આંકડાનું દૂધ
આયુર્વેદની એક લઘુ પુસ્તિકા ‘વૈદ્ય જીવન’ના કર્તા લોલીંબરાજ નામના વિદ્વાન વૈદ્ય એમાં લખે છે કે, "ભગવાન ભાસ્કર ક્ષીરઃ પામાહે અભિવાદયે. યત્ર દેશે ભર્વાન પ્રાપ્તઃ તદૃશં ન વ્રજામ્યહમ્." અર્થાત્ હે ભગવાન ભાસ્કર ક્ષીરઃ (આંકડાનું દૂધ) હું પામા એટલે કે ખસ, ખરજવું, ખુજલી આપને વંદન કરું છું. જ્યાં જ્યાં આપ બિરાજો છો ત્યાં ત્યાં હું (પામા) કદી જતી નથી. એટલે કે આંકડાનું દૂધ-ક્ષીર ખસ, ખરજવું કે દાદર પર લગાડવાથી તે મટે છે. આ ઉપચાર પણ વૈદ્યની દેખરેખ નીચે જ કરવો. એક મધ્યમ કદના પતાસા પર આંકડાના દૂધ-ક્ષીરના બે ટીપાં પાડી આ પતાસું ખાઈ જવું. રોજ સવાર-સાંજ આવું એક પતાસું થોડા દિવસ ખાવાથી દમ-શ્વાસ મટે છે. કફના રોગોમાં પણ હિતાવહ છે. આ ઉપચાર વખતે કફકારક આહારદ્રવ્યોનો ત્યાગ કરવો.
No comments:
Post a Comment