Sunday, June 30, 2019

ગિર જંગલમાં વસતા સિંહોને રેડીયો કોલર લગાવવાની કામગિરી વનવિભાગે

DivyaBhaskar News Network

Jun 25, 2019, 06:50 AM IST

ગિર જંગલમાં વસતા સિંહોને રેડીયો કોલર લગાવવાની કામગિરી વનવિભાગે શરૂ કરી દીધી છે. અને અત્યાર સુધીમાં ગિરનાં 25 સિંહોને રેડીયો લગાવાઇ ચૂક્યા છે. આના થકી મોનીટરીંગ સેન્ટર ખાતેથી 24 કલાક સિંહોનાં ગૃપોનાં હલનચલન અને ગતિવિધી પર નજર રાખી શકાશે.

વનવિભાગનાં સુત્રોનાં કહેવા મુજબ, ગત 11 જૂનના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાસણ ગીર ખાતે હાઈટેક મોનીટરીંગ યુનિટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી વનવિભાગે સિંહોને રેડીયો કોલર લગાવવાની કામગિરી હાથ ધરી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 25 સિંહોને તો રેડીયો કોલર લગાવાઇ પણ ચૂક્યા છે. હજુ 50 સિંહોને આ ડીવાઇસથી સજ્જ કરાશે. આ માટે ખાસ જર્મનીથી 75 રેડીયો કોલર આવી ગયા છે. અને 5 જિલ્લામાં વિહરતા સિંહોનાં કુલ 75 સિંહોને આ રેડીયો કોલર લાગવાશે. દરેક ગૃપનાં એક સિંહને તે પહેરાવાશે. જેથી તેના થકી આખા ગૃપની ગતિવિધીનો ખ્યાલ આવી જશે. ત્યારબાદ સિંહ સદન ખાતે મોનીટરીંગ સેન્ટરમાંથી આ સિંહો પર દેખરેખ રખાશે. આના થકી સિંહોનાં જૂથની અવરજવર ઉપરાંત સંશોધન અને તેના વિસ્તાર સંબંધિત માહિતી પણ વનવિભાગને મળી શકશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-livelihood-of-lions-living-in-the-gir-forest-065015-4847451-NOR.html

ગિરના જંગલમાં સિંહોની ગતિવિધિનું મોનિટરિંગ, 5 જિલ્લાના 75 સિંહોને જર્મન બનાવટના કોલરથી ટ્રેસ કરાશે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • કુલ 5 જિલ્લાનાં 75 સિંહોને જર્મનીની બનાવટના કોલરથી ટ્રેસ કરાશે
  • મોનિટરિંગ સેન્ટર પરથી સાવજ પર સતત નજર રહેશે

Divyabhaskar.com

Jun 25, 2019, 10:37 AM IST
જૂનાગઢ: ગિર જંગલમાં વસતા સિંહોને રેડિયો કોલર લગાવવાની કામગીરી વનવિભાગે શરૂ કરી દીધી છે. અને અત્યાર સુધીમાં ગિરનાં 25 સિંહોને રેડિયો લગાવાઇ ચૂક્યા છે. આના થકી મોનિટરિંગ સેન્ટર ખાતેથી 24 કલાક સિંહોનાં ગ્રુપોનાં હલનચલન અને ગતિવિધિ પર નજર રાખી શકાશે. જર્મન બનાવટના કોલરથી સિંહોને ટ્રેસ કરાશે.

75 સિંહોને રેડિયો કોલર લગાવાશે
વનવિભાગનાં સુત્રોનાં કહેવા મુજબ ગત 11 જૂનના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાસણ ગીર ખાતે હાઈટેક મોનિટરિંગ યુનિટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી વનવિભાગે સિંહોને રેડિયો કોલર લગાવવાની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 25 સિંહોને તો રેડીયો કોલર લગાવાઇ પણ ચૂક્યા છે. હજુ 50 સિંહોને આ ડીવાઇસથી સજ્જ કરાશે. આ માટે ખાસ જર્મનીથી 75 રેડીયો કોલર આવી ગયા છે. અને 5 જિલ્લામાં વિહરતા સિંહોનાં કુલ 75 સિંહોને આ રેડિયો કોલર લાગવાશે. દરેક ગ્રુપનાં એક સિંહને તે પહેરાવાશે. જેથી તેના થકી આખા ગ્રુપની ગતિવિધિનો ખ્યાલ આવી જશે. ત્યારબાદ સિંહ સદન ખાતે મોનિટરિંગ સેન્ટરમાંથી આ સિંહો પર દેખરેખ રખાશે. આના થકી સિંહોનાં જૂથની અવરજવર ઉપરાંત સંશોધન અને તેના વિસ્તાર સંબંધિત માહિતી પણ વનવિભાગને મળી શકશે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/monitoring-of-lions-activities-in-gir-forest-75-lions-of-5-districts-will-be-traced-from-german-made-collar-1561439533.html

ગીરમાં ત્રણ સિંહના મોત મામલે ખુલાસો, કૃમિને કારણે ત્રણેય સિંહોના મોત થયા, 6 સિંહ દેખરેખ હેઠળ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Jun 26, 2019, 08:27 PM IST
જૂનાગઢઃ છેલ્લા એક વર્ષથી વિશ્વમાં એક માત્ર એશિયાટિક લાયન ધરાવતા ગુજરાતના ગીરમાં સતત સિંહોના મોત થઈ રહ્યા છે, ત્યારે 10 દિવસ પહેલા મેંદરડાનાં કેરંભા વિસ્તારના ગડકબારી જંગલમાં થયેલા ત્રણ સિંહના થયેલા મોત મામલે નવો ખુલાસો થયો છે. વન વિભાગે ત્રણ સિંહોના મોતની પુષ્ટી કરી ત્રણેય સિંહના કૃમિને કારણે મોત થયો હોવાનો ખુલાસો કર્યો છે. જેને પગલે સલામતી માટે 1 સિંહ અને ત્રણ સિંહણ તથા 2 સિંહ બાળ સહિત કુલ 6 સિંહને હાલ અન્ય સ્થળે ખસેડીને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
ગત વર્ષે 23 સિંહના મોત થયા, સુપ્રીમે કહ્યું હતું સિંહોના મોત અત્યંત ગંભીર બાબત
ગત વર્ષે ઓક્ટોબરમાં ગીર પૂર્વની દલખાણીયા રેન્જની સરસિયા વીડી ખાતે એક બાદ એક 23 સિંહ મોતને ભેટતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. ત્યાર બાદ આ સિંહોના મોત કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસને કારણે મોત થયા હોવાનો ખુલાસો થયો હતો. જેને પગલે સુપ્રીમ કોર્ટે સિંહોના મોતને બેહદ ગંભીર બાબત ગણાવી કહ્યું કે, સિંહોના મોત રોકવા માટે કંઈક કરવું જોઈએ. સિંહોનું સંરક્ષણ કરવું જ જોઈએ.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/three-lions-have-died-in-gir-due-to-helminth-6-lions-under-supervision-1561559692.html

તાલાલા રેન્જની હડમતીયા બીટમાં બે સાવજો વચ્ચે થયેલી ઇન્ફાઇટમાં

DivyaBhaskar News Network

Jun 28, 2019, 06:45 AM IST

તાલાલા રેન્જની હડમતીયા બીટમાં બે સાવજો વચ્ચે થયેલી ઇન્ફાઇટમાં એક પાઠડાનું મોત થયું હતું. હુમલો કરનાર સિંહે પાઠડાનો એક આગળનો અને એક પાછળનો પંજો ફાડી ખાધો હતો. સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું કે, તાલાલા રેન્જનાં તાલાલા રાઉન્ડની હડમતીયા બીટમાં આવેલા જહાંગીર પીએફ 239 વિસ્તારમાંથી એક સિંહના બચ્ચાંનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનો આગળનો અને પાછળનો એક પંજો વન્ય પ્રાણીઓ દ્વારા ખવાઇ ગયો છે. મૃત્યુનું સંભવિત કારણ ઇન્ફાઇટ હોવાનું વનવિભાગની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મરનાર સિંહની ઉમર આશરે 1 થી 2 વર્ષ અને તે નર હોવાનું અનુમાન થઇ રહ્યું છે. અત્રે નોંધનીય છેકે, ઇન્ફાઇટમાં જે સિંહો બચી જાય છે તેમને પણ ઇજાને લીધે ઇન્ફેક્શન થતા હોય છે. આવા ઇન્ફેક્શનને લીધે અગાઉ અનેક સિંહોના ટપોટપ મોત થયા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-the-haldamia-beat-of-the-talaa-range-between-two-eyes-in-infighting-064508-4870332-NOR.html

2 બચ્ચાં, 1 સિંહણનું પીએમ : પેટમાં કૃમિ નિકળતાં બીજા 6 સિંહો ઓબ્ઝર્વેશનમાં

DivyaBhaskar News Network

Jun 28, 2019, 06:45 AM IST
ડેડકડી રેન્જનાં ગડકબારી વિસ્તારમાં જુદા જુદા બનાવોમાં બે બચ્ચાં અને એક સિંહણનાં મોત થયા હતા. આ બનાવોમાં તેમના પીએમ રીપોર્ટમાં પેટમાં કૃમિ હોવાનું બહાર આવતાં એ સિંહો જે ગૃપમાં હતા. તેને હાલ વનવિભાગે બીજા ગૃપોથી દૂર કરી ઓબ્ઝર્વેશનમાં રાખી સારવાર અપાઇ રહી છે. ગડકબારી વિસ્તારમાં 15 દિવસ પહેલાં એક ગૃપની સિંહણ બીજા ગૃપની સિંહણનાં બે બચ્ચાંને ખાઇ ગઇ હતી. બીજી એક સિંહણનો મૃતદેહ પણ વનવિભાગને મળી આવ્યો હતો. એ સિંહણનું મોત પેટમાં કૃમિને લીધે થયાનું તેના પીએમ રીપોર્ટમાં બહાર આવ્યું હતું. તો જે બે બચ્ચાંનાં મોત સિંહણનાં ખાઇ જવાથી થયા હતા. તેના પીએમ રીપોર્ટમાં પણ પેટમાં કૃમિ માલુમ પડ્યા હતા. આથી અન્ય ગૃપોમાં આ બિમારી ફેલાય નહીં એ માટે વનવિભાગે 6 સિંહોનાં અાખા ગૃપને બીજા ગૃપોથી અલગ પાડી દીધું હતું. તેઓને બે વખત ડી વોર્મીંગ કરાયું છે. અને હાલ તેઓને ઓઇસોલેશનમાં રખાયા છે. આ 6 સાવજોમાં 1 સિંહ, 2 સિંહણ અને 3 બચ્ચાંનો સમાવેશ થાય છે. આ 2 સિંહણો પૈકીની 1 સિંહણજ બે બચ્ચાંને ખાઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાક્રમ મેંદરડા તાલુકા હેઠળ આવતા ગિર પશ્વિમની ડેડકડી રેન્જનાં ગડકબારી વિસ્તારમાં બન્યો હતો. એમ સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-2-cubs-1-lioness-pm-6-lions-in-the-abdomen-observing-6-lions-064514-4870327-NOR.html

હડમતીયા બીટમાં સિંહો વચ્ચેની ઇન્ફાઇટમાં બચ્ચાનું મોત, સિંહ આગળ-પાછળનો પંજા ખાઇ ગયો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ઇન્ફેક્શનને લીધે અગાઉ અનેક સિંહોના ટપોટપ મોત થયા હતા

Divyabhaskar.com

Jun 28, 2019, 10:50 AM IST
તાલાલા: ગીર જંગલમાં તાલાલા રેન્જની હડમતીયા બીટમાં બે સાવજો વચ્ચે થયેલી ઇન્ફાઇટમાં એક બચ્ચાનું મોત થયું હતું. હુમલો કરનાર સિંહે બચ્ચાનો એક આગળનો અને એક પાછળનો પંજો ફાડી ખાધો હતો. આ અંગેની વિગતો આપતાં સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું કે, તાલાલા રેન્જનાં તાલાલા રાઉન્ડની હડમતીયા બીટમાં આવેલા જહાંગીર પીએફ 239 વિસ્તારમાંથી એક સિંહના બચ્ચાંનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનો આગળનો અને પાછળનો એક પંજો વન્ય પ્રાણીઓ દ્વારા ખવાઇ ગયો છે.
1થી 2 વર્ષનું સિંહબાળ: મૃત્યુનું સંભવિત કારણ ઇન્ફાઇટ હોવાનું વનવિભાગની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મરનાર સિંહના બચ્ચાની ઉંમર આશરે 1થી 2 વર્ષ અને તે નર હોવાનું અનુમાન થઇ રહ્યું છે. નોંધનીય છે કે, ઇન્ફાઇટમાં જે સિંહો બચી જાય છે તેમને પણ ઇજાને લીધે ઇન્ફેક્શન થતા હોય છે. આવા ઇન્ફેક્શનને લીધે અગાઉ અનેક સિંહોના ટપોટપ મોત થયા હતા.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lions-between-infight-and-1-year-old-lion-cub-death-in-talala-1561699347.html

જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમ ખાતે રોઝડુ આવી ચઢ્યું

Junagadh News - rojadu came to the wilmingdon dam in junagadh 064021

DivyaBhaskar News Network

Jun 30, 2019, 06:40 AM IST
જૂનાગઢ | જૂનાગઢ શહેરનાં વિલીંગ્ડન ડેમ ખાતે ચોમાસાનાં સમયે લોકોની ભીડ જોવા મળે છે ત્યારે લોકોની ભીડ વચ્ચે આજે જ વિલીંગ્ડન ડેમ ખાતે આજે રોઝડુ આવી ચઢ્યું હતું. આ રોઝડાને જોવા માટે લોકો પણ તેમની નજીક જઇ રહ્યા હતા અને મોબાઇલમાં ફોટા લઇ રહ્યા હતા. જોકે જંગલ વિસ્તાર નજીક જ હોવાથી અવાર-નવાર રોઝડા સહિતનાં પ્રાણીઓ વિલીંગ્ડન ડેમ આસપાસ પહોંચી જતા હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-rojadu-came-to-the-wilmingdon-dam-in-junagadh-064021-4885899-NOR.html

તાલાલા તાલુકાનાં જેપુર ગામે રાત્રે લઘુશંકા માટે ઘરમાંથી બહાર

DivyaBhaskar News Network

Jun 30, 2019, 06:45 AM IST

તાલાલા તાલુકાનાં જેપુર ગામે રાત્રે લઘુશંકા માટે ઘરમાંથી બહાર નિકળેલી મહિલાને દિપડાએ દબોચી લીધી હતી. ગળામાં દાંત બેસાડી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ દેવળિયા પાર્કથી માત્ર 400 મીટરના અંતરે બન્યો હતો.

તાલાલા તાલુકાનાં જેપુર ગામે સીમમાં રહેતા ડાહ્યાભાઈ ઘોસીયાના પત્ની હિરીબેન (ઉ. 60) રાત્રે લઘુશંકા જવા માટે વાડીમાં આવેલી ઓરડીમાંથી બહાર નિકળ્યા હતા. એ વખતે દીપડાએ તેમના પર હુમલો કરી ગળામાં દાંત બેસાડી દીધા હતા. આથી હિરીબેનનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ દેવળિયા પાર્કથી માત્ર 400 મીટર નાં અંતરે બન્યો હતો. બનાવની જાણ હરદાસભાઈ ઝાલાએ વનવિભાગને કરતાં વન વિભાગે બનાવના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ વનવિભાગની તાલાલા રેન્જના ઘાંસ રાઉન્ડમાં આવેલી જેપુર બીટમાં બન્યાનું સીસીએફ વસાવડાએ જણાવ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-the-village-of-jail-of-talala-outside-the-house-for-a-short-shadow-at-night-064509-4885882-NOR.html

દિતલા ગામના ખેડૂતો પોણા ચાર વીઘા જમીનમાં કેરીની 14 પ્રકારની જાત વિકસાવી

ઉકાભાઇ નામના ખેડૂત ઓર્ગેનિક કેરી પકવી રહ્યા છે
ઉકાભાઇ નામના ખેડૂત ઓર્ગેનિક કેરી પકવી રહ્યા છે

  • ગત વર્ષ કરતા ઓણસાલ કેરીનો સારો ઉતારો

DivyaBhaskar.com

Jun 01, 2019, 10:46 AM IST
અમરેલી: ચલાલા નજીક આવેલ દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાની પોણા ચાર વિઘા જમીનમા 14 પ્રકારની કેરીની જાતો વિકસાવી છે. કોઇપણ પ્રકારની રાસાયણિક દવા વગર તેઓ ઓર્ગેનિક કેરીનો પાક લણે છે. ગત વર્ષ કરતા ઓણસાલ કેરીનો પાક સારો રહેવાની તેમણે સંભાવના વ્યક્ત કરી હતી.
રાસાયણિક ખાતરના ઉપયોગ વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરી પકવે છે

અમરેલી જિલ્લામા ખાસ કરીને ધારી પંથકમાં મોટા પ્રમાણમાં આંબાના બગીચાઓ આવેલા છે. અહીંની કેસર કેરીની જાતે દેશ વિદેશના સીમાડાઓ વટાવ્યા છે. ત્યારે અહીંના ચલાલા નજીક આવેલ દિતલા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઇ ભટ્ટી પાછલા ત્રીસેક વર્ષથી 14 પ્રકારની કેરીની જાતો વિકસાવી મબલખ પાક લણી રહ્યાં છે. ઉકાભાઇએ જણાવ્યું હતુ કે અનેક વખત કેરીની સિઝન દરમિયાન માવઠાની ભીતિ સતાવે છે. જો કે ગત વર્ષ કરતા ઓણસાલ કેરીનો પાક સારો રહ્યો છે. હાલ બજારમાં કેરીનું પણ આગમન થઇ ગયું છે. તેઓ પોતાની પોણા ચાર વિઘા જમીનમાં વર્ષોથી જુદી જુદી જાતની કેરી કોઇપણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના ઓર્ગેનિક પધ્ધતિથી કેરી પકાવી રહ્યાં છે.
કંઇ કંઇ જાતો વિકસાવી છે?
પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઇ ભટ્ટીએ પોતાની જમીનમાં કેસર ઉપરાંત કલકતી લંગડો, નાયલોન, કેપ્ટન, પાયલોટ, લીલેશાન, લીલેશ્વરી, લીલ ફાગુણ, અષાઢો, દશેરી, આમ્રપાલી, તોતાપુરી, જમાદાર તેમજ સુંદર જાતનો સમાવેશ થાય છે.
બિલ્વપત્રની પણ અનોખી સેવા
ઉકાભાઇની વાડીમા બિલ્વપત્રનું એક વૃક્ષ છે જેમા પાંચ પાનના મોટી સંખ્યામા બિલ્વી આવે છે. તેઓ દર શ્રાવણ માસે શિવભકંતોને વિનામુલ્યે બિલ્વપત્ર પહોંચાડી સેવાનુ કાર્ય પણ કરી રહ્યાં છે.

તુમડામાંથી બનેલા ચકલીના માળાનું પણ વિતરણ
ઉકાભાઇ પ્રગતિશીલ ખેડૂત તો છે જ સાથે સાથે પક્ષીઓ પ્રત્યે પણ તેમને અનોખો લગાવ છે. તેઓએ પોતાની વાડીમાં તુમડાના વૃક્ષ વાવ્યા હતા. તેમાંથી તેમણે અનેક તુમડાઓને સુકવીને બાદમાં ચકલીના માળા બનાવી લોકોને વિનામુલ્યે વિતરણ પણ કરે છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/farmer-product-14-type-mango-in-ditala-village-of-amreli-1559366097.html

દીપડાએ 3 વર્ષની પૌત્રીને જડબા પકડી, દાદીએ દીપડાને પકડી બૂમ પાડતા નાસી છૂટ્યો

  • ધારીના માલસિકા ગામે 3 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો
  • વનવિભાગની ટીમે દોડી જઇ દિપડાને પકડવા બે પાંજરા ગોઠવ્યા

DivyaBhaskar.com

Jun 01, 2019, 04:06 PM IST
ધારી: ધારી ગીર પૂર્વની સરસીયા રેંજના માલસિકા ગામે ગતરાત્રે વાડીમાં રમતી એક ત્રણ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહીં દોડી ગયો હતો અને દીપડાને પકડવા બે પાંજરા ગોઠવ્યા હતા. 3 વર્ષની પૌત્રીને દીપડાના જડબામાંથી છોડાવવા દાદીએ દીપડાને પકડી રાખ્યો અને એવી બૂમ પાડી કે દીપડાએ નાસી છૂટવું પડ્યું હતું.
બાળકી વાડીમાં ખુલ્લામાં રમી રહી હતી
બાળકી પર દીપડાના હુમલાની આ ઘટના ધારીના માલસિકા ગામે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહીં વાડીમાં મજૂરીકામ કરતા જયદીપભાઇ વાઘેલાની બે પુત્રી રાત્રીના આઠેક વાગ્યે વાડીમાં ખુલ્લામાં રમતી હતી. તે દરમિયાન અચાનક દીપડો ધસી ગયો હતો અને જાનુ (ઉ.વ.3)નામની બાળકી પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન તેની બહેને તુરંત દોડી જઇ માતા અને દાદીને જાણ કરતા પરિવાર દોડી આવ્યો હતો અને દાદીએ દીપડાને પકડી રાખી બૂમ પાડતા દીપડો નાસી ગયો હતો. ઘાયલ બાળકીને 108ની મદદથી પ્રથમ સારવાર માટે ધારી અને બાદમા અમરેલી દવાખાને રીફર કરાઇ હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ તાકિદે અહીં દોડી ગયો હતો અને દીપડાને પકડવા બે પાંજરા ગોઠવ્યા હતા.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-attack-on-three-year-old-girl-near-dhari-1559366534.html

ગરમીથી અકળાયેલા સાવજે લોકો સામે દોટ મૂકી

Amreli News - have fun with the people who are hot due to heat 055020

DivyaBhaskar News Network

Jun 02, 2019, 05:50 AM IST
અકળાવનારી ગરમીથી આ વિસ્તારના લોકો બેહાલ છે. ભારે ગરમીની પશુ પક્ષીઓ ઉપર પણ અસર પડી રહી છે. ગીરકાંઠાના વિસ્તારમા સાવજો પણ ગરમીથી અકળાઇ ઉઠયાં છે. ભારે ગરમીના કારણે એક સાવજ લોકોની પાછળ દોડતો હોવાનો વિડીયો ખુબ વાયરલ થયો છે.

ભારે ગરમીએ ગીરના સાવજોને પણ અકળાવી મુકયા છે. સામાન્ય રીતે ગરમીની સ્થિતિમા સાવજો છાંયડે બેઠા રહે છે. દિવસ ઢળ્યાં બાદ જ બહાર નીકળે છે. ગીરકાંઠાના વિસ્તારમા એક સાવજને ભારે ગરમીએ એવો અકળાવી મુકયો છે કે તે લોકોને જોતા જ તેમની પાછળ દોટ મુકી રહ્યો છે. ગરમીથી અકળામણ અનુભવતા સાવજો જો સામે લોકો એકઠા થઇ જાય તો અકળાઇ ઉઠે છે. સાવજનો ઇરાદો હુમલો કરવાનો હોતો નથી પરંતુ લોકોને ડરાવે જરૂર છે. અમરેલી પંથકમા વાયરલ થયેલા એક વિડીયોમા ગીરકાંઠાના એક વિસ્તારમા એક સાવજ આ રીતે લોકોને પાછળ દોટ મુકીને ડરાવતો નજરે પડી રહ્યો છે. સાવજ લોકો તરફ હુમલો કરવા દોડી રહ્યો હોય આ વિડીયો વધુ રોમાંચક બન્યો છે. અલબત અહી સિંહે કોઇ હુમલો કર્યો ન હતો. પરંતુ એક ડર ઉભો કરી પાછો ફરી ગયો હતો.

પુરાવા મળશે તો જરૂર તપાસ થશે

વિડીયો અંગે જુનાગઢના સીસીએફ વસાવડાએ જણાવ્યું હતુ કે વિડીયો કયા વિસ્તારનો છે તે સ્પષ્ટ થયુ નથી. જુના વિડીયો પણ સતત ફરતા રહે છે. સોશ્યલ મિડીયામા એક વિસ્તારના વિડીયોને બીજા વિસ્તારમા દેખાડાઇ રહ્યાં છે. આ વિડીયો અંગે પુરાવા મળશે તો જરૂર તપાસ થશે.

સિંહે દોટ મુકી, સદ્દનશીબે કોઇ પર હુમલો ન "તો કર્યો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-have-fun-with-the-people-who-are-hot-due-to-heat-055020-4679026-NOR.html

દલખાણીયાના કરમદડી રાઉન્ડમાં 5 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો

  • બીમારીથી સિંહનું મોત થયાનું પ્રાથમિક તારણ

DivyaBhaskar.com

Jun 02, 2019, 03:07 PM IST
અમરેલી: અમરેલીના કરમદડી રાઉન્ડમાં 5 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવતા વનવિભાગની ટીમ દોડી ગઇ છે. વન વિભાગની તપાસમાં સિંહના નખ સલામત હોવાનું અને શરીર પર કોઇ ઇજા ન થઇ હોવાનું જાણવા મળ્યું છે. આથી સિંહનું મોત બીમારીથી થયાનું અનુમાન છે. પીએમ બાદ જ સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે. દલખાણીયા રેન્જમાં સિંહોના સતત મોત અંગે સિંહપ્રેમીઓમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
(રિપોર્ટ-જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-family-problem-of-high-temrature-in-gir-forest-1559468479.html

CM સિંહદર્શન કરે તે પહેલા જ ધારીમાં સિંહનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, વન વિભાગને 20 દિવસે ખબર પડી!

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સિંહના મોતનું કારણ બહાર આવ્યું નથી, જંગલમાં જ અગ્નિદાહ આપ્યો

Divyabhaskar.com

Jun 11, 2019, 11:13 AM IST
અમરેલી: ધારીના હડાળા રેન્જના ટીમબવળામાંથી 9 વર્ષના સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો છે. વિજય રૂપાણી આજે સિંહદર્શન કરવાના હોય ત્યારે સિંહનો મૃતદેહ મળતા સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વન વિભાગને આ સિંહના મૃતદેહ અંગે 20 દિવસે જાણ થઇ છે. આથી જંગલમાં પેટ્રોલિંગ કરવાને બદલે વન વિભાગના અધિકારીઓ ચેમ્બરોમાં આરામ કરી રહ્યાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
વન વિભાગ માટે સિંહના મૃતદેહને ઓળખવો મુશ્કેલ બન્યો
ખાંભા તુલસીશ્યામ રેન્જના ટીમબવળા રાઉન્ડમાં બેલાના આળા વિસ્તારમાંથી 9 વર્ષના નર સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહનું 20 દિવસ પહેલા મોત થયું હોય સિંહના મૃતદેહને વન વિભાગને ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો. ત્યારે આ સિંહના મોતનું કારણ બહાર આવ્યું નથી. સિંહના મૃતદેહનો પીએમ રિપોર્ટ કરી જંગલમાં જ અગ્નિદાહ આપ્યાનું જાણવા મળ્યું છે.
ધારી ગીર પૂર્વમાં 6 મહિનામાં 20થી વધુ સિંહોના મોત
2019નું વર્ષ ધારી ગીર પૂર્વમાં સિંહોની મરણભૂમિ બની રહી છે. છેલ્લા 6 મહિનામાં 20થી વધારે સિંહો મોતને ભેટી ચૂક્યા છે અને વન વિભાગ સિંહોના મોત ઇન્ફાઇટ અને કુદરતી રીતે ખપાવી દેવામાં માહિર બન્યું છે અને મૃત સિંહનો પીએમ રિપોર્ટ પણ જાહેર કરતું નથી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/9-year-old-lion-dead-body-get-near-dhari-1560231953.html

ખાંભાના હથિયા ડુંગર પર વરસાદના ઠંડા વાતાવરણમાં સિંહ પરિવારની લટાર, વીડિયો વાઈરલ

  • લોકોએ લગભગ 2 કલાક સિંહ દર્શન કર્યા

Divyabhaskar.com

Jun 14, 2019, 03:58 PM IST
અમરેલી:ખાંભા પાસે આવેલા હથિયા ડુંગર પર સિંહ પરિવાર લટાર મારતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ડુંગર પર 6 સિંહણ, 2 નર સિંહ અને 5 બચ્ચાં એક સાથે જોવા મળ્યાં હતા.પીપળવા ખાંભા રોડ પરથી પસાર થતાં લોકોએ લગભગ 2 કલાક સિંહ દર્શન કર્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-family-stroll-video-viral-in-cold-weather-in-rainy-season-1560495712.html

અમરેલી જિલ્લામાં કેરીના પાછોતરા પાકને નુકસાન

DivyaBhaskar News Network

Jun 15, 2019, 05:55 AM IST
જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસરના પગલે ભારે પવન ફૂકાયો હતો. જેના પગલે કેરીના પાછોતરા પાકને નુકશાન થયું હતું. એક તરફ નુકશાની અને બીજી તરફ બજારમાં ભાવ ગગડવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેને પગલે કેરી પકાવતા ખેડૂતોમા ચિંતા જોવા મળી હતી. ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેના પગલે દરિયાકાંઠાના 11 જિલ્લાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં અમરેલી જિલ્લાને પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. વાયુ વાવાઝોડાને પગલે સતત ત્રણ દિવસ સુધી ભારે પવન ફુકાયો હતો. જેના પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં કેરીના પાકને નુકશાન થયું હતું. જેમાં કેરીના પાછોતરા પાકને ભારે નુકશાન થયું હતું. અહી રાજુલા જાફરાબાદ પંથકમા પણ અનેક ખેડૂતો આંબાવડીયા ધરાવે છે. અહીના નાગેશ્રીમા કેટલાક આંબાવડીયામા કેરીઓ ખરી પડી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-amreli-district-the-damage-to-the-back-crop-of-mango-055519-4773994-NOR.html

મોટાબારમણ ગામે 15 ફૂટ ઉંચી દિવાલ કૂદી સિંહ ગૌશાળામાં ઘૂસ્યો, વાછરડાનું મારણ કર્યું

ગૌશાળામાં વાછરડાનું મારણ કર્યું
ગૌશાળામાં વાછરડાનું મારણ કર્યું

  • ગાયો પાછળ સિંહ દોડતો હોયો તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા

Divyabhaskar.com

Jun 18, 2019, 04:37 PM IST
ખાંભા: મોટા બારમણ ગામના સરપંચ દેવશીભાઇ વાઢેર તરછોડાયેલી ગાયોની સેવા અર્થે કામધેનુ ગૌશાળા ચલાવે છે. આ ગૌશાળામા ગત રાત્રે ચાર વાગ્યાની આસપાસ એક સિંહ મારણની શોધમા ગામ સુધી આવી ગયો હતો અને ગૌશાળાના પાછળના ભાગે આવેલ પંદર ફૂટ ઉંચી દિવાલ કૂદીને અંદર ઘૂસી એક વાછરડાનું મારણ કર્યું હતું. સિંહની હાજરીથી ગાયોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ત્યાં સુતેલા સરપંચ દેવશીભાઇ વાઢેર જાગી ગયા હતા અને તેઓએ સતર્કતા દાખવી જીવના જોખમે ગૌશાળાના બંન્ને દરવાજા ખોલી નાખ્યા હતા. જેથી બીજી ગાયો બહાર ભાગવા લાગી હતી અને એક પાંચ માસનું નાનુ વાછરડુ પાછળ રહી જતા સિંહે વાછરડાને દબોચી લીધું હતું. જેથી સંરપંચે લાકડી હાથમાં લઇ માત્ર દસ ફૂટના અંતરેથી સિંહની બાજુમાં ફેકી હતી. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. ત્યારે સિંહ વાછરડાને મુકી દિવાલ કુદીને ભાગી ગયો હતો.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-enter-com-cattle-and-one-cow-death-at-khanbha-1560849479.html

નામચીન ત્રણ સિંહો વચ્ચે મેજરના અવસાન બાદ મેઘરાજા નામના સિંહે પીપાવાવ પોર્ટમાં વર્ચસ્વ જમાવ્યું

  • થોડા દિવસ પહેલા મેજર નામના સિંહનું મોત થયું
  • નર સિંહ મેજર અને મેઘરાજ વચ્ચેની લડાઈમાં મેજરનું મૃત્યુ થયું

Divyabhaskar.com

Jun 19, 2019, 02:26 PM IST
અમરેલી:રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહોનો વર્ષોથી દબદબો છે. પરંતુ પીપાવાવ પોર્ટ, બી.એમ.એસ.રામપરા અને ઇ કોમ્પ્લેકક્ષ આસપાસ વસતા સિંહો જેમાં અત્યાર સુધીમા 3 સિંહોનો કંઈક અનોખો ઇતિહાસ જોવા મળી રહ્યો છે. અહીં વર્ષો પહેલા 1 સિંહણે 2 નર સિંહને જન્મ આપ્યો હતો. ગામ લોકોએ મોટા નર સિંહનું નામ મેજર અને નાના સિંહનું નામ મેઘરાજ આપ્યું હતું. જે પછી બંને પ્રખ્યાત થયા અને બંને વચ્ચે સતત ઘર્ષણ વધ્યા અને બંને વચ્ચે દુશમનાવટી થતી ગઈ. સતત ઘર્ષણ જોઈ વનવિભાગ પણ ચિંતામાં મુકાયું હતું.
મેજર નામના નર સિંહનું સારવાર દરમિયાન મોત
થોડા દિવસો પહેલા જ નર સિંહ મેજર અને મેઘરાજ વચ્ચે બરાબરની લડાઈ થઈ હતી અને તાત્કાલિક વનવિભાગે રેસ્ક્યૂ ઓપરેશન કરી તેમની બાબરકોટ નર્સરી ખાતે સારવાર કરાવી હતી. મળતી વિગતો મુજબ રાજુલા પંથકનો સૌથી મોટી ઉંમરનો નર આશરે 12 વર્ષથી વધુની ઉંમરનો હતો અને જૂનાગઢ તેમને સારવાર માટે પણ લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ પ્રકારના સમાચાર વાયુવેગ પ્રસરી જતા મેઘરાજ નર સિંહ સમગ્ર કોસ્ટલ બેલ્ડ વિસ્તારમાં પ્રખ્યાત થયો છે અને તેની લોક ચાહના પણ વધી છે. મેઘરાજ મોટાભાગે એકલો આંટા મારે છે અને ખૂંખાર અને 24 કલાક ગુસ્સા જેવો સ્વભાવ ધરાવે છે. મેઘરાજની હિલચાલ, તેમના ગુણ અને તેમની કેટલીક હેબીટના કારણે અન્ય સિંહણ, સિંહો અને નીલગાયો રીતસર ધ્રુજી ઉઠે છે. મેઘરાજની લટાર જોય અન્ય વન્યપ્રાણીઓ પણ ચાલતી પકડે છે અને ભલભલા સિંહો સામે મેઘરાજ બાંધ ભીડે છે.
અંધ સિંહણ દીપડાની જેમ હુમલો કરવાનો પ્રયાસ કરે છે
બીજી તરફ વર્ષોથી 1 સિંહણ પીપાવાવ બી.એમ.એસ. માર્ગ પર વસવાટ કરે છે ખૂબ તંદુરસ્ત છે અને આ સિંહણ અંધ હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે વનવિભાગ દ્વારા અગાવ 2 વખત રેસ્ક્યૂ ઓપરેશન કરી તપાસ કરી હતી. જે બાદ વનવિભાગે છોડી સિંહણને છોડી મુકી હતી. આ અંધ સિંહણ ખૂબ ચાલાક છે. માનવ વસાહતને જોઈ લીપાય જાય અને આરામ કરવા લાગે છે અને ત્યાર બાદ હુમલાનો પ્રયાસ કરે છે. કેટલાક વાહન ચાલકો પાછળ પણ દોડ પણ મુકે છે. લોકો અંધ સિંહણને જોય માર્ગ બદલી નાખે છે. કેમ કે આ સિંહણ પણ ક્રોધિધ છે. કારણ કે જે રીતે દીપડો છુપી રીતે હુમલાનો પ્રયાસ કરે છે તે જ રીતે અંધ સિંહણ પણ સાહસ કરે છે. જોકે અત્યાર સુધીમાં અંધ સિંહણે કોઈ પણ હુમલો કર્યો નથી. પરંતુ લોકો અંધ સિંહણથી ફફડે જરૂર છે. આ પ્રકારની આંખને કારણે તેમનુ નામ પણ અંધ આપેલુ છે. હાલ પીપાવાવ વિસ્તારમાં મેઘરાજ અને અંધ સિંહણ પર વનવિભાગ સતત નજર રાખી રહ્યું છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/after-the-death-of-the-majestar-among-the-three-lions-of-notorious-meghraj-was-named-after-the-pipavav-port-1560922310.html

જંગલ છોડી ખાંભામાં સિંહના બે ગ્રુપ ઘૂસ્યા, 9 પશુઓના મારણ કર્યા

સિંહના બે ગ્રુપે 9 પશુઓના મારણ કર્યું હતુ
સિંહના બે ગ્રુપે 9 પશુઓના મારણ કર્યું હતુ

  • ખાંભાના હંસાપરા, મહાદેવપરા, બીપીએલ કોલોની, હડિયા વિસ્તારમાં સિંહોએ મારણ કર્યા
  • માત્ર 1 કલાકમાં 5 સિંહ પરિવારના ગ્રૂપ દ્વારા 7 પશુના મારણ કર્યા

Divyabhaskar.com

Jun 20, 2019, 12:21 PM IST
ખાંભા: ખાંભા નજીક જ મિતિયાળા અભ્યારણ અને તુલસીશ્યામ રેન્જનો રેવન્યુ તેમજ વિડી જંગલ વિસ્તાર આવેલો છે. ત્યારે આ બંને રેન્જ અને વિડીમાં મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે. આ સિંહો જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં પોતાનો આશિયાનો બનાવી લીધો છે. ત્યારે છેલ્લા 10 દિવસમાં આ સિંહ પરિવાર દ્વારા ખાંભાની માનવ વસાહતમાં અનેકવાર મારણ અને પાણીની શોધમાં ચડી આવે છે અને માનવ વસાહતમાં મારણ કરે છે. ત્યારે સિંહોની અવરજવર માનવ વસાહતમાં વધતા લોકોમાં હાલ ફફડાટ ફેલાયો છે. શિકારની શોધમાં ગત રાત્રે બે સિંહોના ગ્રુપે 9 પશુઓના મારણ કરી મિજબાની માણી હતી.
ઘણા સમયથી સિંહ પરિવારના ધામા: ખાંભાના હથિયા વિસ્તારમાં એક 5ના ગ્રૂપવાળુ સિંહ પરિવાર રહે છે તેમજ સાતપડા ડુંગરમાં 2 સિંહોએ ધામા નાખ્યા છે. ત્યારે હથિયા રેવન્યુ વિસ્તારમાં રહેતા સિંહ પરિવાર ઘણા સમયથી અહીં જ પોતાનો આશિયાનો બનાવી લીધો છે અને આ સિંહ પરિવારને આ વિસ્તારમાં મારણ અને પાણી મળી રહેતા અહીં જ વસવાટ કરવા લાગ્યો છે. આ સિંહ પરિવાર 10 દિવસથી ખાંભાની માનવ વસાહત તરફ વળ્યાં છે જ્યારે આ સિંહ પરિવાર દ્વારા 10 દિવસમાં 4 વખત માનવ વસાહતમાં ચડી આવ્યા હતા તેમાં બે વખત મારણ કારવામાં સફળ રહ્યા હતા. આ સિંહ પરિવાર ખાંભાના હંસાપરા, મહાદેવપરા 2, બીપીએલ કોલોનીમાં મારણની તલાશમાં ચડી આવ્યો હતો. માત્ર એક કલાક આ સિંહ પરિવાર દ્વારા 7 જેટલા દૂધાળા પશુઓના મારણ કર્યા હતા. જ્યારે સાતપડા ડુંગર તરફથી પણ બે સિંહો હડિયા વિસ્તારમાં 2 પશુઓના મારણ કર્યા હતા.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-group-attack-on-animal-near-khanbha-1561013330.html

સિંહોની દિનચર્યા, ફુડ પેટર્ન, ટેરેટરી વિગેરે પ્રકારના અભ્યાસ કરવા હેતુ

DivyaBhaskar News Network

Jun 21, 2019, 05:50 AM IST
સિંહોની દિનચર્યા, ફુડ પેટર્ન, ટેરેટરી વિગેરે પ્રકારના અભ્યાસ કરવા હેતુ વનવિભાગ દ્વારા રેડીયો કોલર બેલ્ટ પહેરાવવામા આવતા હોય છે. ત્યારે લીલીયાના ભોરીંગડા, લુવારીયા વિડીના સિંહ, સિંહણને વન્યપ્રાણી વિભાગ સાસણ તેમજ સામાજીક વનિકરણ વિભાગ અમરેલી દ્વારા રેડીયો કોલર લગાવાયા હતા. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન સિંહોના લોકેશન જાણવા વનવિભાગને ખુબ કવાયત કરવી પડતી હોય છે. ત્યારે હવે રેડીયો કોલરની મદદથી લોકેશન જાણી શકાશે. આ કામગીરીમા ડીસીએફ સાસણ અને અમરેલીના માર્ગદર્શન હેઠળ એસીએફ નિકુંજ પરમાર અને સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામા આવી હતી. મનોજ જોષી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-purpose-of-the-study-of-lions-diet-patterns-terrestrial-etc-055015-4817955-NOR.html

અમરેલીનાં વડીયામાં દિપડાએ ઉંટ ઉપર હુમલો કર્યો : ગ્રામજનોમાં ભય

DivyaBhaskar News Network

Jun 22, 2019, 05:55 AM IST
વડીયા પંથકમાં દીપડાના આંટાફેરાથી ખેડૂતો અને લોકોમાં ભય ફેલાયો છે. અહીના આંબેડકર નગર વિસ્તારમા આવેલ એક વાડીએ બાંધેલા ઉંટ પર દિપડાએ હુમલો કરી ઘાયલ કરી દીધો હતો. દિપડાના આંટાફેરાથી લોકોમા ભય ફેલાયો છે. દિપડાએ ઉંટ પર હુમલો કર્યાની આ ઘટના વડીયામા બની હતી. અહી ભૈલુભાઈ વાળાની વાડીએ બાંધેલ ઉંટ પર હુમલો કર્યો હતો. ઊંટને આંખ,કાન,નાક મો ઉપર બચકા ભરી ઉંટને જખમી કરી દીધો હતો. ત્યારે બાજુમાં ખેતરના ખેડૂત બટુકભાઈ સખીયા જેઓ ખેતરમાં કામ કરતા કરતા હતા ત્યારે ઉંટનો અવાજ સાંભળી જોયું તો દિપડો દેખાતા દીપડાને અવાજ કરતા દીપડો નાસી ગયો હતો.

ઘટનાથી ખેડૂતો મધ્ય રાત્રીના ખેતરોમાં કામકાજ કરતા હોય તો હવે ડર લાગી રહ્યો છે. જે હાલ ઉંટ જીવન અને મોતની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આંબેડકર નગર રહેણાક વિસ્તાર નજીક દીપડાએ ઉંટ ઉપર જીવલેણ હુમલો કર્યાની વાયુવેગે વાતો પ્રસરતા લોકોમાં અને ખેડૂતોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. જો કે આ દિપડો છેલ્લા ઘણા સમયથી વડિયા પંથકમાં આંટાફેરા મારી રહ્યો છે. તાજેતરમાં જ વડિયા જડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ નાથાભાઈ લાખાણીની વાડીએ બાંધેલ ગાયને ફાડી ખાધી હતી. તેમજ સુરવો ડેમ પાસે એક વાડીએ કુતરાને પણ ફાડી ખાધો હતો. વનવિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે મુલાકાત લઈ જણાવ્યું કે અહીં દીપડાને પકડવા માટે બે દિવસમાં પાંજરું મુકવામાં આવશે અને દીપડાને પાંજરે પુરી દેવાની ખાતરી આપતા ખેડૂતોમાં હાશકારો થયો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-deepa-attacked-the-camel-in-amreli39s-head-fear-in-villagers-055506-4825633-NOR.html

બાબરાનાં ખંભાળામાં કિશોરીને જીવડું કરડી જતા મોત નિપજ્યું

DivyaBhaskar News Network

Jun 22, 2019, 05:55 AM IST
અમરેલી જિલ્લામા અપમૃત્યુની જુદીજુદી બે ઘટના બની હતી. બાબરાના ખંભાળામા એક કિશોરીને ઝેરી જીવડુ કરડી જતા તેનુ મોત નિપજયું હતુ. જયારે અહીના બળેલ પીપરીયામા યુવતીએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ.

બાબરા તાબાના ખંભાળા ગામે રહેતી સંજના નરેશભાઇ ખાચર (ઉ.વ.12) નામની કિશોરીને કોઇ ઝેરી જીવડુ કરડી જતા તેને જમણા પગે સોજો આવી ગયો હતો. આ કિશોરીનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. આ બારામા શિવરાજભાઇ ખાચરે બાબરા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એન.બી.સિંધવ તપાસ ચલાવી રહ્યાં છે.

જયારે અન્ય એક ઘટનામા બાબરાના બળેલ પીપરીયા ગામે રહેતી કૈલાશ પારસીંગભાઇ નાયક (ઉ.વ.18) નામની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનુ મોત નિપજયું હતુ. આ બારામા લાલભાઇ પારસીંગભાઇ નાયકે બાબરા પોલીસ મથકમા જાણ કરી હતી. હેડ કોન્સ્ટેબલ એલ.એમ.શ્રીમાળી તપાસ ચલાવી રહ્યાં છે.

ખાંભા-ચલાલા હાઇવે ક્રોસ કરી સિંહો શહેરમાં ઘૂસ્યા, CCTVમાં દ્રશ્યો કેદ થયા

સિંહ સીસીટીવીમાં કેદ થયા
સિંહ સીસીટીવીમાં કેદ થયા

  • ગાયો પાછળ દોડતા સિંહો સીસીટીવીમાં કેદ થયા

Divyabhaskar.com

Jun 23, 2019, 12:25 PM IST
ખાંભા: શિકારની શોધમાં સિંહો જંગલ છોડી શહેરી વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. ખાંભા-ચલાલા હાઇવે ક્રોસ કરી સિંહો ખાંભાની આનંદ સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા અને રસ્તે રઝળતી ગાયો પાછળ દોટ મુકી હતી. આનંદ સોસાયટીમાં એક સિંહ, એક સિંહણ અને બે સિંહબાળે ધામા નાખ્યા છે. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. રાત્રે આ સિંહ પરિવારે મારણ કર્યું હતું. સિંહોના ઘૂસી જવાથી સોસાયટીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગાયો પર મારણ કરે ત્યાં સુધી તો ઠીક પરંતુ સોસાયટીમાં રહેતા લોકો પર હુમલો કરશે તો જવાબદાર કોણ? તેવો સવાલ લોકોમાં થઇ રહ્યો છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lions-crossing-khambha-high-highway-enter-the-city-scenes-captured-in-cctv-1561267906.html

ખાંભાના પીપળવા મોભનેશમાં વાડીએ સૂતેલા ખેડૂતના પગ પર દીપડાએ પંજો માર્યો

દીપડાએ  હુમલો કર્યો તે ખેડૂત
દીપડાએ હુમલો કર્યો તે ખેડૂત

  • ખાટલામાં ચાદર ઓઢીને સૂતેલા ખેડૂત પર દીપડાનો હુમલો

Divyabhaskar.com

Jun 27, 2019, 03:13 PM IST
ખાંભા: ખાંભાના પીપળવા મોભનેશમાં ગત રાત્રે વાડીએ રખોપુ રાખવા માટે વાડીએ ગયેલા ભુપતભાઇ બાબુભાઇ પરેખ નામના ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. રાત્રે વાડીએ ખાટલામાં સૂતા હતા ત્યારે પગ પર દીપડાએ પંજો મારતા ઇજા પહોંચી હતી. વાડી મજૂર જાગી જતા હાકલા પડકારા કરતા દીપડો નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/8

ગીરના જંગલ નજીક ચાલુ વરસાદમાં સિંહ-સિંહણે 8 ફૂટ જેટલી ઉંચી દિવાલ કૂદી

8 ફૂટ ઉંચી દિવાલ ટપતા સિંહ-સિંહણ
8 ફૂટ ઉંચી દિવાલ ટપતા સિંહ-સિંહણ

  • કારચાલકે મોબાઇલમાં ઉતારી વીડિયો વાઇરલ કર્યો

Divyabhaskar.com

Jun 28, 2019, 05:10 PM IST
અમરેલી: છેલ્લા ચાર દિવસથી અમરેલી જિલ્લા અને ગીર જંગલમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી સિંહો ઉંચાઇવાળા વિસ્તારો તરફ વળ્યા છીએ. સિંહો રહેણાંક વિસ્તારો તરફ વળી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયોમાં વાઇરલ થયો છે. જેમાં એક સિંહ અને સિંહણ ચાલુ વરસાદમાં 8 ફૂટ જેટલી ઉંચી દિવાલ કુદી રહ્યા છે. આ વીડિયો રાજુલાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. એક કાર ચાલક આ દ્રશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો વાઇરલ કર્યો છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/one-loin-and-lioness-jump-8-feet-wall-near-rajula-area-1561722197.html

બગસરાનાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારની લટાર, મોણવેલ નજીક ડુંગર પર 20થી વધુ સિંહ જોવા મળ્યાં

  • રેવન્યુ વિસ્તારમાં સિંહ પરિવારના ધામા

Divyabhaskar.com

Jun 29, 2019, 03:58 PM IST
અમરેલી:બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારે નવું નિવાસ સ્થાન બનાવ્યું છે. માવજીજવા ગામ નજીક પ્રથમ વખત સિંહણ અને સિંહબાળ પરિવાર સાથે આવી ચડતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પંથકના ખેડૂતોએ પ્રથમ વખત સિંહ દર્શન કર્યા છે.મોટાભાગે સિંહો લીલીયા, રાજુલા, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા અને ખાંભા વિસ્તારમાં વસવાટ કરે છે. જેથી બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારે પોતાનું નવુ નિવાસ સ્થાન બનાવ્યું છે. આ સાથે જ મોણવેલના ડુંગર પર 20થી વધુ સિંહોની લટાર જોવા મળી હતી.
20થી વધુ સિંહોની લટારનો વીડિયો વાઈરલ થયો
ખાંભા પંથકના ધારીના મોણવેલ નજીક ડુંગર પર 20થી વધુ સિંહ જોવા મળ્યા હતા. માખી-મચ્છરોથી ત્રસ્ત થયેલા સિંહો પવન ખાવા માટે ઉંચાઈ પર પહોંચ્યા હતા. મહત્વનું છે કે અમરેલી અને ગીર પંથકમાં પડી રહેલા વરસાદના પગલે સિંહ પરિવાર ઉંચાઈ વાળા વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરે છે.હાલ આ સિંહ પરિવારની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. (હિરેન્દ્રસિંહ રાઠોડ-ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/for-the-first-time-see-the-lion-family-in-the-rural-areas-of-bagasra-1561796337.html

ખાંભાના જીનવાડીપરા વિસ્તારમાં 2 સિંહોએ 6 ગાયનો શિકાર કરી મીજબાની માણી

two lion hunt 6 cow in khanbha and many people run on spot

  • સ્થાનિક લોકો જાગી જતા દોડી આવ્યા હતા

Divyabhaskar.com

Jun 30, 2019, 11:17 AM IST
ખાંભા: ખાંભાના મિતયાળા રોડ પર આવેલા જીનવાડીપરા વિસ્તારમાં ગત રાત્રે બે સિંહો શિકારની શોધમાં ચડી આવ્યા હતા. રાત્રે એક વાગ્યે આ સિંહો ઘૂસી આવ્યા હતા અને રસ્તા પર રઝળતી 6 ગાયોનું મારણ કરી મિજબાની માણી હતી. તેમજ શેરીઓમાં બંને સિંહોએ આંટાફેરા કર્યા હતા. ખાંભાની આનંદ સોસાયટી, ભરવાડ શેરી, મહાદેવપરા, હંસાપરા, બીપીએલ કોલોનીમાં આ સિંહોએ ગાયોના મારણ કર્યા હતા. સિંહો આવતા જ સ્થાનિક લોકો જાગી ગયા હતા અને હાંકલા પડકારા કર્યા હતા.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-hunt-6-cow-in-khanbha-and-many-people-run-on-spot-1561869775.html

સાવરકુંડલાના મેકડા ગામે શિકારની પાછળ દોડતો દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો, રેસ્ક્યુ હાથ ધરાયું

દીપડો કૂવામાં ખાબક્યો
દીપડો કૂવામાં ખાબક્યો

  • વન વિભાગે બે કલાક બાદ દીપડાને કૂવામાંથી બહાર કાઢ્યો હતો

Divyabhaskar.com

Jun 30, 2019, 03:01 PM IST
અમરેલી: સાવરકુંડલાના મેકડા ગામે શિકારની પાછળ દોટ મુકતા દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો. વાડી માલિકે વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી દીપડાને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. બે કલાકની જહેમત બાદ વન વિભાગે દીપડાને બહાર કાઢી સલામત રીતે બચાવી લીધો હતો.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-jump-in-well-in-mekada-village-of-amreli-1561887034.html