Wednesday, November 30, 2016

રાજુલા: દીપડાનાં હુમલામાં જગતપીરની જગ્યાના પુજારીનું મોત

Bhaskar News Amreli | Nov 12, 2016, 02:06 AM IST

રાજુલા: અનુસાર વઢેરા ગામે રહેતા સતાર શાહ હસન શાહ શેખ નામના ફકિર યુવાન વઢેરા નજીક આવેલ જગતપીરની જગ્યામા પુજારી છે. તેઓ ગત મોડીરાત્રીના જગતપીરની જગ્યાએથી ધાર્મિક પ્રસંગ પતાવી પરત ફરી રહ્યાં હતા ત્યારે અવાવરૂ જગ્યાએ તેના પર ખુની હુમલો થયો હતો. સતાર શાહને માથાના ભાગે ઇજા થતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. 
 
અગાઉ સતાર શાહે અમને કહેલુ કે આ વિસ્તારમા દિપડો આંટાફેરા મારે છે 
 
બાદમાં આસપાસના લોકો દ્વારા પોલીસને જાણ કરવામા આવતા જાફરાબાદ પોલીસ અને વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. બાદમા મૃતકની લાશને પીએમ માટે જાફરાબાદ દવાખાને ખસેડાઇ હતી. અહી મૃતકના પત્ની તેમજ બે દિકરીઓ અને પુત્રએ પોલીસને આપેલા નિવેદનમા જણાવ્યું કે  દિપડા દ્વારા તેમના પર હુમલો થયો છે.અગાઉ સતાર શાહે અમને કહેલુ કે આ વિસ્તારમા દિપડો આંટાફેરા મારે છે જેથી ધ્યાન રાખીને પસાર થવુ. અહી તબીબે પોસ્ટમોર્ટમ કરી જણાવ્યું હતુ કે તેમને માથાના ભાગે પંજાના નિશાન હોવાનુ પોલીસને જણાવ્યુ હતુ. 
 
વન્યપ્રાણીના કોઇ સગડ નથી- આરએફઓ
 
રાજુલાના આરએફઓ ધાંધીયાએ જણાવ્યું હતુ કે અમારી ટીમ દ્વારા તપાસ કરવામા આવી હતી. અહી વન્યપ્રાણીના કોઇ સગડ મળ્યાં નથી. આ પોલીસની તપાસનો વિષય છે. કોઇ તિક્ષણ હથિયારના નિશાન હોય શકે.
વનતંત્રનો સ્ટાફ પણ અમારી સાથે હતો
 
 PI જાફરાબાદના ઇન્ચાર્જ પીઆઇ દશરથસિંહ વાઢેરે જણાવ્યું હતુ કે બનાવ બન્યો ત્યારે વનવિભાગનો સ્ટાફ પણ અમારી સાથે હતો. ગામ લોકો દ્વારા પણ જણાવાયું હતુ કે વન્યપ્રાણીઓએ હુમલો કર્યો છે. તેના પરિવારે પણ જણાવ્યું હતુ અને તબીબે પણ વન્યપ્રાણીનો હુમલો હોવાનુ અને પંજાના નિશાન હોવાનુ જણાવ્યું હતુ.

ગીર પંથકમાં ઇકોઝોન મુદે ભાજપ, કોંગ્રેસ, કિશાન સંઘ એક મંચ ઉપર

DivyaBhaskar News Network | Nov 09, 2016, 03:40 AM IST

તાલાલામાં હોદેદારોની અગત્યની બેઠક મળી : દિલ્હી સુધી રજૂઆત કરશે

ગીરપંથકમાં ઇકોઝોનનાં કાયદાઓથી ઉભી થનાર મુશ્કેલીઓને યોગ્ય સ્તરની રજુઆત સાથે સરકાર સુધી પહો઼ચાડી કાયદામાં ફેરફાર સાથે સમીક્ષા કરાવવા મુદે આજે ભાજપ, કોગ્રેસ, કિશાન સં એક મંચ ઉપર આવેલ કેન્દ્ર સરકારનાં વન અને પર્યાવરણ મંત્રાલય વિભાગે 26 ઓકટોબરનાં ઇકોઝોનનું નોટીફીકેશન બહાર પાડી 2 નવેમ્બરે લોકો માટે ખુલ્લુ મુકયા બાદ તાલાલા પંથકનાં રાજકીય આગેવાનો અને કિશાન સંઘ એક મંચ ઉપર આવેલ.

તાલાલા બોરવાવ ફાટક પાસે આવેલ વિવેકાનંદ શૈક્ષણીક સંકુલ ખાતે ઇકોઝોન મુદે મળેલી બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્ર પીઠીયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ વાદી, પ્રમુખ ડાયાભાઇ વઘાસીયા, તાલાલા પાલિકાનાં પુર્વ પ્રમુખ અમીત ઉનડકટ, તાલુકા કોંગ્રેસ અગ્રણી અને આદિવાસી સંઘનાં પ્રમુખ અહેમદ વલી મકવાણા ગીર સોમનાથ જિલ્લા કિશાન સંઘ પ્રમુખ ભરત સોજીત્રા, તાલાલા તાલુકા પ્રમુખ રાજુભાઇ પાનેલીયા, ચિત્રોડનાં સરપંચ બાવચંદભાઇ પરમાર સહીત તાલાલા તાલુકાનાં ગામડાનાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. ઇકોઝોનની અસર ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાનાં તમામ તાલુકા ઇકોઝોન હેઠળ આવતા હોય ઇકોઝોનનાં નવા કાયદાથી આમ પ્રજા, ખેડૂતો, નનાના ધંધાર્થીઓને પડનારી મુશ્કેલી અને વિસ્તારોનો વિકાસ રૂંધાય તેવી સંભાવના હોય. નવા ઇકોઝોનનું નોટીફીકેશન ઓનલાઇન રજુ થયુ હોય.

જે કોઇને વાંધા રજુ કરવાનાં હોય તો 60 દિવસમાં ઓનલાઇન રજુ કરવાનાં તે વ્યવસ્થા યોગ્ય હોવાનો સુર બેઠકમાં ઉઠેલ અસરકર્તા દરેક ગામોમાં સરપંચ મીટીંગ્ બોલાવી લોકોને ઇકોઝોન કાયદાની જાણ કરે અને લોકોનો સહયોગ પ્રાપ્ત થાય તેવું આયોજન શરૂ કરવાનું નક્કી થયેલ.

વાંધા-સુચનો ઓનલાઇન રજુ કરી સંયુકત પક્ષો અને કિશાન સંઘનું બનેલ એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર અને દિલ્હી સુધી યોગ્ય રજુઆતો કરે તે માટે આગામી દિવસોમાં એક પ્રતિનિધિ મંડળ બનાવવામાં આવશે. ઇકોઝોન મુદે મળેલ સર્વપક્ષીય બેઠકમાં રાજકીય વાતો બાજુએ રાખી લોકો અને અસરકર્તા વિસ્તારમાં રાજકીય વાતો બાજુએ રાખી લોકો અને અસરકર્તા વિસ્તારને અસરકર્તા મુશ્કેલીનો ઉકેલ લાવવા સામુહીક નિર્ણય થયેલ હતો.

પીપાવાવ રોડ પર સિંહ પરિવારનાં ધામા, વાહન વ્યવહાર થંભી ગયો

Jaydev Varu, Rajula | Nov 06, 2016, 17:27 PM IST
પીપાવાવ રોડ પર સિંહ પરિવારનાં ધામા, વાહન વ્યવહાર થંભી ગયો,  amreli news in gujarati
  • ગઇ રાત્રે તો કોઇ અકસ્માત થયો ન હતો પરંતુ સાવજના અહિં ધામા હોય ગમે ત્યારે અકસ્માતની ભીતી છે
રાજુલા:રાજુલાના પીપાવાવનો ચાર માર્ગીય રસ્તો અવાર નવાર સાવજોનો ભોગ લે છે. અહિં સાવજોની સુરક્ષાની માત્ર વાતો જ થાય છે અને સાવજોનો ભોગ લેવાતો રહે છે. ગઇરાત્રે પણ અહીં સિંહ-સિંહણ અને એક સિંહબાળે રસ્તા પર જ અડ્ડો જમાવી દીધો હતો. જેને પગલે વાહન વ્યવહાર થંભી ગયો હતો. અહિં સાવજો પર ખતરો હોય વનતંત્ર યોગ્ય પગલા લે તેવુ સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે. 
 
આ સાવજો પર મોતનું તાંડવ આવતા માંડ અટક્યુ હતું
 
ભુતકાળમાં પણ પીપાવાવ ફોર વે પર અજાણ્યા વાહનોની હડફેટે સાવજોના મોતની ઘટના બની ચુકી છે. ગીર જંગલ બહાર વસતા સાવજો છેક પીપાવાવ પોર્ટ આસપાસના વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં વસી રહ્યા છે. અવાર નવાર જ્યાં વાહનોની સતત અવર જવર રહે છે તે પીપાવાવ ફોર વે પર આ સાવજો આવી જાય છે અને અકસ્માતનો ભોગ બને છે. ગઇરાત્રે ફરી એકવાર આ સાવજો પર મોતનું તાંડવ આવતા માંડ અટક્યુ હતું.
 
એક સિંહ સિંહણ તેના બચ્ચા સાથે આ રોડ પર આવી ચડ્યા 
 
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ગઇરાત્રે એક સિંહ સિંહણ તેના બચ્ચા સાથે આ રોડ પર આવી ચડ્યા હતાં અને આ સાવજ પરિવારે રસ્તા પર જ અડ્ડો જમાવ્યો હતો. જેને પગલે થોડીવાર માટે વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. સદનશીબે ગઇ રાત્રે તો કોઇ અકસ્માત થયો ન હતો પરંતુ સાવજના અહિં ધામા હોય ગમે ત્યારે અકસ્માતની ભીતી છે. જેને પગલે વનતંત્ર સાવચેતીના પગલા લે તેવી સિંહપ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.

દિવાળી વેકેશનમાં ધાર્મિક સ્થળો ખીચોખીચ: સિંહ દર્શન માટે લોકોની હડીયાપટ્ટી

Bhaskar News, Amreli | Nov 03, 2016, 00:52 AM IST
દિવાળી વેકેશનમાં ધાર્મિક સ્થળો ખીચોખીચ: સિંહ દર્શન માટે લોકોની હડીયાપટ્ટી,  amreli news in gujarati
અમરેલી:દિપાવલીનાં પાવન તહેવારો દરમિયાન સૌરાષ્ટ્રના ફરવા લાયક રમણીય સ્થળો અને ધર્મસ્થાનોમા દર વર્ષે પ્રવાસીઓની મોટી ભીડ ઉમટી પડે છે. આ પરંપરા જળવાતી હોય તેમ ઓણસાલ પણ દિપાવલીના તહેવારો દરમિયાન ગીર જંગલ તથા આસપાસના વિસ્તારો પ્રવાસીઓથી ઉભરાયા છે. સારા ચોમાસાના કારણે ગીરનો નજારો રમણીય છે. જેનો પ્રવાસીઓ ભરપુર આનંદ લુંટી રહ્યાં છે હજુ બે ત્રણ દિવસ આવો ધસારો રહેશે.
 
સોળે કળાએ ખીલેલી ગાંડી ગીરનુ આકર્ષણ કંઇક જુદુ જ છે. અને તેમા પણ સિંહ દર્શનના મોકાની આશા હોય તો પ્રવાસીઓ અહી ખેંચાયા વગર રહે ખરા ω દિપાવલીની રજાઓનો માહોલ આમપણ હરવા ફરવાનો સમય છે. આસપાસના લોકો તો રજાઓમા ફરવાનો આનંદ માણે જ છે પરંતુ ગુજરાતભરમાથી નહી પણ દેશભરમાથી આ વિસ્તારમા પ્રવાસીઓ ઉમટે છે. હાલમા ચાલી રહેલી દિવાળીની રજાઓમા ફરી આ ચિત્ર જોવા મળી રહ્યું છે.

અમરેલી પંથકમાં ગીર જંગલ પ્રવાસીઓથી ગુંજી ઉઠયું છે. આ વિસ્તારના પ્રાકૃતિક નજારાઓનો આનંદ માણવા અને ધર્મસ્થાનોમા દર્શનાર્થે હકડેઠ્ઠઠ માનવ મેદની ઉમટી પડી છે. અમરેલી પંથકમાં ગીરકાંઠાના ગામોમા મોટા પ્રમાણમા ધર્મસ્થાનો આવેલા છે. આ ઉપરાંત ગીર જંગલની મધ્યમા પણ આસ્થાના ધામ સમા મંદિરો આવેલા છે. જયાં પાછલા ચાર દિવસ દરમિયાન મોટી સંખ્યામા દર્શનાર્થીઓ ઉમટયા હતા.

ધારી નજીક આવેલ સુપ્રસિધ્ધ ખોડીયાર મંદિર, કનકાઇ, બાણેજ, તુલશીશ્યામ, જમજીરનો ધોધ, ભીમચાસ, સરની ખોડિયાર, વાંકુની ધાર, સતાધાર, પરબધામ સહિતના નાના મોટા ધર્મસ્થાનો પર મોટી સંખ્યામા ભાવિકો ઉમટયા હતા. આ વિસ્તારના જંગલમાથી દિવ, સોમનાથ, વેરાવળ તરફ જતા પ્રવાસીઓની પણ મોટી ભીડ જોવા મળી હતી. લાભપાંચમ સુધી પ્રવાસીઓનો આવો જ ધસારો રહેવાની ધારણા રખાઇ રહી છે.
 
ધારી-તુલસીશ્યામમાં ભાવિકોની ભીડ
 
ગીર જંગલની મધ્યમા આવેલ તુલશીશ્યામ ખાતે શ્યામ મંદિરના દર્શનાર્થે પાંચ દિવસ દરમિયાન હજારો લોકોની ભીડ ઉમટી હતી. કનકાઇ બાણેજ, તુલશીશ્યામ સહિતના ધર્મસ્થાનોમા ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઇ હતી. ધારી નજીક ખોડિયાર મંદિર પર પણ પ્રવાસીઓ ઉમટી પડયા હતા.

Monday, October 31, 2016

ભાવનગરનો દરિયો ડોલ્ફિનને ગોઠી ગ્યો, એકસાથે જોવા મળે છે 50-60ના જુંડ

Bhaskar News, Bhavnagar | Oct 30, 2016, 20:46 PM IST
ભાવનગરનો દરિયો ડોલ્ફિનને ગોઠી ગ્યો, એકસાથે જોવા મળે છે 50-60ના જુંડ,  bhavnagar city news in gujarati
  • પ્રતિકાત્મક તસવીર
ભાવનગર: વિદેશમાં પ્રવાસીઓને આકર્ષવા માટે મોટા એક્વેરીયમ, સ્વિમિંગ પૂલ બનાવવામાં આવે છે અને તેમાં ડોલ્ફિનને રાખવામાં આવે છે, અને તેના શો યોજવામાં આવે છે. ખાસ કરી અને બાળકોમાં ડોલ્ફિનની કાકલૂદી અને ઉછળકૂદ લોકપ્રિય હોય છે અને તેઓના હોઠે માછલીનો પર્યાય એટલે ફોલ્ફિન જ હોય છે. ભાવનગરના દરિયામાં અચાનક ડોલ્ફિનની સંખ્યા નોંધપાત્ર રીતે  જોવા મળી રહી છે. 

ભાવનગરના પ્રવાસન ધામો તરીકે ખ્યાતનામ કુડા, કોળીયાક, ગોપનાથ, ઝાંઝમેર, મહુવા ભવાનીની સામે આવેલા મધદરિયામાં ડોલ્ફિનના જુંડ જોવા મળે છે.  ડોલ્ફિન ફિશ એક સાથે 50-60ના ટોળામાં જ ફરતી રહે છે, તેથી ક્યારેક ઘોઘાની સામે, ક્યારેક અન્ય દરિયા કિનારાના ગામોમાંથી જોવા મળે છે. દરિયાના પાણીમાંથી 15 ફૂટ જેટલી ઉછળે છે અને જુંડમાં જ્યારે ડોલ્ફિન મસ્તીએ ચડે છે ત્યારે વારાફરતી અવારનવાર પાણીમાંથી છલાંગો મારે છે. ડોલ્ફિનની આવી હરકત લોકોમાં ખાસ્સી લોકપ્રિય બને છે. ડોલ્ફિન ઉંડા પાણી ઉપરાંત પાણીની સપાટી પર પણ તરવામાં નિપૂણતા ધરાવે છે. સ્વભાવે પણ તે માયાળુ હોય છે.

સામાન્ય રીતે શરમાળ છતા માણસો સાથે સંપૂર્ણ સંવેદના ધરાવતી ડોલ્ફિન મોટા જહાજોના તરંગો દૂરથી પારખી લે છે અને તેથી જ મધદરિયે જહાજો સાથે ડોલ્ફિન ટકરાવાના બનાવો જવલ્લે જ બને છે. શિપિંગ લાઇન સાથે વર્ષોથી સંકળાયેલા જયેશભાઇ સોનપાલના જણાવ્યા પ્રમાણે અલંગમાં અત્યાર સુધીમાં 34 વર્ષના ઇતિહાસમાં 7288 જહાજો ભાંગવા માટે આવી ચૂક્યા છે. પરંતુ આજ દિવસ સુધી જહાજ સાથે કોઇ ડોલ્ફિન અથડાઇ હોય તેવો બનાવ બન્યો નથી અથવા ડોલ્ડિનને કારણે જળ અકસ્માત બન્યા હોય તેવુ સાંભળવામાં આવ્યુ નથી.

ભાવનગરના માછીમારો પણ જ્યારે દરિયો ખેડે છે ત્યારે તેઓની જાળમાં ક્યારેય ડોલ્ફિન ફસાઇ ન જાય તેની તકેદારી તેઓ રાખે છે, અને ડોલ્ફિનને તેઓ દોસ્ત માને છે. ભાવનગર જિલ્લાના દરિયા કિનારાના પ્રચલિત પ્રવાસન સ્થળોએ ડોલફીન અંગે વર્ણન કરવામાં આવે છે.

સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ ક્રેઝ, 14 દિવસનું ઓનલાઇન બુકિંગ ફૂલ

Bhaskar News, | Oct 30, 2016, 11:41 AM IST
સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ ક્રેઝ, 14 દિવસનું ઓનલાઇન બુકિંગ ફૂલ,  junagadh news in gujarati
જૂનાગઢ:કાલે દિવાળી. દિવાળીની રજાઓમાં લોકો ફરવા ઉપડી ગયા છે. સોરઠ તરફ પ્રવાસીઓનો પ્રવાહ શરૂ થઇ ગયો છે.તેમજ પ્રવાસીઓ સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઇન બુકીંગ કરતા હોય છે. સાસણમાં સિંહ દર્શન માટે 14 દિવસનું એટલે તા. 12 નવેમ્બર સુધીનો ઓનલાઇન બુકીંગ થઇ ગયું છે. આ ઉપરાંત જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં આવલી હોટલો પણ હાઉસફૂલ થઇ ગઇ છે.

પ્રવાસીઓ ગિર અભ્યારણમાં સિંહ દર્શન

છેલ્લા એક દાયકાથી પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ તરફ વધ્યું છે. દેશ-વિદેશનાં પ્રવાસીઓ જૂનાગઢ ઉપરાંત સોરઠની મુલાકાતે આવતા થયા છે. તેમાંય ગુજરાતીઓ તો દિવાળીનું વેકેશન સોરઠમાંજ ગાળવાનુ પસંદ કરતા થયા છે. કાલે દિવાળીથી રસ્તા પર પ્રવાસીઓનાં વાહનો જોવા મળશે. જે જૂનાગઢમાં રોકાણ કરશે. શહેરમાં આવેલા ભવનાથ, ઉપરકોટ, સક્કરબાગ, ગિરનારની મુલાકાત લેશે બાદ પ્રવાસીઓ સોમનાથ, સાસણ, દિવ તરફ જશે. ચાર દિવસ સુધી જૂનાગઢ જિલ્લામાં રોકાણ કરશે. પ્રવાસીઓ ગિર અભ્યારણમાં સિંહ દર્શન, જૂનાગઢનાં ફરવાલાયક સ્થળોની મુલાકાત લેશે.

જૂનાગઢ અને સોરઠની હોટલોમાં જગ્યા નથી

સોરઠમાં એકંદરે આગામી લાભપાંચમ સુધી તો પ્રવાસીઓનો ટ્રાફિક રહેશે.તેમજ જૂનાગઢ શહેર અને ગિર-સોમનાથ જિલ્લામાં આવેલી હોટલો ફૂલ ગઇ છે. સાસણમાં ગિર અભ્યારણ તથા સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે. તેમજ સિંહ દર્શન માટે ઓનલાઇન પરમિટ લેવીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું દિવાળી પહેલાથી ઓનલાઇન બુકીંગ શરૂ થઇ ગયું હતુ. દિવાળી પહેલા બુકીંગ ફુલ થઇ ગયું છે.ડીએફઓ રામરતન નાલાએ જણાવ્યું હતુ કે, સિંહ દર્શન માટે તા. 12 નવેમ્બર સુધીનું ઓનલાઇન બુકીંગ થઇ ગયું છે. 150 પરમિટ ઇશ્યુ કરી દેવામાં આવી છે.
 
એક પરમીટમાં 8 વ્યક્તિ હોય છે
 
સાસણમાં વન વિભાગ દ્વારા આપવામાં આવતી પરમિટમાં એક પરમિટમાં 8 વ્યક્તિ સિંહ દર્શન કરવા જઇ શકે છે. શનિવારથી જૂનાગઢ,સાસણ, દીવ, સોમનાથ તરફ લોકોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે.

વાછરડીની મિજબાની માણતો હતો સિંહ, પુંછડી પકડી વૃધ્ધે બળદને બચાવ્યો

વાછરડીની મિજબાની માણતો હતો સિંહ, પુંછડી પકડી વૃધ્ધે બળદને બચાવ્યો,  junagadh news in gujarati Bhaskar News, Visavadar | Oct 29, 2016, 23:13 PM IST

વિસાવદર:વિસાવદરનાં  ભુતડી (રામગઢ) ગામને છેલ્લા બે દિવસથી સિંહે બાનમાં લીધેલ હોય એમ ગત તા.27નાં ચોકમાં આવી મધરાતે બે વાગ્યાની આસપાસ ગાયનું મારણ કર્યુ હતું. બાદમાં બીજા દિવસે રાત્રીનાં 10 વાગ્યાની આસપાસ ઘુસી આવી દલિતવાસમાં ગાયનું મારણ કરી ત્યાંથી શેરીઓમાં આંટા મારતો ગામ વચ્ચોવચ્ચ રહેતા મધુભાઇ નાગજીભાઇ વસાણીનાં મકાનની 9 ફુટ ઉંચી દિવાલ કુદીને અંદર પ્રવેશી ગાય અને વાછરડીનાં શિકાર શિકાર કર્યા હતાં.

બે દિવસથી ગામમાં સિંહ આવતા હોવાથી લોકોમાં ગભરાટ

મારણની મિજબાની માણી રહેલા સાવજની બાજુમાં જ બે બળદ, ભેંસ, બે પાડરડી બાંધેલા હોય થર-થર ધ્રુજી રહયાં હતાં. ત્યારે મધુભાઇનાં કાકા ભીખુભાઇ અરજણભાઇ વસાણી (ઉ.વ.65)એ હિંમતપુર્વક ત્યાં જઇ સાંકળોથી બાંધેલી ભેંસ, બળદોને છોડાવી લીધેલ. પરંતુ એક બળદ જયાં બાંધેલ હતો તે જગ્યાએ સિંહની પુંછડી પડેલી હોય તે ઉંચી કરીને બળદને મોતનાં મુખમાંથી બચાવી લીધો હતો. ઘરમાં સિંહ ઘુસી આવતાં તેને જોવા લોકોનાં ટોળા ઉમટયાં હતાં. સતત બે દિવસથી ધામા અને પશુઓનાં મારણની ઘટનાઓથી લોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ પ્રસર્યો છે.