Friday, November 7, 2008

ખેડૂતોને ચંદનની ખેતી પ્રત્યે જાગૃત કરવા ચંદનના રોપાનું દાન કરાશે

Bhaskar News, Chorvad
Thursday, November 06, 2008 22:40 [IST]

ચંદનના વાવેતર સાથે ખેડૂતો તેમની ખેતીની જમીનના પરંપરાગત વાવેતર પણ કરી શકે છે

ચોરવાડમાં સોરઠ પર્યાવરણ અને માનવ વિકાસ સંસ્થા દ્વારા સોરઠના ખેડૂતો ચંદનની ખેતી પ્રત્યે જાગૃત થાય તે માટે એક સેમિનારનું આયોજન કરાયું છે અને મર્યાદિત સંખ્યામાં ચંદનના વૃક્ષોનું દાન પણ કરાશે.

સૌરાષ્ટ્રનાં કાશ્મીર ગણાતા જૂનાગઢ જિલ્લાનાં ચોરવાડમાં ગરવેલ, કેળા, સોપારી, નારીયેળ, કેસર કેરીની આંબાવાડીની ખેતીના લીધે જગ વિખ્યાત છે.

ચોરવાડની સોરઠ પર્યાવરણ અને માનવ વિકાસ સંસ્થા દ્વારા ચંદનની ખેતીનો શુભારંભ થતાં આ પંથક આગામી દિવસોમાં જ દેશમાં મોભાદાર સ્થાન પ્રાપ્ત કરે તેવા સંજોગો નિર્માણ પામ્યા છે.વૃક્ષોની ખેતી અને નર્સરીના વ્યવસાય સાથે સંકળાયેલા તેમજ આ કાર્ય બદલ અનેક સન્માનોથી સન્માનિત થયેલા સંસ્થાના મંત્રી વી.એમ. વાજા અને ટ્રસ્ટીઓમાં પંથકમાં ચંદનની ખેતીને ખેડૂતો વ્યવસાય રૂપે સ્વીકારે તે માટે ભગીરથ પુરૂષાર્થ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રના કિસાનો જો ચંદનની ખેતી કરતાં થાય તો તેમના માટે સમૃઘ્ધિના દ્વાર ખુલે તેમ છે. જો કે ચંદનની ખેતીની સાથે સાથે ખેડૂતો પોતાની ખેતીની જમીનમાં પરંપરાગત વાવેતર પણ કરી શકે છે.

સંસ્થા મર્યાદિત સંખ્યામાં ખેડૂતો ચંદનની ખેતી માટે જાગૃત થાય તે માટે ચંદનનાં વૃક્ષોનું દાન કરશે. ટૂંક સમયમાં જ ખેડૂતો માટે સેમિનાર પણ યોજાશે. વધુ વિગત માટે સોરઠ પર્યાવરણ અને માનવ વિકાસ સંસ્થાનો ધર્મશાળા ચોક, ચોરવાડ ખાતે સંપર્ક સાધવો.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/06/0811062241_chorvad_sandal_tree_farmer.html

4 comments:

  1. mahuva taluka bhavnagar
    gujrat

    ReplyDelete
  2. જૉ તમરૅ ચદન્ ના છૉડ્ જૉઇતા હૉય્ તૉ કૉલ્ કરૉ.
    09998006383 ‍ ગાધિનગર્./અમદાવાદ્/ગુજરાત્

    ReplyDelete
  3. મારે ચંદન ના રોપ જોય છે

    ReplyDelete