Monday, August 31, 2020

મેઘરાજાની તોફાની બેટિંગ:ગિરનાર પર 6 ઈંચ વરસાદથી પગથિયા પર પાણી દોડ્યા, ગઢડામાં 8 ઈંચથી ઘેલો નદીમાં પૂર આવતા જસદણ-રાજકોટ જવાનો રસ્તો બંધ

જૂનાગઢ24 દિવસ પહેલા
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો
  • વિસાવદરમાં 4, કેશોદ, વંથલી અને માંગરોળમાં 2 ઇંચ
  • ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં ઘોડાપૂર આવ્યા
  • જૂનાગઢમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે મેઘરાજાની તોફાની બેટિંગ બાદ આજે પણ ધીમીધારે વરસાદ શરૂ છે. ગિરનાર પર્વત પર 6 ઇંચ વરસાદ પડતાં ગિરનારના પગથિયા પર પાણી દોડવા લાગ્યા હતા. બીજી તરફ ગઢડાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા જસદણ અને રાજકોટ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેને લઈને મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. જૂનાગઢમાં પડેલા વરસાદના પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ
ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ

ગિરનાર પર્વત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા
જૂનાગઢના ગિરનાર પર્વત પર કાલે 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને લઈને ગિરનારના પગથિયા પર પાણી દોડવા લાગ્યું હતું. સોનરખમાં ઘોડાપૂર આવ્યું હતું. દામોદર કુંડના કાંઠે આવેલા પીપળાના ઓટા સુધી પાણી પહોંચી ગયું હતું. કાળવો પણ બે કાંઠે વહ્યો હતો. રાત્રીનાં ઝરમર ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો. ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇ ભેંસાણ તાલુકાનાં ચણાકાથી ગુજરીયા વચ્ચે પાણીમાં એક વ્યક્તિ ફસાયો હતો. આ અંગે ફાયરની ટીમની જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને યુવાનને બહાર કાઢ્યો હતો.

ઠેર-ઠેર પાણી ભરાયા
ઠેર-ઠેર પાણી ભરાયા

ગઢડામાં સાંબેલાધાર 6થી 8 ઈંચ વરસાદ પડ્યો
ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં 6થી 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગઢડાના ઈતરીયા, લીબાળી, વાવડી, રામપરા, રોજમાળ, કેરાળા સહિતના ગામડાઓમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેથી ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા, ચેકડેમો છલકાઇ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમા મુશળધાર વરસાદના પગલે ગઢડાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવ્યુ હતું. જેથી ગઢડાથી જસદણ, રાજકોટ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઈતરીયા ડેમ ઓવરફ્લો થવાની શક્યાતાને લઈને નગરપાલિકાએ શહેરમાં રીક્ષા ફેરવીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.

જૂનાગઢમાં અનરાધાર વરસાદ
જૂનાગઢમાં અનરાધાર વરસાદ

જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે
મહત્વનું છે કે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં સોમવારની રાત્રીથી વરસાદ પડવાનું શરૂ થયું છે. સોમવાર અને મંગળવારે તો ગીર-સોમનાથ જિલ્લામાં 10 ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો હતો. ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા અનેક રસ્તા બંધ થઇ ગયા હતાં. બુધવારે પણ બન્ને જિલ્લામાં મેઘ મહેર યથાવત્ રહી હતી. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં બુધવારની રાત્રીથી લઇને ગુરૂવાર સુધીમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. બન્ને જિલ્લામાં સર્વત્ર વરસાદ પડી ગયો હતો.

દામોદર કૂંડમાં ઘોડાપૂર આવ્યું
દામોદર કૂંડમાં ઘોડાપૂર આવ્યું

ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. જેમાં કેશોદમાં 2 બે ઇંચ, જૂનાગઢમાં 4 ઇંચ, ભેંસાણમાં 1 ઇંચ, મેંદરડામાં 1 ઇંચ, માંગરોળમાં બે ઇંચ, માણાવદરમાં 1 ઇંચ, માળિયામાં અડધો ઇંચ, વંથલીમાં 2 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ શહેરમાં સાંજનાં 7 વાગ્યે ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ થયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.જૂનાગઢમાં પડેલા વરસાદનાં પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. જૂનાગઢમાં રાત્રીનાં 10 વાગ્યા સુધી વરસાદ શરૂ રહ્યો હતો. 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/rainfall-in-all-over-saurashtra-127593850.html

ક્રાઇમ:સરકડિયા મંદિરના મહંત પર હુમલો

જૂનાગઢ24 દિવસ પહેલા
  • માથામાં ગંભીર ઇજા થતા જૂનાગઢ બાદ રાજકોટ સારવારમાં ખસેડાયા

ગિરનાર પરિક્રમાના રૂટ પર આવેલ પ્રાચિન સરકડીયા હનુમાનની જગ્યાના મહંત પર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બાપુને ગંભીર ઇજા થતા જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ ગિરનાર પરિક્રમાના રૂટ પર સરકડીયા હનુમાન મંદિરની જગ્યા આવેલી છે. આ જગ્યાના મહંત તરીકે હરીદાસબાપુ સેવા કરી રહ્યા છે. દરમિયાન શુક્રવારે ગોલાધર પાસે ગોવાળ ગાયો ચરાવતો હતો ત્યારે કોઇ મામલે માથાકૂટ થઇ હતી. બાદમાં બાપુ સમજાવટ કરવા જતા એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે બાપુ પર હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં હરિદાસ બાપુને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાપુને પ્રથમ જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઇજાના કારણે વધુ સારવાર અર્થે તાબડતોબ રાજકોટ ખસેડયા છે. હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે.

મહંત પર હુમલાથી રોષ
સરકડીયા હનુમાન મંદીરના મહંત પર કરાયેલા હુમલાથી મહંતના શિષ્યોમાં રોષની લાગણી જન્મી છે. દરમિયાન મહંત પરના હુમલાથી સાધુ સંતોમાં પણ રોષ ફેલાયો છે. આવા હુમલાખોરને સત્વરે ઝડપી લઇ તેમની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવા પામી છે જેથી કરીને ફરી કોઇ સાધુ- સંત-મહંત હુમલાનો ભોગ ન બને.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/attack-on-the-abbot-of-sarkadia-temple-127594440.html


  • આજે વિશ્વ સિંહ દિવસ:ઉજવણી સોશ્યલ મિડીયા પર: જે ખેતરે સાવજ વસે, ભુંડ-નિલગાયથી સુરક્ષિત રહે

    જુનાગઢ22 દિવસ પહેલા

    લુપ્ત થવાની અણીએ આવેલા એશિયાટીક સાવજોને બચાવી લેવાની ઝુંબેશ બાદ હાલ વસતિ સતત વધી રહી છે. તેમા સૌથી મહત્વનુ યાોગદાન સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોનુ સાબિત થયુ છે. અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ કે ભાવનગરના રેવન્યુ વિસ્તારમા ખેડૂતો કયારેય સાવજોને પરેશાન કરતા નથી. કારણ કે ખેડૂતો માટે સાવજો પાકના રક્ષક સાબિત થઇ રહ્યાં છે.

    આ તસવીર દેવળીયા પાર્કની છે. આ સિંહની વિશેષતા એ છે કે, તેમનાં કેસ કાળા છે. પહેલી નજરે આફ્રીકન સિંહ હોઇ તેવું લાગે. આ સિંહનું દેવરાજ નામ રાખવામાં આવ્યું છે. સાસણનાં સફારી પાર્કનાં ગાઇડ અિભલાશ વાજાએ આ તસવીર પોતાનાં કેમેરામાં કેદ કરી હતી.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/celebration-on-social-media-those-who-live-on-the-farm-protected-from-pigs-and-nilgai-127601665.html

    રાહત:એસટી કોલોનીમાંથી દીપડો પાંજરે પુરાતા હાશકારો

    જૂનાગઢ22 દિવસ પહેલા

    શહેરના મોતીબાગ પાસે એસટી વર્કશોપમાં થોડા દિવસ પહેલા દીપડાએ દેખા દીધી હતી. ધોળા દિવસે દીપડાના આંટાફેરાથી કોલોનીના રહેવાસીઓમાં ભયનું લખલખું પસાર થઇ ગયું હતું. આ અંગે જાણ કરવામાં આવતા વનવિભાગે દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું. જોકે થોડા દિવસ સુધી હાથતાળી અાપનાર ચાલક દીપડો આખરે પાંજરામાં કેદ થતા કોલોનીમાં રહેતા એસટી કર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/old-hashtags-in-a-panda-cage-from-st-colony-127601845.html

    વિશ્વ સિંહ દિવસ:સિંહનાં પદચિન્હના ફોટા સાથે માનવ રહેજો સાવધ, આ મારગ છે વનરાજનો દ્વારા સોશિયલ મીડિયા પર ઉજવણી

     

    જૂનાગઢ22 દિવસ પહેલા


    માર્ગ પરથી નિકળેલા સિંહનાં પદચિન્હનો ફોટો

    10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. ચાલુ વર્ષે કોરોના મહામારીનાં કારણે સોશિયલ મીડિયા પર વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે બાબરીયા રેન્જનાં આરએફઓ બાંભણીયાએ માર્ગ પરથી નિકળેલા સિંહનાં પદચિન્હનો ફોટો ક્લિક કર્યો હતો. જે ગીર વેસ્ટનાં ડીસીએફએ શેર કર્યો હતો. આ તસવીરને જોઇ ‘માનવ રહેજો સાવધ, આ મારગ છે વનરાજનો’ શબ્દો સરી પડે.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/beware-of-human-beings-with-photos-of-lions-footprints-this-is-the-way-vanrajano-celebrates-on-social-media-127603666.html


  • સરકડિયા હનુમાન મંદિરના મહંત સાથે ઘવાયેલા સેવકનું મોત નિપજ્યું

     જૂનાગઢ21 દિવસ પહેલા

    • પાંચેય હુમલાખોરની ચાલતી શોધખોળ, આવેદન અપાયું

    7 ઓગસ્ટના રોજ ગોલાધર ગામે ઓધવજી ગગજીભાઇ પર 5 લોકોએ હુમલો કર્યો હતો. ઓધવજીભાઇની દિકરીએ પ્રવિણભાઇ ખોડાના દિકરા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ મામલે અગાઉ ફરિયાદ થયેલ હતી. આ બાબતના મનદુખમાં પ્રવિણ ખોડા, વિજય પ્રવિણ, અજય પ્રવિણ, પ્રવિણભાઇનો ત્રીજો દીકરો અને પ્રવિણભાઇના પત્નીએ ઓધવજી ગગજીભાઇ પર પાઇપ, ધારીયું, કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન વચ્ચે પડેલ સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ પર પણ હુમલો થયો હતો. બાપુને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. દરમિયાન મહંત પરના હુમલાના વિરોધમાં શ્રી વૈષ્ણવ વિરકત ગિરનાર મંડળ દ્વારા એસપીને આવેદન અપાયું છે. આ તકે ખાખચોકના મહંત રામદાસજી, રામઝરૂખાના મહંત દિનબંધુ દાસજી, રામટેકરીના મહંત કિશનદાસજી, સૂર્યમંદિરના મહંત જગજીવનદાસજી, લંબે હનુમાન મંદિરના મહંત અર્જુનદાસજી, સત્યનારાયણ મંદિરના મહંત મનહરદાસજી, રામજી મંદિરના મહંત સુખરામદાસજી, યમુના કુટિરના મહંત સર્વેશ્વરદાસજી, રામવાડીના મહંત ગોપાલદાસજી વગેરેની ઉપસ્થિત રહ્યા હતા.દરમિયાન બનાવના ફરિયાદી ઓધવદાસ ગગજીભાઇનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની તપાસ પીએસઆઇ એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/an-injured-servant-died-along-with-the-mahant-of-sarkadia-hanuman-temple-127605021.html


    વેબિનારમાં વિવાદ:ગીરમાં વસતા લોકો ધીરજ ગુમાવશે તો ગુજરાતમાં સિંહો ટકશે નહીં: ટીકાદર

     અમદાવાદ17 દિવસ પહેલા



    એશિયાઇ સિંહોની ફાઇલ તસવીર.
    • શરીરમાં માઇક્રોચિપ બેસાડ્યાં પછી ગુજરાતના 80 ટકા સિંહો હવે જંગલી રહ્યા નથી
    • મુખ્ય વન્યજીવ સંરક્ષક શ્યામલ ટીકાદારે ટિપ્પણી કરતાં રાજ્ય સરકારે ખુલાસો માંગ્યો

    ગુજરાત સરકારે એશિયાઇ સિંહો પર નજર રાખવા માટે લગાડેલી માઇક્રોચીપને કારણે હવે 70થી 80 ટકા ગીરના સિંહો પોતાનું જંગલીપણું ગુમાવી બેઠાં છે. જંગલોમાં વસતા લોકોના ભરોસે બેસી રહેવું એ ટાઇમ બોંબ સમાન છે, જો તેમની ધીરજ ખૂટશે તો ગુજરાતમાં સિંહોનું ટકવું મુશ્કેલ થઇ જશે. આવું કહીને ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક કક્ષાના ફોરેસ્ટ સર્વિસ અધિકારી શ્યામલ ટીકાદરે વિવાદનો મધપૂડો છેડ્યો છે. ટીકાદરે વિશ્વ સિંહ દિવસે સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના વેબિનારમાં આખા દેશના વન્યજીવ નિષ્ણાતો જોડાયેલા હતા ત્યાં આવું નિવેદન કરતા ગુજરાત સરકારે તેમનો ખુલાસો માંગ્યો છે.

    ગુજરાત સરકારે તેમને ત્રણ દિવસમાં આ અંગે પોતાની સ્પષ્ટતા રજૂ કરવા જણાવ્યું છે પરંતુ આ અધિકારી રાજીનામું આપી દેશે તેવી ચર્ચાઓ શરુ થઇ ગઇ છે. અગાઉ આ અધિકારીએ ગુજરાતમાં સિંહોની ગણતરી માટે પૂનમ અવલોકન પદ્ધતિને બદલે વૈજ્ઞાનિક ઢબે વસ્તી ગણતરી થાય તેવો આગ્રહ રાખતાં પણ વનવિભાગ અને તેઓ આમને સામને આવી ગયા હતા. ટીકાદરના નિવેદન બાબતે ગુજરાત સરકારે જણાવ્યું કે તેમણે કરેલાં નિવેદનો વાંધાજનક અને અનિચ્છનીય છે. આ મંતવ્યો સત્યથી વેગળા હોઇ સરકાર તે સાથે સહમત નથી. ટીકાદરે વેબિનારમાં જણાવ્યું હતું કે સરકારે હવે સિંહોને પોતાની સંપત્તિ ગણીને તેમાંથી કમાણી કરવાનું શરુ કરવું જોઇએ.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/if-people-living-in-gir-lose-patience-lions-will-not-survive-in-gujarat-tikadar-127616569.html