Wednesday, Feb 17th, 2010, 3:22 am [IST]
danik bhaskar
Bhaskar News, Bhavnagar
વિક્ટોરીયાપાર્કમાં લગાડવામાં આવેલી આગને કારણે ભુંજાઈ ગયેલા નિર્દોષ પશુ-પંખીઓ, જીવ-જંતુઓ તથા પંખીઓએ માળામાં મુકેલા ઈડાઓ તથા શાહુડી, સસલા, સર્પ, કાચબા વિ.મળીને ખાખ થઈ જતાં આજે જીવદયામાં માનતા સર્વ નગરજનોએ ઘોઘાગેઈટ ખાતે વણિક હિત રક્ષક સમિતિ દ્વારા આયોજિત મૌન ધરણા અને મૌનપ્રાર્થનામાં જોડાયા હતા.
આજે ઘોઘાગેઈટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ મેયર રીનાબહેન શાહ જીવ રક્ષક દળ, કરૂણા જીવદયા પરિવાર, પર્યાવરણ સર્વેક્ષણ સંસ્થા, શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.ડી.બી. રાણીંગા, ભરતનગર જીવદયા પરિવાર, સ્ટેશન રોડ જીવદયા પરિવાર, સમસ્ત વણિક સમાજ (વીરસેના), સનાતન ધર્મ મહોત્સવ સમિતિ, બિઝનેસ સેન્ટર વેપારી મંડળ, જૈન સોશ્યલ ગ્રુપ, કોર્પોરેટર અર્જૂનસિંહ ગોહિલ અને કિરણભાઈ ગાંધી, અરૂણ મહેતા, બી.એલ. જોષી, ભાવનગર જૈન સંઘના વિશ્વાસ શાહ, કિરણ શાહ, દીપક શાહ, નલીન વોરા, ડી.કે. શાહ, વિ.હિ.પ.ના કિરીટ મિસ્ત્રી, માધવી ત્રિવેદી, જીતુભાઈ ઉપાઘ્યાય, ભૂપતભાઈ પારેખ, રમણીકભાઈ પંડ્યા, સતીષ ચાવડા પૂણેર્ન્દુ પારેખ, રાજેન્દ્ર શેઠ, રમેશ મહેતા, રસૂલખાન પઠાણ વિ. જોડાયા હતા. તમામ મહાનુભાવોએ અને જીવદયા પ્રેમી નગરજનોએ વિક્ટોરીયા પાર્કના ગૌરવને પુન: સ્થાપિત કરવાના શપથ લીધા હતા. આયોજન અને સંચાલન કમલેશ મહેતાએ કર્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/17/100217032203_dumb_march_for_victoriya_fire.html
No comments:
Post a Comment