Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/
ઊર્ધ્વ ગેસ-વાયુ
આપણી કેટલીક આહારની ભૂલોને લીધે ઘણી વાર પેટમાં ગેસ થાય છે. આ ગેસ જ્યારે ઊર્ધ્વ ગતિનો થાય ત્યારે કેટલીક વાર છાતી પર દબાણ કરે છે અને એને લીધે જ છાતીમાં એકદમ હૃદયના ધબકારા વધી જાય છે. આ કારણથી કેટલીક વ્યક્તિઓને હૃદયરોગની શંકા થાય છે અને હૃદયનો કાર્ડિયોગ્રાફ કઢાવવા નિષ્ણાત પાસે જાય છે અને નોર્મલ રિપોર્ટ આવતા હાશ અનુભવે છે. શાંતિ થાય છે. ગેસ અને એ પણ ઊર્ધ્વ ગેસની તકલીફવાળી વ્યક્તિઓએ બે-બે ગોળી શીવાક્ષાર પાચનવટી અને બે-બે લશુનાદિવટી બપોરે અને રાત્રે જમ્યા પછી લેવી. એક ગ્લાસ તાજી મોળી છાશમાં એક ચમચી જેટલું હિંગ્વાષ્ટક ચૂર્ણ અથવા લવણભાસ્કર ચૂર્ણ નાખી રોજ બપોરે જમ્યા પછી પીવું. ખાવામાં વાયુ કરે એવી ચીજો અને દાળ-ભાત ઓછા ખાવા.
No comments:
Post a Comment