જૂનાગઢ, તા.૧૭
શિવરાત્રિ મેળા પૂર્ણ થયા બાદ જૂનાગઢ મહાનગર પાલિકા તંત્રએ હાથ ધરેલ મેળા સ્થળની સફાઈ ઝૂંબેશમાં જે.સી.બી.ની મદદથી ૮પ ટ્રેક્ટર અને ૬૦ જેટલા છકડા રિક્ષા જેટલો કચરો એક્ઠો કરી ભવનાથ તળેટી વિસ્તારને ચોખ્ખો ચણાક બનાવી દેવા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગત તા.૭ થી ૧ર સુધી છ દિવસ સુધી ગિરનાર ભવનાથ તળેટી વિસ્તારમાં યોજાયેલ વિખ્યાત શિવરાત્રિ મેળા અંતર્ગત ઉમટી પડેલ આશરે ૮ લાખ જેટલા શ્રદ્ધાળુઓ થકી મેળાનાં સમગ્ર વિસ્તારમાં પર્યાવરણને હાનીરૃપ પ્લાસ્ટિક સહિતનો ટન મોઢે કચરો ઠલવાયો હતો. દરમિયાનમાં સ્વાઈન ફ્લૂ જેવા મહામારી જેવા રોગના દેશ વ્યાપી હાહાકાર વચ્ચે જૂનાગઢ મહાનગર પાલિકા તંત્રએ તાત્કાલીક અસરથી પોતાના પ૦ જેટલા માણસોના સ્ટાફને બે જે.સી.બી., છ ટ્રેક્ટર અને છકડો રિક્ષા સહિતના સાધનોને કામે લગાડી મેળો પૂર્ણ થયાનાં બીજા જ દિવસે સફાઈ ઝૂંબેશ હાથ ધરી ૮પ ટ્રેક્ટર અને ૬૦ જેટલી રિક્ષા ભરી પ્લાસ્ટિક સહિતનો કચરો એક્ઠો કરી નાશ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરી અંગે મેયર સતિષ કેપ્ટન, ડે.મેયર ગિરિશ કોટેચા અને સંકલન સમિતિ ચેરમેન પ્રવિણ ટાંકે તળેટી વિસ્તારમાં જઈ જરૃરી માર્ગદર્શન અને સૂચના આપી યુદ્ધનાં ધોરણે સફાઈ કામગીરી કરવા તાકીદ કરી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=160739
No comments:
Post a Comment