Jun 13,2010 તાલાલા તા.૧૩
ગીર પશ્ચીમ વન વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષકશ્રી આર.ડી.કટારાના માર્ગદર્શન મુજબ આંકોલવાડી રેન્જ હેઠળના વન વિસ્તાર તેમજ રેવન્યુ ગામોના વિસ્તારમાં વિશ્વ - પર્યાવરણ દિન નિમિત્તે તપોવન વિદ્યાસંકુલ - આંકોલવાડીના ધો.૧૨ ના ૬૩ જેટલા વિદ્યાર્થીઓ જંગલમાંથી પસાર થતા રસ્તાઓની બન્ને સાઇડમાંથી પ્લાસ્ટીક એકત્રીકરણ અને નાશ કરવાની કામગીરી કરી હતી.
આ ઉપરાંત જંગલના વૃક્ષો, વનસ્પતીઓ અને વન્યપાણીઓ વિશે બાળકોએ સ્થળ પર જ પરીચય અને માહિતી મેળવી હતી. તથા જંગલ વચ્ચેના રમણીય સ્થળ જેવા કે જાનવડલા થાણે ખાતે વિદ્યાર્થીઓ સ્ટાફ અને વન વિભાગના મજૂરો સહિત લોકોએ ગીર જંગલના જૈવીક વૈવિધતા અને પર્યાવરણ સંરક્ષણ/ જતન અંગે વિસ્તૃત ઉપયોગી વકતવ્યો રજૂ કરી વિશ્વ પર્યાવરણ દિનની ખુબજ ઉત્સાહભેર અને યાદગાર ઉજવણી કરી હતી.
આ ઉજવણીમાં શ્રી ડી.એન.પટેલ (રેન્જ ફોરેસ્ટ ઓફીસર) શ્રી એ.ડી.બ્લોચ - શ્રી જે.ડી. તારપરા વગેરે સ્ટાફ તેમજ તપોવન સ્કૂલના શ્રી પ્રદીપ ખાનપરા અને શ્રી જાડેજા સહિતના અધિકારી - કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવી સમગ્ર ઉજવણીને સાચા અર્થમાં પર્યાવરણના તહેવાર તરીકે ઉજવ્યો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=194463
No comments:
Post a Comment