Monday, January 30, 2012

મહંત વિઠ્ઠલબાપુનાં આજથી આમરણાંત ઉપવાસ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:05 AM [IST](30/01/2012)
- જુનાગઢનાં ઉપલા દાતારનો વાહન માર્ગ તાકીદે ન ખોલાય તો જોયા જેવી
- વનવિભાગને જડ વલણ છોડી દેવા સંતોની અપીલ
- સાધુ-સંતોની ખાસ બેઠકમાં નિર્ણય
જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાએ જવા માટે વાહન માર્ગ વનવિભાગે બંધ કરી દેતાં મહંત વિઠ્ઠલબાપુએ ગાયોનાં ચારા તેમજ ચાલતા અન્નક્ષેત્ર માટે પણ જડ વલણ ન અપનાવવા વનવિભાગને વિનંતી કરી હતી. જો આ મામલે કોઇ ઉકેલ ન આવે તો સોમવારથી આમરણાંત ઉપવાસની મહંત વિઠ્ઠલબાપુએ ચીમકી આપી છે.
કોમી એકતાનાં પ્રતિક સમી ઉપલા દાતારની જગ્યા ખાતે વર્ષોથી ચાલતા અÌાક્ષેત્ર અને જગ્યાની ગૌશાળામાં માલઢોરનાં નિભાવ માટે દાતા પાસેનાં માર્ગ ઉપર વર્ષોથી ટ્રોલી વિનાનાં ટ્રેકટર અને ઉંટ મારફત માલ પહોંચાડાય છે. અઠવાડિયે ત્રણ વખત આ માલસામાન સહેલાઇથી ઉપર ચઢી જતો હતો. પરંતુ વનવિભાગે ટ્રેકટરને મનાઇ ફરમાવી માર્ગ પર જેસીબી વડે મોટા પથ્થરો આડા મૂકી દેતાં ઉપલા દાતારનાં હજારો સેવકો, સાધુ-સંતોમાં રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ વન વિભાગે માલ સામાન ચડાવવા ટ્રેકટર ચલાવવાની પરવાનગી આપી હતી. ત્યારે અચાનક જ એ માર્ગ બંધ કરી દીધો છે.
વિઠ્ઠલબાપુએ વધુમાં ઉમેર્યું છે કે, ગિરનાર તીર્થક્ષેત્રમાં હજારો વર્ષોથી તપશ્વર્યા કરતા સાધુ-સંતોની અસંખ્ય ધાર્મિક જગ્યાઓ આવેલી છે. તેઓ પર્યાવરણ અને વન્યપ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખે છે. ક્યારેય કોઇ ધાર્મિક જગ્યા તરફથી જંગલને નુકસાન કરાયું નથી. છતાં વનવિભાગ તેનાં જટિલ કાયદા બતાવી ધાર્મિક જગ્યાઓ પ્રત્યે ઉદાસીનતા દાખવે છે. અને સેવાકિય પ્રવૃત્તિમાં વિઘ્નો ઉભા કરી સરકાર અને તંત્રને સામસામે કરી દેવાની બેધારી નિતીનો વિરોધ કરીએ છીએ. જો આ પ્રશ્નનો બે દિવસમાં નિવેડો ન આવે તો આમરણ ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે એવી ચીમકી પણ અપાઇ છે.
અમારી સાથે જ ઓરમાયું વર્તન કેમ ?
વિઠ્ઠલબાપુએ વેધક સવાલ ઉઠાવતાં જણાવ્યું છે કે, ગિરનાર અભયારણ્યમાં બોરદેવી, કાશ્મીરી બાપુની ‘આમકુ’ ની જગ્યા, સરકડીયા હનુમાન, ઝીણાબાવાની મઢી, રામનાથ, મથુરેશ્વર, વગેરે સ્થળે વાહન મારફત માલ-સામાન પહોંચાડાય છે. ત્યારે દાતારની જગ્યા સાથે આડોડાઇ શા માટે ?

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-saint-vithalbapus-lifelong-fast-starts-from-today-2800165.html

કચકડામાં થઈ ‘ક્લિક’ વન્ય જીવનની ‘વિરલ’ ઘટના.


ગીરનું જંગલ એટલે વૈવિધ્યતાનો ખજાનો. બસ, જોવાની ‘દ્રષ્ટિ’ જોઇએ. આમ તો હરણ ટોળાંમાં જ ફરતાં હોય છે. પરંતુ માનવીના પગરવ સાંભળતા જ એ ગભરું પ્રાણી દૂર જતું રહે. ૧૭ મૃગલા એક સાથે પાણી પીતા હોય એવું ર્દશ્ય ભાગ્યે જ કેમેરામાં કેદ કરવાની તક મળે. અહીં કનકાઇનાં જંગલમાં આખા ‘હરણ પરિવાર’ને એક સાથે તરસ છીપાવતો ‘ક્લિક’ કરનારને એક ક્ષણ થયું હશે કે, ‘સાથે જીવવું, સાથે ખાવું-પીવું ને સમૂહમાં રહેવું.’ એ ઉક્તિને કદાચ માનવી કરતાં વન્યજીવો જ સાર્થક બનાવી શકે. - તસ્વીર : વરશીંગ ઝાલા
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-hardly-17-deer-together-click-in-camera-2800299.html

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:41 AM [IST](30/01/2012)


બિમાર થયેલા વનરાજા સાજા આખરે જંગલમાં વિહરતા થયા.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:24 AM [IST](29/01/2012)
થોડા સમય પહેલા રાજુલા શહેરમાં વન તંત્ર દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું
થોડા દિવસ પહેલા રાજુલા નજીકથી એક બિમાર સિંહ મળી આવતા તેને સારવારની બદલે રાજુલા શહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. અને પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. આરએફઓ અને સ્ટાફે આ બિમાર અને લાચાર સિંહને ત્રાસદાયક રીતે બજારમાં ફેરવ્યો હતો.
આ બિમાર સિંહ વીસેક દિવસથી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ હોય જે સ્વસ્થ જણાતા આજે રાત્રીના તેને જંગલમાં મુકત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. ખાંભા નજીકથી થોડા દિવસો પહેલા એક બિમાર સિંહ મળી આવતા વનવિભાગના આરએફઓ અને સ્ટાફ દ્રારા આ બિમાર સિંહની સારવાર કરવાના બદલે તેને શહેરમાં સરઘસ રૂપે ફેરવ્યો હતો.
આ ઘટનાના ઉચ્ચકક્ષા સુધી પડઘા પડ્યા હતા. તેમજ પ્રકૃતિ પ્રેમીઓમાં પણ રોષ ફેલાયો હતો. આ ઘટનાને પગલે આરએફઓની તાત્કાલિક બદલી પણ કરવામાં આવી હતી.
આ બિમાર સિંહને માથાના ભાગે ઘારૂ પડી ગયું હોય તેને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. ડૉ. વામજા વીસેક દિવસથી તેની સારવાર કરી રહ્યાં હોય હવે આ સિંહની તબીયતમાં સુધારો જણાતા આજે રાત્રીના ફરી તેને જંગલમાં મુકત કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-move-about-been-sick-in-the-wild-eventually-recover-lion-2797160.html

હજારો પક્ષીઓનો આ મેળો નીહાળવા લોકો આવે છે દુરદુરથી.

Source: Arun Veghda, Dhari   |   Last Updated 12:29 AM [IST](29/01/2012)
મધ્યગીરમાં ખાંભા નજીક જસાધાર રેન્જમાં આવેલી સરની ખોડિયાર માતાજીની જગ્યામાં શાંતીદુત એવા કબુતરોનો છેલ્લા પંદરેક વર્ષથી અનોખો મેળો ભરાય છે. એક સાથે હજારો કબુતરો અહીં ચણ માટે એકઠા થાય છે. મહંત ગોકરણદાસબાપુ દ્રારા આ હજારો શાંતીદુતને ચણ નાખવામાં આવે છે. અને આ પક્ષીઓની સેવા કરવામાં આવી રહી છે. આ પક્ષીઓનો મેળાવડો જોવા દુરદુરથી લોકો અહીં આવી પહોંચે છે. 
રાવલ ડેમ અને ચીખલકુબા ગામની વચ્ચે આવેલી સરની ખોડિયાર જગ્યામાં છેલ્લા પંદરેક વર્ષથી મહંત ગોકરણદાસબાપુ દ્રારા હજારો કબુતરોને ચણ નાખી સેવા કરવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં શહેરોમાં સિમેન્ટ કોક્રીટના જંગલો ખડકાયા છે ત્યારે આ જગ્યામાં હજારો શાંતીદુતોને નીહાળવા એ પણ એક લ્હાવો છે.
સવારમાં દસેક હજાર કબુતરો અહી આવી પહોંચે છે અને મહંત ગોકરણદાસબાપુ તેને ચણ નાખે છે. આ હજારો પક્ષીઓનો મેળો નીહાળવા દુરદુરથી લોકો અહી આવે છે. કબુતરોને દરરોજ દસ મણએટલે કે ૨૦૦ કિલો જુવાર નાખવામાં આવે છે. આ જગ્યાના વિશાળ મેદાનમાં સવારમાં જ હજારો કબુતરો ચણ આરોગવા આવી પહોંચે છે. અહી આવતા પ્રવાસીઓ આ કબુતરોનો મેળો જોઇને પ્રભાવિત થઇ ઉઠે છે.
અહીં આવતા પ્રવાસીઓ તેમજ દાતાઓ દ્રારા કબુતરોના ચણ માટે યોગદાન આપે છે. દસેક હજાર જેટલા આ શાંતીદુતોના મેળાને નિહાળી લોકો પ્રભાવિત થાય છે. સરની ખોડિયાર જગ્યામાં ભજન કિર્તનની સાથે કબુતરોની અનોખી સેવા કરવામાં આવી રહી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-thousands-of-birds-are-these-people-fair-seeing-2797169.html

Thursday, January 26, 2012

સાવરકુંડલામાં અઢી ઈંચ લાંબી આફ્રિકન માખીનું આક્રમણ.

સાવરકુંડલા તા.૨૪
સામાન્ય રીતે જંગલ અને ખેતરોમાં વસતી મોટી સાઈઝની આફ્રિકન મધમાખી હવે નાગરિક વિસ્તારમાં પણ આવવા લાગી છે. આજે બપોરે ત્રણ વાગ્યાના સુમારે બે થી અઢી ઈંચ લંબાઈની જમ્બોસાઇઝની મધમાખીનું એક મોટું ઝુંડ તીડની જેમ શહેરમાં ઘુસી ગયું હતુ. અને બાંધકામ થઈ રહેલા બંગલામાં મુકામ રાખી દેતાં તમામ બારી અને એલીવેશન ઢંકાઈ ગયા હતા. આ સમયે કામ કરી રહેલા મજુરો અને કડીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.
  સામાન્ય મધમાખી કરતા અનેક ગણી મોટી એવી આ માખીઓનો ડંખ લોકો સહન કરી શકતા નથી અને શરીરમાં હિસ્ટેમાઈન નામનું દ્રવ્ય પેદા કરી દે છે. તેમજ એની સારવાર ચાલુ કરાય એ પહેલા આ દ્રવ્ય વધી જતાં દરદીની હાલત કફોડી બની જાય છે. તેમજ કોઈ કોઈ કિસ્સામાં મોત પણ નીપજે છે. જયારે ડંખ મારે ત્યારે ડંખના એરિયામાં લાલ ચકામું પડી જાય છે. કેટલીક વાર દરદી દવાખાને પણ પહોંચી શકતો નથી. આવી માખીઓ અહીં શહેરમાં આવી ચડતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સાવરકુંડલા વિસ્તારમાં ઝેરી મધમાખી કરડવાથી ખેતમજુરો સહિત પ વ્યકિતઓના મોત નીપજી ચૂકયા છે. આ શહેર પર આવી પડેલી આફતને દુર કરવા લોકોમાં માંગ ઉઠી છે.

Source: http://www.sandesh.com/article.aspx?newsid=29496

સાવરકુંડલામાં દિપડાના બચ્ચાના રામ રમી ગયા.

Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 2:51 AM [IST](25/01/2012)
- રોડ ઉપર પસાર થતાં દિપડાના બચ્ચાના રામ રમી ગયા
સાવરકુંડલાના પાદરમાં મહુવારોડ પર ગઇરાત્રે એક દિપડી પોતાના બચ્ચા સાથે રસ્તો પસાર કરી રહી હતી ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા દિપડીના ત્રણ માસના બચ્ચાનું મોત થયું હતું.
આ ઘટના ગઇકાલે રાત્રે નવેક વાગ્યાના સુમારે સાવરકુંડલાના મહુવા રોડ પર ખોડીયાર પાર્ક નજીક બની હતી. અહી એક દિપડી પોતાના બચ્ચા સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા આ દિપડીના ત્રણ માસના બચ્ચાનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.
બનાવની જાણ થતા આરએફઓ સી.બી.ધાંધીયા, એસ.એસ.બાબરીયા, કે.પી.રામાણી વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. આજે સવારે દિપડીના આ બચ્ચાનું પોસ્ટમોર્ટમ કરાયુ હતુ અને બાદમાં લાશને સળગાવી દઇ તેનો નિકાલ કરાયો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopards-cubs-died-on-mahua-road-on-vehicle-collision-2788501.html

Tuesday, January 24, 2012

પર્યાવરણ સાથે મૈત્રી ધરાવતી ઈંટોની શોધ.

Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 4:38 AM [IST](24/01/2012)
એન્ઝાઈમ દ્વારા નિર્મિત ઈંટો ઘરથી લઈ ગટર શુદ્ધિકરણ, કચરા નિકાલ, રોડ વિ. માટે ઉપયોગી
ભાવનગરમાં આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે સ્થાનિક બોરોન ઈનોવેશન દ્વારા નિર્મિત એન્ઝાઈમ દ્વારા નિર્મિત ઈંટોથી સસ્તા દરે ઘર બનાવવાની ટેક્નોલોજી દર્શાવતું અનોખું મોડેલ જવાહર મેદાનમાં ઉજવણીનાં સ્થળે પ્રદર્શિત કરાયું છે. આ ઘરના નિર્માણમાં ભઠામાં પકાવ્યા વગરની ઈંટો કે સિમેન્ટનો ઉપયોગ કરાયો નથી ! આ તદ્દન નવા અને ઈકો-ફ્રેન્ડલી એન્ઝાઈમના આવિષ્કાર અંગે પાર્થ દોશીએ જણાવ્યું હતું કે એક રૂમ-રસોડાનું ઘર જો કોઈ શ્રમજીવી પરિવાર બહારના મજુરો રાખ્યા વગર બનાવે તો માત્ર રૂ૧૫ હજારમાં તૈયાર થઈ જાય છે ? આ એન્ઝાઈમાંથી સસ્તી કિંમતે ઈંટો અને બ્લોક બનાવી તેમજ સિમેન્ટ તરીકે પણ ઉપયોગ કરવાથી સમાજના છેવાડાના નાગરિકનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન પૂર્ણ થાય છે.
આ ઉપરાંત આ એન્ઝાઈમનો ઉપયોગ હાઈ-વે રોડનો બેઈઝ બનાવવા, ડાયવર્ઝનને પાકું બનાવવા, હેલીપેડ બનાવવા, કાચા રસ્તા ફૂટપાથને ધૂળ રહિત અને મજબૂત બનાવવામાં થાય છે.

આ એન્ઝાઈમ વાપરવાથી મકાન બનાવો તો જે પાયો ગાળો તેમાંથી જે માટી નીકળે તે માટીમાં એન્ઝાઈમ ભેળવી દેવાથી નજીવા સમયમાં ઈકો ફ્રેન્ડલી ઈંટ તૈયાર થઈ જાય છે. વળી, માટીનો ઉપયોગ હોય ટ્રાન્સપોટેંશનનો હજારો રૂપિયાનો ખર્ચ વચે છે. ડઝિલ બળે છે અને કિંમતી હૂંડિયામણ બચે છે. આ ઈંટો બનાવવા માટેના મોલ્ડ સ્થાનિક કારીગરો દ્વારા બનાવી શકાય છે. આ ઈંટો બનાવવામાં કુશળ કારીગરોની જરૂર ન હોવાથી સ્વરોજગારી કે ગૃહ ઉદ્યોગ દ્વારા ઉત્પાદન કરી ગૃહ ઉદ્યોગનો વિકાશ કરી રોજના ૨૫૦થી ૩૦૦ રૂપિયા કમાઈ શકાય છે.
આ એન્ઝાઈમ સેપ્ટીક ટેન્ક, ખેત પેદાશનો કચરો અને ગટર શુદ્ધિકરણમાં પણ કામ લાગે છે ત્યારે કચરો અને દુર્ગંધને દૂર કરે છે.આ એન્ઝાઈમ ખાળકૂવા અને ગટર સિસ્ટમમાં નાખવાથી કચરાનું વિઘટન કરી તે દૂર કરે છે. જળાશય, કુલીંગ ગાળા વિ.ને લીલ કે શેવાળ મુકત બનાવે છે. તો ખેત પેદાશના કચરાનો નિકાલ કરવા પણ સમર્થ છે. જે નૈસિર્ગક પ્રક્રિયાથી આ બધું કામ કરે છે.

ભાવનગર શહેરમાં પ્રજાસત્તાક ઉજવણીમાં જવાહર મેદાન ખાતે તા. ૨૫ થી ૨૭ જાન્યુઆરી સુધી આ ઈંટોનું ઘર જોવા મળશે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-environment-friendly-brock-search-2785617.html