પોરબંદર, તા.૩૧ :
પોરબંદર પંથકમાં ભાગવત સપ્તાહ સહિતના ધાર્મિક આયોજનોમાં નેચર કલબના યુવાનો દ્વારા સર્પ વિશે અંધશ્રધ્ધા દૂર કરીને જનજાગૃતિ ફેલાવવાનું ભગીરથ કાર્ય શરૃ કરવામાં આવતા આવકાર મળી રહ્યો છે.
દેગામમાં યોજાયેલી ભાગવત સપ્તાહમાં નેચર કલબના પ્રમુખ નિતીન પોપટ, સાજણભાઈ ઓડેદરા વિગેરેએ પાંચ હજારથી વધુ લોકોને જાગૃત કરી સર્પ વિશેની અંધશ્રધ્ધાઓ દૂર કરી હતી. નેચર કલબ દ્વારા સર્પ બચાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.
કોઈપણ વિસ્તારમાં સાપ નિકળે ત્યારે તેને મારી નાખવાને બદલે લોકોને જાગૃત કરી નહીં છંછેડવાની અપીલ કરવામાં આવે છે.વડાળામાં યોજાયેલી ભાગવત સપ્તાહમાં ત્રણ હજારથી વધુ લોકોને એકબાજુ વ્યાસપીઠ પરથી હરેશભાઈ તેરૈયા ધર્મનો બોધ આપતા હતા તો તેની સાથોસાથ કલબના યુવાનો સર્પ જેવા જીવને બચાવવા માટે માર્ગદર્શન આપતા હતાં.
Source:http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173523
No comments:
Post a Comment