એન્ઝાઈમ દ્વારા નિર્મિત ઈંટો ઘરથી લઈ ગટર શુદ્ધિકરણ, કચરા નિકાલ, રોડ વિ. માટે ઉપયોગી
ભાવનગરમાં આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે
ત્યારે સ્થાનિક બોરોન ઈનોવેશન દ્વારા નિર્મિત એન્ઝાઈમ દ્વારા નિર્મિત
ઈંટોથી સસ્તા દરે ઘર બનાવવાની ટેક્નોલોજી દર્શાવતું અનોખું મોડેલ જવાહર
મેદાનમાં ઉજવણીનાં સ્થળે પ્રદર્શિત કરાયું છે. આ ઘરના નિર્માણમાં ભઠામાં
પકાવ્યા વગરની ઈંટો કે સિમેન્ટનો ઉપયોગ કરાયો નથી !
આ તદ્દન નવા અને ઈકો-ફ્રેન્ડલી એન્ઝાઈમના આવિષ્કાર અંગે પાર્થ દોશીએ
જણાવ્યું હતું કે એક રૂમ-રસોડાનું ઘર જો કોઈ શ્રમજીવી પરિવાર બહારના મજુરો
રાખ્યા વગર બનાવે તો માત્ર રૂ૧૫ હજારમાં તૈયાર થઈ જાય છે ? આ એન્ઝાઈમાંથી
સસ્તી કિંમતે ઈંટો અને બ્લોક બનાવી તેમજ સિમેન્ટ તરીકે પણ ઉપયોગ કરવાથી
સમાજના છેવાડાના નાગરિકનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન પૂર્ણ થાય છે.
આ ઉપરાંત આ એન્ઝાઈમનો ઉપયોગ હાઈ-વે રોડનો બેઈઝ બનાવવા, ડાયવર્ઝનને પાકું
બનાવવા, હેલીપેડ બનાવવા, કાચા રસ્તા ફૂટપાથને ધૂળ રહિત અને મજબૂત
બનાવવામાં થાય છે.
આ એન્ઝાઈમ વાપરવાથી મકાન બનાવો તો જે પાયો ગાળો તેમાંથી જે માટી નીકળે તે
માટીમાં એન્ઝાઈમ ભેળવી દેવાથી નજીવા સમયમાં ઈકો ફ્રેન્ડલી ઈંટ તૈયાર થઈ જાય
છે. વળી, માટીનો ઉપયોગ હોય ટ્રાન્સપોટેંશનનો હજારો રૂપિયાનો ખર્ચ વચે છે.
ડઝિલ બળે છે અને કિંમતી હૂંડિયામણ બચે છે. આ ઈંટો બનાવવા માટેના મોલ્ડ
સ્થાનિક કારીગરો દ્વારા બનાવી શકાય છે. આ ઈંટો બનાવવામાં કુશળ કારીગરોની
જરૂર ન હોવાથી સ્વરોજગારી કે ગૃહ ઉદ્યોગ દ્વારા ઉત્પાદન કરી ગૃહ ઉદ્યોગનો
વિકાશ કરી રોજના ૨૫૦થી ૩૦૦ રૂપિયા કમાઈ શકાય છે.
આ એન્ઝાઈમ સેપ્ટીક ટેન્ક, ખેત પેદાશનો કચરો અને ગટર શુદ્ધિકરણમાં પણ કામ
લાગે છે ત્યારે કચરો અને દુર્ગંધને દૂર કરે છે.આ એન્ઝાઈમ ખાળકૂવા અને ગટર
સિસ્ટમમાં નાખવાથી કચરાનું વિઘટન કરી તે દૂર કરે છે. જળાશય, કુલીંગ ગાળા
વિ.ને લીલ કે શેવાળ મુકત બનાવે છે. તો ખેત પેદાશના કચરાનો નિકાલ કરવા પણ
સમર્થ છે. જે નૈસિર્ગક પ્રક્રિયાથી આ બધું કામ કરે છે.
ભાવનગર શહેરમાં પ્રજાસત્તાક ઉજવણીમાં જવાહર મેદાન ખાતે તા. ૨૫ થી ૨૭ જાન્યુઆરી સુધી આ ઈંટોનું ઘર જોવા મળશે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-environment-friendly-brock-search-2785617.html
No comments:
Post a Comment