Wednesday, July 17, 2013

ભવનાથમાં ખાનગી જમીનમાંથી સાગનાં ૨૧ વૃક્ષોનું કટીંગ કરાયું.


Bhaskar News, Junagadh | Jul 17, 2013, 02:33AM IST
ખાનગી માલિકીની જમીનમાંથી વનવિભાગની મંજૂરી વિનાજ સાગનાં ૨૧ વૃક્ષો કાપી નંખાયા

ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ સ્થિત એક ખાનગી માલિકીની જમીનમાંથી વનવિભાગની મંજૂરી વિના જ સાગનાં ૨૧ વૃક્ષો કપાઇ ગયાની જાણ કોઇએ વનવિભાગને કરી હતી. આથી વનવિભાગે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પરંતુ લાકડાં કપાયાનાં માત્ર અવશેષો જ મળ્યા હતા. જોકે, આ લાકડાં કોણે કાપ્યાં એ અટકળનો વિષય છે.

ગિરનારની તળેટીમાં ભવનાથ વિસ્તારમાં લાલઢોરી પાછળ આવેલી એક ખાનગી માલિકીની જમીનમાં સાગનાં લાકડાંનું કટીંગ થયાની બાતમી કોઇએ વનવિભાગને આપી હતી. આથી આરએફઓ મારૂ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને તપાસ કરી હતી. જેમાં ૨૧ સાગનાં વૃક્ષોનું કટીંગ થયાનું માલુમ પડયું હતું. આથી તેમણે જમીન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. આ વૃક્ષોનું કટીંગ વનવિભાગની મંજૂરી વિના થયાનું આરએફઓ મારૂએ જણાવ્યું હતું. આ કિસ્સામાં વૃક્ષ દીઠ રૂપિયા પાંચસો એટલે કે લગભગ દસેક હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. એમ પણ આરએફઓ મારૂએ જણાવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ, ગિરનાર અભયારણ્યને અડીને આવેલા ભવનાથમાં લાલઢોરીની પાછળ આશરે પ૧ વીઘા ખાનગી માલિકીની જમીનનો પટ્ટો છે. જેમાં ૪પ વીઘા અને ૬ વીઘા એમ બે માલિકોની જમીનો છે.

વૃક્ષો ન મળ્યા : ઠૂંઠાનાં આધારે અનુમાન

વનવિભાગને ઘટનાસ્થળેથી કપાયેલાં લાકડાં મળ્યા નહોતા. પરંતુ કપાયેલા ઠૂંઠાનાં આધારે ૨૧ વૃક્ષોનું કટીંગ કરાયાનું સ્પષ્ટ થયું હતું. એ સ્થળે કપાયેલા ડાળખાં-લીલા પાંદડાનાં જોવા મળ્યા હતા.

શું કહે છે જમીન માલિક ?
આ અંગે જમીન માલિક ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, મેં આ વૃક્ષો કાપ્યાં નથી. મારે જો કાપવા હોય તો મંજૂરી ન લઇ લઉં ? આ બીજા લોકોનું કારસ્તાન છે. આ વિશે મને કશી ખબર પણ નથી.

૮ દિ’ પેલાં થયું કટીંગ
વનવિભાગે ઘટનાસ્થળે જઇને જોતાં વૃક્ષોનું કટીંગ આઠેક દિવસો પહેલાં થયાનું માલુમ પડયું હતું.

Tuesday, July 16, 2013

ખાંભાનાં વાંકીયામાં કુવામાં ખાબકી જતા દીપડાનું મોત.


Bhaskar News, Dhari | Jul 15, 2013, 00:04AM IST
ગીરપુર્વમાં વન્યપ્રાણીઓની જાણે માઠી દશા બેઠી છે. ગઇકાલે ગઢીયા પાસે એક સિંહનુ ઇનફાઇટમાં મોત થયા બાદ હવે તુલશીશ્યામ રેંજમાં ખાંભા તાલુકાના ભાડ વાંકીયા ગામની સીમમાં કુવામાં પડી જવાથી એક દિપડાનુ મોત થયુ હોવાની ઘટના બની છે. વનવિભાગના સ્ટાફે અહી દોડી જઇ દિપડાના મૃતદેહને કુવામાંથી બહાર કાઢયો હતો. આ દિપડો દિપડીને પામવા મથામણ કરતો હતો ત્યારે કુવામા ખાબકયો હોવાનુ વનવિભાગનુ અનુમાન છે.
 
વનવિભાગને આજે સવારે ખાંભા તાલુકાના ભાડ વાંકીયા ગામના ધીરૂભાઇ ગોકળભાઇ ચોડવડીયાની વાડીમાં આશરે પચાસ ફુટ ઉંડા કુવામાં એક દિપડાનો મૃતદેહ તરતો હોવાની બાતમી મળી હતી. જેને પગલે ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી ધારીની રેસ્કયુ ટીમ સહિ‌તનો સ્ટાફ ભાડ વાંકીયા દોડી ગયો હતો.
 
આ રેસ્કયુ ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ કુવામાંથી દિપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. વનવિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે આ દિપડો દિપડીને પામવા માટે મથી રહ્યો હતો ત્યારે કુવામાં ખાબકયો હોવાનુ અનુમાન છે. કુવા કાંઠેથી અન્ય બે જનાવરના પણ સગડ મયા હતા. ચારથી પાંચ વર્ષની ઉમરના આ દિપડાના નખ ઘસાઇ ગયાના નજરે પડયા હતા. 

વર્ષાઋતુમાં ઊંચા ટેકરાઓ ઉપર સાવજો પ્રણયક્રિડામાં રત.

વર્ષાઋતુમાં ઊંચા ટેકરાઓ ઉપર સાવજો પ્રણયક્રિડામાં રત
Bhaskar News, Talala   |  Jul 15, 2013, 10:32AM IST
વર્ષાઋતુ જીવમાત્રને મદોન્મત બનાવે છે. પ્રેમ અને રોમાન્સની આ ઋતુની અસર પ્રાણી સૃષ્ટી ઉપર પણ પડે છે. વર્ષાઋતુનો સમય વનનાં રાજા - રાણી સિંહ - સિંહણનાં મિલનનો મહત્વનો પીરીયડ હોય છે. જંગલમાં ભારે વરસાદ ત્યારે ખુલ્લા મેદાન અને ઉંચાણ વાળા ટેકરા - ડુંગરા ઉપર પહોંચી જાય છે. અને માનવ નજરોથી દુર કોઇ પણ જાતના ખલેલ વગર પ્રેમક્રીડાની મોજ માણે છે.
ગીર જંગલમાં વસવાટ કરતા સિંહો ચોમાસામાં ભારે વરસાદને પગલે ઉંચાણવાળા વિસ્તારો તરફ ચાલ્યા જાય છે. જયાં મચ્છરોનો ત્રાસ ન હોય અને ખુલ્લી હવા મળતી હોય વધુ માત્રામાં સાથે ભેગા થતા હોય છે. મેટીંગ માટે વર્ષાઋતુ સિંહ -સિંહણનાં મિલન માટે શ્રેષ્ઠ સમય ગણાય છે.
જંગલની અંદરનાં સિંહો વરસાદ ચાલુ હોય ત્યારે કરમદાનાં ઢુવામાં રહેવાનું વધુ પસંદ કરે છે. જંગલની બોર્ડર અને રેવન્યુ વિસ્તારોમાં ફરતા સિંહો ખુલ્લા મેદાન અને ઉંચાણવાળા વિસ્તારો તરફ વધુ જોવા મળતા હોય છે.
ચોમાસામાં ચિત્તલનાં શિકાર વધુ
ચોમાસામાં સિંહોનાં ખોરાક મોટાભાગે ચિત્તલ રહે છે. કેમકે ચીત્તલનાં શિંગડા ઝાડી - ઝાંખરામાં ફસાઇ જતા હોય સિંહો માટે તેમનો શિકાર આસાન બની જતો હોવાનું તેમજ ખોરાક - પાણી માટે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે એમ ડીએફઓ ડો.સંદીપકુમારે જણાવ્યું હતું. હડમતીયા, મંડોરણા, જામવાળા વિસ્તારમાં સાતધાર તરીકે ઓળખાતા ટેકરા, ભાખા, થોરડી, બાબરીયાનાં રેવન્યુ વિસ્તારનાં ઉંચાણવાળા ભાગોમાં સિંહો વધુ પ્રમાણમાં હોવાનું તાલાલા રેન્જનાં આરએફઓ એ.ડી. બ્લોચએ જણાવ્યું હતું.
સિંહોનું માનવો સાથે ઘર્ષણનું પ્રમાણ વધી જાય છે
ચોમાસા દરમિયાન જંગલમાં મચ્છરોના ત્રાસથી જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં આવતા સાવજો વધુ સંખ્યામાં સાથે હોય નર-માદાનાં મિલનનું પ્રમાણ વધતુ હોય માનવી દ્વારા ખલેલ થાય ત્યારે સિંહો વિફરી બેસી હૂમલો કરી દેતા હોય છે. રેવન્યુ વિસ્તારમાં સિંહો આ તબક્કામાં વધુ વિહરતા હોય માનવી અને સિંહોનું ઘર્ષણ થવાનું પ્રમાણ વધી જતુ હોવાનું આંકોલવાડીનાં આરએફઓ ડી.એન. પટેલએ જણાવ્યું હતું.

બાલુડાની શોધમાં ચિંતિત સિંહણ.


બાલુડાની શોધમાં ચિંતિત સિંહણ
બાલુડાની શોધમાં ચિંતિત સિંહણ
divyabhaskar.com   |  Jul 15, 2013, 00:03AM IST
બાબરીયા રેન્જમાં આવેલ સાતનાળા વિસ્તારમાં આજે સવારે લીલાછમ મનોમોહક જંગલમાં એક સિંહણ પોતાના બે વ્હાલાસોયા બાલુડીયાને લઇને ટહેલવા નિકળેલ અને અચાનક સિંહણ પોતાના બે બાલુડીયા સાથે ગમત કરતી હતી તે વખતે નટખટ બંને બાલુડીયા પોતાની જનેતા સિંહણની નજર ચુકવી ચાલ્યા ગયા હોય ત્યારે જનેતા પોતાના બંને વ્હાલસોયા બાલુડીયાને શોધતી હતી તેની ચિંતા તેમના ચહેરા પર જોવા મળતી હતી અને પોતાની ડણકથી પોતાના વ્હાલસોયા બાલુડીયાને બોલાવતી હતી આમ પ્રાણીઓમાં પણ પોતાના બાલુડીયા માટે જનતો કેટલી ચિંતાતૂર હોય છે તેથી કહેવાય છે ને મા તે મા.
 
 - તસ્વીર : જયેશ ગોંધીયા

સાવજો પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે.


Bhaksar News, Talala | Jul 14, 2013, 02:03AM IST
- જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં ૧૬ હજાર ચો.કિ.મી.માં સાવજોનું વિસ્તરણ,
- એશિયાટિક લાયનના પ્રદેશ એવા ગીર જંગલ ઉપરાંત સૌરાષ્ટ્રનાં અન્ય સ્થળે પહોંચ્યા


ગીર જંગલ ઉપરાંત સિંહોની ટેરીટરી વિસ્તરી રહી હોવાની માહિ‌તી મીડીયા સાથે યોજેલા પરિસંવાદમાં વન વિભાગે આપી હતી. જૂનાગઢ, અમરેલી જિલ્લાનાં ૧૬ હજાર ચો.કીમીમાં સાવજોનાં વિસ્તરણની પ્રક્રિયાની જાણકારી આપી હતી.

પ્રાદેશિક માહિ‌તી કચેરી રાજકોટ અને સાસણ વન વિભાગનાં સંયુકત ઉપક્રમે સિંહ સંર્વધનમાં મીડીયાની ભૂમિકા અને ઉત્તરદાયિત્વ વિષય પરનો સેમિનાર સાસણમાં યોજાયો હતો. જેમાં સાસણનાં ડીસીએફ ડો.સંદિપકુમારે સિંહનાં વસવાટ વિસ્તાર અંગે અભ્યાસું પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે સંરક્ષણ અને વ્યવસ્થાપનની કામગીરીનાં પરિણામ સ્વરૂપ સિંહો પોતાના ગુમાવેલા ક્ષેત્ર પર પુન: આધિપત્ય જમાવી રહયાં છે. હાલ જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લામાં કુલ ૧૬ હજાર ચો.કી.મી. માં સિંહોનાં વિસ્તરણની પ્રક્રિયા સતત ચાલુજ છે.

અહીં લોકોનો સિંહ પ્રત્યેનો અતુટ નાતો અને પ્રેમ પણ મહત્વનું પૂરક બળ બન્યાં છે. માણસ અને સિંહોનું સહઅસ્તિત્વ સદિઓથી ચાલ્યું આવતું હોય કયારે માનવોને નુકસાન પહોંચાડયું નથી કે તેની એ પ્રકૃતિ પણ નથી ત્યારે સિંહોની સાથે કેવી રીતે વર્તવુ વિગેરે વિષે લોકજાગૃતિ લાવવામાં મીડીયા જ સિંહ ફાળો આપી રહ્યું છે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

ગીરમાંથી બહાર જતાં સિંહો પરત આવતા નથી

ગીરમાંથી બહાર જતાં મોટાભાગનાં સિંહો ફરી ગીરમાં આવતા નથી અને જે વિસ્તારમાં જાય છે ત્યાં ખોરાક, પાણી અને યોગ્ય વાતાવરણ મળી રહેતાં સ્થાયી થઇ જતાં હોય છે. જોકે ગીરના સિંહો અન્ય જગ્યાએ ન જતા હોવાનું પણ અભ્યાસમાં જાણવા મળ્યું હોવાનું ડો.સંદિપકુમારે જણાવ્યું હતું.

વૈકલ્પિક વસ્તીનો વિકાસ : સંરક્ષણ જરૂરી

સિંહો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, પાણીયા અભયારણ્ય તેમજ ગીરનાર, મીતિયાળા, બાબરા વિડી, છારા - સુત્રાપાડા, જાફરાબાદ અને રાજુલાનું દરિયાઇ જંગલ, લીલીયા વિસ્તારમાં આવેલા છે. છ આશ્રિત વસ્તીમાંથી મહુવા, જેસોર, પાલિતાણા, હિ‌પાવડલી ઝોન, શેત્રુંજી નદી, ભાવનગર વિસ્તાર ગીરથી ૬પ કિમી નજીક આવેલ છે અને કેન્દ્રસ્થ વસતી સાથે જોડાયેલ નથી પરંતુ વૈકલ્પિક વસતી છે ત્યારે અનામત સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવા જરૂરી બન્યા છે.

૧૧૪ સિંહોએ ગીર અભયારણ્યની બહાર સામ્રાજ્ય તૈયાર કરી લીધું છે.

સરકાર હવે ગીર બહાર સિંહોના આવાસ માટે વિચારી રહી છે પણ

વનરાજો સરકારી વ્યવસ્થાના મહોતાજ નથીઃ સરકાર વૈકલ્પિક રહેણાંક તૈયાર કરે કે ન કરે સ


અમદાવાદ, સોમવાર
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં કેટલાક સિંહોને ખસેડવાના હુકમ આપી દીધા પછી ગુજરાત સરકાર સિંહ મુદ્દે થોડી-ઘણી સક્રિય બની છે. ગીરની બહાર નીકળી રહેલા સિંહો માટે વૈકલ્પિક આવાસ તૈયાર થશે એવુ આશ્વસન સરકારે વધુ એક વખત આપ્યું છે. જોકે સિંહોને કદાચ સરકાર પર વિશ્વાસ રહ્યો નથી કેમ કે અત્યાર સુધીમાં સિંહોના સંવર્ધન માટે બહુ સરળતાથી લઈ શકાય એવા પગલાં પણ લેવાયા નથી. અલબત્ત, સિંહો સરકારી વ્યવસ્થાના મોહતાજ નથી. વનરાજોએ સરકારી સહાયની રાહ જોયા વગર પોતાનો મારગ અને સામ્રાજ્ય ઉભુ કરી લીધુ છે.
ગીર નેશનલ પાર્ક (રાષ્ટ્રીય ઉદ્યાન) ૨૫૮ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલુ છે, જ્યારે ગીર અભયારણ્ય ૧૪૧૨ ચોરસ કિલોમીટરનું છે. ૪૧૧ સિંહો માટે આ જગ્યા ઘણી ઓછી છે. આટલા વિસ્તારમાં વધુમાં વધુ ૩૦૦ સિંહો રહી શકે. જોકે સિંહોએ સમજદારી દાખવીને ગીર બહારના વિસ્તારમાં પોતાનો નવો વિસ્તાર શોધી લીધો છે. મિતિયાળા, ગિરનાર, પાણિયા, ઉના-કોડિનારની દરિયાઈ પટ્ટી, અમરેલી-સાવરકુંડલા વગેરે વિસ્તારોમાં સવાસો જેટલા સિંહોએ સ્વયંભૂ રહેણાંકો તૈયાર કરી લીધા છે.
વન વિભાગે તાજેતરમાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ગીરના સિંહો ફેલાઈને ૧,૦૫૨ ગામડા સુુધી પહોંચ્યા છે. સિંહોની હાજરી હોય એવો કુલ વિસ્તાર ૧૬ હજાર ચોરસ કિલોમીટર કરતા વધી ગયો છે. ફરતી બાજુ ફેલાતા સિંહો ગોંડલ, વેળાવદર, ભાવનગર.. વગેરે મથકોની ભાગોળ સુધી પહોંચી ગયા છે. જૂનાગઢ અને જેતપુરને જોડતા સ્ટેટ હાઈવે પર સતત વાહનોની અવર-જવર વચ્ચે પણ સિંહો ડોકાતા રહે છે. ૨૦૧૦માં તો એક સિંહણ છેક ધોરાજી તાલુકાના નાની પરબડી ગામની સીમ સુધી પહોંચી હતી. ગિરનારનુ જંગલ ત્યાંથી ખાસ્સુ દુર છે.
ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ સજીવ તેની આસપાસના વાતાવરણ-સંજોગોને અનુકૂળ થાય તો જ ટકી શકે. સિંહોએ પણ પોતાની આસપાસના વાતાવરણને અનુકૂળ થવાનું શરૃ કરી દીધું છે. પરિણામે ગીરના સિંહો એશિયાઈ સિંહો હોવા છતાં તેના પેટા પ્રકારો પાડી શકાય એટલી હદે અલગ પડી ગયા છે. સાવરકુંડલા-અમરેલી-લિલિયા વિસ્તારમાં રહેતા સિંહોનો ગીરના સિંહો સાથે કોઈ લેવા-દેવા નથી. એ રીતે ગીરના જ વિવિધ વિભાગોમાં વિસ્તરેલા સિંહોએ પોતપોતાનું નાનું એવુ પણ અલગ રજવાડુ ઉભું કરી લીધું છે. સિંહોને ટકી રહેવા માટે પાણી, પાંખુ જંગલ, બચ્ચાંઓ માટે સલામતી અને સ્થાનિક લોકોનો સહકાર એટલી ચીજોની જરૃર પડે છે. ગીર બહાર નીકળેલા બધા સિંહોને આ બધુ જ મળી રહેતા ગીર બહાર પણ તેમની વસતી વધી રહી છે.
ગુજરાત સરકાર હવે આ બધા મુદ્દાઓ સુપ્રીમમાં રજુ કરવા જઈ રહી છે. હકીકતે પહેલેથી જ સિંહોની સમસ્યાને ગંભીરતાથી લઈ આ મુદ્દાઓની રજુઆત થઈ હોત તો કદાચ સિંહોને ગીર બહાર મોકલવા સુધી વાત પહોંચી ન હોત.
છેલ્લી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા ૪૧૧ છે. એ પૈકીના ૨૯૭ સિંહો ગીર અભયારણ્ય અને અભયારણ્ય વચ્ચે આવેલા નેશનલ પાર્કમાં રહે છે. ૧૧૪ જેટલા સિંહોએ ગીર બહાર પોતાની રીતે જંગલની 'શાખા'ઓ ખોલી લીધી છે. સિંહ જ્યાં પહોંચ્યા છે એ સિંહોના નવા રહેણાંકો નથી. વર્ષો પહેલા સિંહો આ બધા વિસ્તારમાં વિચરતા હતાં. પણ ઘટતા જંગલોને કારણે સિંહોનું ગીરમાં કેન્દ્રિયકરણ થયુ હતું. હવે ફરી સિંહો પોતાના જુના આવાસોમાં રહેવા લાગ્યા છે.
http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-gir-sanctuary-has-been-developed-out-of-the-empire

Friday, July 12, 2013

જંગલખાતાનું જડ વલણ, ૪૫ વિઘા કપાસ ઉખેડી નાંખ્યો.


Bhaskar News, Talala | Jul 03, 2013, 01:05AM IST
- તાલાલા પંથકનાં અમૃતવેલ (ગીર)ગામની સીમમાં જંગલખાતાનું જડ વલણ
- ફોરેસ્ટ સેટલમેન્ટનાં નીયમ હેઠળ જમીન કોર્ટે ખાલસા કરી: મૂળ માલીકને જાણ કર્યા વગર વન વિભાગે ખેતર ખેદાન-મેદાન કરતાં લોકરોષ


તાલાલા તાલુકાનું અમૃતવેલ (ગીર) ગામ ફોરેસ્ટ સેટલમેન્ટ હેઠળ આવે છે. આ ગામનાં કડવા પાટીદાર પરિવારની આવેલી ૪૫ વિઘા જમીનમાં વાવેલા કપાસનાં પાકને ઉખાડી કાઢી વન વિભાગે જમીનમાં રોપાનું વાવેતર કરી નાંખ્યું. અને ખેતરમાં આવેલા બોરમાંથી પાણીની મોટરો કાઢી લઇ ગયા. જમીનનું ભાગીયું કરતી વ્યક્તિ પાસેથી વન વિભાગે કબ્જો લઇ ખેતરમાં ખેદાન-મેદાન કરી નાંખતા જંગલખાતાનાં જડ વલણથી વન વિભાગ સામે લોકરોષ ઉઠ્યો છે.

અમૃતવેલ (ગીર) માં રામજી દેવદાસ ગોથીની માલિકીની સર્વ નં. ૪૧/૪૨ મળી કુલ ૪૫ વિઘા જમીન આવેલી છે. જમીનનાં મુળ માલીક રામજીભાઇ અને તેનાં પુત્ર જેઠાભાઇનું ઘણા સમય પહેલાં મૃત્યુ થયું છે. આથી આ જમીનમાં સીધી લીટીનાં વારસદાર તરીકે મૃતક જેઠભાઇનાં વિધવા પત્ની રાધાબેન બહારગામ રહે છે. પરિણામે જમીનનું ખેડ કામ ગામનાં બાવાજી ત્રીકમભાઇ સંભાળે છે.

વન વિભાગનાં સેટલમેન્ટ હેઠળનાં નિયમો મુજબ સેટલમેન્ટ ફોરેસ્ટ એરીયામાં આવતી જમીન જેમને મળી હોય એ જમીનનું ખેતીકામ કરી રોજી રોટી પ્રાપ્તકરે. આ જમીનનું ભાગીયું આપી શકાયું નથી. જમીનનું ખેતીકામ સંભાળતા ત્રીકમભાઇએ હાઇકોર્ટમાં જમીન પોતાના નામે કરવા અરજી કરી હતી. પરંતુ કોર્ટે જમીન ત્રીકમભાઇનાં નામે ન થઇ શકે તેમ જણાવી જમીન ખાલસા કરવાનો હુકમ કર્યો હતો.

બીજી તરફ જમીનનાં મુળ માલીકનાં સીધી લીટીનાં વારસદાર વિધવા રાધાબેને જમીન ઉપર પોતાનો કાયદેસરનો હક્ક થતો હોઇ જમીન તેમના નામે કરવા માલીકી હક્ક પ્રાપ્તકરવા વેરાવળ કોર્ટમાં અરજી કરી હતી. અને ગીર પશ્ચિમ વિભાગનાં નાયબ વન સંરક્ષકને લેખિત જાણ કરી હતી.

પરંતુ વન વિભાગનાં અધિકારીઓએ મુળ માલીક વિધવા રાધાબેનને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના ગઇકાલે જેસીબી, ટ્રેકટરો અને મજૂરોના કાફલા સાથે સાસણનાં ઇન્ચાર્જ આરએફઓ ગોઢાણીયાએ અમૃતવેલ  આવી જમીનમાં ઉગેલો ૪૫ વિઘાનો કપાસનો પાક ઉખેડી ફેંકી દીધો. ખેતરમાં આવેલા બોરમાંથી ઇલેકટ્રીક મોટરો કાઢી લીધી. અને કુવો પુરવાની કામગીરી અધુરી રાખી વાડીમાં બનાવેલું ઝુંપડુ તોડી નાખ્યું હતું. જંગલખાતાનાં આવા જડ વલણથી અમૃતવેલ ગામ ઉપરાંત ગીર પંથકનાં ખેડૂતોમાંથી ભારે રોષ ઉઠયો છે.

- મૂળ માલીકનાં વારસને જમીન મળશે ?

અમૃતવેલની સર્વે નં. ૪૧/૪૨ ની જમીન ખેતીકામ કરતા ત્રીકમભાઇએ માલીક જેઠાભાઇએ જમીન દાનમાં આપી હોવાની રજૂઆત સાથે કોર્ટમાં અરજી કરી હતી. એ અરજી ફગાવી કોર્ટે જમીન ખાલસા કરી. પરંતુ જમીનનાં વારસદાર વિધવા રાધાબેનએ જમીન તેમનાં પતિએ કોઇને દાનમાં આપી હોઇ તેની પોતાને કશી જાણ નથી.

આ જમીન ઉપર પોતે સીધી લીટીનાં વારસદાર હોઇ જમીન તેમની થવા વેરાવળ કોર્ટમાં અરજી કરી છે. ત્યારે વન વિભાગે મૂળ માલીકનાં વારસદારને કશી જાણ કર્યા વગર જમીનમાં રહેલ પાક ઉખેડી જમીનનો કબ્જો લઇ લીધો હોય વારસદાર વિધવા રાધાબેનને જમીન મળશે કે કેમ તે જોવું રહ્યું.