Friday, May 31, 2019

ઊનાનાં ખારા વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો

DivyaBhaskar News Network

May 27, 2019, 07:20 AM IST
Una News - the panther culminates in the winters from the saline area 072016
ગીરના વન્યપ્રાણીઅોને ગ્રામ્ય વિસ્તારોમાં સહેલાઇથી શિકાર મળી રહે તે માટે અા વિસ્તારમાં અાવી ચડતા હોય છે. ત્યારે વરસીંગપુર રોડ પર છેલ્લા ઘણા સમયથી દીપડાના અાંટાફેરાથી લોકોમાં ભય ફેલાતા અા વિસ્તારમાં વનવિભાગ દ્વારા પાંજરૂ મુકતા દીપડો પાંજરે પુરાયો હતો. ઊનાથી વરસીંગપુર ગામ તરફ જતાં રસ્તા પર આવેલ ખારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની રંજાડ હોવાથી આ વિસ્તારના ખેડૂતો તેમજ રહેણાક લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. જ્યારે આ વિસ્તારના લોકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવેલ હતું. અને ગતરાત્રીના આ વિસ્તારમાં શિકારની શોધમાં નિકળેલો દીપડો શિકારની લાલચમાં શિકાર સાથે પાંજરે પુરાઇ ગયો હતો. અને વનવિભાગનો સ્ટાફ દોડી જઇ દીપડાને પાંજરા સાથે જશાધાર એનીમલકેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ હતો. આમ ખૂંખાર દીપડો પાંજરે પૂરાતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

શિકારની લાલચમાં પાજરમાં કેદ. - તસ્વીર : જયેશ ગોંધીયા
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-the-panther-culminates-in-the-winters-from-the-saline-area-072016-4634790-NOR.html

દલખાણીયામાંથી મળી આવેલ સિંહબાળનું સારવારમાં મોત

DivyaBhaskar News Network

May 29, 2019, 06:20 AM IST
ધારી ગીરપુર્વ દલખાણીયા રેંજ કરમદડી રાઉન્ડ હિરાવા બીટમાથી પંદરેક દિવસ પહેલા એક બિમાર સિંહબાળ મળી આવ્યુ હતુ. જેને પગલે વનવિભાગ દ્વારા આ સિંહબાળને ધારી ખાતે સારવારમા ખસેડાયુ હતુ. જયાં આજે આ સિંહબાળનુ મોત નિપજયું હતુ.

સિંહબાળના મોતની આ ઘટના ધારીમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીની દલખાણીયા રેંજના હિરાવા બીટમાથી તા. 16/5ના રોજ એક છ માસની ઉંમરનુ સિંહબાળ બિમાર હાલતમા મળી આવ્યું હતુ. આ સિંહબાળને સારવાર માટે ધારી કેસરી સદન ખાતે ખસેડવામા આવ્યું હતુ. આજે આ સિંહબાળનુ મોત નિપજયું હતુ. સિંહબાળનુ પેરાલીસીસના કારણે મોતનુ વનવિભાગે પ્રાથમિક તારણ જણાવ્યું હતુ. ડીએફઓ પી.પુરૂષોતમાની દેખરેખ હેઠળ ડો. હિતેષ વામજા દ્વારા સિંહબાળનુ પીએમ કરાયુ હતુ અને નમુના જુનાગઢ ખાતે મોકલાયા હતા.

આમ અવારનવાર દલખાણીયા રેંજમાં સાવજો મોતને ભેટી રહ્યાં છે ત્યારે વનવિભાગ દ્વારા તાકીદે તપાસ કરવા સિંહપ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-death-in-treatment-of-sinhala-found-in-dalkinia-062015-4649195-NOR.html

કાંકચીયાળા ગામમાં દિપડાએ ઘરમાં ઘૂસી વૃદ્ધાને ફાડી ખાધા

DivyaBhaskar News Network

May 29, 2019, 06:25 AM IST
વિસાવદર તાલુકાનાં કાંકચીયાળા ગામે એક દિપડાએ રાત્રિનાં સમયે ઘરમાં ઘૂસી વૃદ્ધાને ફાડી ખાધા હતા. દિપડો મધરાત્રે દોઢેક વાગ્યાના અરસામાં પાડોશીના ઘરના નળિયા પરથી વૃદ્ધાના ઘરમાં આવી ચઢ્યો હતો. અને ખાટલામાં સૂતેલા વૃદ્ધાને દબોચી લીધા હતા. સવારે દરવાજો ન ખુલતાં પાડોશીને શંકા ગઇ હતી અને બાજુના મકાનની અગાશી પર ચઢીને જોતાં લોહીનું ખાબોચિયું દેખાયું હતું. આથી સમગ્ર ઘટના બહાર આવી હતી.

કાંકચીયાળા ગામે શારદાબેન સમજુભાઇ વાવૈયા (ઉ. 52) નામની વૃદ્ધા એકલી જ રહે છે. તેઓ ગઇકાલે રાત્રે પોતાના ઘરમાં સુતા હતા. અને આજે સવારે તેઓએ ઘરનો દરવાજો ન ખોલતાં પાડોશીઓએ બાજુના મકાનની અગાશી પર ચઢી તેમના ઘરમાં નજર કરતાં લોહીનું ખાબોચિયું નજરે ચઢ્યું હતું. આથી કોઇ અજૂગતી ઘટના બની હોવાની આશંકાથી લોકોએ તેમના ઘરમાં જઇને જોતાં તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો. ઘરમાં દિપડાના ફૂટમાર્ક પણ જોવા મળતાં રાત્રે દિપડાએ તેમને ફાડી ખાધાનું સ્પષ્ટ થયું હતું. બનાવ અંગે લોકોએ વનવિભાગને જાણ કરતાં આરએફઓ અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો મેળવી તેને પીએમ માટે મોકલી આપ્યો હતો. દરમ્યાન પ્રાથમિક તપાસમાં દિપડો બાજુના મકાનના નળિયા પરથી શારદાબેનના ઘરમાં ઘૂસી આવ્યાનું અને બાદમાં ઓસરીમાંજ ખાટલા પર સુતેલા શારદાબેનને ફાડી ખાધાનું જાણવા મળ્યું છે. વનવિભાગે આ માનવભક્ષી બનેલા દિપડાને પકડવા પાંજરા ગોઠવ્યા છે. લોકોમાં ભારે રોષ છવાયો છે. અને દિવસે ખેતરમાં રોઝ, ભૂંડ, જેવા પ્રાણીઓનો ત્રાસ પછી રાત્રે ઘરમાં પણ હિંસક પ્રાણીઓ ત્રાસ વધ્યો છે.

વૃદ્ધાની ફાઈલ તસ્વીર

લોહીભીના વાસણો અને ખાટલો નજરે ચઢે છે. - તસ્વીર : ભાસ્કર

3 માસમાં માનવી પર હુમલાના 7-8 બનાવ

3 માસમાં વિસાવદર પંથકમાં જ વન્ય પ્રાણીઓ દ્વારા માનવી પર હુમલાના 7 થી 8 બનાવો બન્યા છે. જેમાં 2 માનવી જીંદગીનો ભોગ લેવાઇ ગયો છે.

ખભાથી પીઠ સુધીનો ભાગ ફાડી ખાધો

દિપડાએ શારદાબેનના ખભાથી નીચે છેક પીઠ સુધીના આખા ભાગને ફાડી ખાધાનું જાણવા મળ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-in-the-village-of-kankyakayal-deepa-broke-the-old-woman-entreated-062509-4649237-NOR.html?sld_seq=3

પોરબંદરના પક્ષી અભયારણ્યમાં વિહરતા ફ્લેમીંગો પક્ષીઓ

DivyaBhaskar News Network

May 29, 2019, 07:10 AM IST
અરબી સમુદ્રના કિનારે વસેલા પોરબંદર શહેરમાં વિદેશી પક્ષીઓનો જમાવડો રહેતો હોય છે. પોરબંદરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ફ્લેમીંગો પક્ષીઓ વિહરતા હોવાથી શહેરને સૂરખાબી નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને સફેદ અને ગુલાબી રંગના ફ્લેમીંગો પક્ષીઓ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જળાશયમાં હાલ પાણી સૂકાવા લાગ્યું છે ત્યારે આ પક્ષીઓ થોડા પાણીમાં પોતાનો ખોરાક શોધતા નજરે પડતા જાણે જળાશયે પણ ગુલાબી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. શહેરની મધ્યમાં પક્ષી અભ્યારણ્ય ખાતે હાલ હજ્જારોની સંખ્યામાં ફ્લેમીંગો પક્ષીઓ વિહાર કરતા નજરે પડે છે, આ પક્ષીઓને નિહાળી સૌ આનંદિત બને છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-POR-OMC-MAT-parimala-flamingo-birds-in-porbandar-bird-sanctuary-071011-4649257-NOR.html

ધારી એટલે ગીરનું નાકું ગણાય છે. અને અહીંની કેસર કેરી

DivyaBhaskar News Network

May 30, 2019, 06:20 AM IST
ધારી એટલે ગીરનું નાકું ગણાય છે. અને અહીંની કેસર કેરી પણ પ્રખ્યાત છે. ત્યારે હાલમાં કેરીની આવક શરૂ થતાં અહીંની ગર્લ્સ સ્કુલ પાસે કેરીના વેપારીઓ યાડૅમાંથી કેરી ખરીદી અને પેટીયું રળે છે. ત્યારે અહીંના વેકરીયાપરામાં રહેતા દેવીપૂજક યુવક રાકેશ સવારથી જ અહીં ધોમધખતા તાપમાં કેરીનું સાંજ સુધી વેચાણ કરે છે. હાલ કાચી કેસરના રૂ ૮૦૦થી ૧૦૦૦ સુધીનો ભાવ ચાલી રહ્યો છે. તસવીર- અરૂણ વેગડા
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-suppose-that-gir-is-considered-to-be-a-nose-and-here39s-saffron-mango-062013-4656676-NOR.html

વનકર્મીના ખોટા પગાર બીલો બનાવી 1.76 કરોડની ઉચાપત, આગોતરા રદ

DivyaBhaskar News Network

May 30, 2019, 06:45 AM IST
જૂનાગઢની વન કચેરીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ સામે અધિકારીઓ અને કર્મચારીઓના ખોટા પગાર ભથ્થા, એરિયર્સનાં બીલો બનાવી 1.76 કરોડનું કૌભાંડ આચરનાર બે કર્મચારીઓ સામે ગુનો નોંધાયા બાદ આરોપી નં. 2 એ આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. જૂનાગઢની નાયબ વનસંરક્ષક કચેરીમાં ફરજ બજાવતા પરસોત્તમભાઇ છગનભાઇ પરમાર અને મેરામણભાઇ અરશીભાઇ દાસા સામે સ્ટાફના પગારબીલો, નિવૃત્ત કર્મચારીઓના રજા પગાર, મેડીકલ, ટીએ, મકાન પેશગી, એલટીસી, જીપીએફ, ગ્રેચ્યુઇટી, એરિયર્સ, વગેરે બીલો બનાવી એકનું એક બીલ બે વખત રજૂ કરી રૂ. 1.76 કરોડથી વધુની ઉચાપત કર્યાની ફરીયાદ સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ બનાવમાં મેરામણભાઇ ફોરેસ્ટ ગાર્ડ તરીકે જેતે વખતે ફરજ બજાવતા હતા. અને તેઓ નિવૃત્ત પણ થઇ ગયા છે. તેના વકીલે એવી દલીલ કરી હતી કે, મેરામણભાઇ મુખ્ય આરોપી નથી. અને મુખ્ય આરોપીના રીમાન્ડ દરમ્યાન કથિત કૌભાંડનું સાહિત્ય મળી આવ્યું છે. જોકે, સરકારી વકીલ એન. કે. પુરોહિતે એવી દલીલ કરી હતી કે, ગેરરિતીથી મેળવેલા રૂપિયા રીકવર કરવાના બાકી હોઇ આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં. બંને પક્ષની દલીલોને ધ્યાને લઇ પ્રિન્સિપલ સેશન્સ જજ નરેન્દ્ર બી. પીઠવાએ આરોપીના આગોતરા જામીન ફગાવી દીધા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-making-false-bill-wrongdoing-bills-176-crores-of-embezzlement-cancellation-of-advance-064509-4656710-NOR.html

વિશ્વ પર્યાવરણ દિવસેે ફ્લેમીંગો પક્ષીઓનું પિન્ક સેલીબ્રેશન યોજાશે

DivyaBhaskar News Network

May 30, 2019, 07:10 AM IST
અરબી સમુદ્રના કિનારે વસેલા પોરબંદર શહેરમાં શિયાળાની ઋતુ દરમિયાન હજ્જારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનો જમાવડો રહેતો હોય છે ત્યારબાદ ઉનાળામાં અહીં ખાસ કરીને સફેદ અને ગુલાબી રંગના ફ્લેમીંગો આકર્ષણ જમાવે છે. મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમીટી દ્વારા છેલ્લા 6 વર્ષથી પિન્ક સેલીબ્રેશનનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે પણ આગામી તા. 5 અને 6 જુનના દિવસે પર્યાવરણ દિવસ નિમીતે પિન્ક સેલીબ્રેશનનું આયોજન થશે.

વેટલેન્ડ અને ફ્લેમીંગોની જાગૃતિ માટે યોજાનાર કાર્યક્રમમાં બેંગલોરથી ઈ-બર્ડના મેનેજર પણ હાજરી આપશે. ફ્લેમીંગોના પ્રણયનૃત્ય અને જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓને લગતી ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવશે. ચાલુ વર્ષે પક્ષી અભ્યારણ્યમાં પણ ફ્લેમીંગો પ્રણયનૃત્ય કરતા જોવા મળશે.

ફ્લેમીંગો કરે છે પ્રણયનૃત્ય

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરની મધ્યમાં આવેલ જળાશયમાં ગુલાબી રંગનું આવરણ ઓઢીને આવતા લેસર ફ્લેમીંગો સમુહ કરતા ખૂબ જ આકર્ષણ જમાવે છે. ફ્લેમીંગોનું આ નૃત્ય તેની જોડી બનાવવા માટેનું હોય છે ત્યારે તેને પ્રણયનૃત્ય પણ કહેવામાં આવે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-POR-OMC-MAT-pink-sleebration-of-flamingo-birds-will-be-held-on-world-environment-day-071017-4656754-NOR.html

ડુંગરાળ પ્રદેશના ઝાડ પર જોવા મળતો સાપ શહેરમાંથી પકડાયો

DivyaBhaskar News Network

May 30, 2019, 07:20 AM IST
રાણાવાવમાં સરકારી હાઈસ્કૂલ પાસે પ્રકૃત્તિ-ધ યુથ ના સભ્યો દ્વારા અનોખી પ્રજાતિનો સાપ પકડવામાં આવ્યો છે. આ સાપને લીલવણી પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ સાપ ડુંગરાળ પ્રદેશમાં ઝાડ પર જ જોવા મળતો હોય છે. આ સાપ ઝેરી હોય છે પરંતુ કોઈ વ્યક્તિને આ સાપ ડંખ મારે તો કશું થતું નથી, માત્ર પશુ-પક્ષીઓ તથા લોકો બેભાન જ બને છે. આ સાપ ખોરાકમાં નાના પક્ષીઓ અને જીવ-જંતુઓ, કાચીંડાનો ખોરાક માટે શિકાર કરે છે. ખોરાક લેતી વખતે ઊંધે માથે લટકીને ખોરાક ખાય છે. લીલો અને બ્રાઉન આમ બે કલરમાં સાપ જોવા મળે છે. હાલ પ્રકૃત્તિ યુથ સોસાયટીના સભ્યોએ આ સાપને પકડી લીધો છે અને જૂનાગઢ શક્કર બાગમાં મોકલી દેવાયો છે તેવું જણાવાયું હતું. તસ્વીર : નિકુંજ ચૌહાણ
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-snakes-found-on-a-mountainous-tree-caught-in-the-city-072016-4656750-NOR.html

પડાપાદરમાં ઝેરી મધમાખીનાં 8થી વધુ પુડા

DivyaBhaskar News Network

May 30, 2019, 07:40 AM IST
Una News - more than 8 poodle poisonous bees in padapadar 074010
ઊનાનાં પડાપાદર ગામે એક વાડીમાં આઠ જેટલા ઝેરી મધમાખીના ઝુંડથી ખેડૂતો અને ખેત મજુરો ખેતી કામ કરી શક્તા નથી. ખેડૂતો અને મજુરોમાં ઝેરી ભય ફેલાયો હોય દુર કરવા માંગ ઉઠી છે.

પડાપાદર ગામની સીમમાં આવેલી બાધાભાઇ ભગવાનભાઇ કિડેચાની વાડીમાં બાજરીનુ વાવેતર કર્યુ છે. વાડીમાં આંબો, નારેલી, આંબલી સહીત અલગ અલગ ઝાડમાં ઝેરી મધમાખીના પુડા છે. ઘણા સમયથી ઝેરી મધમાખીના ઝુંડે રહેણાંક બનાવી લીધુ હોય તેમ ખેતરમાં કામ કરવુ મુશ્કેલ બની ગયુ છે. તેમજ આ ઝેરી ધમમાખીના કારણે આજુ બાજુના ખેતરમાં પણ મજુરો કામ કરવા આવતા ડરી રહ્યા છે. આ વાડીમાં અગલ અગલ ઝાડમાં ઝુંડ ત્રાટકતા ખેડૂતો તેમજ મજુરોને ડંખ મારી ઇજા પહોચાડે તે પહેલા ઝેરીમધમાખીના ઝૂડને તંત્ર દ્વારા દૂર કરવામાં આવે તેવી ખેડૂતની માંગ ઉઠી છે.

ઝેરી મધપુડાથી ખેડૂતોને કામ કરવું મુશ્કેલ પડે છે. - તસ્વીર : જયેશ ગોંધીયા
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-more-than-8-poodle-poisonous-bees-in-padapadar-074010-4656771-NOR.html

વેરાવળનાં બાળકોને ફિલ્મ સાથે મળશે વૃક્ષનો છોડ

DivyaBhaskar News Network

May 30, 2019, 07:50 AM IST
વેરાવળમાં દિવ્ય ભાસ્કર દ્વારા સહયોગી સંસ્થાઓ સાથે એક અનોખી પહેલ કરવામાં આવી છે. ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલ અંતર્ગત તા. 30-31 મે અને 1 જુન 2019 દરમ્યાન સોમનાથ સ્થિત શ્રી રામ મંદિર ઓડિટોરીયમ હોલ ખાતે બાળકોને વિનામૂલ્યે તેઓ માટેની ખાસ ફિલ્મ બતાવાશે. અને એ ફિલ્મ સાથે તેઓને વૃક્ષારોપણ માટે વેરાવળનાં આરએફઓ દ્વારા 1-1 છોડ વિનામૂલ્યે આપવામાં આવશે. 3 દિવસ સુધી ચાલનાર આ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રવેશ સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવ્યો છે. અને 6 થી 14 વર્ષ સુધીનાં બાળકો તેમાં પ્રવેશ મેળવી શકશે. ફિલ્મના પ્રથમ શો નો સમય બપોરે 4 વાગ્યાનો અને બીજા શો નો સમય સાંજે 6 વાગ્યાનો રહેશે. આ આયોજનમાં સોમનાથ ટ્રસ્ટ ઉપરાંત વેરાવળની પીપલ્સ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન વિક્રમ વી. તન્ના, દર્શન પ્રાથમિક અને માધ્યમિક શાળા, શ્રી શીશુમંદિર ઇંગ્લીશ સ્કુલનાં ટ્રસ્ટી જગમાલભાઇ વાળા, રમેશભાઇ ચોપડકર, રીતેશભાઇ પંડ્યા અને જીતેન્દ્રભાઇ મહેતા, ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકનાં ચેરમેન ડો. કુમુદચંદ્ર એ. ફીચડીયા, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવા અને વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી સહિતનો સહયોગ સાંપડ્યો છે.આ તકે જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, એસપી રાહુલ ત્રિપાઠી, આરએફઓ મોરી, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, નાયબ કલેક્ટર સાંગવાન અને મામલતદાર દેવકુમાર આંબલીયા ઉપસ્થિત રહેનાર છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-veraval39s-children-will-get-a-film-with-a-tree-plant-075017-4656774-NOR.html

કાંકચીયાળા ગામે ત્રણ પંજાવાળી દીપડીએ મહિલાને ફાડી ખાધા’તા

DivyaBhaskar News Network

May 30, 2019, 07:50 AM IST
વિસાવદરનાં કાંકચીયાળા ગામે મંગળવાર રાત્રીનાં એક દીપડીએ મકાનમાં પ્રવેશીને મહિલાને ફાડી ખાધી હતી. જે બનાવ બાદ વન વિભાગે પાંજરા ગોઠવેલ. જેમાં રાત્રીનાં સમયે તે માનવભક્ષી દીપડી પાંજરે પુરાઇ ગઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ તાલુકાનાં કાંકચીયાળા ગામે ગતરાત્રીનાં ગામ વચ્ચે મકાનમાં ઘુસીને ઘરમાં પ્રવેશી શારદાબેન વાવૈયાને દીપડીએ ફાડી ખાધી હતી. જે બનાવને લઇને વન વિભાગે ચાર અલગ- અલગ જગ્યાએ મારણ સાથે પાંજરા ગોઠવેલ. જેમાં મારણની લાલચે તે માનવભક્ષી દીપડી વહેલી સવારે પોણા પાંચ વાગ્યાના અરસામાં પાંજરે પુરાઇ ગઇ હતી. પાંજરે પુરાયા બાદ દીપડીએ પાંજરામાં તોફાન કરી પોતાનું ખુંખાર રૂદ્ર ગ્રામજનોએ જોયેલ. આ માનવભક્ષી ખુંખાર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનો તથા વન વિભાગે રાહત અનુભવી હતી. વન વિભાગે આ માનવભક્ષી દીપડીને સાસણ એનિમલ કેર હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ. જયાં તેને આજીવન જેલની સજા ભોગવવાની રહેશે.

આ માનવભક્ષી દીપડી પાંજરે પુરાયા બાદ તેને જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. જેને જોતા પાછળનો ડાબા પગનો પંજો જ ન હતો. આ બાબતે વન વિભાગના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ડોકટર સાથે વાત કરતાં તેમણે જણાવેલ કે એ દીપડી એક પણ વાર પાંજરે પુરાયેલ નથી અને ઇનફાઇટ કે ફાંસલામાં પગ નાનપણમાં જ કપાઇ ગયેલ હોય કેમકે ઘાવ રૂજાઇ ગયેલ છે. વધુમાં જણાવેલ કે એક પગ ન હોવાથી શિકાર કરી શકવામાં અસક્ષમ હોવાથી માનવ વસાહત નજીક રહેતી હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-three-pawed-lizards-at-the-village-of-kankyakayela-used-to-tear-a-woman-075019-4656759-NOR.html

વન્યપ્રાણીઓના માનવી પરના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે

DivyaBhaskar News Network

May 31, 2019, 12:15 PM IST
વન્યપ્રાણીઓના માનવી પરના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આ બનાવો અંગે ચિંતા વ્યકત કરી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, વિસાવદર પંથકમાં દિપડાનો ત્રાસ સતત વધી રહ્યો હોય લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે આવા રાની પશુઓનો ત્રાસ કાયમી માટે દૂર કરવા અને વધતી જતી દિપડાની વસ્તીને નાથવા સરકાર નક્કર કાર્યવાહી કરે. આ ઉપરાંત વન્યપ્રાણીના હુમલામાં મોતને ભેટેલા ખેડૂતોના વારસદારોના પરિવારને 10 લાખની સહાય આપવી જોઇએ.

મનુષ્યની જીંદગીથી અમૂલ્ય જીંદગી કોઇની હોઇ શકે નહિ. ત્યારે પોતાનો જીવ બચાવવા ખેડૂતો કે ખેત મજૂરો વન્ય પ્રાણીનો હથિયારથી પ્રતિકાર કરે અને તેમાં વન્યપ્રાણીનું મોત થાય ત્યારે આવા કિસ્સામાં પણ વન વિભાગ આકરી સજા કરે છે તેમાં ફેર વિચારણા કરવાની જરૂર છે. જયારે વિસાવદરના કાંકચીયાળા ગામના શારદાબેન વાવૈયાને દિપડાએ ફાડી ખાધા હતા. આ બનાવથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.

દરમિયાન દિપડી પાંજરે પૂરાઇ તો વનવિભાગના કર્મીઅોએ દિપડીને માનવભક્ષી ગણાવી ગ્રામજનોને ઉઠા ભણાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આવા કર્મચારીઓ સામે પણ પગલાં લેવા હર્ષદભાઇ રિબડીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાઠવેલા પત્રમાં માંગ કરી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-incidents-of-attack-on-wildlife-have-increased-when-121510-4664081-NOR.html

ઉના-ગીરગઢડા રોડ પર આકરા તાપમાં છાંયડાની શોધમાં સિંહ યુગલ નીકળ્યું

May 16,2019 4:49 PM ISTઉના: ગીરગઢડા તાલુકના સનવાવ ગામે રોડ પર આવેલી વાડીમાં છાંયાની શોધમાં સિંહ યુગલ ઉના-ગીરગઢડા રોડ પર આવી ચડ્યું હતું. આ સિંહ યુગલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં સિંહ અને સિંહણ આકરા તાપમાં છાંયાની શોધમાં નીકળ્યા હોય તેવું જોવા મળે છે.
https://www.divyabhaskar.co.in/gujarati-videos/news/a-lion-couple-came-in-search-of-a-shade-at-una-girighadhda-road-371639.html

મહિલાને ફાડી ખાધી દિપડાએ, વન તંત્રએ દિપડીને ગણાવી માનવ ભક્ષી

DivyaBhaskar News Network

May 31, 2019, 01:20 PM IST
વન્યપ્રાણીઓના માનવી પરના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આ બનાવો અંગે ચિંતા વ્યકત કરી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, વિસાવદર પંથકમાં દિપડાનો ત્રાસ સતત વધી રહ્યો હોય લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે આવા રાની પશુઓનો ત્રાસ કાયમી માટે દૂર કરવા અને વધતી જતી દિપડાની વસ્તીને નાથવા સરકાર નક્કર કાર્યવાહી કરે. આ ઉપરાંત વન્યપ્રાણીના હુમલામાં મોતને ભેટેલા ખેડૂતોના વારસદારોના પરિવારને 10 લાખની સહાય આપવી જોઇએ. વિસાવદરના કાંકચીયાળા ગામના શારદાબેન વાવૈયાને દિપડાએ ફાડી ખાધા હતા. આ બનાવથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. દિપડી પાંજરે પૂરાઇ તો વનવિભાગના કર્મીઅોએ દિપડીને માનવભક્ષી ગણાવી ગ્રામજનોને ઉઠા ભણાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આવા કર્મચારીઓ સામે પણ પગલાં લેવા હર્ષદભાઇ રિબડીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાઠવેલા પત્રમાં માંગ કરી છે.

માનવભક્ષી દિપડો ચાલાક

કાંકચીયાળા ગામે મુકેલ પાંજરામાં રાખેલા મારણને લઈ દિપડો પાંજરામાંથી ભાગી છૂટ્યો હતો. 
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-the-woman-who-was-torn-by-a-lion-said-132006-4664121-NOR.html

ધારીમાં આકરી ગરમીના કારણે 3 દિવસમાં 45 પક્ષીઓનાં મોત થયા

DivyaBhaskar News Network

May 01, 2019, 05:55 AM IST
Amreli News - according to the extreme heat 45 birds died in 3 days 055525
ધારીમા પાછલા કેટલાક દિવસોથી હિટવેવનુ મોજુ ફરી વળ્યું છે. અહી તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જતા ત્રણ દિવસમા 45 પક્ષીના મોત થયાનુ સામે આવ્યું છે. તો અમરેલીમા આજે ગરમીમા આંશિક રાહત મળી છે. જો કે તેમ છતા તાપમાનનો પારો 42 ડિગ્રી નોંધાયો હતો. ધારીમા પણ કાળઝાળ ગરમી પડી રહી છે. અહીના તાલુકા પંચાયત પાસે વડલામા વડવાંગડ વસી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે ગરમીના કારણે અહી ટપોટપ પક્ષીઓ મરી રહ્યાં છે. ત્રણ દિવસના સમયગાળામા 45 જેટલા પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા અને ઉપરથી નીચે પટકાયા હતા. આકરા તાપના કારણે બપોરના સુમારે અહી કુદરતી કફર્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે અમરેલીમા આકરા તાપમા આંશિક રાહત અનુભવાઇ હતી. જો કે આજે શહેરનુ મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 25.4 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 74 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 11 કિમીની નોંધાઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-according-to-the-extreme-heat-45-birds-died-in-3-days-055525-4458120-NOR.html

અમરેલીમાં આવેલી ઠેબી નદીનાં પટ્ટમાં ગાંડીવેલનું સામ્રાજય યથાવત

DivyaBhaskar News Network

May 04, 2019, 05:51 AM IST
Amreli News - madelly39s kingdom remained in the seafront in amreli 055135
અમરેલીમાં આવેલ ઠેબી નદીના પટ્ટમાં ગાંડી વેલનું સામ્રાજય યથાવત જોવા મળી રહ્યું છે. લાંબા સમયથી વેલ હોવાથી નદીના પટ્ટમાં અને આજુબાજુના વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે. જેના પગલે ભરઉનાળે રોગચાળો વધવાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે ગાંડી વેલનો નિકાલ કરે તેવી લોક માંગ ઉઠી છે.

શહેરની નજીકથી ઠેબી નદી પસાર થઈ રહી છે. ઓછા વરસાદના પગલે આ નદીમાં પાણી તો નથી પણ અહી ગટરનું ગંદુ પાણી એકત્રીત થઈ રહ્યું છે. જેના પગલે આ નદીમાં ગાડી વેલ જોવા મળી રહી છે. ગાંડી વેલથી ઘેરાયેલી નદી અત્યારે લીલીછમ વેલથી ઢંકાઈ ગઈ છે. ગંદા પાણી અને વેલના પગલે ઝેરી મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે. જેના પગલે આજુ બાજુની વસ્તી ધરાવતી સોસાયટીઓમાં મચ્છરના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમાં નાના બાળકો અને વડીલોને મચ્છરના પગલે મચ્છરજન્ય રોગ થઈ રહ્યા છે. પણ હાલ સુધીમાં પાલિકા તંત્રએ ગાડી વેલની હટાવવાની કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી જ નથી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા નદીમાંથી વહેલી તકે ગાડી વેલનો નિકાલ કરે તેવી લોક માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-madelly39s-kingdom-remained-in-the-seafront-in-amreli-055135-4478113-NOR.html

દલડીમાં બિમાર સિંહણની ખાનગી તબીબે સારવાર કર્યાનું ખુલ્યું, તુલશીશ્યામમાં સિંહણનો મૃતદેહ મળ્યો

DivyaBhaskar.com

May 04, 2019, 10:39 AM IST
આ સિંહણને ખાનગી ડોક્ટર દ્વારા સારવાર અપાઇ હતી
આ સિંહણને ખાનગી ડોક્ટર દ્વારા સારવાર અપાઇ હતી

  • સિંહણને બેભાન કર્યા વગર જ નમુના લેવાયા, સિંહોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

ખાંભા: ખાંભા તાલુકાના દલડી વિડીમાં ગત તા.25 એપ્રિલ અને 26 એપ્રિલના રોજ એક બિમાર સિંહણને સારવાર માટે રેસ્ક્યુ કરવામાં આવી હતી. આ સિંહણને 24 કલાકમાં સારવાર માટે ત્રણ વખત રેસ્ક્યુ કરવામાં આવી હતી. જ્યારે પ્રથમ વખત રેસ્ક્યુ કર્યા બાદ વેનેટરી ડોક્ટર ન આવવાથી સિંહણને છોડી મુકવામાં આવી હતી. બાદમાં બીજી વાર સિંહણને રેસ્ક્યુ કરી રિંગ પાંજરે પૂરવામાં આવી હતી અને આ રિંગ પાંજરામાં બીજુ પાંજરું મૂકી ભીડો આપી બેભાન કર્યા વગર જ સિંહણના નમૂના હનુમાનપુરના ખાનગી પશુ ડોક્ટર દ્વારા લેવામાં આવ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જ્યારે તુલસીશ્યામના ભાણીયા રેન્જમાંથી 2 વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો.
સિંહણને ઝાડા તેમજ ઉલટીનું વાયરલ ઇન્ફેકશન લાગી ગયું હતું
તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતી રબારીકા ગ્રાસ બીટની દલડી વિડી વિસ્તારમા ત્રણ સિંહબાળની બીમાર માતા સિંહણનું ગત તા. 25 એપ્રિલ 2019 રાત્રીના અને 26 એપ્રિલ 2019 વહેલી સવારે બે વખત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે આ સિંહણને ઝાડા તેમજ ઉલટીનું વાયરલ ઇન્ફેકશન લાગી ગયું હતું અને તેની સારવાર જરૂરી હતી. તેના માટે તુલસીશ્યામ રેન્જ આરએફઓ પરિમલ પટેલ અને રબારીકા રાઉન્ડ સ્ટાફની હાજરીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ સિંહણને રેસ્ક્યુ બાદ વનવિભાગ દ્વારા નિયુક્ત કરેલા વેનેટરી ડોક્ટર દ્વારા સિંહણની સારવાર અને નમૂના લેવાને બદલે અમરેલી જિલ્લાના એક ખાનગી ડેરી દ્વારા દુધાળા પશુઓને બીજદાન માટે નિયુક્ત કરેલા પશુ ડોક્ટર એવા હનુમાનપુરના ભૌતિક બોડા દ્વારા આ બીમાર સિંહણના નમૂના અને સારવાર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે સિંહપ્રેમી સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં પુરાવા સાથે રજૂઆત અને તપાસની માંગ કરવામાં આવતા હાલ તુલસીશ્યામ રેન્જમાં આ ઘટનામાં સંડોવાયેલા વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ બહાર કેમ નીકળવું તેનો રસ્તો કાઢવા મથામણમાં પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પશુ ડોક્ટર ભૌતિક બોડા સાથે સીધી વાત
સવાલ-1 : તબીબ ભૌતિક બોડા દલડી વિડીમાં ગત તા. 25 એપ્રિલ અને 26 એપ્રિલ ના રોજ ત્રણ સિંહબાળ સાથે સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ?
જવાબ : હા 25 એપ્રિલના રાત્રીના 9 વાગ્યે અને 26 એપ્રિલના વહેલી સવારે 2.30 થી 4 વાગ્યાની વચ્ચે સિંહણને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સવાલ: આ સિંહણને રેસ્ક્યુ બાદ સારવાર આપવામાં તેમજ નમૂના લેવામાં આવ્યા હતા?
જવાબ: હા સિંહણને જ્યારે પહેલી વખત રેસ્ક્યુ કરવામાં આવી ત્યારે સારવાર કે નમૂના લેવામાં નથી આવ્યા વહેલી સવારે બીજી વખત રેસ્ક્યુ કરવામાં આવી ત્યારે તેના લોહીના તેમજ અન્ય નમૂના લેવામાં આવ્યા હતા અને સામાન્ય સારવાર આપવામાં આવી હતી.
સવાલ: સિંહણને પાંજરે પૂરી સિંહણના લોહીના તેમજ અન્ય નમૂના અને સારવાર કોના દ્વારા કરવામાં આવી હતી?
જવાબ: આ સિંહણને રિંગ પાંજરામાં પુરી અંદરના બીજા નાના પાંજરામાં ભીડો મારી સિંહણના લોહીના તેમજ અન્ય નમૂના લેવામાં આવ્યા હતા અને સારવાર મારા દ્વારા કરાઇ હતી.
સવાલ: સિંહણના નમૂના લેવામાં અને સારવાર કરવામાં વનવિભાગના વેનેટરી ડોક્ટર હાજર હતા કે નહીં?
જવાબ: સિંહણના નમૂના લેવામાં અને સારવાર કરવામાં વનવિભાગના વેનેટરી ડોક્ટર વામજા હાજર ન હતા તેઓ પોતાના કામથી બહાર ગયા હતા.
સવાલ: સિંહણના લોહીના તેમજ અન્ય નમૂના અને સારવાર કોના કહેવાથી આપ દ્વારા આ કામગીરી કરવામા આવી હતી?
જવાબ: હું હનુમાનપુર ખાતે મારા ઘર પર હતો અને ત્યારે વનવિભાગના વેનેટરી ડોક્ટર વામજા દ્વારા મને ટેલિફોનિક સૂચના આપી અને તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલના કહેવાથી મેં સિંહણના નમૂના લીધા હતા અને સારવાર આપી હતી.
સવાલ: સિંહણના નમૂના લીધા તેમજ સારવાર કરવામાં આવી ત્યારે વનવિભાગના સ્ટાફમાં કોણ કોણ સ્થળ ઉપર હાજર હતુ?
જવાબ: સિંહણની સારવાર કરી ત્યારે સ્થળ ઉપર રેન્જર પરિમલ પટેલ, રબારીકા રાઉન્ડના સૌંદરવા તેમજ રબારીકા રાઉન્ડનો અન્ય સ્ટાફ હાજર હતો.
સવાલ: સિંહણને પાંજરે પૂર્યા બાદ નમૂના લેવા અને સારવાર આપવા માટે બેભાન કરવામાં આવી હતી કે નહીં?
જવાબ: સિંહણને જ્યારે રેસ્ક્યુ કરી નમૂના લેવા અને સારવાર આપવા માટે બેભાન કરવામાં આવી ન હતી અને જીવિત અવસ્થામાં જ નમૂના લેવામાં અને સારવાર આપવામાં આવી હતી.
સવાલ: આવી રીતે વનવિભાગની અનમાત વિડીમાં જઈ જીવિત સિંહણની આપ દ્વારા સારવાર આપવી અને નમૂના લેવા ગુન્હો છે તે આપને ખ્યાલ છે?
જવાબ: હા વનવિભાગની અનામત વિડીમાં પરમિશન વગર સિંહણની સારવાર અને નમૂના લેવા ગુન્હો છે. પરંતુ હું પોતે ગયો નથી. મને ડોક્ટર વામજા અને આરએફઓ પરિમલ પટેલના કહેવાથી મેં આ કામગીરી કરી છે તે તેની જવાબદારી છે.
સવાલ: સિંહણની સારવાર અને નમૂના માટે જરૂરી મેડિસિન અને દવા આપની પાસે ક્યાંથી આવી ?
જવાબ: સિંહણની સારવાર અને નમૂના લેવા માટે દવા ઘારી કચેરી ખાતેથી ડોક્ટર વામજા દ્વારા ગોઠવણ કરી આપવામાં આવી હતી. અને આરએફઓ પરિમલ પટેલ લઈ આવ્યા હતા સ્થળ ઉપર.
સવાલ : સિંહણના કેવા પ્રકારના નમૂના લેવામાં આવ્યા હતા? અને નમૂના કયાં મોકલવામા આવ્યા હતા?
જવાબ: સિંહણના લોહીના અને હગારના નમુના લેવામાં આવ્યા હતા. અને તેને ક્યાં લઈ ગયા તેની જાણકારી પરિમલ પટેલ પાસે હશે.
તુલસીશ્યામ રેંજના ભાણીયા રાઉન્ડના બીટ-2માંથી સિંહણનો મૃતદેહ મળ્યો
તુલસીશ્યામ રેંજના ભાણીયા રાઉન્ડ પાછલા ઘણા સમયથી ધણીધોરી વગરનો બન્યો છે. અહીં ત્રણ માસમાં 1 સિંહણ અને એક સિંહબાળના મોત થઈ ચૂક્યા છે. ત્યારે ભાણીયા રાઉન્ડ બીટ વિભાગ 2 સેન્ચ્યુરીમાંથી વધુ એક 2 વર્ષની સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણકારી રેન્જ કચેરીએ મળી હતી. ત્યારે ગત રાત્રીના જ સિંહણના મૃતદેહને કબજે લેવા માટે રેન્જનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. સિંહણના પાછળના ભાગે તેમજ ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. જ્યારે તપાસ હાથ ધરવામા આવતા સિંહણનું ઇન્ફાઈટમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/news/private-doctor-treatment-of-lioness-in-daladi-1556946513.html

સિંહણને ખાનગી પશુ તબીબ દ્વારા સારવાર અપાયાની ઘટનામાં વનવિભાગની દોડધામ

DivyaBhaskar News Network

May 06, 2019, 05:50 AM IST
તુલસીશ્યામ રેન્જ ના રબારીકા રાઉન્ડ નીચે આવતા દલડી વિડીમાં ગત તા. 25 અને 26 એપ્રિલના એક ત્રણ બચ્ચાવાળી સિંહણ બીમાર હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવી હતી.આ સિંહણ જ્યારે રેસ્ક્યુ કરવામાં આવી ત્યારે વનવિભાગના વેટરનરી ડોક્ટર પણ હાજર ન હતા. અને સિંહણ પાંજરે પુરાઈ ગઈ હતી. બાદમાં રેન્જના અધિકારી દ્વારા સિંહણ પાંજરે પુરાઈ ગઈ હોવાનું વેટરનરી ડોક્ટરને જાણ કરી હતી પરંતુ તેઓ ત્યાં પહોંચી શકે તેમ ન હોવાથી દલડી નજીક આવેલ હનુમાનપુરમાં એક ખાનગી દુધાળા પશુઓને બીજદાન કરતા પશુ ડોક્ટર ભૌતિક બોડા રહે છે તેમને આ સિંહણના જરૂરી નમુના લેવા માટે લાવવામાં આવ્યા હતા.

તેઓ દ્વારા સિંહણને રિંગ પાંજરા બાદ નાના પાંજરામાં ભીડો લગાવી નમુના લીધા હોવાની કબૂલાત પણ કરી હતી. આ સિંહણની સારવાર કોના કહેવાથી કરવામાં આવી હતી ? કોણ કોણ હાજર હતું ? તે તમામ ઘટના અંગે તે જાહેર કરી ચૂકયા છે. ત્યારે આ સિંહણની સારવારની ઘટનાને લઈ આ રાઉન્ડના વિડી ચોકીદાર સોમતભાઈ પણ ખાનગી ડોક્ટર દ્વારા સિંહણના નમુના અને સારવાર આપવામાં આવી હોવાનું અખબારી નિવેદનમા આપી ચૂકયા છે. આ ઘટનામાં બેદરકારી દાખવનાર તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલ તેમજ વેટરનરી ડોક્ટર વામજા અને રબારીકા રાઉન્ડનો સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં ઉચ્ચ અધિકારીઓને રસ જ નથી તેવું હાલ જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં બેજવાબદારી દાખવનાર પણ હાલ ઘટના ઉપર પડદો પાડી દેવા માટે દોડધામ કરી રહ્યા છે. બીજી તરફ જે ખાનગી ડોક્ટર અને વિડી ચોકીદાર દ્વારા આ ઘટના જાહેર કરી છે. તેમના નિવેદન ફેરવી નાખવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-event-of-a-lioness-being-treated-by-a-private-veterinary-doctor-forest-department-runs-055043-4492449-NOR.html

સેમરડીમાં 20 શખ્સોને હદપાર કરાયા, ટોળકીઓમાં ફફડાટ

DivyaBhaskar News Network

May 08, 2019, 05:50 AM IST
ધારી તાલુકાના સેમરડી અને દલખાણીયા વિસ્તારમાં ભયનુ સામ્રાજય ફેલાવનાર 20 શખ્સોને હદપાર કરવામાં આવ્યા છે. વારંવાર લુખ્ખાગીરી અને લોકોને ધાક ધમકી જેવા ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે મેજીસ્ટ્રેટ અને પોલીસવડાએ હદપારીનું શસ્ત્ર ઉગામતા લુખ્ખાગીરી કરતી ટોળકીઓમા ફફડાટ ફેલાયો હતો. ધારીના સેમરડી અને દલખાણીયા વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે સરકારી કર્મચારીઓને ફરજમાં રૂકાવટ કરતા કાળુ બારાન બ્લોચ, બારાન ઉમર બ્લોચ, જાફર બારાન બ્લોચ, સીકંદર બારાન બ્લોચ, જુમ્મા ગમશાદ બ્લોચ, અશરફ ફતુ બ્લોચ, મહમદ ગુલ્ફુ મકરાણી, બોદુ દોસ્તુ મકરાણી, હુસેન જહાગીર બ્લોચ, જહાંગીર અલાહરખા મકરાણી, અજીત મહમદ બ્લોચ, નુરૂ દોસ્તમહમદ મકરાણી, હાજી મહમદ મકરાણી, હેદર મહમદ મકરાણી, ઈકબાલ મહમદ બ્લોચ, રહીમ મહમદ બ્લોચ, શબીર જમાલ બ્લોચ, યારૂન ઉમર બલ્ચ અને કાદરી ઉર્ફે પહાડીયો આદમ બ્લોચને જિલ્લા મેજીસ્ટ્રેટ પાસે રજુ કર્યા હતા.

જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ તમામ 20 શખ્સોને અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી હદપારીનો હુકમ ફરમાવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-20-people-were-abducted-in-samradri-gang-rape-055028-4505205-NOR.html

લીલીયાની વાડીમાં ગતરાત્રે 4 સાવજોએ કર્યંુ 4 ઘેટાંનું મારણ

DivyaBhaskar News Network

May 09, 2019, 05:51 AM IST
લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા મોટી સંખ્યામા સાવજો વસી રહ્યાં છે. આ વિસ્તારમા વન્યપ્રાણીઓની વસતિ પણ મોટી છે જેને પગલે સાવજો મોટેભાગે આ વન્યપ્રાણીઓનો શિકાર કરતા હોય છે. સાથે સાથે અવારનવાર માલધારીઓના ઉપયોગી પશુઓનો પણ શિકાર કરે છે. આવી એક ઘટના ગઇરાત્રે લીલીયાની સીમમા બની હતી. અહીના વસંતદીદીના આશ્રમ નજીક મગનભાઇ શિંગાળાની વાડી આવેલી છે. જયાં લીલીયાના ઓઘડભાઇ વશરામભાઇ ભરવાડની માલિકીના ઘેટા રાતવાસો કરવા રોકાયા હતા. રાત્રીના સમયે શિકારની શોધમા નીકળેલા ચાર સાવજો વાડીમા આવી ચડયા હતા અને જોતજોતામા ચાર ઘેટાનુ મારણ કર્યુ હતુ. જો કે સાવજો એક ઘેટાને ઢસડીને દુર સુધી પોતાની સાથે લઇ ગયા હતા. જયારે ત્રણ ઘેટાના મૃતદેહ વાડીમા જ પડયા હતા. સ્થાનિક ફોરેસ્ટર ખાંભલાએ જણાવ્યું હતુ કે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-4-lashes-took-place-in-lilia39s-garden-on-thursday-055059-4511790-NOR.html

ખાંભાના ભાવરડી અને રાણીંગપરા વચ્ચે સિંહણે 5 બચ્ચાંને જન્મ આપ્યો

DivyaBhaskar News Network

May 11, 2019, 05:50 AM IST
Amreli News - the lion gave birth to 5 cubs between khanchha bhavadi and raningpara 055042
ગીરપુર્વની તુલશીશ્યામ રેંજમા ખાંભાના ભાવરડી અને રાણીંગપરા વચ્ચે પથ્થરમાળા ડુંગર વિસ્તારમા એક સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યાની ઘટના બહાર આવી છે. લાયન નેચર ફાઉન્ડેશને આ અંગે વનતંત્રને જાણ કરી હતી. જો કે વનતંત્રએ અહી કોઇ સિંહણે બચ્ચાને જન્મ આપ્યા હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યાની આ ઘટના ખાંભા તાલુકાના ભાવરડી રાણીંગપરા વચ્ચે બની હતી. લાયન નેચર ફાઉન્ડેશનને આ અંગે જાણ થતા તેના દ્વારા વનતંત્રને જાણ કરવામા આવી હતી. સામાન્ય રીતે ગર્ભવતી સિંહણ બે-ત્રણ કે કયારેક ચાર બચ્ચાને જન્મ આપતી હોય છે. અને જવલ્લે જ પાંચ બચ્ચાને પણ જન્મ આપે છે. ભુતકાળમા લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમા એક સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યો હતો. દલખાણીયા રેંજમા 23 સાવજોના મોતની ઘટનાથી સાવજોની એક મોટી ઘટ પડી હતી. આ દરમિયાન જો એકસાથે પાંચ બચ્ચાને સિંહણે જન્મ આપ્યો હોય તો તે ઘણી મોટી વાત છે.

બનાવ અંગે એસીએફ નિકુંજ પરમારે જણાવ્યું હતુ કે આ વિસ્તારમા કોઇ સિંહણે બચ્ચા આપ્યા હોવાનુ હજુ સુધી અમારા ધ્યાનમા નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lion-gave-birth-to-5-cubs-between-khanchha-bhavadi-and-raningpara-055042-4526346-NOR.html

ગિરનાર જંગલમાંથી ચંદનના 12 વૃક્ષ કપાયા

DivyaBhaskar News Network

May 12, 2019, 05:51 AM IST
ગિરનાર જંગલમાં અનેક ચંદનના વૃક્ષો આવેલા છે. કિંમતી ચંદનની ચોરી પણ મોટે પાયે થઇ રહી છે. ગિરનાર જંગલમાંથી અનેક વખત ચંદનના વૃક્ષો કપાયા છે ત્યારે ફરી આ વિસ્તારમાં ચંદન ચોર ગેંગ સક્રિય થઇ છે અને 12 જેટલા ચંદનના વૃક્ષ કાપ્યા હોવાનુ બહાર આવ્યું છે. વન વિભાગ દ્વારા ફેરણાની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ ઉપર ચાલતી હોય તેવુ લાગી રહ્યું છે.

અમરેલી જિલ્લાના જંગલમાં છેલ્લા કેટલાય સમયથી ચંદનના વૃક્ષો કપાઇ રહ્યા છે પરંતુ ચંદન કાપનાર ગેંગ વન વિભાગના હાથમાં આવતી નથી. ત્યારે ચંદન ચોર ગેંગે ગીરનાર જંગલને પણ હવે નિશાન બનાવ્યું છે. ગિરનાર જંગલમાં અનેક ચંદનના કિંમતી વૃક્ષો આવેલા છે જેનુ આયુષ્ય પણ ઘણુ મોટુ છે. પરીપક્વ થયેલા ચંદનના વૃક્ષોની ચોરી દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે તાજેતરમાં જ ફરી ડુંગરપુર રાઉન્ડની ડેડકણી બીટમાં ચંદનના વૃક્ષો કપાયા હોવાનું બહાર આવ્યું છે.

આ વિસ્તારમાંથી બાર જેટલા ચંદનના વૃક્ષો કપાયા છે. આ ઘટનાને લઇ વન વિભાગે ખાનગી રાહે તપાસ હાથ ધરી છે પરંતુ હજુ સુધી કોઇ જ કડી મળી નથી. વન વિભાગ દ્વારા જંગલમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે છતા પણ બેફામ રીતે ચંદન ચોરીની ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા ગાયત્રી મંદીર, રૂપાયતન, ગિરનાર સીડી સહિતના વિસ્તારોમાંથી ચંદનના વૃક્ષો કપાયા હતા.

વૃક્ષમાં એક ઘા મારી રાહ જુએ છે

ચંદન ચોર ગેંગ મોટાભાગે કરવત અથવા લોખંડના વાયરથી ચંદનના વૃક્ષને કાપે છે તેમજ ઘણી વખત વૃક્ષમાં અેક ઘા મારી થોડો સમય રાહ જુએ છે બાદ બીજો ઘા મારે છે. જેથી કરીને કોઇને ધ્યાનમાં ન આવે કે વૃક્ષનુ કટીંગ કરે છે.

વૃક્ષના એક-દોઢ ફુટના કટકા કરી લઇ જાય છે

તસ્કરો સ્થળ ઉપર વૃક્ષનુ કટીંગ કરે છે બાદ વૃક્ષના એક થી દોઢ ફૂટના નાના નાના કટકા કરે છે. બાદ મોટીબેગમાં રાખી લઇ જાય છે જેને કારણે પ્રથમ દ્રષ્ટીએ કોઇને શંકા જતી નથી.

ચંદનના વૃક્ષનો અંદરનો પીળો ભાગ જ કિંમતી હોય છે

ચંદનના સમગ્ર વૃક્ષનુ મહત્વ હોતુ નથી પરંતુ વૃક્ષની અંદર રહેલો પીળો ભાગ કિંમતી હોય છે. ચંદન ચોર આ પીળા ભાગને જ લઇ જાય છે. બજારમાં તેની કિંમતી રૂ.8 હજારથી વધુ હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-12-trees-of-chandan-were-cut-from-the-girnar-forest-055110-4533325-NOR.html

અમરેલીના સણોસરા ગામે તળાવ ઉંડુ ઉતારવા માટે 50 લાખનો લોકફાળો

DivyaBhaskar News Network

May 15, 2019, 05:50 AM IST
અમરેલીથી 20 કિમી દુર આવેલા સણોસરા ગામ માત્ર 1208ની વસતિ ધરાવે છે. પણ આ ગામમાં પાણી, સ્વચ્છતા, વૃક્ષારોપણ અને જળસંચના કામો માટે અહીં લોકભાગીદારી સક્રીય જોવા મળી રહી છે. આ ગામમાં આવેલું તળાવ ઉંડુ ઉતારવા માટે 50 લાખનો લોકફાળો એકત્રીત કરવામાં આવી એક ગામ કેવું હોવું જોઇએ તેની અનુભુતી કરાવી હતી.

અમરેલીના સણોસરા ગામમાં દરેક જ્ઞાતિના લોકો વસવાટ કરી રહ્યાં છે. પરંતુ દરેક વર્ણના લોકો નાત જાતના વાડા ભુલી ગામની સ્વચ્છતા, વૃક્ષારોપણ અને જળસંચયના કામમાં ઉમેળકાભેર જોડાયા છે. આ ગામના જ યશસ્વી ગૃપના માલિક મનોજભાઈ લાખાણીએ નવયુવાનોને એકત્રીત કરી ગામને એક આદર્શ ગામ બનાવવાનું નક્કી કર્યું હતું. આ વિચારને ગામજનોએ આવકાર્યો હતો. પણ આદર્શ ગામ બનાવવા માટે ગામમાં સ્વચ્છતા શરૂ હોવી જોઇએ. જેના પગલે ગામલોકોએ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે આખા ગામની સફાઈ કરવામાં આવે છે. તેમજ અહીં દરેક જગ્યાપર કચરા પેટીઓ પણ ગામલોકોએ જાતે જ મુંકી છે. ગામમાં પશુ પક્ષીઓ માટે ચબુતરા પણ નજરે જોવા મળી રહ્યા છે. પણ આગામમાં 500 થી 1000 ફુટ ઉંડો બોર કરવા છતાં પણ પાણીની સમસ્યા જોવા મળતી હતી. જેના પગલે ગામ લોકોએ ગામમાં જળસંચય માટે તળાવ ઉંડુ ઉતારવાનું નક્કી કર્યું હતું . કામનો સવજીભાઈ ધોળકિયાના હસ્તે પ્રારંભ કરવામા આવશે.

1.25 લાખ ઘનમીટર માટી નિકળશે

અહી 50 લાખના ખર્ચે તળાવ ઉંડુ ઉતારવાના કામનો આરંભ થનાર છે. ત્યારે આ કામમા આશરે 1.25 લાખ ઘનમીટર માટી નીકળવાની છે. જેનાથી વિપુલ માત્રામા જળસંગ્રહ થશે. વરસાદી પાણી ભુગર્ભમા ઉતરવાથી જળસ્તર ઉંચા આવશે જે સણોસરાને હરીયાળુ બનાવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-50-lakhs-people39s-contribution-to-the-pond-of-the-lake-in-sunsara-village-of-amreli-055018-4552821-NOR.html

બાબરકોટ નર્સરીમાં મેડીકલ ચેકઅપમાં રખાયેલી સિંહણનું હડકવાથી મોત થયું

DivyaBhaskar News Network

May 14, 2019, 05:55 AM IST
એક પખવાડીયા પહેલા અચાનક જ એક સિંહણ જાફરાબાદ શહેરમાં આવી ચડી હતી. જેને વનતંત્રએ પાંજરે પુરી બાબરકોટ નર્સરીમાં ખસેડી હતી. જ્યાં આ સિંહણનું સારવાર દરમિયાન મોત થયુ હતું. સિંહણનું મોત હડકવાથી થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા ગીરના સાવજો પૈકી વધુ એક સિંહણનુ મોત થયાની ઘટના બહાર આવી છે. બાબરકોટ નર્સરી ખાતે પાછલા કેટલાક દિવસોથી વનતંત્રની દેખરેખ નીચે સારવારમાં રખાયેલી એક સિંહણનું આજે સારવાર દરમિયાન મોત થયુ હતું. એકાદ પખવાડીયા અગાઉ આ સિંહણ જાફરાબાદ શહેરની મધ્યમાં ઘુસી આવી હતી. જેને પગલે લોકોમાં નાસભાગ મચી હતી. જે તે સમયે વન વિભાગની રેસ્ક્યુ ટીમે ત્યાં દોડી જઇ શહેરની મધ્યમાંથી જ આ સિંહણને પાંજરે પુરી હતી અને ત્યારબાદ તેને દેખરેખ માટે અને મેડીકલ ચેકઅપ માટે બાબરકોટ નર્સરી ખાતે રખાઇ હતી.

આટલા દિવસની દેખરેખ અને સારવારના અંતે આ સિંહણની તબીયત વધુ લથડી હતી અને આજે સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. વનતંત્રને પ્રથમ દ્રષ્ટિએ આ સિંહણનું હડકવાના કારણે મોત થયાનું જણાયુ હતું. પાછલા કેટલાક સમયથી અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં આ રીતે સાવજોના કમોતની ઘટનાઓ અવાર નવાર બહાર આવી રહી છે.

રેસ્ક્યુ સમયે જ સિંહણનું વર્તન વિચિત્ર

વન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ હડકવા અને બિમારી જેવા કારણો સબબ જ સિંહણ શહેરી વિસ્તારમાં ધસી ગઇ હતી. તેને જ્યારે રેસ્ક્યુ કરવામાં આવી તે સમયે જ સિંહણનું વર્તન વિચિત્ર જણાયુ હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-lioness-rabble-killed-in-medical-check-up-in-babarkot-nursery-055535-4545684-NOR.html

કોડીનાર-અમરેલી હાઇવે પર 10 ફૂટની મગર આવી ચઢી, દિલધડક રેસ્ક્યૂ કરાયું

 Divyabhaskar.com
May 15, 2019, 03:11 PM IST

  • 1 મહિનામાં કોડીનાર પંથકમાંથી વનવિભાગે 7 મગરને પકડી
  • વનવિભાગને રેસ્ક્યૂ કરતી વખતે મધમાખીઓએ ડંખ દીધા
     
    જૂનાગઢ
    :ગિર-સોમનાથનાં કોડીનાર-અમરેલી સ્ટેટ હાઇવે પર આવેલા રોણાજ ગામ પાસે વહેલી સવારે 10 ફૂટ લાંબી મગર રોડ પર આવી ચઢી હતી. મહાકાય મગરને જોઇ હાઇવે પર અફડાતફડી મચી ગઇ હતી. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. આખરે મગર રોડ પાસેની ઝાડીમાં ઘૂસી જતાં વન વિભાગને જાણ કરાઇ હતી. જેથી જામવાળા વન વિભાગની ટીમે મગરને પાંજરે પૂરવા રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.

8 ફોરેસ્ટ કર્મીએ મગરનું રેસ્ક્યૂ કર્યુ:જામવાળા અને કોડીનાર વન વિભાગની ટીમના 8 ફોરેસ્ટ કર્મીઓ દ્વારા મગરને પાંજરે પૂરવા રેસ્ક્યૂ હાથ ધરાયું હતું. જોકે, જે સ્થળે મગર હતી ત્યાં મધપૂડો હોવાનાં કારણે વન કર્મીઓને મધમાખીઓએ ડંખ માર્યા હતા. જેને લીધે રેસ્ક્યૂમાં પણ અનેક વખત અવરોધ ઉભો થયો હતો. જેને લઇ રેસ્ક્યૂ દોઢ કલાક સુધી ચાલ્યું હતું. જોકે, આખરે મગરને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. દરમ્યાન ગઈકાલે રોણાજ પાસેના ઇચવડ ગામે પણ 3 ફૂટ લાંબી મગર ખેડૂતના પશુ બાંધવાના મકાનમાં ઘૂસી ગઇ હતી. તેનું પણ રેસ્ક્યૂ કરાયું હતું. જોકે, એ મગર રેસ્ક્યૂ ટીમને હાથતાળી આપી પાણી ભરેલા શેરડીના વાડમાં ઘુસી જતાં તેનું બીજી વખત રેસ્ક્યૂ કરાયું હતું. વન કર્મચારીઓના કહેવું મુજબ, પાણી ભરેલા શેરડીના વાડમાં મગર ઘુસી જતાં તેની તાકાત બમણી થઈ જાય છે. 8 ફોરેસ્ટ કર્મીઓએ રેસ્કયૂ હાથ ધર્યુ હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/news/a-10-foot-crocodile-on-the-kodinar-amreli-highway-has-come-to-this-rescue-dilkad-is-rescued-1557897432.html

કારમાં ધસી આવેલા શખ્સે બીટ ગાર્ડની ફરજમાં રૂકાવટ કરી

DivyaBhaskar News Network

May 16, 2019, 05:56 AM IST
ધારી તાબાના પાદરગઢની સીમમા નદી વિસ્તારમા કારમા ધસી આવેલા એક શખ્સે બીટગાર્ડની ફરજમા રૂકાવટ કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સરકારી ગાડીના કાચ તોડી નુકશાન કરતા તેની સામે ચલાલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

સરસીયા રેંજના ફોરેસ્ટ બીટગાર્ડ નરેશભાઇ ગોલણભાઇ વાળા (ઉ.વ.30)ને અહી જ રહેતો સંજય બાઘાભાઇ વાળા નામના શખ્સે કારમા ધસી આવી ફરજમા રૂકાવટ કરી ગાળો આપી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમા સંજયે પ્લાસ્ટિકના પાઇપથી ફોરેસ્ટ વિભાગની સરકારી બોલેરો ગાડીનો આગળનો કાચ તોડી રૂપિયા આઠ હજારનુ નુકશાન કરી નાસી ગયો હતો. આ બારામા નરેશભાઇએ તેની સામે ચલાલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-person-who-was-injured-in-the-car-stopped-the-beat-guards-055622-4559901-NOR.html

પશુના મારણની લાલચ આપીને સિંહની પજવણીનાં વીડિયોમાં ટ્રેકર સકંજામાં

DivyaBhaskar.com

May 17, 2019, 11:33 AM IST
સિંહને કૂતરાની જેમ મારણ પાછળ દોડાવાયો હતો
સિંહને કૂતરાની જેમ મારણ પાછળ દોડાવાયો હતો

  • બાઇક પાછળ મૃત પશુને બાંધી સિંહને મારણ માટે પાછળ દોડાવ્યો હતો
  • સિંહની કૂતરા જેવી હાલત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો

અમરેલી: અમરેલીનાં લાઠી પંથકમાં પશુનું મારણ બતાવી મારણની લાલચમાં સિંહને દોડાવીને પજવણીનો વીડિયો વાઇરલ થયા બાદ આ ઘટનામાં વન વિભાગનો એક ટ્રેકર સકંજામાં આવ્યો છે અને રાજકોટ પાસીંગવાળી મોટર સાયકલનાં નંબર સામે આવતા પજવણી સમયે સામેલ લોકોને વન વિભાગ શોધી રહ્યું છે.
લાઠીના મતીરા રાઉન્ડમાં ઘટના બની હોવાનું સામે આવ્યું
પશુ બતાવી સિંહની કૂતરા જેવી હાલત કરતો એક વીડિયો વાયરલ થયા બાદ આ બાબત વન વિભાગને જાણમાં આવતા વન વિભાગનાં સીસીએફ વસાવડાએ તપાસના આદેશ જારી કર્યા હતા. ત્યારે પ્રથમ તો આ ઘટના અમરેલીના લાઠીના મતીરા રાઉન્ડની લુહારીયા વીડી પાસે આવેલ કૃષ્ણનગર હનુમાન મંદિરના પાછળનો ભાગનો વિસ્તાર હોવાનુ તપાસમાં સામે આવ્યું હતું.
નંબરના આધારે બાઇક માલિકની શોધખોળ
બાદમાં વન વિભાગે ઘટના સ્થળે હાજર બાઈકના નંબરના આધારે તપાસના ચક્રો ગતિમાન કરતા આ બાઈકના નંબર રાજકોટ પાસીંગના હોવાનું ખુલતા નંબરના આધારે બાઈક માલીકની શોધખોળ ચાલી રહી છે. દરમિયાન આ અશોભનીય કહી શકાય તેવી ઘટનામાં વન વિભાગના એક ટ્રેકરની ભૂમીકા જણાતા તેને પણ સકંજામાં લઈ લીધો હોવાનુ જાણવા મળ્યું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/news/lion-video-viral-so-one-person-arrested-by-forest-department-of-amreli-1558072498.html

સતત બીજા દિવસે અમરેલીના વાતાવરણમાં પલટો, ખાંભા, સાવરકુંડલા પંથકમાં ગાજવીજ અને કરા સાથે ભારે વરસાદ

  • જાફરાબાદના મીઠાપુરમાં કરા સાથે વરસાદ
    Divyabhaskar.com

May 18, 2019, 05:48 PM ISTઅમરેલી:વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. જાફરાબાદના નાગેશ્રી મીઠાપુરમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા છે. ખાંભાના બારમણે, ભુંડણી અને સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. તો બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત પણ મળી હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/news/rainfall-in-amreli-khambha-savarkundla-1558177560.html

કેવડાપરાની યુવતીનું ઝેરી જીવજંતુ કરડી જતાં મોત

DivyaBhaskar News Network

May 20, 2019, 05:50 AM IST
સાવરકુંડલા તાબાના કેવડાપરામા વાડી વિસ્તારમા રહેતી એક યુવતીને ઝેરી જીવજંતુ કરડી જતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. અહી તબીબે તેને મૃત જાહેર કરી હતી.

યુવતીનુ ઝેરી જીવજંતુ કરડી જતા મોતની આ ઘટના સાવરકુંડલાના કેવડાપરામા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતી સોનલબેન દામજીભાઇ ગોહિલ (ઉ.વ.19) નામની યુવતીને કોઇ ઝેરી જીવજંતુ કરડી જતા તેને ઝેરની અસરતળે સાવરકુંડલા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામા આવી હતી.

અહી ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે મૃતક યુવતીના પિતા દામજીભાઇએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. હેડ કોન્સ્ટેબલ જી.આર.ધાધલ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-kavadaparana39s-virulent-insect-bites-055040-4587742-NOR.html

ખોડીયાણા પાસે સિંહ દર્શન માટે ભીડ એકઠી થઇ છતાં વનતંત્ર ડોકાયંુ નહીં

DivyaBhaskar News Network

May 21, 2019, 05:51 AM IST
Amreli News - though the crowd gathered for a lion darshan kholijana would not have to worry 055120
મીતીયાળા અભ્યારણ્યમાં સાવજોની સંખ્યા ઘણી વધારે છે. વધતી સંખ્યા વચ્ચે હાલમાં મીતીયાળા અભ્યારણ્યમાં સાવજોને ખોરાક અને પાણી મળતા ન હોય આ સાવજો આસપાસના વિસ્તારમાં ખોરાક અને પાણીની શોધમાં ધસી જાય છે. મીતીયાળા અભ્યારણ્યની નજીક આંબરડી, બગોયા, ખોડીયાણા, આદસંગ વિગેરે વિસ્તારમાં સાવજોનો સતત વસવાટ રહે છે. આ સાવજો પાણીની શોધમાં આમથી તેમ ભટકતા રહે છે અને શિકારની શોધમાં પણ ભટકવુ પડે છે. આજે ખોડીયાણા અને બગોયા વચ્ચે ઘંટીયા વિસ્તારમાં આવેલી કડકધાર વિસ્તારમાં સાવજોની ટોળી ધસી આવી હતી.

સાવજોએ અહિં એક પશુનું મારણ કર્યુ હતું જેને નિહાળવા લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. અહિં ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિ થતી હોય લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે અહિં વન વિભાગમાંથી કોઇ કર્મચારી ડોકાયા ન હતાં. લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતું કે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જતા સાવજોની ભુખ્યા પેટે ભાગી જવુ પડયુ હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-though-the-crowd-gathered-for-a-lion-darshan-kholijana-would-not-have-to-worry-055120-4593928-NOR.html

ધારીના દલખાણીયા રેન્જમાં ઇન્ફાઇટથી 7 માસના સિંહબાળનું મોત

DivyaBhaskar.com

May 28, 2019, 12:12 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • વન વિભાગે સિંહબાળના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો

અમરેલી: અમરેલીના ધારીમાં આવેલી દલખાણીયા રેન્જમાં વધુ એકસિંહબાળનું મોત થયું છે. દલખાણીયાના કરમદડી રાઉન્ડમાં 7 માસના સિંહળબાળનું મોત થયું છે. આ અંગે વન વિભાગે સિંહબાળનું ઇન્ફાઇથી મોત થયાનું જણાવ્યું છે. સિંહબાળનો કબ્જો મેળવી વન વિભાગે પીએમ માટે ખસેડ્યું છે. દલખાણીયા રેન્જમાં 23 સિંહોના વાઇરસથી મોત થયા હતા. ત્યારે આ રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત છે.
(રિપોર્ટ-જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/news/lion-cub-death-in-infight-at-dalakhaniya-range-of-amreli-1559026008.html


લાઠીના લુવારીયા ગામે સાવજે ત્રણ પશુનું મારણ કરી મિજબાની માણી

Divyabhaskar.com

May 31, 2019, 10:46 AM IST
In Luvariya village, LION KILLED 3 ANIMAL IN AMRELI

  • સાવજોના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ

અમરેલી:લાઠીના લુવારીયા ગામની સીમમાં આવેલા એક વાડીમાં ગઇકાલે એક ડાલામથ્થા સાવજે ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. સાવજના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહીં આવેલા પાનસુરીયા પરિવારની વાડીએ એક સિંહ શિકારની શોધમા આવી ચડ્યો હતો. આ સિંહે વાડીમાં એક વાછરડો અને એક વાછરડીને ફાડી ખાધા હતા અને એક ગાયને ઇજા પહોંચાડી હતી. ઘાયલ ગાયને જીવદયાપ્રેમીની મદદથી સારવાર આપવામા આવી હતી. જો કે સારવાર કારગત નિવડી ન હતી અને ગાયનુ પણ મોત નિપજયું હતુ. આમ અહી સિંહે ત્રણ પશુનું મારણ કરતા ગ્રામજનોમા પણ ફફડાટ ફેલાયો હતો.
https://www.divyabhaskar.co.in/saurashtra/news/in-luvariya-village-lion-killed-3-animal-in-amreli-1559279754.html