Wednesday, Apr 7th, 2010, 1:48 am [IST]
Bhaskar News, Amreli
વન્ય પ્રાણીના વધતા હુમલા અટકાવવા સીમ ખેડૂતોને ઓરડીમાં ઊઘવા વનવિભાગનો અનુરોધ
ગીર કાંઠા ગામડાઓમાં વન્ય પ્રાણીઓ દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગીર પૂર્વ વન વિભાગે રાત્રિના વાડી ખેતરોમાં ખુલ્લામાં સૂતા મજૂરોને બંધ મકાન કે ઝૂંપડામાં સુવા અનુરોધ કર્યો છે અને ખેડૂતોને મજૂરો માટે રહેવા ઉચિત સગવડો કરવા અનુરોધ કર્યો છે.
અમરેલી જિલ્લામાં ખેતીવાડીના ક્ષેત્રમાં પરપ્રાંતીય મજૂરોની સંખ્યા ઘણી મોટી છે. આ મજૂરો ભાગવા વાડી-ખેતર વાવવા રાખી સીમમાં જ પડયા પાથર્યા રહે છે. એટલું જ નહીં પરિવાર પણ સીમમાં સાથે રાખે છે. મોટાભાગના વાડી ખેતરોમાં આ મજૂરો ખુલ્લામાં રાતવાસો કરે છે. તેમના પરિવારજનો પણ રાત્રે ખુલ્લામાં સૂઇ જાય છે.
સિંહ-દીપડા જેવા વન્ય પ્રાણીઓ રાત્રે શિકાર માટે નીકળે છે. નિશાચર પ્રાણીઓના પરિભ્રમણ દરમિયાન ખુલ્લામાં સૂતેલા માણસો તેની હડફેટે ચડી જાય છે. વન્ય પ્રાણીઓ પોતાના સ્વભાવગત હુમલો કરી બેસે છે. ખાસ કરીને નાના બાળકો તેનો ભોગ વધુ બને છે. કયારેક મોટા માણસ પર પણ હુમલો થાય છે. પરંતુ દીપડા જેવા પ્રાણી બાળકોને ઢસડી ચૂપચાપ દૂર ચાલ્યા જાય છે.
ઉપરાંત જે વાડી ખેતરોમાં માલિકો દ્વારા મજૂરોને રહેવા માટે કોઇ સગવડતા કરાઇ નથી તેવા વાડીમાલિકોને મજૂરોને રહેવા માટે ઉચિત વ્યવસ્થા કરવા અનુરોધ કર્યોછે. જેથી વન્ય પ્રાણીઓ નરભક્ષી બનતાહોય તેવી ઘટના અટકાવી શકાય.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/07/farmer-not-sleep-in-fram-847436.html
No comments:
Post a Comment