Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/
ગોખરુ-શ્વેતસ્રાવ
(1) આયુર્વેદિય મતે ગોખરુ ઠંડા-શીતળ, મધુર, બલ્ય એટલે કે બળ આપનાર, બસ્તિશોધક એટલે કે મૂત્રાશય સાફ કરનાર, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, વીર્ય-શુક્રવર્ધક, શરીરની પુષ્ટિ કરનાર, પ્રમેહ, પથરી, શ્વાસ, ઉધરસ, અર્શ, મસા, મૂત્રકષ્ટ, હૃદયરોગો અને વાયુને મટાડનાર છે. એક ચમચી જેટલું ગોખરુ ચૂર્ણ, એક ચમચી સાકર સાથે રોજ સવાર-સાંજ લેવું. ઉપર ઉકાળીને ઠંડું કરેલું દૂધ અથવા વાયુપિત્ત અને કફ દોષાનુસાર અનુપાન સાથે લેવું. સ્ત્રીરોગોમાં પણ ગોખરુ ઉત્તમ પરિણામ આપે છે.
(૨) એક એક ચમચી ગોખરુનું બારીક ચૂર્ણ, ગાયનું ઘી અને ખડી સાકર સારી રીતે મિશ્ર કરી રોજ રાત્રે બેથી ત્રણ અઠવાડિયાં સુધી જમ્યા પછી લેવાથી સ્ત્રીઓને થતી શ્વેતસ્રાવ-પ્રદરની તકલીફ મટે છે અને ગર્ભાશય મજબૂત થવાથી તેની શિથિલતા દૂર થાય છે.
No comments:
Post a Comment