અમરેલી,તા.ર૦ :
અમરેલી નજીકના ચાંદગઢ ગામના પાદરમાંથી ગઈરાતે પાંચ સિંહોના ટોળાએ ત્રણ ગાયોને ખેંચી જઈ ખાઈ ગયા હતા જયારે એકને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. અમરેલીથી ૧ર કિ.મી. દૂર આવેલા ચાંદગઢ ગામના પાદરમાં ગ્રામજનોની ૧૦૦ જેટલી ગાયોનું કુંડાળુ કરી તેનું લોકો રક્ષણ કરી સુતા હતા ત્યારે રાતના સમયે પાંચ જેટલા સિંહો આવી ચડયા હતા અને ગાયોના કુંડાળામાંથી ચાર ગાયોને ખંચી લીધી ગાયોના રક્ષણ માટે સુતેલા
યુવાનોએ હાંકાલ પડકારા કરી સિંહના મુખમાંથી એક ગાય છોડાવી હતી. પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. જયારે ત્રણ ગાયોનું સિંહોએ ગામના પાદરમાં જ મારણ કરી મિજબાની ઉઠાવી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=170235
No comments:
Post a Comment