મોટા બારમણ-દલખાણીયામાં બનેલી ઘટનાના કારણે ફફડાટ ફેલાયો
ગામડાઓમાં સિંહ પરિવારો ઘુસી જતા ફફડાટ
ખાંભાના નાના અને મોટા બારમણ ગામોમાં ગતરાત્રીના ચાર સિંહોએ માલધારીઓના
ઘરમાં ઘુસી બે વાછરડા એક ભેંસ તેમજ એક બળદનું મારણ કરતા ગામમાં ફફડાટ
ફેલાયો હતો આ ઉપરાંત ધારીના દલખાણીયામાં સિંહ પરિવારે એક ગાયનું મારણ
કર્યું હતુ અને ડાંગાવદર ગામે પણ સિંહે બળદનું મારણ કર્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર ખાંભાના નાના અને મોટા બારમણ ગામમાં ગતરાત્રીના ચાર
સિંહો ઘુસી અને ગામમાં રહેતા લાખાભાઇ ઉકાભાઇના ઘરમાં ઘુસી વાછરડાનું મારણ
કર્યું હતું ત્યાંથી થોડેદુર બચુભાઇના ઘરમાં ઘુસી વાછરડાનું મારણ કર્યું
હતું અને મિજબાની માણી હતી.
સિંહોની ભુખ સંતોષાઇ ન હોય તેમ મોટા બારમણ ગામે જઇ ગામમાં રહેતા કાળુભાઇ
હડીયાના ઘરમાં એક બળદ અને એક ભેંસનું મારણ કર્યું હતું. સવાર સુધી સિંહોએ
ગામમાં આંટાફેરા માર્યા હતાં ગામ લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.
આ ઉપરાંત ધારીના દલખાણીયા ગામે ગતરાત્રીના બે વાગ્યાના સુમારે સિંહ અને
સિંહણ આવી પહોંચ્યા હતા અને હરજિનવાસ પાસે એક ગાયનું મારણ કરી મીજબાની માણી
હતી ગ્રામજનોને વાતની જાણ થતા સિંહ દર્શનનો લાભ લીધો હતો. તેમજ ધારીના
ડાંગાવદર ગામે પણ રાત્રીના સમયે શાર્દુલભાઇ આહિરની વાડીએ બાંધેલ બળદનું
મારણ કરી મજિબાની માણી હતી.
No comments:
Post a Comment