Thursday, March 31, 2016

રાજુલા: સોખડામાં બે સાવજોએ ઘરમાં ઘુસી બે બળદોનો શિકાર કર્યો

રાજુલા: સોખડામાં બે સાવજોએ ઘરમાં ઘુસી બે બળદોનો શિકાર કર્યો
  • Bhaskar News, Rajula
  • Mar 31, 2016, 12:18 PM IST
રાજુલા: ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદ પંથકમાં પણ અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અનેક વખત સાવજો ગામમા કે છેક ઘરમા ઘુસી પશુઓનુ મારણ કરતા હોવાની ઘટનાઓ પણ બને છે ત્યારે આવી જ એક ઘટના જાફરાબાદના સોખડા ગામે બની હતી. જયાં આજે વહેલી સવારે બે સાવજો શિકારની શોધમાં એક ખેડૂતના ઘરમા ઘુસી ફરજામા બાંધેલા બે બળદોનુ મારણ કર્યુ હતુ. જેને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.

બે સાવજોએ ઘરમાં ઘુસી બે બળદનુ મારણ કર્યાની આ ઘટના જાફરાબાદ તાલુકાના સોખડા ગામે આજે વહેલી સવારે બની હતી. અહી રહેતા જીલુભાઇ વરૂ નામના ખેડૂતના ઘરમાં આજે બે સાવજો ઘુસી ગયા હતા અને ફરજામા બાંધેલા બે બળદોનુ મારણ કર્યુ હતુ. બે સાવજો છેક ઘરના ફરજામા ઘુસી જતા ઘરમા રહેલા જીલુભાઇના પરિવારોમા પણ ભય ફેલાઇ ગયો હતો.

બાદમાં આ સાવજો વાડી વિસ્તાર તરફ નાસી છુટયા હતા. વહેલી સવારે બે સાવજોની ગામમા લટારથી લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. અને વાડી ખેતરોમાં કામ કરતા મજુરોમા પણ ફફડાટ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતુ કે જંગલમાં વન્યપ્રાણીઓને પુરતો ખોરાક કે પાણી મળતુ ન હોય શિકારની શોધમાં અવારનવાર સાવજો છેક ગામ સુધી આવી ચડે છે.

ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સાવજો શિકારની શોધમાં ખાસ કરીને રાત્રીના સમયે આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. જેને કારણે વાડી ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને મજુરોને સતત ભય રહે છે. વનવિભાગ દ્વારા ગીરકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવામા આવે તેવી પણ ગામ લોકોએ માંગણી ઉઠાવી છે.

અમરેલીથી ભાવનગર વચ્ચેનાં વિસ્તારમાં શિકારી ટોળકી સક્રીય, ફોટા થયા વાયરલ

    અમરેલીથી ભાવનગર વચ્ચેનાં વિસ્તારમાં શિકારી ટોળકી સક્રીય, ફોટા થયા વાયરલ
  • Bhaskar News, Amreli
  • Mar 28, 2016, 00:36 AM IST
    વિસાવદરઃ ગીર જંગલમાં શિકારીઓને વનવિભાગે સબક શીખડાવ્યા બાદ આજ ગીરમાં શીકારીઓનાં વન વિભાગનાં નામથી હાની ગગડી જાય છે. પરંતુ બૃહદગીરમાં આજે નિલગાય, સસલા, મોર સહિતનાં અન્ય વન્યદ પ્રાણીઓનો શિકાર બેરોકટોક બન્યો છે. કારણકે, શિકારીઓ છે માથાભારે. તેની પાસે વન વિભગનો પન્નો ટુંકો પડતો હોય તેમ કાર્યવાહી થતી નથી. જેથી પ્રકૃતીપ્રેમીઓએ મહામહેનતે આ શિકારીઓને ખુલ્લા પાડવા અથાગ પ્રયત્નો કર્યા બાદ ફોટા પાડવામાં સફળતા મેળવી છે અને જે ફોટા આજકાલ સોશ્યલ મીડીયામાં વાઇરલ થયા બાદ પણ વન વિભાગ શિકારીઓને મ્હાત કરવામાં શરમ અનુભવી રહી છે.
     
    - નિલગાય, સસલાનો શિકાર કરતી ટોળકીનાં ફાંસલામાં સિંહ ફસાયતો ? વન વિભાગ સમગ્ર બાબતે વાકેફ

    બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજુલા પંથકનો એક માથામારે શખ્સ વન્યપ્રાણીઓનાં શિકાર કરી તેનું માસ વેંચવા માટે જ ગવિખ્યાત છે.  આ માથાભારે શિકારીનું મસમોટું નેટવર્ક છેલ્લ ઘણા સમયથી અમરેલી થી ભાવનગર વચ્ચેનાં વિસ્તારમાં બે રોકટોક ચાલી રહ્યું છે. જેમાં, રાજુલા, જાફરાબાદ, લીલીયા, કાંક્રચ સહિતનાં વિસ્તારોમાં નિલગાય, સસલા, મોર સહિતનાં અન્ય પક્ષી, પ્રાણીઓનાં શિકાર ખુલ્લેઆમ થાય છે. જે બાબથી વન વિભાગનાં ઘણાખરા અધિકારીઓ, કર્મચારીઓ પણ સામેલ છે. જેમાં મોટાભાગનાં પૈસાથી અને ઘણા ખરા માથાભારે શીકારીનાં ડરથી થરથર ધ્રુજે છે. આ શિકારીને પકડવા માટે પ્રકૃતિ પ્રેમીઓએ છેલ્લા ઘણા સમયથી વોચ ગોઠવી હતી. જેની ચારેક દીવસ પહેલા એક ટ્રેકટરને નીલગાયનાં મૃતદેહ સાથે પોલીસે પાસે પકડાવ્યું. પરંતુ વન વિભાગે કઇ કાર્યવાહી નહી કરી અને પોલીસે આજદિન સુધી મુખ્ય શીકારનું નામ પણ ખોલાવી શકી નથી. જેથી તે અવાર-નવાર બચવામાં સફળ થાય છે.
     
    પ્રકૃતિ પ્રેમીઓએ જાનનાં જોખમે કામ કરવું પડ્યું

    પ્રકૃતિપ્રેમીઓએ ત્રણ દિવસ પહેલા શિકારી શીકારીની ફીરાકમાં હતા. તેવામાં ફોટા પાડવામાં મોટી સફળતા મેળવી લીધી હતી. જે કામ વન વિભાગને કરવાનું હતું. તે કામ પ્રકૃતિ પ્રેમીઓએ જાનનાં જોખમે કરવું પડ્યું હતું. આ સમગ્ર બાબતે પ્રકૃતી પ્રેમી નરેન્દ્રસીંહ જેઠવાએ ધારીનાં ડી.સી.એફ.કૃપા સ્માવને સમગ્ર ફોટો તથા અન્ય વિગતોથી વાકેફ કરવા પ્રયત્નો કર્યા તયારે ડી.સી.એફ. પ્રકૃતિ પ્રેમી શિકારી હોય તેવું વર્તન કરી ફોન કાપી નાખીયો હતો. એક તરફ ગુજરાત સરકારનું વન વિભાગ શિકારીઓને માહિતી માટે લાખો રૂ.નાં ઇનામોની જાહેરાત કરે છે. ત્યારે આવા પ્રકૃતિપ્રેમીઓ પોતાની જાનનાં જોખમે વન વિભાગે કરવાની થતી કામગીરી કરે અને છતાં પણ ડી.સી.એફ. આવી રીતે બેધ્યાન થાય તે નવાઇ વાત કહેવાય.
     
    વન્ય પ્રાણીઓનાં શિકાર કર્યા બાદ આ માસનું વેંચાણ રાજુલામાં કરતા

    પ્રકૃતિ પ્રેમી નરેન્દ્રસીંહ જેઠવાનાં જણાવ્યા પ્રમાણે આ શિકારી ટોળકી નિલગાય, સસલા, મોરનો શિકાર કરવા માટે વિદેશી બંધુક, ફાસલા, યુરીયા પુક્ત પાણી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે અને આ ટોળકીનું નેટવર્ક ખુબ જ મોટું હોય માથાભારે હોય જેથી તેને પકડવા ખુબ જ અઘરા છે. નરેન્દ્ર સિંહનાં વધુમાં જણાવ્યા પ્રમાણે આ શિકારનાં ફોટા રાજુલા પંથકનાં ત્રણ દિવસ પહેલાનાં જ છે. શિકારીઓ વન્ય પ્રાણીઓનાં શિકાર કર્યા બાદ આ માસનું વેંચાણ રાજુલામાં કરતા હોય જેની કિંમત રૂ.1500 થી 2000 સુધી કીલોનાં ભાવે ખુલ્લેઆમ વેંચી રહ્યા છે. ત્યાર આવા શિકારીઓને શબક શીખવવા માટે કોઇ કડક અધિકારીની ખુબ જ જરૂર છે. કારણ કે, નિલગાય, સસલા અને મોરને ફસાવવા મુકેલા ફાસલામાં ક્યારેક સિંહ કે સિંહનાં બચ્ચ ફસાઇને મોતને ભેટે પછી જ  વન વિભાગ કુંભકર્ણની નીંદરમાંથી બહાર આવશે.

3 દિવસમાં 3 સાવજોના મોતથી હાહાકાર

3 દિવસમાં 3 સાવજોના મોતથી હાહાકાર
  • DivyaBhaskar News Network
  • Mar 26, 2016, 02:40 AM IST
સરાકડીયા નજીક વધુ એક ત્રણ વર્ષનાં સિંહનો મૃતદેહ મળી આવ્યો : યુરિયા યુક્ત પાણી પીવાથી મોતની આશંકા


અમરેલીજિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની જાણે માઠી દશા બેઠી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન રેવન્યુ વિસ્તારમાં ત્રણ સાવજોના મોતની ઘટનાથી પ્રકૃતિપ્રેમીઓમાં હાહાકાર મચ્યો છે. સરકાર સાવજોની રક્ષા માટે કરોડોનો ખર્ચ કરી રહી છે આમ છતા સાવજો ટપોટપ મરશે તો તેના અસ્તિત્વ સામે ખતરો ઉભો થશે. ખાંભા તાલુકાના સરાકડીયા ગામે આજે આશરે ત્રણ વર્ષની ઉંમરના એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહના મોતનુ કારણ સ્પષ્ટ થયુ હતુ પરંતુ યુરિયાયુકત પાણી પીવાથી મોતની શકયતા નકારી શકાતી નથી.

અમરેલી જિલ્લામાં સાવજો કમોતે મરી રહ્યાં છે. સાવજોની વસતી ગણતરી વખતે સિંહપ્રેમીઓ ખુશખુશાલ હતા કારણ કે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજોની વસતી વધી હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસમા ત્રણ સાવજ કાળનો કોળીયો બની ગયા છે. વનતંત્રની ઘોર બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે. ત્રણમાંથી એકેય કિસ્સામા વનતંત્રનુ પેટ્રોલીંગ કે સાવજો પર દેખરેખ નજરે પડી હતી. કે ત્રણમાથી એકેય કિસ્સામા કોઇની જવાબદારી નક્કી થઇ હતી. આજે ખાંભા તાલુકાના રબારીકા રાઉન્ડ નીચે સરાકડીયા રેવન્યુ વિસ્તારમાં ભુપતભાઇ લાલજીભાઇ રામાણી નામના ખેડૂતની વાડીના શેઢા પરથી આશરે ત્રણ વર્ષની ઉંમરના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.

જાણ થતા ફોરેસ્ટર બી.બી.વાળા અહી સૌથી પહેલા પહોંચ્યા હતા. બાદમાં એસીએફ તથા વેટરનરી ડોકટરોની ટીમ દોડી આવી હતી. સિંહના મોતનુ દેખીતુ કોઇ કારણ સ્પષ્ટ પડતુ હતુ. જેને પગલે સ્થળ પર સિંહના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરાયુ હતુ અને જરૂરી નમુનાઓ ગાંધીનગર એફએસએલમા મોકલાયા હતા. વનવિભાગ ભલે મોતનુ કારણ સ્પષ્ટ કરી શકયુ નહી પરંતુ યુરિયાયુકત પાણી પીવાથી સિંહનુ મોત થયાનુ મનાય રહ્યું છે. જો કે અંતિમ સ્પષ્ટતા પીએમ રિપોર્ટ બાદ થશે.

અગાઉ પીપાવાવ, જામકામાં સાવજના મોત

બેદિવસ પહેલા રાજુલા નજીક પીપાવાવ ફોરવે પર એક સિંહણને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેનુ મોત થયુ હતુ. વનતંત્ર હજુ પણ વાહન ચાલકને શોધી શકયુ નથી. તો ગઇકાલે ખાંભાના જામકા રેવન્યુ વિસ્તારમાં એક સાવજે ઇનફાઇટમાં સિંહબાળને મારી નાખ્યાની ઘટના બની હતી. જયારે આજે સરાકડીયાની સીમમાંથી સિંહનો મૃતદેહ મળ્યો હતો.

ગૃપનાઅન્ય ત્રણ સાવજો પર નજર

ખાસકરીને ખાંભા વિસ્તારમાં બે દિવસમા બે સાવજના મોતથી વનતંત્ર પણ હચમચી ઉઠયું છે અને આવી કોઇ વધુ ઘટના બની જાય તે અંગે ચિંતિત થયુ છે. અહી ચાર સાવજનુ ગૃપ હતુ જે પૈકી બે સિંહણ અને એક સિંહ હજુ પણ વિસ્તારમા છે અને વનતંત્રએ તેના પર સતત વોચ શરૂ કરી છે.

અમરેલીઃ સાવજના ઘર સમું ક્રાંકચનું જંગલ બીજે દિવસે પણ સળગતું રહ્યું, વનતંત્ર નિષ્ફળ


અમરેલીઃ સાવજના ઘર સમું ક્રાંકચનું જંગલ બીજે દિવસે પણ સળગતું રહ્યું, વનતંત્ર નિષ્ફળ

  • Bhaskar News, Liliya
  • Mar 27, 2016, 00:02 AM IST
લીલીયાઃ સાવજોના એક વિશાળ ગૃપે જ્યાં પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યુ છે તે લીલીયાના ખારાપાટ વિસ્તારમાં બાવળના જંગલમાં વનતંત્રની ઘોર બેદરકારીના કારણે ગઇકાલે લાગેલા દવ પર આજે પણ કાબુ મેળવી શકાયો ન હતો. અહિં એકાદ હજાર વિઘામાં વન્ય સૃષ્ટિનો નાશ થયો હતો. વનતંત્ર દ્વારા મોડે મોડે અહિં ચાર ફાયર ફાઇટરોને દવ પર કાબુ મેળવવા કામે લગાડાયા હતાં પરંતુ તંત્રને રાત સુધી સફળતા મળી ન હતી. આ વિસ્તારમાં 35 જેટલા સાવજો છે. જેનું લોકેશન મેળવવા પણ પ્રયાસો હાથ ધરાયા છે.
 
- સાવજના ઘરને સળગતુ બચાવવામાં વનતંત્ર નિષ્ફળ : ચાર ફાયર ફાઇટર કામે લાગ્યા છતાં આગ ન ઓલવાઇ
- 35 જેટલા સાવજો અને અન્ય વન્યપ્રાણીઓની ભાળ મેળવવા વન તંત્ર કામે લાગ્યું: મોટા ભાગનું ઘાસ સળગી ગયું

જંગલ વિસ્તારમાં આમ તો દવની ઘટના નવી નથી. પરંતુ લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસનો વિસ્તાર ગીરનું જંગલ નથી પરંતુ ખારાપાટ વિસ્તારમાં આપમેળે ઉગી નિકળેલુ બાવળનું જંગલ છે. અહિં બરૂ નામનું મોટા કદનું ઘાસ પણ વિપુલ પ્રમાણમાં ઉગી નિકળે છે. આસપાસના આઠ-દશ ગામોની સીમને આવરી લેતા આ વિસ્તારમાં સાવજો ઉપરાંત દિપડા, નિલગાય, હરણ, કાળીયાર સહિતના વન્ય પ્રાણીઓ ઉપરાંત પશુ-પક્ષીઓ સરીસૃપોની મોટી સંખ્યા નભે છે. આ વિસ્તારમાં પણ દર વરસે દવની ઘટનાઓ બને છે.
 
વનવિભાગે ચાર ફાયર ફાયટર કામે લગાડ્યા

ગઇકાલે સાંજના સમયે જુના સાવરના સીમ વિસ્તારથી દવની શરૂઆત થઇ હતી. ભારે પવનના કારણે  રાત સુધીમાં આ દવ છેક ક્રાંકચની સીમ સુધી પહોંચી ગયો હતો. નિંભર વનતંત્ર ડોકાયુ ન હતું. વનતંત્રની ઘોર બેદરકારીના કારણે સ્થિતી એ સર્જાય કે આજે પણ દવ પર કાબુ મેળવી શકાયો ન હતો. આજે પણ આખો દિવસ શેત્રુજી કાંઠાના વિસ્તાર સહિત દવ ચાલુ રહ્યો હતો. વનતંત્ર દ્વારા દવ પર કાબુ મેળવવા ચાર ફાયર ફાઇટર કામે લગાડવામાં આવ્યા હતાં. પરંતુ આમ છતાં રાત સુધી દવ પર કાબુ મેળવી શકાયો ન હતો.
 
 
વન્યસૃષ્ટિ ભારે પ્રભાવિત થઇ હતી

ગઇરાત્રે વનતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચવામાં ઘોર બેદરકારી દાખવી હતી. આખરે સિંહ પ્રેમીઓ દ્વારા છેક ગાંધીનગર સુધી રજુઆત કરાયા બાદ સ્થાનિક તંત્ર દોડતુ થયુ હતું. હજુ પણ ઠેકઠેકાણે આગ લબકારા મારી રહી છે. સ્વાભાવીક રીતે જ ભારે દવના કારણે અહિં પક્ષીઓના માળા, સરીસૃપો અને જીવજંતુનો સહિતની વન્યસૃષ્ટિ ભારે પ્રભાવિત થઇ હતી. જો આગ પર સંપૂર્ણપણે કાબુ નહી મેળવાય તો આ જંગલના કોઇપણ ખુણેથી ફરી એકવાર દવ ચારેય તરફ ફરી વળી તેવી શક્યતા જોવાઇ રહી છે.

એક હજાર વિઘામાં વન્ય સૃષ્ટિનો નાશ

જુના સાવરની સીમ વિસ્તારથી શરૂ થયેલો દવ છેક ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં પ્રસરેલો છે. અહિં એકાદ હજાર વિઘા કરતા વધુ વિસ્તારમાં દવ પ્રસરી ચુક્યો છે. હજુ પણ દવ શરૂ હોય અને સંપૂર્ણ કાબુ મેળવી શકાયો ન હોય ક્ષતિગ્રસ્ત વિસ્તાર વધવાની શકયતા છે.

35 સાવજોની ભાળ ક્યારે મેળવાશે ?

આ ખારાપાટ વિસ્તારમાં 35 જેટલા સાવજો છે. જ્યાં આગ લાગી હતી તે વિસ્તારમાં આગલી સાંજે સાત સાવજોએ એક પશુનું મારણ કર્યુ હતું. આ સાવજોની હજુ ભાળ મળી નથી. આ વિસ્તારમાં વસતા તમામ સાવજોનું લોકેશન મેળવવુ જરૂરી બન્યુ છે. સામાન્ય રીતે સિંહણના બચ્ચા એક કે બે માસથી નાના હોય ત્યારે હરીફરી શકતા નથી.

કયા કયા વિસ્તારમાં દવ ?

લીલીયાના ખારાપાટમાં બૃહદ ગીર વિસ્તારમાં આવતા શેઢાવદર અને ક્રાંકચની સીમ, જુના સાવરની સીમ, નાળીયારાથી ગાગડીયાના  આરા, લોંકીની સીમ સહિતના વિસ્તારોમાં આ દવ પ્રસરી ચુક્યો છે.

વડાપ્રધાન પાક વીમા યોજનામાં કેરીનો સમાવેશ

વડાપ્રધાન પાક વીમા યોજનામાં કેરીનો સમાવેશ
  • DivyaBhaskar News Network
  • Mar 27, 2016, 03:46 AM IST
કેરીઉત્પાદક ખેડુતો માટે કેરીનાં સ્વાદ અને મીઠાશથી પણ વધુ મીઠા સમાચાર આવ્યા છે કે કેન્દ્ર સરકારે કૃષિનીતિ માં વર્ષમાં એકવાર આવતા બાયાગત પાક કેરીનો વડાપ્રધાન પાક વીમા યોજનામાં સમાવેશ કર્યો છે. કેરી ઉત્પાદક ખેડુતોની વર્ષો જુની માંગ સંતોષાતા કેરીનો પાક નિષ્ફળ જાય અથવા કુદરતી આફતોથી નાશ પામે તો પાંચ ટકા પ્રિમીયમનાં દરે કેરી ઉત્પાદક ખેડુતોને વળતર મળશે. નવી વીમા યોજનાની અમલવારી આવતા વર્ષથી અમલમાં આવશે.

ગીર પંથક કેસર કેરીનો ગઢ ગણાતો હોય વિસ્તારમાં બાગાયતી પાક કેરીનું ઉત્પાદન થતું હોય વર્ષમાં એકવાર આવતો કેરીનો પાક નિષ્ફળ જાય તો ખેડુતોને સહાય કે વળતર મળતું નહી વર્ષાથી કેરીનો પાક વીમામાં સમાવેશ કરવા કેરી ઉત્પાદન ખેડુતો અને આગેવાનો રજૂઆત કરતા રહેલ. તાલાલા પંથક સહિત સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં કેરીનું ઉત્પાદન થતુ હોય કેરી ઉત્પાદક ખેડુતોની સ્થિતિ પાક નિષ્ફળ જવાથી શું થતી હોય તે અંગે તાલાલા માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન કિરીટ પટેલ અને તાલુકાનાં સહકારી ક્ષેત્રનાં ખેડુત આગેવાનોએ રાજય અને કેન્દ્રનાં કૃષિમંત્રી ઉપરાંત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ અસરકારક રજુઆતો લાંબા સમયથી કરતા રહેલ. ગુજરાત સરકાર તરફથી ભારત સરકારનાં કૃષિ વિભાગ અને વિશેષ વડાપ્રધાન સુધી યોગ્ય રીતે રજૂઆત થતાં તાજેતરમાં કેન્દ્રીય પાક વીમા યોજનાની સમીક્ષામાં વર્ષમાં એકવાર આવતા બાગાયત પાક (કેરી)નો પાંચ ટકા વીમા પ્રિમીયમ ચુકવવાનું નક્કી કરી સમાવેશ કરવામાં આવતા કેરી ઉત્પાદક ખેડુતોને ભારે રાહત મળશે.

પાક વીમા યોજનામાં કોઇપણ પાકની નુકશાનીનો સર્વે તાલુકાને આધાર બનાવી નુકશાનીની ટકાવારી મેળવાય છે. નવી નીતિમાં તાલુકાનાં બદલે ગામ દીઠ કેન્દ્ર બનાવી તપાસણી અને સર્વે કરાશે.

ગીરકચ્છ, વલસાડ પંથકને લાભ થશે

કેરીનુંઉત્પાદન સૌરાષ્ટ્રનાં ગીર પંથક ઉપરાંત અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર જિલ્લામાં મળી સરેરાશ આઠ લાખ મેટ્રીક ટન કેરીનું ઉત્પાદન થાય છે. કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં પણ કેસર અને હાફુસ કેરીનું ઉત્પાદન થાય છે. તમામ વિસ્તારોને લાભ મળશે.

યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ થશે |વડાપ્રધાન પાક વીમા યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મોબાઇલ મારફતે ખેડુતો તેમનાં પાક નુકશાન અંગે તરત ચકાસણી કરી શકશે.

તમામ જિલ્લાઓને જુથોમાં મુકાશે

વડાપ્રધાન પાક વીમા યોજનામાં પ્રિમિયમનાં દરમાં એકરૂપતા લાવવા માટે ભારતનાં તમામ જિલ્લાઓને લાંબા સમય માટે જુથોમાં વિભાજીત કરવામાં આવશે.

તાલુકા દીઠ નહી ગામ દીઠ નુકસાનની ટકાવારી ચકાસાશે

વડાપ્રધાન પાક વીમા યોજનામાં બાગાયત પાક કેરીનો સમાવેશ થતા કેરીનો પાક નિષ્ફળ જાય તો ખેડુતોને આર્થિક વળતર મળશે જેથી પાક નિષ્ફળ જવાથી આર્થિક સંકડામણ અનુભવતા ખેડુતોને રાહત મળશે.ખેડુતો કેરીનાં આંબા કાપવાથી દુર થશે.

પાક વીમા યોજનાથી શું ફાયદો થશે ω?

પાક વીમામાં કેરીનો સમાવેશ થતા ગીર પંથક સહિત ગુજરાતનાં ઉત્પાદક ખેડુતોને ભારે રાહત મળશે : ખુશીનાં સમાચાર

અમરેલી શહેરમાં વિશ્વ વન દિવસની ઉજવણી કરાઇ

DivyaBhaskar News Network
Mar 27, 2016, 03:46 AM IST

અમરેલીજિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બાલ ભવન અને ગિરધરભાઇ સંગ્રહાલય દ્વારા વિશ્વ વન દિવસની ઉજવણી કરવા માટે કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ડીસીએસસી ટીમના સભ્યો જિલ્લા સંયોજક અરૂણભાઇ પાનસુરીયા, જિલ્લા સંદશેક ગોપી સરપદડીયા તથા કાઉન્સીલર પ્રોફેસર ડોડીયા દ્વારા સૌપ્રથમ અમરેલી પારેખ મહેતા પ્રાથમીક શાળા ખાતે 109 વિદ્યાર્થીઓ સમક્ષ સજીવોના અસ્તિત્વ માટે વનની મહત્વતા પર ઉદાહરણ સહ મનનીય વ્યાખ્યાન તથા માનવમા બિનહાનીકારક અનુવાંશિક લક્ષણો માહિતી પુર્ણ પ્રવચનના કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.

ટીમ દ્વારા જીવનતિર્થ વિદ્યાલય મુકામે અન્ય કાર્યક્રમમા અરૂણભાઇ દ્વારા પ્રાસંગીક ઉદબોધન બાદ પ્રોફેસર ડોડીયાએ વિશ્વ વન દિવસના ઉપલક્ષ્ય કાર્યક્રમમા વનની જરૂરીયાત જણાતા કહ્યુ હતુ કે પૃથ્વી પર સજીવોના અસ્તિત્વ માટે વન અભિ જરૂરી છે. વનસ્પતિ વિહીન જગતની કલ્પના પણ મૃત્યુ કારક બની શકે છે. સજીવોને જીવવા માટે અતિ આવશ્કય ખોરાક, પાણીને પ્રાણવાયુ વનસ્પતિ સંતોષાય છે. શાકાહારી અને માંસાહારી પ્રાણીઓમા પોષણ માટે દાંતની રચના, આકાર, પ્રમાણ અને મહત્વ વિશે નમુનાઓ સહ રસપ્રદ માહિતી પ્રોફે. ડોડીયાએ આપી હતી.

કાર્યક્રમના અંતમા આચાર્ય દિનેશભાઇ ત્રીવેદી તથા ભરતભાઇ ઉપાધ્યાયે લોક વિજ્ઞાન કેન્દ્રનો આભાર માન્યો હતો. કાર્યક્રમની વ્યવસ્થા માટે અધ્યાપક જાડેજા, જીજ્ઞાબેન ત્રીવેદી, વંદનાબેન કુંચલા, દિશાબેન જવાણીએ સહકાર આપ્યો હતો. સાથે પટાંગણમા 15 જેટલા વૃક્ષોના રોપાનુ વાવેતર કરવામા આવ્યુ હતુ. સંસ્થાના પ્રિન્સીપાલ વિપુલભાઇ વ્યાસ, પ્રોફે. ગોંડલીયા, નરેશભાઇ અધ્યારૂ સહિત વિગેરેના હસ્તે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામા આવી હતી. સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઇ મહેતા, ચેરમેન હેમેન્દ્રભાઇ મહેતા તથા મંત્રી સંજીવભાઇ મહેતાએ કાર્યને બિરદાવ્યું હતું.

ધારીઃ આધેડને ફાડી ખાનાર નરભક્ષી સાવજ આખરે પાંજરે પુરાયો

ધારીઃ આધેડને ફાડી ખાનાર નરભક્ષી સાવજ આખરે પાંજરે પુરાયો
Hirendrasinh Rathod, Khambha
Mar 23, 2016, 16:27 PM IST
ધારી: ધારીના આંબરડીમાં બે દિવસ પહેલા વાડીમા સુતેલા આંકડીયા ગામના આધેડને સાવજે ફાડી ખાધા બાદ વનવિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા ત્રણ પાંજરા ગોઠવવામા આવ્યા હતા. દરમિયાન ગઇરાત્રે આ સિંહ પાંજરે પુરાઇ ગયો હતો. સિંહને સાસણ ખાતે મોકલી આપવામા આવ્યો છે.

સાવજ જો એક વખત માણસનું લોહી ચાખી જાય તો પછી તે જોખમી બની જાય છે. સામાન્ય રીતે સિંહ માણસનો શિકાર કરતો નથી પરંતુ જો એક વખત માણસનો શિકાર કરે તો તેની આદત બની જવાની શકયતા છે. આવા સંજોગોમા નરભક્ષી સિંહ બીજા માણસોનો પણ શિકાર કરી શકે છે.

ધારી તાલુકાના આંબરડી ગામની સીમમા એક સાવજે બે દિવસ પહેલા વાડીમા ખુલ્લામાં સુતેલા આધેડને ફાડી ખાતા આ વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. નરભક્ષી સિંહ આઝાદ ઘુમતો હોય ખેડૂતો વાડીએ જતા પણ ડરતા હતા.

દરમિયાન વનવિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા માટે આંબરડી ગામની સીમમાં ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. પ્રથમ ચોવીસ કલાક સુધી તો આ સિંહ પાંજરામા સપડાયો ન હતો પરંતુ ગઇરાત્રે ફરી શિકારની શોધમાં નીકળેલો નરભક્ષી સિંહ વનવિભાગે ગોઠવેલા પાંજરામા સપડાઇ જતા વનતંત્ર અને આ વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો. આ સિંહને હાલમાં સાસણ ખાતે મોકલી આપવામા આવ્યો હોવાનું વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ.

રાત્રે ખુલ્લામા સુતેલા લોકો બને છે સિંહ દિપડાના હુમલાનો ભોગ

સામાન્ય રીતે સાવજ માણસનો શિકાર કરતો નથી કે તેને ખોરાક સમજતો નથી પરંતુ આંબરડીની ઘટનામા મૃતક જીણાભાઇ મકવાણાએ રાત્રીના સમયે કાળી શાલ ઓઢેલી હોય તેના કારણે સાવજ તેમને પશુ સમજી ઉપાડી ગયાનું વનતંત્ર માની રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાવજ માણસની સરખામણીમા રાત્રીના સમયે ખૂબ જ સારી રીતે જોઇ શકે છે. ધારીના ડીએફઓ કરૂપ્પાસામીએ પણ જણાવ્યું હતુ કે, તેમણે કાળી શાલ ઓઢી હોય તેમના કારણે સિંહ ઉઠાવી ગયાની શકયતા છે. તેમણે એમ પણ જણાવ્યું હતુ કે અહી સિંહને પકડવા ત્રણ પાંજરા મુકાયા છે.
 
સિંહ શરીરનો તમામ હિસ્સો ખાઇ ગયો

સિંહ જીણાભાઇના મોઢાને બાદ કરતા બાકીનો શરીરનો તમામ હિસ્સો ખાઇ ગયો હતો. સવાર પડતા સાથી મજૂરોએ જીણાભાઇને ન જોતા આસપાસમા તપાસ કરી હતી. થોડે દૂરથી તેમના અવશેષોમા પડેલો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગને જાણ કરાતા ડીએફઓ કરૂપ્પાસામી, એસીએફ મુની સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા. મૃતક આધેડની લાશને પીએમ માટે ચલાલા દવાખાને ખસેડાઇ હતી. બીજી તરફ સીમમાં નરભક્ષી સિંહની હાજરીથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હોય ખેડૂતોએ સિંહને પાંજરે પુરવા માંગ ઉઠાવી હતી.