DivyaBhaskar News Network | May 06, 2017, 02:00 AM IST
અમરેલીજિલ્લાના ખેડૂતોના ખેતરોને ફરતે તાર ફેન્સીંગ કરી આપવાની જાહેરાત
બાદ ખેડૂતાએ હોંશે હોંશે તમામ જરૂરી કાગળો જે-તે વિભાગમાં રજૂ કરી દીધાને
ઘણાં મહિનાઓ પસાર થયા છતાં પણ તાર ફેન્સીંગ કરી આપવામાં આવતાં ખેડૂતોમાં
રાજ્ય સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.
દામનગર લાઠી તાલુકાના ખેડૂતોએ તાર ફેન્સીંગનો લાભ મેળવવા માટે
ડીસ્ટ્રીક લેન્ડ રેકર્ડમાંથી નકશા મેળવી નિયત નમૂનામાં વનવિભાગમાં દરખાસ્તો
કરી અને વન વિભાગે દરખાસ્તદાર ખેડૂતોની જમીનમાં તાર ફેન્સીંગ વ્યક્તિગત
અને જૂથ બંનેનો સર્વે કર્યો. દિવસો સુધી લાઠી તાલુકાનાં ખેડૂતોએ દોડા દોડી
કરી દરખાસ્તો કરી અને તાર ફેન્સીંગ માટે વનવિભાગે સર્વે તો કર્યો પણ તાર
ફેન્સીંગ ક્યારે પ્રશ્ના સૌ ખેડૂતોનાં મનમાં હતો.
સરકારી યોજનાઓનો જોરશોરથી પ્રચાર કરી ખેડૂતોનાં તારણહાર બની ખેડૂતોના
પાક રક્ષણ માટે બજેટ જોગવાઇ કરાઇ હતી. પણ તાર ફેન્સીંગ કરાઇ હતી. દિવસો
સુધી ધંધે લાગેલું તંત્ર અને ખેડૂત બંનેએ દિવસો સુધી સર્વેમાં સાથે શ્રમ
કરી લાઠી તાલુકાનાં મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં
ખેડુતના પાક રક્ષણ માટે સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજાવાનો લાભ ક્યારે
લાઠી તાલુકાના ખેડૂતોમાં ગણગણાટ સંભળાઇ રહ્યો છે. અને જિલ્લા તંત્રને તાર
ફેન્સીંગ યોજના માટે જગાડવા દામનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની
મીટીંગનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. બાબતની દેવરાજભાઇ ઇસામલીયા સહિતના
આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
સરકાર દ્વારા કૃષિ ઉદ્યોગને પ્રોત્સાહન અાપવા માટે ખેડૂતોને તાર
ફેન્શીંગ માટે સબસીડી આપવામાં આવે છે. જેના થકી ખેડૂતો પોતાના ખેતર ફરતે
તાર ફેન્સીંગ લગાવી વન્ય પ્રાણીઓથી સલામત રાખે છે. પરંતુ ખેડૂતોને યોજનાનો લાભ લેવા માટે ઘણી મુસ્કેલી વેઠવી પડી રહી છે.
No comments:
Post a Comment