Saturday, Jan 30th, 2010, 12:50 am [IST]
danik bhaskar
Bhaskar News, Una
ઉના તાલુકાના મોતીસર ગામમાં ગત રાત્રીનાં ૧૧ સિંહોએ ચડી આવી એક સાથે છ પશુઓનું મારણ કરી નિરાંતે મિજબાની માણી હતી. ૧૧ સિંહો ગામમાં આવી ચડતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો.
ઉના તાલુકાના મોતીસર ગામની સીમમાં આવેલી રતિભાઈ બચુભાઈની વાડીમાં બાંધેલા બળદ પર હુમલો કરી નિરાંતે મિજબાની માણી હતી. બળદનું મારણ કર્યા બાદ થોડે દુર અભેસિંગભાઈ નારણ-ભાઈની વાડીમાં બે રેઢીયાળ ગાયનું મારણ કર્યુ હતું.
બાદમાં સિંહોનું ટોળુ ગામના પાદરમાં આવી ચડ્યું હતું અને ત્યાં એક વાછરડાનું મારણ કર્યુ હતું. સવારે ગ્રામજનોએ ગાય તથા વાછરડાનો મૃતદેહ જોતા અચંબામાં પડી ગયા હતા.
આ અંગે વનવિભાગને જાણ કરતા વનતંત્રનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સિંહોનું લોકેશન મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા. વધુમાં જંગલમાં સિંહોને પુરતો ખોરાક ન મળતો હોવાથી સિંહો શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તાર તરફ આવી ચડે છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/01/30/100130005037_lions_killed_six_animals_and_enjoy_party.html
No comments:
Post a Comment