રેવન્યૂ વિસ્તારમાં જંગલી પ્રાણીઓની અવરજવરથી ભય
કોડીનારનાં પણાંદર ગામની સીમમાં સિંહપરિવારે બે બળદનો શિકાર કરી નિરાંતે
મારણની મિજબાની માણી હતી. જ્યારે પીપળી ગામે ઘાયલ મોરનું મોત નિપજ્યું હતુ.
જાણવા મળતી વિગત અનુસાર, કોડીનાર તાલુકાનાં પણાંદર ગામે સીદુરીયા પા નામે
ઓળખાતી સીમમાં લખમણભાઇ રાજાભાઇ કામળીયાની વાડીમાં ગત રાત્રિનાં સિંહ, સિંહણ
અને તેના બે બચ્ચાએ આવી ચઢી ઢાળીયામાં બાંધેલા બે બળદનો શિકાર કરી નિરાંતે
મારણની મજિબાની માણી હતી. સિંહપરિવારનાં સીમ વિસ્તારમાં આગમનથી ખેડૂતોમાં
ગભરાટની લાગણી છવાઇ જવા પામી છે.
આ સિંહપરિવારનું લોકેશન મેળવવા છારા બીટનાં ફોરેસ્ટર પરમાર, ભરવાડ સહિતનાં
સ્ટાફે કવાયત હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં તાલુકાનાં પીપળી ગામની
સીમમાં રઘુભાઇ ગોહિલની વાડી પાસે એક ઘાયલ મોર મળી આવ્યો હતો. આ ઘાયલ મોરની
વેટરનરી તબીબે સારવાર શરૂ કરી હતી પરંતુ ગંભીર ઇજા હોવાથી મોર મોતને ભેટી
ગયો હતો.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-bullock-of-than-two-killer-lions-2742146.html
No comments:
Post a Comment