Monday, September 30, 2019

સાવધાન..અહીથી હમણાં જ 10 સાવજો પસાર થયા છે

DivyaBhaskar News Network

Sep 30, 2019, 05:56 AM IST
આ પગરણ કોઇ સામાન્ય પ્રાણીના નથી. જેની એક ડણકથી જંગલ ધ્રુજી ઉઠે છે તે ડાલામથ્થા સાવજના છે. અને તે પણ એક નહી. દસ-દસ સાવજોના પગરણ. વરસાદને કારણે ભીંજાયેલી ધરા પર તેની હાજરીની શાખ પુરે છે. સાવજની વાત છોડો, આ પગરણ નજરે પડે અને સાવજો આસપાસમા છે તેવો અહેસાસ થાય તો પણ ભયની કંપારી છુટી જાય. અમરેલી જિલ્લામા ગીરકાંઠે રેવન્યુ વિસ્તારમા આજે સાંજે આ પગરણ નજરે પડયા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-cautionthere-are-just-10-cures-passed-right-now-055619-5606512-NOR.html

Saturday, August 31, 2019

મોઇરંગથમે નોકરી છોડીને એકલા હાથે 17 વર્ષ સુધી મહેનત કરીને 300 એકરમાં જંગલ બનાવ્યું

 https://www.divyabhaskar.co.in/youth-zone/inspirational/news/manipur-man-has-replanted-an-entire-300-acre-forest-by-himself-over-a-period-of-17-years-1567237644.html?ref=hf

  • આ જંગલમાં 250 પ્રજાતિના વૃક્ષ છે
  • મોઇરંગથમ જંગલમાં જ રહે છે
  • ભવિષ્યમાં મોઇરંગથમ લોહિયા આ જંગલને વિસ્તારવા માગે છે

Divyabhaskar.com

Aug 31, 2019, 01:13 PM IST
યૂથ ઝોન ડેસ્ક: હાલ દુનિયાભરના લોકોની નજર એમેઝોનના જંગલમાં લાગેલી આગ પર છે. આ જંગલમાં હજારો એકરમાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો ચાલુ જ છે. એમેઝોન જંગલ આખી પૃથ્વીને 20 ટકા ઓક્સિજન પૂરો પાડે છે. દુનિયાના દરેક લોકો તેને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે, તેવામાં બીજી બાજુ આપણા દેશમાં એવા વ્યક્તિ પણ છે જેણે જંગલ બનાવવા માટે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી.
એકલા હાથે જંગલ બનાવ્યું
મણિપુરના પર્યાવરણપ્રેમી વ્યક્તિએ વૃક્ષો માટે પોતાની નોકરીને તિલાંજલિ આપી દીધી. મોઇરંગથમ લોહિયાએ છેલ્લા 17 વર્ષમાં એકલા હાથે 300 એકરનું જંગલ ઊભું કર્યું છે. તેમણે મણિપુરના લંગોલ હિલ રેન્જમાં વૃક્ષો વાવ્યા છે. મોઇરંગથમ આજે પણ જંગલમાં જ રહે છે
જંગલ બનાવવાનો આઈડિયા
મોઇરંગથમે કહ્યું કે, હું છેલ્લા 17 વર્ષથી વૃક્ષ વાવવાનું કામ કરું છું. નાનપણથી મને જંગલ અને મોટાં ઝાડ ઘણા ગમે છે. જ્યારે હું મારી કોલેજ પૂરી કરીને મારા ગામ પરત ફર્યો ત્યારે મેં જોયું કે, જંગલનો નાશ થઇ ગયો છે અને માત્ર નાના વૃક્ષ જ વધ્યા છે. આ બધું જોઈને હું ઘણો ઉદાસ થઈ ગયો હતો. આ જ પળે મને પર્યાવરણ માટે કંઈક કરવા માટેનો રસ્તો બતાવ્યો.
આ જંગલ અનેક પશુ-પક્ષીનું ઘર છે
મોઇરંગથમ લોહિયાએ સર્જન કરેલું જંગલ 'પુનશીલોક' તરીકે ઓળખાય છે. આ જંગલમાં 250 પ્રજાતિના વૃક્ષો છે અને બામ્બુની 25 પ્રજાતિ છે. માત્ર વૃક્ષો જ નહીં પણ આ જંગલ ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ આશરો બન્યું છે. અહીં જંગલ પક્ષીઓ, સાપ અને વાઈલ્ડ એનિમલનું ઘર છે.
લોકોને જંગલનું મહત્ત્વ સમજાવ્યું
એકલા હાથે જંગલ ઊભું કરવું તે કોઈ સામાન્ય વાત નહોતી. ગામના લોકોને વૃક્ષને કાપતાં અટકાવવા અને તેનું મહત્ત્વ સમજાવવું તે ઘણું અઘરું કામ હતું. જો કે, સમયની સાથે લોહિયાએ બધાના દિલ જીતી લીધા અને ગામના લોકોએ પણ તેને આ કામમાં સાથ આપવાનું શરુ કરી દીધું.
ભવિષ્યનો પ્લાન
મોઇરંગથમના આ કામની અનેક લોકોએ નોંધ લીધી છે. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના પ્રિન્સિપાલ ઓફ ચીફ કેરેઈહૌવી અંગામીએ કહ્યું કે, મોઇરંગથમ લોહિયાના જંગલ બનાવવાના પ્રયત્ન વખાણ કરવા લાયક છે. પર્યાવરણ પ્રત્યેનો તેનો પ્રેમ અનેક લોકોને પ્રેરણા આપે છે. મોઇરંગથમ લોહિયા સ્વયંસેવક અને મિત્રોનું એક નાનું ગ્રુપ બનાવ્યું છે. ભવિષ્યમાં આ ગ્રુપ જંગલને હજુ વધારે ફેલાવવા માગે છે.

કુદરત સોળે કળાએ ખીલી, ગિરનાર પર 7 ઇંચ વરસાદથી પગથીયા પર નદી વહી, ઝરણારૂપી પાણીનો અદભૂત નજારો

  • વંથલીમાં 5, જૂનાગઢ, વિસાવદરમાં 4, માણાવદર, મેંદરડા અને ભેંસાણમાં બે ઈંચથી વધુ વરસાદ
  • વિલિંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો

Divyabhaskar.com

Aug 01, 2019, 04:08 PM IST
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અષાઢી માહોલ બંધાયો છે અને તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળ્યો છે. ત્યારે બુધવારે સવારથી જ વરસાદી માહોલ રહેતા જિલ્લામાં એકથી ચાર ઇંચ જેવો સરેરાશ વરસાદ પડી જવા પામ્યો હતો. ત્યારે અત્યાર સુધી ખાલી રહેલો ઓઝતનો પટ્ટ પણ વરસાદને લઇ પાણીથી ભરાઇ ગયો હતો. જો કે ગીર-સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકા સિવાય અન્ય તમામ તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો છે. વાત કરીએ બુધવારનાં વરસાદની તો જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ પડ્યો હતો. જેથી ગિરનારના પગથીયા પર નદીની જેમ પાણી વહ્યું હતું. ભારે વરસાદ હોવા છતાં પણ યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. ગિરનાર પર્વત પરથી ઝરણારૂપી પાણીના ધોધે અદભૂત નજારો સર્જ્યો હતો.
વંથલીમાં પાંચ ઇંચ વરસાદ
ભેંસાણ, કેશોદ, માણાવદર, મેંદરડાનાં એકથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ વિસાવદર અને વંથલીમાં પાંચ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. ત્યારે જૂનાગઢ જિલ્લાનાં માંગરોળ અને માળિયામાં માત્ર વરસાદી ઝાંપટા જ રહ્યાં હતાં. જો કે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ થતાં હાલ ઠંડક પ્રસરી જવા પામી છે. વંથલીમાં પાંચ ઈંચ જેવો વરસાદ પડી ગયો હતો. અને ઉપરવાસમાં સારો વરસાદ થતા ઓઝતમાં ઘોડાપૂર આવ્યું હતું. જૂનાગઢના લોકોની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવર પણ છલકાયું છે.

બાબરામાં અનરાધાર 3,રાજુલામાં 2 ઇંચ વરસાદ
અમરેલી જિલ્લામાં અડધાથી લઇ ત્રણ ઇંચ વરસાદના કારણે વાડી ખેતરોમાથી પાણી દોડવા લાગ્યા હતા. બાબરા પંથકના ખેડૂતો છેલ્લા એક પખવાડીયાથી વરસાદની રાહમાં હતા. ઉભો મોલ સુકાઇ રહ્યો હતો. સિઝનમા સારો વરસાદ થયો ન હોય તળમાં પણ પાણી ન હતા. પરંતુ આજે બપોર બાદ ત્રણ કલાક સુધી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ત્રણ ઇંચ પાણી પડી જતા શહેરની બજારોમાં પણ પાણી દોડવા લાગ્યા હતા. ચમારડી, ઘુઘરાળા, ઉંટવડ, ખાખરીયા, દેવળીયા, કોટડાપીઠા વગેરે ગામમાથી સારા વરસાદના વાવડ છે. અમરેલી શહેરમાં પણ સાંજના સમયે ધીમીધારે વરસાદનુ આગમન થયુ હતું અને રાત પડતા સુધીમા એક ઇંચ વરસાદ પડી જતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.
જાફરાબાદ પંથકમાં એક ઇંચ વરસાદ
બગસરા, લાઠી અને લીલીયા પંથક પર પણ મેહુલીયો મહેરબાન થયો હતો અને દોઢ ઇંચ વરસાદ વરસાવી દેતા વાડી ખેતરોમાથી પાણી વહી ગયા હતા. જાફરાબાદ પંથકમા પણ એક ઇંચ વરસાદ થયો હતો. તો બીજી તરફ રાજુલા પંથકમા ધોધમાર વરસાદ તૂટી પડતા જોત જોતામા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજુલા પંથકમા આમ પણ વરસાદની ખેંચ હોય ગઇકાલને વરસાદથી ખેડૂતોને રાહત થઇ હતી. આજે ધારી પંથકમા પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વડીયા, સાવરકુંડલા અને ખાંભા પંથકમાં પણ ધીમીધારે સતત વરસાદ વરસતો રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જિલ્લાના મોટાભાગના જળાશયોમા સ્ત્રાવ ક્ષેત્રમા ભારે વરસાદ ન હોય હજુ નવા નીરની આવક થઇ નથી.
ક્યાં કેટલો વરસાદ ?
અમરેલી- 25મીમી
બાબરા- 65મીમી
બગસરા- 40મીમી
ધારી- 15મીમી
જાફરાબાદ- 28મીમી
લાઠી- 35મીમી
લીલીયા- 37મીમી
રાજુલા- 47મીમી
સાવરકુંડલા- 8મીમી
ખાંભા- 6મીમી
વડીયા- 7મીમી
ડેમ વિસ્તારમાં કેટલો વરસાદ ?
ખોડિયાર- 7મીમી
મુંજીયાસર- 38મીમી
વડીયા- 6મીમી
ઠેબી- 10મીમી
શેલદેદુમલ- 10મીમી
રાયડી- 20મીમી
ધાતરવડી-1 20મીમી
ધાતરવડી-2 30મીમી
સુરજવડી- 10મીમી

(અતુલ મહેતા/નિમિષ ઠાકર, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/7-inch-rain-fall-in-girnar-hill-so-ceate-river-of-girnar-stap-1564639311.html

રાજ્યમાં એકમાત્ર જૂનાગઢ ઝૂમાં જ લેપર્ડ કેટ અને મોટી ખીસકોલીની જોડી જોવા મળશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • ઝારખંડ અને કેરલાના ઝૂ ને સિંહની બે જોડી આપવામાં આવી

Divyabhaskar.com

Aug 09, 2019, 09:42 AM IST
જૂનાગઢ:એનીમલ પ્રોગ્રામ એક્સચેન્જ હેઠળ જૂનાગઢ સક્કરબાગ ઝુ માંથી સિંહ સહિતના પ્રાણી, પક્ષીઓ દેશના વિવિધ ઝુને આપી ત્યાંથી જુદા જુદા માંસાહારી, તૃણભક્ષી સહિતના પ્રાણીઓ તેમજ પક્ષીઓ લઇ આવવામાં આવી રહ્યાં છે. રાજ્યનાં ઝારખંડ અને કેરલાના ઝુ માંથી લેપર્ડ કેટ તેમજ મોટી ખીસકોલીની જોડી સક્કરબાગ ઝુ માં લઇ આવવામાં આવી છે. જો કે તેની સામે જૂનાગઢ સક્કરબાગ દ્વારા બે સિંહની જોડી આપવામાં આવશે.
પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને પ્રાણી-પક્ષીઓ લાવવામાં આવે છે
જૂનાગઢ સક્કરબાગ ઝુ માં આવતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને અવનવા પ્રાણી અને પક્ષીઓ લઇ આવવામાં આવે છે. એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ઝારખંડ રાંચીના બીરચા બાયોલોજીકલ પાર્કમાંથી લેપર્ડ કેટ(દિપડા જેવી બિલાડી)ની જોડી તેમજ કેરલાનાં નૈઇર સફારી પાર્કમાંથી જેન્સસ્કિરલ(મોટી ખીસકોલી)ની જોડી લવાઈ છે. તેની સામે સક્કરબાગ ઝુ આ બંને ઝુ ને સિંહની એક એક જોડી આપશે તેમ જૂનાગઢ ઝુ ના ડાયરેક્ટર અભિષેક કુમારે જણાવ્યું હતું.
લેપર્ડ કેટ ગુજરાતના એકપણ ઝૂમાં નથી
લેપર્ડ કેટ(દિપડા જેવી બિલાડી)સાઉથ એન્ડ ઇસ્ટ એશીયામાં જોવા મળે છે. સામાન્ય રીતે આ જંગલી પ્રાણી છે અને માંસાહારી ખોરાક ખાય છે. ઝૂ માં એક મોટી ખીસકોલી હતી અને હવે બે આવશે. જેન્સસ્ક્વિરલ(મોટી ખીસકોલી) દેશનાં કેરલા, તમીલનાડુ સહિતના સાઉથ ઇન્ડિયાના રાજ્યમાં જોવા મળે છે. ત્યારે સક્કરબાગ ઝુ માં જેન્સસ્ક્વિરલ નર પહેલેથી જ છે ત્યારે વધુ નર માદા આવવાથી સંવર્ધન વધશે.
લેપર્ડ કેર વિશે
લેપર્ડ કેટનું વજન 0.55થી 3.8 કિગ્રા હોય છે. માથાના શરીરની લંબાઈ 38.8 થી 66 સે.મી. હોય છે. જેમાં લાંબી 17.2 થી 31 સે.મી. પૂંછડી હોય છે. સામાન્ય રીતે તેઓ શિયાળા પહેલાં વજન વધારે છે અને વસંત ઋતુ સુધી પાતળા થઈ જાય છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/the-only-jungle-fort-zoo-in-the-state-will-see-a-pair-of-leopard-cats-and-a-large-squirrel-1565324036.html

વિશ્વ સિંહ દિવસ | સક્કરબાગ ઝુમાં ફ્રી એન્ટ્રીનો 552 પ્રવાસીઅોઅે લાભ લીધો

DivyaBhaskar News Network

Aug 11, 2019, 06:40 AM IST
જૂનાગઢમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ.1863માં થઇ છે. જે ભારતમાં જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયનું એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આજે વિશ્વ સિંહ દિવસને લઇને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વિના મુલ્યે એન્ટ્રી આપવામાં આવી હતી. જેનો લાભ બાળકોથી લઇને મોટા સુધીનાએ લીધો હતો. જૂનાગઢ સક્કરબાગ સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ સહિતના મોટાભાગના પ્રાણીઓ જોવા મળે છે. સક્કરબાગની મુલાકાત લેવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે અને સરેરાશ મહિને એક લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. સક્કરબાગમાં ઝુમાં જોવા મળતા અવનવા પ્રાણી પક્ષીઓને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા થોડા દિવસો પહેલા જ ફ્રી માં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે શનિવારે વિશ્વ સિંહ દિવસને લઇને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગિરના સિંહ જોવા માટે મુખ્ય કેન્દ્ર ગણાતા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ દિવસની ઉજવણીને ધ્યાને રાખીને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી. વિના મુલ્યે પ્રવેશ હોવાથી મહિલા-પુરૂષ, બાળકો અને વિદ્યાર્થીઅો સહિત કુલ 552 પ્રવાસીઓ એ મુલાકાત લીધી હતી.

સિંહ દિવસે મુલાકાત લેતા પ્રવાસીઓ

પ્રવાસીઓ સંખ્યા

પુરૂષ-મહિલા 324

બાળકો 39

વિદ્યાર્થીઓ 189
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-world-lion-day-552-tourists-took-advantage-of-the-free-entry-to-sakkarbagh-zoo-064012-5215105-NOR.html

જૂનાગઢની અલ્ટ્રા પ્રાયમરી શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ

DivyaBhaskar News Network

Aug 11, 2019, 06:40 AM IST
જૂનાગઢ : જૂનાગઢ મંગલધામ સ્થિત અલ્ટ્રા પ્રાયમરી શાળામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આશરે 180 બાળકોએ સિંહના પ્રતિક સાથે રેલી યોજી સિંહના રક્ષણ માટેની પ્રતિજ્ઞા લીધી હતો. આ રેલીનું સુકાન દિપેશભાઇ જોશી દ્વારા કરાયું હતું. ધો.10 નાં બાળકો દ્વારા સિંહના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આચાર્ય હર્ષિદાબેન માઢક દ્વારા આભાર વિધી કરાઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-world-lion-day-was-celebrated-at-junagadh-ultra-primary-school-064014-5215099-NOR.html

જૂનાગઢની સરસ્વતી સ્કુલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી

DivyaBhaskar News Network

Aug 11, 2019, 06:40 AM IST
જૂનાગઢ : જૂનાગઢ સ્થિત સરસ્વતિ સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે પ્રોજેક્ટર દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સિંહોના સંવર્ધન બાબતે પ્રતિજ્ઞા લઇ સિંહને બચાવવા સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે નિસર્ગ નેચર ક્લબના પ્રમુખ ડો.પાર્થ ગણાત્રાએ માર્ગદર્શન આપ્યું હોવાનું સંચાલક પ્રદિપભાઇ ખીમાણીની યાદીમાં જણાવાયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-world-singh-day-was-celebrated-at-saraswati-school-in-junagadh-064014-5215098-NOR.html