Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Sunday, August 23, 2026
Monday, August 3, 2026
Friday, July 31, 2026
Saturday, July 18, 2026
Wednesday, July 15, 2026
Sunday, July 5, 2026
*જૂનાગઢના ભવનાથમાં ગીર અને સિંહને બચાવવા યોજાયું ભવ્ય મહાસંમેલન*
https://youtu.be/6JU_a42OOiE?si=cyJPJDF9nRZ7TQ1X
*જૂનાગઢના ભવનાથમાં ગીર અને સિંહને બચાવવા યોજાયું ભવ્ય મહાસંમેલન*
Saturday, July 4, 2026
Tuesday, June 30, 2026
Friday, June 19, 2026
Wednesday, June 17, 2026
Sunday, June 14, 2026
Friday, June 12, 2026
Wednesday, June 10, 2026
Monday, June 8, 2026
Sunday, June 7, 2026
Saturday, June 6, 2026
Wednesday, June 3, 2026
Sunday, May 31, 2026
Thursday, April 30, 2026
પાંચ સિંહોને મોતને ધાટ ઉતારનાર પ્રેમપરાના ખેડૂત સહિત ચાર શખ્સો રિમાન્ડ પર લેવાયા
Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/
ધારી તા.૨૨
ધારી નજીકના પ્રેમપરા ગામે એક વાડી માલિક તથા તેના પુત્રોએ મળી ઈલેકટ્રીક શોક દ્રારા પાંચ સિંહોની કરેલી નિમેમ હત્યાના ઝડપાયેલા તમામને આજે કોટેમાં રજુ કરવામા આવતા કોટેએ તમામને ચાર દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે,જયારે આ તમામને કોટેમાં રજુ કરવામા આવતા મોટી સંખ્યાામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ફીટકારની લાગણી વરસાવી હતી.
સિંહોની હત્યા અંગે વાડી માલિક દુલેભજી શંભુ વાડદોરીયા,તેનો પુત્ર નરેશ,ટ્રેકટર માલિક રવજી છગન હીરાણી,ટ્રેકટર ડ્રાઈવર ભલા ખીમા ખાચરને ધારી કોટેમાં રજુ કરવામા આવતા પ્રથમ ૧૦ દિવસની રિમાન્ડ માંગવામા આવી હતી પરંતુ કોટેએ ચાર દિવસના રિમાન્ડ મંજુર કયો હતા.નવના ગ્રુપમાંથી પાંચ સિંહોની હત્યા બાદ હજુ ચાર સિંહબાળ લાપતા હોય તેનુ લોકેશન મેળવવા વનવિભાગનો સ્ટાફ જંગલમાં ચારેબાજું વ્યાપક શોધખોળ કરી રહયુ છે.દરમ્યાન ગીર નેચર યુથ કલબ દ્રારા આ હીચકારા બનાવની તટસ્થ તપાસ કરવાની માંગણી કરવામા આવી છે.તાજેતરમાં સિંહોના શિકારની ધટનાઓ બાદ નવા મુકાયેલા ડી.એફ.ઓ.ની પણ ટુંકાગાળામાં બદલી કરવામા આવી છે,ત્યારે આવી સંવેદનશીલ જગ્યાઓ પરથી છાશવારે કરવામા આવત બદલીઓ તંત્રની ઉદાસીનતાનો નમુનો હોવાનું ગીર નેચર યુથ કલબે જણાવ્યું છે.
http://girasiaticlion.blogspot.com/
ધારી તા.૨૨
ધારી નજીકના પ્રેમપરા ગામે એક વાડી માલિક તથા તેના પુત્રોએ મળી ઈલેકટ્રીક શોક દ્રારા પાંચ સિંહોની કરેલી નિમેમ હત્યાના ઝડપાયેલા તમામને આજે કોટેમાં રજુ કરવામા આવતા કોટેએ તમામને ચાર દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે,જયારે આ તમામને કોટેમાં રજુ કરવામા આવતા મોટી સંખ્યાામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ફીટકારની લાગણી વરસાવી હતી.
સિંહોની હત્યા અંગે વાડી માલિક દુલેભજી શંભુ વાડદોરીયા,તેનો પુત્ર નરેશ,ટ્રેકટર માલિક રવજી છગન હીરાણી,ટ્રેકટર ડ્રાઈવર ભલા ખીમા ખાચરને ધારી કોટેમાં રજુ કરવામા આવતા પ્રથમ ૧૦ દિવસની રિમાન્ડ માંગવામા આવી હતી પરંતુ કોટેએ ચાર દિવસના રિમાન્ડ મંજુર કયો હતા.નવના ગ્રુપમાંથી પાંચ સિંહોની હત્યા બાદ હજુ ચાર સિંહબાળ લાપતા હોય તેનુ લોકેશન મેળવવા વનવિભાગનો સ્ટાફ જંગલમાં ચારેબાજું વ્યાપક શોધખોળ કરી રહયુ છે.દરમ્યાન ગીર નેચર યુથ કલબ દ્રારા આ હીચકારા બનાવની તટસ્થ તપાસ કરવાની માંગણી કરવામા આવી છે.તાજેતરમાં સિંહોના શિકારની ધટનાઓ બાદ નવા મુકાયેલા ડી.એફ.ઓ.ની પણ ટુંકાગાળામાં બદલી કરવામા આવી છે,ત્યારે આવી સંવેદનશીલ જગ્યાઓ પરથી છાશવારે કરવામા આવત બદલીઓ તંત્રની ઉદાસીનતાનો નમુનો હોવાનું ગીર નેચર યુથ કલબે જણાવ્યું છે.
ગીર પંથકમાંથી હરણનાશિકારનું રેકેટ ઝડપાયું; મહિલા સહિત ૩ ની ધરપકડ - ૧ ફરાર
જૂનાગઢ,તા.૮
ગીર પંથકના અને ગિર જંગલની બોર્ડરના આંકોલવાડી ગામની સીમમાંથી આજે હરણના શિકારનું રેકેટ ઝડપાતાં સનસનાટી મચી જવા પામી છે. ખેતરમાં વીજ કરંટ આપી હરણનો શિકાર કરવાના આ રેકેટમાં એક મહિલા અને ખેતર માલીક સહિત ત્રણને વન વિભાગે ઝડપી લીધા છે જયારે ૧ શખ્સ ફરાર થઈ ગયો છે. ઝડપાયેલ વાડી માલિકે ત્રણ ચિતલના શિકારની કબૂલાત આપતાં વધુ ઉંડાણપૂર્વકની પૂછપરછ માટે વનવિભાગે ત્રણેયને તાલાળા કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગત માર્ચ માસ દરમ્યાન ગીર જંગલમાં છ - છ સિંહોના શિકારની રાજયભરમાં ખળભળાટ મચાવી દેનારી ઘટનાઓનો પર્દાફાશ થયા બાદ આ પ્રકરણનો હજી સુધી ઉકેલ નથી આવ્યો ત્યાં જ ગીર પંથકમાંથી આજે વન વિભાગે હરણના શિકારનું રેકેટ ઝડપી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હરણના શિકારની આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગીર પંથકના આંકોલવાડી ગામ ખાતેથી એક શંકાસ્પદ મહિલા રાણી બચુ દેવીપૂજકને મટન લઈ જતી રોકી વન વિભાગે તપાસ કરતાં આ મહિલા પાસેથી ૪ કિલો મટન મળી આવવાથી ચોંકી ઉઠેલા વન વિભાગે ગીર પશ્ચિમ વન વિભાગન
ી.સી.એફ. બી.પી.પતીની સૂચનાથી એ.સી.એફ. શશીકુમાર અને એ.સી.એફ. વી.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. બી.કે.પરમાર સહીતના કાફલાએ આ મહિલાના ઘરે દરોડો પાડતાં ત્યાંથી વધુ મટન અને ફાંસલાઓ, છરો, હથિયારો મળી આવતા ત્યાંથી દિનુ બચુ દેવીપુજક નામના શખ્સની પણ વનખાતાએ ધરપકડ કરી હતી.
આ બન્નેની કડક પૂછપરછ કરતાં હરણના શિકારના રેકેટનો પર્દાફાશ થયો હતો. આંકોલવાડી ગામની સીમમાં જેરામ બાલાજી અકબરી નામના ખેડૂતના ખેતરમાં ઈલેકિટ્રક કરંટથી હરણનો શિકાર કરવામાં આવતો હોવાની વિગતો ખુલતાં જ વન વિભાગે જેરામ અકબરીને ઝડપી લઈ આકરી પુછપરછ કરતા આ શખ્સે ત્રણ ચિતલ (હરણ) નો શિકાર કર્યો હોવાની કબુલાત આવી હતી.
આ તમામે શિકારના રેકેટ અંગે વન વિભાગ સમક્ષ આપેલી કબુલાત અનુસાર જેરામ અકબરીના ખેતરમાં સૌપ્રથમ વીજ કરંટથી હરણને મારી નખાયા બાદ દેવીપૂજક શખ્સોને બોલાવવામાં આવતા હતા. અને આ શખ્સો મૃત હરણને છરીથી કાપી તેનુ માંસ લઈ જઈ વેચી નાખતા હતા. આ ઘટનાને અનુલક્ષીને વન વિભાગના સકંજામાં આવે તે પહેલાં જ વિનોદ મનજી દેવીપૂજક નામનો શખ્સ ફરાર થઈ જવા પામ્યો છે.
વન વિભાગે ઘટના સંદર્ભે એક મહિલા સહિત ત્રણેયની વન્ય પ્રાણી સંરક્ષણ ધારા સહિતની કલમો અનુસાર ગુન્હો નોંધી ઉંડાણપૂર્વકની પુછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે તાલાળા કોર્ટમાં રજુ કર્યા છે.
Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=40746&Keywords=Crime%20Sorath%20gujarati%20news
ગીર પંથકના અને ગિર જંગલની બોર્ડરના આંકોલવાડી ગામની સીમમાંથી આજે હરણના શિકારનું રેકેટ ઝડપાતાં સનસનાટી મચી જવા પામી છે. ખેતરમાં વીજ કરંટ આપી હરણનો શિકાર કરવાના આ રેકેટમાં એક મહિલા અને ખેતર માલીક સહિત ત્રણને વન વિભાગે ઝડપી લીધા છે જયારે ૧ શખ્સ ફરાર થઈ ગયો છે. ઝડપાયેલ વાડી માલિકે ત્રણ ચિતલના શિકારની કબૂલાત આપતાં વધુ ઉંડાણપૂર્વકની પૂછપરછ માટે વનવિભાગે ત્રણેયને તાલાળા કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગત માર્ચ માસ દરમ્યાન ગીર જંગલમાં છ - છ સિંહોના શિકારની રાજયભરમાં ખળભળાટ મચાવી દેનારી ઘટનાઓનો પર્દાફાશ થયા બાદ આ પ્રકરણનો હજી સુધી ઉકેલ નથી આવ્યો ત્યાં જ ગીર પંથકમાંથી આજે વન વિભાગે હરણના શિકારનું રેકેટ ઝડપી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હરણના શિકારની આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગીર પંથકના આંકોલવાડી ગામ ખાતેથી એક શંકાસ્પદ મહિલા રાણી બચુ દેવીપૂજકને મટન લઈ જતી રોકી વન વિભાગે તપાસ કરતાં આ મહિલા પાસેથી ૪ કિલો મટન મળી આવવાથી ચોંકી ઉઠેલા વન વિભાગે ગીર પશ્ચિમ વન વિભાગન
ી.સી.એફ. બી.પી.પતીની સૂચનાથી એ.સી.એફ. શશીકુમાર અને એ.સી.એફ. વી.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. બી.કે.પરમાર સહીતના કાફલાએ આ મહિલાના ઘરે દરોડો પાડતાં ત્યાંથી વધુ મટન અને ફાંસલાઓ, છરો, હથિયારો મળી આવતા ત્યાંથી દિનુ બચુ દેવીપુજક નામના શખ્સની પણ વનખાતાએ ધરપકડ કરી હતી.
આ બન્નેની કડક પૂછપરછ કરતાં હરણના શિકારના રેકેટનો પર્દાફાશ થયો હતો. આંકોલવાડી ગામની સીમમાં જેરામ બાલાજી અકબરી નામના ખેડૂતના ખેતરમાં ઈલેકિટ્રક કરંટથી હરણનો શિકાર કરવામાં આવતો હોવાની વિગતો ખુલતાં જ વન વિભાગે જેરામ અકબરીને ઝડપી લઈ આકરી પુછપરછ કરતા આ શખ્સે ત્રણ ચિતલ (હરણ) નો શિકાર કર્યો હોવાની કબુલાત આવી હતી.
આ તમામે શિકારના રેકેટ અંગે વન વિભાગ સમક્ષ આપેલી કબુલાત અનુસાર જેરામ અકબરીના ખેતરમાં સૌપ્રથમ વીજ કરંટથી હરણને મારી નખાયા બાદ દેવીપૂજક શખ્સોને બોલાવવામાં આવતા હતા. અને આ શખ્સો મૃત હરણને છરીથી કાપી તેનુ માંસ લઈ જઈ વેચી નાખતા હતા. આ ઘટનાને અનુલક્ષીને વન વિભાગના સકંજામાં આવે તે પહેલાં જ વિનોદ મનજી દેવીપૂજક નામનો શખ્સ ફરાર થઈ જવા પામ્યો છે.
વન વિભાગે ઘટના સંદર્ભે એક મહિલા સહિત ત્રણેયની વન્ય પ્રાણી સંરક્ષણ ધારા સહિતની કલમો અનુસાર ગુન્હો નોંધી ઉંડાણપૂર્વકની પુછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે તાલાળા કોર્ટમાં રજુ કર્યા છે.
Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=40746&Keywords=Crime%20Sorath%20gujarati%20news
નજીકથી ફોટો લેવા ગયેલા યુવાનને સિંહે ફાડી ખાધો
આંબેચા તા.૧૬
માળીયા(હાટિના) તાલુકાના બાબરા(ગીર) જંગલખાતાની વીડીમાં આજે બપોરે માંગરોળના ચાર યુવાનો બાઈક પર સવાર થઈ ગેરકાયદે સિંહદર્શન માટે ગયા હતા ત્યારે ચાર પૈકીના એક યુવાને સિંહના નજીકથી ફોટા લેવા જતા સિંહે તેને દબોચી લઈ ત્યાં જ મીજબાની માણી લેતા અરેરાટી પ્રસરી ગઈ હતી. આ ઘટનાને લઈ વનવિભાગ તથા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આજે બપોરના ૨ થી ૨/૩૦ વાગ્યાના અરસામાં માંગરોળના ચાર યુવાનો દિનેશ ચુનીભાઈ પરમાર, ચંદ્રેશ મોહનભાઈ, રાજુ પરમાર અને જયેશ મુળજીભાઈ પરમાર બાબરા(ગીર)ની જંગલખાતાની અનામત વીડીમાં ગેરકાયદે પ્રવેશ કરી સિંહદર્શન કરવા આવેલ હતા. આ વીડીમાં કુલ ૧૮ જેટલા ખુંખાર વનરાજાઓ વસવાટ કરી રહયા છે. આ યુવાનો સિંહદર્શનનો લાભ લેતા હતા ત્યારે ૧૮ સિંહોનો નાયક કે જેને જાંબો નજીકથી ફોટો લેવા ગયેલા કહેવામા આવે છે. તેના નજીકથી ફોટા લેવાનો પ્રયાસ રાજુ પરમાર(ઉ.વ.૨૮) નામના યુવાન દ્વારા થયો તે વેળાએ જ તેના પર જાંબો સિંહે જીવલેણ હુમલો કરી તેને દબોચી લીધો હતો. અને ત્યાં જ ફાડી ખાધો હતો. આ વેળાએ તેની સાથે રહેલા અન્ય ત્રણ મિત્રોએ દેકારો કરી મુકતા આસપાસની વીડીમાં ઘાસ કાપવાનું કામ કરતા મજુરો દોડી આવ્યા હતા. પણ, ત્યાં સુધીમાં સિંહે તેને પૂરો કરી નાંખ્યો હતો.
બાદમાં આ બાબતે વનવિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા બંને વિભાગનો સ્ટાફ તુરંત ધટના સ્થળે દોડી જઈ ધોરણસરની તપાસ હાથ ધરી છે. સિંહેે યુવાનને ફાડી ખાધાના બનાવની જાણ અન્ય ગામલોકોને થતા ગામ લોકો એકઠા થઈ ગયા હતાં.
દરમિયાન, અમારા માંગરોળના પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે, સિંહનો શિકાર થઈ જનાર રાજુ પરમાર માંગરોળ શહેર ભાજપ પ્રમુખ તથા એડવોકેટ કિશનભાઈ પરમારના ત્રણ ભાઈઓ પૈકીનો સૌથી નાનો ભાઈ હતો. અને સિંહએ તેને ગળાના ભાગે તથા છાતીના ભાગેથી દબોચી તેને ચૂંથી નાંખ્યો હતો. મરનારના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ થયા હતા અને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળેલ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=43040
માળીયા(હાટિના) તાલુકાના બાબરા(ગીર) જંગલખાતાની વીડીમાં આજે બપોરે માંગરોળના ચાર યુવાનો બાઈક પર સવાર થઈ ગેરકાયદે સિંહદર્શન માટે ગયા હતા ત્યારે ચાર પૈકીના એક યુવાને સિંહના નજીકથી ફોટા લેવા જતા સિંહે તેને દબોચી લઈ ત્યાં જ મીજબાની માણી લેતા અરેરાટી પ્રસરી ગઈ હતી. આ ઘટનાને લઈ વનવિભાગ તથા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આજે બપોરના ૨ થી ૨/૩૦ વાગ્યાના અરસામાં માંગરોળના ચાર યુવાનો દિનેશ ચુનીભાઈ પરમાર, ચંદ્રેશ મોહનભાઈ, રાજુ પરમાર અને જયેશ મુળજીભાઈ પરમાર બાબરા(ગીર)ની જંગલખાતાની અનામત વીડીમાં ગેરકાયદે પ્રવેશ કરી સિંહદર્શન કરવા આવેલ હતા. આ વીડીમાં કુલ ૧૮ જેટલા ખુંખાર વનરાજાઓ વસવાટ કરી રહયા છે. આ યુવાનો સિંહદર્શનનો લાભ લેતા હતા ત્યારે ૧૮ સિંહોનો નાયક કે જેને જાંબો નજીકથી ફોટો લેવા ગયેલા કહેવામા આવે છે. તેના નજીકથી ફોટા લેવાનો પ્રયાસ રાજુ પરમાર(ઉ.વ.૨૮) નામના યુવાન દ્વારા થયો તે વેળાએ જ તેના પર જાંબો સિંહે જીવલેણ હુમલો કરી તેને દબોચી લીધો હતો. અને ત્યાં જ ફાડી ખાધો હતો. આ વેળાએ તેની સાથે રહેલા અન્ય ત્રણ મિત્રોએ દેકારો કરી મુકતા આસપાસની વીડીમાં ઘાસ કાપવાનું કામ કરતા મજુરો દોડી આવ્યા હતા. પણ, ત્યાં સુધીમાં સિંહે તેને પૂરો કરી નાંખ્યો હતો.
બાદમાં આ બાબતે વનવિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા બંને વિભાગનો સ્ટાફ તુરંત ધટના સ્થળે દોડી જઈ ધોરણસરની તપાસ હાથ ધરી છે. સિંહેે યુવાનને ફાડી ખાધાના બનાવની જાણ અન્ય ગામલોકોને થતા ગામ લોકો એકઠા થઈ ગયા હતાં.
દરમિયાન, અમારા માંગરોળના પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે, સિંહનો શિકાર થઈ જનાર રાજુ પરમાર માંગરોળ શહેર ભાજપ પ્રમુખ તથા એડવોકેટ કિશનભાઈ પરમારના ત્રણ ભાઈઓ પૈકીનો સૌથી નાનો ભાઈ હતો. અને સિંહએ તેને ગળાના ભાગે તથા છાતીના ભાગેથી દબોચી તેને ચૂંથી નાંખ્યો હતો. મરનારના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ થયા હતા અને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળેલ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=43040
વન્ય પ્રાણીના મોત અને માનવી ઉપર હુમલાના ૨૪દી’ માં ૧૦ બનાવ.
Nimish Thakar, Junagadh
Sunday, July 19, 2009 02:50 [IST]
Bookmark and Share
ગીર અને ગીરનારનાં જંગલો હવે સિંહ દિપડા જેવાં વન્ય પ્રાણીઓને ટૂંકા પડવા લાગ્યા છે એ વાત બહુ જૂની થઈ ગઈ. તેનાં પરિણામો હવે નજર સમક્ષ આવી ચડયાં છે. ગત જૂન માસ દરમિયાન એકલા જૂનાગઢ જિલ્લામાં માનવી ઉપર સિંહ અને દિપડાના હુમલાનાં કુલ પાંચ બનાવો નોંધાયા છે. આ બધા જ બનાવો જંગલ બહાર માનવવસ્તીમાં નોંધાયા છે. એ સિવાય આ સમયગાળામાં ઈન્ફાઈટ-બિમારી અને વૃદ્ધત્વને લીધે સિંહ કે દીપડાનું મૃત્યુ થયું હોય એવા પાંચ બનાવો નોંધાયા છે.
જૂનાગઢ જિલ્લામાં સિંહ-દીપડાનાં માનવી ઉપર હુમલાનાં સૌથી વધુ ચાર બનાવો ઉના તાલુકામાં બન્યા છે. તા.૭ જૂને ઉનાનાં અંજાર ગામે સિંહે બે ગાયનાં મારણ બાદ ગોવાળ ઉપર હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી. તા.૧૭ જૂનનાં દીવસે બે બનાવો ઉના તાલુકામાં નોંધાયા હતા.
જેમાં સમઢીયાળાની સીમમાં ગાયો પર હુમલો કરવાની દહેશતથી સિંહણને ભગાડવાની કોશીશ કરતા રબારી ઉપર અને નીતલી ગામે કપાસની વાવણી કરતા ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યોહતો.
તા.૨૯ જુને કોડીનાર તાલુકાનાં માલશ્રમ ગામે રાત્રિનાં સમયે ઘરના વાડામાંથી પરત ફરતી પ્રૌઢા ઉપર દીપડાએ હુમલો કર્યોહતો. તા.૩૦ જુને ઉનાનાં કણેરી ગામે બે સગાભાઈઓ સિંહનાં હુમલામાં ઘાયલ થયા હતા. આ બનાવોના કારણોમાં સિંહોનાં ખોરાક મેળવવાની શોધ કારણભૂત હોવાનું માલુમ પડયું છે.
જો વનરાજને જંગલમાં જ ખોરાક મળી રહે તો તે બહાર ભટકે નહી : પરંતુ કમનસીબે એમ બનતુ નથી. બીજી તરફ જેટલા પ્રમાણમાં સિંહોની સંખ્યા વધી એટલો વધારો જંગલ વિસ્તારમાં નથી થયો. સિંહોએ માનવીની અવર જવર વાળા વિસ્તારોમાં જ અનુકુળતા સાધવી પડે છે.
વન્ય પ્રાણીનાં મોતનાં બનાવો છેલ્લા ૨૩ દિવસ દરમિયાન પાંચ જેટલા નોંધાયા છે. આ પાંચ બનાવોમાં એક સિંહ, બે સિંહણ, એક દીપડો અને એક દીપડીનો સમાવેશ થાય છે. આ પાંચ બનાવોમાં તા.૨૧ જૂને એક સિંહણનું મોત વૃદ્ધત્વને લીધે થયું હતું. એ સિવાય તા.૮ જુનનાં ઉનાનાં સરાકડીયાના બનાવમાં દીપડાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
જશાધાર એનીમલકેર સેન્ટર ખાતે પણ તા.૮ જુને જ સારવાર માટે લાવવામાં આવેલી બિમાર સિંહણનું મોત થયું હતું. માળીયા હાટીનાની બાબરાવીડી નજીક તા.૧૭ જૂને સિંહ સાથેની ઈન્ફાઈટમાં દીપડી મૃત્યુ પામી હતી. જયારે તા.૨૩ જુને બાબરાવીડીનાં મહોબતગઢ વિસ્તારમા સર્પદંશને લીધે એક સિંહ મૃત્યુ પામ્યો હતો.
Source: http://www.divyabhaskar.co.in/2009/07/19/0907190253_three_lion_and_two_leopard_dead_in_june_month.html
Sunday, July 19, 2009 02:50 [IST]
Bookmark and Share
ગીર અને ગીરનારનાં જંગલો હવે સિંહ દિપડા જેવાં વન્ય પ્રાણીઓને ટૂંકા પડવા લાગ્યા છે એ વાત બહુ જૂની થઈ ગઈ. તેનાં પરિણામો હવે નજર સમક્ષ આવી ચડયાં છે. ગત જૂન માસ દરમિયાન એકલા જૂનાગઢ જિલ્લામાં માનવી ઉપર સિંહ અને દિપડાના હુમલાનાં કુલ પાંચ બનાવો નોંધાયા છે. આ બધા જ બનાવો જંગલ બહાર માનવવસ્તીમાં નોંધાયા છે. એ સિવાય આ સમયગાળામાં ઈન્ફાઈટ-બિમારી અને વૃદ્ધત્વને લીધે સિંહ કે દીપડાનું મૃત્યુ થયું હોય એવા પાંચ બનાવો નોંધાયા છે.
જૂનાગઢ જિલ્લામાં સિંહ-દીપડાનાં માનવી ઉપર હુમલાનાં સૌથી વધુ ચાર બનાવો ઉના તાલુકામાં બન્યા છે. તા.૭ જૂને ઉનાનાં અંજાર ગામે સિંહે બે ગાયનાં મારણ બાદ ગોવાળ ઉપર હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી. તા.૧૭ જૂનનાં દીવસે બે બનાવો ઉના તાલુકામાં નોંધાયા હતા.
જેમાં સમઢીયાળાની સીમમાં ગાયો પર હુમલો કરવાની દહેશતથી સિંહણને ભગાડવાની કોશીશ કરતા રબારી ઉપર અને નીતલી ગામે કપાસની વાવણી કરતા ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યોહતો.
તા.૨૯ જુને કોડીનાર તાલુકાનાં માલશ્રમ ગામે રાત્રિનાં સમયે ઘરના વાડામાંથી પરત ફરતી પ્રૌઢા ઉપર દીપડાએ હુમલો કર્યોહતો. તા.૩૦ જુને ઉનાનાં કણેરી ગામે બે સગાભાઈઓ સિંહનાં હુમલામાં ઘાયલ થયા હતા. આ બનાવોના કારણોમાં સિંહોનાં ખોરાક મેળવવાની શોધ કારણભૂત હોવાનું માલુમ પડયું છે.
જો વનરાજને જંગલમાં જ ખોરાક મળી રહે તો તે બહાર ભટકે નહી : પરંતુ કમનસીબે એમ બનતુ નથી. બીજી તરફ જેટલા પ્રમાણમાં સિંહોની સંખ્યા વધી એટલો વધારો જંગલ વિસ્તારમાં નથી થયો. સિંહોએ માનવીની અવર જવર વાળા વિસ્તારોમાં જ અનુકુળતા સાધવી પડે છે.
વન્ય પ્રાણીનાં મોતનાં બનાવો છેલ્લા ૨૩ દિવસ દરમિયાન પાંચ જેટલા નોંધાયા છે. આ પાંચ બનાવોમાં એક સિંહ, બે સિંહણ, એક દીપડો અને એક દીપડીનો સમાવેશ થાય છે. આ પાંચ બનાવોમાં તા.૨૧ જૂને એક સિંહણનું મોત વૃદ્ધત્વને લીધે થયું હતું. એ સિવાય તા.૮ જુનનાં ઉનાનાં સરાકડીયાના બનાવમાં દીપડાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
જશાધાર એનીમલકેર સેન્ટર ખાતે પણ તા.૮ જુને જ સારવાર માટે લાવવામાં આવેલી બિમાર સિંહણનું મોત થયું હતું. માળીયા હાટીનાની બાબરાવીડી નજીક તા.૧૭ જૂને સિંહ સાથેની ઈન્ફાઈટમાં દીપડી મૃત્યુ પામી હતી. જયારે તા.૨૩ જુને બાબરાવીડીનાં મહોબતગઢ વિસ્તારમા સર્પદંશને લીધે એક સિંહ મૃત્યુ પામ્યો હતો.
Source: http://www.divyabhaskar.co.in/2009/07/19/0907190253_three_lion_and_two_leopard_dead_in_june_month.html
ભારતમાં શું ખરેખર ૧,૪૧૧ વાઘ બચ્યા છે ખરા ?
ન્યૂઝ વ્યુઝ
આના લેખક છે GSNEWS
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010
ભારતમાં વાઘોનો શિકાર કરીને તેની ચીનમાં નિકાસ કરતી આંતરરાષ્ટ્રીય માફિયા ટોળીઓ કામ કરી રહી છે
'ભારતમાં માત્ર ૧,૪૧૧ વાઘ બચ્યા છે' એ મતલબનો સંદેશો આપતી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની જાહેરખબર કોઈ પણ સંવેદનશીલ નાગરિકનું હૃદય પિગળાવી દે તેવી છે. આ ઝુંબેશને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે કેન્દ્રના વન અને પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે ધડાકો કર્યો છે કે, ૧,૪૧૧નો આંકડો અતિશયોક્તિભર્યો છે. ભારતના વિવિધ વ્યાઘ્ર અભ્યારણોમાં છેલ્લા ૧૪ મહિનામાં જ ૭૨ વાઘ શિકારીઓનો ભોગ બની ગયા છે. ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં કુલ ૧૬૪ વાઘ હોવાનું કહેવાય છે, પણ તેની આજુબાજુ બની રહેલી હોટેલો માટે જંગલ કપાતાં તેમાંના અનેક વાઘો ખતમ થઇ ગયા છે. આવી જ હાલત અન્ય અભ્યારણોની છે. આ સંયોગોમાં, ૧૪૧૧ પૈકી પણ કેટલા વાઘ હયાત હશે તે કોયડો છે.
પર્યાવરણવિદો કહે છે કે આખી દુનિયામાં જંગલોમાં કુલ ૩૨૦૦ વાઘ જ બચ્યા છે. ચીનમાં તો વાઘનો એટલી મોટી સંખ્યામાં શિકાર થઇ ગયો છે કે ચીનનાં જંગલોમાં માત્ર ૨૦ જેટલા જ વાઘ જીવતા રહ્યા છે. ચીનમાં વાઘના ચામડાની, વાઘનખની અને વાઘના હાડકાંની એટલી મોટી બજાર છે કે ચીનમાં હવે ફાર્મમાં વાઘનો ઉછેર કરીને તેની કતલ કરવામાં આવી રહી છે. ચીનની સરકારે ઇ.સ. ૧૯૯૩ની સાલથી વાઘના ચામડા, હાડકાં વગેરેના વેપાર ઉપર પ્રતિબંધ મૂકયો છે, તો પણ ગેરકાયદે વેપાર ધમધમી રહ્યો છે. હકીકતમાંભારતમાં જે વાઘોનો શિકાર થાય છે તેના શરીરના ભાગો નેપાળ માર્ગે ચીન પહોંચી જાય છે. ભારતમાં વાઘોનો શિકાર કરીને તેની ચીનમાં નિકાસ કરતી આંતરરાષ્ટ્રીય માફિયા ટોળીઓ કામ કરી રહી છે.
ચીનના શ્રીમંતોને પોતાના દીવાનખંડને વ્યાઘ્રચર્મથી શોભાવવાનો ચસકો લાગ્યો છે. તેઓ વાઘની એક ચામડીના બદલામાં ૨૦,૦૦૦ ડોલર (આશરે ૧૦ લાખ રૃપિયા) જેવી જંગી કિંમત ચૂકવવા તૈયાર થઇ જાય છે. ચીનમાં વાઘના માત્ર પંજાના ૧,૦૦૦ ડોલર (આશરે ૫૦,૦૦૦ રૃપિયા) ઉપજે છે. વાઘના હાડકામાં વાજીકરણની શક્તિ હોવાનું ચીનના લોકો માને છે. ચીનના પરંપરાગત ઔષધશાસ્ત્રમાં પણ વાઘના હાડકામાંથી કામશક્તિ વધારતી અનેક દવાઓ બનાવવાની વિધિ બતાવવામાં આવી છે. ચીનમાં એક ખાસ જાતનો દારૃ મળે છે, જે વાઘના હાડકાંને મેળવીને બનાવવામાં આવે છે. આ દારૃ વાઘના આકારની બોટલમાં જ મળે છે. આ દારૃ પીવાથી સેકસની તાકાત વધતી હોવા ઉપરાંત સાંધાના દુઃખાવામાં પણ રાહત થાય છે, એવો દાવો તેના વેચનારાઓ કરે છે. ચીનની મુલાકાતે આવતાં વિદેશી સહેલાણીઓ પણ આ દવાની અનેક બોટલો ખરીદીને પોતાના દેશમાં લઇ જાય છે.
ચીનમાં વર્ષોથી ચાલી રહેલા વાઘના શિકારને કારણે જંગલોમાં વાઘ તો લગભગ ખતમ થઇ ગયા છે. આ કારણે ચીનની સરકારે હવે કતલ માટે ફાર્મમાં વાઘનો ઉછેર કરવાની પરવાનગી આપી દીધી છે. ચીનના ઝીયોંગસેન ટાઇગર રિઝર્વમાં આ રીતે આશરે ૧૫૦૦ વાઘોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. ભારતમાં જેમ કતલ માટે વાડામાં ભૂંડનો ઉછેર કરવામાં આવે છે તેમ ચીનમાં કતલ માટે વાઘનો ઉછેર કરવામાં આવે છે. આ વાઘોને કયાં તો પિંજરામાં પૂરી રાખવામાં આવે છે અને કયાં ઊંચી દિવાલો ધરાવતા વાડામાં છોડી દેવામાં આવે છે. આ વાડામાં એક પણ વૃક્ષ નથી હોતું અને કુદરતી વાતાવરણ પણ નથી હોતું. આ વાતાવરણમાં નર અને માદા વાઘ વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે. આ રીતે જે વાઘો પેદા કરવામાં આવે તેઓ જંગલમાં રહેવાની ક્ષમતા પણ ગુમાવી બેસતા હોય છે. આજથી બે વર્ષ અગાઉ તો ઝીયોંગસેનની રેસ્ટોરાંમાં વાઘના માંસની વાનગીઓ પણ પીરસવામાં આવતી હતી. અખબારોમાં તેને વ્યાપક પ્રસિદ્ધિ મળી તેને કારણે વિરોધ થતાં આ પ્રથા બંધ કરવામાં આવી છે, પણ વાઘના હાડકામાં ઉકાળેલો દારૃ તો હજી પણ છૂટથી વેચાય છે. ઝીયોંગસેનની એક જ દુકાનમાં આ પ્રકારના દારૃની ૨૦૦૦૦ બોટલો દર વર્ષે વેચાઇ જાય છે. ચીનમાં આવા ૨૦ ટાઇગર ફાર્મ આવેલા છે.
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં તડોબા નામનું વાઘનું અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્યની નજીક કોલસાની ખાણો માટે ગુજરાતની અદાણી પાવર કંપનીએ લાઇસન્સ માંગ્યું હતું. આ સૂચિત પ્રોજેકટ સામે સ્થાનિક પ્રજાએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ સામે ઝૂકી જઈને કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયે લોહારા ખાણના પ્રોજેકટને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. અદાણી જૂથ ગોંદિયા જિલ્લામાં ૧૮૦૦ મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ નાંખવા માંગે છે. આ જિલ્લો એનસીપીના નેતા અને કેન્દ્રના નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાન પ્રફુલ પટેલનો મત વિસ્તાર છે. અદાણીના પાવર પ્લાન્ટ માટે કોલસાની ખાણને મંજૂરી અપાવવા પ્રફુલ પટેલે ખૂબ પ્રયાસો કર્યા હતા, પણ કેન્દ્રના પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે વાઘને બચાવવા કોલસાની ખાણને જાકારો આપી દીધો છે.
સામ્યવાદી ચીનમાં ઇ.સ. ૨૦૧૦ ની ઉજવણી વ્યાઘ્ર વર્ષ તરીકે કરવામાં આવી રહી છે. તેને કારણે ભારતમાં વાઘનો શિકાર અટકે એવી આશા બહુ ઓછી છે. ભારતમાં ઇ.સ. ૧૯૭૨ની સાલમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટ ટાઇગર યોજના શરૃ કરવામાં આવી તેનાં થોડાં વર્ષોમાં વાઘની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી હતી. આજથી ૧૦૦ વર્ષ અગાઉ ભારતમાં આશરે એક લાખ વાઘ હતા. ઇ.સ. ૨૦૦૨ સુધી ભારતના ૩૭ વ્યાઘ્ર અભયારણ્યમાં ૪૦૦૦ વાઘો હયાત હતા. છેલ્લા દસકામાં વાઘના શિકારનું પ્રમાણ અત્યંત વધી ગયું છે. રાજસ્થાનમાં આવેલા વિખ્યાત રણથંભોર નેશનલ પાર્કના બધા વાઘો ખતમ થઇ ગયા છે. અત્યારે ભારતમાં વાઘની સંખ્યા ઘટીને હજાર ઉપર પહોંચી ગઈ છે.
ભારતમાં વાઘનો શિકાર કરતાં શિકારીઓ ચીનની ગેન્ગ સાથે સંકળાયેલા હોય છે. તેઓ સ્થાનિક વનવાસીઓને લાલચ આપીને તેમની પાસેથી વાઘની ભાળ મેળવે છે. ભારતના જંગલ રક્ષકોને જરીપુરાણા તમંચાઓ આપવામાં આવે છે, જયારે વાઘનો શિકાર કરતા માફિયાઓ પાસે એકે-૪૭ જેવી અદ્યતન રાઇફલો હોય છે. ભારતમાં વાઘનો શિકાર કરનાર શિકારીને ૨૦,૦૦૦ રૃપિયા જેવી મામૂલી રકમ જ મળે છે. આ વાઘની ચામડી બિજીંગ પહોંચે ત્યારે તેની કિંમત ૧૦ લાખ રૃપિયા ઉપર પહોંચી જાય છે. ચીનમાં તો વાઘના લોહીનો ઉપયોગ પણ દવા બનાવવા માટે કરવામાં આવે છે. ભારતમાં વાઘનો શિકાર કરવા માટે માફિયાઓ અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. તેઓ જે તળાવમાં વાઘ પાણી પીવા આવતા હોય તેના પાણીમાં ઝેર ભેળવી દે છે. આ પાણી પીને વાઘ મૃત્યુ પામે છે. ગયે વર્ષે ભારતનાં અભયારણ્યોમાં જેટલા વાઘોનાં મોત થયાં હતાં તેમાંના બે તૃતિયાંશ આ રીતે મરેલા મળી આવ્યા હતા. આ રીતે મૃત્યુ પામેલા વાઘની ચામડી છેવટે ફોરેસ્ટ ઓફિસરોને લાંચ આપીને શિકારીઓના હાથમાં જ આવી જાય છે. ભારતમાં વાઘના જે ૩૭ અભયારણ્ય છે, તેમાંના બેમાંથી વાઘ અદ્રશ્ય થઇ ગયા છે અને બાકીના પૈકી ૧૦માંથી અદ્રશ્ય થવાની તૈયારીમાં છે.
રાજસ્થાનમાં રણથંભોરના વાઘ શિકારીઓની ગોળીનો ભોગ બન્યા છે તો બંગાળમાં આવેલા સુંદરવનના વાઘ ગ્લોબલ વોર્મિંગનો શિકાર બની રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવનનું અભયારણ્ય ગંગા નદી જયાં સમુદ્રને મળે છે ત્યાં આવેલું છે. આ વિસ્તારમાં દરિયાની સપાટી સતત વધી રહી છે, જેને કારણે અભયારણ્યનો વિસ્તાર સતત સંકોચાઇ રહ્યો છે. જો ઇ.સ. ૨૦૦૦ના સ્તરથી પાણી ૧૧ ઇંચ જેટલું ઉંચે આવશે તો સુંદરવનનો વિસ્તાર ૯૬ ટકા જેટલો ઓછો થઇ જશે. આ સંયોગોમાં સુંદરવનમાં વાઘની સંખ્યા ઘટીને ૨૦ ઉપર પહોંચી જશે. સુંદરવનના વાઘો પોતાના વિસ્તારમાંથી બહાર આવીને નજીકનાં ગામડાંઓમાં ફરી રહ્યા છે. આ વાઘોથી પોતાના જાનવરોની રક્ષા કરવા ગામડાંના લોકો તેમને ઝેર આપીને મારી નાંખે છે.
ઉત્તરાખંડમાં આવેલો જીમ કોર્બેટ નેશનલ પાર્ક વિદેશી સહેલાણીઓનો માનીતો છે. તેની મુલાકાતે જે પ્રવાસીઓ આવે છે તેઓ જંગલમાં અથવા જંગલની નજીક રહેવાનો જ આગ્રહ રાખે છે. આ કારણે જંગલની ફરતે આવેલા સંવેદશીલ વિસ્તારમાં હોટેલોની સંખ્યા વધી રહી છે. નવી હોટેલોની સ્થાપના કરવા માટે વૃક્ષોનો સંહાર કરવામાં આવે છે. આ રીતે જંગલ પાંખું બની રહ્યું છે. વાઘ જોવા આવતા ટુરિસ્ટોની અવરજવરને કારણે જ વાઘોની સંખ્યા ઘટી રહી છે. આ હોટેલોમાંથી અનેકની માલિકી સ્થાનિક રાજકારણીઓની અથવા તેમના સગાવહાલાઓની છે. પર્યટન ઉદ્યોગ પણ વાઇલ્ડ લાઇફના વિનાશ માટે જવાબદાર છે. ભારતનાં અભયારણ્યોમાં ૧,૪૧૧ વાઘ તો નથી એવું ખુદ પર્યાવરણ પ્રધાને કબૂલ કર્યું છે. હવે ખરેખર કેટલા વાઘ જીવે છે તેની કદાચ તેમને પણ ખબર નથી.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56326/315/
આના લેખક છે GSNEWS
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010
ભારતમાં વાઘોનો શિકાર કરીને તેની ચીનમાં નિકાસ કરતી આંતરરાષ્ટ્રીય માફિયા ટોળીઓ કામ કરી રહી છે
'ભારતમાં માત્ર ૧,૪૧૧ વાઘ બચ્યા છે' એ મતલબનો સંદેશો આપતી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની જાહેરખબર કોઈ પણ સંવેદનશીલ નાગરિકનું હૃદય પિગળાવી દે તેવી છે. આ ઝુંબેશને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે કેન્દ્રના વન અને પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે ધડાકો કર્યો છે કે, ૧,૪૧૧નો આંકડો અતિશયોક્તિભર્યો છે. ભારતના વિવિધ વ્યાઘ્ર અભ્યારણોમાં છેલ્લા ૧૪ મહિનામાં જ ૭૨ વાઘ શિકારીઓનો ભોગ બની ગયા છે. ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં કુલ ૧૬૪ વાઘ હોવાનું કહેવાય છે, પણ તેની આજુબાજુ બની રહેલી હોટેલો માટે જંગલ કપાતાં તેમાંના અનેક વાઘો ખતમ થઇ ગયા છે. આવી જ હાલત અન્ય અભ્યારણોની છે. આ સંયોગોમાં, ૧૪૧૧ પૈકી પણ કેટલા વાઘ હયાત હશે તે કોયડો છે.
પર્યાવરણવિદો કહે છે કે આખી દુનિયામાં જંગલોમાં કુલ ૩૨૦૦ વાઘ જ બચ્યા છે. ચીનમાં તો વાઘનો એટલી મોટી સંખ્યામાં શિકાર થઇ ગયો છે કે ચીનનાં જંગલોમાં માત્ર ૨૦ જેટલા જ વાઘ જીવતા રહ્યા છે. ચીનમાં વાઘના ચામડાની, વાઘનખની અને વાઘના હાડકાંની એટલી મોટી બજાર છે કે ચીનમાં હવે ફાર્મમાં વાઘનો ઉછેર કરીને તેની કતલ કરવામાં આવી રહી છે. ચીનની સરકારે ઇ.સ. ૧૯૯૩ની સાલથી વાઘના ચામડા, હાડકાં વગેરેના વેપાર ઉપર પ્રતિબંધ મૂકયો છે, તો પણ ગેરકાયદે વેપાર ધમધમી રહ્યો છે. હકીકતમાંભારતમાં જે વાઘોનો શિકાર થાય છે તેના શરીરના ભાગો નેપાળ માર્ગે ચીન પહોંચી જાય છે. ભારતમાં વાઘોનો શિકાર કરીને તેની ચીનમાં નિકાસ કરતી આંતરરાષ્ટ્રીય માફિયા ટોળીઓ કામ કરી રહી છે.
ચીનના શ્રીમંતોને પોતાના દીવાનખંડને વ્યાઘ્રચર્મથી શોભાવવાનો ચસકો લાગ્યો છે. તેઓ વાઘની એક ચામડીના બદલામાં ૨૦,૦૦૦ ડોલર (આશરે ૧૦ લાખ રૃપિયા) જેવી જંગી કિંમત ચૂકવવા તૈયાર થઇ જાય છે. ચીનમાં વાઘના માત્ર પંજાના ૧,૦૦૦ ડોલર (આશરે ૫૦,૦૦૦ રૃપિયા) ઉપજે છે. વાઘના હાડકામાં વાજીકરણની શક્તિ હોવાનું ચીનના લોકો માને છે. ચીનના પરંપરાગત ઔષધશાસ્ત્રમાં પણ વાઘના હાડકામાંથી કામશક્તિ વધારતી અનેક દવાઓ બનાવવાની વિધિ બતાવવામાં આવી છે. ચીનમાં એક ખાસ જાતનો દારૃ મળે છે, જે વાઘના હાડકાંને મેળવીને બનાવવામાં આવે છે. આ દારૃ વાઘના આકારની બોટલમાં જ મળે છે. આ દારૃ પીવાથી સેકસની તાકાત વધતી હોવા ઉપરાંત સાંધાના દુઃખાવામાં પણ રાહત થાય છે, એવો દાવો તેના વેચનારાઓ કરે છે. ચીનની મુલાકાતે આવતાં વિદેશી સહેલાણીઓ પણ આ દવાની અનેક બોટલો ખરીદીને પોતાના દેશમાં લઇ જાય છે.
ચીનમાં વર્ષોથી ચાલી રહેલા વાઘના શિકારને કારણે જંગલોમાં વાઘ તો લગભગ ખતમ થઇ ગયા છે. આ કારણે ચીનની સરકારે હવે કતલ માટે ફાર્મમાં વાઘનો ઉછેર કરવાની પરવાનગી આપી દીધી છે. ચીનના ઝીયોંગસેન ટાઇગર રિઝર્વમાં આ રીતે આશરે ૧૫૦૦ વાઘોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. ભારતમાં જેમ કતલ માટે વાડામાં ભૂંડનો ઉછેર કરવામાં આવે છે તેમ ચીનમાં કતલ માટે વાઘનો ઉછેર કરવામાં આવે છે. આ વાઘોને કયાં તો પિંજરામાં પૂરી રાખવામાં આવે છે અને કયાં ઊંચી દિવાલો ધરાવતા વાડામાં છોડી દેવામાં આવે છે. આ વાડામાં એક પણ વૃક્ષ નથી હોતું અને કુદરતી વાતાવરણ પણ નથી હોતું. આ વાતાવરણમાં નર અને માદા વાઘ વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે. આ રીતે જે વાઘો પેદા કરવામાં આવે તેઓ જંગલમાં રહેવાની ક્ષમતા પણ ગુમાવી બેસતા હોય છે. આજથી બે વર્ષ અગાઉ તો ઝીયોંગસેનની રેસ્ટોરાંમાં વાઘના માંસની વાનગીઓ પણ પીરસવામાં આવતી હતી. અખબારોમાં તેને વ્યાપક પ્રસિદ્ધિ મળી તેને કારણે વિરોધ થતાં આ પ્રથા બંધ કરવામાં આવી છે, પણ વાઘના હાડકામાં ઉકાળેલો દારૃ તો હજી પણ છૂટથી વેચાય છે. ઝીયોંગસેનની એક જ દુકાનમાં આ પ્રકારના દારૃની ૨૦૦૦૦ બોટલો દર વર્ષે વેચાઇ જાય છે. ચીનમાં આવા ૨૦ ટાઇગર ફાર્મ આવેલા છે.
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં તડોબા નામનું વાઘનું અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્યની નજીક કોલસાની ખાણો માટે ગુજરાતની અદાણી પાવર કંપનીએ લાઇસન્સ માંગ્યું હતું. આ સૂચિત પ્રોજેકટ સામે સ્થાનિક પ્રજાએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ સામે ઝૂકી જઈને કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયે લોહારા ખાણના પ્રોજેકટને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. અદાણી જૂથ ગોંદિયા જિલ્લામાં ૧૮૦૦ મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ નાંખવા માંગે છે. આ જિલ્લો એનસીપીના નેતા અને કેન્દ્રના નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાન પ્રફુલ પટેલનો મત વિસ્તાર છે. અદાણીના પાવર પ્લાન્ટ માટે કોલસાની ખાણને મંજૂરી અપાવવા પ્રફુલ પટેલે ખૂબ પ્રયાસો કર્યા હતા, પણ કેન્દ્રના પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે વાઘને બચાવવા કોલસાની ખાણને જાકારો આપી દીધો છે.
સામ્યવાદી ચીનમાં ઇ.સ. ૨૦૧૦ ની ઉજવણી વ્યાઘ્ર વર્ષ તરીકે કરવામાં આવી રહી છે. તેને કારણે ભારતમાં વાઘનો શિકાર અટકે એવી આશા બહુ ઓછી છે. ભારતમાં ઇ.સ. ૧૯૭૨ની સાલમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટ ટાઇગર યોજના શરૃ કરવામાં આવી તેનાં થોડાં વર્ષોમાં વાઘની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી હતી. આજથી ૧૦૦ વર્ષ અગાઉ ભારતમાં આશરે એક લાખ વાઘ હતા. ઇ.સ. ૨૦૦૨ સુધી ભારતના ૩૭ વ્યાઘ્ર અભયારણ્યમાં ૪૦૦૦ વાઘો હયાત હતા. છેલ્લા દસકામાં વાઘના શિકારનું પ્રમાણ અત્યંત વધી ગયું છે. રાજસ્થાનમાં આવેલા વિખ્યાત રણથંભોર નેશનલ પાર્કના બધા વાઘો ખતમ થઇ ગયા છે. અત્યારે ભારતમાં વાઘની સંખ્યા ઘટીને હજાર ઉપર પહોંચી ગઈ છે.
ભારતમાં વાઘનો શિકાર કરતાં શિકારીઓ ચીનની ગેન્ગ સાથે સંકળાયેલા હોય છે. તેઓ સ્થાનિક વનવાસીઓને લાલચ આપીને તેમની પાસેથી વાઘની ભાળ મેળવે છે. ભારતના જંગલ રક્ષકોને જરીપુરાણા તમંચાઓ આપવામાં આવે છે, જયારે વાઘનો શિકાર કરતા માફિયાઓ પાસે એકે-૪૭ જેવી અદ્યતન રાઇફલો હોય છે. ભારતમાં વાઘનો શિકાર કરનાર શિકારીને ૨૦,૦૦૦ રૃપિયા જેવી મામૂલી રકમ જ મળે છે. આ વાઘની ચામડી બિજીંગ પહોંચે ત્યારે તેની કિંમત ૧૦ લાખ રૃપિયા ઉપર પહોંચી જાય છે. ચીનમાં તો વાઘના લોહીનો ઉપયોગ પણ દવા બનાવવા માટે કરવામાં આવે છે. ભારતમાં વાઘનો શિકાર કરવા માટે માફિયાઓ અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. તેઓ જે તળાવમાં વાઘ પાણી પીવા આવતા હોય તેના પાણીમાં ઝેર ભેળવી દે છે. આ પાણી પીને વાઘ મૃત્યુ પામે છે. ગયે વર્ષે ભારતનાં અભયારણ્યોમાં જેટલા વાઘોનાં મોત થયાં હતાં તેમાંના બે તૃતિયાંશ આ રીતે મરેલા મળી આવ્યા હતા. આ રીતે મૃત્યુ પામેલા વાઘની ચામડી છેવટે ફોરેસ્ટ ઓફિસરોને લાંચ આપીને શિકારીઓના હાથમાં જ આવી જાય છે. ભારતમાં વાઘના જે ૩૭ અભયારણ્ય છે, તેમાંના બેમાંથી વાઘ અદ્રશ્ય થઇ ગયા છે અને બાકીના પૈકી ૧૦માંથી અદ્રશ્ય થવાની તૈયારીમાં છે.
રાજસ્થાનમાં રણથંભોરના વાઘ શિકારીઓની ગોળીનો ભોગ બન્યા છે તો બંગાળમાં આવેલા સુંદરવનના વાઘ ગ્લોબલ વોર્મિંગનો શિકાર બની રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવનનું અભયારણ્ય ગંગા નદી જયાં સમુદ્રને મળે છે ત્યાં આવેલું છે. આ વિસ્તારમાં દરિયાની સપાટી સતત વધી રહી છે, જેને કારણે અભયારણ્યનો વિસ્તાર સતત સંકોચાઇ રહ્યો છે. જો ઇ.સ. ૨૦૦૦ના સ્તરથી પાણી ૧૧ ઇંચ જેટલું ઉંચે આવશે તો સુંદરવનનો વિસ્તાર ૯૬ ટકા જેટલો ઓછો થઇ જશે. આ સંયોગોમાં સુંદરવનમાં વાઘની સંખ્યા ઘટીને ૨૦ ઉપર પહોંચી જશે. સુંદરવનના વાઘો પોતાના વિસ્તારમાંથી બહાર આવીને નજીકનાં ગામડાંઓમાં ફરી રહ્યા છે. આ વાઘોથી પોતાના જાનવરોની રક્ષા કરવા ગામડાંના લોકો તેમને ઝેર આપીને મારી નાંખે છે.
ઉત્તરાખંડમાં આવેલો જીમ કોર્બેટ નેશનલ પાર્ક વિદેશી સહેલાણીઓનો માનીતો છે. તેની મુલાકાતે જે પ્રવાસીઓ આવે છે તેઓ જંગલમાં અથવા જંગલની નજીક રહેવાનો જ આગ્રહ રાખે છે. આ કારણે જંગલની ફરતે આવેલા સંવેદશીલ વિસ્તારમાં હોટેલોની સંખ્યા વધી રહી છે. નવી હોટેલોની સ્થાપના કરવા માટે વૃક્ષોનો સંહાર કરવામાં આવે છે. આ રીતે જંગલ પાંખું બની રહ્યું છે. વાઘ જોવા આવતા ટુરિસ્ટોની અવરજવરને કારણે જ વાઘોની સંખ્યા ઘટી રહી છે. આ હોટેલોમાંથી અનેકની માલિકી સ્થાનિક રાજકારણીઓની અથવા તેમના સગાવહાલાઓની છે. પર્યટન ઉદ્યોગ પણ વાઇલ્ડ લાઇફના વિનાશ માટે જવાબદાર છે. ભારતનાં અભયારણ્યોમાં ૧,૪૧૧ વાઘ તો નથી એવું ખુદ પર્યાવરણ પ્રધાને કબૂલ કર્યું છે. હવે ખરેખર કેટલા વાઘ જીવે છે તેની કદાચ તેમને પણ ખબર નથી.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56326/315/
પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા દૈનિક રપ૦ કિલો બરફનો ઉપયોગ.
જૂનાગઢ, તા.૩૦:
ઉનાળાની શરૃઆતમાં જ કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી મૂક્યા છે ત્યારે જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં પાણીના છંટકાવ દ્વારા પ્રાણીઓને અપાતી ઠંડકમાં નવતર પ્રયોગના ભાગરૃપે પાણીને વધુ ઠંડુ બનાવવા માટે દરરોજ રપ૦ કિલો બરફનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ પાણી વાઘ અને રીંછના પાંજરામાં છાંટવામાં આવી રહ્યું છે.
દેશના અગ્રણી પ્રાણીસંગ્રહાલયોમાં સ્થાન ધરાવતા સક્કરબાગ ઝૂમાં દરવર્ષે ઉનાળા દરમિયાન પ્રાણીઓ સહિતના વન્યજીવો માટે ઠંડકની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. પરંતુ આ વખતે ઝૂ સત્તાવાળાઓ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉનાળામાં બપોરના સમયે પાણી પણ ગરમ થઈ જતું હોવાથી છંટકાવ કરવા છતા ઓછુ અસરકારક રહેતું હતું. માટે પાણીની ટાંકીમાં દરરોજ રપ૦ કિલો જેટલો બરફ નાખીને વધારે ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાઘ અને કાળા રીંછના પાંજરામાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે હાલમાં ગરમી ઓછી થઈ હોવાથી બરફ એકકાંતરા ઉમેરવામાં આવે છે.
ઝૂ ડાયરેક્ટર વી.જે.રાણાના કહેવા પ્રમાણે વન્યજીવોને ગરમીથી બચાવવા માટે સિંહના પાંજરામાં ખાસ ફૂવારા અને પક્ષીઓનાં પાંજરામાં કંતાનો લપેટીને વ્યવસ્થા ઉભી કરાઈ છે. કંતાનો પર દર બે કાલકે પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે. તેમજ વન્યજીવોને ઠંકડ આપવા માટે પાંચ કર્મચારીઓને માત્ર આ કામગીરી જ સોંપવામાં આવી છે. સક્કરબાગ ઝૂના દરેક પ્રાણી, જળચર, પક્ષી અને સરીસૃપો માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બ્લડ લાઈન ચેન્જ માટે માદા હિપો, સારસ અને વરૃ લવાયા
જૂનાગઢ તા.ર૯ : સકકરબાગછ ઝુ મા ચાલી રહેલા વન્ય પ્રાણીઓના બ્રિડીંગ સેન્ટર માટે ૧૪ વર્ષની માદા હિપોપોટેમસ તેમજ એક જોડી સારસ પક્ષી અને એક જોડી વરૃને લાવવામાં આવ્યા છે. જૂનાગઢના સકકરબાગ ઝૂ માં આ તમામ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ છે. પરંતુ બ્લડ લાઈન ચેન્જ કરવા માટે અઠવાડીયા અગાઉ આ નવા જીવો લવાયા છે. જેમાં ૧૪ વર્ષનો માદા હિપો કાનપુર ઝુ તેમજ બે સારસ અને એક વરૃ લખનૌ તથા એક વરૃ જયપુરથી લાવવામાં આવ્યું છે. ઝુ માં ડાયરેકટર રાણાના જણાવ્ય પ્રમાણે બ્રિડીંગમાં જાતોમાં વિવિધતા આવે તેના માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173236
ઉનાળાની શરૃઆતમાં જ કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી મૂક્યા છે ત્યારે જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં પાણીના છંટકાવ દ્વારા પ્રાણીઓને અપાતી ઠંડકમાં નવતર પ્રયોગના ભાગરૃપે પાણીને વધુ ઠંડુ બનાવવા માટે દરરોજ રપ૦ કિલો બરફનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ પાણી વાઘ અને રીંછના પાંજરામાં છાંટવામાં આવી રહ્યું છે.
દેશના અગ્રણી પ્રાણીસંગ્રહાલયોમાં સ્થાન ધરાવતા સક્કરબાગ ઝૂમાં દરવર્ષે ઉનાળા દરમિયાન પ્રાણીઓ સહિતના વન્યજીવો માટે ઠંડકની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. પરંતુ આ વખતે ઝૂ સત્તાવાળાઓ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉનાળામાં બપોરના સમયે પાણી પણ ગરમ થઈ જતું હોવાથી છંટકાવ કરવા છતા ઓછુ અસરકારક રહેતું હતું. માટે પાણીની ટાંકીમાં દરરોજ રપ૦ કિલો જેટલો બરફ નાખીને વધારે ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાઘ અને કાળા રીંછના પાંજરામાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે હાલમાં ગરમી ઓછી થઈ હોવાથી બરફ એકકાંતરા ઉમેરવામાં આવે છે.
ઝૂ ડાયરેક્ટર વી.જે.રાણાના કહેવા પ્રમાણે વન્યજીવોને ગરમીથી બચાવવા માટે સિંહના પાંજરામાં ખાસ ફૂવારા અને પક્ષીઓનાં પાંજરામાં કંતાનો લપેટીને વ્યવસ્થા ઉભી કરાઈ છે. કંતાનો પર દર બે કાલકે પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે. તેમજ વન્યજીવોને ઠંકડ આપવા માટે પાંચ કર્મચારીઓને માત્ર આ કામગીરી જ સોંપવામાં આવી છે. સક્કરબાગ ઝૂના દરેક પ્રાણી, જળચર, પક્ષી અને સરીસૃપો માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બ્લડ લાઈન ચેન્જ માટે માદા હિપો, સારસ અને વરૃ લવાયા
જૂનાગઢ તા.ર૯ : સકકરબાગછ ઝુ મા ચાલી રહેલા વન્ય પ્રાણીઓના બ્રિડીંગ સેન્ટર માટે ૧૪ વર્ષની માદા હિપોપોટેમસ તેમજ એક જોડી સારસ પક્ષી અને એક જોડી વરૃને લાવવામાં આવ્યા છે. જૂનાગઢના સકકરબાગ ઝૂ માં આ તમામ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ છે. પરંતુ બ્લડ લાઈન ચેન્જ કરવા માટે અઠવાડીયા અગાઉ આ નવા જીવો લવાયા છે. જેમાં ૧૪ વર્ષનો માદા હિપો કાનપુર ઝુ તેમજ બે સારસ અને એક વરૃ લખનૌ તથા એક વરૃ જયપુરથી લાવવામાં આવ્યું છે. ઝુ માં ડાયરેકટર રાણાના જણાવ્ય પ્રમાણે બ્રિડીંગમાં જાતોમાં વિવિધતા આવે તેના માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173236
સાવરકુંડલા તા.૭ :
પીઠવડી ગામે ચારથી પાંચ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળતા વન્ય પ્રાણી પ્રેમીઓ આઘાત અનુભવી રહ્યા છે. અગાઉ જાંબાળના સીમાડે સિંહણનું સર્પ દંશથી મૃત્યુ થયું હતું. સાવરકુંડલાની રેન્જ માટે ગોઝારો દિવસ વન્ય પ્રાણીઓ માટે હોય તેમ જાંબાળના સીમાડેથી સર્પ દંશથી અઢીથી ત્રણ વર્ષની માદા સિંહણ મૃત હાલતમાં મળી હતી. જયારે પીઠવડી ગામે રમેશભાઈ ઝવેરભાઈ સુહાગીયાની વાડીમાં ચારથી પાંચ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળ્યો હતો. વનતંત્ર દ્વારા સર્પદંશથી જ મૃત્યુનું આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. મીતીયાળા અભયારણ્યમાં વ્હોરાવાડી તળાવ પાસે ચારથી પાંચ માસનું સિંહબાળ મૃત હાલતમાં મળતા તપાસ કરતા સિંહબાળ પરિવારથી અલગ પડી ગયુ હોઈ અને બિમારી સબબ મોતને ભેટયું હોવાની વન વિભાગે આશંકા વ્યકત કરી હતી.ળ
સાવરકુંડલા રેન્જમાં સિંહણ, સિંહબાળ અને દીપડાના મૃત્યુથી વનતંત્ર પણ ચોંકી ઉઠયું છે. જ્યારે પૂરતી કાળજી અને જવાબદારીપૂર્વક સિંહોના લોકેશન રાખી સતત બાજનઝર રાખતી સાવરકુંડલા રેન્જમાં વનકર્મીઓ ત્રણ ત્રણ વન્ય પ્રાણીઓના મોતથી આઘાત અનુભવી રહ્યા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=296999
તોરણીયા પાસે સિંહે શિકાર કર્યો
DivyaBhaskar News Network | Sep 24, 2016, 03:45 AM IST
જૂનાગઢનાંબિલખારોડ પર આવેલા તોરણીયાનાં પાટીયા પાસે સિંહે ગાયનું મારણ કર્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ અને આસપાસનાં ગામડાઓમાં અવાર-નવાર વન્યપ્રાણી આવી ચઢે છે. ત્યારે ગત રાત્રીનાં તોરણીયાનાં પાટીયા પાસે ધીરૂભાઇ સાવલીયાનાં ખેતરમાં એક ગાયનું સિંહે મારણ કર્યું હતું. બનાવનાં પગલે વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને મારણની વિગતો મેળવી હતી.
જૂનાગઢનાંબિલખારોડ પર આવેલા તોરણીયાનાં પાટીયા પાસે સિંહે ગાયનું મારણ કર્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ અને આસપાસનાં ગામડાઓમાં અવાર-નવાર વન્યપ્રાણી આવી ચઢે છે. ત્યારે ગત રાત્રીનાં તોરણીયાનાં પાટીયા પાસે ધીરૂભાઇ સાવલીયાનાં ખેતરમાં એક ગાયનું સિંહે મારણ કર્યું હતું. બનાવનાં પગલે વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને મારણની વિગતો મેળવી હતી.
Subscribe to:
Posts (Atom)