહ મહેમાન બનીને આવ્યા છે. ત્યારે નવા ઇલાકાની શોધ કરતા કરતા તે અહીંયા આવ્યા હોય તેવુ અત્યારે ફોરેસ્ટ માની રહ્યુ છે. હાલ તો આ સાવજો ચોબારી અને રામપરા ગામની સીમમાં લટાર મારી રહ્યા છે. ફોરેસ્ટની નિષ્ણાંત ટીમ તેમની ઉપર નજર રાખીને રાત દિવસ એક કરી રહી છે. જો આ પંથકની જમીન અનુકુળ આવી જશે તો તેના સ્વભાવ મુજબ ડાલામથ્થો આગવી ઓળખ એવી ડણક દઈને ડંકાની ચોટથી જાહેર કરશે કે આ ઇલાકો હવે મારો છે. સિંહને છંછેડવામાં આવે તો જ માનવી પર હુમલો કરતો હોવાની સાથે સિંહ વિશે સમજ આપીને તેનાથી ડરવાની જરૂર નથી. બસ તેની સાથે કેમ રહી શકાય તે શીખવાની જરૂર હોવાનું ફોરેસ્ટની ટીમ માહિતી આપી રહી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ખુલ્લા કૂવાઓની પણ તપાસ કરાઈ રહી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/the-family-of-40-lions-will-be-separate-rotating-in-search-of-a-new-territory-126111094.html

વન વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં એટલી હદે ગળાડુબ છે કે

DivyaBhaskar News Network

Nov 26, 2019, 05:56 AM IST

વન વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં એટલી હદે ગળાડુબ છે કે નબળુ-સબળુ પણ કામ કરવાના બદલે કામ કર્યા વગર જ સીધે સીધો ખર્ચ ઉધારી નાખી સરકારી નાણા પોતાના ખીસ્સામાં પધરાવી રહ્યા છે. જાણે કોઇ પુછવાવાળુ જ નથી. તાજેતરમાં કુંકાવાવના આરએફઓ ડવ આવા મામલાઓને એસીબી સુધી લઇ ગયા હતાં. જો કે ભ્રષ્ટાચાર ખુલ્લો થવાના બદલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેમને જ સસ્પેન્ડ કરી દીધા છે.

તેમના વિસ્તારમાં તેમની જાણ બહાર જ ઇન્ચાર્જ આરએફઓના નામે તગડી રકમના બિલો કોઇ કામ કર્યા વગર ઉધારી નખાયાનું કહેવાય છે. સમગ્ર પ્રકરણ ચર્ચામાં આવતા હવે મહિનાઓ પછી આવા કામો તાબડતોબ રાતોરાત કરવામાં આવી રહ્યા છે. બગસરાના મુંજીયાસરમાં આવેલી નર્સરી ફરતે તાર ફેન્સીંગનો ખર્ચ તો ઉધારી નખાયો પરંતુ અહિં કોઇપણ પ્રકારનું તાર ફેન્સીંગ ન હતું. અહિં તાબડતોબ બે દિવસથી નવી તાર ફેન્સીંગ લગાવવામાં આવી રહી છે. જેથી તપાસ આવે તો પણ બચી શકાય.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-forest-department-officials-are-so-engrossed-in-corruption-055646-6024671-NOR.html

દીપડાના હુમલામાં 8 માસમાં 13નાં મોત, 52 લાખનું વળતર

DivyaBhaskar News Network

Nov 27, 2019, 05:56 AM IST
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં એશિયાઇ સિંહો જોવા મળે છે. સિંહોની સાથો સાથ દિપડાની સંખ્યામાં વધારો થયો છે. સાથોસાથ આ દિપડા માનવ પર હુમલો કરતા હોવાની ઘટનામાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં માત્ર 8 માસમાં દિપડાએ 13 લોકોનો શિકાર કર્યો છે. જ્યારે સિંહ, દિપડા અને અન્ય જંગલી પ્રાણીઓએ 61 લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે. વન્ય પ્રાણીઓના વધી રહેલા હુમલાને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ખેડૂત એકલા ખેતરે જતા પણ ડરી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ લોકો અને સરકારના પ્રયાસને કારણે સિંહ અને દિપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ સિંહ, દિપડા સહિતના જંગલી પ્રાણીઓ માનવ વસાહતોમાં પ્રવેશ કરી રહ્યા છે. જેનાથી માનવ પર હુમલાના બનાવમાં વધારો થયો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં દિપડાના હુમલાના બનાવોમાં વધારો થયો છે. માનવ પર પ્રાણીઓના હુમલા બાદ વન વિભાગ દોડતું થઇ જાય છે અને દિપડાને પકડવા માટે પાંજરા મુકી દેવામાં આવે છે. જો કે, હુમલામાં ઇજાગ્રસ્ત તેમજ મૃત્યુ પામનારના પરિવારજનોને વન વિભાગ દ્વારા સહાય પણ ચૂકવવામાં આવે છે.

8 માસમાં 14ના મોત થયા, 52 લાખ ચૂકવાયા

જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં 8 માસમાં સિંહના હુમલાથી એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. જ્યારે દિપડાએ 13 લોકોનો શિકાર કર્યો છે. તેમજ અન્ય પ્રાણીએ એકનો જીવ લીધો હોવાનું વન વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે. 8 માસમાં પ્રાણીઓના હુમલામાં 14 લોકોના મોત થતા તેમના પરિવારજનોને વન વિભાગે 52,00,000 રૂપિયા ચૂકવ્યા છે.

સિંહ દ્વારા 4, દીપડાએ 49ને ઘાયલ કર્યા

સિંહ દ્વારા 4 પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા, દિપડાએ 49 પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા છે. અન્ય પ્રાણીઓએ 8ને ઇજા પહોંચાડી. કુલ 61 ઇજાગ્રસ્તોને વન વિભાગ દ્વારા 1,20,400 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.

હુમલાથી બચવા માટે માર્ગદર્શન અપાય છે

પ્રાણીઓના હુમલાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા સેમિનાર, અવરનેશ પ્રોગ્રામ, પ્લેપ્લેટ વિતરણ તેમજ ગામડાના લોકો સાથે બેઠક કરી વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા માટે લોકોને માર્ગદર્શન અપાય છે. સાથે વનતંત્રનાં સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ પણ કરાય છે.

દિપડાનાં ભયથી લોકો એકલા નિકળતા નથી

વિસાવદર, ધારીમાં દિપડાના આતંકને લઇને લોકો એકલા બહાર નિકળતા નથી. ટોળામાં જ બહાર જાય છે. ખેડૂતો, પશુપાલકોએ પોતાના માલ, ઢોરને પણ વેચી દીધા છે. ઘણા લોકોએ ઘરની બહાર ઉંચી દીવાલો ચણી લીધી.

નોનવેજનો એઠવાડ ખુલ્લામાં ન નાખવો

સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓને છંછેડવા નહી તેમજ ખુલ્લામાં સુવુ નહી. ખુલ્લામાં નોનવેજનો એઠવાડ ફેકવો નહીં તેમજ બહારથી જે મજુરોને કામ કરવા આવે છે તેમને સ્થાનિક પરિસ્થિતિ વાકેફ કરવા, બાળકોને અેકલા રમવા ન દેતા તે સહિતની તકેદારો ધ્યાને રાખવામાં આવે તો વન્ય પ્રાણીઓના હુમલાના બનાવો ઘટી શકે છે. - ડી.ટી.વસાવડા, સીસીએફ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-13-killed-in-52-days-of-attack-52-lakh-return-055625-6032898-NOR.html

પીપાવાવ પોર્ટ નજીક રોડની બાજુમાં ચાર સિંહોએ પશુનું મારણ કર્યું

  • કારચાલકે પોતાના મોબાઇલમાં વીડિયો ઉતાર્યો 

Divyabhaskar.com

Nov 28, 2019, 02:26 PM IST
અમરેલી: પીપાવાવ પોર્ટ નજીક રોડની બાજુમાં ચાર સિંહોએ પશુનું મારણ કર્યું હતું. પીપાવાવ પોર્ટના રેલ યાર્ડ પાસે ફરી સિંહો ઘૂસી આવ્યા છે. વાહનોથી ધમધમતા પોર્ટ પર સિંહો આવી જતા સુરક્ષાને લઇને સવાલો ઉઠ્યા છે. જેટી અને જહાજો નજીક સિંહો પહોંચી ગયા છે. ચાર સિંહોએ પશુનું મારણ કર્યું તે કારચાલકે પોતાના મોબાઇલમાં દ્રશ્યો કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/four-lion-hunt-animal-near-pipavav-port-of-amreli-and-this-video-viral-126159117.html

ધારીના ધારગણી ગામમાં ગુરૂવારે રાત્રે સિંહ ઘૂસી આવ્યો, મારણ માટે પશુઓ પાછળ દોડ્યો

Divyabhaskar.com

Nov 30, 2019, 01:41 PM IST
અમરેલી: ધારીના ધારગણી ગામમાં ગુરૂવારે રાત્રે સિંહ ઘૂસી આવ્યો હતો. ગામની બજારોમા પશુઓના ટોળા પાછળ સિંહે મારણ માટે દોડ લગાવી હતી. નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં સિંહ પશુ પાછળ દોડતો હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ધારગણી ગામની બજારોમાં આવી સિંહો દ્વારા મારણની ઘટનાથી લોકો ભયભીત છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-entered-in-village-of-dhari-on-thursday-night-near-amreli-126175089.html