Wednesday, August 10, 2011

'સિંહ સંવર્ધનમાં ગીરનાં લોકોની ભૂમિકા ચાવીરૂપ' .

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:46 AM [IST](04/08/2011)
સાસણમાં વન્યપ્રાણીઓનાં સંરક્ષણ-સંવર્ધનમાં સમુહ માધ્યમોની ભૂમિકા વિષય ઉપર યોજાયેલા પ્રેસ સેમિનારમાં સાસણ વન વિભાગનાં નાયબ વન સંરક્ષક ડૉ.સંદિપ કુમારે જણાવ્યું હતુ કે, ગીરમાં અનેક લોકોનાં સહયોગ અને સંકલનથી સિંહ સુરક્ષિત થયા છે અને સિંહ સંવર્ધનમાં ગીર વિસ્તારનાં લોકોની ભૂમિકા ચાવીરૂપ છે.
રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી, સાસણ વન વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લા માહિતી કચેરીનાં સહયોગથી પ્રેસ સેમિનાર યોજાયો હતો. જેમાં વન્ય પ્રાણી વર્તુળનાં સીસીએફ આર.એલ.મીનાએ જણાવ્યું હતુ કે, હકારાત્મક સમાચારો સાથે સુધારાત્મક સુચનોવાળા સમાચારની અમે પણ નોંધ લઇએ છીએ અને વન્ય પ્રાણીઓનાં સંવર્ધનમાં લોકોનાં રસનાં વિષયો બદલાયા છે.જૂનાગઢ રેન્જનાં ડીઆઇજી બી.કે.શ્રીમાળીએ જણાવ્યું હતુ કે, ૧૯૦૪થી માંડી ૧૯૧૧ સુધી ગીરનાં ઈતિહાસમાં સિંહને બચાવવાની ચળવળ શરૂ થઇ હતી.
સિંહને બચાવવાથી માંડીને એ ગુજરાતની એક એવી ઓળખ બને કે જે એક ઝુંબેશ બની રહે તે માટે મીડીયા મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. આ કાર્યક્રમમાં રાજકોટનાં સંયુક્ત માહિતી નિયામક એન.એ.પરમાર, જૂનાગઢ નાયબ માહિતી નિયામક કે.વી.ભગોરા, કોલમસ્ટિ પરેશ દવે, વી.કે.બસીયા, જે.ડી.ત્રિવેદી સહિતનાં હાજર રહ્યા હતા.
સાસણ નાયબ વનસંરક્ષકે ચારણ કન્યા રજુ કરી -
સાસણનાં નાયબ વન સંરક્ષક ડૉ.સંદિપકુમારે મીડીયાકર્મીઓનાં સેમિનારમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રસિધ્ધ કૃતિ ચારણ કન્યા કાવ્યાત્મક શૈલીમાં રજૂ કરી હતી.

No comments:

Post a Comment