Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/
બીલી
આયુર્વેદિય ઔષધ બીલીનાં વૃક્ષો ભારતમાં સર્વત્ર થાય છે. તેને ત્રિદળપાન આવે છે. ધાર્મિક રીતે તે મહાદેવને ચડાવાય છે. આખો શ્રાવણ તેનાથી શિવપૂજા થાય છે. બીલીને કોઠા જેવાં ફળ આવે છે. બીલીનાં કાચાં-પાકાં ફળો, પાન, ફૂલ, છાલ ઔષધમાં વપરાય છે. તેના કાચાં ફળનું શાક અને અથાણું પણ થાય છે. કાચાં બીલાનો સ્વાદ કડવો અને તુરો હોય છે. પાકાં બીલાનો સ્વાદ ગળચટ્ટો-ખટમધુરો હોય છે. બીલી મધુર, તુરી, કડવી, હૃદય અને પેટ માટે હિતાવહ, આહાર પર રૂચિ ઉત્પન્ન કરનાર, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, મળને બાંધનાર હોવાથી અતિસાર-પાતળા ઝાડા, મરડો, આંતરડાના ચાંદા મટાડનાર, પાચક, વાતાતિસાર અને જ્વર મટાડે છે. બીલીના મૂળ અને છાલ જ્ઞાનતંતુ માટે શામક છે. હૃદયનું તીવ્ર ધડકવું, ઉદાસીનતા, અનિદ્રા અને ઉન્માદમાં હિતાવહ છે.
No comments:
Post a Comment