તાલાલા, તા.૧ર
મીઠી કેસર કેરીનું ઉત્પાદનનું બિરૃદ ધરાવતો તાલાલા પંથક હવે કાજુના ઉત્પાદન તરફ વળ્યો છે. ધાવા અને મોરૃકા ગામના ખેડૂતોએ કાજુની ખેતીમાં સફળતા મેળવી છે. કોઈ જાતના ખર્ચ કે પાણી વગર ટેકરાવાળી વેસ્ટેજ જમીનમાં ધાવાના ખેડૂતે વેન્ગુલા-૪ જાતના કાજુનું સફળ વાવેતર કર્યું છે.
ધાવાના ખેડૂત જશમતભાઈ રામજીભાઈ રોલાએ કાજુની ખેતીમાં સફળતા મેળવી છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમણે પાંચ વર્ષ પહેલા મહારાષ્ટ્રની કોકણ યુનિર્વિસટી હેઠળના સબ સેન્ટર પાલઘર મુંબઈમાંથી રૃ. ૧પ લેખે વેન્ગુલા-૪ જાતની કાજુની ૬૦૦ કલમ લીધી હતી. આ કલમો તેમની ખાડા ટેકરાવાળી પડતર ર૧ વિઘા જમીન પૈકી ૧પ વિઘા જમીનમાં વીસ બાય વીસના અંતરે વાવેતર કર્યુ હતું. આજે ૬૦૦ પૈકી ૪૦૦ કાજુના પાંચ વર્ષના તંદુરસ્ત ઝાડ ખેતરમાં ઉભા છે.
કાજુના પાકને ચોમાસા પછી પાણી ન હોય તો પણ કોઈ અસર થતી નથી. કાજુના પાકને પાણી હોય તો પણ મહિને એકવાર પાણી આપવું જોઈએ. દસ વર્ષ બાદ કાજુનું ઝાડ પરીપકવ થાય ત્યાબાદ આવક શરૃ થશે. દસ વર્ષ પછી એક ઝાડ પર વીસ કિલો કાજુ આવે છે. જો પાણી વગરની જમીન હોય તો પણ એક ઝાડ પર દસ કિલો કાજુ આવે છે. રાજય સરકાર દ્વારા એવોર્ડથી સન્માનિત તેઓએ ઉમેર્યું કે, વેસ્ટેજ જમીન પર ખેડૂત વાવેતર કરશે તો પણ તેમાં સફળ થશે. એક વિઘામાં કાજુના ૪૦ ઝાડનું વાવેતર થઈ શકે છે. કોઈપણ જાતનો રોગ આવતો નથી. પંખીઓ પણ પાકને નુકસાન કરતા નથી. ખાતર-પાણીની જરૃર પડતી નથી. મોરૃકામાં વાવેતર કરી ગીરમાં કેસર કેરીના ઉત્પાદનની શરૃઆત કરનાર દામજીભાઈ સંઘાણીના પુત્ર ડાયાભાઈએ ગુંદરણ-ધાવા વચ્ચે આવેલ પોતાની ૧૩૦ વિઘા જમીન પૈકી ૩૦ વિઘા જમીનમાં કાજુનું વાવેતર કર્યું છે. તેમની જમીનમાં અત્યારે ૧ર૦૦ જેટલા નાના મોટા કાજુના ઝાડ છે. તેમના કેરીના બગીચામાં આજે પણ ૯૦ વર્ષના ઘટાદાર કેસર કેરીના ૩પ આંબા હયાત છે. તાલાલા પંથકમાં કાજુના પાક માટે હવામાન અનુકુળ છે. તેમ, બન્ને ખેડૂતોએ જણાવ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=159210
No comments:
Post a Comment