Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/
કર્પૂર-કપૂર
આયુર્વેદના પ્રસિદ્ધ ઔષધોમાં ‘કર્પૂર’ની ગણતરી થાય છે. આયુર્વેદના આ ઔષધ કર્પૂરને આપણે ગુજરાતીમાં કપૂર કહીએ છીએ. આપણે ત્યાંથી કપૂર આરબ દેશોમાં ગયું અને ત્યાં અરબી ભાષામાં તેનું નામ ‘કાફર’ થયું. ત્યાંથી આગળ જતાં ફારસી ભાષામાં ‘કાપૂર’ અને અંગ્રેજીમાં ‘કેમ્ફર’ થયું. ‘કર્પૂર કિરતી વિક્ષિપતિ કૃણાની હિનસ્તી વામલકફ પિત્ત વિષાઘ્નિ કરોતિ વીર્યવૃદ્ધિ નેત્રહિતં ચ.’ જે મળ, પિત્ત, કફ, વિષ વગેરેનો નાશ કરે છે. વીર્યને વધારનાર છે અને નેત્રને માટે હિતાવહ છે તેમ જ શરીરને પુષ્ટ કરે છે. કપૂરનો ઉપયોગ વૈદ્યની દેખરેખ નીચે જ કરવો. સ્વયં કરવો નહીં. શરીરના કોઈ ભાગ કે અંગ પર ખાલી ચડતી હોય તો તેના પર જો કપૂરનું તેલ ચોળવામાં આવે તો તરત રાહત થાય છે.
No comments:
Post a Comment