DivyaBhaskar News Network | Oct 25, 2016, 02:45 AM IST
ગિરનારનીલીલી પરિક્રમાને લઇ વહીવટી તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે.
ક્લેક્ટરની હાજરીમાં તૈયારીની બેઠક મળી હતી. જેેમાં મેયરે સુચન કર્યુ હતું
કે, સાંજના પરિક્રમાનો પ્રારંભ કરી શકાયω તેનાં જવાબમાં ધારાસભ્યએ કહ્યુ કે
પરંપરા મુજબ રાત્રીનાં પરિક્રમાનો પ્રારંભ થવો જોઇએ. કલેક્ટર કચેરી ખાતે
લીલી પરિક્રમાનાં આયોજનની બેઠક મળી હતી. જેમાં કલેક્ટર કચેરી, જીલ્લા
પંચાયત, મહાનગરપાલિકા, પોલીસ કચેરી, સાધુ સમાજ, સમાજનાં આગેવાનો વગેરેએ
સાથે મળી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓની સગવડતા સચવાઇ રહે તેનું આગોતરૂ
આયોજન કર્યુ છે. રસ્તાની કામગીરી, દબાણો દૂર કરવા, ટ્રાફિક નિયમન,
પરિક્રમાનો રૂટ, રીક્ષાનું ભાવ બાંધણુ, એસટીની સુવિધા વગેરે બાબતોએ ચર્ચા
થઇ હતી.
શ્રધ્ધાળુઓની સગવડતા માટે આગોતરું આયોજન ઘડાયું
પરિક્રમાના પ્રારંભ મુદ્દે મેયર અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી
No comments:
Post a Comment