ઉધરસ, જૂનો મરડો
ઉધરસમાં કફ ઘણો જ નીકળતો હોય એવી ઉધરસ મટાડવા માટેનો ઉત્તમ ઉપચાર નોંધી લો. સૂંઠનું બારીક ચૂર્ણ પા ચમચી + મોટી એલચીનું બારીક ચૂર્ણ પાંચથી છ ચોખાના દાણા જેટલું + એટલો જ સંચળનો પાઉડર બે ચમચી મધ સાથે મિશ્ર કરી સવાર-સાંજ ચાટી જવું. પચવામાં ભારે, ચીકણા અને મીઠા આહારદ્રવ્યો છોડી દેવા તથા સૂંઠ નાખીને ઉકાળેલું ઠંડું કરેલું પાણી પીવું. * આયુર્વેદમાં જૂના મરડાની ઉત્તમ દવા કઈ ? અમે તરત જ કહીએ કે 'કુટજારિષ્ટ.' જેમને જૂના મરડાને લીધે બે-ત્રણ કે વધારે પડતા ચીકાશવાળા, ગેસ સાથે ચીકણા ઝાડા થતા હોય તેમણે ચારથી પાંચ ચમચી કુટજારિષ્ટ સવારે, બપોરે અને રાત્રે પીવો. ઉષ્ણ, તીક્ષ્ણ આહારદ્રવ્યો અને અથાણાં, પાપડ ખાવા નહીં તથા સુપાચ્ય આહાર પ્રયોજવો.
No comments:
Post a Comment