Tuesday, July 2, 2013

ધારી ગીરપૂર્વના પાણિયા રેંજમાં ઇનફાઇટમાં વનરાજનું મોત.


Bhaskar News, Dhari | Jun 17, 2013, 02:31AM IST
ધારી ગીરપુર્વના પાણીયા રેંજના લીલાપાણી નેસ વિસ્તારમાં વનવિભાગને ફેરણા દરમિયાન એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. દોડી આવેલા વનકર્મીઓએ સિંહની સ્થળ પર જ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી હતી. આ સિંહનું મોત ઇનફાઇટમાં થયુ હોવાનું ખુલ્યું છે.

ઇનફાટમાં સિંહના મોતની આ ઘટના પાણીયા રેંજમાં લીલાપાણી નેસ વિસ્તારમાં બની હતી. અહી વનવિભાગના સ્ટાફને ફેરણા દરમિયાન એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

શર્માએ જણાવ્યું હતુ કે ૧૧ થી ૧૨ વર્ષની ઉંમરના આ સિંહને અન્ય સિંહે હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતુ. સિંહને પીઠના અને ગળાના ભાગે દાંત બેસાડી દેતા તેની શ્વાસનળી તુટી જતા તેનુ મોત થયુ હતુ. ડૉ. હિતેષ વામજા દ્વારા સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયુ હતુ.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-lion-died-in-infight-4293802-NOR.html

કંપાવનારી ઘટના : સાવજોથી ડરી ભાગેલી ૧૦ ગાયો ટ્રેન હેઠળ કપાઇ ગઇ.


કંપાવનારી ઘટના : સાવજોથી ડરી ભાગેલી ૧૦ ગાયો ટ્રેન હેઠળ કપાઇ ગઇ
કંપાવનારી ઘટના : સાવજોથી ડરી ભાગેલી ૧૦ ગાયો ટ્રેન હેઠળ કપાઇ ગઇ
Bhaskar News, Liliya   |  Jul 02, 2013, 09:25AM IST

- નાના લીલિયા ગામે બની કંપાવનારી ઘટના
- ત્રણ સાવજોએ જોકમાં ઘૂસી બે ગાયનું મારણ કર્યું ગાયોના ધણમાં નાસભાગ મચતા આઠ ગાયો માલગાડી હેઠળ કપાઇ


લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે ગઇકાલે એક ગોઝારી ઘટનામાં એક સાથે દશ ગાયોના મોત થયા હતાં. જેને પગલે નાનાએવા ગામમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ગામના પાદરમાં ગાયોના જોકમાં ત્રાટકી ત્રણ સાવજો દ્વારા બે ગાયોનું મારણ કરાયુ હતું.

જેને પગલે જોકની ગાયોમાં નાસભાગ મચી ગઇ હતી. ગાયોનું ધણ રેલવેના ટ્રેક પર નાસતુ હતુ ત્યારે માલગાડીની હડફેટે ચડી જવાથી આઠ ગાયો કપાઇ ગઇ હતી. ઘટનાને પગલે વન વિભાગનો સ્ટાફ નાના લીલીયા દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

એક સાથે દશ ગાયોના અરેરાટીભર્યા મોતની આ ઘટના ગઇકાલે રાતે સાડા નવેક વાગ્યાના સુમારે લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે બની હતી. જ્યાં સાવજોના હુમલાથી બે ગાયોનું તથા માલગાડી હેઠળ કચડાઇ જવાથી આઠ ગાયોનું મોત થયુ હતું. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર નાના લીલીયા ગામના પાદરમાં અહિંના આતાભાઇ જાપાભાઇ ભરવાડ પોતાના માલઢોર માટે જોક બનાવ્યો છે. બાવળની કાંટના બનેલા આ જોકમાં રાત્રે તેઓ પોતાની ગાયોને બાંધે છે.
રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે શીકારની શોધમાં નિકળેલા બે સાવજ અને એક સિંહણ આ જોકમાં કુધ્યા હતાં અને જોતજોતામાં બે ગાયોના રામ રમાડી દીધા હતાં. જોકમાં સાવજ ત્રાટકતા જ ગાયોના ધણમાં પણ નાસભાગ મચી હતી અને જોક તોડીને તમામ ગાયો સીમમાં નાસી છુટી હતી. ગાયોનું ડરેલુ આ ધણ નાના લીલીયા-પુંજાપાદર રેલવે ટ્રેક પર ચડયુ હતું.
સાવજના હુમલાથી બચેલી આ ગાયો પર માલગાડી કાળ બનીને ત્રાટકી હતી. પીપાવાવથી ઢસા તરફ જઇ રહેલી એક માલગાડી હડફેટે ચડી જતા આઠ ગાયો કપાઇ ગઇ હતી. રાત્રે જ ગાયોની શોધમાં સીમમાં નિકળેલા આ માલધારીને રેલવે ટ્રેક આસપાસ કપાયેલી ગાયો મળતા તેના પર જાણે આભ તુટી પડયુ હતું. એક સાથે દશ દશ માલઢોર ગુમાવનાર આ માલધારીને મોટી આર્થીક નુકશાનીનો સામનો કરવો પડયો હતો.
- બે કિમીના વિસ્તારમાં કપાયેલી ગાયોના અવશેષ
જોકમાંથી નાસેલી ગાયો રેલવે ટ્રેક પર દોડવા લાગી હતી. જેને પગલે એક પછી એક આ ગાયો માલગાડીની હડફેટે ચડી હતી અને આશરે બે કીમીના વિસ્તારમાં આ તમામ આઠ ગાયોના કપાયેલા અવશેષો જ્યાં ત્યાં ટ્રેકની આજુબાજુ વિખરાયેલા પડ્યા હતાં.
http://www.indianexpress.com/news/chased-by-lions-in-gujarat-8-cows-mowed-down-by-train/1136505/

हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती.

Divyabhaskar network   |  Jun 30, 2013, 12:44PM IST

हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
गुजरात का सौराष्ट्र केसर आमों के लिए दुनिया भर में विख्यात है। अगर आप सौराष्ट्र के तलाणा आएं तो आपको केसर आमों के अलावा एक और हैरत में डालने लोगों की भीड़ दिखाई देगी। आमतौर पर नेशनल जियोग्राफी या डिस्कवरी जैसे चैनलों पर दिखाई देने वाले हबसी लोग आप यहां प्रत्यक्ष रूप से देख सकते हैं।
 
दक्षिण अफ्रीका में हबसी के रूप में पहचाने जाने वाले नीग्रो प्रजाति के लोग गुजरात में लंबे समय से रहते आ रहे हैं। अफ्रीका के नीग्रों की तरह रहने वाले यह प्रजाति शुद्ध रूप से सिर्फ गुजराती भाषा ही जानती है।


हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
गुजरात में ये लोग ‘सीदी’ कहे जाते हैं। तलाणा के आसपास के गांवों में ये लोग बसे हुए हैं। लेकिन ‘गिर’ फारेस्ट के बीचों-बीच ‘जंबूर’ नामक एक गांव है। इस गांव को गुजरात का अफ्रीका कहा जाता है। इस गांव में आने के बाद आपको बिल्कुल ऐसा ही लगेगा, मानो आप नीग्रो के गांव आ गए हैं।


हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
लगभग दो हजार साल पहले ‘सीदी’ भारत आए थे। ऐसा भी कहा जाता है कि इन्हें पानी के जहाजों द्वारा अफ्रीका व अन्य जगहों से लाया गया था। ऐसा भी कहा जाता है कि अरबी और मुगल शासक इन्हें गुलाम बनाकर रखते थे। इसके अलावा इन लोगों का व्यापार भी होता था। ह्युमन ट्रैफिकिंग का यह व्यवसाय अमेरिका से लेकर युरोप तक फैला हुआ था। जब मुगलों ने भारत की ओर रुख किया तो अपने साथ इन्हें भी यहां ले आए। गुजरात के इतिहास पर नजर करें तो यह भी पता चलता है कि जूनागढ़ के नवाब ने काफी संख्या में इन्हें खरीदा था। नवाबों व राजाओं के शासन के अंत के बाद ये लोग यहीं बस गए।


हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
सौराष्ट्र में बसे सीदियों का कालक्रम अब पूर्ण रूप से गुजराती और भारतीय बन चुका है। लेकिन कुदरत द्वारा प्रदत्त इनकी शारीरिक बनावट अन्य भारतियों से इन्हें अलग करती है और ये लोग अफ्रीका के नीग्रो जैसे नजर आते हैं। सीदी गुजरात में आदिवासियों की तरह जीवन व्यतीत करते हैं। इनका मुख्य पेशा खेती-किसानी, लकड़ियां बेचना व गाय-भैंसों का पालन है।


हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
‘धमाल’ नृत्य
सीदियों की एक और पहचान इनके ‘धमाल’ नामक नृत्य से भी है। यह नृत्य बिल्कुल अफ्रीकन नीग्रो की तरह होता है। गुजरात की सीदी मुख्यत: मुस्लिम धर्म को मानते हैं। वे यहां पिछले आठ सौ सालों से संत नागरची बाबा की आराधना करते आ रहे हैं।
 
सीदी हर रोज शाम को ड्रम बजाते हुए जांबूर गांव के बीचों-बीच स्थित मस्जिद में बंदगी करते हैं।
हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
इनके बारे में ऐसा भी कहा जाता है कि प्राचीन समय में राजा इन्हें अपने अंगरक्षक के रूप में रखा करते थे। यह प्रजाति शारीरिक रूप से बहुत मजबूत होती है, इसलिए इनकी नियुक्ति राजाओं के अंगरक्षकों के अलावा सेना में भी की जाती थी।
 
सन् 1572 में जब जलालुद्दीन अकबर गुजरात आया तब वह अपने साथ लगभग 700 हबसी घुड़सवारों को लाया था। इसके अलावा पाकिस्तान के सिंध प्रांत में भी रहने वाले हबसी लोगों को लड़ाका माना जाता है।

हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
गुजरात के सिहों और इन लोगों का पुराना रिश्ता है।
एशियाटिक लायंस के लिए मशहूर गुजरात का ‘गिर’ फारेस्ट इनकी मुख्य शरणस्थली है। आपको बताते चलें कि इस फॉरेस्ट में लगभग 410 शेर हैं और ये लोग इन शेरों के बीच में ही रहते हैं। आप अगर गिर फॉरेस्ट की सफारी पर हों तो जंगल के बीचों-बीच इनका गांव देख सकते हैं। यहां के लोगों व बच्चों के बीच आप आसानी से कई शेरों को विचरण करते हुए देख सकते हैं।
http://www.bhaskar.com/article/GUJ-a-africa-in-gujarat-also-gir-forest-jambur-village-seedi-4305934-PHO.html

Friday, June 28, 2013

રાજુલા ખાંભા વચ્ચેના રસ્તા પર ૧૪ સાવજોનું ટોળું આવી ચડ્યું.


Bhaskar News, Rajula | Jun 28, 2013, 02:31AM IST
- સિંહદર્શનની મજા સાથે જ ગ્રામજનોમાં ફફડાટની લાગણી

રાજુલાથી ખાંભા રોડની વચ્ચે આવેલા પથ્થરમાર વિસ્તારમાં ગત મોડીરાત્રીના એક સાથે ૧૪ સાવજોનું ટોળુ આંટાફેરા મારી રહ્યું હોય લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સાવજોની ડણકોથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અહી ઉભા રહી ગયા હતા. અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. વનવિભાગને જાણ થતા અહી સ્ટાફ પણ દોડી આવ્યો હતો.

ગીર જંગલમાં વસતા સાવજો હવે જાણે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજુલાથી ખાંભા વચ્ચે આવેલા પથ્થરમાર ડુંગરાળ વિસ્તારમાં એક સાથે ૧૪ સાવજો આવી ચડયા હતા. એક સાથે આટલા બધા સાવજોનું ટોળુ આવી ચડતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

હાલમાં રાજુલા પંથકમાં વરસાદ પડી જતા ડુંગરાળ વિસ્તારો લીલાછમ બની ગયા છે. આ વિસ્તારોમાં આમ તો સાવજો જોવા મળે જ છે. પરંતુ ગઇકાલે એક્સાથે ૧૪ સાવજોનું ટોળુ આવી ચડયુ હતુ. સાવજોની ડણકોથી અહીથી પસાર થતા વાહન ચાલકો થોડીવાર માટે ઉભા રહી ગયા હતા. અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.

આ અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો. એક સાથે ૧૪ સાવજોનું ટોળુ આ વિસ્તારમાં આવી ચડયુ હોય ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ભય ફેલાયો છે. અને ખેડુતો વાડી ખેતરોમાં જતા પણ ભય અનુભવી રહ્યાં છે.

રાજુલા : ફાંસલામાં ફસાયેલી દીપડીએ બચ્ચાંને જન્મ આપ્યો.

રાજુલા : ફાંસલામાં ફસાયેલી દીપડીએ બચ્ચાંને જન્મ આપ્યો
Bhaskar News, Rajula, Dhari   |  Jun 27, 2013, 03:07AM IST
- રેસ્કયુ ટીમ દ્વારા દીપડી અને બચ્ચાંને બચાવી લેવાયા

રાજુલા તાલુકાના કાતર ગામની સીમમાં આવેલ એક વાડીમાં એક દિપડી વાડમાં ફસાઇ ગઇ હતી. સવારે આ વાતની જાણ થતા વાડી માલિકે વનવિભાગને જાણ કરતા જસાધારથી રેસ્કયુ ટીમ અહી દોડી આવી હતી. અને દિપડીને બચાવી લીધી હતી. અહી એક બચ્ચુ પણ મળી આવ્યુ હતુ.

કાતર ગામે આવેલ વાલાભાઇ ઉકાભાઇની વાડીમાં ગતરાત્રીના એક દિપડી વાડમાં ફસાઇ ગઇ હતી. સવારે આ અંગે વાડી માલિકને જાણ થતા તેઓએ વનવિભાગને જાણ કરી હતી. ઇન્ચાર્જ આરએફઓ રાઠોડ સહિ‌ત ડેરભાઇ, પઠાણભાઇ, નરેશભાઇ, પ્રતાપભાઇ સહિ‌ત રેસ્કયુ ટીમ અહી દોડી આવી હતી. અને મહામહેનતે દિપડીને બચાવી લીધી હતી. બાબુભાઇ વરૂ, અશોકભાઇ ધાધલ સહિ‌ત ગામના આગેવાનો પણ અહી દોડી આવ્યા હતા.
આ અંગે ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે આ દિપડી ફાંસલામાં ફસાઇ ગયાની શંકા હોય તે દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દિપડી સગર્ભા હાલતમાં હોય બાજુની વાડમાંથી દિપડીનું બચ્ચુ પણ મળી આવ્યુ હતુ. વનવિભાગે દિપડી અને બચ્ચાને હાલ જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજપરડા ગામેથી પણ પાંચેક દિવસ પહેલા વનવિભાગે એક દિપડીને બચાવી લીધી હતી.

ક્રાંકચ નજીક ત્રણ સિંહણ-સાત બચ્ચાં ત્રણ નદીના પૂર વચ્ચે ફસાયા


Bhaskar News, Liliya | Jun 20, 2013, 00:54AM IST
- હજુ વધુ પૂર આવશે તો સાવજ પરિવાર પર ખતરો

લીલીયા તાલુકાનો ખારાપાટ વિસ્તાર સાવજોને માફક આવે તેવું નવું ઘર છે તેની સાથે સાથે આ વિસ્તાર સાવજો માટે જોખમી પણ એટલો જ છે. હાલમાં શેત્રુજી, ગાગડીયો અને ખારી નદીમાં ભારે વરસાદના કારણે પુર આવતા આ ત્રણેય નદીઓ વચ્ચે આવેલા વિસ્તારમાં સાત સિંહબાળ અને ત્રણ માદા ફસાઇ જતા તેમના જીવ પર ખતરો ઉભો થયો છે.

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં ભુતકાળમાં પણ શેત્રુજી નદીના પુરે કેટલાક સાવજોનો ભોગ લીધો હતો. ભારે પુરમાં તણાયેલા સાવજોના પાછળથી મૃતદેહ મળ્યા હતાં. અહિંની બાવળની કાંટ સાવજોને માફક આવી ગઇ છે. સાવજોને શિકાર પણ મળે છે.

આ વિસ્તાર સાવજો માટે ઉત્તમ રહેઠાણ છે પરંતુ શેત્રુજી અને અન્ય નદીઓના પાણી દર ચોમાસામાં ખારાપાટ વિસ્તારમાં ફરી વળે છે અને મહિનાઓ સુધી પાણી ભરેલા રહે છે. જો કોઇ સાવજો આ પાણી વચ્ચે ફસાય તો તેના સામે ખતરો ઉભો થાય છે.

હાલમાં આવી જ સ્થિતિનું નિર્માણ થયુ છે. શેત્રુજી, ગાગડીયો અને ખારી નદીમાં તાજેતરના વરસાદમાં ભારે પુર આવ્યા હતાં. જેના કારણે ત્રણ સિંહણ તેના સાત બચ્ચા સાથે આ ત્રણેય નદીઓ વચ્ચે હાલમાં ફસાઇ હોવાનું જાણવા મળેલ છે. સાત સિંહબાળ પૈકી કેટલાક તો તદન નબળા છે.

જો હજુ વધુ વરસાદ આવે અને નદીઓના પાણી ફરી વળે તો આ સાવજો સામે ખતરો છે. અગાઉ સ્થાનિક પ્રકૃતપિ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણે આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય પગલા લેવા વનતંત્રને રજુઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલા લેવાયા ન હતાં.

ગુજરાતના આ ગામમાં છે કુદરતી સૌંદર્યથી છલકાતું પ્રાચીન સ્થળ!

ગુજરાતના આ ગામમાં છે કુદરતી સૌંદર્યથી છલકાતું પ્રાચીન સ્થળ!
- લોકવાયકા મુજબ પાંડવોએ અહી વનવાસ દરમિયાન લાંબો સમય નિવાસ કર્યો હતો

અતિપૌરાણિક અને કુદરતી સૌદર્યથી છલકાતું એવુ પ્રાચીન સ્થળ છે અમરેલી જિલ્લાના ખાંભાના ટિંબી નજીક આવેલ સાણા ડુંગર. અહી લગભગ ૬૦ જેટલી બૌદ્ધ ગુફાઓ આવેલી છે. અહી ભીમચોરી, એભલમંડપ, ચૈત્ય ગુફા સહિત નાની મોટી ગુફાઓ આવેલી છે.

એવી પણ લોકવાયકા છે કે અહી પાંડવોએ વનવાસ દરમિયાન લાંબા સમય સુધી વાસ કર્યો હતો. ત્યારે હાલ આ સ્થળે પહોંચવા માટેનો માર્ગ જ બિસ્માર હોવાથી અહી પ્રવાસીઓ આવતા નથી. ત્યારે આ પ્રાચીન સ્થળનો વિકાસ જરૂરી છે.