Tuesday, June 17, 2014

ગીર પંથકમાં મેઘો ઓળઘોળ, હિ‌રણ નદીમાં આવ્યું ઘોડાપૂર.

Bhaskar News, Talala | Jun 16, 2014, 10:03AM IST
- ગીર પંથકમાં ૬ કલાકમાં ૧૦ ઈંચ
- ધમાકેદાર : ગીરની હિ‌રણ,સરસ્વતી,કરકરી નદીમાં ઘોડાપૂર : જળાશયોમાં આવક
- તાલાલાનાં જાંબુર ગીર પાસે સરસ્વતી નદીનાં પૂરનાં પાણી પુલ ઉપર આવતા તાલાલા-ઊના હાઈવે બંધ : વાહનોનાં થપ્પા

ગીર-પંથકમાં આજે સવારથી થઇ રહેલ ભારે બફારા વચ્ચે બપોરે બે વાગ્યે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા મુશળાધાર વરસાદ વરસવાનું શરૂ થયેલ બે થી ચાર વાગ્યા સુધીમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકી જતાં નદીઓમાં પાણીની ભારે આવક શરૂ થઇ ગયેલ બપોરે ચારથી છ વાગ્યા સુધીમાં વધુ ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ગીર પંથક જળબંબોળ થઇ ગયેલ તાલાલા યાર્ડમાં કેસર કેરીનાં અઢાર હજાર બોક્ષ વેચાણ માટે આવેલા જેમાં શેડમાં પડેલ માલ બચી ગયો હતો.

સાત હજારથી વધુ બોકસ તાલપત્રીઓ ઢાંકવા છતાં પલળી ગયા હતા. આંબળાશ ગામે વોકળાનાં પુરમાં બળદગાડા સાથે ખેડૂત તણાયેલ ઝાડ પકડાઇ જતાં ખેડૂતનો બચાવ થયેલ. જ્યારે બળદગાડુ પૂરમાં તણાઇ ગયું હતું. જશાપુર ગામે પૂરમાં ફસાયેલા ખેડૂત યુવકને બચાવવામાં આવેલ જ્યારે તાલાલા-ઊના હાઇવે ઉપર થંબુર ગામ પાસે પસાર થતી સરસ્વતી નદીમાં આવેલ ભારે પૂરનાં પાણી પુલ ઉપરથી વહેવા લાગતા તાલાલા-ઊના હાઇવે બંધ થઇ ગયો હતો.

તાલાલા સહિ‌ત સમગ્ર ગીર-પંથકમાં આજે બપોરે બે વાગ્યાથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગીર જંગલ સહિ‌ત સાસણ, લુશાળા, ધાવા, હરીપુર, બોરવાવ, વીરપુર, જશાપુર, મોરૂકા, માધુપુર, આંકોલવાડી, સુરવા, બામણાસા, આંબળાશ સહિ‌તનાં ગામોમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકેલ ગીર જંગલનાં ઉપરવાસ અને જંગલ ફરતે ભારે વરસાદ થતાં સુરવા ગામેથી વહેતી કરકરી નદી માધુપુરથી વહેતી સરસ્વતી નદી ગીરમાંથી વહેતી હિ‌રણ નદીમાં પૂર ઉમટી પડયા હતા. આંબળાશ ગામે જવાનાં રસ્તા બંધ થઇ ગયા હતા. મેઘરાજાએ એન્ટ્રી સાથે જ સાર્વત્રીક વરસાદ વરસાવતા ગીરનાં લોકોનાં હૈયા ઝૂમી ઉઠયા હતા.


આંબળાશ ગામે બળદગાડા સાથે તણાયેલા ખેડૂતનો બચાવ

આંબળાશ ગામે ખાબકેલા ભારે વરસાદથી ગામ ફરતે પાણી ફરી વળ્યા હતા. ગામનાં સ્મશાન નજીકથી પસાર થતાં વોકળાંમાં ભારે પૂર આવતા ખેતરેથી ઘરે પરત બળદગાડુ લઇ આવતા ખેડૂત પ્રવિણભાઇ કાનજીભાઇ લાડાણીનું બળદગાડુ પૂરમાં તણાઇ ગયેલ કાંઠે રહેલ ઝાડ પકડાઇ જતાં ખેડૂતન બચાવ થયેલ જ્યારે બળદ સાથે ગાડુ ધસમસતા પૂરમાં તણાઇ ગયું હતું.

જશાપુર ગામે નદીમાં ફસાયેલ યુવાન બચ્યો

જશાપુર ગામે ભારે વરસાદથી બાંડીજર નદીમાં પૂર આવતા નદીનાં વહેણમાંથી પસાર થઇ રહેલ ખેડૂત યુવાન ધીનુભાઇ ઠુમ્મર ફસાઇ ગયેલ વહેણમાં આવતા ઇલેકટ્રીક પોલનો સથવારો મળી જતાં યુવાન તણાતા બચી ગયેલ અને લોકોની મદદથી યુવાનને બચાવી લેવાયો હતો.

વરસાદ પડતા યાર્ડમાં કેરીની આવક વધી : સીઝન પૂર્ણતાનાં આરે.

Bhaskar News, Junagadh | Jun 15, 2014, 01:47AM IST

- શહેરનાં માર્ગો પરથી કેરીનાં સ્ટોલ ઉઠવા લાગ્યા

વેરાવળનાં દરીયામાં ચક્રવાત ઉપડતા ખેડૂતોએ કેરી ઉતારવાનુ શરૂ કરી દીધુ હતુ. તેમજ વરસાદ શરૂ થતા જૂનાગઢ યાર્ડમાં કેરીની આવકમાં પણ વધારો થયો છે. છેલ્લા ચાર દિવસમાં યાર્ડમાં કેરીનાં ૮૮,૨૩૧ બોકસની આવક થઇ છે. બીજી તરફ શહેરમાં માર્ગો પર જે કેરીનાં સ્ટોલ હતા. તે પણ ઉઠવાનું શરૂ થઇ ગયુ છે. વરસાદ શરૂ થતા કેરીની સીઝન પૂર્ણતાનાં આરે છે. ચાલુ વર્ષે કેરીની સીઝન શરૂ થાય એ પહેલાં પડેલા કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન થયું હતું. જોકે, બાદમાં પાછોતરો પાક સારો રહેતા ખેડૂતો અને વેપારીઓને ફાયદો થયો હતો. તેમજ કેરીની સીઝનમાં જૂનાગઢ યાર્ડમાં પાછોતરી આવક પણ સારી થઇ હતી. બાદમાં બુધવારથી વાતાવરણમાં બદલાવ આવતા કેરીની આવક વધવા લાગી હતી.

પ્રથમ વેરાવળનાં દરીયામાં ચક્રવાત સર્જા‍યુ હતુ. વાવાઝોડાની દહેશત વચ્ચે ખેડૂતોએ કેરી ઉતારવાનું શરૂ કરી દીધુ હતુ. બાદમાં બે દિવસથી ચોમાસું જામતાં ખેડૂતો કેરી ઉતારી રહ્યા છે. જેના પરીણામે જૂનાગઢ યાર્ડમાં પણ કેરીની આવક વધી છે. તા. ૯નાં ૭૮૮૭, તા. ૧૦નાં ૧૦,૮૪૯, તા.૧૧નાં ૨૦,૭૧૯, તા.૧૨નાં ૨૩,૯૦૨ અને તા.૧૩નાં ૨૪,૮૭૪ કેસર કેરીનાં બોકસની આવક થઇ હતી. ચાર દિવસમાં કેરીની આવકમાં સતત વધારો થયો હતો. બીજી તરફ વરસાદ પડવાનુ શરૂ થતા શહેરનાં માર્ગો પર કેરીનાં સ્ટોલ સંકેલવાનું શરૂ થયુ હતુ.

મેંદરડા મધુવંતીમાંથી વેલ દૂર કરો.

Bhaskar News, Mendarada | Jun 14, 2014, 01:48AM IST

મેંદરડા મધુવંતીમાંથી વેલ દૂર કરો
- મેંદરડા મધુવંતીમાંથી વેલ દૂર કરો
- સફાઇ કયારે ? : વરસાદ પહેલા પ્રીમોન્સુન કામગીરી કરવા ગ્રામજનોની માંગ
- ૧૦ થી ૧પ વર્ષ થયાં કચરો કઢાયોજ નથી : નદીમાં દેશી દારૂ પણ વેચાય છે

ચોમાસુ બેસી ગયું, વરસાદ થવાને આડે હવે થોડા દિવસોની જ વાર છે. દર વર્ષે દરેક ગામમાં વરસાદ પહેલા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાય છે. ત્યારે મેંદરડામાં આ કામગીરી સાવ નહિ‌વત છે. ગામની મધ્યમાંથી પસાર થતી મધુવંતી નદીમાં દશ-દશ ફુટની ગાંડીવેલ ઉગી નીકળી છે. નદીમાં ગામનો કચરો, ગટરનું ગંદુ પાણી અને મરેલા પશુઓ પણ નંખાય છે. જેથી આ નદીમાં સાફ-સફાઇ કરવામાં આવે અને શહેરીજનોની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે ગ્રામજનોએ માંગ કરી છે. સામાન્ય રીતે તો પ્રીમોન્સુનની કામગીરી પંચાયત, કે પાલિકા દ્વારા જ થતી હોય છે.

પરંતુ નદીની સફાઇ વિષે મેંદરડા ગ્રામ પંચાયતનાં સરપંચ વિનુભાઇ ગજેરાને પુછવામાં આવ્યું તો તેણે એવું જણાવ્યું હતું કે આ કામગીરીને ધારાસભ્ય ગ્રાન્ટ આપે અને કોઇ સાર્વજનિક સંસ્થા દ્વારા કામ કરવામાં આવે તો થઇ શકે છે. બાકી તો આ કામગીરી પંચાયતે કરવાની જ હોતી નથી. મધુવંતી નદીમાં ગાંડીવેલ હમણાં જ ઉગી નીકળી છે એવું નથી છેલ્લા ૧૦ વર્ષથી આ વેલ ઉગી નીકળી છે અને રૂપિયા પણ ફાળવાયા છે પરંતુ આ વેલ દુર કરવાની કામગીરી માત્ર ચોપડે જ નોંધાઇ છે. ત્યારે નદીની સાફ સફાઇનાં બહાને હજારો કે લાખો રૂપિયા પચાવી ગયેલા લોકોની પણ તપાસ થાય અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી છે.

નદીમાં દેશી દારૂનાં અડ્ડાઓ ધમધમે છે

મેંદરડાની મધુવંતી નદીમાં ઉગી નીકળેલી ગાંડી વેલ ગ્રામજનોને ફાયદો કરે કે ન કરે પરંતુ દેશી દારૂનાં ધંધાર્થીઓ માટે ખુબ ફાયદા કારક છે. દરરોજ સાંજે અહીં દારૂનો ખુબ વેપાર થાય છે. પરંતુ મેંદરડા પોલીસને આ જરા પણ ધ્યાને આવતુ નથી. પરંતુ જો પોલીસ ટીમ દ્વારા આ વિસ્તારમાં તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિથી થતાં કામોનો ખ્યાલ આવી શકે તેમ છે.

વંથલીના કોયલીમાં દીપડાએ ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી.

Bhaskar News, Junagadh |Jun 11, 2014, 02:21AM IST

- ચીકુના બાગ પાસેથી સવારે મૃતદેહ મળ્યો : અરેરાટી


વંથલીનાં કોયલી ગામની સીમમાં ચીકુના બાગમાં રમી રહેલી ત્રણ વર્ષની બાળકીને ગઇકાલે રાત્રીનાં અરસામાં દીપડો ઉપાડી ગયા બાદ આજે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ વંથલીનાં કણજા ગામે રહેતા ગામેતી હબીબભાઇ મોતીભાઇ સોઢાએ કોયલી ગામની સીમમાં આવેલ વંથલીનાં કેશુભાઇ ઓડેદરાની ચીકુની બાગ ભાગીયુંમાં રાખી હોય પરિવાર સાથે અહીંયાજ રહેતા હોય ગઇકાલે રાત્રીનાં ૮.૪પ વાગ્યાની આસપાસ તેમની ત્રણ વર્ષની પુત્રી સોહાના બાગમાં રમી રહી હતી ત્યારે અચાનક જ દીપડાએ આવી ચઢી તેને ઉપાડી ગયો હતો. હબીબભાઇ, પરિવારનાં સભ્યો તેમજ લોકોએ તેની શોધખોળ હાથ ધરેલ પરંતુ કયાંય મળી આવી ન હતી.

દરમિયાન આજે સવારનાં અરસામાં બાગ નજીકથી મૃતદેહ સોહાનાનો મૃતદેહ મળી આવતાં પરિવાર આઘાતમાં હતપ્રભ બની ગયો હતો. આ બનાવની જાણ થતાં જ વંથલી પોલીસ અને વન વિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. બાળકીનાં મૃતદેહને પ્રથમ વંથલી હોસ્પિટલે લાવવામાં આવ્યા બાદ પીએમ માટે જામનગર મોકલાયો હોવાનું જાણવા મળે છે. આદમખોર દીપડાને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળી રહયું છે.

ગીર જંગલમાં ૧૬ જૂનથી વનરાજોનું વેકેશન થશે શરુ.

Bhaskar News, Junagadh | Jun 10, 2014, 01:10AM ISTગીર જંગલમાં ૧૬ જૂનથી વનરાજોનું વેકેશન થશે શરુ

- ચોમાસાની ઋતુ દરમ્યાન વનરાજોને સંવનનમાં ખલેલ ન પહોંચે અને જંગલમાં માર્ગો બંધ થઇ જતા હોય છે


આગામી થોડાજ દિવસોમાં હવે ચોમાસું શરુ થશે. ત્યારે વનરાજોનો સંવનનકાળ પણ શરુ થશે. આથી આ સમયગાળામાં પ્રવાસીઓની હાજરીને લીધે તેઓને ખલેલ ન પડે તે માટે વનવિભાગ દર ચોમાસામાં ગિરમાં એન્ટ્રી બંધ કરી દે છે.

આગામી દિવસોમાં હવે ચોમાસું શરુ થનાર છે. ત્યારે વનરાજોનો સંવનનકાળ પણ શરુ થનાર છે. વર્ષોથી વનવિભાગ દર ચોમાસામાં ગિર જંગલમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દે છે. તેની તારીખો જોકે, નક્કી જ હોય છે. પરંતુ ગત વર્ષે ચોમાસું લંબાઇ જતાં હવે આ વર્ષે ફક્ત જંગલમાં પ્રવેશ બંધ થવાની જ તારીખ જાહેર કરાઇ છે. આ અંગે સાસણ ગિર સ્થિત વન્ય પ્રાણી વર્તુળનાં નાયબ વન સંરક્ષકે જણાવ્યું છે કે, વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ ૧૯૭૨ તેમજ એ કાયદા નીચે બનાવેલા નિયમો પ્રમાણે ગિર વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુ દરમ્યાન તા. ૧૬ જૂનથી બીજો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.

કેસર સહિત ૪૫ જેટલી કેરીની જાતોનું પ્રદર્શન નિહાળતા પ્રવાસીઓ.

Sarman Ram, Junagadh | Jun 08, 2014, 17:57PM IST
જુનાગઢ જિલ્લો વિવિધતામાં અનેકતાની અનેરી ભાત પાડે છે, પૈારણિક સ્થાપત્યો, ઐતિહાસીક ઈમારતો, પુરાત્તત્વીય મોન્યુમેન્ટ, અને વિશાળ અરબ સાગરનો તટ સાથે પ્રસિધ્ધ ગીર-ગીરનારનું વન સામ્રાજ્ય, તેમાં એશિયેટીક લાયન(વન કેસરી) અને તેનાં સંગાથે પાંગરેલી કેસર કેરીની સોડમ દેશ દુનિયાનાં પ્રવાસન પ્રેમીને આગવી ઓળખ સાથે આકર્ષિત કરી રહી છે. જુનાગઢ જિલ્લાનાં માંગરોળનાં શારદાગ્રામ ખાતેથી વિસ્તયરેલી કેસર  કેરીની સુમધુરતા અને સોડમ  સાસણનાં વનપ્રદેશે પાંગરીને ગુજરાતની શાન બની રહી છે. કેસરી સિંહનાં ગઢ એવા સાસણ ગીરમાં આજે પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ ત્રીજા મેંગો ફેસ્ટીશવલને ખુલ્લો મુકી સિંહ સદન-સાસણનાં ઉદઘાટન સમારોહમાં જણાવ્યુંમ હતુ કે રાજ્યમાં પ્રવાસનને ઉત્તેજન આપવાની નીતિ અને સ્થા નીક લોકોનાં સહકારને લીધે પ્રવાસન ક્ષેત્રે ૧૩ ટકાનો વિકાસ થયો છે. 
 
મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ વધુમાં જણાવ્યુવ હતુ કે પ્રવાસન નિગમનાં મેંગો ફેસ્ટીીવલને લીધે ગીરની કેસર કેરીને વિશેષ ઉત્તેજન મળશે. ત્રણ દિવસ દરમ્યાયન સાસણમાં વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ ગીરની ૪પ પ્રકારની કેરીઓનું પ્રદર્શન નિહાળશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસની કટીબધ્ધતા વ્યંક્ત કરતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું  હતુ કે સાસણમાં પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. અગાઉ વર્ષે એક લાખ પ્રવાસીઓ સાસણમાં સિંહ દર્શનાર્થે આવતા હતા. આજે વર્ષે પાંચ લાખ ઉપરાંત પ્રવાસીઓ સાસણ ખાતે આવે છે. મંત્રીશ્રીએ મુખ્યામંત્રીશ્રી આનંદીબેન પટેલનાં દિર્ઘદ્રષ્ટિં હેઠળ હજુ વધુ પ્રવાસન વિકાસની ઉપલબ્ધ થનારી રૂપરેખા પણ રજુ કરી હતી. સાસણ વિસ્તાતરનાં લોકોનો પ્રવાસીઓ પ્રત્યેનાં સહકારથી પણ સરાહનાં કરી હતી.મંત્રીશ્રીએ ઉદઘાટ્ન સમારોહ પુર્વે સિંહ સદનમાં ગીરની કેસર કેરીઓની ૪પ થી વધુ જાતોનાં પ્રદર્શન સ્ટોકલની મુલાકાત લીધી હતી. 
 
મેંગો ફેસ્ટી૪વલનાં ઉદધાટન સમારોહનાં પ્રારંભે ગુજરાત પ્રવાસન નિગમનાં જનરલ મેનેજરશ્રી શશીકુમારે મહાનુભાવો, વિવિધ પ્રાંતથી પધારેલ પ્રવાસીઓને આવકારતા જણાવ્યુંર હતુ કે પ્રવાસન વિભાગ જૂનાગઢ જીલ્લાનાં પ્રવાસન ક્ષેત્રનાં વિકાસ માટે અનેકવિધ ક્ષેત્રે કામ કરી રહેલ છે. જગમશહુર વનરાજ કેસરી અને ગીરની કેસર કેરીની ખ્યાનતી દેશ-પરદેશમાં ખુબ જ પ્રસરી છે. આથી જ અનેક સહેલાણીઓ સાસણનાં મહેમાન બને છે. રાજયનાં પ્રવાસન નિગમ દ્વારા ગીરનાં પ્રવાસન વિકાસમાં હજુ માળખાગત સુવિધાઓ ઉભી કરવા કટીબધ્ધ છે.
 
ગીરનાં મુખ્ય  વનસંરક્ષક શ્રી આર.એલ. મિનાએ સાસણ અને ગીર વનરાજ સાથે કેસર કેરીનાં પ્રવાસીઓમાં આકર્ષણને બીરદાવતા જણાવ્યુસ હતુ કે જુનાગઢનાં લોકોનાં સહકાર અને સંસ્કાએરીતાનાં વારસાને લીધે પ્રવાસન ક્ષેત્રે જે વિકાસ થયો છે તેમાં રાજ્ય પ્રવાસન નિગમની સહભાગીતાથી સાસણની ખુશ્બુ દેશનાં સિમાડા પાર કરી દુનિયાનાં ખુણે ખુણે પ્રસરી છે ત્યારરે મેંગો ફેસ્ટીહવલથી પ્રવાસીઓ કેસર કેરીની સાચી ઓળખ સાથે ગીરનાં સંભારણા સાથે લઇને જઇ શકશે. 
 
કાર્યક્રમનું આભાર દર્શન કરતા સાસણ વન પ્રદેશનાં નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમારે સાસણની આગવી ઓળખસિંહ અને કેસર કેરીનાં સંવર્ધનમાં સ્થાદનિક લોકોની સરાહનાં કરતા જણાવ્યુસ હતુ કે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગીરની ફળોની મહારાણી કેસર કેરીને વિશ્વથ બજાર સુધી પહોંચતી કરવા પ્રવાસન સાથે સાંકળીને  મેંગો ફેસ્ટી વલનું આયોજન કરવામાં આવ્યુ તે સરાહનિય અને આવકાર દાયક છે. પ્રવાસન વિભાગ દ્વારા સિંહ દર્શને આવતા સહેલાણીઓ વનરાજની સાથે ફળોની મહારાણી કેસરને પણ ઓળખે, કેસરની સોડમ પારખ તેવા પ્રયાસોની સાથે સાસણ સહેલગાહ સેન્ટ રમાં પ્રવાસીઓને માળખાગત સુવીધાઓ જે રીતે પુરી પાડવામાં આવી રહી છે તેની જાણકારી આપી હતી.

લાખાપરામાં દિપડી ઘરમાં મહેમાન બની, સાસણ મોકલી અપાઇ.

લાખાપરામાં દિપડી ઘરમાં મહેમાન બની, સાસણ મોકલી અપાઇ
Bhaskar News, Sutrapada | Jun 08, 2014, 11:28AM IST
વન વિભાગે આ દિપડીને પાંજરામાં કેદ કરી : સાસણ મોકલી અપાઇ

સુત્રાપાડા તાલુકાનાં લાખાપરામાં એક રહેણાંકીય મકાનમાં ચાર વર્ષીય દીપડી ઘુસી જઇ બે બકરાનું મારણ કરતા ભારે દોડધામ મચી ગઇ હતી. સુત્રાપાડાનાં લાખાપરા ગામે ભગવાનભાઇ નારણભાઇ બારૈયાનાં મકાનમાં ગતરાત્રિનાં ત્રણ વાગ્યાનાં આસપાસ ચાર વર્ષીય માદા દીપડી ઘૂસી આવી હતી. જયારે આ દીપડીને ઘરમાં બાંધેલા બે બકરાનું પણ મારણ કરતાં રહીશો સહિ‌ત ગ્રામજનોમાં ભારે ફફડાટ પ્રસર્યો હતો.

જયારે આ અંગે વનવિભાગને જાણ કરાતા ફોરેસ્ટર નંદાણીયા, શીલુભાઇ, છબલભાઇ, સલીમભાઇ, વીરાભાઇ ડોડીયા તેમજ સાસણ એનીમલ કેર સેન્ટરની ટીમે રેસ્કયુ કરતાં મહામહેનતે ઘરમાં ઘુસેલી આ દીપડી પાંજરામાં કેદ થઇ હતી. જયારે મોડી રાતથી ઘરમાં ઘુસેલી દીપડી અને તેના રેસ્કયુને લઇને ગ્રામજનો પણ અહીં ઉમટયા હતાં. જોકે પાંજરામાં દીપડીને કેદ કરી સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપતાં ગ્રામજનોએ રાહત અનુભવી હતી.