ઉના, તા.૩
ગીરગઢડા ખાતે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકશન માટે આવેલા જૂનાગઢના પોલીસ અધિક્ષકે આગેવાનો, વેપારીઓ, સંસ્થાના વડાઓ સાથે લોક દરબારનું આયોજન કર્યું હતું. જેમાં ગીરગઢડા અને આજુબાજુના ગીરના બોર્ડરના ગામોને જંગલ ખાતા દ્વારા થતી હેરાનગતિ અને બીન વ્યવહારૂ એવા જંગલી કાયદાઓ દ્વારા ગીરના ધર્મસ્થાનોમાં જવા માટે ખોટા અવરોધો ઉભા કરીને લોકોની ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચે તેવું વર્તન કરવામાં આવે છે તેની રજૂઆત કરી હતી.મધ્યગીરમાં આવેલ પાતાળેશ્વર મહાદેવના યાત્રાળુઓ માટે સરકારે શ્રાવણ મહિનામાં અને શિવરાત્રીના સાત દિવસ માટે નિ:શુલ્ક પ્રવેશનો હક્ક આપ્યો છે. તેમજ બાકીના દિવસોમાં પ્રવેશ ફી વસુલ લઈને યાત્રાળુઓને જવા દેવામાં આવતા પરંતુ તે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.ઉપરોકત પ્રશ્નને લઈને પોલીસ અધિક્ષકે જૂનાગઢની વન વિભાગની નાયબ વન સંરક્ષકની કચેરીને પ્રજાને અપાયેલાં હક્કનું રક્ષણ કરવા અને વ્યવહારૂ અભિગમ અપનાવવા રજૂઆત કરતા નાયબ વન સંરક્ષકે સરકાર તરફથી યાત્રાળુઓને જે જે ઠરાવ ક્રમાંકથી નિ:શુલ્ક પ્રવેશ તેમજ પ્રવેશ ફી વસુલ લઈને જવા દેવાય છે તેની હકીકત જણાવતો પત્ર ગીરગઢડાના આગેવાન તેમજ પંચાય ની સંસ્થાને પાઠવેલ છે.
Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=39125&Keywords=Saurashtra%20Guajarati%20News
No comments:
Post a Comment