Tuesday, July 2, 2013

રાજુલા ખાંભા વચ્ચેના રસ્તા પર ૧૪ સાવજોનું ટોળું આવી ચડ્યું.


Bhaskar News, Rajula | Jun 28, 2013, 02:31AM IST - સિંહદર્શનની મજા સાથે જ ગ્રામજનોમાં ફફડાટની લાગણી

રાજુલાથી ખાંભા રોડની વચ્ચે આવેલા પથ્થરમાર વિસ્તારમાં ગત મોડીરાત્રીના એક સાથે ૧૪ સાવજોનું ટોળુ આંટાફેરા મારી રહ્યું હોય લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સાવજોની ડણકોથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અહી ઉભા રહી ગયા હતા. અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. વનવિભાગને જાણ થતા અહી સ્ટાફ પણ દોડી આવ્યો હતો.

ગીર જંગલમાં વસતા સાવજો હવે જાણે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજુલાથી ખાંભા વચ્ચે આવેલા પથ્થરમાર ડુંગરાળ વિસ્તારમાં એક સાથે ૧૪ સાવજો આવી ચડયા હતા. એક સાથે આટલા બધા સાવજોનું ટોળુ આવી ચડતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

હાલમાં રાજુલા પંથકમાં વરસાદ પડી જતા ડુંગરાળ વિસ્તારો લીલાછમ બની ગયા છે. આ વિસ્તારોમાં આમ તો સાવજો જોવા મળે જ છે. પરંતુ ગઇકાલે એક્સાથે ૧૪ સાવજોનું ટોળુ આવી ચડયુ હતુ. સાવજોની ડણકોથી અહીથી પસાર થતા વાહન ચાલકો થોડીવાર માટે ઉભા રહી ગયા હતા. અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.

આ અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો. એક સાથે ૧૪ સાવજોનું ટોળુ આ વિસ્તારમાં આવી ચડયુ હોય ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ભય ફેલાયો છે. અને ખેડુતો વાડી ખેતરોમાં જતા પણ ભય અનુભવી રહ્યાં છે.

એક જ વર્ષમાં દિપડાએ પાંચ માનવ જિંદગીનો ભોગ લીધો.


Bhaskar News, Liliya | Jun 26, 2013, 23:29PM IST - અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજ અને દિપડાના હુમલાની એક વર્ષમાં ૩૮ ઘટના

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ અને દિપડાની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આ બન્ને વન્ય પ્રાણીઓ દ્વારા માણસ પર હુમલાની સંખ્યાઓ પણ વધી છે. ગત વર્ષે અમરેલી જીલ્લામાં દિપડાના હુમલામાં કુલ પાંચ વ્યક્તિના મોત થયા હતાં. જ્યારે દિપડા દ્વારા લોકોને ઘાયલ કરવાની ૨૭ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વસતી વધી છે ખરી પરંતુ આ વન્ય પ્રાણીઓ પૈકી સૌથી વધુ જોખમી પ્રાણી દિપડો સાબિત થઇ રહ્યો છે. અમરેલી જીલ્લામાં સાવજોની સંખ્યા પણ સૌથી વધુ છે. સિંહદર્શન માટે લોકો એકઠા થાય છે. ક્યારેય કાંકરી ચાળો પણ થાય છે. આમ છતાં સાવજોના હુમલાની ઘટના ભાગ્યે જ બને છે. પરંતુ લોકોની નઝરે ચડતો ન હોવા છતાં દિપડાના હુમલાની ઘટના મોટા પ્રમાણમાં બને છે.

ગત વર્ષે અમરેલી જીલ્લામાં દપિડાના હુમલાથી પાંચ વ્યક્તિઓના મોત થયા હતાં. જળ જીવડીના હકાભાઇ શામજીભાઇ, માલસીકાના શૈલેષભાઇ ભીખાભાઇ સહિત પાંચનો દપિડાએ ભોગ લીધો હતો. વન વિભાગ દ્વારા દપિડાના આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને દોઢ-દોઢ લાખની સહાય પણ અપાઇ હતી. વાડી-ખેતરોમાં લોકો કામ કરતા હોય ત્યારે અચાનક જ દિપડો હુમલો કરી બેસે છે. ઉભા પાક કે વાડમાંથી પાછળથી દિપડો ધસી આવે છે. સામાપક્ષે વાડીમાં સાવજની હાજરી હોવા છતાં લોકો ખેતીકામ કરતા હોય તો પણ સાવજના હુમલાની ઘટના ભાગ્યે જ બને છે.

-  દિપડાએ ૨૭ લોકોને ઘાયલ કર્યા

દિપડાએ અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં પાંચ માનવ જીંદગીના ભોગ લેવા ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં હુમલા કરી ૨૭ લોકોને ઘાયલ કરી દીધા હતાં. મોટાભાગના આ બનાવો સાવરકુંડલા, ધારી, ખાંભા તાલુકામાં બન્યા હતાં. આ ઉપરાંત સાવજો દ્વારા માણસ પર હુમલાની અગીયાર ઘટનાઓ પણ બની હતી.

છાપરીમાં વાડીમાં કામ કરતા કિશોર પર દીપડાનો હુમલો.


Bhaskar News, Amreli | Jun 21, 2013, 02:26AM IST - વાડમાંથી ધસી આવી કિશોરને લોહી લુહાણ કરી દીધો

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં દીપડાની વસતી વધતી ચાલી છે. હજુ બે દિવસ પહેલા જ સાવરકુંડલાના ડેડકડીમાં ઘરની ઓસરીમાં સુતેલી મહિલા પર દીપડીએ હુમલો કર્યાની ઘટના તાજી છે ત્યાં આજે સાવરકુંડલાના છાપરી ગામની સીમમાં વાડીમાં કામ કરી રહેલ એક દેવીપૂજક કિશોર પર દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે અમરેલી સીવીલમાં ખસેડવામાં આવેલ છે.

સાવરકુંડલા તાલુકો જાણે દીપડાનું ઘર બની ગયો છે. અહિં દીપડાની વસતી વધી ગઇ હોય અવાર નવાર દીપડા અને લોકોનો સામનો થઇ જાય છે. આજે સાવરકુંડલા તાલુકાના છાપરી ગામના નિકુંજ ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ. ૧૭) નામના દેવીપૂજક કિશોર પર દીપડાએ હુમલો કર્યો હતો. આ કિશોર ગામના બચુભાઇ મેઘજીભાઇની વાડીમાં ખેતમજુરીનું કામ કરે છે.

આજે સવારે આ કિશોર વાડીમાં સાંતી હાંકતો હતો ત્યારે બળદને હાંકલા પડકારા કરતા વાડમાંથી અચાનક જ દીપડો ધસી આવ્યો હતો. અને પાછળથી હુમલો કર્યો હતો. દીપડાએ આ યુવકને પછાડી દઇ તેના માથા પર, હાથ પર તથા પીઠમાં દાંત તથા નહોર બેસાડી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. દેકારો થતા આ કિશોરના કાકા દોડી આવ્યા હતા અને હાંકલા પડકારા કરી આ દીપડાને ભગાડ્યો હતો.

લોહી લુહાણ હાલતમાં આ કિશોરને સારવાર માટે પ્રથમ સાવરકુંડલા દવાખાને અને ત્યાથી વધુ સારવાર માટે અમરેલી દવાખાને રીફર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ સાવરકુંડલાના ડેડકડીમાં એક કોળી મહિલા ઘરની ઓસરીમાં સુતી હતી ત્યારે શિકારની શોધમાં ચડી આવેલા દીપડાએ તેના પર હુમલો કરી આ મહિલાને ઘાયલ કરી દીધી હતી.

દિપડીનાં બચ્ચાને બચાવવા પાંચ કલાક ચાલ્યું રેસ્કયુ, લોકો ઉમટ્યાં.


દિપડીનાં બચ્ચાને બચાવવા પાંચ કલાક ચાલ્યું રેસ્કયુ, લોકો ઉમટ્યાં

Bhaskar News, Rajula   |  Jun 19, 2013, 00:00AM IST
- ગ્રામજનો અને વનવિભાગની પાંચ કલાકની મહેનત બાદ આ બચ્ચાને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુરવામાં આવ્યુ

રાજુલા તાલુકાના રાજપરડા ગામની સીમમાં આવેલ એક કુવામાં દિપડીનું બચ્ચુ પડી ગયુ હતુ. આ અંગે જાણ થતા ગ્રામજનો અહી ઉમટી પડ્યા હતા. બાદમાં વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો. ગ્રામજનો અને વનવિભાગ દ્વારા પાંચેક કલાકની જહેમત બાદ આ બચ્ચાને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુરવામાં આવ્યુ હતુ.

દિપડીનું બચ્ચુ કુવામાં પડી જવાની આ ઘટના આજે સવારે રાજુલા તાલુકાના રાજપરડા ગામની સીમમાં બની હતી. જ્યાં કથડભાઇ લખમણભાઇ વાઘની વાડીમાં આવેલ કુવામાં સવારના સુમારે એક દિપડીનું બચ્ચુ આંટા મારી રહ્યું હોય તેની પાછળ કુતરાઓ દોડતા પ્રથમ આ બચ્ચુ લીમડાના વૃક્ષ પર ચડી ગયુ હતુ બાદમાં ભાગવા જતા તે કુવામાં ખાબક્યુ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતુ.


દિપડીનાં બચ્ચાને બચાવવા પાંચ કલાક ચાલ્યું રેસ્કયુ, લોકો ઉમટ્યાં
બચ્ચુ કુવામાં પડી ગયુ હોવાની જાણ થતા જ અહી ગ્રામજનો ઉમટી પડ્યા હતા. બાદમાં વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો. અને મહામહેનતે દિપડીના બચ્ચાને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુરવામાં આવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એક દિપડો હડમતીયા ગામે તાર ફેન્સીંગમાં ફસાઇ જતા મોતને ભેટયો હતો. આ વિસ્તારોમાં પાછલા ઘણા સમયથી અવારનવાર દપિડાઓ છેક ગામમાં આવી ચડતા હોય લોકોમાં ભય ફેલાઇ છે.

ધારી ગીરપૂર્વના પાણિયા રેંજમાં ઇનફાઇટમાં વનરાજનું મોત.


Bhaskar News, Dhari | Jun 17, 2013, 02:31AM IST
ધારી ગીરપુર્વના પાણીયા રેંજના લીલાપાણી નેસ વિસ્તારમાં વનવિભાગને ફેરણા દરમિયાન એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. દોડી આવેલા વનકર્મીઓએ સિંહની સ્થળ પર જ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી હતી. આ સિંહનું મોત ઇનફાઇટમાં થયુ હોવાનું ખુલ્યું છે.

ઇનફાટમાં સિંહના મોતની આ ઘટના પાણીયા રેંજમાં લીલાપાણી નેસ વિસ્તારમાં બની હતી. અહી વનવિભાગના સ્ટાફને ફેરણા દરમિયાન એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

શર્માએ જણાવ્યું હતુ કે ૧૧ થી ૧૨ વર્ષની ઉંમરના આ સિંહને અન્ય સિંહે હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતુ. સિંહને પીઠના અને ગળાના ભાગે દાંત બેસાડી દેતા તેની શ્વાસનળી તુટી જતા તેનુ મોત થયુ હતુ. ડૉ. હિતેષ વામજા દ્વારા સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયુ હતુ.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-lion-died-in-infight-4293802-NOR.html

કંપાવનારી ઘટના : સાવજોથી ડરી ભાગેલી ૧૦ ગાયો ટ્રેન હેઠળ કપાઇ ગઇ.


કંપાવનારી ઘટના : સાવજોથી ડરી ભાગેલી ૧૦ ગાયો ટ્રેન હેઠળ કપાઇ ગઇ
કંપાવનારી ઘટના : સાવજોથી ડરી ભાગેલી ૧૦ ગાયો ટ્રેન હેઠળ કપાઇ ગઇ
Bhaskar News, Liliya   |  Jul 02, 2013, 09:25AM IST

- નાના લીલિયા ગામે બની કંપાવનારી ઘટના
- ત્રણ સાવજોએ જોકમાં ઘૂસી બે ગાયનું મારણ કર્યું ગાયોના ધણમાં નાસભાગ મચતા આઠ ગાયો માલગાડી હેઠળ કપાઇ


લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે ગઇકાલે એક ગોઝારી ઘટનામાં એક સાથે દશ ગાયોના મોત થયા હતાં. જેને પગલે નાનાએવા ગામમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ગામના પાદરમાં ગાયોના જોકમાં ત્રાટકી ત્રણ સાવજો દ્વારા બે ગાયોનું મારણ કરાયુ હતું.

જેને પગલે જોકની ગાયોમાં નાસભાગ મચી ગઇ હતી. ગાયોનું ધણ રેલવેના ટ્રેક પર નાસતુ હતુ ત્યારે માલગાડીની હડફેટે ચડી જવાથી આઠ ગાયો કપાઇ ગઇ હતી. ઘટનાને પગલે વન વિભાગનો સ્ટાફ નાના લીલીયા દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

એક સાથે દશ ગાયોના અરેરાટીભર્યા મોતની આ ઘટના ગઇકાલે રાતે સાડા નવેક વાગ્યાના સુમારે લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે બની હતી. જ્યાં સાવજોના હુમલાથી બે ગાયોનું તથા માલગાડી હેઠળ કચડાઇ જવાથી આઠ ગાયોનું મોત થયુ હતું. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર નાના લીલીયા ગામના પાદરમાં અહિંના આતાભાઇ જાપાભાઇ ભરવાડ પોતાના માલઢોર માટે જોક બનાવ્યો છે. બાવળની કાંટના બનેલા આ જોકમાં રાત્રે તેઓ પોતાની ગાયોને બાંધે છે.
રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે શીકારની શોધમાં નિકળેલા બે સાવજ અને એક સિંહણ આ જોકમાં કુધ્યા હતાં અને જોતજોતામાં બે ગાયોના રામ રમાડી દીધા હતાં. જોકમાં સાવજ ત્રાટકતા જ ગાયોના ધણમાં પણ નાસભાગ મચી હતી અને જોક તોડીને તમામ ગાયો સીમમાં નાસી છુટી હતી. ગાયોનું ડરેલુ આ ધણ નાના લીલીયા-પુંજાપાદર રેલવે ટ્રેક પર ચડયુ હતું.
સાવજના હુમલાથી બચેલી આ ગાયો પર માલગાડી કાળ બનીને ત્રાટકી હતી. પીપાવાવથી ઢસા તરફ જઇ રહેલી એક માલગાડી હડફેટે ચડી જતા આઠ ગાયો કપાઇ ગઇ હતી. રાત્રે જ ગાયોની શોધમાં સીમમાં નિકળેલા આ માલધારીને રેલવે ટ્રેક આસપાસ કપાયેલી ગાયો મળતા તેના પર જાણે આભ તુટી પડયુ હતું. એક સાથે દશ દશ માલઢોર ગુમાવનાર આ માલધારીને મોટી આર્થીક નુકશાનીનો સામનો કરવો પડયો હતો.
- બે કિમીના વિસ્તારમાં કપાયેલી ગાયોના અવશેષ
જોકમાંથી નાસેલી ગાયો રેલવે ટ્રેક પર દોડવા લાગી હતી. જેને પગલે એક પછી એક આ ગાયો માલગાડીની હડફેટે ચડી હતી અને આશરે બે કીમીના વિસ્તારમાં આ તમામ આઠ ગાયોના કપાયેલા અવશેષો જ્યાં ત્યાં ટ્રેકની આજુબાજુ વિખરાયેલા પડ્યા હતાં.
http://www.indianexpress.com/news/chased-by-lions-in-gujarat-8-cows-mowed-down-by-train/1136505/

हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती.

Divyabhaskar network   |  Jun 30, 2013, 12:44PM IST

हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
गुजरात का सौराष्ट्र केसर आमों के लिए दुनिया भर में विख्यात है। अगर आप सौराष्ट्र के तलाणा आएं तो आपको केसर आमों के अलावा एक और हैरत में डालने लोगों की भीड़ दिखाई देगी। आमतौर पर नेशनल जियोग्राफी या डिस्कवरी जैसे चैनलों पर दिखाई देने वाले हबसी लोग आप यहां प्रत्यक्ष रूप से देख सकते हैं।
 
दक्षिण अफ्रीका में हबसी के रूप में पहचाने जाने वाले नीग्रो प्रजाति के लोग गुजरात में लंबे समय से रहते आ रहे हैं। अफ्रीका के नीग्रों की तरह रहने वाले यह प्रजाति शुद्ध रूप से सिर्फ गुजराती भाषा ही जानती है।


हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
गुजरात में ये लोग ‘सीदी’ कहे जाते हैं। तलाणा के आसपास के गांवों में ये लोग बसे हुए हैं। लेकिन ‘गिर’ फारेस्ट के बीचों-बीच ‘जंबूर’ नामक एक गांव है। इस गांव को गुजरात का अफ्रीका कहा जाता है। इस गांव में आने के बाद आपको बिल्कुल ऐसा ही लगेगा, मानो आप नीग्रो के गांव आ गए हैं।


हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
लगभग दो हजार साल पहले ‘सीदी’ भारत आए थे। ऐसा भी कहा जाता है कि इन्हें पानी के जहाजों द्वारा अफ्रीका व अन्य जगहों से लाया गया था। ऐसा भी कहा जाता है कि अरबी और मुगल शासक इन्हें गुलाम बनाकर रखते थे। इसके अलावा इन लोगों का व्यापार भी होता था। ह्युमन ट्रैफिकिंग का यह व्यवसाय अमेरिका से लेकर युरोप तक फैला हुआ था। जब मुगलों ने भारत की ओर रुख किया तो अपने साथ इन्हें भी यहां ले आए। गुजरात के इतिहास पर नजर करें तो यह भी पता चलता है कि जूनागढ़ के नवाब ने काफी संख्या में इन्हें खरीदा था। नवाबों व राजाओं के शासन के अंत के बाद ये लोग यहीं बस गए।


हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
सौराष्ट्र में बसे सीदियों का कालक्रम अब पूर्ण रूप से गुजराती और भारतीय बन चुका है। लेकिन कुदरत द्वारा प्रदत्त इनकी शारीरिक बनावट अन्य भारतियों से इन्हें अलग करती है और ये लोग अफ्रीका के नीग्रो जैसे नजर आते हैं। सीदी गुजरात में आदिवासियों की तरह जीवन व्यतीत करते हैं। इनका मुख्य पेशा खेती-किसानी, लकड़ियां बेचना व गाय-भैंसों का पालन है।


हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
‘धमाल’ नृत्य
सीदियों की एक और पहचान इनके ‘धमाल’ नामक नृत्य से भी है। यह नृत्य बिल्कुल अफ्रीकन नीग्रो की तरह होता है। गुजरात की सीदी मुख्यत: मुस्लिम धर्म को मानते हैं। वे यहां पिछले आठ सौ सालों से संत नागरची बाबा की आराधना करते आ रहे हैं।
 
सीदी हर रोज शाम को ड्रम बजाते हुए जांबूर गांव के बीचों-बीच स्थित मस्जिद में बंदगी करते हैं।
हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
इनके बारे में ऐसा भी कहा जाता है कि प्राचीन समय में राजा इन्हें अपने अंगरक्षक के रूप में रखा करते थे। यह प्रजाति शारीरिक रूप से बहुत मजबूत होती है, इसलिए इनकी नियुक्ति राजाओं के अंगरक्षकों के अलावा सेना में भी की जाती थी।
 
सन् 1572 में जब जलालुद्दीन अकबर गुजरात आया तब वह अपने साथ लगभग 700 हबसी घुड़सवारों को लाया था। इसके अलावा पाकिस्तान के सिंध प्रांत में भी रहने वाले हबसी लोगों को लड़ाका माना जाता है।

हैरतअंगेज : यहां के मुस्लिम नीग्रो बोलते हैं सिर्फ गुजराती
गुजरात के सिहों और इन लोगों का पुराना रिश्ता है।
एशियाटिक लायंस के लिए मशहूर गुजरात का ‘गिर’ फारेस्ट इनकी मुख्य शरणस्थली है। आपको बताते चलें कि इस फॉरेस्ट में लगभग 410 शेर हैं और ये लोग इन शेरों के बीच में ही रहते हैं। आप अगर गिर फॉरेस्ट की सफारी पर हों तो जंगल के बीचों-बीच इनका गांव देख सकते हैं। यहां के लोगों व बच्चों के बीच आप आसानी से कई शेरों को विचरण करते हुए देख सकते हैं।
http://www.bhaskar.com/article/GUJ-a-africa-in-gujarat-also-gir-forest-jambur-village-seedi-4305934-PHO.html