Thursday, June 9, 2011

ધારીમાં એક જ દિવસમાં ચાર ગાયોના મોત.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:49 AM [IST](05/06/2011)
ધારી પંથકમાં આજે કેરી પકાવાવ માટે ઉપયોગમાં લેવાતા કાર્બન ખાવાથી ત્રણ ગાય અને એક બળદનું મોત થયુ હતુ. જ્યારે એક ગાયનું ઇલેકટ્રીક શોક લાગવાથી મોત થયુ હતુ.
કાર્બનથી કેરી પકાવતા વેપારીઓની ઘોર બેદરકારી ગાયોનો ભોગ લઇ રહી છે. વેપારીઓ દ્વારા કેરી પકાવવા માટે ઉપયોગમાં લેવાયેલા કાર્બનની પડીકીઓ જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતી હોય રઝળતી ગાયો આ પડીકીઓ ખાઇ મોતને ભેટી રહી છે.ધારી પંથકમાં આજે આ રીતે ત્રણ ગાય અને એક ખુટીયાનો ભોગ લેવાયો હતો. ધારીમાં એક ગાય તથા એક ખુંટીયાએ રસ્તા પર ફેંકી દેવાયેલી કાર્બનની પડીકીઓ ખાધા બાદ ભારે પીડા સાથે તરફડીને જીવ દીધો હતો. જેને પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટીની લાગણી ફરી વળી હતી.
આવી જ રીતે સરસીયામાં પણ કાર્બનની પડીકીઓ ખાવાથી બે ગાયોનું મોત થયુ હતુ. ગામલોકોમાં બેદરકારીથી કાર્બન ફેંકનાર વેપારી સામે રોષની લાગણી ફરી વળી હતી. અન્ય એક ઘટનામાં ધારી શહેરમાં મુખ્ય બજારમાં પીજીવીસીએલના થાંભલાને અડતા વીજ શોક લાગવાથી એક ગાયનું મોત થયુ હતુ. આમ એક જ દિવસમાં ૪ ગાય અને ૧ ખુંટીયાના મોતની ઘટના બની હતી. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે.

વિસાવદરમાંથી દીપડો આખરે પાંજરે પુરાયો.

Source: Bhaskar News, Visavadar   |   Last Updated 1:59 AM [IST](09/06/2011)
- છેલ્લા એક માસથી માનવી પર હુમલાનાં બનાવોને પગલે વનવિભાગે પાંજરું ગોઠવ્યું
વિસાવદર તાલુકામાં છેલ્લા એકાદ માસથી દીપડાનો ત્રાસ વધી જતાં આ અંગેની રજૂઆતો બાદ વનવિભાગે પાજંરું મુકર્યું હતું. જેમાં ગતરાત્રિ દરમ્યાન એક દીપડો પુરાઇ ગયો હતો.
વિસાવદર તાલુકામાં છેલ્લા એકાદ માસથી દીપડાનો ત્રાસ વધતો જાય છે. માનવી પર પણ હુમલાનાં બનાવ અને હુમલાની કોશીષનાં બનાવોમાં ઘણો વધારો જોવા મળ્યો છે. ત્યારે વિસાવદર રેવન્યુ વિસ્તારની સીમમાં છેલ્લા થોડા દિવસોથી માવજીભાઇ જીવરાજભાઇ ડોબરિયાની વાડીમાં દીપડએ દેખા દીધી હતી. આથી તેમણે વિસાવદર રેન્જ ઓફિસમાં જાણ કરી હતી.
આથી આર.એફ.ઓ. જાડેજાની સુચનાથી ગઇકાલે સાંજે માવજીભાઇની વાડીએ પાંજરું મોકલાયું હતું. જેમાં ગતરાત્રિનાં જ એક ૩ વર્ષની વયનો નર દીપડો પકડાઇ ગયો હતો. ઇન્ચાર્જ ફોરેસ્ટર લીલાભાઇ મોકરિયા અને રવજીભાઇ સતાસીયાએ તેને સાસણ મોકલી દીધો હતો.

જશાપુર ગીર ગામમાં ત્રણ સાવજોના ધામા.

Source: Bhaskar News, Talala   |   Last Updated 12:20 AM [IST](09/06/2011)
તાલાલાનાં જશાપુર ગીર ગામે ૩ સિંહોએ આવી ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. તાલાલા તાલુકાનાં જશાપુર ગીર ગામમાં ૩ સિંહ આવી ચઢ્યા હતા.
અને ગામમાં રહેલા રામધણની એક ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આ વનરાજો હાલ પણ ગામની સીમમાં જ પડાવ નાખ્યો હોવાનું જણાતા ગ્રામજનોમાં વધુ ભય ફેલાયો હતો.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-three-lion-came-in-jashapur-gir-village-2171441.html

અમીતના હત્યારાઓને પકડો,: CBI તપાસ કરે.

Source: Bhaskar News, Kodinar   |   Last Updated 1:41 AM [IST](07/06/2011)
- કોડીનારના પર્યાવરણ દિને સંમેલનમાં હુંકાર
- પર્યાવરણમાં ખલેલ પહોંચાડનાર કોઇ પણ ચમરબંદીની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા અનુરોધ
કોડીનારમાં પમી જૂન વિશ્વપર્યાવરણ દિને કોસ્ટલ એન્વારમેન્ટ પ્રોટેકશન કમિટિએ લીલીનાઘેર વાડી મુકામે વનસ્પતિની પૂજા અર્ચના બાદ યોજાયેલા જળ, જંગલ, જમીન બચાવવાના સંમેલનમાં આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવાના હત્યારાઓને પકડવા અને જરૂર પડે સીબીઆઇની તપાસની માંગણી સહિત લાંબાગાળાની લડત માટે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. ઉલ્લખનીય એ છે કે, આ કાર્યક્રમમાં સદગત અમીત જેઠવાનું મરણોતરાંત સન્માન તેના પિતા ભીખુભાઇ બાટાવાળાએ સ્વીકાર્યું છે.
અહિંની લીલીનાઘેર વાડી મુકામે પર્યાવરણીય જતનના ધ્યેય સાથે યોજાયેલ આ સંમેલનમાં અધ્યક્ષસ્થાનેથી કોડીનાર ખાંભા મતવિસ્તારનાં ધારાસભ્ય ધીરસીંહ બારડે પર્યાવરણને નુકશાન કરતાં ખાણ માફીયા સામે કોઇ ડર રાખ્યા વગર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી પગલા લેવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. આ પ્રસંગે માઇન્સ મીનરલ પીપલ્સના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય અશોકભાઇ શ્રીમાળીએ લોકો અને પર્યાવરણને લગતી અજ્ઞાનતાને દૂર કરતું વકતવ્ય આપ્યું હતું. સાથોસાથ આ કાર્યક્રમમાં સમુદ્ર શ્રમિક્સંઘના બાલુભાઇ સોચા, ગોહીલની ખાણગ્રામ પંચાયતના સદસ્ય ભીખુભાઇ ગોહીલનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
ત્યારબાદ, જળ, જંગલ, જમીન બચાવવા માટે યોજાયેલા સંમેલનમાં વિવિધ ઠરાવો કરીને લાંબાગાળાની લડતનાં મંડાણ કરવાનો નિર્ધારકરાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા લોકહિત ટ્રસ્ટનાં પ્રમુખ અરજણભાઇ સોંલકી, બાલુભાઇ સોચા, મયુરસિંહ પરમાર, સહિતનાએ જહેમત ઉઠાવી હતી. જ્યારે કોસ્ટલ એન્વારમેન્ટ પ્રોટેકશન કમિટીના રણજિતસિંહ પરમારનાં નેતૃત્વમાં કાર્યક્રમનું સંચાલન દેવળીવાળા જે.જે.મોરીએ કર્યું હતું.
જળ, જમીન, જંગલ સંમેલનમાં ઠરાવો -
- કુદરતી સંપદાનું જતન અને સંવર્ધન કરવાની નેમ, આ માટે લડતનો નિર્ધાર
- ગામડે ગામડે પર્યાવરણીય જાગૃતિની આલબેલ પોકારવી
- ઓધ્યોગિક સામ્રાજ્ય સામે ખેતી અને પશુધન બચાવી આજીવિકા કાયમી રહે તે માટે પ્રયત્ન કરવો
- શાપુરજી પાલોનજી કંપનીની સામે જે ૧૫ મી એ સુનાવણી રાખવામાં આવી છે તેમાં વાંધાઓ રજૂ કરવા
- અમીત જેઠવાના હત્યારાઓને પકડવા માટે અનુરોધ, જરૂર પડે સીબીઆઇની તપાસ માટે માંગ
- માનવ અધિકારોનુંહનન, લોક લડતને દબાવાય તેનો વિરોધ કરવો.

અમરેલી નજીક પ્રગતિશીલ ખેડૂતે ઉગાડી બાર પ્રકારની કેરી.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:56 AM [IST](09/06/2011)
- બે એકર જમીનમાં વર્ષે ૮૦૦ મણ કેરી પકાવે છે
- ૧૫૦થી વધુ આંબાનો બગીચો
ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ તેમના આંબાવડીયામાં વિવિધ પ્રકારની જાતોની કેરીઓ ઉછેરી છે અને કેરીની સ્પર્ધાઓમાં અનેક ઈનામો પ્રાપ્ત કર્યા છે.
અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો કૃષિક્ષેત્રે અનેકવિધ નવતર પ્રયોગો કરી કૃષિક્ષેત્રે વિકાસ સાધી રહ્યાં છે. ઉકાભાઈએ તેમના આંબાવડીયામાં આમ્રપાલી, દશેરી, શ્રાવણિયો, બનારસી, બંગડો, નાયલોન, નાળિયેરી, કેપ્ટન, લીલેશાન, બાટલી, તોતાપુરી અને કેસર જેવી જાતો ઉછેરી છે.

રેસા વિહીન, સ્વાદે મીઠી, ધાટી કેસરી અને વધુ ફાલ આપતી આમ્રપાલી જાત ઉતર પ્રદેશની જાન છે તો દશેરી અને બનારસી લંગડો મીઠી હોય છે. આ બધી યુ.પી.ની કેરીઓ છે. જ્યારે લીલેશાન મહારાષ્ટ્રની છે જે ખાવામાં અને અથાણા બંનેમાં અનુકુળ છે.
સૌરાષ્ટ્રની દેશી કેરી એવી શ્રાવણિયો જે શ્રાવણમાસમાં પાકે છે જે કાચી અથાણામાં પણ ચાલે અને પાકી સ્વાદે મીઠી થાય છે. સૌરાષ્ટ્રની જ જાતોમાં નાળિયેરી, સ્પેશ્યલ રસની કેરી છે અને પળ મોટુ હોય છે, જ્યારે કેપ્ટનનો મુરબ્બા અને છુંદામાં ઉપયોગ થાય છે.
ઉકાભાઈએ કેરીમાં અનેક અખતરાને અંતે પાયલોટ જાત વિકસાવી છે જેનુ ફળ એકદમ મોટુ બે થી અઢી કિલોનું અને પાંચેક કિલોનું ફળ વિકસાવવા તેઓ પ્રયત્નશીલ છે.
ઉકાભાઈ આંબાવડીયા મય બની સવારથી ઘરેથી ટીફીન લઈને તેમની વાડીએ આવી સખત પરિશ્રમ કરી આંબાવડીયાઓનું જતન કરે છે ઉકાભાઈ માત્ર બે એકર જમીનમાં કેરીનું વાર્ષિક ૭૦૦ થી ૮૦૦ મણ કેરીનો પાક લે છે.
વધુમાં પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને પણ બાગાયત ખેતી કરવા તરફ ભલામણ કરતા ઉકાભાઈએ જણાવ્યું હતું કે, એકવાર બગીચાના ઉછેર કર્યા બાદ માત્ર તેની માવજત કરી મબલખ ઉત્પાદન મેળવી શકાય છે. પરંપરાગત ખેતીની માફક દર વર્ષે બિયારણ, ખેતર ખેડવાની કે અન્ય વધુ ખર્ચની આવશ્યકતાઓ રહેતી નથી. પોતાના આંબાવાડિયામાં દેશી ખાતર જ વાપરવાનું અને વિલાયતી દવાનો બિલકુલ પ્રયોગ ન કરી જે તે કેરીના અસલ સ્વાદ સુંગધને ઉકાભાઈએ બરકરાર રાખી છે. કેસરના ૧૩૦ અને અન્ય મળી અંદાજે ૧૫૦ જેટલા આંબાનો બગીચો ધરાવતા ઉકાભાઈના આંબાવડીયા બાગમાં બીલ્લી, રાવણા, લીંબુ, બીજેરા, નાળિયેરી, સરઘવો, કરમદાના પણ વૃક્ષો છે.
કેરીની સ્પર્ધાઓમાં પ્રથમ, દ્રિતીય ઈનામો મેળવ્યાં -
ઉકાભાઈએ ઈ.સ.૨૦૦૦માં રાજ્ય સરકારના બાગાયત વિભાગ તરફથી કેરીની સ્પર્ધામાં કેસર કેરી માટે પ્રથમ ઈનામ અને આમ્રપાલી જાત માટે દ્રિતીય ઈનામ પ્રાપ્ત કર્યું હતું વર્ષ ૨૦૦૩માં આમ્રપાલી માટે પ્રથમ ઈનામ અને ૨૦૦૬માં અન્ય જાતોની કેરીઓ માટે તૃતિય નંબર મેળવ્યો હતો.
આંબાવડીયાનો નાશ ન કરવા ખેડૂતોને અનુરોધ -
કેસર કેરીની સોડમે વિદેશમાં પણ ઘેલુ લગાડ્યું હોય ત્યારે એનો નાશ કરીને આપણે બીજી ખેતી તરફ વળવાનું કેમ પાલવે ? કૃષિ યુનિવર્સિટી દ્વારા અધ્યતન તાલીમ આપવામાં આવે તો ખેડૂતોએ તેનો લાભ બદલાતા સમયે લેવા ઉકાભાઈએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-progressive-farmer-cultivate-12-type-of-mango-near-amreli-2171364.html

ધારી પાસે સાવજો અને ભેંસના ટોળાં વચ્ચે ખેલાયો ‘જંગ’.



Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:58 PM [IST](09/06/2011)
 - બનાવમાં ત્રણ પશુના મારણ
ધારીના રાજગરિયાનેસમાં ગત રાત્રે માલધારી રહેઠાણમાં આવી ચડેલા ત્રણ સાવજો અને ભેંસના ટોળાં વચ્ચે જંગ થયો હતો. સાવજોએ એક પાડાનો શિકાર કર્યો હતો. અન્ય બનાવમાં દલખાણિયા પાસે એક સાવજ યુગલે એક ગાયનું મારણ કર્યું હતું. એક જ દિવસમાં બનેલા આ બે બનાવને પગલે માલધારીઓમાં ભય અને અસલામતીની લાગણી ફેલાઇ છે.
જાણવા મળતી પ્રાપ્ત વિગત અનુસાર, રાજગરીયાનેસમાં ગતરાત્રીના બે વાગ્યા આસપાસ માલધારીના રહેઠાણ વિસ્તારમાં ત્રીસ થી પાંત્રીસ ભેંસો બાંધેલી હોય જ્યાં ત્રણ સિંહો આવી ચડ્યા હતાં.અને લક્ષ્મણભાઇ લાખાભાઇ ભમરના ભેંસોના ચોકમાં એક પાડાનો શિકાર કરી સિંહોએ મીજબાની માણી હતી. ત્રણ સિંહો ભેંસોના ચોકમાં આવી ચડતા ભેંસોએ ત્રણ સિંહોનો પ્રતિકાર કર્યો હતો ભેંસો ભાંભરડા નાખતા માલધારીઓ જાગી ગયા હતા. માલધારીઓએ બનાવની જાણ વનવિભાગને કરતા બીટગાર્ડ સરવૈયા ઘટના સ્થળે દોડી ગયા હતા.
આમ, અવાર-નવાર સિંહો દ્વારા થતા પશુ મારણના બનાવથી માલધારીઓ રોષે ભરાયા હતા અને માલધારી સમાજના આગેવાન ભોજાભાઇ સહીડા, રાણાભાઇ ભમ્મર દ્વારા વનવિભાગને જાણ કરી હતી. આ ઉપરાંત અન્ય એક બનાવમાં દલખાણીયા ગામે રાત્રીના ત્રણ વાગ્યા આસપાસ ગામની મધ્યમાં આવેલ પાણીના અવેડા પાસે સિંહ અને સિંહણે એક રેઢીયાળ ગાયનું મારણ કર્યું હતું. આસપાસના લોકો સિંહોની ત્રાડ સાંભળી જાગી ગયા હતા અને સિંહ દર્શન કર્યા હતા.

સિંહણનો મૃતદેહ મળ્યો, સર્પદંશથી મોતની શંકા.

અમરેલી તા.૭
સાવરકુંડલા તાલુકાના સુરજવડી ડેમ નજીકનાં જાબાળ પાસેથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. વનવિભાગે સ્થળ પર જઈ તપાસ કરતા સિંહણનંુ મોત સર્પદંશથી થયુ હોવાનુ મનાઈ છે.
મીતીયાળા રેન્જમાં જાબાળ અને આંબરડી વચ્ચેના તળી વિસ્તારમાં જાંબાળના માજી સરપંચ પ્રતાપભાઈ ખુમાણના ખેતર પાસેના નેરામાંથી આજે સવારે એક સિંહણનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા સાવરકુંડલા આર.એફ.ઓ ધાંધીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. સ્થળ પર તપાસ કરતા આશરે ત્રણ વર્ષની ઉમરની સિંહણનો મૃતદેહ પડયો હતો. નિરીક્ષણ કરતા તેની આંખો ઉચે ચડી ગઈ હતી. સિંહણનુ સર્પદંશથી મોત થયાનુ વનવિભાગનું અનુમાન છે. તેમ, છતા વધુ તપાસ માટે સિંહણના મૃતદેહને સાસણ પીએમ માટે ખસેડયો છે. તેના વિસેરા જૂનાગઢ પરિક્ષણ માટે મોકલાયા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=296840