Bhaskar News, Dhari
Apr 04, 2015, 01:22 AM IST
Apr 04, 2015, 01:22 AM IST
- હત્યામાં વપરાયેલો પાવડો કબજે લેતું વનતંત્ર
ધારી: ધારી તાલુકાના કરમદડી ગામની સીમમાં ગુરુવારે દીપડીના બચ્ચાંએ ત્રણ ખેડૂતો પર હુમલો કરી ઘાયલ કર્યા બાદ ત્રણેય શખ્સોએ દીપડીના બચ્ચાંની હત્યા કર્યા બાદ વનતંત્રે તેની ધરપકડ કરી આજે હત્યામાં વપરાયેલ પાવડો અને લાકડું કબજે લીધા હતા. ત્રણેયને અદાલતમાં રજૂ કરાતા અદાલતે તેમને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
કરમદડીના રામદાસ પ્રેમદાસ ગોંડલિયા ઉપરાંત તેમના સાઢુભાઇ બાઢડા ગામના રણછોડભાઇ હરિદાસ ગોંડલિયા અને ધીરૂભાઇ રામજીભાઇ વાઘારા પર ગુરુવારે સવારે દીપડીના બચ્ચાંએ હુમલો કર્યો હતો. રણછોડભાઇ કુદરતી હાજતે ગયા હતા ત્યારે બચ્ચાંએ હુમલો કરતા બાકીના બંને શખ્સો પણ દોડી આવ્યા હતા. બચ્ચાંએ ત્રણેય પર હુમલો કરતા સામાન્ય ઇજા પહોંચી હતી, પરંતુ ત્રણેય શખ્સોએ પાવડા અને લાકડાંના ઘા મારી તેના રામ રમાડી દીધા હતા.
બીજી તરફ વનતંત્રે ગુરુવારે રાત્રે જ તેની ધરપકડ કર્યા બાદ આજે પાવડો અને લાકડું કબજે લેવામાં આવ્યા હતા. પાવડો અને લાકડાંના ઘા મારી ત્રણેય શખ્સોએ બચ્ચાંને મારી નાખ્યું હતું. દરમિયાન એસીએફ મુની સ્ટાફના એ.વી.ઠાકર, નિલેશભાઇ વેગડા વગેરેએ આરોપીઓ પાસે ઘટનાસ્થળનુ રિહર્સલ કરાવ્યું હતું અને વીડિયોગ્રાફી તથા ફોટોગ્રાફી પણ કરાવી હતી. દરમિયાન આજે ત્રણેયને ધારી કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
જે વિસ્તારમાં 40થી વધુ સાવજોનો વસવાટ છે તે લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં ચાલુ સાલે દવની ઘટનાઓમાં ભારે ઉછાળો જોઇ શકાય રહ્યો છે. છેલ્લા 50 દિવસ દરમીયાન વિસ્તારમાં દવની ઘટનાઓ બની ચુકી છે. પરંતુ વાત આટલેથી અટકી નથી. લીલીયા તાલુકાના ક્રાંકચ તથા નાના લીલીયા ગામની સીમમાં ગઇ મોડીસાંજે ફરી એકવાર દવની ઘટના બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર વિસ્તારમાં ગાગડીયો નદીના કાંઠે નાળીયેરોથી લઇ ખોડીયારની ખાણ સુધીના વિસ્તારમાં દવ લાગ્યો હતો.
મોડી સાંજે શરૂ થયેલો દવ વહેલી સવાર સુધી રહ્યો હતો અને ત્યાં સુધીમાં પ00 વિઘા વિસ્તારમાં બાવળની કાંટ, ઘાસ અને અન્ય વનસ્પતીને ઝપટે લઇ તેનો નાશ કરી નાખ્યો હતો.
જો કે તે સમયે વિસ્તારમાં સાવજો હોવાનું જાણવા મળેલ છે. એવું પણ જાણવા મળેલ છે કે વન વિભાગનો સ્ટાફ મોડી રાત્રે વિસ્તારમાં ગયો હતો અને પરત ફરી ગયો હતો.
90 ટકા વિસ્તારમાં વન્યસૃષ્ટિનો નાશ
ક્રાંકચતથાઆસપાસના વિસ્તારમાં છેલ્લા 50 દિવસમાં દવની સાતમી ઘટના છે. દરમીયાન લગભગ 90 ટકા જેટલા વિસ્તારમાં ઉંચુ ઘાસ અને બાવળની કાંટ તથા અન્ય વનસ્પતિનો નાશ થયો છે. જો કે આગની ઘટના બાદ પણ બાવળ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખશે. પરંતુ ઘાસના મેદાનો સાફ થઇ ગયા છે.
તંત્ર દ્વારા કોઇ તપાસ નહી
ક્રાંકચપંથકમાંદવની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. છતાં વનતંત્ર દ્વારા કોઇ તપાસ કરવામાં આવતી નથી. અગાઉની ઘટનાઓમાં પણ કોઇ તપાસ થઇ હતી અને આજે સાતમી ઘટના બાદ પણ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી નથી.
નાળીયેરોથી લઇ ખોડીયારની ખાણ સુધી દવ લાગ્યો. / મનોજજોષી