જંગલ બહાર વસતા સિંહ-દીપડા માણસનું લોહી ચાખી ગયા છે
ગીર કાંઠાનો અમરેલી જિલ્લા વન્ય પ્રાણીઓના આતંકથી ત્રસ્ત છે ગીર જંગલ ટુંકુ
પડતા મોટી સંખ્યામાં સાવજો અને દીપડા જંગલ બહાર નીકળી ગયા છે. આ ખૂંખાર
વન્યપ્રાણીઓનો અવાર-નવાર માણસ સાથે સામનો થઇ જાય છે. સિંહ દીપડા અવાર-નવાર
માણસ પર હુમલો પણ કરી બેસે છે જે ક્યારેક જીવલેણ સાબીત થાય છે. પાછલા એક
વર્ષ દરમિયાન અમરેલી જિલ્લામાં સિંહ દ્વારા બે યુવાનને મારી નખાયા છે.
જ્યારે દીપડા દ્વારા પાંચ માણસોને મારી નાખવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં સાવજ દીપડા જેવા હિંસક વન્યપ્રાણી અને માણસો સાથે રેહવા
મજબુર બન્યા છે. આ હિંસકપ્રાણી માટે જંગલમાં હવે કોઇ જગ્યા નથી જેથી
ફરજીયાત તેઓ આ જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પોતાનું નવુ ઘર બનાવતા જાય છે.
જ્યાં સુધી માણસ અને સિંહ-દીપડા વચ્ચે ટક્કર ન થાય ત્યાં સુધી કશો વાંધો
આવતો નથી પરંતુ જેવી ટક્કર થાય તે સાથે જ સિંહ અને દીપડાનો હાથ ઉપર રહે છે.
વાડી ખેતરોમાં કામ કરતા કે રસ્તે પસાર થતાં લોકોનો વારંવાર આ પ્રાણીઓ સાથે
સામનો થઇ જાય છે. ક્યારેક આ પ્રાણીઓ શિકારની શોધમાં ગામડાઓમાં પણ આવી ચડે
છે. પાછલા એક વર્ષ દરમિયાન અમરેલી જિલ્લામાં સાવજોએ બે તથા દીપડાએ પાંચ અને
સાત માણસને મારી નાખી હાહાકાર મચાવી દીધો છે. જેમાં ત્રણ ઘટનાતો પાછલા
પકવાડીયામાં જ બની છે.
એકાદ વર્ષ પહેલા ગીરપૂર્વની સરસીયા રેન્જમાં બગસરા તાલુકાનાં પાદર ગઢ
ગામેની સીમમાં સાવજો કાઠી આઘેડ પર હુમલો કર્યા બાદ રાજકોટ દવાખાને તેનુ
સારવાર દરમિયાન મોત થયુ હતું. સિંહ દ્વારા માણસનાં બીજા શિકારની ઘટનાં ચાર
દિવસ પહેલા જાફરાબાદ તાલુકાનાં ધોળાદ્રી ગામની સીમમાં બની હતી.
જ્યાં એક સિંહણે રામભાઇ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાન પર હુમલો કરી તેના પાંચ
ટુકડા કરી નાખ્યા હતા. એક વર્ષમાં દીપડાએ આ વિસ્તારમાં પાંચ માણસોને ફાડી
ખાધા હતા. છ માસ પહેલા નાગેચીની સીમમાં ખેત મજુરની એક બાળકીને દીપડાએ ઉપાડી
જઇ ફાડી ખાધી હતી. થોડા મહિના અગાઉ સરસીયા રેન્જમાં આવેલા ભરડ ગામની
સીમમાં દિવસ દરમિયાન દીપડાએ બાળકને ફાડી ખાધી બાદ સંતોકબેન (ઉ.વ.૬૦) નામના
વૃધ્ધાને દીપડાએ ફાડી ખાધા હતા.
સિંહ દીપડા અહીંથી ક્યાંય જવાના નથી તેમ માણસ પણ અહીંથી કપાંટા જવાના નથી. આ
પ્રકરણની ટકક્ર ટાળવા માણસે જ તેની જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે.
સિંહ-દીપડા દ્વારા ઇજાની ઘટના પણ વધી
અમરેલી જિલ્લામાં સિંહ-દીપડાની સંખ્યા વધવાની સાથે સાથે સિંહ-દીપડા દ્વારા
માણસને ઇજા પહોંચાડવાની ઘટના પણ વધી પડી છે. આ પ્રકારના મોટા ભાગનાં
હુમલાની ઘટનાં સીમ વિસ્તારમાં બને છે. ક્યારેક યારેક ગામડામાં પણ ઘુસી આવી
સિંહ દીપડા માણસોને ઘાયલ કરે છે. જો કે, સિંહ દ્વારા મોટા ભાગનાં હુમલામાં
તેનો ઇરાદો શિકારનો નથી હોતો.
No comments:
Post a Comment