Thursday, April 30, 2026

લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ રાજ્યના મુખ્યમંત્રીને એક

Divyabhaskar.com | Updated - Sep 30, 2018, 02:01 AM

લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી 14 સાવજોના મોત અંગેનો...

લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી 14 સાવજોના મોત અંગેનો એફએસએલ રીપોર્ટ જાહેર કરવા તથા જંગલમાં ફેરણુ કરી સાવજોની રક્ષા કરવાને બદલે ઘરે પડયા-પાથર્યા રહેતા વનકર્મીઓ સામે પગલા લેવા માંગ કરી છે.

ભીખુભાઇ બાટાવાળાએ આ અંગે ગઇકાલે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે 10-10 દિવસ સુધી સાવજની લાશ કોહવાઇ ગયેલી હાલતમાં પડી રહે અને છેવટે તે સિંહ છે કે સિંહણ તેની ઓળખ પણ ન થઇ શકે તેવી હાલતમાં મૃતદેહ મળે તે સ્થિતી અસહ્ય છે. કારણ કે વનતંત્રનો મસમોટો સ્ટાફ ખડકવામાં આવ્યો છે. જેણે જંગલમાં નિયમીત દેખરેખ રાખવાની છે. પરંતુ તેઓ દેખરેખ રાખતા નથી અને ઘરે પડયા રહે છે. જેના કારણે આવા બનાવો છુપાવવા માટે અધિકારીઓને પણ પોતાના મોબાઇલ સ્વીચઓફ રાખવા પડે છે.

તેમણે જણાવ્યુ હતું કે બેદરકારીની ઘટનામાં પણ ઇનફાઇટ અને બિમારી જેવા કારણો આપી મોતના સાચા કારણોને છુપાવાઇ રહ્યા છે. સિંહ સહિતના વન્યપ્રાણીઓના મોત અંગે એફએસએલનો રીપોર્ટ જાહેર કરવો જોઇએ. જેથી જનતાને પણ મોતના સાચા કારણોની જાણ થાય અને ફરજ બજાવવાના બદલે ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે પગલા લેવાવા જોઇએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020112-2851595-NOR.html

No comments: