Tuesday, October 31, 2017

જૂનાગઢની કિંડ્સ કિંગ્ડમ સ્કૂલના બાળકોને બડર્સ એન્ડ એનીમલ પ્રોજેક્ટ અંતર્ગત

DivyaBhaskar News Network | Last Modified - Oct 10, 2017, 05:50 AM IST
જૂનાગઢની કિંડ્સ કિંગ્ડમ સ્કૂલના બાળકોને બડર્સ એન્ડ એનીમલ પ્રોજેક્ટ અંતર્ગત સક્કરબાગ ઝૂની મુલાકાતે લઇ જવામાં...
જૂનાગઢની કિંડ્સ કિંગ્ડમ સ્કૂલના બાળકોને બડર્સ એન્ડ એનીમલ પ્રોજેક્ટ અંતર્ગત
જૂનાગઢની કિંડ્સ કિંગ્ડમ સ્કૂલના બાળકોને બડર્સ એન્ડ એનીમલ પ્રોજેક્ટ અંતર્ગત
જૂનાગઢની કિંડ્સ કિંગ્ડમ સ્કૂલના બાળકોને બડર્સ એન્ડ એનીમલ પ્રોજેક્ટ અંતર્ગત સક્કરબાગ ઝૂની મુલાકાતે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં બાળકોને પ્રાણીઓ અને પક્ષીઓ વિશેની વિશેષતાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. બાળકોએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હતું અને બાળકોએે બડર્સ અને એનીમલ્સને રૂબરૂ નિહાળીને મજા માણી હતી.

મારી ઇચ્છા સિંહના માથે હાથ ફેરવવાની હતીઃ મોરારિ બાપુ

Bhaskar News, Sorath | Last Modified - Oct 10, 2017, 07:04 PM IST
ડુંગરપુર વિસ્તારમાં રામનામનો જપ કરતા મોરારિબાપુ અને દૂર નિદ્રાધીન થયેલા સાવજને જોઇ સંત અને સાવજ સમન્વય
જૂનાગઢ: સોરઠ એટલે સંત અને શૂરાની ભૂમિ. અેમાંય ગિરનાર એટલે તો સંતોનું અને સાથે સાવજોનું પણ ઘર. સાવજો હવે જંગલમાંજ નહીં, ગામોમાં પણ જોવા મળી જાય. બીજી રીતે જોઇએ તો શૂરા એટલે કે શૂરવીરને આપણે સાવજ પણ કહીએ છીએ. હાલ જૂનાગઢમાં પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. ત્યારે ડુંગરપુર વિસ્તારમાં રામનામનો જપ કરતા મોરારિબાપુ અને દૂર નિદ્રાધીન થયેલા સાવજને જોઇ સંત અને સાવજ (શૂરા) નો અદ્ભુત સમન્વય થતો હોય એ ઘડી જોનારની નજર ઘડીભર થંભાવી દે એવી બની ગઇ હતી. આ દૃશ્ય જોઇને અેવું લાગે છે કે, સાવજ પણ જાણે બાપુની કથાનું શ્રવણ કરવા આવ્યો છે. બાપુ કથામાં પણ કહેતા હોય છે કે, રામનાં રખોપા. એ વાત અહીં પણ બંધ બેસતી લાગે છે.
મારી ઇચ્છા સિંહના માથે હાથ ફેરવવાની હતીઃ મોરારિ બાપુ
જૂનાગઢ ખાતે ચાલી રહેલી કથામાં મોરારિ બાપુએ કહ્યું કે મને કાલે જવા ન દીધો, જો મને કાલે જવા દીધો હોત તો સાવજની પાસે બેસીને મે માથે હાથ ફેરવ્યો હોત. 6 ફૂટ દૂર બેઠો હતો, પણ સિક્યોરિટીના લીધે જવા ન દીધો ક્યાંક એ ઝપટ કરી જાય તો.
For Video click;
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-girnar-means-the-house-of-the-saints-and-the-well-being-morari-bapu-gujarati-new-5716663.html

લાયન્સ ક્લબ-ગિરનાર દ્વારા સ્વદેશી ફટાકડા વિતરણ

DivyaBhaskar News Network | Last Modified - Oct 11, 2017, 02:55 AM IST
જૂનાગઢલાયન્સ ક્લબ-ગિરનાર અને લીયો ક્લબ-ગિરનાર દ્વારા તા.10 ઓક્ટોબરથી 19 સુધી દોમડીયા વાડીની બાજુમાં આવેલી હરીવાડી ખાતે રાહતદરે સ્વદેશી ફટાકડા વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વેચાણ કરીને તેમાંથી થનાર આવક જરૂરીયાતમંદ બાળકોને શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવશે તેમજ ડાયાલીસીસ કરાવતા દર્દીઓને કાર્ડ કાઢી આપવાની પ્રવૃત્તિઓમાં ખર્ચ કરવામાં આવશે.

જૂનાગઢમાં 63મા વન્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સક્કરબાગ પ્રાણી ઉદ્યાન ખાતે

DivyaBhaskar News Network | Last Modified - Oct 11, 2017, 02:55 AM IST
જૂનાગઢમાં 63મા વન્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સક્કરબાગ પ્રાણી ઉદ્યાન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળા...
જૂનાગઢમાં 63મા વન્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સક્કરબાગ પ્રાણી ઉદ્યાન ખાતે
જૂનાગઢમાં 63મા વન્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સક્કરબાગ પ્રાણી ઉદ્યાન ખાતે
જૂનાગઢમાં 63મા વન્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સક્કરબાગ પ્રાણી ઉદ્યાન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીંબાવાડીમાં આવેલી તક્ષશીલા વિદ્યાલયનો છાત્ર ગોઢાણીયા દિપએ જિલ્લા કક્ષાએ ક્વીઝ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વિજેતા બન્યાં હતો. બદલ આર.એફ.ઓ ના હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર તેમજ બુક આપીને દિપને પ્રોત્સાહીત કરવામાં આવ્યો હતો. તકે શાળાના આચાર્ય બિનાબેન ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યાં હતાં.

વાઇલ્ડલાઇફ ટોકનો પ્રોગ્રામ કરી વાઇલ્ડ વિશે જાણકારી અપાઇ

DivyaBhaskar News Network | Last Modified - Oct 10, 2017, 05:50 AM IST
જૂનાગઢનાફોટોગ્રાફી ગૃપ, આપણું જૂનાગઢ અને વસુંધરા નેચર ક્લબ દ્વારા વાઇલ્ડલાઇફ વીકની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વાઇલ્ડલાઇફ ટોક્સ અને ફોટોવોક નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુું હતું. વાઇલ્ડલાઇફ ટોક્સ કાર્યક્રમમાં પ્રણવ વધાસીયા અને ડો.ગૌરાંગ બગડા દ્વારા યુવાનોને વાઇલ્ડલાઇફ વિશેની જાણકારી અપાઇ હતી. તેમજ ફોટોવોક કાર્યક્રમમાં લાલઢોરી અને તળેટીના વિસ્તારોમાં જંગલી પ્રાણી, પક્ષી, વૃક્ષો અને કુદરતી દ્રશ્યોની ફોટોગ્રાફી કરી હતી. કાર્યક્રમમાં યુવાનોમાં ખુબ ઉત્સાહ જોવા મળતો હતો તેમજ તમામ ફોટોગ્રાફર્સ માટે એક સુવર્ણ તક સાબિત થઇ હતી.

ગિરનારમાં સંત અને સાવજ ભેગા થયા

DivyaBhaskar News Network | Last Modified - Oct 10, 2017, 05:50 AM IST

ગિરનારમાં સંત અને સાવજ ભેગા થયા સોરઠ એટલે સંત અને શૂરાની ભૂમિ. અેમાંય ગિરનાર એટલે તો સંતોનું અને સાથે સાવજોનું...
ગિરનારમાં સંત અને સાવજ ભેગા થયા
ગિરનારમાં સંત અને સાવજ ભેગા થયા
ગિરનારમાં સંત અને સાવજ ભેગા થયા

સોરઠ એટલે સંત અને શૂરાની ભૂમિ. અેમાંય ગિરનાર એટલે તો સંતોનું અને સાથે સાવજોનું પણ ઘર. સાવજો હવે જંગલમાં નહીં, ગામોમાં પણ જોવા મળી જાય. બીજી રીતે જોઇએ તો શૂરા એટલે કે શૂરવીરને આપણે સાવજ પણ કહીએ છીએ. હાલ જૂનાગઢમાં પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. ત્યારે ડુંગરપુર વિસ્તારમાં રામનામનો જપ કરતા મોરારિબાપુ અને દૂર નિદ્રાધીન થયેલા સાવજને જોઇ સંત અને સાવજ (શૂરા) નો અદ‌્ભુત સમન્વય થતો હોય ઘડી જોનારની નજર ઘડીભર થંભાવી દે એવી બની ગઇ હતી. દૃશ્ય જોઇને લાગે છે કે, સાવજ પણ જાણે બાપુની કથાનું શ્રવણ કરવા આવ્યો છે. બાપુ કથામાં પણ કહેતા હોય છે કે, રામનાં રખોપા. વાત અહીં પણ બંધ બેસતી લાગે છે.

Sunday, October 1, 2017

કડા મિંયાણીમાં ચાર શિયાળે હરણના બચ્ચાંને ઈજા પહોંચાડી

Bhaskar News, Bhavpara | Last Modified - Sep 21, 2017, 01:12 AM IST
ગામના યુવાનોએ હરણને સારવાર આપી
+1 બીજી સ્લાઈડ્સ જુઓ
ભાવપરા: પોરબંદરના ટુકડામીયાણી ગામે જંગલમાં 4 જેટલા શિયાળોએ હરણને ઘેરી લઈ ઈજા પહોંચાડી હતી, જેથી ગામના યુવાનોએ લોહીલુહાણ થયેલ હરણને સારવાર આપી હતી તેમજ આ બાબતની વનવિભાગને જાણ કરી હતી.

ટુકડામીયાણી ગામના જંગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં જંગલી પશુઓ વસવાટ કરે છે ત્યારે હરણના બચ્ચાને 4 જેટલા શિયાળોએ ઘેરી લીધું હતું અને હરણના બચ્ચાને મોઢાના ભાગે ઈજા પહોંચાડી હતી જેથી હરણનું બચ્ચું લોહીલુહાણ થયું હતું. ત્યારે હરણના બચ્ચાને ગામના યુવાનોએ તાત્કાલીક શિયાળોના સકંજામાંથી છોડાવ્યું હતું અને ઈજાગ્રસ્ત થયેલ હરણના બચ્ચાને યુવાનો ગામમાં લઈ આવ્યા હતા. લોહીલુહાણ થયેલ હરણને સારવાર આપી હતી.