માણાવદર તા.૧૨
માણાવદર તાલુકાનાં વાડાસડાની સીમમાં જંગલી જાનવરોનો ત્રાસ દૂર નહીં થાય તો ખેડૂતોએ તંત્ર સામે આંદોલનની ચીમકી આપી છે.માણાવદર તાલુકાનાં વાડાસડા ગામની સીમમાં રોઝ, ભૂંડ તથા જંગલી જનાવરો ખેતીની જમીનમાં અતિ કિંમતી ઉભા પાકને છાશવારે નુકસાની કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જંગલી જનાવરો ઉભા પાકને ભયંકર નુકસાની કરતા ખેડૂતોની લાખો રૃપિયાની કિંમતનો માલ નાશ પામ્યો છે.
એક તરફ કમોસમી વરસાદનો માર ઉપરથી આ જનાવરોથી નુકસાની સતત દિવસ - રાતનાં રખોપા કરવા કેમ? મોંઘુ દાટ બિયારણ ખેડૂતો વાવે અને પાક તૈયાર થાય કે તુરંત જ જંગલી જનાવરો ઉભે - ઉભા ખાઇ જાય ખૂંદી નાંખી રફે - દફે કરી નાખે છે. જેથી ખેડૂતો કાયમ બેહાલ બનતો જાય છે.જો ટુંક સમયમાં આ પ્રશ્ન તંત્ર દ્વારા નહિં ઉકેલાય તો ખેડૂત આગેવાન, અશોકભાઇ ડાંગર તથા ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=238288
No comments:
Post a Comment