Wednesday, September 30, 2015

વન વિભાગ પહેલાં નિરૂત્સાહ રહ્યંુ ,બાદ શોધવા નિકળી પડ્યું


  • DivyaBhaskar News Network
  • Sep 26, 2015, 05:00 AM IST
માળિયાહાટીનાનાં અમરાપુર ગામ નજીકથી સિંહણનુ મૃતદેહ મળ્યો હતો. સિંહણનાં બે બચ્ચા હોવાની ચર્ચા જાગી છે.તેમાથી એક સિંહ બાળ ડેડકણી રેન્જનાં પાટરા વિસ્તારમાં બિમાર હાલતમાં આવી ચડ્યુ હતુ.ગતરાત્રીનાં સિંહ બાળનુ લોકેશન મળ્યુ હતુ.પરંતુ ત્યારે વન વિભાગે કોઇ તેને પકડવાની તસ્દી લીધી હતો. બાદ આજે સવારથી તેનો શોધખોળ ચાલુ કરી છે.

માળિયા હાટીનાનાં અમરાપુર ગામની નજીકથી સિંહણનો મૃતદેહ મળ્યો હતો.સિંહણનાં મૃતદેહને લઇ ભારે વિવાદ પણ થયો હતો.મૃત સિંહણને બે બચ્ચા હતા.તેમાથી એક સિંહ બાળ ગતરાત્રીનાં ડેડકણી રેન્જનાં પાટરા વિસ્તારમાં આવી ગયુ હતુ. જેની ઉંમર પાંચ માસની હતી.તેની બિમાર હાલતમાં હતુ.આ અંગે રાત્રીનાં ડેડકણી રેન્જનાં અધિકારીઓને માહીતી મળી હતી.સિંહબાળનુ લોકેશન પણ હતુ.પરંતુ રાત્રીનાં બિમાર સિંહબાળને પકાવાની કોઇ તસ્દી લેવામાં આવી હતી. રાત્રીનાં આરામ બાદ સફાળુ જાગેલુ વન તંત્રએ સિંહબાળ પકડાવ આદેશ કર્યા હતા.પરંતુ ત્યા સુધીમાં સિંહ બાળનુ લોકેશન વન વિભાગનાં હાથમાંથી જતુ રહ્યુ હતુ.અંતે અધિકારીએ અન્ય કર્મીઓને સિંહબાળની શોધખોળ કરવા આદેશ આપ્યા હતા. વન તંત્રની બેદરાકરીનાંકારણે સિંહબાળ પર જોખમ ઉભુ થયુ છે. સિંહબાળને કોઇ પણ થાય તો જવાબદાર કોણ ωતે પણ એક સવાલ છે. જોકે પહેલા પણ બેદરકારીનાં કારણે એક સિંહબાળ અને સિંહનુ બિમારીથી મોત થયુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સિંહ સંરક્ષણને લઈ અનેકવિધ કાર્યક્રમો સહિત સંવર્ધન માટે પગલા ભરાઈ રહ્યાં છે ત્યારે સિંહબાળ પર ધ્યાન આપવું જરૂરી છે.

અમરાપુરમાં મૃત્યુ પામેલી સિંહણનું એક બચ્ચું ડેડકડી રેન્જમાં પહોંચ્યંુ

No comments:

Post a Comment