તાલાલા તા.૨પ
તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામની સીમમાં સંવનન પ્રક્રિયામાં મશગુલ એક સિંહણ અને બે સિંહોએ છેલ્લા ત્રણ દિવસથી ધામા નાખ્યા હોય આ વિસ્તારમાં વનરાજોની બીકથી ર્કફયુ જેવ સ્થિતિ નિર્માણ થઈ છે. આ અંગે ત્વરીત તપાસ કરી ગામની સીમમાંથી જંગલી જાનવરોને જંગલમાં ખસેડવા તાલાલા વન કચેરી સમક્ષ લેખિત માંગણી કરવામાં આવી છે. તાલાલા વન કચેરીને કરેલ રજુઆતમાં જણાવ્યુ છે હડમતીયા ગીર ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી એક સિંહણ બે સિંહના પડાવથી ખેડૂતોમાં ભયનું વાતાવરણ ઉભુ થયું છે. સંવનન પ્રક્રિયામાં મશગુલ વનરાજોના ભયથી ગામની સીમમાં જવું જાનને જોખમ હોય ખેડૂતોએ સિંહ યુગલોને કારણે ઉભી થયેલ સ્થિતિમાંથી ખેડૂતોને મુક્ત કરવા હડમતીયા ગીર ગામની સીમમાંથી સિંહ યુગલોને જંગલમાં ખસેડી હડમતીયા તથા આજુ-બાજુના ગામોની સીમમાં ઉભુ થયેલ ભયનું વાતાવરણ દુર કરવા માંગણી કરવામાં આવી છે.
મોરૃકા ગીર ગામની સીમમાં દીપડી પકડાઈ
તાલાલા તાલુકાના મોરૃકા ગીર ગામની સીમમાં એક સિંહે એક નિદોર્ષ ખેડૂત પુત્રીને ફાડી ખાધી હતી તે વિસ્તારમાં આગામ ચેતીના પગલાં તરીકે જંગલખાતાએ એક પાંજરૃ રાખ્યુ હતું. આ પાંજરામાં રાખેલ મારણ ખાવા જતા એક દીપડી પાંજરામાં પુરાઈ ગઈ હતી. જંગલખાતાનો સ્ટાફે આ દીપડીને સાસણ ગીર ખાતે લઈ ગયા હતા.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274334
No comments:
Post a Comment