સુલતાનપુર, તા.૧૧
ગોંડલના સુલતાનપુર ગામની સીમમાંથી સુલતાનપુર-બરવાળા રોડ ઉપરથી પસાર થતા એક પ્રોઢ ખેડૂત પર દીપડાએ ઘાતક હુમલો કરતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. દીપડાના ઘાતક હુમલાના સમાચાર ગામમાં પ્રસરી ભયની લાગણી ફેલાલ હતી.
સુલતાનપુર ગામે બરવાળાના માર્ગ પર આવેલ મારૂધાર પંથકમાં કામ સબબ ખેતરે ગયેલ બોધાણી ધીરૂભાઈ ટપુભાઈ પર ચાર વાગ્યાની આસપાસ અચાનક દીપડો આવી ચડતા અને ધીરૂભાઈ પર દીપડાએ ઘાતક હુમલો કરતાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ગોંડલ દવાખાને ખસેડવામાં આવેલ છે. બાદમાં દીપડાએ ગામ તરફ આવીને એક ગાય અને ભેંસનું મારણ કર્યુ હતું. આ અંગે જંગલખાતાને જાણ કરવામાં આવતાં જંગલખાતાનો સ્ટાફ ચૂંટણી કાર્યમાં રોકાયેલ હોવાથી દીપડાને પકડ વાની કાર્ય વાહી કરવામાં આવી ન હતી, જે હવે પછી કરવામા આવશે તેમ જાણવા મળેલ છે. માનવભક્ષી બનેલા દીપડાને તુરંત ઝડપી લેવા માટે ગામલોકોમાંથી વ્યાપક માગણી ઉઠવા પામી છે.
Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=40943&Keywords=Rajkot%20District%20Gujarati%20News
No comments:
Post a Comment