જૂનાગઢ, તા.૧૬
ગિરનારની પરિક્રમા અને શિવરાત્રિના મેળા દરમિયાન મહાનગર પાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી માહિતિ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ વર્ષે પણ આજે સવારેથી માહિતિ કેન્દ્ર શરૃ કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ સુધી આ કેન્દ્ર રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહીને યાત્રિકોને પરિક્રમાને લગતી માહિતિ પુરી પાડશે.મહાનગર પાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં શરૃ કરાયેલા માહિતિ કેન્દ્ર દ્વારા સતત સાત દિવસ સુધી યાત્રિકોને માહિતિ પુરી પાડવામાં આવશે. સાથે સાથે મહાપાલિકાની ખાસ કરીને સેનીટેશન સહિતની કામગીરી અંગેનું લાયઝન પણ કરવામાં આવશે. મનપાનું માહિતિ કેન્દ્ર સામાન્ય રીતે વિખુટા પડેલા યાત્રિકોના મિલન માટે જાણિતું છે. દર વર્ષે સંખ્યાબંધ નાના બાળકોને તેના પરિવાર સાથે આ માહિતિ કેન્દ્ર મેળવી આપે છે.માઈક પરની સતત જાહેરાત દ્વારા પરિક્રમા વિષયક અને પર્યાવરણની જાગૃતી લક્ષી માહિતિ પણ અહીથી આપવામાં આવી રહી છે. નાયબ કમિશનર એન.જે.ગોહિલના લાયઝન હેઠળ દિનેશ પુરોહિત, અરશીભાઈ કરંગીયા સહિતના ૧૪ કર્મચારીઓનો સ્ટાફ માહિતિ કેન્દ્ર પર કાર્યરત રહેશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=239289
No comments:
Post a Comment